અમદાવાદઃ ગણેશોત્સવ રાજ્યમાં ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી સૌકોઈ ઊજવે છે. ખાસ કરીને વડોદરા, સુરત અમદાવાદ અને વલસાડ વગેરે સ્થળોએ ધામધૂમપૂર્વક ગણેશોત્સવ મોટા પાયે ઊજવવામાં આવે છે. મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થી નિમિત્તે મુખ્ય પ્રધાન આવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના
આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશોત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય પ્રધાન રૂપાણીએ સૌને અપીલ પણ કરી છે.
પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને ગણેશ સ્થાપન કર્યું છે. તેમણે આ વખતે ગણેશ સ્થાપનમાં ‘પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ’નો એક નવતર અભિગમ અપનાવ્યો છે. તેમણે છોડમાં પરમાત્માની ભાવના કરીને પર્યાવરણનું જતન કરવાની લોકોને અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે મોટા પાયે વૃક્ષારોપણ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.
અમદાવાદઃ વિઘ્નહર્તા ગણેશની ચતુર્થીના પવિત્ર દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસના રોગચાળાની વચ્ચે 2020ના વર્ષમાં ગણેશોત્સવમાં સાદગી અને સંયમ જોવા મળી રહ્યો છે.
તહેવારોની મોસમ રક્ષાબંધન તહેવારની સાથે થઈ ગઈ હતી. ત્યાર બાદ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતાની સાથે આજથી ગણેશચર્તુર્થીના પર્વનો પ્રારંભ થયો છે.
જોકે કોરોનાને પગલે આ વખતે જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ છે અને ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરવામાં આવી છે.
સામાન્ય સંજોગોમાં ગણેશોત્સવ આવે એટલે મોટા પંડાલ અને વિશાળ મૂર્તિઓ પણ જોવા મળે. સૌથી ડેકોરેટિવ ગણાતા ગણેશજીની વિવિધ મૂર્તિઓનાં પણ દર્શન થાય, પરંતુ આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવમાં ગણપતિનું સ્વરૂપ નાનું અને ઈકો ફ્રેન્ડલી વધુ જોવા મળે છે.
જાહેર ગણેશોત્સવની જગ્યાએ સૌકોઈ પોતાના ઘરે જ માટીના ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરાધના કરી રહ્યા છે.
નવી દિલ્હી: “આજે અંગ્રેજી ભાષાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતી ભાષાને વરેલાં સંસ્કારનિષ્ઠ સામયિકો માતૃભાષા જતન સંવર્ધનની દિશામાં દીવાદાંડી સમાન બની રહયાં છે. દુર્ભાગ્યે એવાં સામયિકોની સંખ્યા બહુ જૂજ રહી ગઈ છે પરંતુ બિનગુજરાતી પ્રદેશમાં વસતા ગુજરાતીઓ માટે આવું સામાયિક તેઓને ભાષા-સંસ્કૃતિને તાણેવાણે સાંકળી રાખવાનું સબળ માધ્યમ બની રહે છે. પાછલાં એકવીસ વર્ષથી દિલ્હીમાં પ્રકાશિત થતું પાક્ષિક ‘ગુજરાતધારા’ આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.” પીઠ ગુજરાતી સાહિત્યકાર અને પ્રખર વિચારક ડો. કેશુભાઈ દેસાઈએ એક ઓનલાઇન ગોષ્ઠીસભામાં આ ઉદગાર વ્યક્ત કર્યા. ડો. દેસાઈના સાન્નિધ્યમાં તંત્રી-પ્રકાશક વિરાટ શાહ સાથે મુલાકાતના વિશેષ કાર્યક્રમ રવિવારે ઝૂમ મીટિંગ્સ પર યોજાયો હતો.
જાણીતા પત્રકાર અને પોઝિટિવ સ્ટોરી લેખનના પ્રણેતા સર્જક રમેશ તન્નાએ પ્રાસંગિક ભૂમિકામાં જણાવ્યું કે “ગુજરાતીઓ ગુજરાત બહાર જ્યાં ક્યાંય પણ વસે છે પત્રકારત્વનું ખેડાણ અવશ્ય કરે છે એના અનેક દાખલાઓ ઇતિહાસમાં છે. સાહિત્ય એક વર્ગનો વિષય છે અને પત્રકારત્વ એ લોકસમૂહનો વિષય છે. બહુ વિશાળ સંખ્યામાં સર્વપ્રકારના સમૂહ સુધી પહોંચવા અખબાર બહુ અસરકારક સાધન છે. દિલ્હીમાં ‘ગુજરાતધારા’ સામયિક શરુ કરીને એને બે દાયકા ઉપરાંત નિયમિત સતત ચલાવ્યે રાખીને વિરાટ શાહે રાજધાનીના ગુજરાતીઓને વાંચન તાંતણે જોડી રાખ્યા છે અને એક અનોખા સાહસિક પ્રકાશન ઉદ્યમી તરીકે દિલ્હીની બહાર પણ એમના આ પ્રદાનની સુવાસ ફેલાઈ છે.”
