રાશિ ભવિષ્ય 28/06/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડે ક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિક સ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલન મુલાકાત કે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્ય બાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીન ઓળખાણ પણ થઈ શકે છે, તમારા કે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
અમેરિકાનો મોટો નિર્ણય: ચીનની સીસીપી પાર્ટીના અધિકારીઓને નહીં આપે વિઝા
વોશિંગ્ટન: હોંગકોંગ મામલે અમેરિકા ખુલીને ચીનનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના અધિકારીઓને વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આ વિઝા પ્રતિબંધમાં તેમના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે. ચીન દ્વારા હોંગકોંગની સ્વાયત્તા, મૌલિક આઝાદી અને માનવાધિકારોના ઉલ્લંઘન મામલે અમેરિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોંપિયોએ એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, હું સીસીપીના વર્તમાન અને પૂર્વ અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી રહ્યો છું. આ લોકો હોંગકોંગની સંપૂર્ણ સ્વાયત્તા ઓછી કરવા માટે જવાબદાર છે, જેની 1984માં ચીન બ્રિટનના સંયુક્ત ઘોષણાપત્રમાં ગેરન્ટી આપવામાં આવી હતી.
પોંપિયોએ વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોંગકોંગની આઝાદીને ખત્મ કરવા માટે જવાબદાર સીસીપીના અધિકારીઓને સજા આપવાનું વચન આપ્યું હતું. આજે અમે એ જ દિશામાં કામ કાર્યવાહી કરી રહ્યા છીએ. સીસીપીએ હોંગકોંગની પ્રશાસનિક વ્યવસ્થા પર ચીનને નજર રાખવાનો અધિકાર આપીને તેમની વિધાન પરિષદના એક સભ્ય પર ગેરવર્તનનો આરોપ લગાવી અને જબરજસ્તીથી તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો થોપીને તેમની સ્વાયત્તામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે.
Microsoft વિશ્વભરમાં એનાં રિટેલ સ્ટોર્સ બંધ કરશે
નવી દિલ્હીઃ ટેક્નોલોજી વર્લ્ડમાં દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે એક મોટી જાહેરાત કરી છે, જે બધાને ચોંકાવનારી છે. કંપનીએ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં વિશ્વભરમાં પોતાના રિટેલ સ્ટોર્સને બંધ કરવાની છે. જોકે આ સ્ટોર્સને બંધ કર્યા પછી કંપનીની રિટેલ ટીમ મેમ્બર્સ કસ્ટમર સર્વિસ, સેલ્સ, ટ્રેનિંગ અને સપોર્ટ જેવી સર્વિસિસથી જોડાયેલા રહેશે. જોકે કંપને એ માહિતી શેર નહોતી કરી કે એ રિટેલ સ્ટોર્સ ક્યારથી બંધ થશે. આવો જાણીએ કે માઇક્રોસોફ્ટે આખરે રિટેલ સ્ટોર્સ બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?
કંપની હવે ડિજિટલ સ્ટોર્સ પર ફોક્સ કરશે
માઇક્રોસોફ્ટે પોતાના ન્યૂઝરૂમ પર બધા રિટેલ સ્ટોર્સ બંધ કરવાની ઘોષણાની સાથે માહિતી આપી છે કે કંપની હવે ડિજિટલ સ્ટોર્સ પર ફોક્સ કરશે. કંપનીનું કહેવું છે કે કંપની માત્ર એ ચાર સ્ટોર્સને ખુલ્લા રાખશે, જેમાં હવે પ્રોડક્ટ્સનું વેચાણ નથી થતું અને એનો ઉપયોગ માત્ર એક્સપિરિયન્સ સેન્ટર તરીકે થાય છે. એની સાથે કંપનીનું કહેવું છે કે એ Microsoft.com પર પોતાના ડિજિટલ સ્ટોરફ્રંન્ટમાં રોકાણ કરવાનું જારી રાખશે. એની સાથે Xbox અને Windowsમાં જારી રહેશે. કંપની એક્ટિવ યુઝર્સની સંખ્યા 190 બજારોમાં દર મહિને 1.2 અબજથી વધુ છે. કંપની લંડન, NYC, સિડની અને રેડમન્ડ કેમ્પસ જેવાં સ્થાનો પર માઇક્રોસોફ્ટ એક્સપિરિન્સ સેન્ટર્સને સંચાલિત કરશે.

