Home Blog Page 4736

કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખની નજીક, UPમાં ત્રણ દિવસ લોકડાઉન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,93,802 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 21,604 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,95,512 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,76,685એ પહોંચી છે. રિકવરી રેટ 62 ટકાથી વધુ થયો છે.

ઉત્તર પ્રદેશમાં લોકડાઉન

દેશમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંકટને લીધે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંપૂર્ણ રાજ્યમાં ફરી એક વાર લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં 10 જુલાઈ એટલે કે આજ રાત 10 કલાકથી 13 જુલાઈ સુધી સવારના પાંચ કલાક સુધી ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. જોકે લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓની મંજૂરી રહેશે. યુપીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 32,000ને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 862 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોટનનો માસ્ક સૌથી વધુ સુરક્ષિત

સારા કોટન કપડાથી બનેલો ઘરેલુ માસ્ક કોરોના વાઇરસના ફેલાવાને રોકવામાં સૌથી વધુ સુરક્ષિત સાબિત થઈ શકે છે. અમેરિકાની ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેટલાય પ્રકારનાં કપડાં અને માસ્કનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે કોટનના કપડાના ઘરેલુ માસ્ક પહેરવાથી સંક્રમણથી બચી શકાય છે.

 

વિશ્વમાં કોરોનાના કેસમાં પણ વધારો

કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં 1.23 કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી વિશ્વમાં કોરોનાથી 5,57,395 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

યૂપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસ દુબેનો ખાત્મો

કાનપુરઃ ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું હતું કે કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વિકાસને ઉજ્જૈનથી રસ્તા માર્ગે કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ગાડી પલટી ગઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેએ પોલીસની બંદૂક છીનવીને ભાગવાની કોશિશ કરી હતી, જે પછી પોલીસને ગોળી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે. આ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.

કાનપુર રેન્જના IG મોહિત અગ્રવાલએ વિકાસ દુબે માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે.

 

કેવી રીતે થયું એન્કાઉન્ટર

પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસ દુબેને લઈને રવાના થયેલી ગાડીઓમાં સૌથી આગળ ચાલી રહેલી ગાડીએ ગુના પાસેના ટોલ પ્લાઝાના સ્ટોપર પાસે ટક્કર મારી હતી. આ ટક્કર લાગ્યા પછી વિકાસ દુબેને લઈ જતા કાફલામાં ચાલી રહેલી અન્ય ગાડીઓએ બ્રેક મારી હતી, પણ આ ગાડીઓ અસંતુલિત થઈ હતી. વિકાસ દુબે બીજા નંબરની ગાડીમાં બે લોકોની વચ્ચે સીટ પર બેઠો હતો. તેની ગાડી ઊંધી વળતાં વિકાસે ભાગવાના પ્રયાસ કર્યા હતા. તેણે પોલીસ કર્મચારીની પિસ્તોલ કાઢી લીધી હતી અને ત્યાંથી તેણે ભાગવાના પ્રયાસ કર્યા હતા. એ દરમ્યાન પોલીસે એને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

 

 

Chitralekha Gujarati – July 20, 2020

E-Magazine – Desktop Version PDF Version

રાશિ ભવિષ્ય 10/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

પંચાંગ: 10/07/2020

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડની જેમ પોલીસજવાને ભારતીયનું ગળું દબાવ્યું

ન્યૂયોર્કઃ અમેરિકામાં ફરી એક વાર પોલીસની બર્બરતા સામે આવી છે. આ બર્બરતા આશરે એક મહિના પહેલાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડ સાથે બનેલી ઘટનાની યાદ અપાવે છે. ન્યૂયોર્કમાં બનેલી નવી ઘટનામાં એક કથિત પોલીસ જવાને એના ઘૂંટણથી ભારતીય મૂળની વ્યક્તિનું ગળું દબાવતા અને એનો વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાતાં અમેરિકામાં દેખાવો થયા છે. આ ઘટનાનો વિડિયો જોયા પછી પોલીસની બર્બરતા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્કેનેક્ટેડી શહેરમાં યુગેશ્વર ગૈંદરપરસૌદ નામના ભારતીયની ધરપકડ દરમ્યાન તેને જમીન પર પછાડીને એના ગળાના ભાગને ઘૂંટણથી દબાવતા પોલીસ જવાનના વિડિયોએ ગઈ 25 મેના મિનીપોલિસ શહેરમાં થયેલી ઘટનાની યાદને તાજી કરી દીધી છે. જોકે આ ઘટનામાં યુગેશ્વરને ધરપકડ પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેથી તે બચી ગયો છે. જ્યારે મિનીપોલીસની ઘટનામાં અશ્વેત નાગરિક ફ્લોઈડનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. એને પગલે આખા અમેરિકામાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા હતા.

