Home Blog Page 4775

કોરોના વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થવાની આશા

નવી દિલ્હીઃ જો કોરોના સામેની ટ્રાયલ સફળ સાબિત થશે તો સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાઇરસની વેક્સિન (રસી)ની બે અબજ ડોઝ બ્રિટિશ ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા તૈયાર કરી લેશે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું હતું. કંપની ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે, જેણે આ વાઇરસની રસની પહેલ કરી છે આ રસીનું પરીક્ષણ પૂર્ણ થયા પછી અંતિમ મંજૂરી મળી જાય એ પછી આવનારા મહિનામાં રસીનું ઉત્પાદન શરૂ થશે.

સપ્ટેમ્બર સુધી વેક્સિન તૈયાર થવાની આશા

અમે અત્યાર સુધી યોગ્ય ટ્રેક પર છીએ અને હવે અમે આ રસી તૈયાર કરવાનું શરૂ કરીશું અને પરિણામો પરિણામો આવશે ત્યારે એનો ઉપયોગ કરવા તૈયાર રહેવું પડશે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયોટે કહ્યું હતું. અમારી પાસે ઉનાળાના અંત સુધીનો ડેટા છે અને ઓગસ્ટ સુધીનો ડેટા હશે, તેથી સપ્ટેમ્બરમાં આપણને ખબર પડી જશે કે આપણી પાસે અસરકારક વેક્સિન હશે કે નહીં.

બે અબજ ડોઝ તૈયાર કરવા કરાર

કંપનીએ આ સપ્તાહે જાહેરાત કરી હતી કે એણે કોવિડ-19 રસીના ઉત્પાદનક્ષમતા  બે અબજ ડોઝ કરવા માટે કોલિશન એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇન્નોવેશન (CEPI) ગેવી સાથે વેક્સિન એલાયન્સ અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે  ઉત્પાદનક્ષમતા બમણી કરવા માટે કરાર કર્યા છે.

ભારતમાં અને ચીનમાં ઉત્પાદન એકમ સ્થાપવા વિચારણા

વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકોમાંની એક ભારતીય સંસ્થા સાથેની ભાગીદારીથી નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં મોટી સંખ્યાંમાં રસી સપ્લાય કરવામાં મદદ મળશે. જોકે કંપની યુરોપ અને અમેરિકામાં સપ્લાય ચેઇન માટે  ભારતમાં અને ચીનમાં ઉત્પાદન એકમ સ્થાપશે, એમ તેમણે કહ્યું હતું.

નુકસાનની પણ વહેંચણી

તેમણે ઉમેર્યું હતું કે કંપની આ કામ નોન-પ્રોફિટ ધોરણે કામ કરશે જો ટ્રાયલનું પરિણામ નિરાશાજનક સાબિત થશે તો કંપનીને મોટું નુકસાન ખમવું પડશે, પણ કંપની તેના નાણાકીય જોખમને પણ CEPI સાથે વહેંચી રહી છે. અમે આ કોરોના સંકટના સમયમાં જોખમ લઈને રસીનું ઉત્પાદન કરવાનું જોખમ લીધું છે, જો વેક્સિન (અસરકાર) તૈયાર થઈ જશે તો આ તૈયારી કરવાનો એકમાત્ર રસ્તો છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એપ્રિલમાં સેંકડ વોલિન્ટિયર્સ પર કોવિડ-19ની રસીના પ્રારંભિક પરીક્ષણો શરૂ કર્યાં હતાં અને હવે એ વધીને 10,000 પાર્ટિપિન્ટ્સ સુધી પહોંચ્યાં છે.

 

 

 

