Home Blog Page 4741

મુંબઈમાં ફડચામાં ગયેલી 104 વર્ષ જૂની CKP સહકારી બેન્કમાં લિક્વિડેશન પ્રક્રિયા શરૂ

મુંબઈઃ મરાઠી મધ્યમવર્ગનાં લોકો માટેની બેન્ક ગણાતી અને 104 વર્ષ જૂની સી.કે.પી. કોઓપરેટિવ બેન્કનું લાઈસન્સ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગયા એપ્રિલ મહિનામાં રદ કરી દીધું છે. RBIના નિર્ણયને રદબાતલ કરવાની અરજીને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આને કારણે બેન્કની રૂ. 485 કરોડની ફિક્સ્ડ ડિપોઝીટ્સ ફસાઈ ગઈ છે.

મુંબઈ સ્થિત અને મુંબઈ તથા પડોશના થાણે શહેરમાં કુલ આઠ શાખા અને આશરે સવા લાખ ખાતેદારો ધરાવતી સી.કે.પી. બેન્કના ખાતેદારોને એમના ખાતામાંથી વધુમાં વધુ પાંચ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

બેન્કને નવી ડિપોઝીટ સ્વીકારવા અને નવી લોન આપવા સામે રિઝર્વ બેન્કે 2014ના એપ્રિલથી મનાઈ ફરમાવી દીધી છે.

છેલ્લા બે વર્ષમાં આ બેન્કને પુનર્જિવીત કરવા માટે ડિપોઝીટરોના એક જૂથે પ્રયાસ કર્યો હતો.

બેન્કના સંચાલકોમાંના અમુક સભ્યોના ગેરવહીવટને કારણે બેન્ક આર્થિક સંકટમાં આવી ગઈ છે.

બેન્કિંગ નિયમન કાયદાની કલમ 22 અને 76 અન્વયે રિઝર્વ બેન્કે સીકેપી સહકારી બેન્કનું લાઈસન્સ રદ કર્યું છે.

બેન્કે તેના ખાતેદારોને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે અને એ વિશે અખબારોમાં જાહેરખબર આપી છે. એ માટે ખાતેદારોએ પોતપોતાનું આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાન ઓળખપત્ર આ પૈકી KYC માહિતી બેન્કની નજીકની શાખામાં જઈને સુપરત કરવાની રહેશે.

બેન્ક દ્વારા લિક્વિડેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) એક્ટ, 1961 અનુસાર, જે કોઈ બેન્ક ફડચામાં જાય કે દેવાળું ફૂંકે તો પ્રત્યેક ખાતેદારને એના ખાતા આધારિત પૈસા પાછા મળે. ખાતેદારોને ડિપોઝીટની રકમ ઉપર પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો ઉતારવામાં આવે છે. તેથી એને વધુમાં વધુમાં પાંચ લાખ રૂપિયા મળી શકે.

DICGC અંતર્ગત 2098 બેન્કો આવેલી છે, જેમાં 1941 સહકારી બેન્કો છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે પવઈ સરોવર છલકાયું…

મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પૂર્વ ભાગમાં આવેલા અંધેરી-કાંજૂરમાર્ગ ઉપનગરોમાં આવેલું પવઈ સરોવર 5 જુલાઈ, રવિવારે છલકાવા માંડ્યું હતું. આ સરોવરનું પાણી પીવા માટે હોતું નથી, માત્ર ઔદ્યોગિક વપરાશ માટે હોય છે. આશરે દોઢ કરોડની વસ્તી ધરાવતા મુંબઈ મહાનગરને પીવાનું પાણી સાત જળાશયો પૂરું પાડે છે - ભાત્સા, મોડકસાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાનસા, વિહાર અને તુલસી.


આમાં, ભાત્સા સૌથી મોટું સરોવર છે. પડોશના થાણે જિલ્લાના શાહપુર નજીક ભાત્સા નદી પર બંધ બાંધીને આ સરોવર બનાવવામાં આવ્યું છે. મોડકકાસાગર ડેમ પણ થાણે જિલ્લામાં વૈતરણા નદી પર બાંધવામાં આવેલો છે.






