Home Blog Page 4660

રાશિ ભવિષ્ય 11/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 11/09/2020

(મયંક રાવલ)

કોરોનાને લઈને ‘જૂનો ઇન્ટરવ્યુ’ ટ્રમ્પ માટે મુસીબત બન્યો

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક જૂનો ઇન્ટરવ્યુ મુસીબત બની ગયો છે. આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્વીકાર કર્યો હતો કે તેમણે જાણીબૂજીને કોરોનાના જોખમને ઓછું દર્શાવ્યું હતું. અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે ટ્રમ્પ પહેલેથી જ વિપક્ષના નિશાના પર છે અને આ ખુલાસાથી તેઓ વધુ આક્રમક બની ગયા છે. જોકે વ્હાઈટ હાઉસે ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે કોરોના વાઇરસના પ્રકોપ વિશે અમેરિકી લોકોને જાણીજોઈને ગેરમાર્ગે નથી દોર્યા. વાઇટ હાઉસના પ્રેસ સચિવે કાયલે મૈકનીએ આ માટે નિવેદન જારી કર્યું હતું.

ટ્રમ્પને લઈ વધુ ખુલાસા

આ ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી-માર્ચનો છે, પણ ચૂંટણી પહેલાં એને બજારમાં આવતા એક પુસ્તક માટે જારી કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં ટ્રમ્પને લઈ વધુ ખુલાસા થાય એવી શક્યતા છે. આ ઇન્ટરવ્યુની ક્લિપિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળી શકાય છે કે તેમણે જાણીજોઈને કોરોનાના જોખમને ઓછું ગણાવ્યું હતું. તેમણે એ ફરી સ્વીકાર કર્યો હતો કે  કોરોના વાઇરસ કેટલો ઘાતક અને સંક્રમિત રોગ છે. જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે આવું તેમણે જનતાની ભલાઈ માટે કર્યું હતું.

વાઇરસના પ્રભાવને ઓછો કર્યો

રિપબ્લિકન રાષ્ટ્રપતિનો દાવો છે કે તેમણે મહિનાઓ સુધી વાઇરસના પ્રભાવને ઓછો કર્યો. જોકે વાઇરસ સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ ગયો હતો. સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું નહોતો ઇચ્છતો કે લોકોમાં ગભરાટ ફેલાય, હું હજી પણ એ જ કરી રહ્યો છું. 15 સપ્ટેમ્બર બહાર પડાનારા પુસ્તક ‘Rage’ માટે ઇન્ટરવ્યુની ક્લિપિંગને જારી કરવામાં આવી છે. આ વર્ષે પ્રકાશિત થનારું આ ચોથું પુસ્તક છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલાં રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.

ખુલાસા ટ્રમ્પ માટે ખતરનાક

અમેરિકામાં આ વર્ષની ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે. આવામાં કોરોના વાઇરસ અંગે ટ્રમ્પનું વલણ દર્શાવે છે કે આ ખુલાસા ટ્રમ્પ માટે ખતરનાક સાબિત થશે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીં 1,90,000 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યાં છે અને એના માટે મોટે ભાગે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણવામાં આવે છે.

અમેરિકનો સાથે છેતરપિંડી

આ ખુલાસા પછી વિપક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ પર તીખા હુમલા કરી રહ્યો છે. ટ્રમ્પના વિરોધી જો બિડેને મિશિગનમાં ચૂંટણી ઝુંબેશમાં કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે કોરોના કેટલો ઘાતક છે, તેમ છતાં અમેરિકી જનતાથી ખોટું બોલ્યા. તેઓ જાણીજોઈને અને સ્વેચ્છાથી દેશની સામેના જોખમને લઈને મહિનાઓ સુધી ખોટું બોલતા રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ દેશની સાથે છેતરપિંડી છે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્રે આ બધા આરોપોનો વિરોધ કર્યો છે.

