નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,771 નવા કેસ સામે આવ્યા છે અને 442 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોવિડ-19ના 18,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,48,315 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 18,655 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,94,227 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,35,433એ પહોંચી છે. રિકવરી રેટ 60.80 ટકાએ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 2,42,383 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાયો
દેશમાં ત્રીજી જુલાઈ સુધી 95,40,132 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે ગઈ કાલે 2,42,383 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું.
વિશ્વમાં કોરોનાથી 1.10 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,29,127 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,119,1,81એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને માર્ચમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નું એલાન કર્યું હતું. આ યોજના હેઠળ બધા ગરીબ પરિવારોને જેમની પાસે રેશનકાર્ડ છે અને જેમની પાસે નથી- તેમને પ્રતિ સભ્ય પાંચ કિલો ઘઉં-ચોખા અને એક કિલો ચણા એપ્રિલથી દર મહિને મફત આપવામાં આવશે. આ મફત અનાજ રેશનકાર્ડ પર મળનારા કરતાં અનાજના હાલના ક્વોટાથી વધારાનું છે. હવે પ્રધાનમંત્રીએ આને 31 નવેમ્બર સુધી વધારવાનું એલાન કર્યું છે. આ સાથે સરકારે ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના પણ શરૂ કરી દીધી છે આવામાં રાશન કાર્ડને આધારે લિન્ક નહીં થવા પર લાભાર્થીને PDSથી સસ્તું રાશન નહીં મળી શકે.
આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિન્ક કરવું પડશે
તમારા રાશન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડવા માટે ગામના ઇ-મિત્ર, પટવારી અને ગ્રામ સચિવ અધિકૃત છે. તમે આ બધાથી મદદ લઈ શકો છો. આ સિવાય તમે ખુદ પણ ઓનલાઇન પણ આધારને રાશન કાર્ડની સાથે લિન્ક કરી શકો છો.
આવી રીતે રાશન કાર્ડને આધારથી લિન્ક કરી શકો
પ્રથમ પગલું- રાશન કાર્ડને આધારથી લિન્ક કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની સત્તવાર વેબસાઇટ uidai.gov.in જાઓ. બીજું પગલું- ત્યાર બાદ ‘Start Now’ ઓપ્શન પર ક્લિક કરો, એમાં સરનામું ભરો, બધા વિકલ્પોમાંથી ‘Ration Card’ બેનિફિટ ટાઇપને પસંદ કરો. ત્રીજું પગલું- ત્યાર બાદ રાશન કાર્ડ યોજનાને પસંદ કરીને રાશન કાર્ડ નંબર, આધાર નંબર, ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ મંબર જેવી ડિટેલ્સ ભરો. ત્યાર બાદ રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલા વન ચાઇઇમ પાસવર્ડ (OTP) નાખો.
ચોથું પગલું- પછી સ્ક્રીન પર આવેલી પ્રક્રિયા પૂરી થયા પછી નોટિફિકેશનને પોસ્ટ કરો.
પાંચમું પગલું- અરજીની ચકાસણી થયા પછી રાશન કાર્ડ આધારથી લિન્ક થઈ જશે. એક જૂનથી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા લાગુ થઈ ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જૂને દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે હવે નવેમ્બર સુધી દેશના 80 કરોડ ગરીબ લોકોને પ્રધનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો લાભ મળશે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉપભોક્તા મામલે ખાદ્ય અને જાહેર વિતરણપ્રધાન રામ વિલાસ પાસવાને ખાદ્ય તેલમાં ભેળસેળની ગંભીરતાને જોતાં અને એને અટકાવવા માટે રાજ્ય સરકારોને ખાદ્ય તેલના છૂટક વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ જારી કર્યો છે. કેન્દ્રીય પ્રધાને એક ટ્વીટ દ્વારા રાજ્ય સરકારોને ખાદ્ય તેલના છૂટા વેચાણને તત્કાળ અટકાવી દેવાની સૂચના આપી છે.
નિયમો વિરુદ્ધ ખાદ્ય તેલના ખુલ્લું વેચાણ
પાસવાને કહ્યું હતું કે ખાદ્ય તેલનું છૂટક વેચાણ નિયમોની વિરુદ્ધમાં થતું હોવાની સતત ફરિયાદો મળી રહી છે, જેથી ભેળસેળનું જોખમ છે. મંત્રાલય દ્વારા રાજ્યોને લખેલા પત્રમાં ખાદ્ય તેલના છૂટક વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે રાજ્યોને ખાદ્ય તેલમાં ભેળસેળ થતી રોકવા કડક પગલાં લેવા માટેના નિર્દેશ આપ્યા છે.
ખાદ્ય તેલના છૂટક વેચાણની ફરિયાદ
આ પત્ર કેન્દ્રીય ઉપભોક્તાના મામલે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ગ્રાહકો બાબતોનાં વિભાગમાં એડિશનલ સચિવ નિધિ ખરે દ્વારા રાજ્યોના ખાદ્ય સચિવો અને મુખ્ય સચિવોને ગઈ કાલે પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વિભાગને ખાદ્ય તેલના છૂટક વેચાણ થવાની ફરિયાદ મળી છે, જેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.
