Home Blog Page 4697

સુવિચાર – ૧૩ ઓગસ્ટ, ૨૦૨૦

સુવિચાર – ૧૩ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 13/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 13/08/2020

IT વિભાગના 1000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગને મામલે ચીની નાગરિકોનાં સ્થળોએ દરોડા

 નવી દિલ્હીઃ શેલ કંપનીઓની આડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપમાં ચીનના નાગરિકો, કંપનીઓ અને તેમના ભારતીય સહયોગીઓના ઠેકાણાં પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વિભાગે દિલ્હી, ગાજિયાબાદ અને ગુરુગ્રામમાં 21 જગ્યાઓએ ગઈ કાલે દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ છે કે કેટલાક ભારતીયોની મદદથી આ ચીની નાગરિકોએ કેટલીય શેલ કંપનીઓની નોંધણી કરીને હવાલા અને મની લોન્ડરિંગ દ્વારા 1000 રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં. આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા એક સૂચના મળ્યા પછી પાડવામાં આવ્યા હતા.  

આ સૂચનામાં વિભાગને માલૂમ પડ્યું હતું કે કેટલાક ચીની નાગરિકો અને તેમના ભારતીય સહયોગીઓ શેલ કંપનીઓની મદદથી મની લોન્ડરિંગ અને હવાલાની લેવડદેવડમેં સામેલ છે. ત્યાર પછી તપાસ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે ચીની નાગરિકોએ ખોટી કંપનીઓનાં 40થી વધુ બેન્ક ખાતાં ખોલાવ્યાં છે.

આ બેન્ક ખાતાંઓની મદદથી 1000 કરોડ રૂપિયાથી વધુ ગેરકાયદે લેવડદેવડ કરવામાં આવી હતી. ત્યાં ચીનની કંપનીની નિયંત્રિત એક કંપની ભારતમાં રિટેલ વેપારને ખોલવા માટે શેલ કંપનીઓથી 100 કરોડના બોગસ એડવાન્સ પણ લઈ ચૂકી છે.

આ તપાસ ઝુંબેશમાં વિભાગને હવાલાથી જોડાયેલા દસ્તાવેજ અને ગેરકાયદે કામગીરીમાં બેન્ક કર્મચારીઓ, CAની પણ સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. આ મામલે ચીનમાં એક નાગરિક લુઓ સંગની ધરપકડ કરવામાં આવી છે, જે ભારતમાં ચાર્લી પંગના નામંથી દેશમાં રહી રહ્યો છે. તેની પાસે મણિપુરના સરનામાથી બનેલો એક નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તેનાં નકલી નામથી આઠથી 10 બેન્ક એકાઉન્ટ પણ છે, જે કેટલીય ચાઇનીઝ કંપનીઓ માટે ભારતમાં હવાલાની કામગીરી જોતો હતો.

 

 

 

 

US ચૂંટણી 2020: ઉપરાષ્ટ્રપતિપદની ટિકિટ મેળવનાર પ્રથમ એશિયાઈ-અમેરિકી મહિલા કમલા હેરિસ

નવી દિલ્હીઃ અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન દરેક પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા છે. અમેરિકામાં થનારી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની કમલા દેવી હેરિસ પણ મેદાનમાં છે.    

કમલા હેરિસ મૂળ ચેન્નઈના બ્રાહ્મણ પરિવારનાં

તેઓ આંશિક ભારતીય મૂળના છે. તેઓ 55 વર્ષનાં છે. કમલા કેલિફોર્નિયાથી છે. કમલા હેરિસ ભારતીય મૂળની અમેરિકી નાગરિક છે. કમલા હેરિસના નાના ચેન્નઈના બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમનું નામ પીવી ગોપાલન હતું. તેઓ ભારતીય લોકસેવામાં અધિકારી હતા. તેમણે ઝામ્બિયામાં પણ સરકાર માટે સેવાઓ આપી હતી. ગોપાલનની મોટી દીકરી શ્યામલા અમેરિકામાં અભ્યાસ માટે ગયાં હતાં. તેમનું 2009માં નિધન થયું હતું.  કમલા આ શ્યામલાની જ દીકરી છે. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના રહેવાસી છે, જે હાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

બે વાર કેલિફોર્નિયાના એટર્ની જનરલ

કમલા હેરિસ બે વાર કેલિફોર્નિયાના એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. તેમને દક્ષિણ ભારતીય ખાવાનું વધુ પસંદ છે.  તેઓ દરેક ભાષણમાં તેમની માતાનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમની માતા વાર્ષિક રજાઓમાં કમલા અને તેમની નાની બહેન માયા હેરિસને તામિલનાડુમાં પોતાના મામાના ઘરે આવ્યા કરતાં હતાં. એ જ કારણ છે કે તેઓ સતત હિન્દુ મંદિરોમાં દર્શન કરતાં રહે છે.

