Home Blog Page 4770

સ્માર્ટફોનમાં ઇન્ટરનલ સ્પેસ ઓછી છે? અપનાવો આ આઇડિયા…

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોને તેમના ફોનમાં ઓછી સ્પેસની સમસ્યા સતાવતી હોય છે. દરરોજ વોટ્સએપ પર હજારો સંદેશ, ફોટો મેસેજીસ અને વિડિયો આવતા હોય છે, જેને લીધે સ્માર્ટફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ ઓછી થવા લાગે છે. જો તમારા ફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ ફુલ રહેશે તો એની અસર ફોનના પર્ફોર્મન્સ પર પડશે. આવામાં અહીં અમે તમને તમારા સ્માર્ટફોનમાં સ્ટોરેજ કઈ રીતે વધારી શકો છો, એની માહિતી આપીએ છીએ… ફાલતુ ફાઇલ્સને આ રીતે ડિલીટ કરો

જો તમે તમારા ફોનમાં એક-એક ફોટો અથવા વિડિયો ડિલીટ કરશો તો તમારો ઘણો સમય બરબાદ થશે. એટલે સૌથી પહેલા તમારો ફોન લેપટોપ કે ડેસ્કટોપ સાથે એટેચ્ડ કરો. ત્યાર બાદ ફાલતુ ફાઇલ્સને ડિલીટ કરીને તમે તમારા ફોનમાં સ્ટોરેજ વધારી શકો છો.

નકામી એપ ડિલિટ કરો

જો તમારા સ્માર્ટફોનમાં ઘણી બધી એપ હોય અને તમે કેટલીકનો ઉપયોગ ન કરતા હો તો સૌથી પહેલાં એવી એપને દૂર કરો. એનાથી ફોનમાં સ્પેસ તો વધશે જ, સાથે પર્ફોર્મન્સ પણ સ્મૂથ રહેશે.

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો એના સેટિંગમાં જઈને આ રીતે નકામી ફાઈલ્સ અને એપ્સ ક્લીયર કરવાથી ફોનમાં સ્ટોરેજ વધી જશે અને ફોન પણ સ્મૂથ પણ ચાલશે. આવું દરરોજ કરવું પડશે, જેથી ફોન સારી રીતે ચાલે.

એક્સ્ટ્રા ફાઇલ્સ ડિલિટ કરો

જો તમે આઈફોનનો ઉપયોગ કરતા હો તો તમે ફોનના સેટિંગ્સમાં જઈને જનરલ પર ક્લિક કરો અને ત્યાર બાદ સ્ટોરેજ અને iકલાઉડ સ્ટોરેજ પર ક્લિક કરો. એ પછી મુખ્ય સ્ટોરેજમાં જાઓ, જ્યાં તમને તમારો ફોનનું સ્ટોરેજ અને તેનું ડિવિઝન દેખાશે, એ પછી તમે એક્સ્ટ્રા ફાઇલ્સ ડિલિટ કરી શકો છો અને સ્પેસ વધારી શકો છો.

માઇક્રો એસડી કાર્ડની મદદ લો

ફોનમાં એક્સ્ટ્રા સ્પેસ બનાવવા માટે તમે માઇક્રો એસડી કાર્ડની મદદ લઈ શકો છો અને હેવી ફાઇલ્સને કાર્ડમાં મુવ કરીને ફોનના સ્ટોરેજમાં સારી સ્પેસ બનાવી શકો છો.

ક્લાઉડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરો

ઈ-મેલથી જોડાયેલી ફાઇલ્સને આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ, જેથી ફોનમાં એ ફાઇલ સેવ થઈ જાય છે. આવું બધાની સાથે દરરોજ બનતું હોય છે. એટલે આવી ફાઇલ્સને ડિલિટ કરીને તમે સારી સ્પેસ વધારી શકો છો. તમે ક્લાઉડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીને ફોનમાં સ્પેસ બનાવી શકો છો.

