Home Blog Page 4764

ગેંગસ્ટર છોટા શકીલની બીજી બહેનનું પણ કોરોનાથી મૃત્યુ

મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન, મુંબઈના 1993ના બોમ્બ બ્લાસ્ટ્સના આરોપી દાઉદ ઈબ્રાહિમના સાગરિત અને કુખ્યાત ગેંગસ્ટર છોટા શકીલની મોટી બહેન હમિદાનું મૃત્યુ થયું છે. કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાને કારણે એનું મૃત્યુ થયું છે. પડોશના થાણે જિલ્લાના મુંબ્રા શહેરની એક હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી.

ગયા મહિને છોટા શકીલની નાની બહેન ફહમિદા શેખનું પણ કોરોના મહાબીમારીને કારણે મૃત્યુ થયું હતું. આમ, એક મહિનાની અંદર છોટા શકીલની બંને બહેનનું મૃત્યુ થયું છે.

કહેવાય છે કે છોટા શકીલ એના પરિવાર સાથે કરાચીમાં રહે છે.

થોડા દિવસ પહેલા અહેવાલો હતા કે દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાઈરસને કારણે મૃત્યુ થયું છે, પણ ગુપ્તચર વિભાગ તરફથી એ વિશે કોઈ સમર્થન આવ્યું નથી.

ગયા મહિને ફહમિદા શેખનું ન્યુમોનિયાને કારણે અવસાન થયું હતું. એણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. અમુક અહેવાલોનો એવો દાવો હતો કે બ્રેઈન હેમરેજની સારવાર દરમિયાન એને ન્યૂમોનિયા થયો હતો. એનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એ વખતે એના ડ્રાઈવર અલ્તાફનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એને કારણે, થાણેના મ્યુનિસિપલ કમિશનરે ફહમિદાનાં પતિ આરીફ અબૂબકર શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનો બંગલો થોડા સમય માટે સીલ કરી દીધો હતો.

BS-4 વાહનોના મામલે નિયમોમાં ઢીલથી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશમાં BS-4ના માપદંડવાળાં વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની મંજૂરી આપવી નહીં, કારણ કે આ પ્રકારનાં વાહનોથી થતું પ્રદૂષણ ખતરનાક હોય છે અને લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. કોર્ટે 27 માર્ચના આદેશના ઉલ્લંઘન પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કોરોના વાઇરસને પગલે લોકડાઉન હટાવ્યા પછી દિલ્હી સિવાય દેશમાં BS-4 વાહનોની સીમિત સંખ્યામાં વેચાણને 10 દિવસ માટે મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લી તારીખ 31 માર્ચ હતી

કોર્ટે આ વર્ષે 27 માર્ચે કહ્યું હતું કે તે 25 માર્ચને લાગુ થયેલા લોકડાઉનને કારણે વ્યર્થ ગયેલા છ દિવસની ભરપાઈ કરવા માટે ના વેચાયેલાં BS-4નાં વાહનોના 10 ટકા વેચાણની મંજૂરી આપી રહી છે. સર્વોચ્ચ અદાલતે આ પહેલાં BS-4 માપદંડવાળાં વાહનોના વેચાણની સમયમર્યાદા 31 માર્ચ, 2020 નિર્ધારિત કરી હતી. કોર્ટે આવાં 1.05 લાખ ટૂ વ્હીલર્સ વાહનો, 2250 પેસેન્જર કારો અને 2000 કોમર્શિયલ વાહનોના રજિસ્ટ્રેશનને પણ મંજૂરી આપી હતી, જે વેચાઈ તો ગયા હતાં, પણ એમનું રજિસ્ટ્રેશન નહોતું થઈ શક્યું.

કોર્ટે 2018માં આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર, 2018માં કહ્યું હતું કે ભારતમાં 1 એપ્રિલ, 2020થી કોઈ પણ BS-4 વાહનો વેચાવા ન જોઈએ. કેન્દ્રએ 2016માં કહ્યું હતું કે ભારત BS-5 માપદંડોવાળાં વાહનોથી છુટકારો મેળવશે અને 2020 સુધીમાં BS-6 માપદંડોવાળાં વાહનોને અપનાવશે.

કોર્ટને જાણ કર્યા વિના રજિસ્ટ્રેશન નહીં

ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠે સોમવારે આ મામલે સુનાવણી વિડિયો કોન્ફરન્સિંગથી કરતાં કહ્યું હતું કે એ ઉલ્લેખ ચોંકાવનારો છે કે ત્રીજી મે લોકડાઉન હટાવ્યા પછી જ્યારે વેચાણ થયું છે તો અમારા આદેશના અનુરૂપ દેશમાં કેટલાં વાહનોનાં વેચાણ થયાં છે, એની આ અદાલતને જાણ કર્યા વિના રજિસ્ટ્રેશન ના થઈ શકે.

