Home Blog Page 4740

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિમાં થવાની શક્યતા

અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે, પણ હવે રાહ જોવાય છે શુભ તારીખ અને શુભ મુહૂર્તની, જેથી ભૂમિ પૂજન થયા પછી નિર્માણ કાર્ય ઝડપથી થઈ શકે. હવે નિર્માણ કાર્યના શ્રીગણેશનું એક ઓર મુહૂર્ત નીકળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સૂત્રોએ સંકેત આપ્યા છે કે આસો શુક્લ પક્ષની દસમી અથવા વિજયા દશમીની આસપાસ ભવ્ય સમારોહની વચ્ચે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવે એવી શક્યતા છે. આમ રામ મંદિર બનાવવવાનો પ્રારંભ ઓક્ટોબરમાં શરૂ થશે.

12 મુહૂર્ત અત્યાર સુધી ટાળવામાં આવ્યા

આમ તો ચાતુર્માસને કારણે આસો માસની અમાસ સુધી શુભ કાર્યો કરવાનું કોઈ મુહુર્ત નથી. આવામાં સૌથી સારું મુહુર્ત નવરાત્રિનું જ છે. આમ તો શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનને લઈને કેટલીય વાર તારીખ બદલાઈ ચૂકી છે. આવામાં 12 મુહૂર્ત અત્યાર સુધી ટાળવામાં આવ્યા છે.

ન્યાસનાં સૂત્રોના જણાવ્યા મુજબ આશરે 78 એકરની જમીનમાં બાકી અન્ય ઇમારતો અને અન્ય બાંધકામનું કામ ચાલુ છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સંકેત આપ્યા છે કે દેશભરમાં કોરોનાની સ્થિતિ પર કાબૂમાં આવશે અને બધી સાનુકૂળતા હશે તો દુર્ગા પૂજા દરમ્યાન ભૂમિપૂજન કરવામાં આવે એવી સંભાવના છે.

વડા પ્રધાનને શિલાન્યાસ કરવા માટે અયોધ્યા આવવાનું નિમંત્રણ

હાલમાં જ 26 જૂને વિશ્વ હિન્દુ પરિષદની બેઠક અયોધ્યામાં થઈ હતી, જેમાં આ મુદ્દે ઘણો વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સંતોએ પણ એક પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસ કરવા માટે અયોધ્યા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ઓક્ટોબરમાં થનારા શિલાન્યાસ કાર્યક્રમનું એક ભવ્ય આયોજન બનાવવા માટે મોટા પાયે એનું બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે.

ઓક્ટોબરમાં જ શરૂ થશે મસ્જિદ નિર્માણ

બીજી બાજુ, સુન્ની વકફ બોર્ડે પણ નક્કી કર્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી પાંચ એકર જમીન પર અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કાર્ય ઓક્ટોબરમાં જ શરૂ થશે. અયોધ્યા શહેરથી 22 કિલોમીટર દૂર સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને સાત માર્ચે આપવામાં આવી છે. યોગી સરકાર દ્વારા સુન્ની વકફ બોર્ડના કાર્યકાળને છ મહિના વધાર્યા પછી પહેલી વાર મિડિયાથી વાતચીત કરતા બોર્ડના અધ્યક્ષ ઝુફર ફારુકીએ કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે 14 સભ્યોના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટમાં વરિષ્ઠ ધર્મગુરુ અને વાસ્તુવિદોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ગલવાન વેલીમાં ચીને તેના સૈનિકોને 1 કિ.મી. દૂર હટાવ્યા

લેહઃ સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી તંગદિલી ઘટવાના આજે પ્રથમ સંકેત મળ્યા છે. ચીનના લશ્કર – પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો ગલવાન ખીણવિસ્તારના અમુક ભાગોમાંથી તંબૂઓ હટાવતા અને પાછા હટી જતા જોવા મળ્યા હતા. ચીની સૈનિકો લગભગ એક કિલોમીટર જેટલા દૂર હટી ગયા હતા. આ જાણકારી સરકારી સૂત્રોએ પીટીઆઈ સમાચાર સંસ્થાને આપી હતી.

બંને દેશના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે સમજૂતી થયા બાદ ચીની સૈનિકોએ ‘પેટ્રોલિંગ પોઈન્ટ 14’ ખાતેથી એમના તંબૂઓ અને માળખાને હટાવવાનું શરૂ કરી દીધું છે. એવી જ હિલચાલ ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ જોવા મળી હતી.

કેટલાક સ્થળે ચીની સૈનિકો એકથી બે કિલોમીટર જેટલા દૂર હટી ગયા હતા, પણ ગલવાન નદી પરના કેટલાક વિસ્તારોમાં ચીની લશ્કરી વાહનોની હાજરી હજી પણ ચાલુ છે.