કંગનાએ મહાપાલિકાએ તોડેલી ઓફિસની મુલાકાત લીધી…

મહારાષ્ટ્ર સરકાર અને શાસક પાર્ટીઓમાંની એક, શિવસેના સામે જંગે ચડેલી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે 10 સપ્ટેમ્બર, ગુરુવારે મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એની ઓફિસની મુલાકાત લીધી હતી, જ્યાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકા (BMC)એ બુધવારે કેટલાક ‘ગેરકાયદેસર’ બાંધકામને તોડી પાડ્યું હતું. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે કંગનાએ એ વખતે એનાં મોઢા પર માસ્ક પહેર્યો નહોતો. કંગનાએ BMCની કાર્યવાહી સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. કોર્ટે કાર્યવાહી સામે સ્ટે ઓર્ડર આપ્યો છે અને વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. સુશાંત સિંહ રાજપૂત ભેદી મૃત્યુ કેસમાં નબળી તપાસ કરવાના મુદ્દે કંગનાએ મુંબઈ પોલીસ અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે તેથી સરકાર-શિવસેના એની વિરુદ્ધમાં છે. પરિસ્થિતિને પારખી જઈને કેન્દ્ર સરકારે કંગનાને Y-Plus કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક

મુંબઈઃ પીઢ ચરિત્ર અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર આ પ્રતિષ્ઠિત સંસ્થાએ આજે તેના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કર્યા છે.

આ સંસ્થાની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. આ સંસ્થાએ ભારતીય સિનેમાને અનેક જાણીતા કલાકારો આપ્યા છે, જેમ કે, ઓમ પુરી, અનુપમ ખેર, આશુતોષ રાણા, આદિલ હુસેન, પંકજ ત્રિપાઠી વગેરે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે NSDના ચેરમેન તરીકે પરેશ રાવલને નિયુક્ત કર્યા છે.

NSD સંસ્થાએ એના ટ્વીટમાં લખ્યું છે કે પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ સંસ્થા સફળતાની નવી ઊંચાઈ હાંસલ કરશે.

આ હોદ્દા પર પરેશ રાવલ જાણીતા રંગભૂમિ અદાકાર અર્જૂન દેવ ચરણના અનુગામી બન્યા છે.

અમદાવાદ (ઈસ્ટ) બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાણીતા સમર્થક પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વખતથી સંકળાયેલા છે. તેમણે પોતાની અભિનયની કારકિર્દી 80ના દાયકામાં શરૂ કરી હતી. એમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ બજાવી છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

બોલીવૂડમાં તેઓ વિલન અને કોમેડી ભૂમિકાઓમાં વધારે જોવા મળ્યા છે.

રાવલને 2014માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એમણે 1994માં ‘વોહ છોકરી’ અને ‘સર’ ફિલ્મોમાં કરેલા અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.

પરેશ રાવલના અભિનયવાળી જાણીતી ફિલ્મો છેઃ ‘નામ’, ‘શિવા’, ‘તમન્ના’, ‘ઐતરાઝ’, ‘ઓયે લકી! લકી ઓયે!’, ‘ઓ માય ગોડ’, ‘ટેબલ નંબર 21’.

કોમેડી ભૂમિકાઓ માટે એમની જે ફિલ્મો દર્શકોને પસંદ પડી છે એમના નામ છેઃ ‘અંદાઝ અપના અપના’, ‘ચાચી 420’, ‘હેરા ફેરી’, ‘આંખે’, ‘આવારા પાગલ દીવાના’, ‘હંગામા’, ‘હલચલ’, ‘ગરમ મસાલા’, ‘ભાગંભાગ’, ‘માલામાલ વીક્લી’, ‘વેલકમ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’ વગેરે.

 

રફાલ ફાઇટર જેટની 10 ખાસિયતો…

ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે હવાઈ દળની તાકાત વધી છે. ગત્ દિવસોમાં ફ્રાંસથી ભારત આવેલાં પાંચ રફાલ લડાકુ વિમાન આજે સત્તાવાર રીતે હવાઈ દળમાં સામેલ થયાં છે. લાંબી રાજકીય દલીલો અને પ્રક્રિયા પૂરી થયા પછી રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા છે, જે અત્યાધુનિક ટેક્નિકની સાથે હવાઈ દળમાં સામેલ થયાં છે.આવામાં રફાલ લડાકુ વિમાનોની ખાસિયતો શી છે અને દુશ્મનો એનાથી કેમ ગભરાય છે? જોઈએ એક નજર…