 સપ્ટેમ્બર સુધી કોરોના રોગચાળો ખતમ થવાની શક્યતા

નવી દિલ્હીઃ કોરોના રોગચાળો દેશમાં ક્યારે ખતમ થશે, એ સવાલ સૌકોઈના મનમાં છે. સરકાર કોઈ દાવો કરી નથી રહી, પણ આરોગ્ય મંત્રાલયના બે વરિષ્ઠ નિષ્ણાતો ડો. અનિલકુમાર અને ડો. રૂપાલી રાયે એક શોધમાં દાવો કર્યો છે કે સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી આ રોગચાળો ખતમ થવાની શક્યતા છે. આરોગ્ય સેવાના મહાનિર્દેશાલયમાં ઉપ નિર્દેશક છે અને ડો. રૂપાલી રાય સહાયક મહાનિર્દેશક છે. આ શોધ એપિડેમિલોજી ઇન્ટરનેશનલ જર્નલના તાજા અંકમાં પ્રકાશિત થઈ છે. આ શોધમાં રોગચાળો ખતમ થવાને લઈને ગણિતીય આકલન મશહૂર બૈલી મોડલને આધારે કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 139નાં મોત થયાં છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા 80,000ને પાર થઈ છે. બૈલી મોડલ અનુસાર કી રોગચાળો ત્યારે ખતમ થાય છે, જ્યારે એનાથી સંક્રમિતોની બરાબર લોકો એ બીમારીથી અલગ થઈ જાય. અલગ હોવાનું તાત્પર્ય –તેઓ સ્વસ્થ થઈ જાય અથવા બીમારીને કારણે તેમનાં મૃત્યુ થઈ જાય.

આ મોડલમાં રોગચાળાના આકલન માટે બૈલી મોડલ રિલેટિવ રેટ ((BMRRR) કાઢવામાં આવે, જે સ્વસ્થ થયેલા અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને આધારે નક્કી થાય છે. આ શોધમાં 19 મે સુધી આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, ત્યાર સુધી દેશમાં 1,06,475 લોકો સંક્રમિત હતા, જેમાં 42,306 લોકો સ્વસ્થ થયા હતા. અને 3302 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે BMRRR રેટ 42 ટકા હતો, પણ રોગચાળો ખતમ ત્યારે થાય છે, જ્યારે એ સો ટકાની નજીક પહોંચે છે.

આ શોધના મુખ્ય લેખક ડો. અનિલકુમાર જાહેર આરોગ્યના નિષ્ણાત પણ છે. તેઓ કહે છે કે હાલ BMRRR 50 ટકા સુધી પહોંચ્યો છે. અમારી ગણતરી પ્રમાણે એ સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી એ સો ટકા પહોંચી જશે, ત્યારે આ રોગચાળો ખતમ થશે. યુરોપના કેટલાય દેશોમાં બૈલી મોડલથી આકલન કરવામાં આવ્યું છે. એ યથાર્થ નીવડ્યા છે, પણ આકલનના સફળ થવા માટે અન્ય કારણો પણ અસર કરતા હોય છે. આ પરિણામોની સો ટકા ગેરન્ટી નથી.

 

 

93 વર્ષી લક્ષ્મીબા ખરા અર્થમાં કોરોનાયોદ્ધા સાબિત થયાં

મુંબઈઃ શહેરની હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી કોરોના વાઇરસ સામેની લડાઈ લડ્યા પછી 93 વર્ષીય ઘાટકોપરનિવાસી લક્ષ્મીબાઈ હીરજી મથરાવાલા સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યાં છે ત્યારે પરિવારના દરેક સભ્યના ચહેરા પર આનંદ હતો. તેમની સારવાર કરી રહેલાં ડોક્ટરો અને નર્સો માટે પણ આ સુખદ ઘડી હતી, કેમ કે કોરોના વાઇરસથી વિશ્વઆખું હાલ ત્રસ્ત હતું અને હજી સુધી આ રોગની દવા શોધાઈ નહોતી.

વળી લક્ષ્મીબાની વૃદ્ધાવસ્થાને લીધે સૌકોઈ ચિંતાતુર હતા, પણ તેમણે હિંમત ના હારતાં આ રોગને માત આપી છે. સાચા અર્થમાં તેઓ કોરોનાયોદ્ધા સાબિત થયા.

દાદીમામાં કોરોનાનાં લક્ષણો

પરિવારના સભ્યોને જ્યારે ખબર પડી કે તેમનાં દાદીમાને કોરોના વાઇરસ થયો છે, ત્યારે તેમની વયને ધ્યાનમાં લેતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ આ રોગ સામે દાદીમાએ હિંમત ના હારતાં બહાદુરીથી દાખવી અને આ ઉંમરે પણ જીવવાનો જોસ્સા રાખતાં એકદમ સ્વસ્થ થઈને હાલમાં જ ઘરે પરત ફર્યાં.