આના પર કડક કાર્યવાહી થવી જોઈએ
પાસવાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે સતત ફરિયાદો મળી રહી છે કે બજારમાં નિયમોની વિરુદ્ધ ખાદ્ય તેલનું છૂટક વેચાણ થઈ રહ્યું છે, જેમાં ભેળસેળનું જોખમ છે. ગ્રાહકો બાબતોના વિભાગે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે નિર્ધારિત પેકિંગ વગર દૂષિત તેલના થઈ રહેલા છૂટક વેચાણ પર તત્કાળ પ્રતિબંધ મૂકવામાં આવે.
ગ્રાહક બાબતોના વિભાગે કહ્યું છે કે લીગલ મેટ્રોલોજી વિભાગના કન્ટ્રોલર્સને એડવાઇઝરી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ લીગલ મેટ્રોલોજીના કાયદાનું પાલન કરે.
અમદાવાદ : રોટરી કલબ ઓફ અમદાવાદ નોર્થના સભ્યો દ્વારા 1 જુલાઈથી વૃક્ષારોપણની ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ એક લાખ વૃક્ષો રોપવામાં આવશે.
કલબના પ્રેસીડેન્ટ પરાગ બ્રહ્મભટ્ટ અને સેક્રેટરી આજલ પટેલની આગેવાની હેઠળ સભ્યોએ સાથે મળીને કડી નજીક અગોલ ગામ ખાતે સૂર્યમ રિપોઝમાં 100 વૃક્ષારોપણની કામગીરી કરી હતી.
રોટરી ડિસ્ટ્રીક્ટ 3054ના આસિસ્ટન્ટ ગવર્નર અનિલ સિંઘ જણાવે છે કે, રોટરી સંગઠનોએ પર્યાવરણ માટે સહયોગ આપવાના નવા ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અમારો ઉદ્દેશ એક લાખ વૃક્ષો રોપવાનો છે. અત્યાર સુધીમાં આ ઝુંબેશને ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. અમે ડિસ્ટ્રીક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે અન્ય રોટરી કલબો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના જવ્હાર નગર નજીકના કાળમાંડવી ધોધમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા જતાં પાંચ જણના ડૂબી જવાની દુર્ઘટના સર્જાઈ છે. પાંચેય મૃતક યુવા મિત્રો હતા અને જવ્હાર નગરના અંબિકા ચોક મોહલ્લાના રહેવાસીઓ હતા.
આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. 13 મિત્રોનું એક ગ્રુપ જવ્હાર નગરની હદની બહાર, 7 કિ.મી. દૂર આવેલા ધોધના સ્થળે ફરવા ગયું હતું. સેલ્ફી લેવા જતાં એમાંના બે જણ 50 ફૂટની ઊંચાઈ પરથી લપસીને ધોધની નીચે તળાવમાં પડ્યા હતા. એમને બચાવવા માટે બીજા ત્રણ જણે છલાંગ લગાવી હતી. પરંતુ ઘટનામાં એ પાંચેય જણ ડૂબી ગયા હતા.
અન્ય મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસો નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના જવાનોની એક ટૂકડીની સાથે ત્યાં પહોંચ્યા હતા. મોડી સાંજે તળાવમાંથી પાંચેય જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
કાળમાંડવી ધોધ ઘણો મોટો અને ઊંડો છે. યુવકોને એની ઊંડાઈનો અંદાજ નહોતો.
પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
મૃતકોના નામ છેઃ દેવેન્દ્ર વાઘ (28), પ્રથમેશ ચવ્હાણ (20), દેવેન્દ્ર ફલટણકર (19), નિમેશ પાટીલ (28) અને રિંકુ ભોઈર (22).
નવી દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડને કોરોનાથી લડવા માટે સ્વદેશમાં વિકસિત કરવામાં આવેલી સંભવિત રસીને મનુષ્યો પર ક્લિનિકલ પરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે. કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિની ભલામણો અને રોગચાળા દરમ્યાન કટોકટીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ કરવામાં આવી છે.
બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણને મંજૂરી
સત્તાવાર સૂત્રે કહ્યું હતું કે DCGI ડો. વી. જી. સોમાનીએ કોરોના વાઇરસથી મુકાબલો કરવા માટે ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ દ્વારા વિકસિત રસીને પ્રાણીઓ પર પરીક્ષણ સફળ રહ્યા પછી મનુષ્યો પર પહેલા અને બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણને મંજૂરી આપી દીધી છે. કંપનીએ પશુઓ પર પરીક્ષણ સંબંધી ડેટા DCGIને સોંપ્યો હતો. ત્યાર બાદ મનુષ્યો પર પરીક્ષણને મંજૂરી આપી ગઈ છે. પહેલા અને બીજા તબક્કાના પરીક્ષણને પૂરાં કરવામાં ત્રણ મહિનાનો સમય લાગશે.આ પહેલાં કોવેક્સિનની ટ્રાયલને પણ મંજૂરી
આ પહેલાં દેશમાં પહેલાં સ્વદેશી સંભવિત કોવિડ-19 રસી કોવેક્સિનને DCGIથી માનવ પર પરીક્ષણની મંજૂરી મળી છે. કોવેક્સિનને ભારત બાયોટેકને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની સાથે મળીને વિકસિત કરી છે.
દેશમાં એક દિવસમાં કોવિડ-19ના સૌથી 20,903 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોકોના સંક્રમિતોની સંખ્યા વધીને 6,25,544 થઈ ગઈ છે, જેમાં પાછા 24 કલાકમાં 379નાં મોત સાથે અત્યાર સુધી દેશમાં 18,213 લોકોનાં મોત થયાં છે.