રાશિ ભવિષ્ય 20/07/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
Chitralekha Marathi – July 27, 2020
બોયકોટની કમેન્ટથી જ્યારે પટૌડી ગુસ્સે થઈ ગયા હતાઃ સૈફ અલી ખાન
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાને જાણકારી આપી છે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ બોયકોટે કરેલી કમેન્ટ્સને કારણે એના પિતા – દંતકથા સમાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી ગુસ્સે ભરાઈ ગયા હતા.
સૈફ અલી ખાને સ્પોર્ટ્સકીડા ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘જ્યોફ બોયકોટ ઉપર આમ તો મને બહુ માન છે, પણ એક વાર એણે મને ખરેખર ગુસ્સે કરી દીધો હતો. એમણે મને કહ્યું હતું: ‘મેં તારા પિતા વિશે સાંભળ્યું છે, એક આંખ સાથે ટેસ્ટ ક્રિકેટ રમવું શક્ય જ ન બને.’ મેં એમને પૂછ્યું હતું કે, તો શું તમે માનો છો કે મારા પિતા જૂઠ્ઠું બોલે છે? તો એના જવાબમાં બોયકોટે કહ્યું, હા, મને લાગે છે કે એમણે બધું ઉપજાવી કાઢ્યું છે.’
‘મેં આ વાત મારા પિતાને કરી હતી તો એ ખરેખર બહુ જ ગુસ્સે થઈ ગયા હતા. એમણે કહ્યું હતું, હું બે આંખે ખતરનાક સારું રમતો હતો અને એક આંખથી માત્ર સારું રમતો હતો. મારા પિતાને મેં જિંદગીમાં તે માત્ર એક જ વાર ઉદ્ધત રીતે બોલતા સાંભળ્યા હતા,’ એમ સૈફ અલીએ કહ્યું.
નવાબ ઓફ પટૌડી – સ્વ. મન્સૂર અલી ખાન ભારતના મહાન કેપ્ટન તરીકે ઓળખાય છે. એમણે 21 વર્ષની ઉંમરે સુકાનીપદ સંભાળ્યું હતું. એના માત્ર બે જ મહિના પહેલાં એક કાર અકસ્માતમાં તેઓ એમની જમણી આંખની રોશની કાયમને માટે ગુમાવી બેઠા હતા. પટૌડી ભારત વતી 46 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાંની 40માં એમણે સુકાન સંભાળ્યું હતું. એમના સુકાન હેઠળ ભારતે 9 ટેસ્ટ મેચ જીતી હતી.
સૈફે સ્પોર્ટ્સકીડા કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘જો મારા પિતાએ ઈચ્છ્યું હોત તો તેઓ ક્રિકેટ પ્રવાસમાં જોડાયા ન હોત. એમણે સીધું કહી દીધું હોત કે હું પ્રવાસમાં જોડાઈ શકું એમ નથી. ઊલટાનું, એમણે કહ્યું હતું કે જિંદગી એક રમત જ છે. બાદમાં, 60ના દાયકામાં એમનો ક્રિકેટમાંથી રસ એટલા માટે ઉતરી ગયો હતો કે એમને લાગ્યું હતું કે પોતે ઘણું બધું ક્રિકેટ રમી લીધું છે.’
ભારતમાં કોરોનાવાઈરસનો મૃત્યુદર 2.5 ટકા; વિશ્વમાં સૌથી ઓછો
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ભારતનો કોરોનાવાઈરસ (કોવિડ-19)થી થયેલા મરણનો મૃત્યુદર હાલ 2.5 ટકા છે અને તે વિશ્વમાં સૌથી ઓછો છે.
સરકારે દાવો કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોના સહિયારા પ્રયાસોને કારણે કોરોના મૃત્યુદર આટલો નીચો રહી શક્યો છે. તમામ સરકારો અને વહીવટીતંત્રોએ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેસોને કુશળતાપૂર્વક સંભાળ્યા છે એટલે જ દેશમાં આ રોગચાળાથી થયેલા મરણનો આંક નીચો રહી શક્યો છે.
આરોગ્ય મંત્રાલયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે રોગને કાબૂમાં રાખવા માટેની અસરકારક વ્યૂહરચના, આક્રમક ટેસ્ટિંગ પ્રક્રિયા તથા દર્દીની સંપૂર્ણ કાળજી લેવાના અભિગમના આધારે હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ મેનેજમેન્ટ નિયમોને કારણે જીવહાનિનો દર નોંધપાત્ર રીતે નીચો રહ્યો છે.
કેસ ફેટાલિટી રેટ સતત નીચે જતો જોવા મળ્યો છે. હાલ એ 2.49 ટકા છે, અને વિશ્વમાં આ દર સૌથી નીચો છે.
આરોગ્ય મંત્રાલયે એ વાતની નોંધ લીધી છે કે ઘણા રાજ્યોએ વૃદ્ધજનો, ગર્ભવતી સ્ત્રીઓ તથા એક કરતાં વધારે બીમારીઓમાં સપડાયેલા હોય એવા લોકોને શોધી કાઢવા તથા સર્વેક્ષણ હાથ ધરીને મૃત્યુદરને નીચો રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે.
