Home Blog Page 4772

રાજકીય પાર્ટીઓ જેના રવાળે ચડી એ વર્ચુઅલ રેલી છે શું?

નવી દિલ્હી: ચૂંટણી પ્રચાર પણ ડિજિટલી થશે એવું તમે ક્યારેય વિચાર્યું તું? અમેરિકામાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે વર્ચુઅલ રેલીનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાની પાછળ પાછળ ભારતમાં પણ હવે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમિત શાહ પછી હવે રાજનાથ સિંહ અને અન્ય રાજકીય પાર્ટીઓના નેતા પણ આ પ્રકારની વર્ચુઅલ રેલીઓ કરી રહ્યા છે. અહીં સવાલ એ છે કે ખરેખર આ વર્ચુઅલ રેલી છે શું?

વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટીઓ સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચૂંટણી પ્રચારની વાત આવે અને તેમાં રેલી ન હોય તો વાત જામે નહીં. એક વિશાળ જનસમૂહને પ્રભાવિત કરવા રાજકીય રેલી મહત્વનો ભાગ ભજવે છે.પણ આ કોરોના કાળમાં ભીડ એક્ત્ર કરવાથી સંક્રમણનું ખતરો છે. એટલા માટે રાજકીય પાર્ટીઓ ડિજિટલ અથવા વર્ચુઅલ રેલીઓનું વલણ અપનાવી રહી છે. ફેસબુક લાઈવ (FB Live), Youtube અને Zoom જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પણ એક પગલું આગળ છે વર્ચુઅલ રેલી.

આ પ્રકારની રેલીમાં રિયલ ટાઈમ ઈવેન્ટ હેઠળ આયોજન કરવા ઉપરાંત કેટલીક બ્રાન્ડ અને કંપનીઓ પ્લાનિંગ અને ટાઈમલાઈન ટ્રેકિંગ જેવી સેવાઓ પણ આપી રહી છે. વર્ચુઅલ રેલીમાં વિડિયોની સાથે સાથે ગ્રાફિક, પોલ અન્ય જાણકારીઓ પણ જાહેર કરી શકો છો. કેટલીક કંપનીઓ વર્ચુઅલ રેલીમાં લોકોની હાજરી, ગતિવિધિઓ અને મેલ વગેરે સાથે જોડાયેલા આંકડા અને ડેટા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. અહીં અમે તમને એ જણાવી રહ્યા છીએ કે, આ રેલીઓ કેવી રીતે થાય છે અને તેમા ટેકનોલોજીની શું ભૂમિકા છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહે બિહારની આગામી ચૂંટણીના પ્રચાર કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં વર્ચુઅલ રેલી કરી જેના થકી અંદાજે 5 લાખ કાર્યકર્તાઓ સુધી તે પહોંચ્યા. ત્યાર પછીથી જ ચૂંટણી રેલીઓ ડિજિટલ થવાને લઈને ચર્ચા છેડાઈ છે. સવાલ એ છે કે, ભારતમાં મીડિયા અને ઈન્ટરનેટનો ફેલાવો કેટલો મોટો છે અને રાજનીતિના ડિજિટલીકરણથી કયો વર્ગ ચૂંટણી અભિયાનો સાથે જોડાઈ શકશે અને કયો નહીં?

ભાજપ પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગભગ 1000 જેટલી વર્ચુઅલ રેલીઓ કરશે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અને બિહારની ક્ષેત્રીય પાર્ટીઓએ પણ વર્ચુઅલ રેલીઓ અંગે રણનીતિ બનાવાનું શરુ કરી દીધું છે. ભાજપ સહિત અન્ય કેટલીક રાજકીય પક્ષોનું માનવું છે કે, જો કોવિડ મહામારી સંબંધી સંક્રમણની સ્થિતિ આગળ પણ આવી જ રહી તો લોકો વચ્ચે થતી રેલીઓ થવી મુશ્કેલ બની જશે.

