નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,922 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,73,105 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,894 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,71,697 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,86,514એ પહોંચી છે. રિકવરી રેટ 57.42 ટકાએ પહોંચ્યો છે. દેશમાં કોરોનાના 75 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
પાછલા 20 કલાકમાં મહત્ત્વના અપડેટ…
દિલ્હીમાં 3788 કોવિડ-19ના નવા કેસો, દિલ્હીમાં 70,000થી વધુ કેસ
તેલંગાણામાં રેમેડિસવિર દવા મળશે
રોગચાળા ની વચ્ચે કર્ણાટક પરીક્ષા લેવા માટે તૈયાર.
પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લોકડાઉન જારી
મૈસુરમાં બજારો બંધ
પંજાબમાં રેસ્ટોરાં ફરી ખોલાશે
મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં કોવિડ-કેર સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ સરકારે પ્રત્યક્ષ કરથી સંબંધિત વિવિધ સમયમર્યાદાને ફરી એક વાર વધારવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે વર્તમાન સ્થિતિને જોતાં સરકારે આ પગલું લીધું છે. સરકાર દ્વારા જારી થયેલા નોટિફિકેશન મુજબ સરકાર દ્વારા પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા, 2019-2020 માટે રોકાણની સમયમર્યાદા અને કંપનીઓ માટેનાં ફોર્મ 16 જારી કરવાની સમયમર્યાદા ફરી એક વાર વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પેન કાર્ડથી લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2021 સુધી વધારી દીધી છે.
હવે રોકાણ કરવાની સમયમર્યાદા 31, જુલાઈ, 2020
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ટેક્સ ક્લેમ માટે રોકાણ કરવાની સમયમર્યાદા 31, જુલાઈ, 2020 સુધી વધારવામાં આવી છે. આ પહેલાં સરકારે આવકવેરામાં છૂટ પ્રાપ્ત કરવા માટે રોકાણની અંતિમ સમયમર્યાદા 30 જૂન નક્કી કરી હતી.સરકાર નાણાકીય વર્ષ, 2019-20ના આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા પહેલેથી જ 30 નવેમ્બર, 2020 સુધી વધારી ચૂકી છે.
નોટિફિકેશન મુજબ કરદાતા નાણાકીય વર્ષ 2018-19ના વિલંબિત અથવા સંશોધિત રિટર્ન હવે 31 જુલાઈ સુધી 2020 સુધી ભરી શકશે.
રૂ. એક લાખ સુધીની સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને વધારાઈ
નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવા માટે સરકારે રૂ. એક લાખ સુધીની સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને વધારીને 30 નવેમ્બર, 2020 કરી દીધી છે. જોકે એ સ્પષ્ટતા પણ કરી છે કે રૂ. એક લાખથી વધુના કરવેરાની જવાબદારીવાળા કરદાતાઓ માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને નથી વધારવામાં આવી. રૂ. એક લાખથી વધુના સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ નિર્ધારિત તારીખ સુધી જ જમા કરાવવાનું રહેશે અને વિલંબથી ભરનારને વ્યાજ ચૂકવવું પડશે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
રશિયાના પાટનગર મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે 24 જૂન, બુધવારે યોજવામાં આવેલી વિક્ટરી ડે પરેડમાં ભારતની સેનાની ત્રણેય પાંખના 75 જવાનોના એક સંયુક્ત સંઘે ભાગ લીધો હતો. 1941-45ની ‘ગ્રેટ પેટ્રિયોટિક વોર’માં સોવિયેત લોકોની જીતના 75મા વાર્ષિક દિનની ઉજવણી રૂપે દર વર્ષે મોસ્કોમાં વિક્ટરી ડે પરેડ યોજવામાં આવે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રેડ સ્ક્વેર ખાતે હાજર હતા અને ભારતીય સૈનિકોની પરેડને નિહાળી હતી. રાજનાથ સિંહે મોસ્કોમાં રશિયાના નાયબ વડા પ્રધાન યુરી ઈવાનોવિચ બોરીસોવ સાથે મુલાકાત કરી હતી.
