Home Blog Page 4690

રિલાયન્સ રિટેલે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કંપનીનાં ડિરેક્ટર ઇશા અંબાણીએ કહ્યું હતું કે બધાને ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સ મોટા ફાર્માસિસ્ટોને સાંકળે છે અને ગ્રાહકોને દવાઓની ડોર સ્ટેપ ડિલિવરી પણ કરે છે. આ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉનમાં તત્કાળ સોદો કરવાવાળી કંપની બની ગઈ છે.

વિટાલિક હેલ્થ અને તેની સબસિડિયરીઓ સામૂહિક રીતે નેટમેડ્સના રૂપે જાણીતી છે.  રિલાયન્સ રિટેલે નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ વિટાલિક હેલ્થ પ્રા. લિ.ના ઇક્વિટી શેર કેપિટલમાં 60 ટકા હોલ્ડિંગની સાથે એની સબસિડિયરી કંપની ટ્રિસારા, નેટમેડ્સ અને દાધા ફાર્માની 100 ટકા ડિરેક્ટર ઇક્વિટી ઓનરશિપ ખરીદી લીધી છે.

આ મૂડીરોકાણ થકી દેશમાં દરેક જણ પાસે ડિજિટલ માધ્યમથી અમે દવા પહોંચાડી શકીશું. નેટમેડ્સ અમારી સાથે જોડાવાથી રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા અને એફોર્ડેબલ હેલ્થકેર પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા વધારો થયો છે અને ગ્રાહકોને દૈનિક જરૂરી ચીજવસ્તુઓને પૂરી પાડવામાં મદદ મળી રહેશે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં ડિરેક્ટર ઇશા અંબાણી કહ્યું હતું.  

નેટમેડ્સના સંસ્થાપક અને CEO પ્રદીપ દાધા ( નેટમેડ્સ માર્કેટપ્લેસ)નું કહેવું છે કે રિલાયન્સની ડિજિટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત શક્તિની સાથે અમે વધુ ગ્રાહકોની વચ્ચે અમારી સપ્લાય ચેઇનને મજબૂત કરવા સક્ષમ થઈશું. આ કરાર પછી અમે અમારી સર્વિસ વધુ સારી રીતે આપી શકીશું, એમ તેમણે કહ્યું હતું.

2015માં વિટાલિક અને એની સબસિડિયરી કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રિબ્યુશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસિસના વેપારમાં છે. એની સબસિડિયરી કંપની ગ્રાહકોને ફાર્માસિસ્ટોથી જોડવા અને દવાઓ, ન્યુટ્રિશિનલ હેલ્થ અને વેલનેસ ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે એક ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સ પૂરું પાડે છે.

નેટમેડ્સ માટે રિલાયન્સ પરિવારમાં સામેલ થવું અને પ્રત્યેક ભારતીય માટે ગુણવત્તાયુક્ત આરોગ્યની દેખભાળ સસ્તી અને સુલભ બનાવવા માટે એકસાથે કામ કરવા માટે આનંદની ક્ષણ છે, એમ CEO પ્રદીપ દાધાએ જણાવ્યું હતું.

 

 

કોઈપણ ડિટર્જન્ટ વગર તમે તમારા મનને શુદ્ધ રાખી શકો…

કોઈ તમારી પ્રશંસા કરે છે, ત્યારે તમને કેવો અનુભવ થાય છે? અને કોઈ સતત અને વારંવાર તમારી પ્રશંસા કરે છે ત્યારે? તમે એમને સઘળું આપવા માટે તૈયાર થઇ જાઓ છો. એમની કોઈ ભૂલ પ્રત્યે પણ તમે બહુ ધ્યાન આપતા નથી. એ વ્યક્તિને તમે પરમ મિત્ર માનો છો. સંસ્કૃતમાં એક શ્લોક છે, જે કહે છે, તમારા શત્રુઓ કરતાં પણ તમારા મિત્રો પ્રત્યે વધુ સાવધ રહો. કારણ શત્રુ તો શત્રુ છે જ, તમે સાવધાની રાખશો જ, પણ તમારો મિત્ર ક્યારેક તમારા મનમાં અજાણપણે નકારાત્મકતાનાં બીજ રોપી દેશે અને એ કદાચ તમને ખોટા રસ્તે પણ દોરી જઈ શકે છે. એટલે, પ્રશંસાનો સજાગતાપૂર્વક સ્વીકાર કરો.