રાજકીય પાર્ટીઓની ડિજિટલ વિંગ્સ સતત નવી ટેકનિક અને વિચારોના હિસાબે રણનીતિ બનાવી રહી છે. આ સાથે જ પાર્ટીઓ તેમના ગ્રામીણ કાર્યકર્તાઓને ટેકસેવી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

વર્ચુઅલ રેલીની મર્યાદા

રાજકીય પાર્ટીઓ નજીકના ભવિષ્યમાં અલગ થીમ અને વિચાર પર આધારિક વર્ચુઅલ રેલીઓ પર ફોકસ કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ રેલીઓને ટીવી પર પણ પ્રસારિત કરવાની યોજના બનાવી શકે છે. બીજી તરફ આ રેલીઓની મર્યાદાની જો વાત કરવામાં આવે તો આ એક તરફી સંવાદ છે અને બીજી તરફ ખૂબજ ખર્ચાળ સાબિત થઈ રહી છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો અમિત શાહની બિહાર રેલીના ખર્ચની જો વાત કરવામાં આવે તો રાજ્યના 72 હજાર બૂથોના કાર્યકર્તા સુધી અમિત શાહનો સંવાદ પહોંચાડવા માટે હજારોની સંખ્યામાં એલઈડી સ્ક્રીનો અને સ્માર્ટ ટીવી ઈન્સ્ટોલ કરવામાં આવ્યા. આરજેડીએ આરોપ લગાવ્યો કે આ રેલી પર સરકારે 144 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.

ટીવીની સાથે જ રેડિયોની રાષ્ટ્રીય ચેનલોનો ઉપયોગ સત્તાધારી પાર્ટીના હાથમાં રહેશે અને ખાનગી ચેનલો કે રેડિયો એફએમ મારફતે અન્ય પાર્ટીઓ વર્ચુઅલ કેમ્પેઈનિંગ કરી શકે છે. કારણ કે અત્યારે વર્ચુઅલ રેલીનો ખર્ચ ખૂબ જ વધુ  છે એટલા માટે સંચાર માધ્યમોનો ચતુરાઈ ભર્યા ઉપયોગથી બાજી જીતવામાં આવશે. સ્માર્ટફોન મારફતે પાર્ટીઓ કરોડો લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી શકે છે. વોટ્સએપ સહિત મેસેન્જર, વિડિયો કોલ અને મીટિંગ એપ્સનો બહોળો ઉપયોગ કરવામાં આવી શકે છે.

સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા અને પ્રચલિત માધ્યમો દ્વારા વર્ચુઅલ રેલીઓ અને ચૂંટણી ઝૂંબેશની શરુઆત થયા બાદ આ માર્કેટ વધશે અને નવી ટેકનીક કે આઈડિયા આવશે. ઘણી ટેકનોક્રેડ કંપનીઓ રાજકીય પાર્ટીઓ માટે વિશેષરૂપે ઈનોવેટિવ મંચ તૈયાર કરશે. રાજકીય પાર્ટીઓનું ડિજિટલીકરણ આવનારા દિવસોમાં એક બેહતરીન કહાની બનવા જઈ રહી છે એ તો નક્કી છે.

દિલ્હીના CM કેજરીવાલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેજરીવાલે મામૂલી તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ પછી સોમવારે ખુદને ક્વોરોન્ટાઇન કરી આજે સવારે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે સાંજે નેગેટિવ આવ્યો હતો. 51 વર્ષીય કેજરીવાલ રવિવારે અસ્વસ્થ થયા હતા અને એ પછી તેઓ કોઈને પણ મળ્યા નહોતા. તેમણે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ખુદને આઇસોલેટ કરી લીધા હતા, એમ આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું. તેમને તાવ હતો અને ગળામાં બળતરા થતી હતી. રાઘવે કહ્યું હતું કે મોટી ચિંતા એ પણ છે કે કેજરીવાલને ડાયાબિટીસ પણ છે.

મુખ્ય પ્રધાને રવિવારે સવારે પોતાના પ્રધાનમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. સોમવારે ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત ઠીક નથી. તેમને તાવ અને ગળામાં કફ છે. જેથી તેઓ કોઈ બેઠક પણ નથી કરી રહ્યા.

કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ, કેન્દ્ર માનવા તૈયાર નહીં

દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને કોરોના કેસ હવે 30,000ની નજીક પહોંચી ગયા છે. દિલ્હીમાં પાછલા કેટલાક દિવસોથી પ્રતિ દિન 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને મંગળવારે કહ્યું હતું કે અમે આશા કરીએ છીએ કે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડો 15 દિવસો સુધી દર્દીઓ માટે પર્યાપ્ત રહેશે, પણ કોવિડ-19 દર્દીઓ માટે આરક્ષિત મોટા ભાગના બેડ 4-5 દિવસોમાં જ ભરાઈ ગયા. તેમણે કહ્યું હતું કે દિલ્હીના એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વાઇરસના કોમ્યુનિટી સ્પ્રેડ હોવાની વાત કહી છે, પણ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આનો સ્વીકાર નથી કર્યો.