મુંબઈમાં છેલ્લા 3 દિવસોમાં 12 ઈંચથી વધારે વરસાદ પડી ચૂક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરિણામે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.




















દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં દરિયાના મોજાંએ કિનારા પર ફેંકેલો કચરો સફાઈકર્મચારીઓ દૂર કરી રહ્યા છે.




વીજળીના 1 લાખના બિલનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયોઃ અર્શદ વારસી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અર્શદ વારસીને ગયા મહિને વીજળીનું બિલ અધધધ રકમનું આવતા એણે સોશિયલ મિડિયા પર ટીકા કરી હતી. એની ફરિયાદ પર ધ્યાન અપાતાં એણે સમાચાર ફરી શેર કર્યા છે કે એની સમસ્યા ઉકેલી દેવામાં આવી છે.

અર્શદે આજે સવારે એક ટ્વીટમાં લખ્યું હતું કે વીજળીના બિલ માટે પાંચ જુલાઈએ એના એકાઉન્ટમાંથી રૂ. 1,03,564 ડેબિટ થઈ ગયા હતા.

એણે બાદમાં તેના ચિત્રો વિશેના એક સમાચાર શેર કર્યા હતા અને એ ચિત્રો ખરીદવાની લોકોને અપીલ કરી હતી.

એણે ટ્વીટ કર્યું હતું કે, મહેરબાનો પ્લીઝ મારા પેઈન્ટિંગ્સ ખરીદો. મારે મારું અદાણી ઈલેક્ટ્રિક બિલ ચૂકવવા માટે પૈસાની જરૂર છે. કિડની મેં હવે પછીના બિલ માટે સાચવી રાખી છે.

તે પછી એક અન્ય ટ્વીટમાં એણે લખ્યું હતું કે આખરે દૂર સોનેરી પ્રકાશ દેખાયો છે. અદાણી ઈલેક્ટ્રિક મુંબઈ કંપની તરફથી ત્વરિત પ્રતિસાદ આવ્યો છે અને સમસ્યા ઉકેલાઈ ગઈ છે. માત્ર તમારે એમનો સંપર્ક કરવાનો હોય છે… આભાર.

મુંબઈમાં અદાણી ઈલેક્ટ્રિક કંપની તરફથી જૂન મહિનાનું અત્યંત ઊંચી રકમનું બિલ આવ્યાની ફરિયાદ કરનાર આ પહેલી બોલીવૂડ હસ્તી નથી. આ પહેલાં તાપસી પન્નૂ, રેણુકા શહાણે, હુમા કુરૈશી, નિમ્રત કૌર, સોહા અલી ખાન, અમીરા દસ્તુર, ડિનો મોરિયા, કામ્યા પંજાબીએ પણ સોશિયલ મિડિયા મારફત આ વિશે ફરિયાદ કરી હતી.

માત્ર બોલીવૂડની હસ્તીઓ જ નહીં, પરંતુ મુંબઈભરમાં અનેક સામાન્ય રહેવાસીઓએ પણ જૂન મહિનાનું તોતિંગ રકમનું બિલ આવ્યું હોવાની ફરિયાદ કરી છે. એક તરફ લોકડાઉનને કારણે આવકને જબ્બર ફટકો પડ્યો છે તેવામાં અદાણી કંપનીએ 3 થી 10 ગણી રકમનું વધારે પડતું બિલ ફટકારતાં લોકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.

વીજળીના ઊંચા બિલનો મામલો હાલ મુંબઈ હાઈકોર્ટમાં ગયો છે. એક વેપારીએ અદાણી ઈલેક્ટ્રિક, ટાટા પાવર તથા સરકારી એજન્સી વિરુદ્ધ જનહિતની અરજી કરી છે. એની પરની સુનાવણી 7 જુલાઈએ કરવાનું કોર્ટે નક્કી કર્યું છે.

