Home Blog Page 4663

પ્રિન્સ હેરી અને મેગને શેર કરી પુત્ર આર્ચીની તસવીરઃ પાઠવી નવા વર્ષની શુભેચ્છા

નવી દિલ્હી: મેગન માર્કલ અને પ્રિન્સ હેરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પોતાના પુત્રની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ બંનેએ 2019ની ઘણી બધી જૂદી જૂદી તસવીરોનું એક વિડિયો મોન્ટાજ પણ શેર કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ (sussexroyal) પેજ પર આ વિડિયો શેર કર્યો છે. વિડિયોની શરુઆતમાં જ પ્રિન્સ હેરી તેમના દિકરાને તેડીને ઉભેલા નજરે પડે છે સાથે જ પ્રિન્સ હેરી બલ્યું કલરના ટોપા અને લીલા રંગના કોટમાં દેખાઈ રહ્યા છે.

તસવીરમાં તેમનો પુત્ર આર્ચી પણ ગ્રે રંગના ટોપો અને મોટા બ્રાઉન કોટમાં દેખાઈ રહ્યો છે. ફોક્સ ન્યૂઝ અનુસાર આ તસવીર કેનાડામાં ક્રિસમસની રજાઓ દરમ્યાનની છે, જ્યાં તેમનો પરિવાર મેગન માર્કલની માતા, ડોરિયા રેગલેન્ડની સાથે સમય વિતાવી રહ્યો હતો.

આ મોન્ટાજને શેર કરતા ડ્યૂક એન્ડ ધ ડચેસ ઓફ સસેક્સએ લખ્યું કે, 2019માં વિતાવેલી આ યાદગાર પળોને ફરી યાદ કરતા અમે તમને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. અમારું સમર્થન કરવા બદલ તમારો આભાર. અમને વિશ્વભરના આટલા બધા લોકોને મળીને અત્યંત આનંદ થયો અમે આશા રાખીએ કે 2020નું વર્ષ તમારા બધા માટે ખુશીઓ લઈને આવે.

આ વિડિયો મોન્ટાજમાં તેમણે ક્રિસ માર્ટિન અને કોલ્ડપ્લેના એક ગીતનો ઉપયોગ કર્યો છે. એ બદલ તેમણે ક્રિસ અને કોલ્ડ પ્લેનો પણ આભાર માન્યો છે. મહત્વનું છે કે, ક્રિસમસ પર પણ પ્રિન્સ હેરી અને મેગન માર્કલે પુત્ર આર્ચીની એક તસવીર શેર કરી હતી.

2019માં ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા આ મીમ્સ, લોકોએ ખૂબ મજા લીધી

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ વસ્તુને વાયરલ થતાં વાર નથી લાગતી પછી ભલે એ દઝાડનારી હોય કે મલકાવનારી. સોશિયલ મીડિયા પર મીમ્મને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, ખાસ કરીને ટ્વીટર પર યૂઝર્સ રાજનેતા હોય કે સેલિબ્રિટી હોય મજાક ઉડાવવા માટે મીમ્સનો ઉપયોગ કરે છે. આ વર્ષે ટ્વીટર પર એવા મીમ્સ છવાઈ રહ્યા જેને જોઈને તમે પણ હસવુ નહીં રોકી શકો.

આ વર્ષે ટોપ 10 મીમ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, સન્ની લિયોન, રાનુ મંડલ, ઓડ ઈવન રિટર્ન્સ અને વર્લ્ડ કપ દરમ્યાન ગુસ્સામાં નજરે પડેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોની તસવીરો સામેલ છે.

રાનુ મંડલના મેકઅપ પર મીમ્સ

રાતોરાત ફેમસ થઈ ગયેલી રાનુ મંડલ ઈન્ટરનેટ પર ખુબ ચર્ચામાં રહી. તેનું ગીત તેરી મેરી લોકોએ ખુબ વખાણ્યું. પણ કાનપુરમાં આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન રાનુ જ્યારે મેકઅપમાં સજી ધજીને સ્ટેજ પર પહોંચી તો લોકોએ તેના મેકઅપનો ખુબ મજાક ઉડાવ્યો. જોકે, પાછળથી તપાસ કરતા જાણવા મળ્યું કે, એ ફોટો નકલી હતો પણ ત્યાં સુધીમાં તો તેના મીમ્સ બની અને વાયરલ થઈ ગયા હતાં.

ઓડ ઈવન રિટર્ન્સ

દિલ્હીમાં આ વર્ષે દિવાળી પછી 4થી15 નવેમ્બર સુધી ઓડ ઈવન ફોર્મુલા લાગુ રહી. જેના પર લોકોએ ખુબ મીમ્સ બનાવ્યા એટલું જ નહીં ટ્વીટર પર #OddEvenReturns હેશટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો.