NSEનું NOW સોફ્ટવેર બંધ થવાની જાહેરાત બાદ બ્રોકરેજીસને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવાની ઓડિનની જાહેરાત

મુંબઈઃ એક બાજુ કોવિડ-૧૯ની કટોકટી ચાલી રહી છે એવા સમયે એનએસઈએ પોતાનું ટ્રેડિંગ સોફ્ટવેર ‘નાઉ’ બંધ કરવાનું જાહેર કર્યું છે. આથી ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની મુખ્ય પ્રોડક્ટ ઓડિને  બ્રોકરેજ હાઉસીસની સાથે ખભેથી ખભો મિલાવવાનો નિર્ણય લીધો છે.

કંપનીની અખબારી યાદીમાં જણાવાયા મુજબ ટ્રેડિંગ સોફ્ટવેર ક્ષેત્રે રિટેલ માર્કેટમાં આશરે ૭૦ ટકા હિસ્સો ધરાવતા ઓડિને નક્કી કર્યું છે કે બ્રોકરેજ હાઉસીસને એનએસઈના નાઉ સોફ્ટવેરમાંથી સ્થળાંતર કરવાનું આસાન બને અને બિઝનેસ સહેલાઈથી પૂર્વવત્ ચાલ્યા કરે એ હેતુથી ઓડિનના ભાવમાં તથા ટેક્નોલોજીકલ સપોર્ટમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

નોંધનીય છે કે ઇનોવેશન તરીકે સર્જાયેલા ઓડિન સોફ્ટવેરે તેની શરૂઆત થયાના થોડા જ સમયમાં કાંઠુ કાઢ્યું અને વિશ્વભરના ટ્રેડિંગ ટર્મિનલ ક્ષેત્રે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. આજ સુધી એણે પોતાનું ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે.

આ બાબતે કંપનીના બ્રોકરેજ ટેક્નોલોજી સોલ્યુશન્સ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેશવ સામંતે જણાવ્યું છે કે ઉપયોગકર્તાને ઘણી સહેલી લાગે એવી પ્રોડક્ટ તરીકે ઓડિનનો વિકાસ અવિરત રાખવાની સાથે સાથે નાણાકીય બજારોની સેવા કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે. ઓડિનને અદ્યતન સોલ્યુશન્સ સાથેનું વધુ ઇનોવેટિવ પ્લેટફોર્મ બનાવવા માટે કંપની સતત કાર્યશીલ રહે છે.

કોરોનાના 9996 નવા કેસ, 357નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરમાં 72 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ આંકડા રોજેરોજ વધી રહ્યા છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,86,579 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9996 નવા કેસ નોંધાયા છે અને 357 લોકોનાં મોત થયાં છે. દેશમાં સૌપ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે અને મોત થયાં છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 8102 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ બીમારીને 1,41,029 દર્દીઓ માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ 49.21 ટકાએ પહોંચ્યો છે. દેશનાં બધાં રાજ્યોમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.

કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને

કોવિડ-19 પ્રભાવિત દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને યુકે પછી પાંચમો છે, એમ જોન હોપકિન્સ યુનિવર્સિટીનો ડેટા કહે છે.

અત્યાર સુધી 52 લાખ લોકોનું કોવિડ-19નું પરીક્ષણ કરાયું

દેશમાં અત્યાર સુધીમાં 52,13,140 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 1,51,808 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

સુવિચાર – ૧૧ જૂન, ૨૦૨૦

સુવિચાર – ૧૧ જૂન, ૨૦૨૦

…ત્યાં સુધી ક્રિકેટ પહેલા કરતાં અલગ રહેશેઃ દ્રવિડ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે દરેકની જીવનશૈલીમાં ધરખમ બદલાવ કર્યો છે. જ્યાં સુધી વેક્સિન ના આવે અને વિશ્વને આત્મવિશ્વાસ ના થાય ત્યાં સુધી ક્રિકેટ સહિત દરેક પ્રકારની સ્પોર્ટ્સમાં સાવધાની જરૂરી છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું છે કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી ના આવે ત્યાં સુધી ક્રિકેટ પહેલાં કરતા અલગ હશે. હું કોઈ મેડિકલ પ્રોફેશનલ નથી, પણ મેં સાંભળ્યું છે કે વાઇરસ લાંબા સમય સુધી જવાનો નથી, પરંતુ એક સમય એવો આવશે, જ્યારે આપણે એની સામે સારી રીતે લડી શકીશું. ત્યાં સુધી ક્રિકેટ ઘણી અલગ થવાની છે. મને લાગે છે કે ક્રિકેટ કેટલાય પ્રકારે જીવનનો પડછાયો છે, એટલે હું એને એનાથી પ્રભાવિત થયા વિના નથી જોઈ રહ્યો, એમ તેણે કહ્યું હતું.

ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝથી કસોટી સાબિત થશે

ક્રિકેટ જે રીતે રમાય છે અને જશ્ન મનાવવાથી માંડીને ડ્રેસિંગ રૂમની પદ્ધતિઓ સુધી બધું પ્રભાવિત થવાનું છે. આગામી મહિને ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. એની સાથે કોવિડ-19ના સમયગાળામાં ક્રિકેટ મેચ રમાવાની શરૂઆત થશે. આ સિરીઝ બાયો સિક્યોર વાતાવરણમાં રમાશે. આ સિરીઝ સારી કસોટી સાબિત થશે. એ જોવું દિલચશ્પ રહેશે કે એક મહિનાના સમયમાં શું થાય છે. આશા છે કે કોરોનાનો પ્રકોપ ઓછો થાય અને તે લોકો સુરક્ષા સાથે ક્રિકેટ રમી શકે. આ સિરીઝ એક ઉદાહરણરૂપ પૂરું પાડશે કે કેવી રીતે કોરોનાના સમયગાળામાં ક્રિકેટ રમી શકાય છે, એમ દ્રવિડે કહ્યું હતું.

ICCના નવા નિયમો લાગુ

કોવિડ-19ને કારણે ICCએ નવા નિયમો લાગુ કર્યા છે અને એમાં એક બોલને ચમકાવવા માટે સલાઇવા અથવા થૂંક પર પ્રતિબંધ મૂકવાનો છે. આને લઈને દ્રવિડે કહ્યું હતું કે ઘણાબધા લોકો કહી રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં જો તમે પરસેવાનો ઉપયોગ કરો તો એ થૂંકની કમી પૂરી કરશે. એટલા માટે બોલને ચમકાવવાથી તમને અટકાવવામાં નથી આવ્યા. મેડિકલ ક્ષેત્રના લોકોએ કહ્યું છે કે વાઇરસ પરસેવા દ્વારા નહીં ફેલાય, પણ મને એનો વિશ્વાસ નથી, કેમ કે જો પરસેવો કામ નહીં કરે તો શું તેઓ કોઈ વધારાનો પદાર્થનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે કે નહીં.

 

 

 

 

પંચાંગ 11/06/2020

રાશિ ભવિષ્ય 11/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

Chitralekha Gujarati – June 22, 2020

PDF Version

વિદેશીઓ માટે મુંબઈ સૌથી મોંઘું, કોલકાતા સૌથી સસ્તું શહેર: સર્વે

ભારતમાં વિદેશીઓને ફરવા માટે મુંબઈ સૌથી મોંઘું શહેર સાબિત થયું છે. મર્સર દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ જાણકારી મળી છે. સર્વેક્ષણ અનુસાર પ્રવાસીઓ માટે વિશ્વમાં મુંબઈ 60મું સૌથી મોંઘું શહેર છે. તો એશિયામાં આ 19મા સ્થાન પર છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈ, રહેવાના ખર્ચ મામલે પ્રવાસીઓ માટે દેશનું સૌથી મોંઘું શહેર તરીકે સામે આવ્યું છે. મર્સરના વર્ષ 2020 રહેવા ફરવાનો ખર્ચ (કોસ્ટ ઓફ લિવિંગ સર્વ) સર્વેક્ષણ અનુસાર, વૈશ્વિક સ્તર પર પ્રવાસીઓ માટે મુંબઈ વિશ્વમાં 60મું સૌથી મોંઘુ શહેર છે.

સર્વેક્ષણ અનુસાર ભારતીય શહેરોમાં મુંબઈ સૌથી મોંઘું શહેર છે, ત્યારપછી વિશ્વસ્તર પર નવી દિલ્હી 101મા સ્થાન પર અને ચૈન્નાઈ 143મા સ્થાન પર છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે બેંગ્લુરુ 171 અને કોલકાતા 185મા ક્રમ સાથે સૌથી ઓછા ખર્ચાળ ભારતીય શહેર છે.