સમજૂતી અનુસાર ભારત અને ચીન, બંનેએ પોતપોતાના સૈનિકોને અથડામણના સ્થળોથી અમુક સેંકડો મીટર પાછા હટી જવાનું રહેશે.

લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઉપર જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગઈ 15 જૂને અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનના પક્ષે કેટલી જાનહાનિ થઈ છે એના અહેવાલ ચીને બહાર પાડ્યા નથી.

 

-અને સમય થંભી ગયો ‘ટાઈમ સ્ક્વેર’ પર….

ન્યૂ યૉર્કના આઈકોનિક ટાઈમ સ્કવેર વિસ્તારમાં અમેરિકામાં વસતા ભારતીયોએ કરેલા બૉયકોટ ચાઈના વિરોધપ્રદર્શનના પડઘા અમેરિકાનાં અન્ય રાજ્યોમાં પણ પડ્યા…

-કેતન મિસ્ત્રી (મુંબઈ) 

મારા જેવા અનેક પ્રવાસપ્રેમીઓએ વર્ષોથી જાણે એક બાધા રાખી છેઃ અમેરિકાની સફર દરમિયાન એક દિવસ ન્યૂ યૉર્કમાં કમ્પલસરી વિતાવવાનો. લેખન-પત્રકારત્વ-કલાપ્રેમી-નાટકચેટકવાળાને આકર્ષતા ન્યૂ યૉર્કમાં કંઈ ન કરો ને ખાલી ગગનચુંબી ઈમારતો, બ્રાન્ડેડ ચીજવસ્તુના શોરૂમ, પીળી ટૅક્સી ને રસ્તાની બન્ને કોર વહેતા માનવમહેરામણને જોયા કરો તો પણ દિવસ આખો પસાર થઈ જાય.

-અને પેલો જગવિખ્યાત ટાઈમ સ્કેવર વિસ્તાર. એક જમાનામાં અહીં ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ છાપાની ઑફિસ હતી તેથી તે એરિયા ટાઈમ સ્ક્વેર તરીકે ઓળખાય, જ્યાં દુનિયાભરના પ્રવાસી લટાર મારતા નજરે ચડે. જો કે હાલ કોરોનાના કમઠાણને લીધે ભાગ્યે જ કોઈ ચહલપહલ અહીં વરતાય છે, પણ તેમ છતાં અમેરિકાના સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ અથવા ત્રીજી જુલાઈની ભરબપોરે ઑલમોસ્ટ લૉકડાઉન જેવી પરિસ્થિતિમાં ટાઈમ સ્ક્વેર ‘ભારત માતા કી જય’ તથા ‘બૉયકોટ ચાઈના’ જેવા ઉદઘોષથી ગુંજી ઊઠ્યો. હકીકતમાં ન્યૂ યૉર્ક અને એની આસપાસ વસતા ભારતીયોએ ત્યાં ચીન સામે દેખાવનું આયોજન કરેલું. સૌ જાણે છે એમ, લડાખના ગલવાનમાં મીંઢા ચીના સૈનિકો સાથેની મૂઠભેડમાં ભારતના 20 બહાદુર જવાનો શહીદ થયા ને 76 જેટલા ઘાયલ થયા. આથી ઉશ્કેરાયેલા ભારતીયોએ ઠેર ઠેર દેખાવ કર્યા, ચાઈનીસ મોબાઈલ ઍપ્સ અનઈન્સ્ટોલ કરી, સરકારે એવી 59 ‘મેડ ઈન ચાઈના’ ઍપ્સ અથવા ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો…

એ જ રીતે અમેરિકામાં વસતા દેશપ્રેમી ભારતીયોએ ટાઈમ સ્કેવર પર દેખાવો યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. આમ તો ન્યૂ યૉર્કના પોલીસ કમિશનરે પચાસેક લોકોને જ ઉપસ્થિત રહેવાની અનુમતિ સોશિયલ ડિસ્ટંન્સિંગ તથા અન્ય નિયમ પાળવાની શરતે આપેલી, પણ જોતજોતાંમાં સોથી વધુ ભારતીયો ‘સમય ચૉક’ પર ઊમટી પડ્યા.

ન્યૂ યૉર્ક-ન્યૂ જર્સી-કનેટિકટ એમ ટ્રાઈસ્ટેટ તરીકે ઓળખાતા આસપાસના ત્રણ રાજ્યનાં વિવિધ ભારતીય મંડળનાં પ્રતિનિધિ વર્લ્ડ ઑર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત આ બૉયકોટમાં ‘રાજસ્થાન ઍસોસિયેશન ઑફ નૉર્થ અમેરિકા’, ‘ડાયમંડ ઍસોસિયેશન’, ‘જયપુર ફૂટ’, ‘ઓવરસીસ કૉન્ગ્રેસ’, ‘ગુજરાતી સમાજ’, ‘એફઆઈએ’, ‘જૈન સમાજ’, વગેરે જેવાં અનેક મંડળ જોડાયાં. આ વિરોધ પ્રદર્શનમાં ચાઈનીસ ચીજવસ્તુનો બૉયકોટ કરવાની હાકલ પણ કરવામાં આવી, જે આસપાસના ચપટા નાકવાળા ચીના દુકાનદારોએ અચંબિત થઈને જોઈ-સાંભળી!

