મુંબઈઃ બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ ભારે રહસ્ય પેદા કર્યું છે. ઘટનાને પોણા બે મહિનાનો સમય વીતી ગયો છે તે છતાં મુંબઈ પોલીસ હજી એ નિર્ણય પર આવી શકી નથી કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યાની ઘટના છે કે એની હત્યા કરવામાં આવી હતી.
મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે આજે પત્રકારોને કહ્યું હતું કે ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ)માં સુશાંત એના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા બાદ એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધાવ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ આદરી હતી.
આ તપાસમાં મદદરૂપ થવા માટે મુંબઈ પોલીસે ફોરેન્સિક વિભાગના નિષ્ણાતો અને ડોક્ટરોની એક ટૂકડીની મદદ માગી છે. જોકે પોલીસ હજી અંતિમ નિર્ણય પર આવી શકી નથી.
પરમબીર સિંહે કહ્યું કે મુંબઈ પોલીસ કુદરતી મૃત્યુ તેમજ શંકાસ્પદ મૃત્યુ, એમ બંને દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસે સુશાંતના પરિવારજનોનાં નિવેદનો નોંધ્યા છે. સુશાંતના મૃત્યુમાં કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણી હોવાની એમણે કોઈ શંકા વ્યક્ત કરી નથી.
આ કેસમાં બિહારની પોલીસે પણ શરૂ કરેલી તપાસના સંદર્ભમાં કમિશનર સિંહે કહ્યું કે બિહાર પોલીસની કાયદેસરતાનો મુંબઈ પોલીસ અભ્યાસ કરી રહી છે અને આ સંદર્ભમાં કાનૂની સલાહ પણ મેળવી રહી છે. બિહાર પોલીસે પટનામાં એફઆઈઆર રજિસ્ટર કરાવ્યા બાદ આ કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરી દેવો જોઈએ. મુંબઈ પોલીસ સાચી દિશામાં જઈ રહી છે.
પોલીસ સુશાંતના નાણાકીય સોદાઓનો પણ અભ્યાસ કરી રહી છે. સુશાંતના એકાઉન્ટમાં 18 કરોડ રૂપિયા હતા. પોલીસ સોદાઓની વિગતો મેળવી રહી છે. પોલીસે આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં 56 જણના નિવેદનો નોંધ્યા છે.
પોલીસે 13 જૂન અને 14 જૂન, એમ બંને દિવસના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. સુશાંતના ઘરમાં એના મૃત્યુ પૂર્વેની સાંજે કોઈ પાર્ટી થઈ હોવાનો પોલીસને કોઈ પુરાવો મળ્યો નથી. સુશાંત ગૂગલ પર માનસિક બીમારીઓ અને પીડારહિત મૃત્યુ વિશે સર્ચ કરતો હોવાનું માલૂમ પડ્યું છે. એનું મૃત્યુ થયું એના અમુક કલાકો પહેલાં એણે ગૂગલ પર પોતાના નામને સર્ચ કર્યું હતું.
વિખ્યાત લોકગાયક-પાર્શ્વગાયક પ્રાણલાલ વ્યાસની યાદમાં યોજાયો ઓનલાઇન ડાયરો જાણીતાં ગાયકો માલદે આહીર અને લલિતા ઘોડાદરાએ ગીતો અને ભજનોની રંગત જમાવી
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના પાર્શ્વગાયક અને ડાયરાના પ્રણેતા ગાયક પ્રાણલાલ વ્યાસ ને સંગીતમય સ્મરણાંજલિ કાર્યક્રમ રવિવારે ‘મારી ભાષા ગુજરાતી’ ઓનલાઇન મંચ અંતર્ગત યોજાયો. લોકસંગીતના જાણીતા ગાયક માલદે આહીર અને લલિતા ઘોડાદરાએ પ્રાણલાલનાં ફિલ્મગીતો, લોકગીતો અને ભજનો રજુ કરીને ઓનલાઇન સંગીત સરવાણી વહાવી હતી. જાણીતા કલાસંસ્કૃતિ પ્રોત્સાહક, નાટ્યકાર, ફિલ્મકાર અભિલાષ ઘોડા અમદાવાદથી આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા. એમણે પ્રાણભાઈ સાથેનાં અનેક સંસ્મરણો વર્ણવતાં કહ્યું કે ગુજરાતી ચિત્રપટ અને લોકસંગીતમાં પ્રાણલાલ વ્યાસ એક અદ્વિતીય નામ છે. એવા મહાન ગાયકો હવે તો ભૂતકાળમાં જ રહી ગયા છે. તેઓ માત્ર એક મહાન ગાયક જ નહિ એક ઉમદા વ્યક્તિ હતા જે અત્યંત લોકપ્રિય હતા અને તો ય લોકપ્રિયતા અને ખ્યાતિ જેવા શબ્દો તેમને સ્પર્શી નહિ શક્યા હતા એવા અલગારી અને પૂર્ણ રીતે લોકસંગીતને સમર્પિત ગાયક હતા. અભિલાષ ઘોડા દ્વારા બનાવાયેલ પ્રાણલાલ વ્યાસની ડોક્યુમેન્ટરી ફિલ્મના કેટલાક અંશ જેમાં પ્રાણલાલની પોતાની વાત અને સાથી ગાયકો દિવાળીબેન ભીલ, પ્રફુલ દવે વગેરે તથા પૂ. મોરારીબાપુનાં સંસ્મરણો દર્શાવાયાં હતાં.
