Home Blog Page 4771

બોલીવૂડ હસીનાઓનો નાઈટવેર પ્રેમ…

સામાન્ય માણસોના મનમાં હંમેશા ફિલ્મી સિતારાઓની ફેશન સ્ટાઈલને લઈને કૂતુહલ રહેતું હોય છે. આ સિતારાઓના પહેરવેશની લોકો નકલ કરતા હોય છે. અહીં તમને જણાવી રહ્યા છીએ બોલિવુડની કેટલીક હસીનાઓને કયા નાઈટવેર પસંદ છે?

આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને કાજોલને રાતે સૂતી વખતે સોફ્ટ મટીરિયલનો પાઈજામા સૂટ પસંદ છે. કારણ કે ફાઈન હોઝિયરી મટીરિયલમાં તે ખૂબ જ આરામદાયક અનુભવ આપે છે. આલિયાએ તો નાઈટવેર સાથે પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે.

કૃતિ સેનન અને દીપિકા પાદુકોણનું માનવું છે કે, ટ્રેક પેન્ટ અને ક્રૉપ ટી શર્ટ એરપોર્ટ લોન્જમાં આરામ કરવા માટે સૌથી અનુકુળ છે. એટલું જ નહીં ટ્રાવેલિંગ કરતા સમયે પોતે ઉંઘવાનું પસંદ કરે છે. તેના માટે પણ આ ડ્રેસ આરામદાયક રહે છે. એરપોર્ટથી બહાર નીકળતી વખતે પેપરાઝી (ફોટોગ્રાફરોના ટોળા) દ્વારા ક્લિક કરાતા ફોટોઝમાં પણ આ ડ્રેસમાં તે કુલ લાગે છે.

કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર, જાન્હવી કપૂરને નાઈટવેરમાં સોફ્ટ મટીરિયલનું શોર્ટસ અથવા હૉટ પેન્ટ પસંદ છે. કેટરીના તો ટ્રાવેલિંગ દરમિયાન પણ આ જ ડ્રેસ તરીકે પહેરવાનું પસંદ કરે છે.

નાઈટવેરને એક સેન્સેશન બનાવવામાં હોલીવુડની ગાયિકા કાયલી મિનોગ, બિયોન્સે અને મેડોનાનો ખૂબ જ મોટો હાથ છે. બિયોન્સે તો એટલા મોંઘા અને સેક્સી નાઈટવેર પહેરે છે કે અનેક વખત તો તે આ જ ડ્રેસમાં ફિલ્મોના સ્ક્રીનિંગમાં પણ પહોંચી જાય છે.

માધુરી દીક્ષિત, કિયારા અડવાણી અને અંકિતા લોખંડે મિડલ ક્લાસ નાઈટી કે કફ્તાનને પહેરવાનું વધુ પસંદ કરે છે. કફ્તાન એવો ડ્રેસ છે જે હાલના સમયમાં ફેશન સ્ટેટમેન્ટ બનતો જાઈ છે. કફ્તાન ઉપર સ્ટાઈલિશ બેલ્ટ લગાવવાથી એક આકર્ષક કોલેજ-વેર પણ બની જાય છે. કફ્તાન દરેક પ્રકારના ફેબ્રિકમાંથી બને છે, પણ જો તેનો ઉપયોગ નાઈટવેર તરીકે કરવા ઈચ્છો તો કોટન, લિઝીબિઝી, સાટિન ફેબ્રિક વધારે આરામદાયક રહેશે.

80ના દાયકાના અભિનેતાઓ કે જે હવે હયાત નથી તે રાજેશ ખન્ના, ફિરોઝ ખાન, રાજકુમાર એમના ઘરમાં સિલ્કની લુંગી પહેરવાનું વધારે પસંદ કરતા હતા. એની સાથે મેચિંગ કુર્તો પહેરીને તે ફોટોશૂટ પણ કરાવતા હતા. રંગ-બેરંગી લુંગી ઘણા લાંબા સમય સુધી એમની સ્ટાઈલ સ્ટેટમેન્ટ રહી હતી.