બહુ મોટો પરિવાર

લક્ષ્મીબાનો પરિવાર બહુ વિશાળ છે. તેમને ચાર પુત્રો, આઠ પૌત્રો અને આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. તેઓ જ્યારે ઘરે પાછાં ફર્યાં ત્યારે તેમના પરિવારને રાહત થઈ છે. પરિવારનાં સભ્ય કિન્નરી મથરાવાલાએ દાદી વિશે માહિતી આપતાં કહ્યું કે 13 મે તેમનામાં આ વાઇરસના પ્રાથમિક લક્ષણો દેખાયાં અને 15 મેએ તેમનો કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યાર બાદ 17 મેએ જ્યારે તેમનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં તેમના પરિવારનો દરેક સભ્ય તેમના માટે ચિંતાતુર થઈ ગયો. પરિવાર માટે કસોટી કાળ હતો. તેમને ચિંતા થઈ કે દાદીને આઇસોલેશનમાં કેવી રીતે એકલા મૂકી દેવાં? તેમને વાઇરસ કરતાં આ ઉંમરે એકલા રાખવાનું વધુ જોખમ હતું. જોકે એ પછી 18 મેએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.

દાદીની કોરોનાની સારવાર

તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જ્યારે એમ્બ્યુલન્સ લેવા આવી ત્યારે દરેક જણે PPE કિટ્સ પહેરી હતી. દાદીમા માટે આ બધું જીવનમાં અસામાન્ય હતું, પહેલી વાર હતું, છતાં એ ડર્યા વિના હોસ્પિટલમાં દાખલ થયાં. તેમની આસપાસ પરિવારના કોઈ પરિચિત ચહેરા ના હોવા છતાં તેમણે હિંમત રાખી. તેઓ કદાચ અંદરથી ચોક્કસપણે ડર્યા હશે, પણ તેમણે એ તરફ બિલકુલ ધ્યાન ના આપ્યું અને સકારાત્મકતા રાખી. હોસ્પિટલમાં બીજા દિવસે તેમને શ્વાસોચ્છ્શ્વાસની તકલીફ થતાં તેમની તબિયત વધુ બગડી. ડોક્ટરોએ પણ એ વખતે કહ્યું કે તેમની ઉંમરને લીધે રિકવરી જલદી નથી થતી અને વાર લાગશે, કેમ કે આ ઉંમરે વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જીવવાની ઇચ્છા પણ ઓછી થતી જાય છે, પણ દાદીમાએ તો મજબૂત ઇચ્છાશક્તિ અને સકારાત્મક વલણ દ્વારા રોગને હંફાવી દીધો. તેમને શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા છે.

અમેરિકા, યુકે દુબઈથી વિડિયો કોલ

તેમના પરિવારને એક નવો વિચાર આવ્યો કે તેઓ વિડિયો કોલથી દાદીના ખબરઅંતર પૂછતાં રહેશે. જેથી વિશ્વભરમાંથી તેમને મુંબઈ, પુણે, યુએસએ, યુકે, દુબઈ અને હોંગકોંગથી તેમનાં પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો વિડિયો કોલ કરીને તેમના આરોગ્યની પૃચ્છા કરતા. કોવિડ-19ના સંકટ કાળમાં 93 વર્ષીય દાદીમાએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સફળતાથી અપનાવ્યું. દિવસના અંતે એ આસપાસની નર્સોને ગર્વથી કહેતા કે તેમને વિશ્વના કયા ખૂણેથી વિડિયો કોલ આવે છે!

અવાજ અને વયસંબંધિત શ્રવણ શક્તિ ઓછી

તેમની વયને લીધે વિડિયો કોલને લેવા જરા વધુ મુશ્કેલ હતા, કેમ કે તેમને ICUમાં અવાજ અને વયસંબંધિત શ્રવણ શક્તિ ઓછી હોવાને કારણે સાંભળવામાં તકલીફ પડતી, પણ પછી તેમને ગુજરાતીમાં નોંધ લખીને કેમેરા પર બતાવીને વાતો કરતાં. અવસ્થા અને માંદગી હોવા છતાં તેઓ વાંચી, સમજી અને યોગ્ય પ્રતિસાદ આપતાં.

કોહિનૂર હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે

કોહિનૂર હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો સહિતના સ્ટાફે તેમની કાળજીથી સારવાર કરી હતી. તેઓ પણ દાદીમાની રોગપ્રતિકારક શક્તિ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ખાસ કરીને ડો. ચેતન વેલાણીએ તેમની ઘરના સભ્ય હોય એ રીતે માવજત કરી હતી.

