Home Blog Page 4783

રાશિ ભવિષ્ય 01/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

હાર્દિક પંડ્યા પપ્પા બનશે; એની ગર્લફ્રેન્ડ નતાશા ગર્ભવતી છે

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી છે કે એની ફિયાન્સી અને સર્બિયાની ટીવી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ હાલ પાંચ મહિનાની ગર્ભવતી છે.

બંને જણ હાલ સગાઈના બંધનથી બંધાયેલા છે.

પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની ગર્લફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી છે જેમાં એ નતાશાના ફૂલી ગયેલા પેટ પર હાથ મૂકતો જોઈ શકાય છે અને કેપ્શનમાં લખ્યું છેઃ નતાશા અને મેં સાથે મળીને મોટી સફર આદરી છે અને એ હવે વધારે સારી બનવાની છે.

પંડ્યાએ વધુમાં લખ્યું છેઃ અમે બંને જણ રોમાંચિત છીએ કે ટૂંક સમયમાં અમારા જીવનમાં એક નવા જીવને અમે આવકારીશું. અમારા જીવનના આ નવા તબક્કાથી અમે રોમાંચિત છીએ અને આપના આશીર્વાદ અને શુભેચ્છા માગીએ છીએ.

પંડ્યા અને નતાશાએ છેલ્લા અમુક મહિનાઓથી ડેટિંગ શરૂ કર્યું હતું. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. 2020ની 1 જાન્યુઆરીએ બંનેએ એમની સગાઈની જાહેરાત કરી હતી.

26 વર્ષીય પંડ્યાના ચાહકોને હવે નવો સવાલ થશે કે પંડ્યા અને નતાશા લગ્ન ક્યારે કરશે.

પંડ્યા અત્યાર સુધીમાં 54 વન-ડે ઈન્ટરનેશનલ મેચો, 40 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને 11 ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે.

નતાશાએ એક તામિલ ફિલ્મમાં આઈટમ ડાન્સ કર્યો હતો. એણે સલમાન ખાન દ્વારા સંચાલિત બિગ બોસની 8મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

(તસવીરોઃ હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ પરથી)

લોકડાઉનમાં પણ આ હસ્તીઓએ શોધી લીધો જીવનનો ઉજાસ

નવી દિલ્હીઃ આ રોગચાળાથી બચવા માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અનેક હસ્તીઓએ આ લોકડાઉનમાં પણ તેમની ધગશથી અનેક અડચણો વચ્ચે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. પ્રસિદ્ધ નૃત્યાંગના શોવના નારાયણે આવનારી પેઢી માટે કથક નૃત્યનાં કેટલાંય રહસ્યોને પાનાંમાં ઉતાર્યાં છે તો દીપા મલિકે પેરાસ્પોર્ટ્સની માહિતી આગળ વધારવાના નિતનવા રસ્તા શોધ્યા. આ જ રીતે સેલિબ્રિટી ડોલી અહલુવાલિયાએ લોકડાઉનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. પોતાની ઓળખ ઊભી કરનારી આ હસ્તીઓએ સકારાત્મકતા રાખતાં પ્રકાશના કિરણને શોધી લીધું હતું.

અનેક લોકોએ સમયનો સદુપયોગ કર્યો

ગાઢ અંધકારમાં પણ આશાનું કિરણ નજરે ચઢે છે. અનેક અડચણો વચ્ચે પણ રસ્તો સ્પષ્ટ દેખાવા લાગે છે. સંકલ્પ દ્રઢ હોય તો મુશ્કેલીઓ દૂર થતી જાય છે. જોકે આવું તેમની સાથે થાય છે, જેમનામાં જીતનો જોસ્સો હોય. આ લોકડાઉનમાં અનેક લોકોએ સમયનો સદુપયોગ કર્યો. મહિલાઓ લોકડાઉનમાં વિવિધ ખાવાની ડિશો બનાવે છે. ઘરની સાફસફાઈ કરી, ટિકટોક બનાવે છે, મીમ્સ બનાવે છે. જોક્સ બનાવે છે. વોટ્સએપ પર મેસેજ ફોર્વર્ડ કરવામાં પણ ઘણા લોકો અગ્રેસર છે. કેટલાકે રચનાત્મક કરવાથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યા. કોઈકે શોખને પુનર્જીવિત કર્યો, કોઈકે કેન્વાસ પર આશાના રંગ દોર્યા, કેટલાકે અન્યો માટે કામ કર્યાં તો કેટલાકે આશા જગાવી.