મિલેનિયલ જનરેશન ઘર પર શોટ્સ, ટીશર્ટ, બરમુડા, ડંગરી વગેરમાં આરમદાયક રહે છે. એક અનુમાન મુજબ ભારતમાં નાઈટવેરનું માર્કેટ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણસો ગણુ વધ્યું છે. સૌથી વધુ માંગ શોર્ટ્સની રહે છે. ફેશન સ્ટાઈલિસ્ટ રાઘવ મુખીના જણાવ્યા અનુસાર, નાઈટવેરનો આઈડિયા આપણા દેશમાં નવો છે. આ પહેલા લોકો રાતે પહેરવા માટે અલગ કપડા પર ખર્ચ કરવામાં માનતા ન હતા. હવે વિચાર બદલાયો છે. નાઈટવેર એક મોટું બજાર બનીને સામે આવ્યો છે.

…નહીં તો ફરી લોકડાઉન લાગુ કરાશેઃ ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં લોકડાઉનનો પાંચમો તબક્કો ચાલુ છે. પરંતુ એને હળવું કરીને સરકારે અનલોક-1 શરૂ કર્યું છે, જે અંતર્ગત અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. લોકડાઉનની શરૂઆતના અનેક નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે.

પરંતુ, આ અનલોક થતાવેંત મુંબઈના રસ્તાઓ પર, બજારોમાં લોકોની મોટી ભીડ જમા થવા લાગી છે. જો આ રીતે ગીરદી ચાલુ રહેશે તો નાછૂટકે ફરી લોકડાઉન લાગુ કરવું પડશે, એવી ચેતવણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે આપી છે.

પત્રકાર પરિષદમાં ઠાકરેએ કહ્યું કે લોકડાઉનને ધીમે ધીમે હટાવી લેવામાં આવનાર છે. કોરોના વાઈરસ બીમારીનું સંકટ હજી ટળ્યું નથી. તેથી કારણવગર લોકોએ ગીરદી કરવી નહીં. મોર્નિંગ વોક કરવા માટે લોકો ગીરદી ન કરે. ગીરદી નહીં થાય એની કાળજી લોકોએ જ લેવાની છે.

મહારાષ્ટ્ર રાજ્યની જનતા સરકારનું સાંભળે છે. સરકાર પણ જનતાના હિતમાં હોય એવા જ પગલાં ભરે છે. અત્યાર સુધી જનતા તરફથી સરકારને સારો સહકાર મળ્યો છે. એને ધ્યાનમાં રાખીને જ જનતા હવે પછી પણ સરકારે જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરશે એવો મને વિશ્વાસ છે, એમ ઠાકરેએ વધુમાં કહ્યું.

ઠાકરેએ આ ચેતવણી બિઝનેસ એડવાઈઝરી કમિટી સાથેની બેઠક બાદ આપી હતી.

એમણે કહ્યું કે કોરોનાનો ખતરો હજી યથાવત્ છે, પરંતુ આપણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની પણ જરૂર પડી છે. જનતાના સારા આરોગ્યને ખાતર જ સરકારે આઉટડોર કસરત, મોર્નિંગ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપી છે, નહીં કે આરોગ્ય બગાડવા માટે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે મુંબઈમાં લોકો આવશ્યક સેવા અને ફરજ માટે હાજર થઈ શકે એટલા માટે ઉપનગરીય ટ્રેનસેવા ફરી શરૂ કરવાની પણ પોતે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના કેસો અને મૃત્યુના આંકડાની દ્રષ્ટિએ સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 90,787 કેસો નોંધાયા છે અને 3,289 જણ આ બીમારીથી મરણ પામ્યા છે. કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્યએ ચીનને પણ પાછળ પાડી દીધું છે, જ્યાં કોરોનાના 83,046 કેસો નોંધાયા છે.

મુંબઈમાં આ રોગને કારણે જેટલા કેસ થયા છે એ ચીનના વુહાન કરતાં 700 વધારે છે. દુનિયાનો પહેલો કોરોના કેસ વુહાનમાં ગયા વર્ષના ડિસેંબરમાં નોંધાયો હતો. આમ, એ શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ બન્યું છે.

લૉકડાઉનમાં મિલિંદ સોમણ આપી રહ્યા છે ફિટનેસ ટિપ્સ!

