નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ નવા 9851 કેસ સામે આવ્યા છે અને 273 લોકોનાં મોત થયાં છે. આ સાથે પાછલા 24 કલાકમાં 5355 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 2,26,770 થઈ છે અને 6348 લોકોનાં મોત થયાં છે. રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 1,09462 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જોકે હજી પણ 1,10,960 લોકો કોરોના સંક્રમિત છે. રિકવરી રેટ વધીને 48.27 ટકા થયો છે.
મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 123 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. રાજ્યમાં અત્યાર સુધી 2710 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આશરે 3000 નવા કેસ નોંધાયા છે અને દર્દીઓનો આકંડો 77,793એ પહોંચ્યો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરાં, મોલ અને ધાર્મિક સ્થળો અને ઓફિસોને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે. લોકડાઉન ખતમ થયા પછી સરકારે પહેલી જૂનથી અનલોક-1ની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણથી બચવા માટે આ બધા માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આઠ જૂનથી રેસ્ટોરાં અને મોલ્સને વિશેષ સાવધાનીનું પાલન કરવા સાથે નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. દેશમાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે.
મોલ માટે અલગ ગાઇડલાઇન્સ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગાઇડલાઇન્સ કંઈક આવી છે, જે સામાન્ય રીતે દરેક જગ્યાએ પાલન કરવાની છે. મોલ માટે અલગ ગાઇડલાઇન્સ જારી થઈ છે. નવી માર્ગદર્શિકા મુજબ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે છ ફૂટનું અંતર જરૂર છે. આ સિવાય મોલમાં દરેક જણે માસ્ક લગાવવો જરૂર હશે. થૂંકવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. આ સિવાય બધા મોલને અન્ય બધી જરૂરી ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
મોલના ગેટ પર સેનિટાઇઝર રાખવું જરૂરી હશે. એની સાથે-સાથે એન્ટ્રી દરમ્યાન થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય કોરોનાનાં લક્ષણો વગરનાં ગ્રાહકો મોલમાં પ્રવેશી શકશે. આ સિવાય માસ્ક લગાવીને આવનારા લોકોને જ મોલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મોલમાં પર્યાપ્ત સંખ્યામાં કર્મચારીઓ તહેનાત કરવાના રહેશે.
હોટેલ-રેસ્ટોરાં માટે ગાઇડલાઇન્સ
રેસ્ટોરાં સ્ટાફે ગ્લવ્ઝ અને માસ્ક પહેરવા ફરજિયાત છે. કન્ટેનમેન્ટ ઝોનમાં હોટલ અને રેસ્ટોરાં ખોલવાની મંજૂરી નથી. સ્ટાફ અને ગેસ્ટે આપસમાં સંપર્કમાં આવવાથી બચવાનું રહેશે. આ ઉપરાંત રેસ્ટોરાંમાં થોડી-થોડી વારે હાથ ધોતા રહેવાની સલાહ આ દિશા-નિર્દેશોમાં આપવામાં આવી છે. આ સિવાય બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટિઝનોને રેસ્ટોરાંમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરાંનું મેન્યુ ડિસ્પોઝેબલ હોવું જોઈએ. બેઠક દરમ્યાન બે સીટો વચ્ચે પર્યાપ્ત અંત રાખવાની સલાહ આપવામાં આવી છે.
ધાર્મિક સ્થળો માટેના દિશા-નિર્દેશો
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ધાર્મિક સ્થળો જનતા માટે બંધ રહેશે, પણ બિન કન્ટેનમેન્ટ ઝોનની બહારના ધાર્મિક સ્થળ ખોલી શકાશે. ધાર્મિક સ્થળોમાં 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને મનાઈ ફરમાવવામાં આવી છે. ધાર્મિક સ્થળોએ સમૂહમાં ગીત ગાવાની મંજૂરી નથી. એના બદલે રેકોર્ડેડ ભજન વગાડી શકાય.