યુઝર્સને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે
કંપનીનું કહેવું છે કે રિટેલ સ્ટોર્સ પર મળતી બધી સુવિધાઓ યુઝર્સને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. કંપનીએ ન્યૂઝલેટરમાં એ પણ કહ્યું છે કે રિટેલ સ્ટોર્સની તુલનામાં અમારા ઓનલાઇન વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમારી ટીમ વર્ચ્યુઅલ તરીકે ગ્રાહકોને સારી સર્વિસ આપશે.

માઇક્રોસોફ્ટે પોતાના રિટેલ સ્ટોર્સને બંધ કરવાની જાહેરાતની સાથે એ પણ કહ્યું છે કે અમે એક એવી ટીમનું નિર્માણ કર્યું છે, જેમાં મલ્ટિટેલેન્ટેડ લોકો છે અને વિશ્વના કોઈ પણ ખૂણામાં કામ કરવા સક્ષમ છે. અમારી ટીમમાં એવા લોકો છે જે 120થી વધુ ભાષાઓને જાણે છે અને આ ટીમ પહેલાં કરતાં વધુ મજબૂત છે.

ઓમાન-યમનનું રણ તીડોનું મુખ્ય ઉદગમ સ્થાન
હિસ્સારઃ તીડોનું ટોળું હરિયાળીનું દુશ્મન છે. જે દિશામાં પવન હોય એ દિશામાં તીડો આગળ વધે છે. એનું મુખ્ય બ્રિડિંગ સેન્ટર ઓમાન અને યમનનું રણ છે. ત્યાંથી એ સોમાલિયા, આફ્રિકા, ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી આપણા દેશના રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરે છે. રાજસ્થાનમાં આવતાં સુધીમાં આ તીડોની સંખ્યામાં અધધધ વધારો થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર ઇચ્છે તો આ ટોળાને સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. આ તીડોનું ટોળું કોઈને કોઈ વિસ્તારમાં ઝાડો પર અને નીચે આરામ કરે છે. એ દરમ્યાન સ્પ્રે કરવામાં આવે તો બધાં તીડોનો નાશ થઈ જાય.
તીડો એક દિવસમાં 150 કિલોમીટર સુધી જઈ શકે
આ માહિતી ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના સેવા નિવૃત્ત મુખ્ય વૈજ્ઞાનિક ડો. નંદલાલ ભાટિયાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તીડો રેતીમાં ઈંડાં વધુ મૂકે છે. આને કારણે જ પાકિસ્તાનથી રાજસ્થાનના વિસ્તારોમાં પહોંચતાં-પહોંચતાં એમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ જાય છે. આ તીડો એક દિવસમાં 150 કિલોમીટર સુધી જઈ શકે છે. આ તીડના ટોળાની લંબાઈ કમસે કમ અડધો કિલોમીટર હોય છે. આ ટોળું જે જગ્યાએ બેસે છે એને ચટ કરી જાય છે. આ હરિયાળીનું દુશ્મન છે. આ નરમ ચીજવસ્તુઓને નિશાન બનાવે છે. જુવાર, બાજરી, ધાન્ય, ઘઉં, ભીંડાં, કપાસ, પપૈયાં, જામફળ અને લીંબુનાં પાંદડાં વગેરેને વિશેષરૂપે નિશાન બનાવે છે. પંજાબથી માંડીને બિહાર સુધી પહોંચશે.
તીડોની સરેરાશ વય 70 દિવસની હોય
તીડોનું ટોળું રાજસ્થાનથી હરિયાણા થતાં દિલ્હીમાં પ્રવેશ કરી ચૂક્યું છે. એ પંજાબ, ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર અને ઓડિશા સુધી જઈ શકે. એની સંખ્યા ધીમે-ધીમે ઓછી થતી જશે. તીડોની સરેરાશ વય 70 દિવસની હોય છે. આ દરમ્યાન તીડો જ્યાં સુધી જઈ શકે, ત્યાં સુધી જાય છે. માત્ર આરામ કરવા માટે રોકાય છે. અન્યથા આગળ વધતાં રહે છે. કોઈ એક દેશ નહીં આ વૈશ્વિક સમસ્યા છે.