  1. રફાલ લડાકુ વિમાનનો કોમ્બેટ રેડિયસ 3700 કિલોમીટર છે. એની સાથે એ બે એન્જિનવાળાં વિમાન છે, જેની ભારતીય હવાઈ દળની જરૂર હતી.
  2. રફાલમાં ત્રણ પ્રકારનાં મિસાઇલ બેસાડી શકાય છે. હવાથી હવામાં માર કરવાવાળી મિટિયોર મિસાઇલ, હવાથી જમીન પર માર કરવાવાળી સ્કેલ્પ મિસાઇલ અને હૈમર મિસાઇલ.
  3. રફાલ લડાકુ વિમાન સ્ટાર્ટ થતાં જ ઊંચાઈ સુધી પહોંચવામાં અન્ય વિમાનોથી ઘણા આગળ છે. રફાલનો રેટ ઓફ ક્લાઇંબ 300 મીટર પ્રતિ સેકન્ડ છે, જે ચીન-પાકિસ્તાનનાં વિમાનોને માત આપી શકે છે એટલે કે રફાલ એક મિનિટમાં 18,000 મીટરની ઊંચાઈએ જઈ શકે છે.
  4. લદાખ સરહદના હિસાબે જોઈએ તો રફાલ લડાકુ વિમાન ફિટ બેસે છે. રફાલ ઓમની રોલ લડાકુ વિમાન છે. એ પહાડો પર ઓછી જગ્યામાં ઊતરી શકે છે. એને સમુદ્રમાં ચાલતા યુદ્ધજહાજ પર પણ ઉતારી શકાય છે.
  5. એક વાર ફ્યુઅલ ભર્યા પછી એ સતત 10 કલાક સુધી ઉડ્ડયન કરી શકે છે. આ હવામાં જ ફ્યુએલ ભરી શકે છે, જેમ કે એણે ફ્રાંસથી ભારત આવતાં ફ્યુઅલ ભર્યું હતું, એ રીતે.
  6. રફાલ પર બેસાડવામાં આવેલી ગન એક મિનિટમાં 2500 ફાયર કરવા સક્ષમ છે. રફાલમાં મજબૂત રડાર સિસ્ટમ પણ છે. એ 100 કિલોમીટરના વિસ્તારમાં એક વાર એકસાથે 40 ટાર્ગેટની ઓળખ કરી શકે છે.
  7. દેશને મળેલા રફાલ લડાકુ વિમાન આશરે 24,500 કિલોગ્રામ સુધીનો ભાર ઉઠાવીને લઈ જવા માટે સક્ષમ છે, એની સાથે 60 કલાક વધારાની ઉડાનની પણ ગેરન્ટી છે.
  8. રફાલમાં હજી જે મિસાઇલ લાગેલી છે, એ સિરિયા, લિબિયા જેવી જગ્યાઓમાં ઉપયોગ થઈ ચૂકી છે. આ સિવાય ટૂંક સમયમાં SPICE 2000ને પણ આમાં જોડવામાં આવશે.
  9. ભારતીય હવાઈ દળને હાલ પાંચ રફાલ લડાકુ વિમાન મળ્યાં છે, જ્યારે 2022 સુધી એની સંખ્યા 36ની થઈ જશે, જેનાથી અલગ-અલગ એરબેઝ પર તહેનાત કરવામાં આવશે.
  10. રફાલ લડાકુ વિમાન હજી અંબાલા એરબેઝ પર તહેનાત છે, જે ચીન અને પાકિસ્તાન સરહદની પાસે છે. આવામાં વર્તમાન સ્થિતિમાં એ બિલકુલ ભારત માટે લાભકારક સાબિત થશે.

 

 

રફાલ યુદ્ધવિમાનો હવાઈદળમાં સામેલ; દુશ્મનોને સંરક્ષણપ્રધાનની કડક ચેતવણી

નવી દિલ્હીઃ પાંચ ફાઇટર જેટ રફાલ વિમાનોને આજે ઔપચારિક રીતે ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યા છે. અમ્બાલાસ્થિત એરફોર્સ મથક ખાતે યોજવામાં આવેલા પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે ‘Rafale’ induction ceremonyમાં ફ્રાંસના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લીનું દેશવાસીઓ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે તેમની ઉપસ્થિતિ વર્ષોથી બે દેશો વચ્ચે ચાલ્યા આવતા સંરક્ષણ સહયોગને દર્શાવે છે.

આજે વિશ્વમાં સુરક્ષાની સાથે-સાથે, ઈકોનોમી અને જિયો-સ્ટ્રેટેજિકના મુદ્દા નવાં-નવા રૂપોમાં આપણી સામે આવી રહ્યાં છે. એનો સતત સામનો કરતાં આપણાં બે લોકતંત્ર. એક સ્થાયી, સક્રિય સંબંધ બનાવવામાં અને વધારવામાં સફળ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં એક્સટેન્શન અને આતંકવાદની સામે લડાઈમાં પણ ભારત અને ફ્રાંસ સાથે રહ્યા, એમ તેમણે કહ્યું હતું.