કમલાનું હેરિસનું શિક્ષણ

કમલા હેરિસનું ઓકલેન્ડમાં પાલનપોષણ થયું છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં છે. ત્યાર બાદ તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનું શિક્ષણ લીધું છે. હેરિસ સેન ફ્રાન્સિસ્કોમાં જિલ્લા એટર્ની તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ 2003માં સેન ફ્રાન્સિસ્કોની જિલ્લા વકીલ બન્યાં હતાં. હેરિસે વર્ષ 2017માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટરના રૂપમાં શપથ લીધાં હતા.

ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનાર પહેલા એશિયાઈ અમેરિકી મહિલા

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનારાં કમલા હેરિસ પહેલા એશિયા-અમેરિકી છે. તેઓ ડેમોક્રેટ ગેરાલ્ડાઇન ફેરારો અને રિપબ્લિકન સારા પોલિન પછી એક મુખ્ય પાર્ટીના પ્રથમ આફ્રિકી અમેરિકી અને આ પદ માટે ઉમેદવારી કરવાવાળાં ત્રીજા મહિલા પણ છે.

આવું પહેલી વાર થઈ રહ્યું છે કે કોઈ અશ્વેત મહિલા અમેરિકામાં કોઈ મોટી પાર્ટી દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બન્યાં હોય. જો હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની જશે તો આ પદ પર પહોંચનારાં અમેરિકાનાં તેઓ પહેલા મહિલા હશે અને દેશના પહેલા ભારતીય-અમેરિકી અને આફ્રિકી મૂળના ઉપરાષ્ટ્રપતિ હશે.  હેરિસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પોતાના આઇડિયલ જણાવે છે.

આર્ટિકલ 370 દૂર કરવા પર અસંમતિ

કમલા હેરિસ ભારતીય મૂળની છે, એટલે તેઓ ભારતીય મૂળના લોકોનાં હિતની વાત કરે છે, એવું નથી. કમલા હેરિસ પાર્ટીની નીતિઓથી એક ઇંચ પણ ટસથી મસ નથી થતી. એક વાર તેમણે ભારતીય વિદેશ નીતિના નિયમકોને ફટકાર લગાવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો.

 

 

 

 

 

.

બાવળા તાલુકામાં દૂરદર્શન સાથે ઓનલાઇન શિક્ષણ મેળવતાં બાળકો

અમદાવાદઃ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે રાજ્યમાં શાળાઓ બંધ છે ત્યારે ‘’શાળા બંધ છે પણ શિક્ષણ નહિ’’ એ ઉક્તિને માત્ર શહેરી કક્ષાએ જ નહિ, પરંતુ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ સાર્થક કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ મળી રહે તે માટે ઇ-લર્નિગની વ્યવસ્થાના સુચારુ ભાગરૂપે દૂરદર્શન પર અને સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ લઇ રહ્યા છે.

બાળકોના શિક્ષણ પર કોઈ અસર ના થાય તે હેતુથી વિષય નિષ્ણાત તજ્જ્ઞો દ્વારા દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શહેરી અને ગામડાંની તમામ શાળાઓ સુંદર કામગીરી

અમદાવાદ જિલ્લાની શહેરી અને ગામડાંની તમામ શાળાઓ સુંદર કામગીરી નિભાવી રહી છે. સરકારના આદેશ અનુસાર દૂરદર્શન ડીડી ગિરનાર ચેનલ દ્વારા શિક્ષણ આપવું અને શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ નીતિનું પાલન કરીને બાવળા તાલુકાના સેવા-વિસ્તરણ કાવિઠા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને વાલી મુલાકાત લઈ બાળકને તેના અભ્યાસ મુજબના શિક્ષણને અનુરૂપ માર્ગદર્શન આપે છે.

મોબાઇલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસનો આરંભ

કાવિઠાની શાળાએ મોબાઇલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસનો આરંભ કરી રચનાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષક ગિરીશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં હવે ડિજિટલ શિક્ષણના માધ્યમથી બાળકોને ભણાવવાની જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી શાળાના તમામ શિક્ષકો પણ આ માટે અપડેટ છે.