તીડોથી મોટા ભાગના દેશ પરેશાન
તીડોથી કેટલાક દેશ નહીં પણ વિશ્વના મોટા ભાગના દેશ પરેશાન છે. આ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન આના પર કામ કરી રહ્યું છે. બધા દેશો પોતાના સ્તરે પ્રયાસ કરી રહ્યા છે. સરકારોએ હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરે. એનાથી એનો પૂરી રીતે ખાતમો કરવો સરળ રહેશે ડ્રોનના માધ્યમથી પણ સ્પ્રે કરી શકાય. હવે સરકારે લોકોને ઘણા જાગ્રત કર્યા છે એનાથી લોકો પહેલેથી જ સતર્ક છે. તીડોને દેખતાં ઢોલ અથવા થાળી વગાડવા માંડે છે. આ ટોળું નીચે નથી આવતું. આવી પણ જાય તો અવાજથી ટકતું નથી.

EDએ સ્ટર્લિંગ બાયોટેક મામલે અહેમદ પટેલની પૂછપરછ કરી
નવી દિલ્હીઃ સાંડેસરા ગ્રુપની સામે 5000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી છે. ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક પર ચાલી રહેલા લોન કૌભાંડના મામલે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં આજે EDએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. પ્રમોટર્સ સાંડેસરાબંધુઓ અને અહેમદ પટેલ પરિવારના સંબંધોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીએ અહેમદ પટેલના જમાઈ અને પુત્ર પછી ખુદ પટેલ પર સકંજો કસવો શરૂ કરી દીધો છે.
મની લોન્ડરિંગના મામલે EDની ટીમે પહેલાં પુત્ર અને જમાઈથી પૂછપરછ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ લોન કૌભાંડ કરનારી ગુજરાતની ફાર્મા ક્ષેત્રની કંપની સ્ટર્લિંગ બાયોટેકના સંચાલકોથી અહેમદ પટેલના પુત્ર અને જમાઈના સંબંધોની તપાસ કરી રહી છે. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલનું નિવેદન મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ EDએ નોંધ્યું છે. આરોપ છે કે પુત્ર ફૈસલ અને જમાઈ ઇરફાન સિદ્દીકીએ સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડનાં નાણાંનો ઉપયોગ મની લોન્ડરિંગમાં કર્યો હતો.

શું છે સ્ટર્લિંગ બાયોટેક મામલો
ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રની આ કંપનીનું મેનેજમેન્ટ વડોદરાના સાંડેસરા પરિવાર કરતો હતો. આરોપ છે કે ફાર્મા કંપનીના પ્રમોટર સાંડેસરાબંધુઓ નીતિન અને ચેતન તથા દીપ્તિ સાંડેસરાએ 14,500 કરોડ રૂપિયાનું બેન્ક લોન કૌભાંડ કર્યું હતું. જે દેશ છોડીને ભાગી ગયા હતા. સરકાર તેમને ભાગેડુ જાહેર કરી ચૂકી છે. વેપારનું વિસ્તરણ કરવાની વાત કરીને સાંડેસરાબંધુઓએ સ્ટર્લિંગ બાયોટેકના નામ પર 5383 કરોડ રૂપિયાની લોન લીધી હતૂ. આ લોન આંધ્ર બેન્કની આગેવાનીના બેન્કોના ગ્રુપે આપી હતી, પણ તેમણે જાણીબૂજીને નહોતી ચૂકવી. બેન્કોની ફરિયાદને પગલે સીબીઆઇએ ઓક્ટોબર, 2017માં ફાર્મા કંપનીના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાની સામે છોતરપિંડીનો કેસ નોંધ્યો હતો. EDની તપાસમાં બહાર આવ્યું હતું કે સ્ટર્લિંગ બાયોટેકે બેન્કોથી લોનો લેવા માટે તેમની મુખ્ય કંપનીઓની બેલેન્સશીટમાં આંકડાની ફેરબદલ કરી હતી. EDએ અત્યાર સુધી ત્રણ વાર અહેમદ પટેલના પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી.

રાજીનામું આપનાર કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા
ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. હવે આ 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ આજે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. આ પાંચેય ધારાસભ્યોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. કોરોનાને કારણે કમલમ્ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બાદ અંદર પ્રવેશ અપાયો હતો.

આ પૂર્વ ધારસભ્યો ભાજપમાં જોડાયા
|
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણથી કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે. દેશની જનતાએ જમ્મુ અને કાશ્મીરમાં થી કલમ 370/ 35 એ નું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, રામ જન્મભૂમિનો ચુકાદો અને ત્રિપલ તલાક નાબૂદીના નિર્ણય બાદ કોંગ્રેસનો નકારાત્મક અભિગમ જોયો અને અનુભવ્યો છે. ટુકડે ટુકડે ગેંગ નું સમર્થન કરનાર કોંગ્રેસના આજે ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ટુકડા થઈ રહ્યા છે.

વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, ભાજપાની રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને આ પાંચેય પૂર્વ ધારાસભ્યો ભાજપામાં જોડાઇ રહ્યા છે તે પ્રસંગે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓ વતી હું તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
પંજાબ: નવજોત સિદ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
ચંદીગઢ: પંજાબમાં મોટી રાજકીય હલચલના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ‘અજ્ઞાતવાસ’ (અંડરગ્રાઉન્ડ) માં રહી રહેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ કેપ્ટન અમરિન્દર સિંહ સરકારમાં ફરી જોડાય તેવી શક્યતા છે. અને તેમને નાયબમુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા એવી છે કે, મંત્રીમંડળમાં મોટા ફેરફર થવા જઈ રહ્યા છે. બ્યુરોક્રેસી પ્લાનિંગ કરી રહી છે કે, ક્યા મંત્રીઓની છૂટ્ટી કરવી અને કયા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવા.

સૌથી વધુ ચર્ચા નવજોત સિંહ સિદ્ધૂને લઈને છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં પરત ફરી શકે છે. હકીકતમાં આ ચર્ચા નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસના દિલ્હી દરબારમાં ગયા પછી જ શરૂ થઈ છે. જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હતા અને પાર્ટીના નેતાઓ પર દબાણ લાવી રહ્યા છે કે તેઓ તેમને ફરીથી સ્થાનિક વિભાગ આપવામાં આવે.
બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ કોઈ મંત્રીનો હવાલો પાછો ખેંચીને સિદ્ધુને આપવા નથી માંગતા. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ તેમને વીજળી વિભાગની જવાબદારી માટે ઓફર કરી છે. હાલમાં આ વિભાગ મુખ્યમંત્રી પાસે છે.

હવે પાર્ટી વચ્ચેનો રસ્તો શોધી રહી છે. ચર્ચા છે કે નવજોત સિદ્ધુને ડેપ્યુટી સીએમ બનાવીને તેમને પાવર સેક્રેટરી બનાવવામાં આવશે. તેનાથી મંત્રીમંડળમાં તેનું કદ વધશે અને કોઈ અન્ય મંત્રીના વિભાગમાં ફેરફાર કરવો પડશે નહીં. જો કે, તકનીકી રીતે આ નિર્ણય લેવો સરળ નથી કારણ કે કોંગ્રેસને જાતિ સમીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
કેપ્ટન અમરિન્દર સિંહના મંત્રીમંડળમાં નવજોત સિદ્ધુ દ્વારા જે બેઠક છોડવામાં આવી હતી તે હજુ ખાલી છે. રાણા ગુરજિતે પણ આ બેઠક માટે કેપ્ટન ઉપર દબાણ લાવ્યું છે. સ્પીકર રાણા કેપી સિંહ પણ પ્રધાન બનવાની રેસમાં છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે હંમેશા વિવાદોમાં રહેતા ચરનજીત ચન્નીને હાલના મંત્રી પદ પરથી હટાવીને સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે.
તાજમહેલ પર તાળાબંધીથી લોકોને રોજીરોટીનું સંકટ
આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલના શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પર્યટન ઉદ્યોગની કમર તોડી નાખી છે. 17 માર્ચથી બંધ પડેલા સ્મારકોનાં તાળાં હજી ખૂલશે એવું લાગતું નથી. આ તાળાબંધી જો વધુ લાંબી ચાલશે તો પર્યટન ઉદ્યોગ માટે મુશ્કેલીઓ વધી જશે, જેનાથી બહાર નીકળવું સરળ નહીં હોય. આમ પણ સ્મારકો બંધ હોવાની પ્રતિકૂળ અસર દેખાવા લાગી છે.
પર્યટન ઉદ્યોગ સામેનાં સંકટો
|
આગ્રામાં પર્યટન ઉદ્યોગથી જોડાયેલા 80 ટકા લોકો તાજમહેલથી જોડાયેલા છે. લાંબા લોકડાઉનથી લોકોની હાલત ખરાબ છે અને તેમના માટે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. જ્યારે મોલ અને બજાર ખૂલી શકે તો તાજમહેલ પણ ખૂલવો જોઈએ. આનાથી લોકોને રોજગાર મળશે અને તેમની આવક થશે. અન્ય દેશોની સમાન લોકલ ટુરિઝમ શરૂ કરી શકાય છે.