આટલો ડર કેમ?

તમારી લોકડાઉનમાં યાત્રા કેવી રહી? કઈ સકારાત્મકતા ઊર્જા સાથે તમે એને પૂરું કર્યું અને આ બંધ માહોલથી શો ગૂઢ અર્થ કાઢ્યો? એકસાથે કરવામાં આવેલા આ સવાલોના જવાબ આપવામાં જરા પણ મોડું ના કર્યું નૃત્યાંગના શોભના નારાયણે. તેણે કહ્યું, મને કોઈ માનસિક અથવા શારીરિક સમસ્યા નથી થઈ. મારા સ્વભાવમાં જ સકારાત્મકતા છે. હું દરેક મુશ્કેલીને પડકારની જેમં લઉં છું. હું બે પુસ્તકો પર કામ કરી રહી છું.

પાંચ વર્ષથી અમે સંશોધન કરી રહ્યાં હતાં. આ સમયગાળામાં અમે એને પૂરાં કરી શક્યાં. અમે વાત કહેવા માટે નવું માધ્યમ શીખ્યા. દરરોજ ઓનલાઇન ક્લાસ લઈ રહી છું અને વિદ્યાર્થીઓને નવી ચીજવસ્તુઓ શીખવાડી રહી છું. નૃત્યથી જોડાયેલી વાતો લોકો સુધી પહોંચાડવા માટે અમે નાના-નાના વિડિયો બનાવીને મૂકી રહ્યા છે. અમારા કૂકને કેટલાય પ્રકારની ડિશિઝ બનાવતાં શીખવાડી. આ દરમ્યાન અનેક કલાકારોની સમસ્યાઓ વિશે સરકારોને લખ્યું. કેટલાક કલાકારોને હું આર્થિક રૂપે મદદ પણ કરી રહી છે, કારણને તેમની આવક બંધ છે. લોકોમાં ભયનું વાતાવરણ છે.  

સૌપ્રથમ પ્રકૃતિ પૂજા

આપણે કેટલીક ભૂલો કરી છે, ત્યારે આ આપત્તિ આવી છે. બધાએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે માનવતા ભૂલી જઈએ છીએ. ભારતીય દર્શનમાં પ્રકૃતિ અને પશુઓ માટે બહુ આદર છે. આપણને આ શીખ મળી છે કે કોઈ આને કેટલું માને છે, એ વ્સક્તિ પર નિર્ભર કરે છે. પદ્મશ્રી ડો. શોવના નારાયણ, કથક ગુરુ પ્રસિદ્ધ નૃત્યાંગના.

જાગરુકતાનાં પગલાં

જ્યારે મન મક્કમ હોય ત્યારે રસ્તો આપોઆપ મળવા લાગે છે. પેરાલિમ્પિયન દીપા મલિકને લાગે છે કે ભારત પેરાસ્પોર્ટ્સ વિશે હિન્દીમાં માહિતી ઓછી છે. તેથી તેમણે કેટલીય વેબિનાર કરાવી. તે કહે છે કે અમે અલગ-અલગ સોળ સેટ બનાવી અને ઝૂમ મીટિંગ્સ દ્વારા પેરાલિમ્પિક ખેલાડીઓને માહિતી પહોંચાડી કે આ રમતોની જરૂરિયાત કેમ છે? કેવી રીતે એનું વર્ગીકરણ અને રજિસ્ટ્રેશન થાય છે. આના પર સારો રિસ્પોન્સ મળ્યો.

મારા ફાઉન્ડેશન વિલિંગ હેપ્પીનેસ દ્વારા હેપ્પી જનતા કિચન ચલાવ્યાં અને કેટલાંક શહેરોમાં દરરોજ બસો દિવ્યાંગ મજૂરોને જમવાનું આપ્યું. આ ઉપરાંત એ ગરીબ પરિવારોને રાશન આપ્યું, જે પરિવારનો કોઈ ને કોઈ સભ્ય દિવ્યાંગ છે.