નવી દિલ્હીથી ઓનલાઇન સાપ્તાહિક ઉપક્રમ ‘મારી ભાષા ગુજરાતી’ અંતર્ગત આ ગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રકાશક-તંત્રી વિરાટ શાહે ‘ગુજરાતધારા’નું અનેક અડચણો, અવરોધો અને મશ્કેલીઓ વચ્ચે પણ તેમના સામયિકનું પ્રકાશન શી રીતે શરુ થયેલું અને પછી કેવી પરિસ્થિતિમાં એની વિકાસયાત્રા નિરંતર રહી એનો ચિતાર આપ્યો.
ગણેશ ચતુર્થીના શુભ દિવસે શ્રદ્ધાળુઓ આન બાન અને શાનથી શ્રીજીની સ્થાપના કરવા તૈયાર હોય છે. વર્ષોથી તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુથી ગણેશની ફક્ત માટીની મૂર્તિની સ્થાપના કરવા જાહેર અપીલ કરવામાં આવે છે, પણ તો ય લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય મટિરીયલમાંથી મૂર્તિ બનાવતા હોય છે.
જો કે આ વર્ષની વાત કાંઇક જૂદી જ છે. કારણ છે કોરોના.
હા, આ વરસે કોરોનાને કારણે ગણેશ મંડળવાળા દૂંદાળા દેવની મસમોટી મૂર્તિની સ્થાપના કરવાના નથી. શ્રદ્ધાળુઓએ પણ મન બનાવી લીધું છે કે તંત્રની અપીલને માન આપીને ફક્ત બે કે ત્રણ ફૂટની મૂર્તિની જ સ્થાપના કરવી જેથી ઘરમેળે વિસર્જન કરી શકાય. આ વખતે જાહેરમાં ગણપતિ વિસર્જન કરવાની મનાઇ પણ છે.
પણ આમ છતાં ય જો તમને દૂંદાળા દેવની મોટી મૂર્તિના દર્શન કરવાની ઇચ્છા થાય તો તમારે આ ગણેશ મહોત્સવ દરમિયાન વડોદરાની મુલાકાત લેવી પડે. વડોદરાના કલાલી વિસ્તારમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અતિ જાણીતું છે. આ મંદિરના પરિસરમાં મહાકાય ગણેશ (બડા ગણેશ) નું મંદિર પણ આવેલું છે. મસમોટા આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશની આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ અને વજન 28 ટન છે. વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સંસ્થા દ્વારા આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
આ સંસ્થાના વડા અને રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલનો દાવો છે કે ભગવાન ગણેશની આટલી મોટા કદની આરસની મૂર્તિ દુનિયામાં બીજે ક્યાંય નથી. આ અર્થમાં આરસના પથ્થરમાંથી બનેલા આ સૌથી મોટા ગણપતિ છે.
યોગેશભાઈ પોતે આમ તો સાવલી ગામના સ્વામીજી અને પ્રમુખ સ્વામીના પરમ ભક્ત. એ કહે છે કે સ્વામીજીએ એમને ત્રણ સંકલ્પ લેવડાવેલા. એક, શિવજીની વિરાટ મૂર્તિ, બે, નંદી પર શિવજીનો પરિવાર અને ત્રીજો સંકલ્પ એટલે ગણેશનું આ મંદિર. પહેલા બે સંકલ્પ પૂરા થયા પછી આ ત્રીજો સંકલ્પ બાકી હતો. સંસ્થાના સભ્યોની ઈચ્છા હતી કે ગણેશની એવી મૂર્તિની સ્થાપના કરવી કે એ કદમાં સૌથી મોટી હોય અને ભવ્ય હોય. આ માટે યોગેશભાઇ સહિત સંસ્થાના સભ્યો સતત છ વર્ષ સુધી એવા મોટા પથ્થરની શોધમાં રાજસ્થાનના ચક્કર મારતા રહ્યા. એ સમયે માંડ આઠથી દસ ટનનો પથ્થર મળતો. એમાંથી તો માંડ પાંચ સાત ફૂટની મૂર્તિ બને એટલે શોધખોળ ચાલુ રહી. વળી, એ સમયે વધુ વજનવાળા મોટા પથ્થર જમીનમાંથી કાઢવાની મશીનરી કે ક્રેન પણ ઉપલબ્ધ નહોતી.