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આપસના રાજકીય મતભેદો ભૂલી જઈને કેજરીવાલને તેઓ સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

મુંબઈઃ ઓફિસોનો સમય અલગ અલગ રાખવાનું BESTનું સૂચન

મુંબઈઃ કોરોનાવાઈરસ લોકડાઉનના પાંચમા તબક્કામાં અપાયેલી વિવિધ છૂટછાટો માટે ‘અનલોક’ નામ આપવામાં આવ્યું છે. આવા ‘અનલોક’નો હાલ પહેલો તબક્કો ચાલે છે. તે અંતર્ગત મુંબઈમાં BEST કંપની તરફથી એવી માગણી કરવામાં આવી છે કે બસ સ્ટોપ ખાતે લોકોની ખૂબ ભીડ જામતી હોવાથી કોરોનાને દૂર રાખવા માટે ઘડાયેલો સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ જળવાતો નથી તેથી ખાનગી ઓફિસો એક સામટો નહીં, પણ અલગ અલગ સમય રાખે.

ભાયંદરમાં BESTની બસ માટે 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હોવાનો વિડિયો તેમજ એક બસની અંદર ચડવા માટે માસ્કધારી લોકોએ રાબેતા મુજબની કરેલી ધક્કામુક્કીના વિડિયો હાલ ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. એવી અનેક તસવીરો પણ વાઈરલ થઈ છે. બસની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું કોઈ પાલન થઈ શકતું નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મુંબઈમાં મહાનગરપાલિકા સંચાલિત BEST કંપનીએ 8 જૂનથી 2,200 બસો દોડાવવાનું શરૂ કર્યું છે. તેના કુલ બસકાફલાનો આ આશરે 63 ટકા હિસ્સો ગણી શકાય.

લોકડાઉનને અનલોક કરતી વખતે સરકારે એવી જાહેરાત કરી હતી કે એક BEST બસમાં માત્ર 30 જણ જ બેસી શકશે અને માત્ર પાંચ જણને ઊભા રહીને પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. એક સીટ પર માત્ર એક જ પેસેન્જરને બેસવા દેવામાં આવશે. પરંતુ ઘણા વિસ્તારોમાં આવા નિયમની ઐસીતૈસી કરી દેવાયાનું જોવા મળ્યું છે.

અમુક બસોમાં કંડક્ટરો પણ ફેસ-શિલ્ડ વગર જોવા મળ્યા હતા.

હાલ ખાનગી ઓફિસોને ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે BESTની બસોને મુંબઈમાં તમામ માર્ગો પર તેમજ પડોશના પાલઘર જિલ્લાના વિરાર સુધી, થાણે જિલ્લાના બદલાપુર સુધી અને રાયગડ જિલ્લાના પનવેલ સુધી દોડાવવામાં આવે છે.

નાગરિકોની ફરિયાદ છે કે BESTની બસો સમયસર આવતી નથી અને એમને કલાકો સુધી બસ સ્ટોપ પર ઊભા રહેવું પડે છે. એને કારણે એમને નાછૂટકે પાછા ઘેર જતા રહેવું પડે છે.

આ પરિસ્થિતિને કારણે BEST કંપનીએ એવી અપીલ કરી છે કે ખાનગી ઓફિસો એમના સમયમાં ફેરફાર કરે. બધી ઓફિસો એક સરખો સમય ન રાખી અલગ અલગ રાખે જેથી બસ સ્ટોપ પર લોકોની ભીડ ન થાય અને BEST કંપની ભીડને સંભાળી શકે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયાને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડવાથી દિલ્હીની સાકેત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયા કોરોના પોઝિટિવ છે અને પાછલા ચાર દિવસોથી સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. તેમને ગળામાં ખરાશ અને તાવની ફરિયાદ હતી. જ્યારે તેમનાં માતામાં કોવિડ-19 ઇન્ફેક્શનનાં લક્ષણો જોવા નથી મળ્યા.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો પણ કોરોના વાઇરસનો ટેસ્ટ થયો