કોઈ તમારું અપમાન કરે ત્યારે તમારી શું પ્રતિક્રિયા હોય છે? અપમાન કરનાર વ્યક્તિથી તમે દૂર રહેવા ઈચ્છો છો. પરંતુ કબીરજી કહે છે કે જે તમારી નિંદા અને અપમાન કરે તેને સહુથી વધુ નિકટ રાખવા જોઈએ. કારણ તેઓ સતત તમારી ભૂલો બતાવે છે અને એ રીતે તેઓ તમારામાં આવશ્યક પરિવર્તન લાવે છે. તેમના સહવાસથી કોઈપણ ડિટર્જન્ટ વગર તમે તમારા મનને શુદ્ધ રાખી શકો છો. તો ટીકાઓથી ડરો નહી.

જયારે કોઈ તમારા પર દોષારોપણ કરે છે, ત્યારે તમે શું કરશો? સંતુલન ખોઈને, ગુસ્સાથી તમે વિરોધ કરશો તો શું તેઓ સમજી જશે? દ્રઢતાપૂર્વક અને શાંતિથી એમને ટૂંકમાં કહો કે “જુઓ, આ મારી ભૂલ નથી.” છતાં પણ તેઓ સમજવા તૈયાર ન હોય તો આખી બાબતની અવગણના કરો. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ દોષારોપણ કરે છે, અંતતઃ તેને જ હાનિ પહોંચે છે. તો કહો કે ” જુઓ, તમે જે કહી રહ્યા છો, તે સત્ય નથી. તો દોષારોપણ ન કરો, કારણ એ તમને હાનિ પહોંચાડી શકે છે.”  અને ત્યાર બાદ સ્વીકારો કે વિશ્વમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય ધરાવવાની સ્વતંત્રતા છે. તમારું નિયંત્રણ તમારી જાત પૂરતું જ સીમિત છે. અન્યના અભિપ્રાય ઉપર તમારું નિયંત્રણ નથી. તો તેમને સત્ય જણાવો, તેઓ એ સત્ય ન સ્વીકારે તો નિર્લેપ રહો.

આલોચના, નિંદા અને અપમાનનો સ્વીકાર કરી શકવાની તમારી ક્ષમતા જ તમારી સમજ, શાણપણ, બુદ્ધિમત્તા અને સ્થિરતાનો પરિચય આપે છે. જો આ ક્ષમતા કેળવાઈ નથી, તો કોઈ પણ વ્યક્તિ એક નાની એવી ટિપ્પણી કે ટીકા કરીને અથવા તો દોષારોપણ કરીને તમારું સંતુલન ખોરવી શકે છે.

વિશાળ દ્રષ્ટિકોણ રાખો. સન્માન અને અપમાન બંને સંજોગોમાં સમત્વ રાખો. જાણી લો કે તમે અનન્ય છો અને પૃથ્વી પર તમારું અસ્તિત્વ અમૂલ્ય છે. જે કાર્ય તમારે પાર પાડવાનાં છે તે તમારા સિવાય કોઈ જ કરી શકશે નહિ. પ્રશંસા અને નિંદા બંનેથી પર થઈને આગળ વધો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 19/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧૯ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 19/08/2020

એપ્રિલથી અત્યાર સુધી દેશમાં 1.89 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવીઃ CMIE

નવી દિલ્હીઃ એપ્રિલથી અત્યાર સુધી દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે 1.89 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જેમાં આશરે 50 લાખ લોકોની નોકરીઓ ગયા મહિને ગઈ છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા જણાવે છે.

ડેટા મુજબ જુલાઈ મહિનામાં આશરે 50 લાખ નોકરી ગયા પછી લગભગ 39 લોકોને જૂનમાં મળી હતી. એપ્રિલમાં 1.77 કરોડ લોકોની નોકરીઓ ગઈ હતી. ત્યાર બાદ મે મહિનામાં એક લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી. એક વાર નોકરીઓ જાય એ પછી કોઈ પણ કર્મચારીને સહેલાઈથી નોકરી નથી મળતી અથવા નોકરી મળવી મુશ્કેલ બને છે. આ સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, એમ CMIEના CEO મહેશ વ્યાસે કહ્યું હતું. આમેય સરેરાશ નોકરીઓ આશરે 190 લાખ (1.90 કરોડ) નોકરીઓ વર્ષ 2019-20માં ઓછી હતી. પાછલા નાણાકીય વર્ષની તુલનાએ નોકરીઓમાં 22 ટકાનો ઘટાડો થયો હતો.

CMIEના તાજા આંકડાથી એ માલૂમ પડે છે કે આ સમયગાળા દરમ્યાન આશરે 68 લાખ દૈનિક વેતન કમાતા લોકોએ નોકરીઓ ગુમાવી હતી. જોકે આશરે 1.49 કરોડ લોકો ખેતી ક્ષેત્ર તરફ વળ્યા હતા.લોકડાઉનની જાહેરાતને પગલે સમગ્ર ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મુકાવા માંડ્યો હતો અને પગારકાપ સાથે લીવ વિધાઉટ પે પણ થવા માંડ્યો હતો.