BS-4 વાહનોનાં વેચાણ અને રજિસ્ટ્રેશન માટે મંજૂરી નહીં

ખંડપીઠે આદેશમાં કહ્યું છે કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે BS-4 વાહનોના કોઈ વેચાણ અને રજિસ્ટ્રેશનને મંજૂરી નથી. કોર્ટે કહ્યું છે કે 10 ટકામાંથી વેચાયેલાં વાહનોનાં રજિસ્ટ્રેશન કોર્ટ દ્વારા માર્ચમાં અપાયેલા આદેશના અનુરૂપ વિવરણ જમા કર્યા વગર ના થઈ શકે.

આદેશનું ઉલ્લંઘન

ખંડપીઠે કહ્યું હતું કે આ કોર્ટ દ્વારા (27 માર્ચે) આપવામાં આવેલા બીજા ભાગમાં સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. 13 જૂન, 2020એ અધૂરા એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. ખંડપીઠે કહ્યું છે કે એના આદેશના પહેલા હિસ્સાનું પણ ઉલ્લંઘન થયું છે.

19 જૂન આગામી સુનાવણી

ખંડપીઠે કેન્દ્ર દ્વારા વધારાના સોલિસિટર જનરલ એએનએસ નાડકર્ણીને આ વિશે બધી RTOથી વિગતો એકત્ર કરવા કહ્યું છે અને કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉન હટાવ્યા બાદ દેશમાં કેટલા BS-4 વાહનો વેચાયાં છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 જૂને થશે.

લદાખ સરહદે ચીની સૈનિકો સાથે અથડામણઃ 3 જવાન શહીદ

લદાખઃ આ કેન્દ્રશાસિત પ્રદેશના ગાલવાન ખીણવિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગઈ કાલે રાતે ભારત અને ચીન વચ્ચે લશ્કરી તંગદિલી ઊભી થઈ હતી. બંને દેશના સૈન્યએ તે વિસ્તારમાંથી પોતપોતાના સૈનિકોને હટાવી લઈને તંગદિલી દૂર કરવાનું નક્કી કર્યું છે. તે (ડી-એસ્કેલેશન) પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન બંને દેશના સૈનિકો હિંસક અથડામણ ફાટી નીકળી હતી. એમાં ભારતના એક લશ્કરી અધિકારી અને બે જવાન શહીદ થયા છે.

બાદમાં ભારતીય લશ્કરે નિવેદન આપ્યું હતું કે માત્ર ભારત જ નહીં, પણ ચીનના પક્ષે પણ જાનહાનિ થઈ છે.

આમ, ભારતે ચીનને એની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે. ભારતના વળતા પ્રહારમાં ચીનના પાંચ સૈનિક માર્યા ગયા છે.

45 વર્ષ પછી પહેલી જ વાર ભારત અને ચીનના લશ્કર વચ્ચે હિંસક અથડામણ થઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, સેનાની ત્રણેય પાંખના વડા અને વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.

ભારત પક્ષે શહીદ થનાર 3 જવાનમાં એક કર્નલ રેન્કના અધિકારી છે તથા અન્ય બે જવાન છે. શહીદ અધિકારી આર્મીની ઈન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડર હતા.

ગૂગલ આસિસ્ટન્ટમાં આ નવા ‘વોઈસ મેચ’ ફિચર વિશે જાણ્યું?

ગૂગલ અવાર નવાર તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર લઈને આવે છે. આ વખતે ગૂગલે ‘ગૂગલ આસિસ્ટન્ટ’માં એક નવું ફિચર ‘વોઈસ મેચ’ લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી ગૂગલ આસિસ્ટન્ટ પરિવારના સભ્યોનો અવાજ ઓળખી શકશે. આ ફિચરમાં છ લોકોનો અવાજ ઓળખી શકવાની ક્ષમતા છે.


આ ફિચર ગૂગલ આસિસ્ટન્ટની સપોર્ટિંગ ડિવાઈસ સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ડિસ્પ્લેની મદદથી કામ કરશે. જે લોકોની ડિવાઈસ કોઈ અન્ય લોકો પણ ઉપયોગ કરે છે તેને આ ફિચરથી ઘણો ફાયદો થશે. આ ફિચરથી ડિવાઈસને પર્સનલાઈઝ્ડ કરી શકાશે.

