નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1133 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 42,80,422 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 72,775 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 33,23,950 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,83,697 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.77 ટકા થયો છે.
રાજધાની એક્સપ્રેસમાં 20 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસના પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહનો જોવા નથી મળ્યાં. કુલ 20 મુસાફરોમાંથી, બેની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન અને સેનેટર કમલા હેરિસ દ્વારા કોરોના વાઇરસ વેક્સિનની વિરુદ્ધનાં નિવેદનોને વખોડી કાઢતાં કહ્યું હતું કે તેઓ ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બની શકે. કોરોના વાઇરસ પર ગુમરાહ કરતા નિવેદન બદલ જો બિડેને અને કમલા હેરિસે અમેરિકી જનતાની જાહેરમાં માફી માગવી જોઈએ, એમ ટ્રમ્પે કહ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસે રવિવારે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પર વિશ્વાસ નથી કરતા, જ્યાં સુધી માહિતી વિશ્વસનીય સ્રોત તરફથી ના આવે ત્યાં સુધી વેક્સિનની અસરકારકતા અને વિશ્વસનીયતા વિશે વાત ના થાય. તે એક વેક્સિનની વાત કરી રહી છે, જેથી લોકોને એમ ના લાગે કે આ એક મોટી સફળતા છે. હું મારા માટે સફળતા નથી ઇચ્છતો. હું લોકોના આરોગ્ય માટે સારું કરવા ઇચ્છું છું, જેનાથી લોકો બીમાર ના થાય. આમાં થેરાપ્યુટિક્સ સામેલ છે. કોરોના વેક્સિન રેકોર્ડ સમયમાં ઉપલબ્ધ થશે. કદાચ વર્ષના અંત સુધીમાં અને ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં એ ઉપલબ્ધ થશે, એમ તેમણે કહ્યું હતું. જો બિડેન અને કમલા હેરિસે વેક્સિનવિરોધી નિવેદન બદલ જનતાથી માફી માગવી જોઈએ. તેઓ કહે છે કે વેક્સિનને પાછી ખેંચી લો અથવા વેક્સિનને સમાપ્ત કરો – જે દેશ માટે બહુ ખરાબ થશે. વિશ્વ માટે બહુ ખરાબ થશે. તેઓ આ જ કહી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
મેં કમલાને પૂરી સંખ્યાને 15થી લગભગ શૂન્ય (ડેમોંક્રેટિક પ્રાઇમરી દરમ્યાન)માં જોઈ અને પ્રાથમિક ચૂંટણી તેમણે છોડી દીધી હતી, કેમ કે લોકો તેને પસંદ નથી કરતા. મને લાગે છે કે તે ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બને, એમ ટ્રમ્પે કહ્યું હતું. સામાન્ય રીતે વેક્સિન બનાવવામાં બે-ત્રણ વર્ષ લાગી શકે છે, પણ વર્ષના અંત પહેલાં બજારમાં એ આવી જશે, એમ તેમણે કહ્યું હતું. કોરોના વેક્સિન ઓક્ટોબર દરમ્યાન પણ આવે એવી શક્યતા છે. બધાં જૂઠાણાંથી વિપરીત વેક્સિન બહુ સુરક્ષિત અને અસરકારક હશે. એને બહુ જલદી વિતરિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ એકસાથે કોરોનાની બે વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે, જેને વેક્સિન A અને B નામ આપવામાં આવ્યાં છે. અમેરિકામાં 60 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે અહીં 1.90 લાખથી લોકોના મોત થયા છે.
હાથીને બહાર બે મોટા દાંત દેખાય છે તે દંતશૂળ કહેવાય છે, એ માત્ર દેખાવના છે. ચાવવા માટેના દાંત મ્હોંમાં હોય છે. અર્થાત, હાથીને બે પ્રકારના દાંત હોય છે. એક જે દેખાય છે એ દેખાડવાના અને બીજા જે ચાવવા માટે હોય છે એ.