ધાર્મિક સ્થળોએ પ્રતિમાઓ અને પવિત્ર પુસ્તકોને ટચ કરવાથી બચવાની સલાહ છે. વળી, પ્રવેશ માટે લાગેલી લાઇનમાં કમસે કમ છ ફૂટની દૂરી રાખવી જરૂરી છે. મૂર્તિઓને ટચ કરવાની મંજૂરી નહીં. જોકે સામૂહિક પ્રાર્થના કરવાથી બચી શકા. પ્રસાદ વહેંચવા પર અને પવિત્ર જળના છંટકાવ પર પ્રતિબંધ છે. ધાર્મિક સ્થળોને વારંવાર સેનિટાઇઝ કરવાનું રહેશે. ધાર્મિક સ્થળોમાં થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે અને માસ્ક પહેરવો અનિવાર્ય છે. આ સાથે બધાને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અને એના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
લંડનઃ લિકર કિંગ અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનું ભારત પ્રત્યાર્પણ જલદી થવાની સંભાવના ઓછી છે, કેમ કે બ્રિટનની સરકારે કહ્યું છે કે તેના પ્રત્યાર્પણ પહેલાં અમુક કાનૂની મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની જરૂર છે. આ પહેલાં અમુક હરખઘેલા મિડિયા અને સોશિયલ મિડિયા પર ન્યૂઝ વાઇરલ થયા હતા કે વિજય માલ્યાને ગમે એ ઘડીએ ભારતમાં લાવવામાં આવશે. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના સમાચારોને હાલપૂરતા ફગાવી દીધા છે. અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે માલ્યાના હાલ ભારત પરત ફરવાની શક્યતા બહુ ઓછી છે. આ પહેલાં બુધવાર રાતે વિજય માલ્યાની ઘરવાપસીના ન્યૂઝે હંગામો મચાવી દીધો હતો. કેટલીક ટીવી ચેનલોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે માલ્યા ભારતમાં આવવા માટે વિમાનમાં બેસી ચૂક્યો છે.
બ્રિટિશ હાઈ કમિશને નિવેદન આપ્યું
ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું છે કે જ્યાં સુધી કાનૂની કાર્યવાહીને પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી માલ્યાની ભારત પરત ફરવાની સંભાવના બહુ ઓછી છે. હાઈ કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણની સામેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને બ્રિટનની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે એક ઔર કાનૂની મુદ્દો છે, જેને બિઝનેસમેન માલ્યાના પ્રત્યર્પણથી પહેલાં કરવાની આવશ્યકતા છે. યુનાઇટેડ કિંગડમના કાનૂન હેઠળ એના સમાધાન થવા સુધી પ્રત્યાર્પણ ના થઈ શકે.
સમય કેટલો લાગશે ખબર નહીં
અધિકારીએ કહ્યું હતું કે કેટલો સમય લાગશે, એ કંઈ કહી ના શકાય. આ મામલો ગુપ્ત છે અને અમે કોઈ પણ રીતની માહિતી આપી ના શકીએ. અમે અંદાજ પણ નથી લગાવી શકતા કે આ મુદ્દાને હલ કરવામાં કેટલો સમય લાગશે. અમે આ કેસનો જલદી નિવેડો લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
PAએ પણ માલ્યાના ન્યૂઝનું ખંડન કર્યું
માલ્યાની પર્સનલ એસિસ્ટન્ટે પણ બિઝનેસમેનના ભારત પાછા ફરવાના ન્યૂઝનું ખંડન કરતાં કહ્યું હતું કે તે આવી કોઈ ઘટનાક્રમથી અજાણ છે. તેણે કહ્યું હતું કે માલ્યાના ભારત પરત ફરવા વિશે મને કોઈ જાણકારી નથી.
માલ્યાના ખાનગી સચિવે સમાચારનું ખંડન કર્યું
ભારતીય બેન્કોના રૂ. 9000 કરોડ લઈને ફરાર થયેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાએ પણ ભારત પરત ફરવાના ન્યૂઝનું ખંડન કર્યુ છે. વિજય માલ્યાના ખાનગી સચિવે પણ આ સમાચારો વિશે તેમની પાસે કોઈ માહિતી નથી.