જિંદગીમાં કેટલાંય લોકડાઉન જોયાં

મારા માટે લોકડાઉન કૌમન છે. હું મોટા ભાગે પરિવારથી મહિનાઓ સુધી દૂર રહું છું. રિયો ઓલિમ્પિકની સવા વર્ષની તૈયારી લોકડાઉન જ હતું. તૈયારીના સમયે મને ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. આ લોકડાઉન મેં ખુદને લગાવ્યું તો સ્વર્ણપદક મેળવ્યો.  જ્યારે પેરાલાઇઝ થઈ ત્યારે 14 મહિના પથારીવશ હતી. જો સકારાત્મકતા છોડી દેત તો અહીં સુધી ના પહોંચી શકત- દીપા મલિક, પેરાલિમ્પિયન, સ્વર્ણ પદક અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા

સાદગી છે કેટલી સુંદર

સાદગીનું જીવન, ખુશીનો સ્રોત મળવો અને ભૌતિક ચીજવસ્તુઓથી મોહભંગ થવો એ પોતાની સફળતા માનતી સેલિબ્રિટી ડોલી અહલુવાલિયા તિવારી. મેં સાત જોડી કપડાંમાં બે મહિના સારી રીતે વિતાવ્યાં. આ દરમ્યાન સાદગી મહેસૂસ કરી છે. જ્યારે પણ કબાટ ખોલું છું ત્યારે ખુદ પર ગુસ્સો આવે છે અને દુઃખ થાય છે કે મેં આટલી ચીજવસ્તુઓ કેમ ખરીદી? આટલી મને જરૂર નહોતી. મારું મન કરે છે કે હું કોઈ ગામ ચાલી જાઉં અને ત્યાં સાધારણ જિંદગી વિતાવું. હવે હું ભૌતિકતાથી ભાગવા ઇચ્છું છું. આનંદ આપણ ભીતર છે, એને શોધવાથી અમે ખુશીઓ વહેંચી શકીએ છીએ.

આ લોકડાઉનમાં મેં નજીકથી જાણ્યું છે કે મારી જિંદગીમાં કયાં લેયર પહેરવા ઇચ્છું છું અને કયા ઉતારવા ઇચ્છું છું. આ ખરેખર મુશ્કેલ છે, પણ મને અહેસાસ થયો કે દરેક ચીજમાં મેડિટેશન છે.

બેસીને ધ્યાન લગાવવું અલગ વાત છે અને કચરા-પોતું કરવું અને જમવાનું બનાવવું પણ એક મેડિટેશન છે, કેમ કે આમાં પણ તમારા વિચાર છે.

મને એક નવી ડોલી મળી આવી. કદાચ હું એટલી ભાગદોડ કરતી હતી કે મારી અંદરની બાબતો પર એક ખોટું આવરણ ચઢી ગયું હતું, જેની મને ખબર જ નહોતી, પણ લોકડાઉનમાં એ બાબતોને નજીકથી જોઈ-અનુભવે અને એને અંદર સુધી ગઈ છું. હું ઘણી બાબતોને નકારાત્મક જોતી હતી, પણ હવે એક સકારાત્મક બદલાવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં પાંચ જૂનથી તમામ બજારો, દુકાનો ઓડ-ઈવન ધોરણે ખોલી શકાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેનું લોકડાઉન, જે દેશવ્યાપી પાંચમું લોકડાઉન છે, એને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ જ 30 જૂન સુધી લંબાવી દીધું છે. પરંતુ તેણે અમુક છૂટછાટોની આજે જાહેરાત કરી છે.

લોકડાઉનના નવા રાહતોથી ભરપૂર તબક્કામાં ઓફિસો અને બસ સેવા ફરી શરૂ થશે, પરંતુ શોપિંગ મોલ્સ અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ હજી બંધ જ રહેશે.

મહારાષ્ટ્ર સરકારે નવા લોકડાઉનની નિયમાવલી આજે જાહેર કરી છે. તે મુજબ, આવશ્યક સેવાઓને બાદ કરતાં રાતે 9 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ રહેશે.

સરકારે જાહેર કહ્યું છે કે 8 જૂનથી તમામ ખાનગી ઓફિસો ખોલી શકાશે, પરંતુ એમાં માત્ર 10 ટકા સ્ટાફ જ બોલાવી શકાશે. બાકીના કર્મચારીઓએ ઘેરથી કામ કરવાનું ચાલુ રાખવાનું રહેશે.

