Home Blog Page 4665

પંચાંગ 07/09/20

(મયંક રાવલ)

કોરોનાને કારણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનું કામ અટક્યું

મુંબઈઃ 508 કિલોમીટર લાંબા મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે એની પરની કામગીરી પર કોરોના વાઈરસ રોગચાળાને કારણે માઠી અસર પડશે. યોજના 2023ની ડેડલાઈનને સંભાળવામાં કદાચ નિષ્ફળ જશે, એમ અધિકારીઓનું કહેવું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ વડા પ્રધાન શિન્ઝો એબેએ 2017ની 14 સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વિધિ સંપન્ન કર્યો હતો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા (17 અબજ ડોલર) છે.

કેન્દ્ર સરકાર હસ્તકની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) કંપનીાન અચલ ખરેનું કહેવું છે કે હાલ કોરોના રોગચાળાને અમે ઘણા કામો હાથ ધરી શકતા નથી એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર માઠી અસર પડશે. રોગચાળો હજી ચાલુ છે એટલે આ યોજના પર કેટલી માઠી અસર પડશે એ અમે હાલ કહી શકીએ એમ નથી. જો પરિસ્થિતિ રાબેતા મુજબ રહી હોત તો યોજના ઘણી આગળ વધી ગઈ હોત, પરંતુ હવે બધું સાવ જ બદલાઈ ગયું છે.

બુલેટ ટ્રેન યોજનાના ભાગરૂપે ટનલ બાંધવામાં આવનાર છે. એ ટનલ 21-કિ.મી. લાંબી હશે અને તે મુંબઈમાં બીકેસી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ) અને થાણે જિલ્લાના બોઈસર વચ્ચે ખોદવામાં આવશે. આ ટનલનો સાત કિલોમીટરનો ભાગ દરિયાની નીચે હશે.

મેઈનલાઈન પર એક ડુંગરાળ ટનલ પણ હશે, જે 280 મીટરના વિસ્તારની હશે. મેઈનલાઈનમાં 24 નદીઓ, 30 રોડ અને કેનાલ પાર કરવામાં આવશે.

ગુજરાતમાં સાબરમતીમાં યોજનાને લગતું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને કેન્દ્રીય રેલવે મંત્રાલયે 508-કિ.મી.ના કોરિડોર માટે સહયોગ કર્યો છે. આ યોજના માટે જાપાન આંશિક રીતે આર્થિક સહાયતા કરવાનું છે.

આ પ્રોજેક્ટ માટે કુલ 1,380 હેક્ટર જમીન હાંસલ કરવી પડે એમ છે. રેલવેએ એમાંની 479 હેક્ટર જમીન ખાનગી વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત કરી છે. 119 હેક્ટર જમીન સરકારી માલિકીની છે. આમ, 63 ટકા જમીન તો મેળવી લેવામાં આવી છે. આમાંની 77 ટકા જમીન ગુજરાતમાં છે. થોડીક દાદરા નગર હવેલીમાં અને બાકીની મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારીમાં જમીન હાંસલ કરવામાં સમસ્યા નડી રહી છે.

508 કિ.મી.નું નેટવર્ક મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે – મુંબઈ, થાણે અને પાલઘર. જ્યારે ગુજરાતમાં આઠ જિલ્લામાંથી પસાર થશે – વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ.

બુલેટ ટ્રેન કલાકના 350 કિ.મી.ની ઝડપે દોડશે અને 508 કિ.મી.નું અંતર બે કલાકમાં પૂરું કરશે. એની સામે હાલ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન સફર સાત કલાકથી થોડાક વધારે સમયની થાય છે. ફ્લાઈટ્સમાં મુંબઈથી અમદાવાદ પહોંચતા એકાદ કલાક થાય.

ડ્રગ્સ-વિરોધી વિભાગે રીયા ચક્રવર્તીની છ કલાક પૂછપરછ કરી…

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુના કેસની તપાસમાં કેફી દ્રવ્યોના સેવન-સપ્લાયનો મુદ્દો પણ ચગ્યો છે. આ કેસમાં કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) પણ તપાસ કરી રહી છે. 6 સપ્ટેમ્બર, રવિવારે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલા NCBના કાર્યાલયે મોકલેલા સમન્સને પગલે સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીયા ચક્રવર્તી હાજર થઈ હતી. લગભગ છ કલાક સુધી એની પૂછપરછ કરવામાં આવી હતી.

NCBના અધિકારીઓ તપાસના સંદર્ભમાં રીયા ચક્રવર્તીના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે મકાનની બહાર પત્રકારો-પ્રેસ ફોટોગ્રાફરો, ટીવી ચેનલ કેમેરામેનનો જમાવડો

IPL-2020નો કાર્યક્રમ જાહેરઃ પ્રારંભિક મેચમાં મુંબઈ-ચેન્નાઈ વચ્ચે મુકાબલો

દુબઈઃ 19મી સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી આવૃત્તિનો લીગ તબક્કાની મેચોનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. આ મેચ અબુધાબીમાં રમાશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે આ સ્પર્ધાનું આયોજન આ વખતે ભારતમાં કરવામાં નથી આવ્યું અને યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં મેચો રમાશે.