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ચાઈનીઝ એપ્લિકેશન્સનો બહિષ્કાર કરવાની વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે ગૂગલે આ સપ્તાહે જ તેના પ્લે સ્ટોર પરથી ‘Mitron’ અને ‘રીમૂવ ચાઈના એપ્સ’ નામની બંને એપ્સને હટાવી દીધી છે. ‘મિત્રોં’ એપને ‘ટિકટોક’નું ઈન્ડિયન વર્ઝન તરીકે રજૂ કરવામાં આવી રહી હતી તો ‘રીમૂવ ચાઈના એપ્સ’ કોઈપણ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરેલી ચાઈનીઝ એપ્સને દૂર કરવામાં મદદ કરતી હતી. આ બંને એપ ભારતમાં રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.
‘એન્ડ્રોઈડ’ અને ‘ગૂગલ પ્લે’ વાઈસ પ્રેસિડેન્ટ સમીર સામતે એક નિવેદનમાં કહ્યું કે ટેક્નિકલ પોલિસી વાયલન્સને કારણે આ સપ્તાહે અમે એક વીડિયો એપને હટાવી દીધી. અમારી પાસે ડેવલપર્સની સાથે કામ કરવાની એક સ્થાપિત પ્રક્રિયા છે, જે તેમની સમસ્યાઓનો નિકાલ કરવા અને તેમની એપને ફરીથી સબમિટ કરવામાં તેમની મદદ કરે છે. અમે ડેવલપરને કેટલીક વાતો કહી, એક વખત તે આ પોલિસી વાયલન્સનો પ્રોબ્લેમ સોલ્વ કરી લેશે તો ફરીથી એપ ગૂગલ પ્લે સ્ટોર પર આવી જશે.
જોકે, રિમૂવ ચાઈના એપ્સ અંગે એવુ નથી. આ એપ પરત નહી આવી શકે. આ એપને સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે આ એપ થર્ડ પાર્ટી એપને રિમૂવ કરવા અને તેમણે ડિસેબલ કરવા માટે પ્રોત્સાહિત કરતી હતી.
કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, એક સ્વસ્થ પ્રતિસ્પર્ધી મોહાલ જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. એક જૂનો નિયમ છે, જ્યાં ડેવલપર્સ ડિઝાઈન અને ઈનોવેશનના આધાર પર સફળ થઈ શકે છે. જ્યારે એપને અન્ય એપ્લિકેશનને વિશેષ પ્રકારે ટાર્ગેટ કરવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે એ ડેવલપર્સ અને ગ્રાહકના હિતમાં નથી હોતું. ગૂગલે છેલ્લા થોડા સમયથી સતત અનેક દેશોમાં અન્ય એપ વિરુદ્ધ આ નીતિ લાગૂ કરી છે.
મિત્રોં એપને ટિકટોકના ઈન્ડિયન વર્ઝન તરીકે પ્રમોટ કરવામાં આવી રહી હતી. ચીની પ્રોડક્ટને બાયકોટ કરવાની પહેલ વચ્ચે આ એપ પણ ખૂબ જ જડપે લોકપ્રિય થઈ રહી હતી. તો ‘રિમૂવ ચાઈના એપ’ કોઈ પણ મોબાઈલમાં રહેલ ચાઈનિઝ એપને અનઈન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. આ એપ મોબાઈલને સ્કેન કરે છે અને માહિતી આપે છે કે, કઈ કઈ એપ ચાઈનામાં બની છે. પછી યૂઝર તેમની જરૂરીયાત મુજબ એ એપને હટાવી શકે છે. 2 જૂને આ એપ પ્લે સ્ટોર પર ફ્રી એપની કેટેગરીમાં ટોપ પર હતી.
નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના-લોકડાઉનના દિવસોમાં મજૂરોની મદદ માટે આગળ આવ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેને સોનુ સૂદનું આ ભલાઈનું કામ ગમ્યું નથી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સોનુ સૂદનો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે સોનુ સૂદના આ કામને એક પ્રકારનું ષડયંત્ર બતાવી રહ્યાં છે. સોનુ સૂદ હવે કોંગ્રેસના નિશાના પર છે. તેમનું કહેવું છે કે, મહારાષ્ટ્ર સરકારની અસફળતા દેખાડતો સોનુ સૂદ BJPના ઈશારા પર કામ કરી રહ્યો છે.
ગઈ 30 મેના રોજ સોનુ સૂદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યો હતો. ત્યાર પછી તે કોંગ્રેસના નિશાના પર આવી ગયો છે.
સોનુ સૂદ પર કોંગ્રેસના સમર્થકોએ શાબ્દિક હુમલો કર્યો હતો. તેઓએ સોનુ સૂદને બીજેપીનો એજન્ટ ગણાવ્યો છે. એમનું કહેવું છે કે, સોનુ સારું કામ કરી રહ્યો છે, કારણ કે રાજ્યમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકારને ખોટા બતાવી શકાય.
મહત્વનું છે કે, મહામારીને કારણે લાખો લોકો મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. આ લોકોની મદદ માટે અભિનેતા સોનુ સૂદ આગળ આવ્યો અને આકરા તાપમાં પગપાળા વતન પરત ફરતા મજૂરો માટે સોનુએ અનેક બસની વ્યવસ્થા કરી હતી. હવે આ પ્રવાસીઓ માટે સોનુ સૂદ સુપરહીરો બની ગયો છે. સોશિયલ મીડિયા પર તેને મજૂરોના મસીહા તરીકે ઓળખ મળી છે. એટલું જ નહીં સોનુએ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્દેશક અને લેખક બાસુ ચેટરજીનું 90 વર્ષની ઉંમરે આજે સવારે 8.30 કલાકે મુંબઈમાં નિધન થયું છે. સાંતાક્રૂઝ સ્થિત પોતાના ઘરમાં જ ચેટરજીએ ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. તેમને પહેલેથી જ ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેશર સંબંધિત બીમારી હતી. ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘બાતોં બાતોં મેં’, ‘એક રુકા હુઆ ફૈસલા’ અને ‘ચમેલી કી શાદી’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર બાસુદાના નિધનના સમાચારને અન્ય ફિલ્મકાર અને ભારતીય ફિલ્મ અને ટીવી નિર્દેશક સંઘના અધ્યક્ષ અશોક પંડિતે ટ્વીટ કરીને પુષ્ટિ કરી હતી. બાસુ ચેટરજીના અંતિમ સંસ્કાર બાદમાં બપોરે સાંતાક્રુઝની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.
70-80ના દાયકામાં બાસુદાએ અનેક લોકપ્રિય ફિલ્મો આપી હતી
હિન્દી સિનેમામાં 1970-80ના દાયકામાં વાસ્તવિકતા દર્શાવતા પ્રયાસો દરમ્યાન બાસુ દાએ ‘ચિત્તચોર’, ‘રજનીગંધા’, ‘ખટ્ટામીઠા’, ‘પિયા કા ઘર’, ‘જીના યહાં’, ‘પ્રિયતમા’, ‘સ્વામી’, ‘અપને પરાયે’, ‘ચક્રવ્યૂહ’, ‘શૌકીન’ સહિતની અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને હિન્દી ફિલ્મોની દુનિયામાં એક પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. આ સિવાય તેમણે ઓછી ચર્ચિત ફિલ્મો ‘રત્નદીપ’, ‘સફેદ જૂઠ’, ‘મનપસંદ’, ‘હમારી બહુ અલકા’, ‘કમલા કી મૌત’, ‘ત્રિયાચરિત્ર’ પણ બનાવી હતી.
2007માં ‘આઇફા લાઇફટાઇમ અચિવમેન્ટ’ એવોર્ડ એનાયત
બાસુ ચેટરજીનો જન્મ રાજસ્થાનના અજમેરમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બાસુ ચેટરજીને લોકો પ્રેમથી બાસુદા કહીને બોલાવતા હતા. ફિલ્મોમાં બાસુ ચેટરજીના યોગદાન માટે સાત વાર ફિલ્મફેર એવોર્ડ અને ‘દુર્ગા’ માટે 1992માં નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. 2007માં તેમને આઇફાએ ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. 1969થી માંડીને 2011 સુધી બાસુદા ફિલ્મોના નિર્દેશનમાં સક્રિય રહ્યા હતા.