ટેક્સાસ અમેરિકાથી ગુજરાતી લોકસંગીત સંગ્રાહક અને સંરક્ષક કરસનભાઈ પરમારે જણાવ્યું કે આજે ટેક્નોલોજીના સમયમાં અસલ જૂનું લોકસંગીત ભુલાઈ રહ્યું છે અને ઘણું તો લુપ્ત થઈ ગયું છે એ આપણી કમનસીબી છે. મારા એક શોખ તરીકે લોકસંગીતના ખજાનાને ડિજિટલ રૂપાંતરણ કરી ઓનલાઇન ઉપલબ્ધ કરાવનારા પરમારે પ્રાણલાલના મુંબઈ અને ગુજરાતના ડાયરાઓની ભવ્યતાની ઝાંખી કરાવી હતી. ઈંગ્લેન્ડમાં લંડન ખાતે રહેતા અર્પણ ફટાણિયાએ જણાવ્યું કે પ્રાણલાલની ગાયકીથી આકર્ષાઈને વરસો અગાઉ ભારત આવી પ્રાણલાલ પાસે ભજન ગાવાનું શીખ્યા હતા. પ્રાણલાલના એક અદના શિષ્ય રૂપે પ્રાણલાલનાં ભજનો ઇંગ્લેન્ડની ધરતી પર સતત ગુંજતાં રાખનારા આ યુવાન ગાયકે કહ્યું કે પ્રાણલાલ ગુજરાતી લોકસંગીતનો એક એવો પ્રાણ છે જે આવનારાં અનંત વર્ષો સુધી અમર અને સદા યુવાન જ રહેશે.
રાજકોટથી લલિતા ઘોડાદરા અને ઉપલેટાથી માલદે આહીરે યુગલ સ્વરમાં અનેક ગીતો રજૂ કરી ઓનલાઇન ટેક્નોલોજી સાથે શ્રોતાઓને એક નવો જ રોમાંચક અનુભવ કરાવ્યો. તેમણે પ્રાણલાલનાં એક પછી એક શ્રેષ્ઠ ગીતો રજૂ કરી શ્રોતાઓને સાડા ત્રણ કલાક સુધી જકડી રાખ્યા હતા. ‘બાર બાર વર્ષે નવાણ ગળાવિયાં’, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’, ‘કીડી બિચારી કીડલી રે’, ‘ભાગું તો મારી ભોમકા લાજે’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા’ વગેરે ગીતોની રમઝટ બોલાવી પ્રાણલાલના ડાયરાની રંગત ભારતથી ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી ઓનલાઇન જીવંત કરી દીધી હતી. પ્રાણલાલ વ્યાસના પૌત્ર બાલગાયક કાવ્ય મેહુલ વ્યાસે દાદાજીનું એક ભજન પ્રાણલાલના અંદાજમાં ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
દિલ્હીથી આ કાર્યક્રમના આયોજક અને સંયોજક ભાગ્યેન્દ્ર પટેલે કયું કે આપણે જેને જૂનું સંગીત કહીએ છીએ વાસ્તવમાં તે સંગીત ક્યારેય જૂનું થતું જ નથી અને જયારે પણ સાંભળીએ તે નવી તાજગી જ આપે છે. ‘સૂરમણિ’ ખિતાબથી નવાજાયેલા અને અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલ લોકસંગીતના અનમોલ ઘરેણા સમાન પ્રાણલાલ જેવા ગાયકો યુગોમાં જ જન્મે છે. પ્રાણલાલ વ્યાસે સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી ૧ ઓગસ્ટ ૨૦૧૧ના દિને ચિરવિદાય લીધી હતી. વીસમી સદીનો ઉત્તરાર્ધ ગુજરાતી લોકસંગીતનો એક એવો યાદગાર યુગ હતો જયારે પ્રાણલાલ અને એમના જેવા કેટલાક ગાયકોના પ્રદાનથી ગુજરાતી સંગીત એક મહામૂલ્યવાન ખજાનો બની ગયેલ છે. એ સંગીતખજાનાને અવશેષ રૂપ રહી જાય તે પૂર્વે એના જતન અને સંવર્ધન કાજે એની ચાવી આપણે યોગ્ય સમયે હાથ અને હૈયામાં ધારણ લઈએ એ તાકીદનું જરૂરી છે.
