Home Blog Page 4759

પ્રાણાયમ રોગપ્રતિકારક શક્તિ વધારે છેઃ મોદી (વિશ્વ યોગ દિવસ)

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા આજે કોરોના વાઈરસ મહાબીમારીના સકંજા હેઠળ રહીને પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે આ નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે પ્રાણાયમ (શ્વાસ પર નિયંત્રણ કરવાની પદ્ધતિ) કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આજે કોરોના સંકટમાં આની ખાસ જરૂર છે.

મોદીએ કહ્યું કે, આજનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકતાનો દિવસ છે, વિશ્વ બંધુત્વનો દિવસ છે. આપણે બધાં જ ઘરમાં પરિવારજનોની સાથે યોગ કરીએ છીએ. પરિવારના તમામ સભ્યો યોગના માધ્યમથી જોડાય તો સમગ્ર ઘરમાં ઊર્જાનો સંચાર થાય છે.

યોગ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયા બાદ શારીરિક તંદુરસ્તી મેળવવા માટે દુનિયાભરના દેશો યોગવિદ્યા તરફ વળ્યા છે. પ્રાણાયમ શ્વાસને લગતી બીમારીઓ મટાડે છે, એમ પણ વડા પ્રધાને કહ્યું.

વડા પ્રધાને ખાસ એ નોંધ લીધી છે કે યોગ વિદ્યા પૃથ્વી ગ્રહને વધારે સ્વાસ્થ્યસભર બનાવવાની વ્યક્તિની ઝંખનાને દ્રઢ બનાવે છે. આ વિદ્યામાં જાતિ, રંગ, ધર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી. કોરોના વાઈરસ રોગચાળાને કારણે દુનિયાને યોગની જરૂરિયાત સમજાઈ છે. યોગ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. કોરોનાવાઈરસ આપણી શ્વસનક્રિયા ઉપર જ પ્રહાર કરનારો છે. તેથી આપણી શ્વસનક્રિયાને મજબૂત રાખવામાં પ્રાણાયમ ખૂબ જ મદદરૂપ થાય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે યોગવિદ્યા શરીર અને મન વચ્ચે એકરાગતા સ્થાપવામાં મદદરૂપ થાય છે. આ એવું માધ્યમ છે જે કાર્ય અને વિચાર વચ્ચે સમન્વય જાળવે છે. માનવી અને કુદરત વચ્ચે સુમેળ સાધે છે. મોદીજીના પ્રયાસોને કારણે જ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. સમગ્ર માનવજાતને ભારતીય સંસ્કૃતિની આ કિંમતી ભેટ છે.

આજે યોગ દિવસ નિમિત્તે ઘણા લોકોએ યોગ કરતા હોય એવી વ્યક્તિગત કે પરિવારજનો સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ દર વર્ષની 21 જૂનની તારીખને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઘોષિત કરી હતી. આમ, આજનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ છઠ્ઠો છે.

આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ એમના ટ્વિટર હેન્ડલ પર આ સંદેશ પોસ્ટ કર્યો હતો.

રાશિ ભવિષ્ય 21/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 21/06/2020

કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં ઉજવાશે ‘સેલ્યૂટ ટુ અમેરિકા’ સ્વતંત્રતા સમારોહ

વોશિગ્ટન: કોરોના વાઈરસના કહેર વચ્ચે અમેરિકામાં 4 જુલાઈના રોજ દેશમાં ‘સેલ્યૂટ ટૂ અમેરિકા’નું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમ માટેના પ્લાનની પણ જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે, દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ સેલ્યૂટ ટૂ અમેરિકા રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જમા થનારી ભીડને લઈને કેટલાક સાંસદોની ચિંતા છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશમાં આ કાર્યક્રમની ઉજવણીને લઈને તૈયાર છે. મહત્વનું છે કે, દાયકાઓથી વોશિગ્ટનમાં સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેપિટલ લોનમાં સંગીત કાર્યક્રમ અને વોશિગ્ટન સ્મારક નજીક સાંજના સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ આ વર્ષે વ્હાઈટ હાઉસના સાઉથ લોન અને એલેક્સથી આ કાર્યક્રમની મેજબાની કરશે. ત્યારપછી ટ્રમ્પ લોકોને સંબોધિત કરશે. આ સમારોહમાં સંગીત અને સૈન્ય પ્રદર્શન કરવામાં આવશે. ગયા વર્ષે ટ્રમ્પે લિંકન મેમોરિયલમાં આ કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ જણાવ્યું કે, ટ્રમ્પે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહ હશે અને એમાં ભાગ લેનારા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 2019ની સરખામણી વિશેષ ધ્યાન આપવામાં આવશે.  મહત્વનું છે કે, અમેરિકા સમગ્ર વિશ્વમાં એક એવો દેશ છે જે કોરોના વાઈરસ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિતોની સંખ્યા 21 લાખને પાર પહોંચી ગઈ છે તો મૃત્યુઆંક 1 લાખ 12 હજારને પાર પહોંચી ગઈ છે.