ખરાબ તબક્કામાંથી બહાર આવ્યાં

છેવટે 23 મે એ દાદીમા ખરાબ તબક્કામાંથી બહાર આવ્યાં. તેમણે ભૂખ લાગતાં જમવામાં થેપલાં, ખાંડવી અને જલેબી ખાવા માટે માગી હતી.  2 જૂને એકદમ સ્થસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેઓ સાચા અર્થમાં કોરોનાયોદ્ધા બન્યા અને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યાં.

સારવારમાં રહેલા લોકોનો આભાર માન્યો

તેમણે અને તેમના પરિવારે બધા રિયલ હીરો એટલે કે તેમની સારવારમાં રહેલા ડોક્ટરો, નર્સો, કેર ટેકર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવરો સહિના લોકોનો આભાર માન્યો હતો.

લક્ષ્મીબા હવે એકદમ સ્વસ્થ અને સુખરૂપ ઘરે છે અને તેમની મનપસંદ ખોરાક લઇ રહ્યાં છે અને વિશ્વમાં ફેલાયેલા પરિવારના સભ્યોને ડિજિટલ આર્શીવાદ આપી રહ્યાં છે.

 

 

 

 

ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીના ‘જો બાઈડન’ ટકરાશે

વોશિગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડનને ઔપચારીક રીતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. શુક્રવારે એક નિવેદનમાં જો બાઈડને કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના પ્રભાવશાળી ઉમેદવારો સાથે નામાંકન માટે સ્પર્ધા કરવી મારા માટે સન્માનની વાત છે. મને એ વાત કહેતા ગર્વ થાય છે કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણી એક થઈને લડવા જઈ રહ્યા છીએ. અમેરિકા કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ટ્રમ્પ માટે પણ મુશ્કેલ સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે.

બાઈડને 1,991 પ્રતિનિધિઓના સમર્થન સાથે તેઓએ નામાંકન કર્યું હતું. તેમને મંગળવારે થયેલી ચૂંટણીમાં સૌથી વધારે પ્રતિનિધિ પેન્સિલવેનિયામાં મળ્યા. તેઓ મેરીલેન્ડ, ઈન્ડિયાના, રહોડે આઈલેન્ડ, ન્યૂ મેક્સિકો, મોટાનો અને દક્ષિણ ડકોટામાં ચૂંટણી જીત્યા છે. પ્રાઇમરી ચૂંટણીના ત્રણ દિવસ પછી બિડનને જીત મળી હતી, કારણ કે મેઈલ બેલેટમાં વધારો થતા પરીણામ આવતા વાર લાગી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે અમેરિકામાં 2020માં ઘણી પ્રાયમરી ચૂંટણી મોડી યોજાઈ હતી.  17 માર્ચ અને 7 એપ્રિલ વચ્ચે કોઈ પ્રાઇમરી ચૂંટણી યોજાય ન હતી.

ઈમરાન ખાનને માનહાનીના કેસમાં કોર્ટે પાઠવી નોટીસ

લાહૌર: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને માનહાનીના (બદનક્ષી) એક કેસમાં પાકિસ્તાન કોર્ટે નોટીસ પાઠવી છે. હકીકતમાં કોર્ટમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ શાહબાઝ શરીફે ઇમરાન ખાન વિરુદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો હતો. વડાપ્રધાને એપ્રિલ 2017માં શાહબાઝ પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. ઇમરાને કહ્યું હતું કે, શાહબાઝે તેમને 61 મિલિયન ડોલરની લાંચ આપવાની ઓફર કરી હતી બદલામાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપર્સ કેસમાંથી હટાવી દેવાની માગ કરી હતી.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને પનામા પેપર્સ મામલે અયોગ્ય ઠેરવ્યા હતા. આ ઉપરાંત નવાઝ અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના ત્રણ કેસ ચાલી રહ્યા છે. શાહબાઝ નવાઝ શરીફનો નાનો ભાઈ છે. પોતાની અરજીમાં શાહબાઝે જાહેરમાં છબી ખરાબ કરવા બદલ કોર્ટ સમક્ષ 61 મિલિયન ડોલરના વળતરની સાથે નોટીસ પાઠવવાની પણ માગ કરી છે.

મહત્વનું છે કે, 12 જૂને પાકિસ્તાન સરકાર દેશનું નવું બજેટ રજૂ કરવા જઈ રહી છે. વર્તમાનમાં દેશની આર્થિક સ્થિતિ સારી નથી. સરકાર આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પ્રયત્નો કરી રહી છે.