સંસ્થાના સભ્યોએ થાક્યા વિના રાજસ્થાન જવાનું ચાલુ જ રાખ્યું. છેવટે એક દિવસ જાણે ખુદ ભગવાન ગણપતિએ જ જાણે એમને સાદ પાડયો. જયપુરથી 120 કિલોમીટર દૂર આવેલા ગોલાકપાસ ગામમાં 28 ટનનો આરસપહાણનો પથ્થર મળ્યો હતો.
પણ આટલો મોટો પથ્થર ઊંચકીને અન્ય સ્થળે લઇ જવાનું કપરું તો હતું, પણ વાંધો ન આવ્યો. મોટી ક્રેન પણ હવે સહેલાઇથી મળતી હતી. આ એક જ પથ્થરમાંથી બડા ગણેશની મૂર્તિ તૈયાર કરવાનો ઓર્ડર અપાયો. બીજી બાજુ, વડોદરામાં મંદિરના પાયા સુધીનું ચણતર શરૂ થયું. આ મૂર્તિ મૂકવા પ્લેટફોર્મ તૈયાર કરાવ્યું, કેમ કે મૂર્તિ સ્થાપિત કર્યા વિના મંદિર બાંધવાનું શક્ય નહોતું. એકવાર મંદિર તૈયાર થાય, પણ પછી મૂર્તિ અંદર કેવી રીત લઇ જવી? એટલે પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને પછી મંદિરનું બહારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું.
આજે 11 ફૂટની ગણેશજીની વિરાટ મૂર્તિ મૂર્તિના દર્શન કરવા લોકોની લાંબી લાઇનો લાગે છે. ખાસ કરીને ગણેશ મહોત્સવમાં તો શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવા ઉમટી પડે છે. આ વખતે જો કે કોરોનાના કારણે મર્યાદા છે, આમ છતાં તંત્રની ગાઈડ લાઈન મુજબ લોકોને દર્શન કરવા દેવામાં આવશે એમ સંસ્થાના અગ્રણીઓ કહે છે.
મુંબઈ: સુપ્રીમ કોર્ટે શ્રી પાર્શ્વતિલક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટને પર્યુષણ તહેવાર દરમ્યાન જૈન મંદિરોને ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે. કોવીડ-19ના સંદર્ભમાં અધિકારીઓએ ઘડેલી પ્રમાણભૂત માર્ગદર્શિકાનું પાલન કરીને, પર્યુષણ તહેવાર દરમિયાન જૈન મંદિરોને ખુલ્લા રાખવાની શરતી પરવાનગી મળવાથી જૈન સમાજમાં આનંદ ફેલાયો હતો. પર્યુષણ સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો છે. જો કે ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે આ હુકમનો દાખલા તરીકે ઉપયોગ કરી શકાય નહીં અને તે અન્ય મંદિરો અથવા તહેવારો પર લાગુ નહીં પડે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણિનની બનેલી બેંચે આ સુનાવણી કરી હતી.
(પ્રતીકાત્મક તસવીર)
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પાર્શ્વતિલક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટે બોમ્બે હાઈકોર્ટના એ આદેશને પડકારતી પીટીશન સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરી હતી, જેમાં પર્યુષણ પર્વના પવિત્ર સમયગાળા દરમિયાન (15 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન) જૈન સમુદાયના સભ્યોને મંદિરોમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે પિટિશનર-ટ્રસ્ટ વતી તો વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્ર રાજ્ય વતી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. પીટીશનમાં જણાવાયું હતું કે જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા દર વર્ષે અનુસરવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ પર્યુષણમાં થાય છે અને મંદિરો સહિતના ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્દેશ એ મહારાષ્ટ્ર સરકારનું મનસ્વી, ગેરવાજબી અને કોઈપણ આધાર વગરનું પગલું છે.
સુપ્રીમ કોર્ટે પીટીશનમાં ઉલ્લેખિત ટ્રસ્ટ સંચાલિત દાદર, ભાયખલા અને ચેમ્બુરના મંદિરો ફક્ત બે દિવસ ખુલ્લા રાખવાની પરવાની આપી હતી. એમાં પણ પ્રતિ દિન 12થી 65 વર્ષના 250 શ્રદ્ધાળુઓના મંદિર પ્રવેશની જ મંજૂરી આપી હતી. ગર્ભગૃહમાં એક સમયે માત્ર પાંચ વ્યક્તિ હાજર રહી શકશે એવો નિર્દેશ પણ આપ્યો હતો.
પીટીશનની પ્રેરણા આપનારા ગચ્છાધિપતિ યુગભૂષણસુરિ ઉર્ફે પંડિત મહારાજ સાહેબે ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું કે દરેક ધર્મના અમુક ફરજિયાત વિધિવિધાન હોય છે. એવી રીતે જૈન ધર્મમાં ભગવાન મહાવીરના સમયથી પર્યુષણાકલ્પની વિધિ અખંડરુપે ચાલી આવે છે અને પ્રત્યેક જૈન માટે એ ફરજિયાત છે. આવી પ્રણાલી જળવાઇ રહે એ હેતુથી અરજી કરી હતી.