એપલ આઈફોન 11 લોન્ચ થતાં જ મીમ્સનો શિકાર

આઈફોન લોન્ચ થતાં પહેલા ટ્વીટર પર કિડની જોક્સ અને મીમ્સ દ્વારા લોકો ખુબ મજા લેતા હતા. આ વર્ષે આઈફોન 11 લોન્ચ થયો અને આઈફોન 11 ટ્વીટર પર ટ્રેન્ડમાં રહ્યો. ભારતીયોએ ટ્વીટર પર મીમ્સ અને જોક્સ બનાવ્યા. આઈફોન 10ના લોન્ચ દરમ્યાન પણ કિડની જોક્સ ઘણા વાયરલ થયા હતા.

આ વર્ષે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો અને એક વ્યક્તિ ગણતરીના કલાકોમાં જ સ્ટાર બની ગયો. હકીકતમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે આ વ્યક્તિના ચહેરાનું રિએક્શન જોવા જેવું હતું જે ખુબજ વાયરલ થઈ ગયું હતું. પેરાગ્લાઈડિંગ કરતી વખતે આ વ્યક્તિ વારંવાર લેન્ડ કરા દે… લેન્ડ કરા દે કહી રહ્યો હતો. જેના પર બનેલા મીમ્સને લોકોએ ખુબ પસંદ કર્યા.

પીએમ મોદીની ટ્રમ્પને જોરદાર હાથતાળી

ઓગસ્ટમાં ફ્રાંસમાં આયોજીત જી 7 સમિટમાં પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મીડિયા સામે પીએમ મોદીએ ટ્રમ્પનો હાથ પકડી લીધો અને પ્રેમથી તાળી આપી. આ તાળીનો અવાજ ત્યાં રૂમની અંદર ગૂંજી ઉઠ્યો. આ વિડિયો ભારતીયોએ અનેક ગણો શેર કર્યો અને તેના મીમ્સ પણ બનાવ્યા.

પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના રિએક્શન

ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન આઈસીસીએ એક પાકિસ્તાની ક્રિકેટ ફેનની GIF તસવીર શેર કરી, જેમાં ક્રિકેટ ફેન્સના રિએક્શન ખૂબ જ વાયરલ થયા હતા અને આ રિએક્શન પર ઘણા બધા મીમ્સ પણ બન્યા હતા.

સોશિયલ મીડિયા પર #JCBKiKhudai આ હેશટેગ આ વર્ષે ટોપ ટ્રેન્ડ રહ્યું. લોકોએ જેસીબીને લઈને ખૂબ મજાક ઉડાવી આ હેશટેગ એટલો ચર્ચામાં રહ્યો કે, બોલીવુડ અભિનેત્રી સની લિયોનીએ પણ આના પર તસવીર શેર કરી અને મીમ્સ ક્લબમાં સામેલ થઈ ગઈ.

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને લઈને ટ્વિટર યૂઝર્સે ઘણા મજાકીયા ટ્વિટ્સ કર્યા. વિક્રમનું સિગ્નલ ટૂટ્યા પછી લોકોએ મજેદાર ટ્વીટ્સ કર્યા, જેને ઘણા વાયરલ પણ થયા. નાગપુર પોલીસે પણ આમાં સાથ પુરાવ્યો તેમણે ટ્વીટમાં લખ્યું કે, સિગ્નલ તોડવા બદલ વિક્રમનું ચલણ નહીં ફાળવામાં આવે.

મહારાષ્ટ્રમાં અજિત પવારનું સમર્થન મળ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા અને અજિતે સમર્થન પાછુ ખેંચી લેવાથી 3 દિવસમાં રાજીનામું પણ આપી દીધું. આ સમગ્ર ઘટાનક્રમ પર ઘણા મીમ્સ બન્યા અને લોકોને સોશિયલ મીડિયા પર મજા પડી ગઈ હતી.

પીએમ મોદીએ બેયર ગ્રિલ્સ સાથે મેન વર્સિસ વાઈલ્ડના સ્પેશિયલ એપિસોડની સોશિયલ મીડિયા પર જબરદસ્ત બોલબાલા રહી. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ આ એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો જેના પર ટ્વીટર યૂઝર્સે અઢળક મીમ્સ બનાવ્યા હતાં.