દુબઈઃ અહીં રહેતા એક ગુજરાતી દંપતીની હત્યા કરવા બદલ પાકિસ્તાની નાગરિકની 24 કલાકથી પણ ઓછા સમયમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 18 જૂનની છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોશ વિસ્તાર અરેબિયન રેન્ચેસમાં રહેતા ગુજરાતી દંપતી – હીરેન અઢિયા અને વિધિ અઢિયાનાં ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો, પરંતુ તેઓ સફાળા જાગી ગયા હતા. તેમણે આરોપીનો સામનો કરતાં આરોપીએ તેમની હત્યા કરી દીધી હતી. આરોપીએ અઢિયા દંપતીની એક પુત્રી ઉપર પણ ચાકુથી હુમલો કર્યો હતો, એ છોકરી ઇજાગ્રસ્ત થઈ હતી, પરંતુ તે હાલ ભયમુક્ત છે. આરોપી આ પહેલાં મેઇનટેઇનન્સ માટે અઢિયા પરિવારના ઘરમાં આવી ચૂક્યો હતો.
હીરેન મોટી કંપનીમાં ડિરેક્ટર હતા
UAEના ન્યૂઝપેપર ખલીજ ટાઇમ્સના જણાવ્યા મુજબ હીરેન અને એમના પત્ની વિધિની ઉંમર 40 વર્ષની આસપાસ હતી. તેમને બે સંતાન છે. 18 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર છે. હીરેન શારજાહની એક મોટી ઓઇલ કંપનીમાં ડિરેક્ટર હતા.
ઘટના કેવી રીતે બની?
આ ઘટના 18 જૂનની રાતે જ્યારે પરિવાર ઊંઘી રહ્યો હતો. આરોપી દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો. એ હીરેનના બેડરૂમમાં પહોંચ્યો હતો, ત્યાં પર્સમાંથી પૈસા તથા અન્ય કીમતી ચીજવસ્તુઓ શોધી રહ્યો હતો, ત્યારે કંઈક અવાજ થતાં હીરેન ઊંઘમાંથી જાગી ગયા હતા. તેમણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે એમની પર ચાકુથી હુમલો કર્યો હતો. ચીસ સાંભળીને વિધિ પણ જાગી ગયાં હતાં. આરોપીએ એમની ઉપર પણ હુમલો કર્યો હતો. પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પુત્રીએ આરોપીને પકડવાના પ્રયાસ કર્યા
હીરેન અને વિધિએ બૂમાબૂમ કર્યા બાદ આરોપી ઘરના ઉપરના માળે ભાગ્યો હતો. ત્યાં દંપતીની પુત્રીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો આરોપીએ છોકરી ઉપર પણ હુમલો કર્યો હતો. છોકરી ઘાયલ થઈ હતી. પણ બાદમાં એણે જ પોલીસને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી.
આરોપીની ધરપકડ
આરોપીને અઢિયા દંપતીની પુત્રીએ જોયો હતો. તેણે પોલીસને માહિતી આપી હતી. 24 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાકિસ્તાની છે. બે વર્ષ પહેલાં એ મેઇનટેનન્સ માટે અઢિયાના ઘેર આવ્યો હતો. હાલમાં તે બેરોજગાર છે. દુબઈ પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે કે અઢિયા પરિવાર શ્રીમંત હોઈ તેણે એમના ઘરમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના વડા રાજ ઠાકરેની ધાક હજી પણ યથાવત્ છે એનો એક વધુ પુરાવો મળ્યો છે. મનસે પાર્ટીએ કરેલી એક માગણીને જાણીતી મ્યુઝિક કંપની T-Seriesએ માન્ય રાખી છે.