આ પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા હતા. CM કેજરીવાલને તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાન કેજરીવાલનો કોરોનાનો ટેસ્ટ આજે થયો છે અને રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ અટકી નથી રહ્યું

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતો. પાછલા કેટલાક દિવસોથી પ્રતિદિન હઝાર કે એનાથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. આ મુદ્દે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની વચ્ચે બેઠક પણ થઈ હતી. ઉપ રાજ્યપાલે સર્વપક્ષી બેઠક બોલાવી છે, જેમાં કોરોના ઇન્ફેક્શનથી ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. ઉપ મુખ્ય પ્રધાન સિસોદિયાએ બેઠકમાં કહ્યું હતું કે જો આ રીતે કોરોનાના કોસમાં વધારો થયો રહેશે તો 31 જુલાઈ સુધી પાંચ લાખથી વધુ કોરોનાના કેસ થઈ જશે.

એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા યોજવાનો નિર્ણય મુલતવી રખાયો

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના કાર્યકારી બોર્ડે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો દુનિયાભરમાં થયો હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

એશિયા કપ સ્પર્ધા આ વર્ષના સપ્ટેંબરમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો હાલ બગડ્યા હોવાથી ભારતે પોતાની ટીમને પાકિસ્તાનમાં ન મોકલવાનો નિર્ણય લીધો છે. પરિણામે આ સ્પર્ધા યુએઈમાં યોજાય એવી ધારણા છે.

હવે આવતા ઓક્ટોબર-નવેંબરમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા વિશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) શું નિર્ણય લે છે એના આધારે એસીસી એશિયા કપ વિશેનો નિર્ણય લેશે.

એસીસીના બોર્ડ સભ્યોએ ગઈ કાલે વિડિયો પરિષદ દ્વારા મીટિંગ યોજી હતી. એમાં ભારત તરફથી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ભાગ લીધો હતો.

એસીસી દ્વારા સોમવારે રાતે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળાની અસર અને એના પરિણામોને ધ્યાનમાં રાખીને એશિયા કપ-2020 માટેના સંભવિત સ્થળોના વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વિશેનો આખરી નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

હવે એસીસીના બોર્ડ સભ્યો આ મહિનાના અંત ભાગમાં ફરી મળશે અને ચર્ચા કરશે એવી ધારણા છે.

લોકડાઉનથી પ્રવાસી મજૂરો પરેશાન થયા; હવે અનલોકથી ઉદ્યોગો મુશ્કેલીમાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે માઇગ્રન્ટ્સ કામદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કેમ કે લોકડાઉન બે મહિનાથી વધારે લંબાવવામાં આવ્યું હતું, પણ હવે રિવર્સ માઇગ્રેશનની અસર ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો કામ કરે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આવી જ એક ઇન્ડસ્ટ્રીઝ છે. હવે અહીં કામદારોની અછત વર્તાવા માંડી છે.

લુધિયાણાથી માંડીને તિરુપુર સુધી કામદારોની અછત

લુધિયાણાથી માંડીને તિરુપુર સુધીના નિટવેર ઉદ્યોગમાં આજકાલ કામદારોની અછત વર્તાય છે. લોકડાઉનને કારણે કામદારોના ઘરે પરત ફરવાથી અહીંના યુનિટોમાં દરજીઓ અને ફિનિશિંગ કર્મચારીઓની ભારે અછત વર્તાય છે. ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો હિસ્સો જ્યાં મજૂરોનો વધુ પગાર અને ઇન્સેન્ટિવ આપીને બોલાવી રહ્યો છે, ત્યાં કેટલાક ઉદ્યોગપતિઓએ યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરકારનો સંપર્ક કર્યો છે. આ રાજ્યોમાંથી વધુ મજૂરો આવે છે. આ ઉદ્યોગ તેમને પાછા ફરવા માટે મનાવી રહ્યો છે.

કામદારોની ભારે અછત

ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનનું કહેવું છે કે કપડાં પર ઇસ્ત્રી કરવા અને એને પેક કરવાવાળા કામદારોની ભારે અછત વર્તાઈ રહી છે. દર્જીઓની અછત તો છે. ટેક્સટાઇલ યુનિટોમાં 70 ટકાથી વધુ લોકો કપડાં સીવવાના કામમાં લાગેલા હોય છે. પાંચથી સાત ટકા કામદાર કટિંગનું કામ કરે છે. 20 ટકા કામદાર ઇસ્ત્રી કરે છે અને પાંચ ટકા પેકિંગ કરે છે.