લૉકડાઉન દરમ્યાન ઘરે રહીને ફિટનેસને લઈને ઘણા લોકો મૂંઝાઈ ગયા હતા. જેમ કે, નવા એથ્લિટ્સ, રમતવીરો કે જેમણે હજી તો ટ્રેનિંગની શરૂઆત જ કરી હોય અને લૉકડાઉનમાં તેમની ટ્રેનિંગ અટકી ગઈ હોય. જો કે ઘણા એથ્લિટ્સે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો માટે ફિટનેસ તેમજ ટ્રેનિંગ સેશન પણ રજૂ કર્યા છે. એવા જ એક સ્ટાર એથ્લિટ, આયર્નમેન ફિટનેસ માટેની ટિપ્સ આપી રહ્યાં છે.

આ આયર્નમેન છે, મિલિંદ સોમણ. જે ભારતીય સુપરમોડલ, એથ્લિટ, અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ફિટનેસ પ્રોત્સાહક છે. 2015માં પહેલાં જ પ્રયત્નમાં ટ્રાયથલોનમાં આયર્નમેનનો પડકાર જીતીને ‘આયર્નમેન’નું શિર્ષક મેળવનાર મિલિંદ સોમણ, મહિલાઓના સ્વાસ્થ્ય માટે જાગરૂકતા ફેલાવવા માટે યોજાતી દોડ ‘પિંકથોન’ના પણ માર્ગદર્શક છે. મિલિંદ સોમણ આપી રહ્યાં છે લૉકડાઉનમાં એથ્લિટ, રમતવીરો તેમજ પોતાની ફિટનેસ માટે જાગૃત લોકો માટે ફિટનેસ ટિપ્સઃ

• ધ્યાન રાખીને તમારું ડાયેટ તૈયાર કરો:

જ્યારે તમે સ્પોર્ટ્સ, મેરેથોન કે પછી ફક્ત રૂટિન ફિટનેસ માટે ટ્રેનિંગ લઈ રહ્યા હોવ તો તમારે વાસ્તવિક અપેક્ષા રાખવી જરૂરી છે. એવું ના થાય કે, વજન ઘટાડવાના નાદમાં તમે તમારી જાતને વધુ તાણ આપો. માત્ર વજન ઘટાડવાના વિચારથી શરીરને વધુ તાણ ન આપો. નહિતર યોગ્ય તંદુરસ્તી તમે નહીં મેળવી શકો. પરંતુ જો તમે તંદુરસ્ત વિકલ્પ કેમ અપનાવી રહ્યા છો એવું વિચારશો તો તમે સકારાત્મક અભિગમ કેળવી શકશો!

તમારુ રૂટીન નક્કી કરતી વખતે સહુથી પહેલાં તમારે હેલ્ધી ખોરાક કયો લેવો એ વિચાર કરવો. મારી વાત કરું તો આવો વિચાર કરવો મારા માટે સહેલો છે. કારણ કે, હું ઘરમાં રાંધેલો ખોરાક જ લઉં છું. સાથે ફળ તેમજ સુકામેવા પણ લઉં છું.

મારો મંત્ર છે ‘તમારા દિવસની શરૂઆત યોગ્ય આહારથી કરો’. જે માટે હું રોજ સવારે એક મુઠ્ઠી ભરીને બદામ ખાવા માટે લઉં છું. નાનપણથી બદામ મારે માટે નાસ્તામાં મુખ્ય રહી છે. બદામ સ્વાદિષ્ટ તો છે જ, તેનાથી પેટ પણ ભરાય છે. ઉપરાંત બદામમાં બધાં જ પોષક તત્વો જેવા કે, પ્રોટીન, વિટામિન-ઈ, મેગ્નેશિયમ વગેરે છે. જે આપણા શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. તેનાથી ઉર્જા પણ મળે છે. જે સારા દિવસની શરૂઆત કરવા માટે આવશ્યક છે.