 

 

BSEએ eKYC સેવા પૂરી પાડવા LIC મ્યુચ્યુઅલ ફંડ સાથે ભાગીદારી કરી

મુંબઈ: BSEએ eKYC સર્વિસીસ પૂરી પાડવા LIC મ્યુચ્યુઅલ ફંડ સાથે ભાગીદારી કરી છે. 26 મે, 2020ના રોજ BSEએ આઈએફએ, ડીએફઆઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક બ્રોકર્સ માટે eKYC સર્વિસ લોન્ચ કરી હતી હવે એના ગ્રાહકોમાં એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડનો ઉમેરો થયો છે. BSE સ્ટાર એમએફમાં LIC મ્યુચ્યુઅલ ફંડ સાથેની ભાગીદારી સાથે BSEએ જાહેર કર્યું છે કે eKYC સર્વિસ હવે BSE સ્ટાર એમએફના બધા મેમ્બર્સને ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોવિડ-19 મહામારીની સ્થિતિ વચ્ચે આ સર્વિસ મેમ્બરો માટે આશીર્વાદરૂપ છે. આ ભાગીદારી વિશે LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિ.ના સીઈઓ દિનેશ પતંગેએ કહ્યું, “ડિજિટલ હવે ભાવિ છે અને આવી વૈશ્વિક મહામારીના સમયમાં તો ખાસ. LIC MF દ્વારા eKYC અપનાવવાનું પગલું એ ડિજિટલ થવાની દિશામાંનું પગલું છે. eKYC સર્વિસ સંપૂર્ણ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટર માટે મહત્ત્વની છે. આ આખી પ્રક્રિયા પેપરલેસ અને સરળ છે જે નવા ગ્રાહકો માટે ઉત્તમ ઓનબોર્ડ અનુભવ બની રહે છે.”

આ સર્વિસ સ્ટારએમએફના બધા મેમ્બર્સને ઉપલબ્ધ કરવા પ્રસંગે BSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ અપનાવવાં એ આજના સમયની આવશ્યકતા છે. LIC મ્યુચ્યુઅલ ફંડ સાથેના વ્યૂહાત્મક જોડાણથી અમે વધુ સહભાગીઓને ચોક્કસ આકર્ષી શકીશું અને સંપૂર્ણ KYC પ્રક્રિયા વપરાશકાર સરળપણે પાર પાડી શકે એ માટેની કાર્યક્ષમતામાં વધારો કરી શકીશું.”

પાણીપૂરી વેન્ડિંગ મશીન સોશિયલ મિડિયા પર છવાઈ ગયું

મુંબઈઃ ભારતમાં ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી. હાલ જ્યારે આખા દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા ગભરાય છે અને જાહેર સ્થળોએ જવાનું ટાળે છે. આવી પરિસ્થિતિમાં રોડ પરના ફૂડ સ્ટોલ્સ અને ખાદ્યપદાર્થોની લારીઓને સૌથી મોટો માર પડ્યો છે. ખાસ કરીને પાણીપૂરીવાળાઓની હાલત કદાચ વધારે કફોડી થઈ ગઈ છે. આ બીમારીએ રોડ પર ઊભીને પાણીપૂરી વેચતા લોકોના ધંધા-રોજગાર પર પાણી ફેરવી નાખ્યું છે તો પાણીપૂરી જેવી સ્વાદિષ્ટ વાનગીના શોખીનોનો ખાવાનો આનંદ પણ ઝૂંટવી લીધો છે.

આવા ભયાનક રોગચાળા અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાં પણ ગુજરાતના એક વેપારીએ એટીએમ મશીનમાંથી જેમ ચલણી નોટો બહાર આવે છે તેવી જ રીતે પાણીપૂરી આપતું વેન્ડિંગ મશીન બનાવ્યું છે.

આ ઓટોમેટિક મશીનમાં વીસ રૂપિયાની નોટ ઈન્સર્ટ કરવાથી એક પછી એક પાણીપૂરી બહાર આવે છે.