શિક્ષણ માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં બાળકોના વાલીનું દરેક ધોરણ પ્રમાણેનું સોશિયલ મિડિયા ગ્રુપ બનાવીને તેમાં વિદ્યાર્થીઓને ‘micorsoft teams’ એપ્લિકેશન દ્વારા વિષય અનુરૂપ ઓનલાઇન શિક્ષણ શિક્ષકો આપે છે.

ધોરણ ૧થી ૮નાં બાળકો આ એપ્લિકેશન થકી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં શાળાના સમયે રોજ સવારે 8:30થી 9:00 કલાક ધોરણ છ અને  9:00 થી 9;30 કલાક ધોરણ 7 તથા 9:30થી 10:00 કલાક  સુધી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.

કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ

બાળકોને વાચન લેખનની સાથે- સાથે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકોને કેવી રીતે, કયું શિક્ષણ કાર્ય કરવું તેને મેસેજ આપીને સમજાવવામાં આવે છે. એ ઉપરાંત જે વાલી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં નથી તેવા વિદ્યાર્થીઓના વાલીને સાદા ફોનથી પણ સંપર્ક કરીને બાળકના અભ્યાસની વિગતોથી વાકેફ કરવામાં આવે છે.

 

 

 

દ્વારકાધીશ સહિત દેશનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં સાદગીથી જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોના રોગચાળાને લીધે મંદિર સહિત દેશભરમાં તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેતાં જન્માષ્ટમની ઉજવણી એક વર્ચ્યુઅલ પ્રસંગ બની રહી છે. ઇતિહાસમાં સૌપ્રથમ વાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. મથુરા, વૃંદાવન, ડાકોર શામળાજી સહિત અનેક મંદિરોમાં બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે તમામ મંદિરો કૃષ્ણ જન્મોત્સવનું વેબકાસ્ટ કરી રહ્યાં છે. અનેક જ્ગ્યાએ મંગળવારે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.   

દ્વારકાધીશ મંદિરને શણગારાયું

દ્વારકાધીશ મંદિરને લાઇટ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી લાઇટોથી દ્વારકાધીશનું મંદિર ઝળહળી ઊઠ્યું છે. જોકે 13 તારીખ સુધી દ્વારકાધીશ મંદિર બંધ રહેશે. જોકે દ્વારકાધીશને 1650 વખત જળાભિષેક કરવામાં આવશે અને રાત્રે બે વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભગવાનને અતિ પ્રિય માખણ-મિસરીનો ભોગ ધરાવાશે. આમ તો કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે. માત્ર પૂજારી પરિવાર જ ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ઉજવણી કરશે., ભગવાનની આરતી DWARKADHISH.ORG પર લાઈવ જોવા મળશે.

શ્રાથજીને 21 તોપોની સલામી

નાથદ્વારામાં શ્રીનાથજીની રાઇ-લૂણથી નજર ઉતારવામાં આવશે. રાત્રે 12 કલાકે ઠાકોરજીના પ્રાગટ્યનો સંકેત આપતાં બ્યુગલ વાગશે. રિસાલા ચોકમાં બે તોપોથી 21 વાર સલામી આપવામાં આવશે. શ્રીનાથજીને શંગાર પછી પછી જન્મની આરતી થશે. ત્યાર બાદ તેમને 100થી વધુ પ્રકારનો મહાભોગ ધરાવાશે.

બાંકે બિહારીને 21 પ્રકારનો ભોગ

મથુરાના બાંકે બિહારીને આજે રાત્રે 11 કલાકે મંદિરના સેવક ગોસ્વામીગણ મંદિર પરિસરમાં 21 પ્રકારના ભોગથી પ્રવેશ કરશેય. ગોસ્વામી ગણ ઠાકોરજીને પોણા બારે અત્તરની માલિશ કરી જગાડશે. ત્યાર બાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવીને ઠાકોરજીને સિંહાસન પર બિરાજમાન કરી શંગાર અને ભોગ ધરાવવામાં આવશે. અહીં જન્માષ્ટમી પર મંગળા આરતી કરવામાં આવે છે.