એટલે સૌથી પહેલું તમારા માટે હેલ્ધી ડાયેટ નક્કી કરો. જેથી તમે તંદુરસ્ત અને પ્રોડક્ટિવ ટ્રેનિંગની શરૂઆત કરી શકો!. મારે તો હેલ્થ માટે એક જ મંત્ર છે: યોગ્ય આહાર લઈને દિવસની શરૂઆત કરવી

• કાર્યસૂચિ તૈયાર કરીને, સમયપત્રક બનાવીને દિવસની શરૂઆત કરો

લૉકડાઉનને કારણે આપણે બધા લાંબા સમયથી ઘરમાં પુરાઈ ગયા છીએ. એવામાં પોતાને પ્રવૃત્ત અને રચનાત્મક રાખવું એ પડકારરૂપ થઈ ગયું છે. મારું આ બાબતે તમને સૂચન છે કે, તમે આખા દિવસના કાર્યોની, પ્રવૃત્તિની તેમજ તમારી ટ્રેનિંગ માટેની સૂચિ એટલે કે સમયપત્રક બનાવી લો. જો આખા દિવસમાં કોઇ એક પ્રવૃત્તિ રહી પણ જતી હોય તો પણ તેને એક દિવસના શેડ્યુલમાં ના કરો. તેને પૂરી કરવાની પ્રયત્ન કરો. જો કે, એ માટે તમારે ગજા બહારનું કામ કરીને કે તમારી જાતને ત્રાસ નથી આપવાની. બધી પ્રવૃત્તિઓ માટે એકસરખો સમતોલ સમય ફાળવીને તમારા રોજિંદા જીવનને વ્યવસ્થિત બનાવો.

હું પોતે માનું છું, કોઈપણ એથ્લિટ માટે શિસ્તબધ્ધતા એ સફળતા મેળવવા માટેની ચાવી છે. તો સમયપત્રક એ પ્રગતિ તેમજ સફળતા પ્રાપ્તિ માટેનો માર્ગ છે. આ વાતનું પાલન કરશો તો અમુક અઠવાડિયામાં જ તમે તમારી રોજની જિંદગીમાં બદલાવ જોશો. મિલિન્દ માને છે: શિસ્તબધ્ધતા એ સ્વસ્થ રહેવાની તેમજ સફળ થવાની પણ ચાવી છે.

• કસરતના સામાન્ય પ્રકાર કરતાં થોડા અન્ય પ્રકાર પણ અપનાવો

સાદી કસરત તેમજ કસરતના હળવા પ્રકાર એ બંનેનો તફાવત સમજવો એ મુખ્ય ચાવી છે. તમારા શરીરના કયા ભાગની ચરબી ઘટાડવી એ તમારા હાથની વાત નથી. પરંતુ ટ્રેનિંગ વખતનો વર્કઆઉટ તમારા સમગ્ર શરીરને ધ્યાનમાં રાખીને કરવાનો હોય છે. આ માટે કસરતના ઘણા પ્રકારો છે. પણ હું પોતે આગ્રહ રાખું છું ‘હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ’ (HIIT)માં. તમારી ટ્રેનિંગની શરૂઆત તેમજ યોગ્ય દિશામાં આગળ વધવા માટે HIIT ટ્રેનિંગનો આ પ્રકાર બહુ જ અસરકારક છે. જેને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તમારી કસરત પૂરી થયા બાદ પણ તમારા આખા શરીરની ચરબી સપ્રમાણ ઘટવાની ચાલુ રહેશે. ‘હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ’ (HIIT) એ કસરતનો પ્રકાર મિલિંદ સોમણ અપનાવવાનું સૂચવે છે.

• શરીર માટે આરામની જરૂરિયાતને ઓછી ના આંકો:

પૂરતી ઉંઘ લેવી એ માત્ર શરીરના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તમે જે રૂટિન કસરત કરો છો એનું સારું પરિણામ મેળવવા માટે પણ જરૂરી છે. રોજની કસરત કર્યા બાદ સ્નાયુની દુરુસ્તી માટે તેમજ ફરીથી ઉર્જાવાન થવા માટે પણ ઊંઘ બહુ જરૂરી છે. અપૂર્ણ ઊંઘને કારણે સ્નાયુને દુરુસ્ત તેમજ મજબૂત કરવાના કાર્યમાં શરીરને અડયણ આવે છે.