કોરોનાના 9887 નવા કેસ અને 294નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ કોરોના કેસોની સંખ્યા વધીને 2,36,657 લાખ થઈ છે. એની સાથે ભારત સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં કોવિડ-19થી પીડિત દર્દીઓની સંખ્યા ઇટાલીથી પણ વધુ થઈ ગઈ છે. અત્યાર સુધી આ બીમારીથી 6642 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 9887 નવા કેસ સામે આવ્યા છે અને 294 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધી અમેરિકામાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 80,229 થઈ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 80,229 થઈ છે, જેમાં 42,224 કેસ સક્રિય છે. આ બીમારીથી 35,156 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને 2849 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

પંચાંગ 06/06/2020

ટ્રેનની ટિકિટ બુક કરાવવાના નિયમોમાં બદલાવ

 નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહી છે. આ વાઇરસના સંક્રમણથી બચાવ માટે માત્ર કન્ફર્મ ટિકિટ મેળવતા યાત્રીઓને જ રેલવેમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોપોરેશન એટલે કે IRCTCએ ટ્રેનોના સંચાલનની સાથે કરન્ટ ટિકિટોનાં બુકિંગ પણ શરૂ કર્યાં છે. જોકે કોરોનાને કારણે રેલવેએ રિઝર્વેશન ટિકિટના ફોર્મમાં કેટલાંક પરિવર્તન કર્યાં છે.

હવે આ માહિતી આપવી જરૂરી

હવે પ્રવાસીઓએ ફોર્મમાં પોતાનું પૂરું સરનામું, મકાન નંબર, ગલી, કોલોની, શહેર અને જિલ્લાની માહિતી પણ આપવી પડશે.  તમે પ્રવાસ કરતી વખતે જે મોબાઇલ રાખો, એનો નંબર પણ ભરવો પડશે. તમે રિઝર્વેશન કાઉન્ટરોથી ટિકિટ લો અથવા IRCTCની વેબસાઇટ અથવા એપથી- બધામાં આ માહિતી આપવી પડશે.

ફોર્મ ભરવામાં મોડું થાય તો ટિકિટ ખતમ

જોકે આવામાં સવાલ એ ઊભો થાય છે કે આનાથી ટિકિટ બુક કરવામાં મોડું થાય અને જ્યાં સુધી ફોર્મ ભરીશું ત્યાં સુધી ટિકિટ ખતમ થઈ જશે અથવા દલાલ એના પર કબજો કરી લેશે. જોકે રેલવે આ વિશે સ્પષ્ટતા કરી છે કે એક ફોર્મ ભરવામાં 70 સેકન્ડથી વધુનો સમય નહીં લાગે.

રિઝર્વેશન સોફ્ટવેર સિસ્ટમમાં બદલાવ

રેલવેએ પણ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે સોફ્ટવેરમાં બદલાવ કર્યો છે. રેલવેએ સ્ટેશનો પર રિઝર્વેઝશન કાઉન્ટર (PRS)થી જોડાયેલા સોફ્ટવેરમાં પણ બદલાવ કર્યો છે. રેલવેના પ્રોફાર્મમાં પ્રવાસીને સરનામું, મકાન નંબર, ગલી, કોલોની શહેર અને જિલ્લાની માહિતી આપવી પડશે.

IRCTC કેન્સલેશન અને રિફંડના નિયમ

રેલ યાત્રીઓને ટિકિટના કેન્સલેશન અને ભાડાના રિફંડના નિયમ 2015 લાગુ છે. કન્ફર્મ ટિકિટ પર ડિપાર્ચરના ચાર કલાક પહેલાં ટિકિટ રદ નહીં કરાવવા પર રેલવે તમને કોઈ રિફંડ નહીં આપે. જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને એને રદ કરાવવા ઇચ્છો છો તો ડિપાર્ચરના ચાર કલાક પહેલાં ટિકિટ રદ કરાવવા પર રિફંડ મળશે. જો ટ્રેન કેન્સલ થઈ તો ફુલ રિફંડ આપવામાં આવશે. તમે ટ્રેન ડિપાર્ચર ટાઇમના ત્રણ દિવનસોની અંદરના સમયગાળામાં રિફંડ લઈ શકો છો.

 

 

 

 

વાહ ભાઈ વાહ! ૬ જૂન, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૬ જૂન, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 06/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.