ગારમેન્ટ ઉદ્યોગમાં અડધાથી વધુ કામદારો પ્રવાસી છે

ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં કમસે કમ 1 કરોડ 20 લાખ લોકો કામ કરે છે. આમાં 50 ટકા પ્રવાસી મજૂરો હોય છે. મોટા ભાગના ટેક્સટાઇલ્સ યુનિટો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, પંજાબ અને યુપીના નોએડામાં આવેલા છે.

લોકડાઉન પછી ફેક્ટરીઓ હવે ખૂલવા લાગી છે, પણ કામ શરૂ થવા છતાં મજૂરોની અછત છે. હાલમાં નોએડામાં ટેક્સટાઇલ્સ યુનિટોમાં કામદારોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેટલાક યુનિટોએ બિહાર, બંગાળ અને ઝારખંડના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કામદારોને પરત કરવા પ્રેરિત કરવા કહ્યું હતું. આ યુનિટોનું કહેવું છે કે તેઓ કામદારોનું હવે વધુ ધ્યાન રાખશે અને તેમને વધુ પગાર અને ઇન્સેન્ટિવ મળશે.

 

BSE ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પરથી મોટર ઈન્સ્યુરન્સની 1000+ પોલિસી ઈશ્યુ કરાઈ

એક મહિનામાં એકત્ર કરાયેલા પ્રીમિયમની રકમમાં 100 ટકાનો વધારો

મુંબઈ, તા.8, 2020: બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પ્રા. લિ.ના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડએ તેના પ્લેટફોર્મ પરથી એક હજારથી અધિક મોટર ઈસ્યુરન્સ ઈશ્યુ કર્યા છે.

બીએસઈ ઈબિક્સએ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જેમાં ખાનગી કાર અને ટુ-વ્હીલર્સના ઈન્સ્યુરન્સ ઓફર કરવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ પરથી કુલ 1,195 પોલિસીઓ ઈશ્યુ કરવામાં આવી હતી અને ઓફર કરાયેલા કુલ રૂ.9.25 કરોડના કુલ ઈન્સ્યુરન્સ કવર સામે રૂ.40 લાખ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કરાયું હતું.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું એ પછી એકત્ર કરવામાં આવતા પ્રીમિયમમાં માસિક ધોરણે સો ટકાનો વધારો થઈ રહ્યો છે.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પર 6,396 પોઈન્ટ ઓફ સેલ પર્સન્સ (પીઓએસપી) રજિસ્ટર છે, જેમાંથી 2,779 સર્ટિફાઈડ છે અને વેપાર કરવા માટે તૈયાર છે. પીઓએસપી સંપૂર્ણ ઓટોમેટેડ હાઈ ટેક પ્લેટફોર્મ પર પોલિસીઓ ઈશ્યુ કરી શકે છે. આ પ્લેટફોર્મ પર વિવિધ પોલિસીઓની તુલના, વિવિધ ઈન્સ્યુરન્સ કંપનીઓ દ્વારા ક્વોટ કરવામાં આવતાં પ્રીમિયમની તુલના, તુલનાને આધારે ચોક્કસ પોલિસીની પસંદગી, પોલિસી માટેની રકમની ચુકવણી થઈ શકે છે અને ઈન્સ્યુરન્સ કંપનીઓ માત્ર પાંચ મિનિટમાં ઈ-ફોર્મેટમાં ઈન્સ્યુરન્સ પોલિસી ઈશ્યુ કરી શકે છે.

સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટેડ હોવાથી પીઓએસપી તેમના વેપારને વધારી શક્યા છે અને પેપરવર્ક, એકથી અધિક જગ્યાએ સહીઓ, ચેક દ્વારા ચુકવણી, કંપનીમાં ડોક્યુમેન્ટ્સની સોંપણી અને અન્ય ઘણી પ્રક્રિયાઓ નિવારી શક્યા છે.

તાજેતરમાં બીએસઈ ઈબિક્સે તેના પ્લેટફોર્મ પર હેલ્થ ઈન્સ્યુરન્સનું વિતરણ શરૂ કર્યું હતું.