પાકિસ્તાની ગાયક આતિફ અસલમે ગાયેલું ‘કિન્ના સોના’ ગીત T-Series કંપનીએ તેની યૂટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધું છે. સાથોસાથ, હવેથી પાકિસ્તાની કલાકારોને કોઈ પણ પ્રકારનો સહકાર આપવામાં નહીં આવે એવી ખાતરી પણ T-Series કંપનીએ રાજ ઠાકરેને લખેલા પત્રમાં આપી છે. આ પત્ર સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. કંપનીએ મરાઠી ભાષામાં જ લખ્યો છે.
2019માં આવેલી ‘મરજાવાં’ ફિલ્મનું રોમેન્ટિક ગીત ‘કિન્ના સોના’, જે મૂળ રીતે મીત બ્રધર્સ, જુબીન નૌટિયાલ અને ધ્વનિ ભાનુશાલીએ ગાયું છે, અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા, રકુલ પ્રીત સિંહ પર ફિલ્માવાયું છે, એને પાકિસ્તાની ગાયક આતિફ અસલમે પોતાના સ્વરમાં ગાઈને હાલમાં જ રિલીઝ કર્યું હતું. બે દિવસ બાદ ટી-સિરીઝે વિડિયોને પ્રાઈવેટ કરી દીધો હતો. આવું એટલા માટે થયું કે જ્યારે ટ્વિટર પર ‘ટેકડાઉન આતિફ અસલમ સોન્ગ’ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ છે તે છતાં ટી-સિરીઝે આતિફ અસલમના ‘કિન્ના સોના’ ગીતને રિલીઝ કર્યું હતું અને એ ગીત ટ્વિટરના ટ્રેન્ડથી લઈને યૂટ્યૂબ પર ઉપલબ્ધ થયું. ભારતીય યૂઝર્સ તેનાથી ભડકી ગયા હતા અને ટી-સિરીઝનો બહિષ્કાર કરવાની માગણી શરૂ થઈ હતી. એને પગલે રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ટી-સિરીઝને ચેતવણી આપી હતી.
આતીફ અસલમ
ટી-સિરીઝે પાકિસ્તાની ગાયકનું ગીત પ્રદર્શિત કર્યા બાદ મનસે પાર્ટીના ચિત્રપટ શાખાના પ્રમુખ અમેય ખોપકરે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. મનસે પાર્ટીના રોષનો સામનો કરવો પડશે એવું જણાતા કંપનીએ પોતાની ભૂલ કબૂલ કરી હતી અને ભારતીયોની જાહેરમાં માફી માગી છે.
ટી-સિરીઝનો પત્ર મનસે પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. ટી-સિરીઝે લખ્યું છે કે, ‘એ ગીત અમારી પ્રમોશન ટીમના એક કર્મચારીએ ટી-સિરીઝની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કર્યું હતું. એને ખબર ન હોવાથી ભૂલ થઈ ગઈ. એ બદલ અમે માફી માગીએ છીએ અને હવે પછી આ ગીત ટી-સિરીઝની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં નહીં આવે કે એને પ્રમોટ કરવામાં પણ નહીં આવે એની ખાતરી આપીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે, 2019માં જમ્મુ-કશ્મીરના પુલવામામાં પાકિસ્તાની ત્રાસવાદીએ હુમલો કર્યા બાદ રાજ ઠાકરેએ દેશની તમામ મ્યુઝિક કંપનીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે એમણે પાકિસ્તાનના એક પણ કલાકાર સાથે કામ કરવું નહીં.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાઈ ગયેલી પ્રધાનમંડળની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે વટહુકમ બહાર પાડીને દેશમાં તમામ 1540 કો-ઓપરેટિવ અને મલ્ટી-સ્ટેટ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંકુશમાં મૂકી દીધી છે. આનાથી આઠ કરોડ 60 લાખ ખાતાધારકોની જમા રકમ સુરક્ષિત થશે.