પ્રારંભિક મેચ મૂળ કાર્યક્રમ અનુસાર 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ કોરોના બીમારી અને એને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે સ્પર્ધાને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી હતી.

દુબઈમાં પહેલી મેચ રવિવારે રમાશે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે. સોમવારે ત્રીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ટક્કર થશે.

દિવસમાં જ્યારે બે મેચ રમાશે ત્યારે બપોરની મેચ સ્થાનિક સમય મુજબ 2 વાગ્યે (ભારતીય સમય મુજબ 3.30 વાગ્યે) રમાશે. સાંજની મેચ સ્થાનિક સમય મુજબ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ 7.30 વાગ્યે) રમાશે.

શારજાહમાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે રમાશે જેમાં રાજસ્થાન રોયલ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. કોલકાતા રાઈડર્સ તેની પહેલી મેચ 23 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમશે જેની સામે હશે મુંબઈ ઈન્ડિયન્સ.

10 મેચો ડબલ-હેડર્સ હશે, એટલે કે દિવસમાં બે મેચ રમાશે.

દુબઈમાં 24 મેચો રમાશે જ્યારે અબુધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે.

1 નવેમ્બરથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા રાબેતા મુજબ ફરી શરૂ થશે?

મુંબઈઃ આ મહાનગરની જીવનદોરી તરીકે ઓળખાતી લોકલ ટ્રેન સેવા ફરી શરૂ થવાની સાથે રોજિંદું જનજીવન ક્યારથી પ્રસ્થાપિત થાય છે એની રાહ જોતાં મુંબઈગરાંઓ માટે આનંદના સમાચાર છે. આવતી 1 નવેમ્બરથી મુંબઈની લોકલ ટ્રેન સેવા અને ઓફિસો તેમજ 2021ની 1 જાન્યુઆરીથી શાળાઓ ફરી શરૂ કરી શકાય એમ છે.

આવો વિશ્વાસ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સંદર્ભનો એક અહેવાલ આ સંસ્થાએ મુંબઈ મહાનગરપાલિકાને સુપરત કર્યો છે.

TIFR સંસ્થાએ કોવિડ-19ના ગણિતના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે.

અહેવાલ અનુસાર, મુંબઈ શહેરમાં દૈનિક વ્યવહાર 30 ટકા સુધી શરૂ કરી શકાય. ઓક્ટોબરમાં એ ક્ષમતા 50 ટકા સુધી વધારી શકાશે. ત્યારબાદ 1 નવેમ્બરથી સંપૂર્ણ શહેરમાં જનજીવન પૂર્ણપણે શરૂ કરી શકાશે.

એવી જ રીતે, સરકાર પ્રેરિત નિયમાવલી અને માર્ગદર્શિકા અનુસાર ઓફિસો તથા જાહેર પરિવહન સેવા સૌને માટે ફરી શરૂ કરી શકાય.

લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવાનો રહેશે, મોઢા પર માસ્ક પહેરવો પડશે, હાથને સ્વચ્છ રાખવા પડશે, વાહનો અને કામકાજની ઓફિસો-સ્થળોને નિયમિત રીતે જંતુમુક્ત કરવા વગેરે શરતોનું પાલન કરવાનું રહેશે.

મુંબઈમાં શાળાઓ 2021ની 1 જાન્યુઆરીથી શરૂ કરવાની ભલામણ સ્કૂલ ઓફ ટેક્નોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સના સંચાલક સંદીપ જુનેજા, પ્રહલાદ હર્ષ અને રામપ્રસાદ સપ્તર્ષીએ એમના અહેવાલમાં કરી છે.

‘આદિપુરુષ’: સૈફ અલી ખાન સાથે કામ કરવા પ્રભાસ આતુર

મુંબઈઃ ‘બાહુબલી’ ફિલ્મના અભિનેતા પ્રભાસ સાથે બહુભાષી ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન ખલનાયકનો રોલ કરવાનો છે. રામાયણ દંતકથા પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’માં એ લંકાના રાજા રાવણ એટલે કે ‘લંકેશ’નો રોલ કરવાનો છે જ્યારે પ્રભાસ બનશે ભગવાન શ્રીરામ.

આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરવાના છે. ફિલ્મના નિર્માતાઓ છેઃ ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયર.

ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં બનાવવામાં આવશે અને તામિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબ કરવામાં આવશે.

પ્રભાસે કહ્યું છે કે પોતે સૈફ અલી ખાન સાથે કામ કરવા અત્યંત રોમાંચિત થયો છે અને આ મહાન અભિનેતા સાથે કામ કરવા પોતે ખૂબ જ આતુર થયો છે.