બધા પ્રકારના વિમા ઉપલબ્ધ કરવા માટે બીએસઈ કમર્શિયલ વેહિકલ્સ, જેવાં કે ટ્રક્સ, ટ્રેક્ટર્સ, ઓટો, ટેક્સીના અને ફાયર, લાયાબિલિટી અને શોપકીપર્સ ઈસ્યુરન્સનું વિતરણ પણ શરૂ કરશે.

કોરોનાના 9987 નવા કેસ, 266નાં મોત

નવી દિલ્હીઃ અનલોક-1ની વચ્ચે દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા 2,66,598 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે અત્યાર સુધી 7466 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9987 નવા કેસ સામે આવ્યા છે અને 266 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે 1,29,215 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 48.46 ટકાએ પહોંચ્યો છે.

વૈશ્વિક સ્તરે હાલત ચિંતાજનકઃ WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે સ્થિતિ ચિંતાજનક થતી જાય છે. એની સાથે WHOએ પણ ચેતવણી આપી હતી કે આનાથી વિશ્વભરમાં અસંતોષ ઊભો થાય એવી શક્યતા છે. જિનિવામાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમણે કહ્યું હતું કે યુરોપની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં 1,36,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ કેસોમાં સૌથી વધુ કેસો અમેરિકામાં અને દક્ષિણ એશિયામાંથી સામે આવ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ગુજરાત બોર્ડના 10મા ધોરણનું પરિણામ જાહેર; 60.64% વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર આજે જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા આ પરિણામો તેની સત્તાવાર વેબસાઇટ http://www.gseb.org/  પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે 10મા ધોરણનાં પરિણામો 60.64 ટકા આવ્યાં હતાં, જે 2019ની કુલનાએ 6.33 ટકા નીચાં છે. વળી, આ વર્ષે 90 ટકા કે તેથી વધુ ટકા લાવનારા વિદ્યાર્થીઓની સખ્યા પણ નોંધપાત્ર રીતે ઓછી છે. આ વર્ષે 90 ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1671 છે, જે ગયા વર્ષના 3303 વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઓછી છે.

બોર્ડની નીતિ મુજબ દરેક વિદ્યાર્થીએ દરેક વિષયમાં D સ્કોર કરવો આવશ્યક છે. જો કોઈ કેસમાં તે-તેણી કોઈ વિષયમાં E સ્કોર કરે તો તેણે પૂરક પરીક્ષા આપવાની રહેશે. આ વિદ્યાર્થીને જુલાઈમાં થનારી રિ-ટેસ્ટમાં પરીક્ષા આપવા દેવાશે. આ પૂરક પરીક્ષાની જાહેરાત પરિણામો સાથે થઈ ગઈ છે. GSEBએ હાલમાં જ 12મા સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું હતું.

10મા ધોરણમાં 10.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

આ વર્ષે આશરે 10.83 લાખ વિદ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા કોવિડ-19ને કારણે લોકડાઉનના થોડા સમય પહેલાં જ પૂરી થઈ હતી. દેશમાં લોકડાઉનનો પહેલો તબક્કો 25 માર્ચ, 2020એ શરૂ થયો હતો. ગયા વર્ષ 2019માં 10મા ધોરણનાં પરિણામો 67 ટકા આવ્યાં હતા, જે 2018ની તુલનાએ 0.53 ટકા ઘટ્યાં હતા. અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની અન્ય ભાષાના વિદ્યાર્થીઓ કરતાં પાસ થવાની ટકાવારી વધુ હતી. ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓની તુલનાએ અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 23.53 ટકા ઊંચી હતી.

કોવિડ-19ને લીધે પરિણામો 15 દિવસ મોડાં જાહેર

ગુજરાત બોર્ડન  પેપર તપાસવાની કામગીરી લોકડાઉનને કારણે ખોરંભે ચઢી હતી, પણ સરકારે 26 એપ્રિલથી બોર્ડને પેપર તપાસવાના નિર્દેશ આપ્યા હતા. બોર્ડે 15000 શિક્ષકોને પેપર તપાસવાની કામગીરીમાં લગાડ્યા હતા. 10મા ધોરણનાં પરિણામો કોવિડ-19 રોગચાળાને કારણે 15 દિવસ મોડાં જાહેર થયાં હતા.

 

 

 

 

પંચાંગ 09/06/2020