ભકતો વગર જ જન્માષ્ટમીની ઉજવણી
ડાકોરમાં પણ ભકતો વગર જ જન્માષ્ટમીની ઉજવણી થશે. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, ભગવાનને તિલક કરવામાં આવશે, પંચામૃત સ્નાન કરાવ્યા બાદ સવા લાખનો મુગટ પહેરાવવામાં આવશે, રાત્રે અઢી વાગ્યે આરતી કર્યા બાદ ભગવાનને પારણે ઝૂલાવવામાં આવશે. http://ranchhodraiji.org પર આરતી લાઈવનો લહાવો મળશે.

જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર રાતના આઠ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે, રાત્રે બાર વાગે બંધ બારણે જ માત્ર પૂજારીઓની હાજરીમાં જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યાર બાદ 11.30 કલાકે રાજભોગ આરતીની સાથે મંદિર ખૂલશે, અને 12.15 કલાકે મંદિર બંધ થશે, 15 મિનિટ બાદ એટલે કે 12.30 કલાકે મંદિર ખૂલશે (ઉત્થાપન) સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે આઠ વાગે મંદિર બંધ થશે .www.shreeshamlajivishnutemple.org live આરતી જોઈ શકાશે.

મોટા ભાગનાં મંદિરો બંધ રાખવાનો નિર્ણય

દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેથી મોટા ભાગના મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો હોવાથી ભીડ ન થાય અને સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે.

અમદાવાદમાં તમામ મંદિરોમાં કાર્યક્રમો રદ

અમદાવાદ મ્યુનિનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને પગલે શહેરનાં તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે કોર્પોરેશને તમામ મંદિરોમાં કૃષ્ણજન્મની ઉજવણી અને મટકી ફોડ જેવા કાર્યક્રમો ન કરવા માટે રજૂઆત કરી હતી જેને પગલે મોટાભાગનાં મંદિરોએ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

 

 

કોરોના સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે., જેથી કુલ કેસોની સંખ્યા 23 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 23,29,638 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 46,091 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 16,39,599 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,43,948એ પહોંચી છે. મૃત્યુદર ઘટીને 1.99 ટકા થયો છે.

પોઝિટિવિટી રેટ 8.31 ટકા

દેશમાં કોરોના વાઇરસનો પોઝિટિવિટી રેટ 8.31 ટકા ચાલી રહ્યો છે. એટલે કે જેટલાં સેમ્પલોની ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, એમાં 8.31 ટકા સેમ્પલ પોઝિટિવ નીકળી રહ્યા છે. ગઈ કાલે દેશમાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટિંગ થયાં છે. ગઈ કાલે 2,60,15,297 સેમ્પ્લોનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

FB  પોસ્ટને લઈને બેંગલુરુમાં હિંસાઃ પોલીસ ફાયરિંગમાં ત્રણનાં મોત, 60 પોલીસ ઘાયલ

બેંગલુરુઃ બેંગલુરુમાં એક વિધાનસભ્યના ભાણાની ફેસબુક પોસ્ટ પછી હિંસા થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલી ભીડે વિધાનસભ્યના ઘરે અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. પોલીસે કરેલા ફાયરિંગમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત થયાં છે. એક એડિશનલ કમિશનર સહિત 60 લોકો ઘાયલ થયા છે. જ્યારે ફેસબુક પોસ્ટ લખવાના આરોપસર પોલીસે કર્ણાટકના વિધાનસભ્ય અખંડ શ્રીનિવાસમૂર્તિના ભાણાની ધરપકડ કરી લીધી છે. એની સાથે આ મામલે અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પયગંબર મોહમ્મદ સાહબની સામે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ

આરોપ છે કે વિધાનસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભાણાએ પયગંબર મોહમ્મદ સાહબની સામે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ લખી હતી. આ ન્યૂઝ પ્રસરતાં સાંજે સાત કલાકે આશરે મુસ્લિમ સમુદાયના સેંકકડો લોકોની ભીડ તેમના ઘરની બહાર જમા થઈ હતી.

વિધાનસભ્યના ઘર પર પથ્થરમારો

ગુસ્સે ભરાયેલા લોકોએ વિધાનસભ્યના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

આ મામલે વિધાનસભ્ય શ્રીનિવાસ મૂર્તિએ શાંતિ જાળવવા અપીલ કરી છે. વિધાનસભ્યએ કહ્યું છે કે હું અખંડ શ્રીનિવાસ મૂર્તિ બધા મુસ્લિમ ભાઈઓને શાંતિ રાખવા અપીલ કરું છું. જેકોઈની પણ ભૂલ હશે હું તેની સાથે બેસીને આ મામલો ઉકેલીશ.

 

 

 

રાશિ ભવિષ્ય 12/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.