‘સારા આકાશ’ દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ
બાસુદાએ 1969માં આવેલી પોતાની ફિલ્મ ‘સારા આકાશ’ દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું. એની પહેલાં તેમણે 1966માં રિલીઝ થયેલી રાજ કપૂર અને વહીદા રહેમાન સ્ટારર ફિલ્મ ‘તીસરી કસમ’ના નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે કામ કર્યું હતું.
બાસુદાએ કરીઅરની શરૂઆત એક ઇલસ્ટ્રેટર અને કાર્ટૂનિસ્ટ તરીકે અંગ્રેજી ટેબ્લોઈડ ન્યૂઝપેપર ‘બ્લિટ્સ’થી કરી હતી. એ ન્યૂઝપેપર માટે તેમણે 18 વર્ષ સુધી કામ કર્યું અને ફરી એના પછી તેમણે ફિલ્મજગત સાથે જોડાવાનો અને ફિલ્મ ડિરેક્શન કરવાનો નિર્ણય કર્યોહતો.
મધ્યમવર્ગની સમસ્યાઓને લઈને ફિલ્મો બનાવવી બાસુદાની સૌથી મોટી ખાસિયતોમાંથી એક હતી. બાસુદાએ દૂરદર્શન માટે ‘બ્યોમકેશ બક્ષી’, ‘રજની’ જેવી બહુ લોકપ્રિય સિરિયલ્સનું પણ નિર્દેશન કર્યું હતું
નવી દિલ્હીઃ વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું સોવેરિન રેટિંગ ઘટાડ્યા પછી ગઈ કાલે કહ્યું હતું કે રિટેલ તથા સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (SME)ને આપવામાં આવેલી બેન્ક લોન ડૂબવાનું જોખમ વધી ગયું છે. દેશનું સોવરિન રેટિંગ ઘટાડ્યાનાં કારણોની છણાવટ કરતાં કહ્યું હતું કે ભારતની આર્થિક વ્યવસ્થા માટે જોખમ સતત વધી રહ્યું છે.
કેટલાંક ક્ષેત્રો પહેલેથી જ કટોકટીગ્રસ્ત
કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો એની પહેલાંથી કેટલાંક ક્ષેત્રો કટોકટીગ્રસ્ત હતાં. NBFCની વાત કરીએ તો આવનારા દિવસોમાં એસેટ્સ અને લાયાબિલિટી-બંને પર પ્રતિકૂળ અસર થશે અને એ બેન્ક લોનના લગભગ 10-15 ટકા થશે.
રિટેલ તથા SME લોનની ગુણવત્તા ખરાબ
ખાનગી વીજ કંપનીઓની પાસે કુલ બેન્ક લોનના 8-10 ટકા લોન છે. ઓટો વેલ્યુ ચેઇનમાં સૌથી વધુ લોન ખાનગી ક્ષેત્રને બેન્કોએ આપી છે. મૂડીઝે કહેવું છે કે હવે રિટેલ તથા SME બેન્ક લોનની ગુણવત્તા ખરાબ થશે, જે કુલ લોનના 44 ટકા છે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનું કહેવું છે કે ઓછો વિકાસ દર, નબળી રાજકોષીય સ્થિતિ અને નાણાકીય ક્ષેત્રમાં વધતા ટેન્શનથી પોલિસીમેકિંગ ઇન્સ્ટિટ્યુશંન્સના પડકારો વધી રહ્યા છે.
રેટિંગ એજન્સીએ કહ્યું છે કે 80 ટકાથી વધુ રેટેડ બિન નાણાકીય કંપનીઓનું આઉટલૂક નકારાત્મક છે અથવા તેમના રેટિંગ ઘટવાનું જોખમ છે.