પ્રશાસનોએ મોબાઈલ એપ્સ જેવા ટેક્નિકલ સોલ્યૂશન્સની મદદ સાથે એવી વસ્તીઓ પર સતત દેખરેખ રાખી હતી જ્યાં આ મહામારીનું જોખમ સૌથી વધારે હતું. એવા વિસ્તારોને ત્વરિત ઓળખી કાઢી, સમયસર તબીબી સારવાર પૂરી પાડીને મૃત્યુદરને ઓછો રાખી શકાયો છે.
અમેરિકા, બ્રાઝિલ, રશિયા, પેરુ, ચિલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બ્રિટન, ઈરાન, પાકિસ્તાન, સ્પેન જેવા દેશોમાં ભારત કરતાં આઠ ગણા વધારે કોરોના કેસો નોંધાયા છે અને મરણાંક ભારત કરતાં 14 ગણો વધારે છે.
રવિવાર સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસોની સંખ્યામાં 38,902 નવા કેસનો રેકોર્ડ ઉછાળ નોંધાયો હતો. આ રોગના કુલ કેસોની સંખ્યા 10,77,618 પર પહોંચી છે. તો 6,77,422 જણ સાજા પણ થઈ ગયા છે. ભારતમાં આ રોગચાળાથી થયેલા મરણનો આંક 26,816 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 543 મરણ નોંધાયા હતા. તો 23,672 દર્દીઓ સાજા થઈ ગયા હતા.
રિયા ચક્રવર્તિને હત્યાની ધમકીઃ મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી
મુંબઈઃ દિવંગત બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને મોડેલ-અભિનેત્રી રિયા ચક્રવર્તિને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર સામે મુંબઈના સાંતાક્રૂઝ ઉપનગરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે.
સુશાંત સિંહે ગઈ 14 જૂને કથિતપણે આત્મહત્યા કર્યા બાદ રિયા સોશિયલ મિડિયાથી દૂર રહી હતી.
તે છતાં સુશાંતના મૃત્યુના એક મહિના બાદ એણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પહેલી પોસ્ટ મૂકી હતી, જેમાં એણે સુશાંત સાથે એની સારી યાદ પ્રસ્તુત કરી હતી.
એ પછી બીજી પોસ્ટમાં એણે પોતાને ઈન્સ્ટાગ્રામ પર મળેલા ધમકીભર્યા સંદેશાઓ શેર કર્યા હતા.
આ બાબતમાં મદદ કરવાની રિયાએ મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગને વિનંતી કર્યા બાદ પોલીસના માર્ગદર્શન મુજબ એણે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં બે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના આધારે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
રિયાએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની 507, 509 અને 66 કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.
રિયા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનની નજીકમાં જ રહે છે.
ગઈ કાલે એ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને પોતાની પર બળાત્કાર કરીને મારી નાખવાની ધમકી આપનાર બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
@mannu_raaut નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકે રિયાને ધમકી આપી હતી કે જો તું આત્મહત્યા નહીં કરે તો તારી પર બળાત્કાર કરવામાં આવશે અને તને મારી નાખવામાં આવશે.
રિયાએ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવા સાથે મુંબઈના સાઈબર ક્રાઈમ વિભાગને વિનંતી કરી હતી કે તે આની સામે જરૂરી પગલું ભરે. બહુ થયું હવે.
સુશાંત સિંહ ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના કાર્ટર રોડ પર આવેલા તેના ડુપ્લેક્સ નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી હતી.
સુશાંતના મોતના સંબંધમાં બાન્દ્રા પોલીસે રિયાની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછનો એ દોર નવ કલાક સુધી ચાલ્યો હતો.
રિયાએ ગઈ 14 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ સોશિયલ મિડિયા મારફત અપીલ કરી હતી કે સુશાંતના મોતના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે.
પ્રભાસ-દીપિકાની જોડી પહેલી જ વાર ચમકશે રૂપેરી પડદા પર
મુંબઈઃ ભારતીય ફિલ્મ જગતના વર્તમાન બે સુપરસ્ટાર્સનું મિલન થઈ રહ્યું છે. દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ અને હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ પહેલી જ વાર ફિલ્મમાં સાથે ચમકવાના છે.
રૂપેરી પડદા પર બંનેની જોડી પહેલી જ વાર જોવા મળશે. નવી ફિલ્મ તેલુગુ હશે અને એને હિન્દી અને તામિલ ભાષામાં પણ ડબ કરવામાં આવશે.
પ્રભાસ અને દીપિકા અભિનીત ફિલ્મ સાયન્સ-ફિક્સન હશે. આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રભાસની એ 21મી ફિલ્મ હશે. તેમજ એ મોટા બજેટવાળી હશે.
