નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના સતત ચોથા દિવસે 60,000થી વધુ કેસ સામે આવ્યા છે, જેથી કુલ કેસોની સંખ્યા 22 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,064 નવા કેસ સામે આવ્યા છે અને 1007 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 22,15,074 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 44,386 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 15,35,743 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,34,945એ પહોંચી છે. રિકવરી રેટ 67.64 ટકાએ પહોંચ્યો છે.
દેશમાં બે દિવસે એક લાખ કેસ
દેશમાં કોરોના વાઇરસના પહેલા એક લાખ કેસ આવવામાં 110 દિવસ લાગ્યા હતા, પણ હવે એક લાખ કેસ સામે આવવામાં માત્ર બે દિવસ લાગે છે. 19 મેએ 110 દિવસમાં 1,01,139 કુલ કેસ હતા, જ્યારે 10મી ઓગસ્ટે આંકડો 22 લાખને પાર થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કોલકાતાઃ ક્રિકેટર મોહમ્મદ શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંને સોશિયલ મિડિયામાં રામ મંદિર નિર્માણનાં અભિનંદન આપવા બદલ જાનથી મારી નાખવાની અને બળાત્કાર કરવાની ધમકીઓ મળી છે, મોડલ અને એક્ટ્રેસ હસીન જહાંએ આ સંબંધમાં વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પાસે મદદ માગી છે.
હસીન જહાં સોશિયલ મિડિયા પર ઘણ સક્રિય છે. આમ પણ તે એની પોસ્ટોને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે તે ઘણી વાર ટ્રોલ પણ થઈ ચૂકી છે. જોકે હાલમાં તે રામ મંદિર ભૂમિ પૂજન મામલે શુભકામનાઓ આપવા બદલ કટ્ટરપંથીઓના ગુસ્સાનો શિકાર થઈ છે. જેનાથી પરેશાન થઈને હસીન જહાંએ કોલકાતાની લાલ બજાર સ્ટ્રીટના સાઇબર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે.
તેણે લખ્યું છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહપ્રધાન અમિત શાહજી, મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજીથી વિનંતી છે કે વહીવટી તંત્રને આ મામલે ઘટતું કરવા આદેશ આપે. આપણે સર્વધર્મ સમભાવ રાખનારા દેશના નિવાસી છીએ, જ્યાં આવી વાત બહુ દુર્ભાગ્યપૂર્ણ છે અને એનાથી હું બહુ દુખી છું.
તેના જણાવ્યા પ્રમાણે તેણે સોશિયલ મિડિયા એકાઉન્ટથી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પર દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. ત્યાર બાદ તેને કટ્ટરપંથીઓના નિશાને આવી ગઈ છે અને તેને સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ધમકીઓ અપાઈ રહી છે.
હસીન જહાંએ આ વિશે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટે મેં સોશિયલ મિડિયા દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ હિન્દુ-ભાઈઓને આપી હતી. જેને કારણે કેટલાક કટ્ટરપંથી લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને મારા ઉપર નુક્તેચીની કરી હતી. મને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી છે. આની સામે મે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મેં મારી ફરિયાદમાં કહ્યું છે કે આવા કટ્ટરપંથીઓ સામે જલદી કાર્યવાહી કરવામાં આવે. હસીન જહાં પહેલાં પણ પોતાના પતિ મોહમ્મદ શમીને લઈને વિવાદમાં રહી ચૂકી છે.
અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે, ધાર્યા કરતા વધુ ખર્ચા થાય.
માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર મળવા જોગ છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી આવૃત્તિના ટાઈટલ સ્પોન્સર તરીકે વિવો કંપની હટી ગઈ એને હું ક્રિકેટ બોર્ડ માટે નાણાકીય કટોકટી તરીકે ગણતો નથી.
ઉલ્લેખનીય છે કે, ટાઈટલ સ્પોન્સર્સ વિવો સાથેની ભાગીદારીને સ્થગિત કર્યાની ક્રિકેટ બોર્ડે ગયા અઠવાડિયે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. દેશમાં ચીન-વિરોધી જે તીવ્ર લાગણી ફેલાઈ છે એને ધ્યાનમાં લઈને ચાઈનીઝ કંપની વિવોને આઈપીએલ-13ની ટાઈટલ સ્પોન્સર તરીકે ચાલુ રાખવા બદલ ક્રિકેટ બોર્ડ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ, બંનેની ટીકા થયા બાદ વિવોની આ વર્ષની આઈપીએલ માટે બાદબાકી થઈ ગઈ છે.
એક વેબિનારમાં બોલતાં, ગાંગુલીએ કહ્યું કે, હું આ ઘટનાને નાણાકીય કટોકટી તરીકે ગણતો નથી. આ માત્ર એક નાનો અમથો ઝટકો છે. આવા સમયમાં તમારે પ્રોફેશનલ રીતે થોડુંક મજબૂત બનવું જ પડે.