મોદી-શાહ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરવી આ તમિલ લેખકને ભારે પડી

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ કોમેન્ટ કરનાર તમિલ લેખક નેલ્લઈ કન્નનની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી છે. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા કન્નન પર આરોપ છે કે, 29 ડિસેમ્બરે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદર્શનમાં તમણે મોદી-શાહ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી. ભાજપ પ્રવક્તા નારાયણન થિરુપાઠીએ કહ્યું છે કે, લેખકે લોકોને હિંસા અને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કર્યા છે.

એક વિડિયો વાઈરલ થયા બાદ નેલ્લઈ કન્નન ચર્ચામાં આવ્યા હતા. એ વિડિયોમાં તેઓ નાગરિકતા કાયદાના વિરોધમાં બોલી રહ્યા હતા. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે ભાજપના પદાધિકારીઓએ નેલ્લઈ કન્નન વિરુદ્ધ કાર્યવાહ કરવાની માગ કરી હતી.

બીજી બાજુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ વારાણસીમાં કહ્યું કે, તમે પ્રદર્શન કેમ કરી રહ્યા છો? કોના વિરુદ્ધ કરી રહ્યા છો? હિન્દુઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત નહીં આવે તો શું ઈટલી જશે? તેઓ ઈટલી નહીં જાય. તે આપણી જવાબદારી છે કે આપણે તેમને શરણ અને નાગરિકતા આપીએ.

દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીના એલ્યુમિનાઈ એસોસિયેશને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ કેન્ડલ માર્ચ કરી હતી. એસોસિયેશનના અધ્યક્ષ ફરાઝે કહ્યું, અમે નવા કાયદા વિરુદ્ધ વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપીએ છીએ અને જ્યાં સુધી સરકાર યોગ્ય પગલાં નહીં લે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2019ના રોજ સીએએને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ત્યારથી દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં આ વિશે વિરોધ ચાલી રહ્યો છે. નવા કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં હિન્દુ, સિખ, જૈન, પારસી, બૌદ્ધ અને ઈસાઈ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદા અંતર્ગત એ લોકોને જ ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવી ગયા છે.

હાડ થીજવતી ઠંડી વચ્ચે જામનગરમાં ભૂકંપના આંચકાઃ લોકોમાં ચિંતાનો માહોલ

જામનગરઃ શહેરમાં આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સતત ચાર દિવસથી આવતાં ભૂકંપના આંચકાને કારણે સમગ્ર પંથકમાં ભારે ડરનો માહોલ છવાઈ ગયો છે. આજે ભાવનગરમાં સતત ચોથા દિવસે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 અને 2.1 નોંધાઈ હતી.

જામનગરમાં આજે સવારે 6.096 વાગ્યે પહેલો આચંકો અનુભવાયો હતો. અને 7.11 વાગ્યે બીજો આચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 અને 2.1 નોંધાઈ હતી. વહેલી સવારે જ ધરા ધ્રૂજતાં ગુલાબી ઠંડીમાં મસ્ત ઊંઘી રહેલાં લોકો ડરના માર્યા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કાલાવાડના બેરાજા અને સરવાણિયા ગામ પાસે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સતત 4 દિવસથી ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાર દિવસની અંદર જામનગરમાં ભૂકંપના સાત હળવા આંચકા અનુભવાયા છે. સતત નોંધાઈ રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

ગણતંત્ર દિવસ પર હવે નહી જોવા મળે પશ્ચિમ બંગાળની ઝાંખી, આ છે કારણ…

નવી દિલ્હીઃ આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી નહી દેખાય. પશ્ચિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને પસંદ કરનારી એક્સપર્ટ કમીટીએ ફગાવી દીધો છે. CAA અને NRC ને લઈને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ પહેલાથી જ આમને-સામને છે ત્યારે આવામાં ઝાંખીનો પ્રસ્તાવ ફગાવવાથી વાત આગળ વધી શકે છે. એક્સપર્ટ કમીટીએ આ વર્ષ માટે 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝાંખીને મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળ સરકારના સૂત્રો અનુસાર તેમના દ્વારા રાજ્યમાં વિકાસ કાર્યો, જલ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણની થીમ પર ઘણા પ્રસ્તાવ આપ્યા હતા. 2019 માં પશ્ચિમ બંગાળની ઝાંખી ગણતંત્ર દિવસે પરેડમાં શામિલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી NRC અને CAA વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી રહી છે. મમતાનું કહેવું છે કે તે કોઈપણ સ્થિતિમાં એનઆરસી અને સીએએને પોતાના રાજ્યમાં લાગૂ નહી થવા દે. 23 ડિસેમ્બર 2019 ના રોજ મમતા બેનર્જીએ શરદ પવારને પત્ર લખીને NRC અને CAA ને પોતાના રાજ્યમાં લાગૂ નહી કરવા દે. 23 ડિસેમ્બર 2019 ના રોજ મમતા બેનર્જીએ શરદ પવારને પત્ર લખીને NRC અને CAA પર સમર્થનની અપીલ કરી હતી. મમતાના પત્રના જવાબમાં શરદ પવારે 27 ડિસેમ્બર 2019 ના રોજ એક પત્ર મોકલ્યો કે જેમાં NRC અને CAA વિરુદ્ધ મમતા બેનર્જી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.