સેંકડો વર્ષથી ચાલી આવતી જગન્નાથપુરીની રથયાત્રાની પરંપરાને પણ માન આપીને સુપ્રિમ કોર્ટે સમુહ ભેગો કર્યા વિના રથયાત્રાની પરવાનગી આપી હતી એવી જ રીતે કલ્પસૂત્ર શ્રવણ, સવંત્સરીનું પ્રતિક્રમણ અને સવંત્સરીના દિવસે પરમાત્મા ભક્તિ જેવા નિયત વિધિવિધાનને પરવાનગી મળે એવી અપેક્ષા હતી. પંડિત મહારાજે ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટે લાદેલી મર્યાદાના પાલનની જવાબદારી જે તે મંદિરના વહીવટદારો નિભાવશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 69,878 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં એક દિવસમાં આવનારા સૌથી વધુ કેસો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 945 લોકોનાં મોત થયાં છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 29,75,701 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 55,794 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 22,22,577 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,97,330 પહોંચી છે. રિકવરી રેટ વધીને 74.69એ પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની 23.45 ટકા છે અને મૃત્યુદર 1.90 ટકા છે.
બે વર્ષથી ઓછા સમયમાં ખતમ થશે બીમારી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું માંનવું છે કે બે વર્ષથી ઓછા સમયમાં આ રોગચાળો ધરતી પરથી ખતમ થશે. WHOને આશા છે કરે કોવિડ-19 સ્પેનિશ ફ્લુથી ઓછા સમયમાં ખતમ થઈ જશે. સંસ્થાના પ્રમુખ ટેડરોસ અધાનોમ ઘેબ્રેસિસે કહ્યું હતું કે અમને આશા છે કોરોના રોગચાળાને ખતમ થતાં બે વર્ષ લાગશે.
વિશ્વમાં 2.30 કરોડ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં અત્યાર સુધી 2.30 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 7,93 લાખથી વધુનાં મોત થયાં છે. જોકે આ બીમારીથી ઠીક થવાવાળા લોકોની સંખ્યા 1.56 કરોડને પાર પહોંચી છે. જોકે હજી 66-05 લાખ સક્રિય કેસ છે.
અમેરિકામાં 57 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
અમેરિકા કોરોના સંક્રમિત કેસોને મામલે પહેલા સ્થાને છે. અત્યાર સુધી અહીં 57 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1128 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 31,000 નવા કેસ નોંધાયા છે.
3.44 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 21 ઓગસ્ટે દેશમાં 10,23,836 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 21 ઓગસ્ટ સુધી કુલ 3,44,91, 072 લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
બ્રિસ્ટલઃ બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55 કરોડ રૂપિયામાં અમેરિકાના એક કલેક્ટરે ખરીદ્યા હતા. મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરતી એજન્સીનો દાવો છે કે બાપુએ 1900ના દસકામાં આ ચશ્માં એક વ્યક્તિને ભેટમાં આપ્યાં હતાં.
બાપુના કાકાએ ચશ્માં આપ્યાં હતાં
કેટલાક જાણકારોનું કહેવું છે કે આ ચશ્માં બાપુને 1910ની આસપાસ તેમના કાકાએ આપ્યાં હતાં. બાપુ એ વખતે દક્ષિણ આફ્રિકામાં કામ કરી રહ્યા હતા. એ ચશ્માંના માલિક બ્રિસ્ટલના મેનગોટ્સફીલ્ડનું કહેવું છે કે આ લિલામીથી મળેલાં નાણાંને તેઓ પોતાની પુત્રીને આપશે.
બાપુના ચશ્માંને લિલામ કરવાવાળી એજન્સીએ જણાવ્યું હતું કે એ ચશ્માં તેમના પોસ્ટબોક્સમાંથી મળ્યાં હતાં. તેઓ આ વાતે આશ્ચર્યચકિત છે કે જે ચશ્માં તેમના પોસ્ટબોક્સમાં એક કવરની અંદરમાંથી મળ્યાં હતાં. તેની પાછળ એક શાનદાર ઇતિહાસ હોઈ શકે છે.
આ ચશ્માં આપનાર શખસે કહ્યું હતું કે આ ચશ્માં બહુ કીમતી ના હોય તો એને નષ્ટ કરી દેજો, પરંતુ જ્યારે અમે તેને આ ચશ્માંની કિંમત જણાવી ત્યારે તેને મોટું આશ્ચર્ય થયું. હવે તે લિલામીમાંથી મળનારાં નાણાં પોતાની પુત્રીને સાથે વહેંચશે.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.