હવે કોઈ માણસ જ્યારે બેવડાં ધોરણ રાખીને વર્તાવ કરતો હોય એટલે કે એ દેખાડે કાંઈક અને પોતે હોય બીજું કાંઈક. વર્તનમાં પણ એ કહે કાંઈક અને કરે કાંઈક. આવા માણસો બેવડી ફિતરત ધરાવતા હોય છે. સામાન્ય રીતે નકારાત્મક અર્થમાં જ હોય છે એટલે કે માણસ જેવો હોય છે એવો દેખાતો નથી. આવા દંભી પ્રકારના માણસો માટે આ કહેવત “હાથીના ચાવવાનાય જૂદા ને દેખાડવાનાય જૂદા” વપરાય છે.
હવે આજના જમાનામાં તો આવો ડુપ્લિકેટ એટલે કે બનાવટી અને દંભી પ્રકૃતિનો માણસ ન મળે તો જ નવાઈ પામવાની!
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.
અમદાવાદઃ દેશભરમાં કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે કોરોના રોગચાળો વધુ ન વકરે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્ત્વનો નિર્ણય લીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એપિડેમિક ડિસીઝ એક્ટ, 1897 હેઠળ કોવિડ-19ને અટકાવવા માટે અને નિયંત્રણમાં લેવા માટે નિયમો ઘડી કાઢ્યા છે, જે નીચે મુજબ છે.
દરેક રહેણાક કોલોની, સોસાયટીઓ, ફ્લેટસ વગેરેના સેક્રેટરી, ચેરમેન, ઓર્ગેનાઇઝર, મેનેજર, વગેરેને કોવિડ કોર્ડિનેટર અથવા કોવિડ અન્ય કોઈની નિયુક્ત કરવા અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને તેની જાણ કરવા માટે ફરજિયાત બનાવી છે.
કોવિડ કોર્ડિનેટરની ભૂમિકા અને જવાબદારીઓ…
તેમની રેસિડેન્સિયલ કોલોની, સોસાયટીઓ, ફ્લેટ્સ વગેરેમાં માસ્ક અને સામાજિક અંતરના સહિતના નિયમો અને સમયાંતરે જારી કરવામાં આવતા પ્રોટોકોલનો કડક અમલ કરવાનો રહેશે.
એ ખાતરી કરવાની રહેશે કે હોમ ક્વોરોન્ટાઇનવાળી વ્યક્તિઓએ નિયમોનું સખતાઈથી પાલન કરવાનું રહેશે અને જોકોઈ આ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરેથી બહાર નીકળે તો કોઓર્ડિનેટરે એની જાણ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનને રિપોર્ટ કરવાનો રહેશે.
આ ઉપરાંત કોઓર્ડિનેટરે એ ખાતરી કરવાની રહેશે કે 1, ઘરની બધી વ્યક્તિઓએ અથવા મુલાકાતીઓએ તેમના ગેટમાં પ્રવેશ અને બહાર જતી વખતે ફેસ માસ્ક પહેરેલો હોવો જોઈએ. 2. તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરેલી છે. 3. એન્ટ્રી પોઇન્ટે થર્મલ સ્ક્રીનિંગ થયા પછી જ અંદર આવવાની મંજૂરી, 4 હાથની સફાઈ (સેનિટાઇઝેશન)ની સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે.
કોઈ પણ વ્યક્તિને તાવ, ખાંસી કે ગળામાં ખારાશ હોય વગેરે… જેવાં લક્ષણો હશે તો પ્રવેશ- બહાર જવાની મંજૂરી નહીં. કોવિડ કોઓર્ડિનેટરની જવાબદારી હશે કે એ નજીકના અર્બન હેલ્થ સેન્ટરને અને AMCની 104 સેવાઓને જાણ કરે. જો વ્યક્તિ પોઝિટિવ આવે તો તેણે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
આ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે
ચાર વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ
રાજ્યમાં ચાર વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડની મહિલા અને અન્ય ત્રણ ગુજરાતની અલગ-અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરી વાર કોરોના થયો છે. આ તમામ લોકોને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યારે તેઓ કોરોનાને માત આપીને બહાર આવ્યા હતા.