ગાંગુલીએ એમ પણ કહ્યું કે, મોટી બાબતો કંઈ એક રાતમાં બનતી ન હોય. તેમજ મોટી વાતો એક જ રાતમાં દૂર પણ થતી નથી હોતી. લાંબા સમયથી કરેલી તૈયારીથી તમે નુકસાની માટે સજ્જ થઈ શકો છો અને સફળતા મેળવવા માટે પણ સજ્જ બની શકો છો.
ગાંગુલીએ વધુમાં કહ્યું કે, તમારે તમારા અન્ય વિકલ્પો ખુલ્લા રાખવાના. જેમ કે પ્લાન-એ અને પ્લાન-બી. સમજદાર લોકો એવું જ કરે છે. એવી જ રીતે, સમજદાર બ્રાન્ડ્સ પણ કરે છે. સમજદાર કોર્પોરેટ કંપનીઓ પણ કરે. બીસીસીઆઈનાં મૂળ ખૂબ જ મજબૂત છે. વીતી ગયેલાં વર્ષોની રમત, ખેલાડીઓ અને વહીવટકારોએ આ રમતને એટલી બધી મજબૂત બનાવી છે કે બીસીસીઆઈ આવા તમામ આંચકાને સંભાળવા સક્ષમ છે.
મુંબઈઃ લોકલ ટ્રેનો એટલે મુંબઈની જીવાદોરી, પણ આ લાઈફલાઈનમાં પ્રવાસ કરતી વેળાએ મુંબઈવાસીઓને અવારનવાર જાતજાતના અનુભવો પણ થાય છે. ઘણી વાર ટ્રેનમાં ચીજવસ્તુ ભૂલી જવાનો કે ચોરાઈ જવાનો પ્રવાસીઓને અનુભવ થતો હોય છે. તો અનેક જણને પોતાનું પાકીટ ચોરાઈ ગયાનો અનુભવ થયો હશે. ચોરાઈ ગયેલી ચીજ કે પાકીટ પાછું મળી જાય એવું નસીબદાર લોકો સાથે અને ભાગ્યે જ બનતું હોય.
એક બનાવમાં, એક પ્રવાસીનું 14 વર્ષ પહેલાં લોકલ ટ્રેનમાં ચોરાઈ ગયેલું પાકીટ હવે પાછું મળ્યું છે.
પોલીસે 14 વર્ષ પછી મળેલું તે પાકીટ એના માલિકને સુપરત કરી દીધું છે.
એ પાકીટમાં 900 રૂપિયા હતા. રેલવે પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, 2006ની સાલમાં સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હેમંત પડળકર નામના પ્રવાસીનું પાકીટ ચોરાઈ ગયું હતું. એ પછી લગભગ 14 વર્ષ બાદ ગયા એપ્રિલ મહિનામાં જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલીસ)-વાશી વિભાગે પાકીટના માલિકને ફોન કરીને એનું પાકીટ મળ્યાની જાણ કરી હતી.
પરંતુ, કોરોના-લોકડાઉન લાગુ હોવાને કારણે પડળકર પાકીટ મેળવવા જઈ શક્યા નહોતા. લોકડાઉન હળવું કરાયા બાદ પનવેલમાં જ રહેતા પડળકર વાશી શહેર સ્થિત જીઆરપી ઓફિસે પહોંચ્યા હતા અને રૂપિયાસહિત એમનું પાકીટ એમને પાછું મળ્યું હતું.
હેમંત પડળકરે જ પત્રકારોને માહિતી આપતા કહ્યું કે પાકીટ ચોરાયું હતું ત્યારે એમાં 900 રૂપિયા હતા. એમાં નોટબંધી પૂર્વે ચલણમાં રહેલી 500 રૂપિયાની એક જૂની નોટ પણ હતી. વાશી જીઆરપી ઓફિસે મને 300 રૂપિયા પાછા આપ્યા છે. એમણે સ્ટેમ્પ પેપરના કામ માટે 100 રૂપિયા કાપી લીધા હતા. બાકીના 500 રૂપિયા જૂની નોટને નવી નોટમાં બદલી કરાયા બાદ મળી જશે.
જીઆરપીના એક અધિકારીએ કહ્યું કે હેમંત પડળકરનું પાકીટ ચોરનાર વ્યક્તિની કેટલાક વર્ષો પહેલા ધરપકડ કરવામાં આવી હતી.
પ્રીતિએ ગયા મહિને એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી જેમાં એ માથા પર વાળંદની હેટ પહેરીને એનાં પતિ જીન ગૂડઈનફનાં માથાના વાળ કાપતી હતી. હવે એણે પોતાની હેર ડ્રેસિંગ કળા બતાવતી એક વિડિયો ક્લિપ પોસ્ટ કરી છે.