૧૦૦ મિનિટ પ્રોગ્રામ અંતર્ગત રાજધાનીથી ઓનલાઇન યોજાતા સાપ્તાહિક કાર્યક્રમ ‘મારી ભાષા ગુજરાતી’નો આ આઠમો ઉપક્રમ હતો જેમાં દિલ્હીથી દશરથલાલ શાહ, વિરાટ શાહ, સાધના બકુલ વ્યાસ, મીતા સંઘવી અને વડોદરાથી બીના શેઠ તેમ જ લંડનથી કાંતિભાઈ તેમ જ નવનીત ત્રિવેદી વગેરે સહીત મોટી સંખ્યામાં શ્રોતાઓએ મહાન ગાયક પ્રાણલાલને તેમની નવમી પુણ્યતિથિએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રાણલાલ વ્યાસના પુત્ર જીગ્નેશ વ્યાસે એમના પિતાશ્રીની યાદમાં યોજાયેલ આ ભવ્ય અને અનોખા કાર્યક્રમ બદલ સર્વ વક્તાઓ, ગાયકો અને આયોજક તેમ જ મોટી સંખ્યામાં જોડાયેલ સર્વ શ્રોતાઓનો આભાર માન્યો હતો
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડિયુરપ્પા પોતે કોરોના વાઈરસ ચેપનો શિકાર બન્યા છે. હવે એવો અહેવાલ છે કે એમના એક પુત્રી તથા સ્ટાફના છ સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પિતા અને પુત્રી બંનેને એક જ, મણીપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
યેડિયુરપ્પા કોરોના વાઈરસ માટે પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યા બાદ એમને ગઈ કાલે રાતે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યેડિયુરપ્પાના નાના પુત્ર બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું છે કે પોતે સાવચેતી ખાતર સાત દિવસ માટે હોમ ક્વોરન્ટાઈનમાં રહેશે.
વિજયેન્દ્રએ ટ્વીટમાં જણાવ્યું છે કે આપ સૌની શુભેચ્છા અને પ્રાર્થના બદલ આભાર. મારા પિતાની તબિયત સારી છે. એ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી.
વિજયેન્દ્રને કર્ણાટક ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મણીપાલ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાનની તબિયત સારી છે અને સ્થિર છે. અમારા ડોક્ટરોની ટીમ એમની દેખરેખ રાખી રહી છે.
યેડિયુરપ્પા સાથે છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન જે લોકો સંપર્કમાં આવ્યા હશે એ તમામને સત્તાવાળાઓ શોધી રહ્યા છે અને એમને ક્વોરન્ટાઈન થવાનું જણાવી રહ્યા છે.
બેંગલુરુમાં અત્યાર સુધીમાં કોરોનાના 59,501 કેસ થયા છે અને 1,077 જણના આ બીમારીથી મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,972 નવા કેસ સામે આવ્યા છે અને 771 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 18,03,695 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 38,135 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 11,86,203 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,79,357એ પહોંચી છે. રિકવરી રેટ 65.76 ટકાએ પહોંચ્યો છે.