ઔદ્યોગિક સંસ્થાઓએ અને કેટલાય અર્થશાસ્ત્રીઓએ કોરોના વાઇરસ રોગચાળા દરમ્યાન મોટા પાયે નોકરીઓમાં કાપથી બચવા ઉદ્યોગોને સરકારી મદદ કરવા આહવાન કર્યું હતું.

 

 

‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ નિમિત્તે યૂટ્યૂબ પર સિતાંશુ યશશ્ચંદ્રનું ચિંતનાત્મક વ્યાખ્યાન

મુંબઈઃ કળા, સાહિત્ય, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સમન્વય સાધી એમના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરતી અત્રેના કાંદિવલી ઉપનગરની સંસ્થા ‘સંવિત્તિ’ના ઉપક્રમે ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ વીર નર્મદના જન્મદિવસ, જેને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તેની ઉજવણી રૂપે એક ચિંતનાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વિષય છે: ‘સશક્ત સમાજનું સાહિત્ય, સશક્ત સાહિત્યનો સમાજ’.

આ વ્યાખ્યાનના વક્તા છે, મેધાવી સર્જક, સાહિત્ય મીમાંસાના ઊંડા અભ્યાસી અને મર્મજ્ઞ કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર.

વ્યાખ્યાન વિશે સંક્ષિપ્ત રૂપરેખા

¤ ભાષા સાથે, આપણી માતૃભાષા સાથે આપણો સંબંધ કેવો?, જગતભરમાં ફેલાયેલી અંગ્રેજીની જેમ ભાષાને જીવંત રાખવા માટે અંગ્રેજો જેવું વિશ્વવ્યાપક સાંસ્થાનિક સામ્રાજ્ય જરૂરી છે? એ જ રીતે સંસ્કૃત ભાષા બૃહદ્ વ્યાપમાં કેવી રીતે ફેલાઈ?, એનું મૂળ રાજસત્તા નહીં, સાહિત્યસત્તા અને જ્ઞાનસત્તા હતાં. ગુજરાતી ભાષા એ બે શક્તિમત્તા કઈ રીતે મેળવી શકે?,  વાણિજ્ય વિશેષજ્ઞતા, રાજકીય કે ધાર્મિક સંગઠનથી સમર્થ બનેલી ગુજરાતી પ્રજાનું સાહિત્ય કેવું હોય?,  નરસિંહ-મીરાં, અસાઈત-અખો, પ્રેમાનંદ-શામળ, નર્મદ, નાનાલાલ, ગોવર્ધનરામ, ગાંધી, ઉમાશંકર-સુંદરમ, પન્નાલાલ-દર્શક, રાજેન્દ્ર-નિરંજન આદિથી સશક્ત અને સમર્થ બનેલા સાહિત્યથી પોષાયેલી પ્રજા કેવી હોય?,  ૨૧મી સદીમાં ગુજરાતી ભાષાનું જ્ઞાનસામર્થ્ય કઈ રીતે કેળવવું?

આવા સાત મુદ્દાઓને આવરી લેતું વ્યાખ્યાન – સોમવાર, તા. ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ની સવારે ૧૧.00 વાગ્યે યૂટ્યૂબ પર મૂકવામાં આવશે. આ કાર્યક્રમને આપ યૂટ્યૂબ પર samvitti ek jagruti લખીને જોઈ શકશો.

વધુ માહિતી માટે સંપર્ક – કીર્તિભાઈ શાહ – 9323656339

ગુજરાત સરકારે રાજ્યમાં 70થી વધુ માળની ગગનચુંબી ઇમારતો બાંધવા મંજૂરી આપી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 70થી વધુ માળની ગગનચુંબી બિલ્ડિંગો બાંધવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે રાજ્યનાં પાંચ મુખ્ય શહેરોમાં 70 કે તેથી વધુ માળની ઇમારતોના નિર્માણને મંજૂરી આપી છે. હાલના નિયમો અનુસાર રાજ્યમાં મહત્તમ 23 માળની બિલ્ડિંગો બાંધી શકાય છે.

હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 અથવા તેનાથી વધુ માળની ઊંચી ઇમારતોના બાંધકામને મંજૂરી માટે કોમન GDCR (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)માં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા મંજૂરીપ્રાપ્ત ઇમારતો વિશેના આ નવા નિયમો એ બિલ્ડિંગોને લાગુ પડશે, 100 મીટરથી વધુ ઊંચાં છે. આ પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી આપવા માટે એક સ્પેશિયલ ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવશે.