  1. Hong Kong, Hong Kong SAR
  2. Ashgabat, Turkmenistan
  3. Tokyo, Japan
  4. Zurich, Switzerland
  5. Singapore, Singapore
  6. New York City, United States
  7. Shanghai, China
  8. Bern, Switzerland
  9. Geneva, Switzerland
  10. Beijing, China
  11. Seoul, South Korea
  12. Tel Aviv, Israel
  13. Shenzhen, China
  14. Victoria, Seychelles
  15. Ndjamena, Chad
  16. San Francisco, United States
  17. Los Angeles, United States
  18. Lagos, Nigeria
  19. London, United Kingdom
  20. Guangzhou, China

વૈશ્વિક યાદીમાં હોંગકોંગ ટોપ પર રહ્યું છે. ત્યાર પછીના બીજા ક્રમે અશ્ગાબાત (તુર્કેમેનિસ્તાન) છે, જાપાનનું ટોક્યો અને સ્વિટઝરલેન્ડનું ઝૂરિક ક્રમશ: ત્રીજા અને ચોથા સ્થાન પર છે. સિંગાપોર ગયા વર્ષ કરતા બે સ્થાન નીચે જઈને પાંચમા સ્થાન પર છે.

સામે ચાલીને કોરોના વોર્ડમાં જનાર આ સનદી અધિકારી કોણ છે?

કોરોનાના સમયમાં હાલ લોકોને સામાન્ય હોસ્પિટલમાં પગ મૂકતાં ય ડર લાગે છે એવા માહોલમાં તમને કોઈ કોરોનાના દર્દીઓના વોર્ડમાં પગ મૂકવાનું કહે તો કેવી હાલત થાય?  ભલભલા હિંમતવાળાના ય પગ ધ્રુજવા માંડે અને એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેઠેલાને પણ પરસેવો વળી જાય! પરંતુ અમદાવાદની અમુક હોસ્પિટલોના કોરોના વોર્ડમાં આજકાલ એક વ્યક્તિ, અફકોર્સ પૂરતી સાવધાની રાખીને, કોરોનાના દર્દીઓ સાથે બિનદાસ્ત વાતચીત કરતા અને તેમની પ્રેમપૂર્વક સંભાળ રાખતા જોવા મળે છે. ના, આ વ્યક્તિ ડોક્ટર છે છતાં ય નથી. દર્દીઓની સારવાર કરવાનું એમની ફરજમાં પણ નથી આવતું, આમ છતાં ય એ આજકાલ તબીબો પોતાના દર્દીની જે રીતે કાળજી લે એ જ રીતે આ બધા દરદીની કાળજી લેતા જોવા મળે છે!

 

હા, વાત થાય છે ગુજરાત સરકારના આઈએએસ અધિકારી અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે ફરજ બજાવતા ડો. મનીષ બંસલની. મનીષભાઈ આઈએએસ અધિકારી છે, પણ પોતાની આ ફરજ એ એરકન્ડિશન્ડ ચેમ્બરમાં જ બેસીને બજાવવાના બદલે મુશ્કેલીના આ સમયમાં હોસ્પિટલોની મુલાકાત લઇને, કોરોનાના દર્દીઓની મુલાકાત લઇને, એમની સાથે વાતચીત કરીને અને એમની પૂરતી સંભાળ લઇને બજાવે છે. એ પણ જાણી લો કે, સનદી અધિકારી તરીકે હાલ એ રિજિયન કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરીકે કાર્યરત હોવા ઉપરાંત હાલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાસ ઓએસડી તરીકે તો ફરજ બજાવે જ છે, પણ સાથે સાથે એ એમબીબીએસની પદવી પણ ધરાવે છે.

મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના વતની ડો. મનીષ બંસલની મૂળ પેશન આમ તો સિવિલ સર્વિસમાં જવાની જ હતી એટલે 2008 માં એમબીબીએસ કર્યા પછી એમણે ૨૦૧૦માં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પણ ફતેહ મેળવી.
જો કે મનીષભાઈને અહીં સ્ટેથોસ્કોપ મૂકીને ટેક્સેશનના આંકડા સાથે કામ પાર પાડવામાં બહુ મજા નહોતી આવતી અને સાથે સાથે સમાજ માટે મોટા પાયા પર કામ કરી શકાય એવું એક સપનું ય મનમાં રમતું હતું એટલે એમણે ફરીવાર સિવિલ સર્વિસની પરીક્ષા આપી અને ૨૦૧૩માં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે આઈએએસ પાસ કરી. શરૂઆતમાં ગુજરાતમાં સાબરકાંઠા, બોરસદ, સુરેન્દ્રનગર એમ વિવિધ સ્થળોએ ફરજ બજાવ્યા પછી હાલ એ અમદાવાદ-ગાંધીનગર ખાતે કાર્યરત છે.