એક અન્ય એન્જિનિયરે આવું જ પણ જુદી ટાઈપનું પાણીપૂરી વેન્ડિંગ મશીન બનાવ્યું છે. એ મશીનમાં 10 રૂપિયાની નોટ નાખવાથી પાણીપૂરી ભરેલી પ્લેટ બહાર આવે છે.

આ મશીનો આસપાસના વિસ્તારોમાં ઘણા લોકપ્રિય થઈ ગયા છે.

વીસ રૂપિયાની નોટ કે દસ રૂપિયાની નોટ કે સિક્કો નાખો એટલે બરાબર ગણીને પાણીપૂરી મશીનમાંથી બહાર આવે છે.

આ મશીનો બેન્કિંગ એટીએમ મશીનો જેટલી જ સરળતાથી કામ કરે છે.

અહેવાલ મુજબ, ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરત પ્રજાપતિ આમ તો માત્ર એસએસસી સુધી જ ભણ્યા છે, પણ મોબાઈલ ફોનની દુકાન ચલાવે છે. એમને વિચાર આવ્યો હતો પાણીપૂરીનું મશીન બનાવાય તો કેવું. એ માટે એમણે અનેક જગ્યાએથી છૂટા ભાગો એકત્ર કર્યા.

મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ના આગ્રહ, કોરોના વાઈરસ સંકટમાં સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો સહિત અનેક કોન્સેપ્ટને આ મશીન એકદમ પૂરા કરે છે.

મશીનનું બટન દબાવતાં જ સ્ક્રીન પર તમને રૂપિયાનો વિકલ્પ પસંદ કરવાનું દર્શાવવામાં આવે છે. 10 રૂપિયાની નોટ કે સિક્કો કે 100 રૂપિયાના મૂલ્ય સુધીની નોટ આ મશીનમાં નાખી શકાય છે. પૈસા નાખતા જ મશીનમાંથી એટલી કિંમતની પાણીપૂરીઓ લાઈનબંધ નીકળવાનું શરૂ થઈ જાય છે.

આ મશીન સોશિયલ મિડિયા પર છવાઈ ગયું છે.

વિડિયોમાં એક માણસ સમજાવે છે કે ઓટો પાણીપૂરી સેન્ટર નામના મશીનમાંથી પાણીપૂરી કેવી રીતે બહાર આવે છે. એ માણસ મશીનની અંદર ચલણી નોટ ઈન્સર્ટ કરે છે અને જરૂરી સંખ્યાની પાણીપૂરીઓ મશીનમાં બેસાડવામાં આવેલા કન્વેયર બેલ્ટ જેવા ભાગમાંથી બહાર આવે છે.

વ્યક્તિ જ્યારે એક પાણીપૂરી ઉઠાવી લે કે તરત બીજી બહાર આવે – ઓટોમેટિક રીતે. આમ, તમારી પાણીપૂરીને તમારી સિવાય કોઈ પણ અન્ય વ્યક્તિ હાથ લગાવતી નથી.

આ મશીનને બનાવતા છ મહિના લાગ્યા હોવાનું તે માણસ જણાવે છે.

આસામના નાયબ પોલીસ વડા હાર્દી સિંહે પણ આ મશીનને એમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

સીમા રાવ – ભારતનાં પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર…

પતિ-પત્નીની બેમિસાલ જોડી…

ડો. સીમા રાવ અને મેજર ડો. દીપક રાવ

સીમા રાવ – ભારતનાં પ્રથમ અને એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર…

પતિ-પત્નીની બેમિસાલ જોડી…

ડો. સીમા રાવ અને મેજર ડો. દીપક રાવ

જેમણે છેલ્લા ૨૦ વર્ષોમાં ભારતીય સેનાના હજારો વીરજવાનોને કમાન્ડો તાલીમ આપી છે, કોઈ ફી લીધા વગર.