આ ફિચરના રોલઆઉટ સાથે જ એક જ ડિવાઈસ પર અલગ અલગ યુઝર્સ તેમના વોઈસના આધારે રિઝલ્ટ મળવી શકશે. આ ઉપરાંત તમે કેલેન્ડર રિમાઈન્ડર, મેપ વગેરે મેળવી શકશો.

આ ઉપરાંત કંપનીએ સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ ડિસ્પ્લેના ગૂગલ આસિસ્ટન્ટમાં નવી હોટવર્ડ સેન્સિટિવિટી સેટિંગને પણ ઉમેરવામાં આવ્યું છે. જેની મદદથી યૂઝર્સ ગૂગલ આસિસ્ટન્ટના હોટવર્ડ ‘Hey Google’ ના પ્રતિસાદને સમાયોજિત (એડજસ્ટ) કરી શકશે. સાથે જ નવું ડિફોલ્ટ સ્પીકર સેટિગ્સ પણ મળશે. જેની મદદથી તમે એક થી વધુ ગૂગલ આસિસ્ટન્ટ ડિવાઈસ જોડવા પર તેમની ડિફોલ્ટ સેટિંગ નક્કી કરી શકાશે. એટલે કે જો તમારી પાસે સ્માર્ટ સ્પીકર્સ છે તો તમે તેને વોઈસ કમાન્ડ આપીને મ્યૂઝિક સાંભળી શકશો.

કોરોનાના 10,667 નવા કેસ, 380નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 3,43,091 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 10,667 નવા કેસો સામે આવ્યા છે અને 380 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી 9920 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 1,80,013 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 52.46 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાન હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનની અચાનક તબિયત ખરાબ છતાં દિલ્હીસ્થિત રાજીવ ગાંધી સુપરસ્પેશિયલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવ હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, જેથી તેમને કોરોના સંક્રમણની આંશકા દર્શાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 81 લાખને પાર

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 81 લાખને પાર થઈ ગઈ છે. એ આંકડો દરરોજ વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4,39,061 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી આ બીમારીમાંથી  42,13,284 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

5.8ની તીવ્રતાના ભૂકંપથી જમ્મુ-કશ્મીરની ધરતી ધ્રૂજી

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.8ની માપી ગઈ છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી. અધિકારીઓના જણાવ્યાનુસાર ભૂકંપ સવારે સાત કલાકે આવ્યો હતો. અને એનું કેન્દ્ર તાજિકિસ્તાન હતું. શ્રીનગર, કિશ્તવાડ અને ડોડા જિલ્લા સહિત કાશ્મીર ખીણના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાનના દસહાંબેથી 341 કિલોમીટર દૂર

અન્ય એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ તાજિકિસ્તાન સહિત આસપાસના વિસ્તારોમાં મંગળવારે સવારે ભૂકંપ આવ્યો હતો. સવારે સાત કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 6.8ની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાનના દસહાંબેથી 341 કિલોમીટર દૂર હતું. એની અસર જમ્મુ-કાશ્મીર સુધી જોવા મળી હતી.

કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  પાછલા કેટલાક દિવસોમાં કેટલીય વાર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સોમવારે 4.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની હતી

ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9

આ પહેલાં નવ જૂને જમ્મુ-કાશ્મીરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નવ જૂને સવારે 8.16 કલાકે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.9 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ શ્રીનગરથી 14 કિલોમીટર નોર્થ અને ગાંદરબેલના દક્ષિણ-પૂર્વમાં સાત કિલોમીટર દૂર હતું.

ગુજરાતમાં પણ ભૂકંપના ઝટકા

ગુજરાતમાં પણ  સોમવારે ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં બપોરે 12.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5ની રહી હતી. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 15 કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકા પછી લોકો ઘરની બહાર નીકળ્યા હતા. જોકે હજી જાનમાલનું નુકસાનના સમાચાર નથી.

આ પહેલાં રવિવારે કચ્છમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે આ ભૂકંપ ચાર સેકન્ડનો હતો. જોકે લોકોમાં ઢર પેસી ગયો હતો અને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.  આ ભૂકંપનું કેન્દ્ર કચછમાં ભચાઉની પાસે 10 કિલોમીટર હતું. આ ભૂકંપ પછી કચ્છના કેટલાં ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.