મારે માટે તો પૂરતી ઊંઘ લેવી એ મારી પ્રાથમિકતા છે. જેના થકી હું મારી રોજબરોજની પ્રવૃત્તિઓ, પર્સનલ તેમજ પ્રોફેશનલ બંનેને બહુ સારી રીતે દક્ષતાપૂર્વક પાર પાડી શકું છું. એથી જ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમારે રોજના કાર્યોમાં સારું પરિણામ મેળવવું હોય તો પૂરતી ઊંઘ લેવાનું રાખો. કસરત અને આરામ બંનેને સમતોલ રાખવા જરૂરી

• યોગ્ય નાસ્તો લો:

એક બહુ મહત્વની વાત તમારે ધ્યાનમાં લેવાની છે યોગ્ય નાસ્તા વિશેની. ઉપર જણાવેલી દરેક બાબતોને ધ્યાનમાં લઈને તમે સખત મહેનત કરીને ટ્રેનિંગ શરૂ કરી દો. પણ જો તમે તમારો ખોરાક યોગ્ય નહીં લો તો વર્ક આઉટ પછીનું ધાર્યું પરિણામ તમે મેળવી નહીં શકો. તમે જ્યારે સખત પણ વ્યવસ્થિત ટ્રેનિંગ લો છો તેમજ સાથે ડાયેટનો ચાર્ટ બનાવીને યોગ્ય ડાયેટ લો છો. તો સ્વાભાવિક છે કે, આખા દિવસમાં એકાદ વાર તમને ફરીથી ભૂખ લાગે અને તમને કંઇક નાસ્તો ખાવાનું મન થાય તો તમારે અવશ્ય નાસ્તો કરવો જ જોઈએ. પણ ધ્યાનપૂર્વકનો! એટલે કે, તળેલો નાસ્તો નહીં પરંતુ સૂકા મેવાનો, જે શેકેલો હોય!

આ સૂકો મેવો એક નાના ડબ્બામાં ભરીને તમારે હાથવેંત રાખવો. એટલે કે, જ્યાં પણ તમે જાઓ તમારી પાસે રાખવો. જેથી જ્યારે પણ નાસ્તો ખાવાની ઈચ્છા થાય તો તમે મુઠ્ઠીભર સૂકોમેવો ખાઈ લો તો ભૂખ પણ મટી જાય.

ભારતનું અર્થતંત્ર આગામી વર્ષે 9.5%ના દરે વિકસશેઃ ફિચ  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસને લીધે ગઈ 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ છે, જેની અર્થતંત્ર પર નોંધપાત્ર નકારાત્મક અસર રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ આ વર્ષે વિકાસ દર ઝીરો રહેવાની વાત કરી ચૂકી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ ભારત માટે આવનારાં વર્ષોમાં કેટલાક નિરાશાજનક આંકડા રજૂ કરી ચૂક્યા છે. ત્યારે રેટિંગ એજન્સી ફિચે ભારત માટે એક સકારાત્મક ચિત્ર રજૂ કર્યું છે. રેટિંગ એજન્સી ફિચના જણાવ્યાનુસાર આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ફરી ઝડપ પકડી શકે છે અને 9.5 ટકાના દરે વધે એવી શક્યતા તે જુએ છે.  

અહેવાલમાં ફિચે ભારતીય અર્થતંત્રમાં ઝડપી ઉછાળાની વાત કરી છે, પણ સાવધાન કરતાં કહ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં જો વધુ ઘટાડો નહીં નોંધાય તો આગામી સમયમાં અર્થતંત્રમાં તેજીની સંભાવના છે. ફિચ અનુસાર કોરોના વાઇરસ રોગચાળા આવ્યો એ પહેલાં એપ્રિલમાં શરૂ થયેલા નાણાં વર્ષ 2020-21માં લોકડાઉનને લીધે અર્થતંત્ર ધીમું પડ્યું હતું. ફિચ રેટિંગે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં પાંચ ટકાના ઘટાડાનો અંદાજ હતો.

કોરોનાને લીધે અર્થતંત્રની કમર તોડી નાખી

ફિચ રેટિંગ્સે APAC સોવરિન ક્રેડિટ ઓવરવ્યુમાં કહ્યું હતું કે રોગચાળાએ ભારતના વિકાસના દ્રષ્ટિકોણને ઘણો નબળો કરી દીધો છે અને ભરાતનાં જાહેર દેવાંના બોજે સામે પડકારોનો સામનો કરવો પડશે. જોકે ફિચે કહ્યું છે કે વૈશ્વિક સંકટ પછી ભારતની GDP વૃદ્ધિ BBB શ્રેણીની સમકક્ષ દેશોની તુલનામાં ઉચ્ચ સ્તરે પરત ફરવાની સંભાવના છે.