સૈફ અલી ખાને પણ કહ્યું છે કે પોતે ઓમ રાઉત સાથે ફરી કામ કરવા ઉત્સૂક છે. એ બહુ દીર્ઘદ્રષ્ટિવાળા છે અને એ ખૂબ ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે. ”તાન્હાજી’ ફિલ્મ બનાવીને એ અમને આપણી ફિલ્મી દુનિયાથી ઘણે આગળ લઈ ગયા હતા. એ ફિલ્મ સુપરહિટ બની અને હવે હું એમની સાથે નવી ફિલ્મમાં કામ કરવા માટે રોમાંચિત થયો છું. હું પડછંદ પ્રભાસ સાથે તલવારબાજી કરવા અને રાક્ષસની ભૂમિકા ભજવવા આતુર છું.’

‘તાન્હાજી’ ફિલ્મમાં પણ સૈફ અલી ખાને વિલન ઉદયભાન સિંહ રાઠોરની ભૂમિકા કરી હતી.

ઓમ રાઉતે કહ્યું છે કે, ‘આપણા દંતકથાના સૌથી સશક્ત ખલનાયકની ભૂમિકા કરવા માટે અમારે કોઈક પ્રભાવશાળી અભિનેતાને જરૂર હતી. સૈફ અલી ખાન કરતાં વધારે સારો બીજો કોણ હોઈ શકે. એ અત્યારના મહાન અભિનેતાઓમાંનો એક છે, જે આ ધરખમ રોલ કરી શકે એમ છે. મને એની સાથે કામ કરવાનો ઘણો આનંદ આવ્યો હતો અને હવે ફરીવાર આ રોમાંચક સફરે જવા આતુર છું. ‘

‘આદિપુરુષ’ની પ્રી-પ્રોડક્શન તૈયારી હાલ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ 2021માં શરૂ થવાની ધારણા છે અને ફિલ્મ 2022માં રિલીઝ કરવામાં આવનાર છે.

બર્મિંઘમના સિટી સેન્ટરમાં અંધાધૂંધ છરાભોંકની ઘટના

લંડનઃ બ્રિટનના બીજા નંબરના મોટા શહેર બર્મિંઘમમાં એક સાથે અનેક લોકોને છરો ભોંકવામાં આવ્યાની રવિવારે ઘટના બની છે. પોલીસે આને સમાચારને સમર્થન આપ્યું છે અને આને ‘મોટી ઘટના’ તરીકે ઓળખાવી છે.

આ ઘટના બર્મિંઘમ સિટી સેન્ટરમાં રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યે બની હતી. આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવે એવી સંભાવના છે. ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે એ હજી જાણી શકાયું નથી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બર્મિંઘમ સિટી સેન્ટરમાં રવિવારે રાતે 12.30 વાગ્યે અનેક જણને છરો ભોંકવામાં આવ્યો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી.

પોલીસે કહ્યું છે કે હાલને તબક્કે અમે આ વિશે કંઈ વધારે કહી શકીએ એમ નથી, કારણ કે કંઈ પણ કહેવું તે અફવાને ઉત્તેજન આપવા સમાન ગણાશે. અમે તરત જ બર્મિંઘમ સિટી સેન્ટર ખાતે પહોંચીને પ્રતિસાદ આપ્યો છે. આખી જગ્યાને કોર્ડન કરી લેવામાં આવી છે. કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોએ શાંતિ જાળવવી અને સતર્ક રહેવું. તેમજ આ વિસ્તારથી દૂર રહેવું.

 

Chitralekha Marathi – September 14, 2020

PDF Version
This post is only available to members.

વાહ ભાઈ વાહ! ૬ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૬ સપ્ટેમ્બર, ૨૦૨૦

કોરોના રોગચાળો ઘટશે તોય AC કોચમાં બ્લેન્કેટ્સ નહીં અપાય

નવી દિલ્હીઃ સ્વચ્છતાની જાળવણી કરવા માટે ભારતીય રેલવેએ નક્કી કર્યું છે કે કોરોના વાઈરસ રોગચાળો ઘટી જશે તે પછી પણ ટ્રેનોના એરકન્ડિશન્ડ ડબ્બાઓમાં પ્રવાસીઓને બ્લેન્કેટ્સ આપવામાં નહીં આવે.

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું છે કે પ્રવાસીઓએ એમના પોતાના જ ધાબળાં અને ચાદર સાથે રાખવા પડશે.

રેલવે બોર્ડના ચેરમેને વધુમાં કહ્યું છે કે અમે પ્રવાસીઓને સિંગલ-યૂજ પથારી આપીશું, પરંતુ એમણે ચાદર અને બ્લેન્કેટ એમના પોતાના જ સાથે રાખવા પડશે. કોરોના રોગચાળો ઘટી જશે તે પછી પણ એમને એસી કોચમાં આ બંને ચીજ આપવામાં નહીં આવે. આ માટે એક વિગતવાર નીતિ ઘડવામાં આવી છે અને એના આધારે જ નિર્ણય લેવાયો છે.

રેલવે પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.