 

 

 

આરોગ્ય વીમાઃ 8 વર્ષ સુધી પ્રીમિયમ ભરનારના ક્લેમ સામે સવાલ ઉઠાવાશે નહીં

નવી દિલ્હીઃ દેશમાં વીમા નિયામક એજન્સી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ તાજા દિશા-નિર્દેશમાં કહ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ સતત આઠ વર્ષ સુધી પ્રીમિયમ લીધા પછી વીમાના દાવા પર વાંધો ન ઉઠાવી શકે. IRDAIએ આ દિશા-નિર્દેશોનો ઉદ્દેશ ખામી આધારિત હેલ્થ વીમા (વ્યક્તિગત દુર્ઘટના અને ઘરેલુ-વિદેશી યાત્રા સિવાય) ઉત્પાદનો વીમાની રકમ મેળવવાના સામાન્ય નિયમો અને શરતોનો એક માપદંડ બનાવવાનો છે. એના માટે પોલિસી કોન્ટ્રેક્ટના સામાન્ય નિયમો અને શરતોની ભાષાને સરળ બનાવવામાં આવશે અને ઉદ્યોગમાં એકરૂપતા લાવવામાં આવશે.  

પોલિસીને લઈને કોઈ પુર્નવિચાર લાગુ નહીં

ઇરડાએ કહ્યું છે કે હાલની આરોગ્ય વીમા પ્રોડક્ટ-જે નિર્દેશો અનુસાર નથી, એને એક એપ્રિલ, 2021થી રિન્યુઅલના સમયને સંશોધિત કરવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ કહ્યું છે કે પોલિસીનાં સતત આઠ વર્ષ પૂરાં થયા પછી પોલિસીને લઈને કોઈ પુર્નવિચાર લાગુ નહીં થાય.

કોઈ પણ ક્લેમ પર વિવાદ નહીં

આ સમયગાળો વીત્યા પછી કોઈ પણ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની કોઈ પણ ક્લેમ પર વિવાદ નહીં કરી શકે. જોકે આમાં છેતરપિંડીના પુરાવા થયેલા કેસ સામેલ નથી. પોલિસી કરારમાં સ્થાયી રૂપથી જે બાબતો અલગ રાખી હોય, એને પણ સામેલ નહીં માનવામાં આવે. એની સાથે પોલિસી કરાર અનુસાર બધી લિમિટ, સબ-લિમિટ અને સબ-પેમેન્ટ અને કાપ લાગુ હશે. આઠ વર્ષોના આ સમયગાળાને મોરાટોરિયમ પિરિયડ કહેવામાં આવશે.

આ પ્રતિબંધ પહેલી પોલિસીની વીમા રકમ માટે લાગુ હશે

નિયામકે આરોગ્ય વીમા પોલિસી કરારમાં સામાન્ય નિયમ અને શરતોના માપદંડો પર જારી દિશા-નિર્દેશોમાં કહ્યું છે કે આ પ્રતિબંધ પહેલી પોલિસીની વીમા રકમ માટે લાગુ હશે અને એ પછી સતત આઠ વર્ષ પૂરાં થયાના વધેલી વીમા રકમની તારીખ પછી માત્ર વધેલી વીમા રકમ પર લાગુ થશે.

દાવાની વિલંબિત ચુકવણીમાં વ્યાજ ચૂકવવું પડશે

દાવાની પતાવટ પર નિયામકે કહ્યું છે કે બધા જરૂરી ડોક્યુમેન્ટ મળ્યાના 30 દિવસોની અંદર વીમા કંપની માટે દાવાની ચુકવણી અથવા એના અસ્વીકાર કરવો જરૂરી છે. કોઈ દાવાની ચુકવણીમાં વિલંબને મામલામાં નિયામકે કહ્યું છે કે આવામાં વીમા કંપનીએ વ્યાજની ચુકવણી કરવી પડશે.

પંચાંગ: 16/06/2020

રાશિ ભવિષ્ય 16/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

સુશાંત સિંહ રાજપૂત પંચતત્ત્વમાં વિલીન થયોઃ દુઃખદ તસવીરો…

બોલીવૂડના તેજસ્વી, યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરના 15 જૂન, સોમવારે મુંબઈના વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતના પિતા કૃષ્ણકુમાર સિંહે અગ્નિદાહ આપ્યો હતો અને ત્યારે તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. એ વખતે સુશાંતની બે બહેન પણ હાજર હતી. અભિનેતાને આખરી વિદાય આપવા માટે શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, વિવેક ઓબેરોય જેવા બોલીવૂડના અનેક સિતારાઓ પણ હાજર રહ્યા હતા. સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તિ પણ હાજર રહી હતી. સુશાંત સિંહ 14 જૂન, રવિવારે બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં લટકતી હાલતમાં, મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું પોલીસનું માનવું છે.