લોકડાઉનને લીધે આર્થિક પ્રવૃત્તિ અટકી

ફિચે અહેવાલમાં કહ્યું છે કે ભારતો 25 માર્ચે આશરે બધી આર્થિક કામગીરીને અટકાવી દીધી હતી અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિશ્વના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ લોકડાઉનને વારંવાર વધાર્યું હતું. જોકે ચોથી મેથી ઓછા સંક્રમણ ક્ષેત્રોમાં કેટલીક છૂટછાટ આપી હતી. જોકે અનલોક-1 પછી નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

113 કંપનીઓએ CSR પેટે 4316 કરોડ PM કેર્સ ફંડમાં આપ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા સામેના જંગમાં ઉદ્યોગ જગતે પણ જંગી રકમનું યોગદાન આપ્યું છે. કંપનીઓ દ્વારા બતાવવામાં આવેલી કુલ પ્રતિબદ્ધતામાં અડધાથી વધુ એટલે કે રૂ. 4316 કરોડનું યોગદાન પ્રાઇમ મિનિસ્ટર સિટિઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન ફંડ (PM કેર્સ ફંડ)માં આપવામાં આવ્યું છે. ક્રિસિલ ફાઉન્ડેશને CSRના રિપોર્ટમાં કહ્યું છે કે 113 કંપનીઓએ રોકડ અથવા અન્ય રૂપે મદદ કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે.

84 કંપનીઓએ કુલ રૂ. 7537 કરોડનું યોગદાન

આમાંથી 84 કંપનીઓએ કુલ રૂ. 7537 કરોડનું યોગદાન આપ્યું છે. આ ખર્ચને CSR હેઠળનો માનવામાં આવશે. આ કુલ રકમ રૂ. 7537 કરોડમાંથી કંપનીઓએ રૂ. 4316 કરોડ PM કેર્સ ફંડમાં આપ્યા છે, જ્યારે રૂ. 3221 કરોડ કોરોના વાઇરસ સંબંધિત અન્ય રાહત કાર્યોમાં આપ્યા છે.

સરકારે રૂ. 3100 કરોડ કોરોના સંબંધિત વિભિન્ન કાર્યો માટે ફાળવાયા

પાછલા મહિને સરકારે PM કેર્સ ફંડથી રૂ. 3100 કરોડ કોરોના સંબંધિત વિભિન્ન કાર્યો માટે ફાળવ્યા હતા, જેમાં રૂ. 2000 કરોડનાં વેન્ટિલેટર્સની ખરીદી, રૂ. 1000 કરોડ પ્રવાસી મજૂરોની મદદ માટે તથા રૂ. 100 કરોડની મદદ રસીને વિકસાવવા માટે આપ્યા હતા. ક્રિસિલે કહ્યું હતું કે એણે 130 કંપનીઓના સામાજિક ક્ષેત્ર પર ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંથી 113 કપનીઓમાંથી 84 કંપનીઓએ રૂ. 7537 કરોડનું યોગદાન કર્યું હતું. બાકીની 29 કંપનીઓએ રૂ. 373 કરોડ અન્ય ભંડોળમાં આપ્યા હતા. રૂ. 84 કરોડનું યોગદાન સ્વૈચ્છિક દાન રૂપે આપવામાં આવ્યું હતું, જે CSRની શ્રેણીમાં નહીં આવે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓ દાનમાં આગળ

ક્રિસિલના અહેવાલ અનુસાર 84 કંપનીઓમાં 67 ટકા એટલે કે 56 કંપનીઓ ખાનગી ક્ષેત્રની છે અને કુલ રૂ. 7537 કરોડના યોગદાનમાં એનો હિસ્સો બે તૃતીયાંશ છે. બાકીની 24 કંપનીઓ જાહેર ક્ષત્રની છે, જેનો હિસ્સો 30 ટકા છે. સાત વિદેશી કંપનીઓએ પણ દાન આપ્યું છે.

મહારાષ્ટ્રની કંપનીઓએ તિજોરી ખોલી

PM કેર્સ ફંડમાં રોકડની મદદ કરનાર 84 કંપનીઓમાંથી 36 કંપનીઓ મહારાષ્ટ્રની છે. તેમણે યોગદાન રૂ. 4728 કરોડ આપ્યું છે, જે 63 ટકા છે. ત્યાર બાદ દિલ્હીનું સ્થાન છે. દિલ્હીની 13 કંપનીઓએ 17 ટકા યોગદાન આપ્યું છે, જ્યારે નવ કંપનીઓ ગુજરાતની છે, જેમણે રૂ. 7537 કરોડમાં સાત ટકાનું યોગદાન આપ્યું છે.