100થી 150 મીટરની વચ્ચેની ઊંચાઈવાળી ગગનચુંબી ઇમારતનું નિર્માણનું કદ 2500 સ્ક્વેર મીટરથી 3500 સ્ક્વેર મીટરમાં હોવું જોઈએ, જો પ્રસ્તાવિત ઊંચાઈ 150 મીટરથી વધુ હોય, એમ યાદીમાં કહેવામાં આવ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સિવાય નવા નિયમો હેઠળ મોડલનું માળખું વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે નમવા નિયમોથી જમીનનો મહત્તમ ઉપયોગ કરવા દેવામાં આવશે અને એથી ઘરોની કિંમતોમાં ઘટાડો થવામાં મદદ મળશે.

વરસાદ હોય તો શું થયું, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની નેટ પ્રેક્ટિસ ચાલુ છે…

આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા, જે 13મી આઈપીએલ અથવા આઈપીએલ-2020 છે, એ ભારતમાં નહીં, પણ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાવાની છે. આઠેય ટીમના ખેલાડીઓ યૂએઈમાં ભેગા થશે અને અબુધાબી, દુબઈ, શારજાહમાં 20-20 ફોર્મેટની મેચો રમશે. સ્પર્ધાનો આરંભ 19 સપ્ટેંબરથી થશે અને 10 નવેંબરે ફાઈનલ મેચ રમાશે. આઠમાંની એક ટીમ, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ હાલ મુંબઈની પડોશના થાણે જિલ્લાના નવી મુંબઈ શહેરના ઘણસૌલી ઉપનગરના MIDC ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલ મુંબઈમાં વરસાદની મોસમ છે એટલે ક્રિકેટની પ્રેક્ટિસ સંભવ જ ન હોય, પણ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં જુઓ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અત્યાર સુધીમાં 4 વખત આઈપીએલ સ્પર્ધામાં વિજેતા બની ચૂકી છે. (તસવીર સૌજન્યઃ mumbaiindians.com)

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધારે વરસાદ થયો

મુંબઈઃ આ વર્ષે ચોમાસાની મોસમમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં નોર્મલ સરેરાશ કરતાં 16 ટકા વધારે વરસાદ પડી ચૂક્યો છે.

રાજ્યમાં 1 જૂનથી 17 ઓગસ્ટ સુધીમાં 826 મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો. આ જ સમયગાળા માટે નોર્મલ એવરેજ 713 મિ.મી.ની છે.

આમ, આ વખતનો વરસાદ 16 ટકા વધારે બતાવે છે. તે છતાં હવામાન વિભાગની સ્કેલ આને હજી નોર્મલ વરસાદ તરીકે જ ઓળખાવે છે.

રાજ્યના કુલ 36માંથી છ જિલ્લામાં જરૂર કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે યવતમાળ, ગોંદિયા અને આકોલામાં વરસાદની ખાધ નોંધાઈ છે.

મુંબઈમાં આ વખતની મોસમમાં અત્યાર સુધીમાં અમુક દિવસોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો. સરેરાશ મુજબ પ્રતિ દિવસ 50 મિ.મી. વરસાદ પડ્યો છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં જળસપાટી ખાસ્સી એવી વધી છે અને જળાશયો 75 ટકા ભરાઈ ગયા છે. જોકે ગયા વર્ષે આ જ સમયગાળા વખતે આનાથી વધારે વરસાદી પાણી આવ્યું હતું. શહેરમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને હજી વધારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જળાશયોમાં નવું પાણી આવવાની ધારણા છે.

મુંબઈના હાઈડ્રોલિક એન્જિનીયરના વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ 18 ઓગસ્ટ, 2020ની સવારે મુંબઈના સાત જળાશયોમાં જળસપાટી આ મુજબ હતીઃ

નામ

વર્ષ

હાલની જળસપાટી મિ.લિ.માં

જળાશયની મૂળ ક્ષમતા મિ.લિ.માં

પાણીની આવક ટકાવારીમાં

અપર વૈતરણા

2020

153656

227047

67.7

2019

203789

89.8

મોડક સાગર

2020

127410

128925

98.8

2019

128925

100.0

તાનસા

2020

129393

145080

89.2

2019

143887

99.2

મિડલ વૈતરણા

2020

173418

193530

89.6

2019

184778

95.5

ભાત્સા

2020

581021

717037

81.0

2019

666281

92.9

વિહાર

2020

27698

27698

100.0

2019

27698

100.0

તુલસી

2020

8046

8046

100.0

2019

8046

100.0