દિલ્હીઃ પીરાગઢીના ઉદ્યોગ નગરની ફેક્ટરીમાં આગ

નવી દિલ્હીઃ દિલ્હીના પીરાગઢી સ્થિત ઉદ્યોગ નગરની ફેક્ટરીમાં ગુરુવારના રોજ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળ પર 35 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી. આગ લાગવાથી બિલ્ડિંગ પણ પડી ગઈ, જેમાં ફાયરબ્રિગેવા કર્મચારીઓ સહિત ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.દિલ્હીના પીરાદઢી ક્ષેત્રમાં ગુરુવારના રોજ એક ફેક્ટરીમાં લાગેલી આગ બાદ વિસ્ફોટ થવાથી ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા. ફાયર વિભાગે જણાવ્યું કે તેમને સવારે ચાર વાગ્યે અને 23 મીનિટ પર ફેક્ટરીમાં આગ લાગવા મામલે જાણકારી મળી હતી. ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બાદમાં વિસ્ફોટના કારણે બિલ્ડીંગ પડી ગઈ અને ફાયર સહિતના ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. તેમણે જણાવ્યું કે કુલ 35 કર્મચારીઓ ઘટના સ્થળ પર છે અને બચાવ કાર્ય ચાલુ છે.

બીએસઈમાં કમર્શિયલ પેપર્સનું લિસ્ટિંગ રૂ. 1 લાખ કરોડને પાર

મુંબઈ – કોટક સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા પ્રાઈમ, બિરલા ગ્રુપ હોલ્ડિંગ્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ્સ અને શેરખાન બીએનપી પરિબલ ફાઈનાન્સિયલ સર્વિસીસે તેમનાં રૂ.5,950 કરોડનાં કમર્શિયલ પેપર્સ લિસ્ટ કરવાની અરજી બીએસઈમાં કરી છે. આ કંપનીઓનાં કમર્શિયલ પેપર્સ 2 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 52 ઈશ્યુઅરોના રૂ.1,11,080 કરોડના કમર્શિયલ પેપર્સના 288 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 137 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.11 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (1 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,29,202 કરોડ (60.23 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,28,633 કરોડનું ભંડોળ (32.05 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (1 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,29,705 કરોડ (130.24 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

મુંબઈમાં દીપિકા રહે છે એ જ મકાનમાં રણવીરે રૂ. 7.25 લાખના ભાડેથી ફ્લેટ ખરીદ્યો

મુંબઈ – રણવીર સિંહ એટલે બોલીવૂડનો પાવર-પેક્ડ અભિનેતા. એ અવારનવાર કંઈક નવું કરીને સમાચારોમાં ચમકતો જ રહે છે. હાલમાં જ એણે મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે જે માટે એ દર મહિને રૂ. 7.25 લાખનું ભાડું ચૂકવે છે.

આ ફ્લેટ એણે મધ્ય મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બોમોન્ડ ટાવર્સમાં ખરીદ્યો છે. આ જ બિલ્ડિંગમાં એની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણ પણ રહે છે.

33-માળવાળા બોમોન્ડ ટાવર્સમાં દીપિકા 26મા માળ પર રહે છે. 4-બેડરૂમવવાળો ફ્લેટ દીપિકાએ 2010માં રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો.

રજિસ્ટ્રેશન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, રણવીરે ત્રણ વર્ષ માટે આ જ બિલ્ડિંગમાં ભાડેથી ફ્લેટ લીધો છે. તે આ ફ્લેટના માલિકને પહેલા બે વર્ષમાં દર મહિને રૂ. 7.25 લાખ ચૂકવશે અને છેલ્લા 12 મહિના માટે દર મહિને રૂ. 7.97 લાખ ચૂકવશે.

રણવીર અને દીપિકાએ 2018માં ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા.

રણવીરની નવી ફિલ્મ આવી રહી છે ”83′. એમાં એની પત્નીનો રોલ દીપિકા જ ભજવી રહી છે.

દીપિકાની ‘છપાક’ આ જ મહિનાની 10મી તારીખે રિલીઝ થવાની છે.

 

રાશિ ભવિષ્ય 02/01/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.