મુંબઈઃ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’ આવતી 2 ઓક્ટોબરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
આ બંને કલાકારે આ સમાચારને આજે સોશિયલ મિડિયા પર સમર્થન આપ્યું છે.
આ ફિલ્મ પહેલાં આ વર્ષના જૂનમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઈરસના રોગચાળાને કારણે થિયેટરો હજી બંધ જ હોવાને કારણે નિર્માતાઓએ હવે એને ‘પે-પર-વ્યૂ’ સેવા પૂરી પાડતી ‘ઝી-પ્લેક્સ’ પર પ્રીમિયર તરીકે એક્સક્લુઝીવલી રિલીઝ કરશે.
અનન્યા પાંડેએ એનાં ઈન્સ્ટાગ્રામ પર આમ લખ્યું છેઃ ‘મેડ રાઈડ કી સવારી કરની હૈ તો રેડી રેહને કા સેકન્ડ ઓક્ટોબર કો…’
રિલીઝની આ જાહેરાત સાથે કલાકારોએ આ ફિલ્મનું એક નવું ગીત પણ રિલીઝ કર્યું છે જેનાં શબ્દો છેઃ ‘બિયોન્સી શરમા જાયેગી.’
આ ગીતમાં લોકિંગ, પોપિંગ, કથ્થક તેમજ અનેક ફોક ડાન્સને બતાવવામાં આવ્યા છે. આ ગીતને સર્કસ થીમ પર શૂટ કરવામાં આવ્યું છે. એમાં રિંગ ડાન્સ અને ફાયર ડાન્સ જેવી અનેક કલાબાજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
મકબૂલ ખાન દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘ખાલી પીલી’માં એક બમ્બૈયા સ્ટાઈલનો ટપોરી છોકરો જ્યારે એક રાતે એક છોકરીને મળે છે ત્યારે કેવા સંજોગો સર્જાય છે એ જોવા મળશે.
દુબઈઃ પોતાના કાંડાની કરામત વડે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડનાર લેગસ્પિનર રવિ બિશ્નોઈ હવે આઈપીએલ-13 મોસમમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ વતી રમવા સજ્જ થઈ ગયો છે. આ સ્પર્ધા 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ થઈ રહી છે.
બિશ્નોઈએ કહ્યું છે કે અનિલ કુંબલે એનાં આદર્શ રહ્યા છે. એમની પાસેથી બની શકે એટલું શીખવાનો તે પ્રયત્ન કરી રહ્યો છે.
કુંબલે પંજાબ ટીમના હેડ કોચ છે.
દુબઈથી એક મુલાકાતમાં બિશ્નોઈએ કહ્યું કે કુંબલે દુનિયાના મહાનતમ સ્પિનરોમાંના એક છે. એટલે હું એમની પાસેથી અને એમના અનુભવમાંથી ઘણું શીખી રહ્યો છું. પછી એ મેચ ટેમ્પરામેન્ટ હોય, સ્પિન કૌશલ્ય હોય, મેચની પરિસ્થિતિને કેવી રીતે સંભાળવાની વાત હોય, ફ્લિપર્સ કેવી રીતે નાખવા જોઈએ – એ બધું જ હું એમની પાસેથી શીખી રહ્યો છું. અત્યારે મને એ શીખવાનો સમય અને શ્રેષ્ઠ તક મળ્યા છે.
અન્ડર-19 વર્લ્ડ કપની છ મેચમાં બિશ્નોઈએ 17 વિકેટ ઝડપી હતી.
બિશ્નોઈએ પંજાબ ટીમના કેપ્ટન કે.એલ. રાહુલની પણ પ્રશંસા કરી છે. રાહુલ આ પહેલી જ વાર પંજાબ ટીમનું નેતૃત્ત્વ સંભાળી રહ્યો છે.