સીમા રાવ ભારતનાં પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર અને એકમાત્ર એવા મહિલા ઈન્સ્ટ્રક્ટર છે જે ભારતીય વિશેષ દળોને તાલીમ આપે છે, તો એમનાં પતિ મેજર દીપક રાવ મિલિટરી ટ્રેનર, ફિઝિશન, લેખક, ગ્રાન્ડમાસ્ટર અને ઝેન ફિલોસોફર છે.

આ મુંબઈનિવાસી પતિ-પત્ની ‘ક્લોઝ ક્વાર્ટર બેટલ’ (CQB)ની તાલીમના મહારથી છે. ૨૦૦૩માં એમણે મુંબઈમાં એકેડેમી ઓફ કોમ્બેટ ટ્રેનિંગની સ્થાપના કરી હતી.

જવાનોને યુદ્ધકૌશલની તાલીમ આપવા માટે સીમાએ સ્કૂબા ડાઈવિંગ, માઉન્ટેનિયરિંગ, તાઈકવોન્ડોની તાલીમ લીધી હતી. મેજર દીપક સાથે લગ્ન થયા બાદ એમની પાસેથી માર્શલ આર્ટની તાલીમ લીધી. એર રાઈફલ શૂટિંગમાં પણ મહારથી બની ગયા.

આધુનિક જમાનામાં જે ત્રાસવાદ-વિરોધી જંગ ખેલાય છે તે ક્લોઝ ક્વાર્ટર ઓપરેશન હોય છે. અક્ષરધામ મંદિર, સંસદભવન, તાજ હોટેલમાંના ત્રાસવાદી હુમલા અને ઉરીમાંના સર્જિકલ હુમલા આનાં દ્રષ્ટાંત છે.

સીમા રાવ મિલિટરી માર્શલ આર્ટ્સમાં ૭-ડિગ્રી બ્લેક બેલ્ટ ધારક છે, ડીપ સી ડાઈવર, સ્કાઈડાઈવર, રાઈફલ શૂટર, ફાયર-ફાઈટર, પરંપરાગત દવાઓનાં ડોક્ટર છે તેમજ ક્રાઈસીસ મેનેજમેન્ટમાં પીએચડી સાથે એમબીએ પણ થયાં છે.

દીપક રાવ તો એક આમ નાગરિકની જેમ જીવન જીવતા હતા, પણ એમને ભારતીય સેના માટે કંઈક પ્રદાન કરવાની પ્રબળ ઈચ્છા હતી. એટલે એમણે CQBમાં સંશોધન કર્યું અને ભારતીય સૈનિકોને તાલીમ આપવાનું નક્કી કર્યું. એ માટે આકર્ષક નાણાકીય વળતર આપતી મેડિકલ કારકિર્દીને છોડી દીધી.

૨૦૦૦માં તેઓ સિયાચીનમાં સૈનિકોને તાલીમ આપવા માટે નીકળી પડ્યા. ૨૦૦૬-૦૮માં આર્મી CQBને આધુનિક બનાવવાનું નક્કી કરાયું અને કમાન્ડરોએ દીપક રાવને આમંત્રિત કર્યા હતા. 2011માં દીપક રાવને ઈન્ડિયન આર્મીની TA પેરા બટાલિયનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આગળ જતાં એમને મહેન્દ્ર સિંહ ધોની અને અભિનવ બિન્દ્રાની સાથે ટેરિટોરિયલ આર્મી અને ઈન્ડિયન આર્મીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા.

રાવ દંપતીએ દેશના લશ્કરી વડાઓ તરફથી અનેક પ્રશસ્તિપત્રો મેળવ્યા છે. ૨૦૦૯માં, પતિ-પત્નીએ સાથે મળીને CQB ઉપર દુનિયાનું પ્રથમ એન્સાઈક્લોપીડિયા પુસ્તક લખ્યું હતું. ૨૦૧૦માં ભારત સરકારે એમને દેશના ૧૨ રાજ્યોના પોલીસતંત્રના એન્ટી-ટેરર સ્ક્વોડ યુનિટને આધુનિક શસ્ત્ર તાલીમ આપવાની સત્તા આપી હતી.