દેશમાં મૃત્યદર ઘટીને 2.13 ટકા થયો
દેશમાં સ્વસ્થ થનારા લોકોનો દર 65.76 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં મૃત્યુદર ઘટીને 2.13 ટકા થયો છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી બે કરોડ ટેસ્ટ થયા
દેશમા બીજી ઓગસ્ટ સુધી કોવિડ-19નાં ટેસ્ટિંગ બે કરોડથી વધુ કરવામાં આવ્યા હતાં.
વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 1.80 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 6.87 લાખથી વધુનાં લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અયોધ્યાઃ ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આના ભાગરૂપે પાંચ ઓગસ્ટે અયોધ્યામાં ભૂમિપૂજન થવાનું છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. ત્યાં જ અયોધ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભારતીય રેલવેએ અયોધ્યા રેલવે સ્ટેશનનો સંપૂર્ણ કાયાકલ્પની યોજના તૈયાર કરી છે, જેના પર કામ શરૂ થવાનું છે.
અયોધ્યા નગરીનું રેલવે સ્ટેશન પણ એક વિશેષ સ્થાન
મર્યાદા પુરુષોત્તમ રામની પાવન જન્મભૂમિ અયોધ્યા નગરી યુગોથી સંપૂર્ણ વિશ્વ માટે ભક્તિ અને આસ્થાની કેન્દ્રબિંદુ રહી છે. જેથી આ પાવન ભૂમિ પર વિશ્વના લાખો ભક્તોનું અયોધ્યામાં આવગામન થાય છે. આ મહત્તાને કારણે અયોધ્યા નગરીનું રેલવે સ્ટેશન પણ એક વિશેષ સ્થાન રહેલું છે.
મેકઓવર કેવું હશે અયોધ્યા સ્ટેશનનું?
અયોધ્યા સ્ટેશનનું નવીનતમ અને આધુનિક યાત્રી સુવિધાઓથી સુસજ્જ ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. આ ભવન માટે નાણાકીય વર્ષ 2017-18માં 80 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી, જેને હાલમાં વધારીને 104.77 કરોડ કરવામાં આવી છે. આ સ્ટેશન ભવનના નિર્માણ રેલવેના RITES ઉપક્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ભવનનું નિર્માણ બે તબક્કામાં
આ ભવનનું નિર્માણ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મની સંખ્યા એક-બે-ત્રણનું વિકાસ કાર્ય કરવામાં આવશે. બીજા તબક્કામાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓનું નિર્માણ કાર્ય, આ સુવિધાઓ અંતર્ગત સ્ટેશનના આંતરિક અને બાહ્ય પરિસરનું નવીનીકરણ કરતાં સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓમાં ટિકિટ કાઉન્ટની સંખ્યાનો વિસ્તાર, ત્રણ AC વિશ્રામાલય, 17 બેડવાળી પુરષ ડોરમેટ્રી સહિત 10 બેડવાળી મહિલા ડોરમેટ્રીની સુવિધા, વધારાના ફૂટઓવર બ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો, વધારાના શૌચાલય સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં નિરંતર પ્રગતિ કાર્ય જારી છે.
આના ઉપરાંત સ્ટેસન પર પર્યટક કેન્દ્ર, ટેક્સી બૂથ, શિશુ વિહાર, VIP લાઉન્જ અને વિશિષ્ટ અતિથિ ગૃહ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિકાસ કાર્ય પ્રગતિ પર છે. આ વિકાસ કાર્યોની સમયાંતરે તપાસ કરતાં સમીક્ષા કરવામાં આવે છે અને યથા સમયે ઉચ્ચ ગુણવત્તાની સાથે કાર્યને પૂરા કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે.
ઉત્તર અને ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ આ બાબતે કહ્યું હતું કે ભગવાન રામની ચરણરજથી સુશોભિત અયોધ્યા નગરીનું મહત્ત્વને ધ્યાનમાં રાખતાં અયોધ્યા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ કરતાં એક નવો કાયાકલ્પ કરવાની દિશામાં નિરંતર પ્રયાસ ચાલી રહ્યા છે. જેથી આગામી સમયમાં સંપૂર્ણ વિશ્વને આકર્ષિક કરવા માટે આ સ્ટેશન પર આવાગમન કરવાવાળા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ઉચ્ચ માપદંડોથી સજ્જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.
મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.