રાજનાથ સિંહે કહ્યું હતું કે સમગ્ર વિશ્વને અમારા સાર્વભૌમત્વ પર ઊઠેલી આંખો માટે એક મોટો અને કડક સંદેશ છે. અમારી સરહદો પર જે રીતેનો માહોલ હાલના દિવસોમાં બન્યો છે અથવા સીધું કહું તો બનાવવામાં આવ્યો છે. એ દ્રષ્ટિએ આ induction બહુ મહત્ત્વનો છે. આ ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે સરકારના કમિટમેન્ટનું એક ઉદાહરણ છે. બદલાતા સમયની સાથે આપણે તૈયાર રહેવું પડશે. જેની તાકાત આજે આપણે જોઈ રહ્યા છીએ. આ વડા પ્રધાનની મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે. અમારો ઉદ્દેશ વિશ્વ શાંતિ માટે રહ્યો છે. અમે એવું ક્યારેય કોઈ પગલું નથી ઉઠાવતા, જેનાથી શાંતિ ભંગ થાય, એમ તેમણે કહ્યું હતું.

રફાલનું સામેલ થવું એક મહત્ત્વનું અને ઐતિહાસિક પળ છે. આ પ્રસંગે હું દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન આપું છું, એમ તેમણે કહ્યું હતું.

ફાઇટર જેટ રફાલ વિમાનોને ઔપચારિક રૂપે ભારતીય હવાઈદળમાં સામેલ કરવામાં આવ્યા એ સમારંભની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સભા કરવામાં આવી હતી. એક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હવાઈદળના જવાનોએ દિલધડક કરતબ દર્શાવ્યા હતા.

રફાલની તાકાત

રફાલ ફાઇટર જેટ 55,000 ફૂટથી હુમલો કરવા સક્ષમ છે, જે પોતાની સાતે ઉડાનમાં 16 ટન બોમ્બ અને મિસાઇલ લઈ શકે છે. રફાલ મલ્ટિ ડિરેક્શનલ રડારથી લેસ છે અને એની નજરથી કોઈ બચી નહીં શકે. રફાલ એકસાથે 40 લક્ષ્યોની દેખરેખ કરવાની કાબેલિયત રાખે છે. રફાલની ઝડપ 2200 કિલોમીટર પ્રતિ કલાક છે. રફાલમાં ત્રણ પ્રકારની ઘાતક મિસાઇલો લાગેલાં છે. લેઝર ગાઇડેડ બોમ્બની તાકાત છે. રફાલ ઇન્ટિગ્રેટેડ સેલ્ફ પ્રોટેક્શન સિસ્ટમની સાથે ફ્રાંસથી ભારત આવ્યાં છે. દુશ્મનના રડાર જેમ કરવામાં સક્ષમ છે. રફાલમાં લાગેલા કેમેરાનું વજન 1000 કિલોગ્રામ છે. રફાલ પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે.

ફરી એક વારઃ BSE  સ્ટાર MF પર ઓગસ્ટમાં નેટ ઈક્વિટી ઈન્ફ્લો પોઝિટિવ રહ્યો

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE  સ્ટાર MF પર ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર પોઝિટિવ નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે. ઉદ્યોગના કુલ ઈન્ફ્લોમાં રૂ.4000 કરોડનો ઘટાડો ઓગસ્ટમાં નોંધાયો છે ત્યારે બજારમાં અતિ મોટી વધઘટ છતાં રોકાણકારોનો BSE  સ્ટાર MF પરનો વિશ્વાસ વધ્યો છે, એનું પ્રતિબિંબ એમાં પડે છે કે BSE  સ્ટાર MF પર ઓગસ્ટમાં રૂ.667 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણની આવક રહી છે.

BSE  સ્ટાર MF ઓગસ્ટ, 2020માં જ સૌથી વધુ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. એ પૂર્વે 10 ઓગસ્ટે 11.40 લાખ અને 13 એપ્રિલ, 2020ના રોજ 11.58 લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવાના રેકોર્ડ આ પ્લેટફોર્મ ધરાવે છે.

રાષ્ટ્રવ્યાપી મહામારી અને સતત લંબાઈ રહેલા લોકડાઉન વચ્ચે પણ BSE  સ્ટાર MFAMCs, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળપણે પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 20-21માં  એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 3.28 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 19-20ના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સના 57 ટકા છે.