કોરોના વોર્ડમાં જવાનું તો તમારી ફરજમાં નથી આવતું, આમ છતાં તમે જાવ છો. ડર નથી લાગતો?
જવાબમાં મનીષભાઇ કહે છે, ના, મેડિકલનું ભણ્યો છું એટલે પ્રાથમિક રીતે આપણી કાળજી કેવી રીતે લઈ શકાય એની જાણકારી તો મને હોય જ. વળી, આ મુલાકાતનો એક આશય ફરજ પર કામ કરી રહેલા તબીબો અને ખાસ કરીને નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની હિંમત વધારવાનો હતો. આપણે પોતે જ એક ઉદાહરણ પૂરું પાડીએ તો આપણી સાથે કામ કરનારાઓની હિંમત વધે અને મનમાંથી ડર દૂર થાય.

મનીષભાઈ પોતે તબીબ હોવાથી મેડીકલી બધું જાણે છે, પણ આમ છતાં એ તબીબોના કામમાં દખલ ય નથી કરતા. હોસ્પિટલની મુલાકાત વખતે એ દર્દીઓ પાસે જાય છે. પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધારે છે અને વોર્ડમાં એક હકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. દર્દીઓમાં હિંમત વધારવાનું કામ કરે છે અને સાથે સાથે એમને મળી રહેલી સારવાર અંગે નિયમિત ફીડબેક પણ મેળવે છે. શરૂઆતમાં તો એ આવી રીતે પીપીઇ કીટ પહેરીને કોરોનાના વોર્ડમાં જતા ત્યારે ગાંધીનગરમાં એમની સાથે રહેતા એમના માતા અને પરિવારજનોને બહુ ફિકર થતી. એમની માતાએ તો એકવાર ત્યાં સુધી કહ્યું કે, હું ઉપરી અધિકારી રાજીવ ગુપ્તાને કહેવાની છું કે તમને આ રીતે વોર્ડમાં જવાની ના પાડે!

એમની આ ચિંતા પણ મા તરીકે બહુ સ્વાભાવિક હતી. પરંતુ પછીથી મનીષભાઈએ માતા અને પરિવારજનોને પણ સમજાવ્યા. એમના પત્નિ મેડિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એટલે બહુ વાંધો ન આવ્યો. ડો. મનીષ કહે છે, જો આપણે પૂરતી કાળજી લઇએ તો ડર્યા વગર બિન્દાસ્ત રીતે કોરોના દર્દીની સારવાર કરી શકાય છે, એમની સાથે વાતો પણ કરી શકાય છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તદ્દન સાધારણ પરિવારમાંથી આવતા મનીષ બંસલના પિતા કરિયાણાની દુકાન ચલાવતા એટલે સંઘર્ષ શું કહેવાય એનાથી એ સુપેરે વાકેફ છે. હોસ્પિટલોમાં આવતા દરદીઓ અને તેમના પરિવારજનોની ચિંતા અને સંઘર્ષથી પણ એ વાકેફ છે, સાથે સાથે મેડિકલ સ્ટાફની વાજબી ચિંતાની પણ એમને ખબર છે અને એટલે જ એમનો ઉત્સાહ વધારવા માટે એમણે આ રીતે હોસ્પિટલોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.
આમ તો અમલદારશાહીના આ સમયમાં સરકારી બાબુઓને આ રીતે કામ કરવાની કોઇ ફરજ ના પાડી શકે, પણ મનીષભાઈએ આ રીતે અન્ય સરકારી બાબુઓ માટે એક ઉદાહરણ ચોક્કસ પૂરું પાડ્યું છે કે જો દિલમાં લોકો માટે લાગણી હોય અને કામ કરવાની ધગશ હોય તો આ રીતે પણ કામ કરી શકાય છે.