4817 લિસ્ટેડ કંપનીમાંથી 1976 કંપનીઓ CSR ખર્ચના માપદંડને પૂરા કરે છે

અહેવાલ અનુસાર આ 84 કંપનીઓમાંથી 48એ કોવિડ-19 માટે કંપનીના સ્તરે ખર્ચ કર્યો, જેમાં 28એ 2018-19ના કુલ CSR ખર્ચની તુલનાએ અડધાથી ઓછો ખર્ચ કર્યો. 16 કંપનીઓએ વર્ષ 2018-19ને બરાબર અથવા વધુ ખર્ચ કર્યો. 4817 લિસ્ટેડ કંપનીમાંથી 1976 કંપનીઓ અનિવાર્ય રૂપે CSR ખર્ચના માપદંડને પૂરા કરે છે. 129 કંપનીઓ ઓળખ કરવામાં મુશ્કેલી પડે એવાં કારણો આપીને ખર્ચ નથી કરતી. 102 કંપનીઓ વાર્ષિક રિપોર્ટમાં એનો ઉલ્લેખ નથી કરતી, જ્યારે 150 કંપનીએ કહ્યું હતું કે એમને ખર્ચ કરવાની જરૂર નથી.

પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા અમિતાભે 6 ફ્લાઈટ્સ બુક કરાવી

મુંબઈઃ દેશભરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે જ્યારથી લોકડાઉન લાગુ કર્યું છે ત્યારથી પરપ્રાંતીય કામદારો-મજૂરોને એમના વતન રાજ્ય-શહેરમાં પહોંચાડવા માટે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી છે.

મજૂરોને એમના વતનના સ્થળોએ પાછા જવા માટે મદદ કરવા અભિનેતા સોનૂ સૂદ સતત પ્રયાસો કરી રહ્યો છે ત્યારે મહાનાયક અમિતાભ બચ્ચન પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આ વખતે એમણે મુંબઈમાં અટવાઈ ગયેલા 1000 પ્રવાસી મજૂરોને ઉત્તર પ્રદેશમાં એમના વતન પાછા જવા માટે 6 ફ્લાઈટ બુક કરાવી આપી છે.

આવી પ્રત્યેક ફ્લાઈટમાં 180 મજૂરો બેસી શકશે અને તેઓ મુંબઈથી અલાહાબાદ, વારાણસી, ગોરખપુર, લખનઉ સુધી જશે. છમાંની ચાર ફ્લાઈટ આજે માટે નક્કી કરાઈ છે અને બાકીની બે ફ્લાઈટ આવતીકાલે ઉપાડવામાં આવશે.

એરપોર્ટ પર અમિતાભના કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે જેથી એમના ચાહકો એમની આ મદદ માટે એમનો આભાર માની શકે.

આ પહેલાં અમિતાભે મુંબઈમાં અટવાઈ ગયેલા માઈગ્રન્ટ મજૂરોને ઉત્તર પ્રદેશમાં એમના વતન પહોંચાડવા માટે 10 બસની વ્યવસ્થા કરી હતી. તે ઉપરાંત લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારથી અમિતાભ ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન સંસ્થા સાથે સંકળાયેલા એક લાખ જેટલા દૈનિક પગાર પર નભતા અને મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા લોકોને માસિક રેશન ચીજવસ્તુઓ માટેની પણ વ્યવસ્થા કરી આપી હતી.

કોરોનાના કેસ વધીને પોણા ત્રણ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,76,583 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી 7745 લોકોનાં મોત થઈ ચૂક્યો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9985 નવા કેસ સામે આવ્યા છે અને 274 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી 1,35,206 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 48.88 ટકાએ પહોંચ્યો છે. પાછલા કેટલાક દિવસોથી પ્રતિ દિન કોરોના સંક્રમણના 9000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 31,309

દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 31,309 થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં 1366 નવા કેસ સામે આવ્યા છે અને સાત લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં 504 દર્દીઓ ઠીક થયા છે. અત્યાર સુધી 11,861 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 18,543એ પહોંચી છે. દિલ્હીમાં રિકવરી રેટ 37.88 ટકા છે તો મૃત્યુ દર 2.89 ટકા છે.