જિલ્લાની અંદર બસ સેવા ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે બસ સેવા હજી બંધ છે.

સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ મોલ્સ, હજામતની દુકાનો, સ્પા, સલૂન્સ, બ્યૂટી પાર્લરો બંધ જ રહેશે.

‘મિશન બિગીન અગેઈન’ – આ નામ આપ્યું છે રાજ્ય સરકારે લોકડાઉન-5 માટેની માર્ગદર્શિકાને રિલીઝ કરતી વખતે.

રાજ્ય સરકારે પડોશના વિસ્તારોમાંના જાહેર સ્થળોમાં સાઈક્લિંગ, જોગિંગ, વોકિંગ અને રનિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપી છે. સવારે પાંચ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વ્યક્તિગત શારીરિક કસરત-અભ્યાસને પણ પરવાનગી આપવામાં આવી છે.

પ્લમ્બર, ઈલેક્ટ્રિશીયન્સ તથા અન્ય સ્વરોજગાર પર નભતી વ્યક્તિઓને પણ કામ શરૂ કરવાની છૂટ આપી છે.

આ બધા નિયમો માત્ર નોન-કન્ટેનમેન્ટ ઝોન માટે જ લાગુ છે. આ વિસ્તારો એવા છે જ્યાં કોરોનાવાઈરસના કેસો લઘુત્તમ છે.

રાજ્ય સરકાર લોકડાઉનને ધીમે ધીમે અને તબક્કાવાર ખોલવાની છે. પહેલો તબક્કો 3 જૂનથી શરૂ થશે. બીજો પાંચ જૂનથી અને ત્રીજો 8 જૂનથી.

લોકડાઉનને અનલોક કરવા માટે મહારાષ્ટ્ર સરકારે 3 તબક્કા નક્કી કર્યા છે. પહેલા તબક્કામાં, પાંચમી જૂનથી સમગ્ર રાજ્યમાં તમામ બજારો, બજાર વિસ્તારો અને દુકાનોને સવારે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી ઓડ-ઈવન નિયમ અનુસાર ખોલવા દેવામાં આવશે. જો કે શોપિંગ મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સનો આમાં સમાવેશ કરાયો નથી.

3 જૂનથી આ બધા માટે પરવાનગીઃ

  • જાહેર સ્થળોએ, બગીચામાં, ખાનગી મેદાનોમાં, હાઉસિંગ સોસાયટીમાં કે સંસ્થાઓના મેદાનમાં સાઈક્લિંગ, જોગિંગ, વોકિંગ કરી શકાશે. એ માટેનો સમય રહેશે સવારે પાંચથી સાંજે 7 વાગ્યા સુધીનો. જોકે આમાં ઈન્ડોર સ્ટેડિયમને પરવાનગી અપાઈ નથી.
  • ગેરેજ, વર્કશોપ શરૂ કરવાની પરવાનગી છે, પરંતુ પહેલાથી સમય નક્કી કરીને
  • સરકારી કાર્યાલયોમાં 15 ટકા હાજરીની પરવાનગી (અગાઉ પાંચ ટકા હાજરીની પરવાનગી હતી)
  • ઈલેક્ટ્રિશીયન, પ્લમ્બર વગેરે સ્વરોજગાર વ્યક્તિઓને પરવાનગી (કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં)

પાંચ જૂનથી મળનારી છૂટઃ

  • મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સને બાદ કરતાં તમામ બજારો, દુકાનોને સવારે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, પણ એ માટે એકી-બેકી પદ્ધતિ અપનાવવાની રહેશે. એકી તારીખે રસ્તાની એક તરફની દુકાનો ખુલ્લી રાખવાની અને બેકી તારીખે રસ્તાની સામેની બાજુની દુકાનોને ખુલ્લી રાખવાની
  • રેડીમેટ ગાર્મેન્ટ્સ અને કાપડની દુકાનોમાં ચેન્જિંગ અને ટ્રાયલ રૂમ બંધ રાખવા પડશે. તેમજ ખરીદેલી વસ્તુ પાછી લેવાની વ્યવસ્થા પર પ્રતિબંધ રહેશે.
  • ખરીદી માટે લોકોને શક્ય હોય તો બાજુની માર્કેટમાં ચાલતા જવાની કે સાઈકલ પર જવાની સૂચના છે.
  • અત્યાવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે દૂર જવાની મનાઈ છે
  • ખરીદી વખતે ગીરદી થશે તો સ્થાનિક પ્રશાસન માર્કેટ બંધ કરી દેવાનો નિર્ણય લઈ શકશે
  • જે દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવામાં ન આવતો હોવાનું ધ્યાનમાં આવશે તો એ દુકાનને તરત જ બંધ કરી દેવાનો સ્થાનિક પ્રશાસન નિર્ણય લઈ શકશે.