આશરે 100 જણ સાથે યુગેશ્વરે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો

બાદમાં યુગેશ્વરે સ્કેનેક્ટેડી પોલીસ મુખ્યાલયની બહાર આશરે 100 જણની સાથે મળીને દેખાવો કર્યા હતા. મિડિયા અહેવાલો મુજબ આ વિરોધ દરમ્યાન પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય પોલ ટોનકોએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્કેનક્ટેડીના એક પોલીસ અધિકારીનું આ હિંસક કૃત્ય જોઈને હું ગુસ્સામાં છું અને હતપ્રભ છું.

આ મામલે તપાસના આદેશ

શહેરના પોલીસપ્રમુખ એરિક ક્લિફોર્ડે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે એવી ફરિયાદો મળી હતી કે યુગેશ્વરે એક કારના ટાયરને કાપી નાખ્યું હતું અને જ્યારે પોલીસે તેની ધરપકડ કરવાની કોશિશ કરી ત્યારે તેણે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેના ગળાને પકડવાને પ્રયાસ માત્ર તેને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તે ગાડી સુધી ચાલીને જવામાં સક્ષમ હતો. બીજી બાજુ યુગેશ્વરે જણાવ્યું હતું કે જ્યારે તેને ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તે બેહોશ હતો. ત્યાર બાદ તે હોસ્પિટલમાં જઈને ભાનમાં આવ્યો હતો. ક્લિફોર્ડે કહ્યું હતું કે  આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, પોલીસ જવાને જ્યારે યુગેશ્વરને જમીન પર પછાડ્યો હતો અને એની ગરદન પર પોતાનું ઘૂંટણ દબાવ્યું હતું ત્યારે યુગેશ્વરના પિતા જઈન્દ્ર ગૈંદરપરસૌદ ત્યાં હાજર હતા અને એમણે પોતાના મોબાઈલ ફોન દ્વારા એ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો અને પછી 22-સેકંડની એ ક્લિપને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી.

BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ; રૂ. 3015 કરોડના ટર્નઓવરનો વિક્રમ

મુંબઈઃ BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક દિવસના રૂ.3015 કરોડના ટર્નઓવરનો વિક્રમ સર્જાયો છે. આ સેગમેન્ટમાં ગોલ્ડ મિની અને સિલ્વર કિલોના 1 જૂન, 2020થી ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કરવામાં આવ્યા એ પછી રોકાણકારોની સામલગીરી વધી રહી છે. ગોલ્ડ મિની અને સિલ્વર કોન્ટ્રેક્ટમાં મંગળવારે રૂ.2998 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું.

ટર્નઓવરની દૃષ્ટિએ BSE દેશનું બીજા ક્રમાંકનું સૌથી મોટું એઅક્સચેન્જ બન્યું છે.

આવા લોકડાઉનના સમયમાં પણ સ્પોટ પ્રાઈસ આધારિત ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેની ડિલિવરીઓ પાર પાડવાની સિદ્ધિ એક્સચેન્જે પ્રાપ્ત કરી છે.

બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે અમે ઓપ્શન્સ ઈન ગુડ્સ કેટેગરીના કોન્ટ્રેક્ટ્સમાં કામકાજ વધવાની અપેક્ષા રાખી રહ્યા છીએ, કારણ કે બીએસઈ શ્રેષ્ઠ ટેકનોલોજી સાથેની જે ટ્રેડિંગ સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે તે નાના-મોટા સૌ બુલિયન વેપારીઓ માટે લાભકારક છે.

સાંડેસરા કેસમાં એહમદ પટેલની EDએ ચોથી વખત પૂછપરછ કરી

નવી દિલ્હી/અમદાવાદઃ સાંડેસરા બંધુને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં એહમદ પટેલની ફરી એક વખત પૂછપરછ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા પટેલની આ ચોથી વખત પૂછપરછ કરવામાં આવી છે. આ પહેલા પણ ઈડીના અધિકારીઓએ પટેલના દિલ્હીસ્થિત નિવાસસ્થાને જઈને એમની પૂછપરછ કરી હતી.

વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેંક કૌભાંડ મામલે કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી એજન્સીના અધિકારીઓએ કોંગ્રેસના વરિષ્ઠ અને વગદાર નેતા એહમદ પટેલની દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતે આવેલા એમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. એજન્સીના ત્રણ અધિકારીઓ આજે સવારે 11 વાગ્યે પટેલના નિવાસે પહોંચ્યા હતા.

અગાઉ 2 જુલાઈના રોજ પટેલની 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં ઈડીએ તેમને 128 પ્રશ્નો પૂછ્યા હતા. પટેલનું કહેવું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટને કારણે મને અને મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેની મને ખબર નથી.’