અમદાવાદ: મલખમ યોગાની પ્રેક્ટિસ…

અમદાવાદ: વિશ્વ યોગા દિવસ જાહેર થયા પછી જુન મહિનાની શરૂઆતથી જ તૈયારીઓ શરૂ થઇ જાય. ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટ પધ્ધતિ ધ્યાન યોગા પ્રાણાયામ સમગ્ર વિશ્વમાં ખૂબજ પ્રચલિત થયાં છે. આખુંય વિશ્વ 21, જૂન ના રોજ યોગા દિવસ ઉજવે છે.

અત્યારે આખા વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસથી હેરાન પરેશાન છે. સૌ કોરોના સામે લડવા માટે શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે એવા પ્રયત્નો કરે છે. વિટામિન યુક્ત ખોરાક અને કસરત, યોગ પ્રાણાયામ શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દર વર્ષે યોગા ડે ને સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ મોટા પાયે આયોજન કરી ઉજવે છે.

જો કે આ વર્ષે સરકારે જ સૌને ભીડ ભેગી કર્યા વગર યોગા ડે ઉજવવાનું કહ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ગુરુકુલમાં વિશિષ્ટ કળા એવા મલખમ યોગાની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)

LAC પર PMના નિવેદનનો ખોટો અર્થ કાઢવાના પ્રયાસઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત-ચીન સરહદે લઈને આપેલા નિવેદનને તોડીમરોડીનો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં જણાવવામાં આવ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાનના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતે ચીની આક્રમકતાને સામને આત્મસમર્પણ કરી દીધું છે.

વડા પ્રધાનનો ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર  

વડા પ્રધાને આ બેઠકમાં ચીની સૈનિકના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું હતું કે વડા પ્રધાનને આ વાતને લઈને આશ્વસ્ત હતા કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કોઈ પણ પ્રકારના હુમલાના પ્રયાસના જવાબ ભારતીય સૈનિક નિશ્ચિત રીતે આપશે. તેમણે આના પર વિશેષ ભાર આપ્યો હતો કે પહેલાં સામે આવેલા આ પ્રકારના પડકારોની તુલનામાં અત્યારે વધુ સારી રીતે ભારતીય સેના વળતો જવાબ આપે છે. સર્વપક્ષી બેઠકને એ જાણ કરવામાં આવે છે કે આ વખતે ચીની દળો પૂરી હિંમતથી સરહદની તરફ આગળ વધ્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.

20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષી બેઠકમાં ભારત-ચીન સરહદે તનાવપૂર્ણ સ્થિતિ અને બંને દેશોની સેના વચ્ચે હિંસક ટકરાવને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં તમામ પશ્રોના નેતાઓએ આ સંવેદનશીલ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.આ વર્ચ્યુઅલ બેઠકની શરૂઆતમાં ચીની સૈનિકોની સાથે હિંસક ટકરાવમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર સૈનિકોના સન્માનમાં શાંતિથી ઊભા રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ બેઠકમાં અનેક નેતાઓ હાજર

આ બેઠકમાં ભાજપરપ્રમુખ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, NCPના નેતા શરદ પવાર, TCR નેતા કે ચંદ્રશેખર રાવ, JDU નેતા નીતીશકુમાર, DMKના એમકે સ્ટાલિન, YSR કોંગ્રેસના YES જગન રેડ્ડી અને શિવસેનાના નેત ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય નેતાઓ હાજર હતા.

 

 

 

વિશ્વના 10 સૌથી વધુ શ્રીમંતોમાં રિલાયન્સના મુકેશ અંબાણીનો સમાવેશ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10 સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. કંપનીની ડિજિટલ વિંગ એટલે કે જિયો પ્લેટફોર્મ્સમાં આવેલા તાજા વૈશ્વિક મૂડીરોકાણ અને કંપનીના શેરના ભાવમાં આવેલા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે અંબાણીની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અંબાણી ફોર્બ્સની અબજપતિઓની રિયલ ટાઇમ યાદીમાં નવમા સ્થાન પર છે. તેઓ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં નવમાં સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત શુક્રવારે રૂ. 1788ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં હાલમાં આવેલા ભારે મૂડીરોકાણને કારણે 63 વર્ષીય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ સાડા 64 અબજ ડોલરે પહોંચી છે.

એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે

ફોર્બ્સના ટોચના માલેતુજારોની યાદીમાં એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે છે. તેમની પાસે 160 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સનું સ્થાન આવે છે. ગેટ્સની પાસે કુલ 108.7 અબજ ડોલરની સંપત્તિ છે. ફ્રાંસના બર્નાર્ડ અર્નોલ્ટ અને તેમનો પરિવાર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની પાસે 103.2 અબજ ડોલરની સંપત્તિ છે.

ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સૌથી નાની ઉંમરના

ફેસબુકના માર્ક ઝુકરબર્ગ 87.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યોદીમાં સૌથી નાની ઉંમરના છે. ઝુકરબર્ગની વય માત્ર 36 વર્ષ છે. આ યાદીમાં વોરેન બફેટ પાંચમા નંબરે છે. બફેટની કુલ સંપત્તિ 71.4 અબજ ડોલર આંકવામાં આવી છે.

ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના

વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં અમેરિકી ઉદ્યોગપતિઓનો દબદબો છે. ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના છે. ટોચના 10 શ્રીમંતોમાં ફ્રાન્સ અને સ્પેનના એક-એક ઉદ્યોગપતિ સામેલ છે.

આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન

આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન છે. ફોર્બ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ મૂલ્યવાન કંપનીનું નેતૃત્વ કરે છે. અંબાણીની પાસે યુનિવર્સિટી ઓફ બોમ્બેથી બેચલર ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગી ડિગ્રી છે.

 

 

 

કોરોનાના વધતા કેસો જોતાં ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને હોસ્પિટલોમાં બેડની ઊણપને જોતાં રેલવેએ ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવ્યા છે. ભારતીય રેલવેએ કોરોના દર્દીઓને ક્વોરોન્ટિન કરવા માટે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે 5231 કોચ તૈયાર કર્યા છે. આ કોચોને જરૂર મુજબ રાજ્ય સરકારોના અનુરોધ પર તહેનાત કરવામાં આવશે.કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના કોચોના જાળવણીની જવાબદારી રેલવેની હશે, જ્યારે સારવાર સુવિધા રાજ્ય સરકારો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવેના કોચોને કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરતાં પહેલાં નીતિ આયોગ અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે ચર્ચા કરવામાં આવી. રેલવેએ કહ્યું હતું કે નીતિ આયોગ અને સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે NON-AC ડબ્બા AC ડબ્બાની તુલનામાં કોવિડ-19 નિયંત્રણ માટે વધુ સુલભ છે.

ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેના નુસખા

કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેએ ગરમીને રોકતા પેઇન્ટ અને વાંસના પડદા સિવાય બબલ રૈપ્સ જેવા નવા પ્રયોગોનો ઉપયોગ કરી રહી છે. રેલવેએ કહ્યું હતું કે આ ડબ્બાને શીટથી ઢાંકવામાં આવી રહ્યા છે, જેથી અંદરથી એ ઠંડા રહી શકે. બબલ રૈપ્સ એટલે કે પરપટાવાળી પોલિથિનને પણ ડબ્બાને લપેટી દેવામાં આવે છે, જેના દ્વારા ડબ્બાની અંદરનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની ધારણા છે.   

રેલવે દ્વારા આઇસોલેટેડ કોચોની છત પણ હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટની સાથે પેઇન્ટ કરવામાં આવી છે. આ પરીક્ષણ દરમ્યાન એમ માલૂમ પડ્યું કે ડબ્બાની અંદર તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું કરી શકાય છે. રેલવેના જણાવ્યા મુજબ એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવા પર યોગ્ય કૂલર પણ લગાવીને અજમાવવામાં આવ્યા છે. એ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો કરવામાં મદદગાર સાબિત થયા. ડબ્બાના ઠંડા રાખવાથી દર્દીઓને ગરમીથી પરેશાન નહીં થવું પડે.