8 જૂનથી આ બધું ખુલશેઃ

  • ખાનગી ઓફિસો 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી સકાશે. તમામ કર્મચારીઓને સ્વચ્છતાને લગતી જાણકારી આપવી અનિવાર્ય. બાકીના કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમનો વિકલ્પ.
  • કામકાજના સ્થળે નિયમિત સેનિટાઈઝેશન કરવું ફરજિયાત. દરવાજાના હેન્ડલ્સ જેવી જગ્યા, કે જ્યાં વ્યક્તિઓનો સ્પર્શ સૌથી વધારે રહેતો હોય છે ત્યાં નિયમિત સ્વચ્છતા જાળવવી
  • કામ પર આવેલી વ્યક્તિઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, લંચબ્રેક વખતે પણ એ નિયમનું પાલન કરવું ફરજિયાત.
  • ટેક્સીમાં 1+2 વ્યક્તિ, રિક્ષામાં 1+2, ફોર-વ્હીલર વાહનમાં 1+2, ટુ-વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિને જવાની છૂટ

આની પર પ્રતિબંધ ચાલુ રહેશેઃ

  • શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અન્ય હોસ્પિટેલિટી સેવાઓ
  • વાળંદની દુકાનો, સ્પા, સલૂન્સ, બ્યૂટી પાર્લર્સ
  • ધાર્મિક સ્થળો, જાહેરમાં પૂજાના સ્થળો
  • શાળા, કોલેજો, શૈક્ષણિક, ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ વગેરે
  • આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ (માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી હોય એને જ છૂટ)
  • મેટ્રો રેલવે.
  • ટ્રેનો તથા ડોમેસ્ટિક વિમાન પ્રવાસ દ્વારા પ્રવાસીઓની હેરફેરને અલગ આદેશો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) મારફત જ વિશેષ રૂપે પરવાનગી અપાશે
  • સિનેમા હોલ, જિમ્નેશિયમ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થિયેટરો, બીયર બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ્સ તથા એવા અન્ય સ્થળો.
  • સામાજિક, રાજકીય, ખેલકૂદ, મનોરંજક શૈક્ષણિક, સાંસ્કૃતિક ધાર્મિક સમારંભો અને વિશાળ સભાઓ.

ઓસ્ટ્રેલિયાના PM મોરીસને સમોસા બનાવ્યા; મોદી સાથે મળીને ખાવાની ઈચ્છા બતાવી

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને શાકાહારી સમોસા અને સાથે કેરીની ચટણી બનાવીને પોતાની નવી કુશળતાનું પ્રદર્શન કર્યું છે. એમણે એમ પણ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને સમોસા ખાવાની એમની ઈચ્છા છે.

મોરીસને આ જાણકારી ટ્વિટર મારફત આપી છે. ટ્વીટમાં એમણે સમોસા ભરેલી પ્લેટ હાથમાં પકડીને પોતાની તસવીર પણ પોસ્ટ કરી છે. આ ટ્વીટને રવિવારે બપોર સુધીમાં 54 હજારથી વધારે લાઈક્સ મળ્યા હતા અને 3 હજાર જણે કમેન્ટ લખી હતી. 9 હજારથી પણ વધારે લોકોએ રીટ્વીટ કર્યું છે.

બંને વડા પ્રધાન 4 જૂને વર્ચ્યુઅલ મીટિંગ યોજવાના છે.