અગાઉ 27 અને 30 જૂનના પણ ઈડીએ એહમદ પટેલના ઘેર જઈ એમની પૂછપરછ કરી હતી. ત્રણ વખતની તપાસમાં કુલ 27 કલાક સુધી એમની પર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ઈડી તપાસમાં પટેલને સાંડેસરા બંધુઓ સાથે તેમના કથિત સંબંધો તેમજ તેમના પરિવાર સાથે નાણાકીય વહીવટને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ગત વર્ષે ઈડીએ પટેલના પુત્ર ફૈઝલ તેમજ જમાઈ ઈરફાન એહમદ સિદ્દીકીની પણ આ કેસમાં પૂછપરછ કરી એમના નિવેદનો રેકોર્ડ કર્યા હતા.

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એહમદ પટેલના જમાઈ સિદ્દીકી જે ઘર ધરાવે છે તે કથિત રીતે ચેતન સાંડેસરાનું હોવાનું મનાય છે.

પોલીસકર્મીઓની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેન્ગસ્ટર વિકાસ દુબેની ‘ક્રાઈમ કુંડળી’

કાનપુરઃ આઠ પોલીસ કર્મચારીઓની કાનપુર શહેરમાં કરવામાં આવેલી હત્યાના સૂત્રધાર ગેન્ગસ્ટર વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મંદિરમાંથી આજે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. વિકાસની ધરપકડ થયા પછી તેના અપરાધો-ક્રાઇમ કુંડળી વિશે લોકોમાં ચર્ચા ચાલી રહી છે, જે બહુ ભયાનક છે. આવો જાણીએ તે વિશે…રાજ્યપ્રધાન સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી

કુખ્યાત અપરાધી વિકાસ દુબે વિકાસ પંડિત નામે પણ ઓળખાતો હતો. તે યુપીમાં કાનપુરના જિલ્લાના બિકરુ ગામનો રહેવાસી છે. કેટલાક દિવસો પહેલાં તેણે તેના ઘરને કિલ્લામાં ફેરવી નાખ્યું હતું. જેને હવે મોટા ભાગે તોડી પાડવામાં આવ્યું છે. કુખ્યાત હિસ્ટ્રિશીટર વિકાસ દુબે વર્ષ 2001માં રાજ્યપ્રધાન સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી પણ છે. સંતોષ શુક્લા વર્ષ 2001માં રાજનાથ સિંહ સરકારમાં પ્રધાન હતા. એવું કહેવાય છે કે વિકાસ દુબેએ ત્યારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને સંતોષ શુક્લાની હત્યા કરી હતી.

ઇન્ટર કોલેજના એસિસ્ટન્ટ મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ

વર્ષ 2000માં કાનપુરના શિવલી ક્ષેત્રમાં સ્થિત તારાચંદ ઇન્ટર કોલેજના એસિસ્ટન્ટ મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ સંડોવાયેલું છે. કાનપુરના શિવલી ક્ષેત્રમાં જ વર્ષ 2000માં રામબાબુ યાદવની હત્યા કેસમાં વિકાસ દુબે પર જેલની અંદર રહીને કાવતરું રચવાનો આરોપ છે. તે ઉપરાંત વર્ષ 2004માં કેબલ વેપારી દિનેશ દુબેના હત્યા કેસમાં પણ વિકાસ આરોપી છે.

હવે વિકાસ દુબેએ પોતાના સાથીઓની સાથે મળીને પોતાના ગામમાં જ એક પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ગઈ બીજી જુલાઈએ પોલીસ ટીમ પરના હુમલામાં એક DSP સહિત આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા હતા. એ ઘટના પછી વિકાસ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સાતમા દિવસે એટલે કે આજે ઉજ્જૈનથી તેની ધરપકડ કરવામાં આવી હતી. દુબેની સામે 60 કેસ નોંધાયેલા છે. આ ક્રાઇમ કુંડળીથી તમે અંદાજ માંડી શકો છો કે વિકાસ દુબે કેટલો ખૂનખાર અપરાધી છે.

મુંબઈના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાયા હાસ્યકલાકાર જગદીપ…

8 જુલાઈની રાતે મુંબઈમાં અવસાન પામેલા હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જગદીપ ઉર્ફે સૈયદ ઈશ્તિયાક એહમદ જાફરીની 9 જુલાઈ, ગુરુવારે મઝગાંવ વિસ્તારના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. તેઓ 81 વર્ષના હતા. એમણે તેમની કારકિર્દીમાં 400થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જગદીપની અંતિમ વિધિ વખતે એમના બે પુત્રો – જાવેદ અને નાવેદ, જાવેદનો પુત્ર મીઝાન તથા અન્ય નિકટના પરિવારજનો ઉપસ્થિત હતા.

જગદીપને પોતાના ગુરુ માનનાર અને એમની સાથે જ પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અન્ય જાણીતા કોમેડિયન જોની લીવર પણ શ્રદ્ધાંજલિ રૂપે દફનવિધિ વખતે હાજર રહ્યા હતા.