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,248 નવા કેસ સામે આવ્યા છે અને 425 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,97,413 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 19,693 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,24,432 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,53,287એ પહોંચી છે. રિકવરી રેટ 61 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારતે રશિયાને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું છે. અમેરિકામાં કોરોનાના 29.54 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. બ્રાઝિલમાં આ આંકડો 15.78 લાખ છે. રશિયામાં કોરોના કેસોની સંખ્યા 6,81,251 થઈ છે. જ્યારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી છે.  અમેરિકામાં આ બીમારીની ઝપટમાં અત્યાર સુધી 1,29,600થી વધુનાં મોત થયાં છે. બ્રાઝિલમાં એનાથી 64,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 1.14 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,33,684 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,14,09,805એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રાશિ ભવિષ્ય 06/07 થી 12/07/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 06/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

ચીનમાં કોરોના પછી હવે પ્લેગ રોગ ફેલાવાનું જોખમ

બીજિંગઃ કોરોના પછી ચીનમાં વધુ એક ઘાતક બીમારી ફેલાવવાનું જોખમ વધવા લાગ્યું છે. ઉત્તરીય ચીનના એક શહેરમાં રવિવારે બ્યુબોનિક પ્લેગનો એક સંદિગ્ધ કેસ સામે આવ્યો છે. એ પછી અલર્ટ જારી કરવામાં આવ્યો છે. ચીનના સરકારી પીપલ્સ ડેલી ઓનલાઇનના રિપોર્ટ અનુસાર આંતરિક મોંગોલિયાઈ સ્વાયત્ત ક્ષેત્ર-બયન્નુરે પ્લેગને ફેલાતો અટકાવવા અને કાબૂ મેળવવા માટે ત્રીજા સ્તરની ચેતવણી જારી કરી છે.  

આ ચેતવણી 2020ના અંત સુધી લાગુ રહેશે

બ્યુબોનિક પ્લેગનો એક શંકાસ્પદ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો હતો. સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ ઘોષણા કરી હતી કે આ ચેતવણી 2020ના અંત સુધી લાગુ રહેશે. સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓએ કહ્યું છે કે આ સમયે આ શહેરમાં માનવ પ્લેગ રોગચાળો ફેલાવવાનું જોખમ છે. લોકોને આત્મરક્ષા માટે જાગરુકતા અને ક્ષમતા વધારવી પડશે. જનતાને અસામાન્ય આરોગ્ય સ્થિતિ વિશે તત્કાળ માહિતી આપવી જોઈએ.

બ્યુબોનિક પ્લેગના બે શંકાસ્પદ કેસ

આ પહેલાં સરકારી શિન્હુઆ સમાચાર એજન્સીએ એક જુલાઈએ કહ્યું હતું કે પશ્ચિમ મોંગોલિયાના ખોડ પ્રાંતમાં બ્યુબાનિક પ્લેગના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. એની લેબોરેટરી તપાસ પુષ્ટિ થઈ ચૂકી છે. 27 અને 17 વર્ષીય ભાઈઓને તેમના વિસ્તારની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

ચીનમાં ન્યુ સ્વાઇન ફ્લુ નામનો એક વાઇરસ મળ્યો

પાછલા દિવસોમાં ન્યૂઝ એજન્સી PTIએ એક રિપોર્ટમાં નવા વાઇરસના જોખમની વાત કરી હતી. એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ચીનમાં ન્યુ સ્વાઇન ફ્લુ નામનો એક વાઇરસ મળ્યો છે. જે રોગચાળાની ક્ષમતા રાખે છે. સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે ન્યુ સ્વાઇન ફ્લુ જો મનુષ્યોમાં ફેલાશે તો ઝડપથી એનાં દુષ્પરિણામો માનવ જાતિએ ભોગવવાં પડશે. વૈજ્ઞાનિકોએ આ વાઇરસને G4 નામ આપ્યું હતું.

વિશ્વભરમાં કોરોના વાઇરસ સૌથી પહેલાં ચીનમાં તબાહી મચાવી હતી અને ધીમે-ધીમે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

Chitralekha Marathi – July 13, 2020

PDF Version
This post is only available to members.

પ્યારની વાત – ૬ જુલાઈ, ૨૦૨૦

પ્યારની વાત – ૬ જુલાઈ, ૨૦૨૦

પંચાંગ 06/07/2020