આ છે સ્કોટ મોરીસનનું ટ્વીટઃ

વડા પ્રધાન મોદીએ સ્કોટ મોરીસનના ટ્વીટના જવાબમાં લખ્યું છે, ‘આપણા બંને દેશ હિન્દ મહાસાગર સાથે જોડાયેલા છે અને ભારતીયો સમોસાથી સંગઠિત છે… સ્વાદિષ્ટ દેખાય છે પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરીસન. કોરોના બીમારીને હરાવ્યા પછી આપણે સાથે મળીને સમોસા ખાવાનો આનંદ માણીશું. ચાર જૂને આપણી વર્ચુઅલ વિડિયો મુલાકાતની રાહ જોઉઁ છું.’

મુંબઈમાં કોરોના કટોકટી માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જવાબદારઃ સંજય રાઉત

મુંબઈઃ શિવસેનાના રાજ્યસભાના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના અખબારમાં એમની સાપ્તાહિક કોલમમાં એક વિચિત્ર દાવો કર્યો છે. એમણે કહ્યું છે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદમાં યોજાઈ ગયેલો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ગુજરાત, મુંબઈ અને દિલ્હીમાં કોરોના વાઈરસ બીમારીના ફેલાવા માટે જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે ભારત આવેલા પ્રમુખ ટ્રમ્પના પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યોએ અમદાવાદ, મુંબઈ અને દિલ્હી શહેરોની મુલાકાત લીધી હતી.

કોઈ પ્રકારના આયોજન વગર દેશમાં કોરોના વાઈરસ લોકડાઉન લાગુ કરવા બદલ અને હવે તે ઉઠાવી લેવાની જવાબદારી રાજ્યો પર નાખવા બદલ રાઉતે કેન્દ્ર સરકારની ઝાટકણી પણ કાઢી છે.

રાઉતે લખ્યું છે કે, એ વાતને નકારી શકાય એમ નથી કે યુએસ પ્રમુખ ટ્રમ્પને આવકારવા માટે યોજાઈ ગયેલા વિશાળ જાહેર કાર્યક્રમને કારણે જ ગુજરાતમાં કોરોના વાઈરસનો ફેલાવો થયો છે. ટ્રમ્પની સાથે આવેલા કેટલાક પ્રતિનિધિઓએ મુંબઈ અને દિલ્હીની પણ મુલાકાત લીધી હતી અને એને કારણે જ વાયરસ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે મળીને રોડ-શોમાં ભાગ લીધો હતો. એમાં હજારો લોકોએ હાજરી આપી હતી. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.

રાઉતે તંત્રીલેખમાં એમ પણ લખ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સંયુક્ત સરકાર નિષ્ફળ ગઈ છે એવો દાવો કરીને સરકારના ઉથલાવવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવાનો કોઈ પણ પ્રયાસ આત્મઘાતી પુરવાર થશે.

દેશમાં લોકડાઉન કઈ રીતે નિષ્ફળ ગયું છે એનું સરસ રીતે વિષ્લેષણ રજૂ કરવા બદલ રાઉતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી છે.

કોરોના સામેની લડાઈ લાંબી છે: મોદી (‘મન કી બાત’માં)

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી છે અને દેશના લોકોને પડી રહેલી સમસ્યાઓ પર ધ્યાન આપવા કેન્દ્ર સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

મોદીએ કહ્યું કે, આગળ માર્ગ લાંબો છે. આપણે એક એવા રોગચાળા સામે લડી રહ્યા છીએ જે વિશે અગાઉ કોઈને ભાગ્યે જ ખબર હતી.

સ્થળાંતરિત કામદારો-મજૂરોની યાતના વિશે મોદીએ કહ્યું કે દેશભરમાં માઈગ્રન્ટ મજૂરોને જે પીડાનો અનુભવ થયો છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. એમની સંભાળ લેવા માટે સરકાર એના બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

મોદીએ પુનરોચ્ચાર કર્યો કે કોરોના વાઈરસનું જોખમ હજી દૂર થયું નથી અને દરેક જણે સોશિયલ ડિસ્ટન્સિંગ (વ્યક્તિગત અંતર) નિયમનું પાલન કરવાનું જ છે. ભારતની વસ્તી વિશાળ છે તેથી પડકાર પણ મોટો છે.

વડા પ્રધાને કહ્યું કે અર્થતંત્રનો મોટો હિસ્સો હવે ખુલ્લો મૂકી દેવાયો છે. આપણે હજી વધુ સંભાળ રાખવાની છે. કોવિડ-19 સામેની લડાઈમાં દરેક ભારતીયએ પોતપોતાની રીતે ભૂમિકા નિભાવી છે.