જાવડેકરે કહ્યું હતું કે દેશમાં 1482 અર્બન કો-ઓપરેટિવ બેન્કો છે અને 58 મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કો છે, એને લઈને વટહુકમ લાવવામાં આવ્યો છે જેને લીધે આ બધી બેન્કો રિઝર્વ બેન્કના નિરીક્ષણ હેઠળ આવી જશે. બધા બેન્કિંગ નિયમ આ કો-ઓપરેટિવ બેન્કોને પણ લાગુ થશે. એનો લાભ એ થશે કે ડિપોઝિટરને વિશ્વાસ બેસશે કે એના પૈસા તેની બેન્કમાં સુરક્ષિત છે. 1540 બેન્કોમાં આઠ કરોડ 60 લાખ ખાતેદારો છે, તેમના રૂ. 4.84 લાખ કરોડ જમા છે. આ પૈસા હવે સુરક્ષિત થશે. રિસ્ટ્રક્ચરિંગના સમયે લોકોને ડર લાગે છે, જે આપણે અગાઉ કેટલાક મામલામાં જોયું, પણ હવે એવું નહીં થાય.
જાવડેકરે કહ્યું હતું કે મુદ્રા લોન યોજના હેઠળ શિશુ મુદ્રા લોન લેનારા 9.37 કરોડ લોકોને વ્યાજમાં બે ટકાની છૂટ મળશે. ફેરિયા અને રેલવેના પાટા નજીક બેસતા ફેરિયા અથવા નાના દુકાનદારો મુદ્રા યોજનાથી પહેલાં શાહુકારોથી પૈસા લે છે. તેમણે બહુ વ્યાજ ચૂકવવું પડતું હતું. હવે તેમને બેન્કો પાસેથી પૈસા મળે છે. તેમને હવે બે ટકાની છૂટ મળશે. નાના માણસને મોટો લાભ આપતી આ યોજના છે. 1 જૂન, 2020થી એ યોજના લાગુ થઈ છે અને 31 મે, 2021 સુધી ચાલશે. આના માટે આ વર્ષમાં રૂ. 1540 કરોડ ખર્ચ કરવામાં આવશે.
કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
પ્રધાને કેબિનેટના નિર્ણયની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે કુશીનગર બુદ્ધ સર્કિટનું કેન્દ્ર છે. ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ નહોતું. હવે કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ત્યાં ત્રણ કિલોમીટરની એર સ્ટ્રિપ બની ચૂકી છે. હવે એરબસ જેવું જહાજ ઊતરી શકે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની સાથે અહીં ફ્લાઇટ્સ આવવા લાગશે. અહીથી બુદ્ધિસ્ટ સર્કિટમાં જનારા લોકોને બહુ લાભ થશે.
ઓબીસી સમાજ માટે મોટ નિર્ણય
ઓબીસી સમાજ માટે મોટો નિર્ણય લીધો છે. એક ઓબીસી કમિશનની રચના થઈ છે, જેનું કામ એ જોવાનું છે કે મિરા આરક્ષણ બધા સુધી પહોંચ્યું શું? નહીં તો શું કરવું જોઈએ? વધુ ને વધુ લોકોને લાભ કેવી રીતે મળશે, એના વિશે ચિંતન કરતાં આ કમિશન ભલામણો આપશે. આ કામ શરૂ થઈ ગયું છે, પણ ત્યાર બાદ એની ટર્મ ઓફ રેફરન્સ બદલવામાં આવશે, કેમ કે એ સમયે જ ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીય જાતિઓ- કેટલાંક રાજ્યોમાં સ્પેલિંગમાં નાનકડા ફેરફારને કારણે એ જાતિઓ આરક્ષણથી વંચિત રહી જાય છે. એટલા માટે એને દૂર કરવાનું કામ ઓબીસી કમિશનને સોંપાયું છે, વચ્ચે સંકટ આવવાને કારણે કામમાં મોડું થયું છે. સરકારે આ માટે રિપોર્ટ આપવાનો સમયગાળો 21 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.