રેલવેના નિવેદન મુજબ AC ડબ્બાના ઉપયોગથી સંક્રમણના પ્રસારના જોખમ થઈ શકે છે, એટલે નીતિ આયોગ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વચ્ચે થયેલી ચર્ચા પછી કોવિડ કેરવાળા ડબ્બામાં ACનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

શાળાના મહિલા ડિરેકટર બન્યા શિક્ષામાતા

રાજકોટ: ઝવેરી જેમ હીરાને પરખે તેમ શાળાના મહિલા ડિરેક્ટરે વિદ્યાર્થિનીને પરખી ધોરણ 4થી શિક્ષામાતા બની 12 કોમર્સ સુધી અભ્યાસ કરાવ્યો અને હજુ CA બનવાનું સપનું સાકાર કરાવશે. કાજલ ધોરણ 4થી તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેના પિતા ધાનસુરભાઈ માસિક રૂપિયા ચાર પાંચ હજારની છૂટક મજૂરી કરી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થિનીની ભણવાની ધગશને ધ્યાને લઇ શાળા પરિવાર દ્વારા છેલ્લા 9 વર્ષથી તેની ફીમાં 50 ટકા રાહત કરી આપી પુસ્તકો રેફરન્સ મટિરિયલ્સ તેમજ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે તેને સફળતાના શિખરો સર કરાવવા શિક્ષામાતા બનેલા ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે.ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી ચોરડી ગામની કાજલે ધોરણ 12 કોમર્સમાં 98.98 પીઆર મેળવી શાળા પરિવાર સાથે ગોંડલનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના ચેરમેન મધુસુદનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, શાળાના ડિરેક્ટર દર્શના મેડમે આજથી 9 વર્ષ પહેલાં જેમ ઝવેરી હીરાની પરખ કરે તેમ કાજલની ભણવાની ધગશને પારખી લીધી હતી. કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તેને સફળતા ના શિખરો સર કરાવવા શિક્ષા માતા બનેલ ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે

(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ

અમદાવાદ: 19 વર્ષની નિધિ બારોટ…. આ નામ નળકાંઠાના અંતરિયાળ ગામોમાં બીજી રીતે ગુંજે છે. આ ગામોમાં થોડા સમય પહેલા યોગ એટલે શું એ બહુ ઓછા લોકો જાણતા હતા પણ આજે આ ગામોનો પ્રત્યેક વ્યક્તિ નિધિને વ્યક્તિગત રીતે ઓળખે છે.

નિધિ બારોટ આમ તો ગામની ‘છોરી’ કહેવાય… ગામમાં જ ઉછરી છે…. નળકાંઠાના આંતરિયાળ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓના ભુલકાઓને યોગ શીખવાડવા જાય છે. આમ તો નિધિએ અભ્યાસમાં લકુલિશ યોગ યુનિવર્સીટીની વિદ્યાર્થી છે પણ અભ્યાસ સાથે સાથે આ ગામડાઓમાં બાળકોને યોગની તાલીમ આપવાનું કાર્ય હાથ ધરેલ છે.

૨૧ જૂન…વિશ્વ યોગ દિન… રાજ્ય- દેશ સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે… આપણા શાસ્ત્રોમાં પણ યોગનો મહિમા વર્ણવાયો છે. ગામડા ગામમાં સામે ચાલીને જઈને બાળકોને યોગ શીખવાડવાનું બીડુ નિધિએ સ્વયં ઝડપ્યું છે.

માનવ સેર્વા ટ્રસ્ટના મનુભાઈ બારોટ કહે છે કે, ‘ માનવ સેવા ટ્રસ્ટ અને બૉસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા સર્વગ્રાહી શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત નિધિ સાણંદ તાલુકાના અણિયારી, ઝાંપ, વનાળીયા, કુબા, કુંડલ, ગોવિંદા, ઉપરદલ,પાવા,મેલાસણા,રણમલગઢ,ખીચા,લેખમ્બા,શ્રીનગર,નાની કિશોલ,મોટી કિશોલ, કરનગઢ, લીલાપુર, જેવા ગામમોમાં પ્રાથમિક શાળાઓમાં યોગની પ્રાથમિક તાલીમ આપે છે. એટલું જ નહી પરંતુ આ સાથે નિધિએ અરવિંદ જેવી મોટી કંપનીઓના કર્મચારીઓને પણ યોગની તાલીમ આપી છે. પોતાના અભ્યાસ સાથે આટલી નાની ઉંમરમાં પણ લોકોને કંઈક આપવાની ભાવના બાળપણથી જ નિધિમાં જન્મી છે…