ઓગસ્ટ, 2020માં આ પ્લેટફોર્મ પરનું ટર્નઓવર ઓગસ્ટ 2019ના રૂ.14,714 કરોડથી 71 ટકા વધીને રૂ.25,128 કરોડ થયું છે.

‘શિવસેના સોનિયાસેના બની ગઈ છે’; કંગના સામે પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ આક્રમક મિજાજવાળી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે એની વિરુદ્ધ ખૂન્નસ કાઢનાર મહારાષ્ટ્રની શાસક શિવસેના પાર્ટી વિરુદ્ધ આકરાં નિવેદનો કરવાનું આજે પણ ચાલુ રાખ્યું છે. એક ટ્વીટમાં એણે લખ્યું છે કે, ‘શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના આદર્શવાદને વેચી દીધો છે અને હવે તે શિવસેનામાંથી ‘સોનિયા સેના’ બની ગઈ છે.’

ઉલ્લેખનીય છે કે, શિવસેનાના સ્થાપક પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરે એમના રાજકીય જીવન દરમિયાન કોંગ્રેસ પાર્ટીનાં સખત ટીકાકાર રહ્યા હતા, પણ એમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી નામે સંયુક્ત સરકાર રચી છે.

કંગનાએ એનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ – ‘ટીમ કંગના’ પરથી કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘બાળાસાહેબ ઠાકરેએ જે આદર્શવાદ પર શિવસેનાનું ઘડતર કર્યું હતું, તેને આજે લોકોએ સત્તા માટે વેચી દીધું છે. હવે પાર્ટી શિવસેનામાંથી સોનિયા સેના બની ગઈ છે. જે ગૂંડાઓએ મારી ગેરહાજરીમાં મારાં ઘરમાં તોડફોડ કરી એમને સિવિક બોડી ન કહો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરો.’

કંગનાએ આ કમેન્ટ એક લેખના જવાબમાં કરી છે. તે લેખ મુંબઈ હાઈકોર્ટની સુનાવણી વિશેનો હતો. તે સુનાવણીમાં હાઈકોર્ટે કંગનાનાં મુંબઈસ્થિત નિવાસસ્થાનમાંની ઓફિસમાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા ગઈ કાલે કરવામાં આવેલી તોડકામની કાર્યવાહી સામે કંગનાનાં વકીલે નોંધાવેલી અરજી પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.

બીએમસીનો દાવો છે કે બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના પાલી હિલ વિસ્તારમાં આવેલી કંગનાની ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેથી એને તોડી પાડવામાં આવ્યું છે.

કંગના એ સમયે મુંબઈ આવવા માટે ચંડીગઢથી વિમાનમાં બેઠી હતી.

હાઈકોર્ટે ગઈ કાલની સુનાવણીમાં એવી ટકોર કરી હતી કે મહાનગરપાલિકાનું પગલું ઉચિત જણાતું નથી અને એમાં બદઈરાદાની ગંધ આવે છે. એમ કહીને કોર્ટે તોડકામની કાર્યવાહીને અટકાવી દીધી હતી અને કંગનાની પીટિશન પર જવાબ આપવાનો મહાપાલિકાને આદેશ આપ્યો હતો. સુનાવણી મોકૂફ રાખી હતી.

કંગના સામે કોર્ટમાં કેસ

દરમિયાન, કંગનાએ ગઈ કાલે મુંબઈ પાછી ફર્યાં બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું એ બદલ એની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વિક્રોલી ઉપનગરના પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે કંગનાએ એમ કહીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બદનામ કર્યા છે કે એમને બોલીવૂડના માફિયા સાથે સંપર્ક છે.

પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીતિન માને નામના એક એડવોકેટે નોંધાવી છે.

કંગનાએ ગઈ કાલે એનાં વિડિયો નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેને તૂંકારે બોલાવીને એમ કહ્યું હતું કે,

 

 

કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત બીજા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યાને મામલે અમેરિકા પછી ભારત બીજા નંબરે છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1172 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 44,65,863 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 75,062 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 34,71,783 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,19,018 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

પાંચ કરોડથી વધુ લોકોનાં ટેસ્ટ

ICMRના જણાવ્યા મુજબ નવમી સપ્ટેમ્બર સુધી કોરોના વાઇરસના કુલ 5.29 કરોડ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 11 લાખ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવિટી રેટ સાત ટકાથી ઓછો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.