આઈપીએલ-2020માં કિંગ્સ ઈલેવન પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે છે.
નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયા એક નવી બ્રાન્ડનેમ સાથે ઓળખાશે. હવે એ VI (વી) કહેવામાં આવશે. વોડાફોનનો V અને આઈડિયાનો I. કંપનીએ એક ઇવેન્ટ દરમ્યાન તેની આ નવી બ્રાન્ડનેમ અને લોગોની જાહેરાત કરી છે. ટેલિકોમ ઓપરેટર બેલિગુર્ડે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા કંપનીની રીબ્રાન્ડિંગની જાહેરાત કરી છે. VI બ્રાન્ડની નજર હવે ભવિષ્ય પર છે અને કંપની ગ્રાહકોની સાથે નવી વ્યૂહરચના ઘડી કાઢશે. બંને બ્રાન્ડસનું જોડાણ વિશ્વનું સૌથી મોટું ટેલિકોમ જોડાણ છે, એમ VIએ નિવેદનમાં જણાવ્યું હતું.
વોડાફોન-આઇડિયા એ બ્રિટનની વોડાફોન અને ભારતની આઇડિયા સેલ્યુલર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કંપનીએ સંયુક્ત સાહસ જાળવી રાખતાં વિસ્તરણ કરવા માટે ઈક્વિટી અને દેવાં સાધનો થકી 25,000 કરોડ ઊભા કરવાની યોજનાને મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ ઓપરેટરોનાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ના બાકી લેણાં મુદ્દે 10 ટકા ચુકવણી કરવા અને આગામી નાણાકીય વર્ષથી બાકીનાં નાણાની 10 સમાન હપ્તામાં ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોક ફંડ એકત્ર કરવાવાળી કંપની VIL હાલમાં નાણાકીય સંકટનો સામનો કરી રહી છે, કેમ કે ગ્રાહકોદીઠ સરેરાશ આવક (ARPU) અને AGRના બાકી લેણાં 50,000 રૂપિયા બાકી છે.
ગયા શુક્રવારે વોડાફોન આઇડિયાએ કહ્યું હતું કે કંપનીના બોર્ડે ઈક્વિટી અને દેવાં સાધનો દ્વારા નાણાં ઊભાં કરવાની મંજૂરી આપી દીધી છે અને કુલ ફંડ 25,000 કરોડ રૂપિયાથી વધુ નહીં હોય.
વળી, કંપની GDR, ADR અને FCCB, ડિબેન્ચર અથવા વોરન્ટ દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ દરખાસ્તને કંપનીની 30 સપ્ટેમ્બર, 2020એ થનારી વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવશે.
કંપનીએ સુપ્રીમ કોર્ટ દ્વારા બાકી લેણાંની માગ કર્યા પછીની જોગવાઈ કર્યા બાદ માર્ચ, 2020માં 73,878 કરોડનું ચોખ્ખું નુકસાન કર્યું છે, જે કોઈ પણ ભારતીય કંપની કરતાં સૌથી વધુ છે. કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં AGRની માટે ચુકવણીની જોગવાઈ કર્યા પછી 25,460 કરોડનું નુકસાન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે ટેલી કંપનીઓને પાછલાં બાકી કુલ સંયુક્ત લેણાં 1.6 લાખ કરોડની 20 વર્ષમાં ચુકવણી કરવાની માગને ફગાવતાં 10 વર્ષમાં ચુકવણી કરવાની મંજૂરી આપી હતી.
આ મહિનાના પ્રારંભે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેટલાક વિશ્લેષકોનું માનવું હતું કે વોડાફોન-આઇડિયાને 10 વર્ષોમાં બાકી લેકણાંની ચુકવણી માટે સંઘર્ષ કરવો પડશે. જોકે કોર્ટે ટેલિકોમ કંપનીઓને સરકારનાં બાકી લેણાં ચૂકવવા માટે 10 વર્ષનો સમયગાળો આપ્યો છે.