મહાન બ્રુસ લીનું જે સર્જન છે, તે જીત-કૂન-ડો (JKD) માર્શલ આર્ટના રાવ દંપતી નિષ્ણાત છે અને મુંબઈમાં બ્રુસ લી JKD મુંબઈ ચેપ્ટર નામે કોમ્બેટ ફિટનેસ એકેડેમી ચલાવે છે.

નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત સીમા રાવની સલાહ છે: ‘જિંદગી ટૂંકી છે એટલે તમારે તમારા જુસ્સા પ્રમાણે આગળ વધવું જ પડે. પડકારો તમને નબળા પાડી ન દે એનું ધ્યાન રાખવું. દેશ માટે ભલે નાની રીતે પણ હું કંઈક પ્રદાન કરી શકી છું એનો મને ગર્વ છે.’

તો દીપક રાવનું સૂત્ર છે: ‘દેશ તમારા માટે શું કરે એ ન પૂછો, તમે દેશ માટે શું કરી શકો છો એ કહો.’

દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનોને વિશેષ તાલીમ આપતા આ નિડર અને નિર્ભય દંપતીને સલામ કરવી જ પડે.

વાહ ભાઈ વાહ! ૫ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૫ જુલાઈ, ૨૦૨૦

અમરનાથ યાત્રા-2020માં રોજ માત્ર 500 યાત્રીઓને જવાની પરવાનગી અપાશે

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષની અમરનાથ યાત્રા પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીર સ્થિત હિન્દુઓના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથ ગુફા-મંદિર માટે સુપ્રીમ કોર્ટે એક પેટા-સમિતિની રચના કરી છે, જેનું અધ્યક્ષપદ ચીફ સેક્રેટરી બી.વી.આર. સુબ્રમણ્યમે લીધું છે. આ સમિતિની ગઈ કાલે બેઠક યોજાઈ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રાનું સ્વરૂપ સીમિત રાખવામાં આવશે, યાત્રા પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા અને કોવિડ-19 રોગચાળા સંબંધિત સાવચેતીઓ વચ્ચે યોજવામાં આવશે.

ગઈ કાલે બાબા બર્ફાનીની આરતી પણ કરવામાં આવી હતી. અમરનાથ આરતી-પૂજાનું રોજ દૂરદર્શન ચેનલ પર સવાર-સાંજ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

રોડ માર્ગે 3,880 મીટરની ઉંચાઈ પર આવેલા પવિત્ર અમરનાથ મંદિર-ગુફા 21 જુલાઈથી શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. આ વખતે રોજ વધુમાં વધુ માત્ર 500 યાત્રીઓને જ જવાની પરવાનગી આપવામાં આવશે.

કોરોના બીમારીને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રચાયેલી સ્ટેટ એક્ઝિક્યૂટિવ કમિટીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ્સ (SoPs) ઈસ્યૂ કર્યા છે જે અંતર્ગત જમ્મુ-કશ્મીરમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓ માટે 100 ટકા RTPCR ટેસ્ટનો સમાવેશ કરાશે.

જમ્મુ-કશ્મીરમાં પ્રવેશનાર તમામ વ્યક્તિના તબીબી નમૂના લેવામાં આવશે, એની ટેસ્ટ કરવામાં આવશે અને જ્યાં સુધી વ્યક્તિનો ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી એને આગળ વધવાની પરવાનગી આપવામાં નહીં આવે. યાત્રીઓ સહિત તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પૂરું પાલન કરવાનું રહેશે.

અગાઉ એવી વાત હતી કે બે માર્ગે – અનંતનાગથી પહલગામ અને ગંડેરબલથી બાલતાલથી 42-દિવસ સુધી ચાલનારી યાત્રા 23 જૂનથી શરૂ કરાશે, પરંતુ કોરોના મહામારીને કારણે એમાં વિલંબ થોય છે અને હવે આ યાત્રા માત્ર 15 દિવસ સુધીની જ રખાશે.

રાશિ ભવિષ્ય 05/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.