DMK વિધાનસભ્યનું કોરોનાને લીધે મોત

કોરોના વાઇરસથી સંક્રમિત DMK વિધાનસભ્ય જે. અનબઝગનનું ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમનો જન્મદિવસ પણ છે. તેઓ 62 વર્ષના હતા. તેમને બીજી જૂને ડો. રિલા ઇન્સ્ટિટ્યૂટ અને મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

કોરોનાને લીધે દુનિયાભરની એરલાઇન્સને 84 અબજ ડોલરનું નુકસાન

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને ભારે ઝટકો લાગ્યો છે, પણ આ રોગચાળો એરલાઇન્સ માટે આફત બન્યો છે. પહેલેથી મંદીનો માર સહન કરી રહેલા એવિયેશન ઉદ્યોગમાં કોરોના વાઇરસને કારણે હવે કેટલીય વધુ એરલાઇન્સ ખતમ થવાનો ખતરો છે. એવિયેશન સેક્ટરમાં મોટા પાયે નોકરીઓ જવાની શક્યતા છે, એમ હવાઈ કંપનીઓની વૈશ્વિક સંસ્થા ધ ઇન્ટનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને (IATAએ) જણાવ્યું છે.


84 અબજ ડોલરના નુકસાનની શક્યતા

હવાઈ કંપનીઓની વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન(IATA)નું અનુમાન છે કે વર્ષ 2020 એરલાઇન્સ માટે ઘણું ખરાબ રહેવાનું છે. IATAના જણાવ્યા મુજબ કોરોના વાઇરસને કારણે વિશ્વભરની એરલાઇન્સને 84 અબજ ડોલરનું નુકસાન થાય એવી શક્યતા છે.

એરલાઇન્સ ઉદ્યોગને પ્રતિદિન 23 કરોડ ડોલરનું નુકસાનઃ IATAના ડિરેક્ટર જનરલ

ગઈ કાલે જારી કરેલી પ્રેસ રિલીઝમાં IATAના ડિરેક્ટર જનરલ અને CEO એલેક્ઝેન્ડર ડે જુનિયાકે કહ્યું છે કે નાણાકીય દ્રષ્ટિથી વર્ષ 2020 એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ખરાબ વર્ષ તરીકે મનાવવામાં આવશે.આ વર્ષે પ્રતિ દિન એરલાઇન્સ ઉદ્યોગને  23 કરોડ ડોલર (230 મિલિયન ડોલર)નું નુકસાન થયું છે. આ વર્ષે એરલાઇન્સ ઉદ્યોગને કુલ 84.3 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.

IATAના જણાવ્યાનુસાર એરલાઇન્સ ઉદ્યોગની આવકમાં વર્ષ 2019ની અપેક્ષા આ વર્ષે 50 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આ અંદાજિત નુકસાનોને કારણે એલેક્ઝેન્ડર ડે જુનિયાકે સરકારોને નાણાકીય મદદ કરવા માટે આહવાન કર્યું છે.
કેટલાય દેશોમાં વિમાન સેવા શરૂ
વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, તેમ છતાં કેટલાય દેશોમાં સાવધાની વર્તવાની સાથે સ્થાનિક અને ઇન્ટનેશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. ભારતે પણ 25 મેથી ઘરેલુ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કર્યુંછએ. જોકે હજી ઇન્ટનેશનલ ફ્લાઇટસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગેલો છે.

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર

ભારત વિશ્વનું સૌથી મોટું એવિયેશન બજાર છે. ભારત પ્રતિ દિન આશે 4500 ડોમેસ્ટિક અને ઇન્ટનેશનલ ફ્લાઇટ્સનું મેનેજમેન્ટ કરે છે.આમાંથી આશરે 600 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોય છે. માત્ર દિલ્હીથી જ આશરે પ્રતિ દિન 900 ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. જોકે ભારતમાં લોકડાઉનથી પહેલાંથી ડોમેસ્ટિક એરલાઇન્સની સેવાઓમાં 30 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 10/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાની મોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીન ઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈ કારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિક ખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂની ઓળખાણ કે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 10/06/2020