આ જાહેરાત વૈજયંતિ મૂવીઝ દ્વારા આજે કરવામાં આવી છે. નવી ફિલ્મનું દિગ્દર્શન નાગ અશ્વિન સંભાળશે, જેમણે રાષ્ટ્રીય એવોર્ડવિજેતા ફિલ્મ ‘મહાનટી’ બનાવી છે.
નાગ અશ્વિને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘હું નવી ફિલ્મમાં દીપિકાને એ પાત્ર ભજવતી જોવા માટે બહુ ઉત્સાહિત છું. આ કંઈક એવું છે જે આ પહેલાં કોઈ મુખ્યધારાની અભિનેત્રીએ કર્યું નથી. આ સૌને માટે એક સરપ્રાઈઝ હશે. ફિલ્મમાં દીપિકા અને પ્રભાસની જોડી મુખ્ય ભૂમિકામાં હશે. મારું માનવું છે કે ફિલ્મની વાર્તા લાંબા સમય સુધી દર્શકોને યાદ રહી જશે.’
ફિલ્મના સહ-નિર્માતાઓ છે – સ્વપ્ના દત્ત અને પ્રિયંકા દત્ત.
બીજી બાજુ, વૈજયંતિ મૂવીઝે ટ્વિટર પર ઈન્ટ્રો વિડિયો દ્વારા પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. એમાં તેણે દીપિકાને વેલકમ કરી છે અને લખ્યું છે કે, ‘વીતી ગયેલા વર્ષોમાં અમને ઘણી અસાધારણ મહિલાઓ (શ્રીદેવી, જયાપ્રદા તથા બીજી અનેક મોટી હિરોઈનનાં નામ આવે છે)ની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. હવે અમે અમારી 50 વર્ષની સફરમાં વેલકમ કરીએ છીએ દીપિકા પદુકોણને – પ્રભાસની સાથે.’
નિર્માતા અને વૈજયંતિ મૂવીઝનાં સ્થાપક અશ્વનિ દત્તે કહ્યું છે કે આ ફિલ્મ અમારે માટે ભારતીય સિનેમાના ઈતિહાસમાં પોતાનું સ્થાન જમાવવાની સુવર્ણ તક સમાન છે. આ એવી ફિલ્મ હશે જેને દર્શકોએ અગાઉ ક્યારેય જોઈ નહીં હોય. આમાં અત્યંત ટેલેન્ટેડ કલાકારો સાથે જોવા મળશે.
વૈજયંતિ મૂવીઝના આ ટ્વીટના જવાબમાં દીપિકાએ પણ ટ્વીટ કર્યું અને લખ્યું છે કે, ‘અત્યંત રોમાંચક!… આ આશ્ચર્યજનક સફર શરૂ કરવા માટે હું હવે વધારે રાહ જોઈ શકું એમ નથી.’
Beyond Thrilled!Cannot wait for what we believe is going to be an incredible journey ahead…❤️❤️❤️#DeepikaPrabhas@nagashwin7 @VyjayanthiFilms #Prabhas https://t.co/ckUu3vjadu
— Deepika Padukone (@deepikapadukone) July 19, 2020
‘બાહુબલી’ ફિલ્મની જબ્બર સફળતા બાદ પ્રભાસે હવે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. જોકે એની ‘સાહો’ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. એમાં તેની હિરોઈન શ્રદ્ધા કપૂર હતી. હાલ પ્રભાસની એક હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલુ છે ‘રાધે શ્યામ’, જેમાં એની હિરોઈન પૂજા હેગડે છે.
દીપિકા છેલ્લે ‘છપ્પાક’ ફિલ્મમાં જોવા મળી હતી.
ચાઈનીઝ એપ્સ દૂર કરાયા બાદ 200 નવી ભારતીય એપ્સ બનાવાઈ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતનું મોબાઈલ એપ્સ અર્થતંત્ર ગજબ રીતે વૃદ્ધિ પામી રહ્યું છે. આ ક્ષેત્રમાં ભારતનું લક્ષ્ય ચીનને પાછળ રાખી દેવાનું છે અને વિશ્વમાં નંબર-1 મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું છે.
પ્રસાદે ‘આત્મબોધ’ નામની બિનસરકારી સંસ્થાએ યોજેલા એક વેબિનારમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારત સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટાની ગુપ્તતા જાળવવાના કારણોસર 59 મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ભારતીય એપ્સ બનાવવા કહ્યું હતું અને મને એ જણાવતા આનંદ થાય છે કે આપણે 200 નવી એપ્લિકેશન્સ બનાવી છે.’
પ્રસાદે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર વિશે કહ્યું કે, ‘2014માં, ભારતમાં માત્ર બે યુનિટ હતા, આજે 260 યુનિટ છે. આજે વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક બની ગયું છે જે અગાઉ પાંચમા નંબરે હતું. મારી મહત્ત્વાકાંક્ષા આ ક્ષેત્રમાં ચીનને પાછળ રાખી દઈને ભારતને નંબર-1 મોબાઈલ ઉત્પાદક (હબ) બનાવવાની છે.’





