લોકડાઉનમાં વર્ચુઅલ ટ્રાવેલ થકી કરો વિશ્વની સફર!

નવી દિલ્હી: કોરોના જેવી અણધારી આફતને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને પગલે આ વર્ષે ઉનાળામાં પરિવાર સાથે બહાર ફરવા જવાની યોજના પર પાણી ફરી વળ્યું છે. તમે આ વર્ષે પરિવાર સાથે ક્યાય બહાર ફરવા ન જઈ શકો તો જરા પણ ચિંતા ન કરશો. તમે વર્ચુઅલ ટ્રાવેલ તો કરી જ શકો છો…

વર્ચુઅલ ટ્રાવેલ માટે તમારે ટ્રાવેલર્સના બ્લોગ્સ પર જવાનું રહેશે. જ્યાંથી તમે અલગ અલગ સ્થળોની સુંદર તસવીરોની સાથે એ રમણિય સ્થળોના વિડિયો પણ જોવા મળશે જેને જોઈને તમે દંગ રહી જશો. આ બધુ જોઈને તમને ફરવા જવાનો વાસ્તવિક આનંદ મળી જશે. આ ઉપરાંત બ્લોગર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમને તસવીરોની સાથે સાથે આસપાસના માહોલની ઓડિયો દ્વારા માહિતી પણ મળશે.

અહીં એક વાત યાદ રાખો આ ખરાબ સમય પણ પસાર થઈ જશે. આપણે આપણી જાતને ભવિષ્ય માટે તૈયાર રાખવી પડશે. બ્લોગર અને ટ્રાવેલર ઉપરાંત ઘણા દેશોના પ્રવાસન વિભાગ દ્વારા પણ વર્ચુઅલ ટૂર કરાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ અબુધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે પણ એક નવું વર્ચુઅલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેમાં લોકોને ત્યાંની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે પણ “દેખો અપના દેશ” નામથી એક વેબિનાર શરુ કર્યો છે.

મિત્રો ક્યાંક ઢળતી સાંજે ગ્રીસની તસવીર તો ક્યાંક ઈટલીની ચમકદાર સવારનો નજારો તો ક્યાંક લંડનમાં ખિલી ઉઠેલા ફુલોની વચ્ચે પસાર થતો દિવસ. તો રાહ શેની જૂઓ છો….તમારા સ્માર્ટફોન પર જ કરો દુનિયાના અદભૂદ નજારાનું વર્ચુઅલ ટ્રાવેલ અને માણો પ્રકૃતિના રંગોને તમારી નરી આંખો થી!

માણસો ગામ તરફ.. વગડાના જીવો શહેર તરફ…

કોરોનાની આફત વેળા એ શહેરમાંથી પલાયન કરતાં હજારો લોકો સૌએ જોયાં. ગ્રામ્ય જીવન છોડી આજ માણસોએ શહેરીકરણ ને અપનાવવા દોટ મુકી ત્યારે પશુ પંખીઓ પલાયન થવા માંડ્યા. જ્યારે માણસ ગામ તરફ ભાગ્યા ત્યારે વગડામાં રહેતા પશુ પક્ષીઓ શહેરમાં દેખાવા માંડ્યા.

વધતી વસ્તી અને શહેરમાં ભળતાં ગામડાંથી વનવગડામાં ફરતાં જીવો પર માઠી અસર પડી રહી છે. કોરોનાની મહામારી અને ડરને કારણે લૉકડાઉન જાહેર થયું એટલે બે મહિનાથી માણસો કામ સિવાય માર્ગો પર દેખાતા નથી.

માણસો ઘરમાં જ પુરાઈ રહેતા ખેતરો, જંગલો અને નદીના ભેખડોમાં ફરતાં જીવો શહેરના માર્ગો પર દેખાવા માંડ્યા છે. અબોલ પશુ પંખીઓ માટે ચણ,ખોરાક, પાણી જે જગ્યાએ મુકવામાં આવે છે. એ સ્થળો પર પાણી ખોરાક ની શોધ માં વગડામાં રહેતા પશુ પક્ષીઓ પણ ભુખ તરસ છીપાવી જાય છે.

પ્રજ્ઞેશ વ્યાસ

પંચાંગ 31/05/2020