Home Blog Page 4787

માઇક્રોસોફ્ટ કદાચ જિયોમાં રૂ. 15,000 કરોડનું મૂડીરોકાણ કરશે

 નવી દિલ્હીઃ લોકડાઉન વૈશ્વિક અર્થતંત્રોને ભારે પડી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે એ ઘણું લકી સાબિત થઈ રહ્યું છે. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે પાંચ અમેરિકી કંપનીઓ સાથે આશરે 78,562 કરોડ રૂપિયાના મૂડીરોકાણના સોદા કર્યા છે. હવે અમેરિકી દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL)ની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિ.માં 2.5 ટકા હિસ્સો લે એવી સંભાવના છે. આ માટે માઇક્રોસોફ્ટ RILની સાથે વાટાઘાટ કરી રહી છે. આ મામલાથી પરિચિત બે સૂત્રોએ આ વાત કરી હતી. જોકે બંને કંપનીઓએ આ મૂડીરોકાણ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

આશરે રૂ. 15,000 કરોડના રોકાણની શક્યતા

રિલાયન્સની સાથેની વાતચીતમાં માઇક્રોસોફ્ટ જિયો પ્લેટફોર્મ્સમાં અઢી ટકા હિસ્સો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. માઇક્રોસોફ્ટ જિયોમાં બે અબજ ડોલર એટલે કે રૂ. 15,000 કરોડનું રોકાણ કરે એવી શક્યતા છે. જોકે બીજા સૂત્રએ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ પહેલેથી જ જિયો પ્લેટફોર્મ્સની સાથે જોડાયેલી છે અને તે હવે પોતાની ભાગીદારી મજબૂત કરવા ઇચ્છે છે.

ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ-રિલાયન્સ જિયોમાં ભાગીદારી

આ વર્ષે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ રિલાયન્સ જિયોની સાથે ભાગીદારીની ઘોષણા કરી હતી. આ પાર્ટનરશિપ હેઠળ રિલાયન્સ જિયો દેશભરમાં ડેટા સેન્ટર સ્થાપિત કરશે. આ માટે માઇક્રોસોફ્ટ એજ્યુરની સેવાઓ લેશે.

જિયો પ્લેટફોર્મ્સને અત્યાર સુધી રૂ. 78,562 કરોડનું રોકણ મળ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ પ્લેટફોર્મ્સને અત્યાર સુધી 17.12 ટકા હિસ્સા માટે રૂ. 78,562 કરોડનું રોકાણ મળી ચૂક્યું છે. આમાં ફેસબુકે રૂ. 43,574 કરોડ, સિલ્વર લેકનું રૂ. 5656 કરોડ, વિસ્ટા ઇક્વિટીનું રૂ. 11,367 કરોડ, જનરલ એટલાન્ટિકનું રૂ. 6598 કરોડ અને કેકેઆરનું રૂ. 11,367 કરોડનું રોકાણ સામેલ છે.

RILની ડિજિટલ સબસિડિયરી છે જિયો પ્લેટફોર્મ્સ

જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ પેટાકંપની છે, આ કંપની RIL ગ્રુપના ડિજિટલ બિઝનેસ એસેટ્સ જેવી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ, જિયો એપ્સ અને હેપ્ટિક, રિવાયર, ફાઇન્ડ, નાઉફ્લોટ્સ, હૈથવે અને ડૈન સહિત અન્ય એન્ટિટીમાં રોકાણનું સંચાલન કરે છે.

રિલાયન્સનું ડિસેમ્બર સુધી દેવાંમુક્ત કંપની બનવાનું લક્ષ્ય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગયા વર્ષના ઓગસ્ટમાં RILને માર્ચ, 2021 સુધી નેટને આધારે દેવાંમુક્ત કંપની બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાઉદી અરામ્કો સહિત કેટલીક કંપનીઓને હિસ્સો વેચવાને કારણે દેવાંમુક્ત થવાનું લક્ષ્ય આ વર્ષે ડિસેમ્બરમાં જ પૂરું થવાની આશા છે.

રિલાયન્સ પર માર્ચમાં 1,61,035 કરોડનું દેવું

માર્ચ ત્રિમાસિકને અંતે રિલાયન્સ પર રૂ. 3,36294 કરોડનું દેવું હતું. ત્યારે કંપનીની પાસે રૂ. 1,75,259 કરોડની રોકડ હતી. દેવાંને રોકડ સાથે એડજસ્ટ કર્યા બાદ કંપનીનું ચોખ્ખું દેવું રૂ. 1,61,035 કરોડ હતું. આમાં રિલાયન્સ પર રૂ. 2,62,000 કરોડના દેવાં અને જિયો પર રૂ. 23,000 કરોડનાં દેવાં બાકી છે.

મહારાષ્ટ્રના ગવર્નરે ખર્ચો ઘટાડવા લીધા સાદાઈના અનેક પગલાં

મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસ રોગચાળાનો શિકાર બનેલા લોકોને રાહત મળે એવા પગલાં લેવામાં સરકારને વધારે નાણાકીય સાધનો ઉપલબ્ધ કરવા રાજભવનમાંનો ખર્ચો ઘટાડવા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સાદાઈ માટે અનેક પગલાં લીધા છે.

ગવર્નર કોશિયારીએ રાજભવનમાં ખર્ચ ઘટાડવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં લીધેલા અમુક પગલાં આ મુજબ છેઃ

કોઈ પણ નવું નિર્માણ કાર્ય હાથ ધરવું નહીં.

રાજભવનમાં કોઈ પણ નવું મોટું બાંધકામ કે સમારકામ હાથ ધરવું નહીં. માત્ર હાલ જે કામો ચાલતા હોય એને ચાલુ રાખવા અને પૂરા કરવા.

આ વર્ષે 15 ઓગસ્ટના રોજ નિર્ધારિત આઝાદી દિવસ સમારોહ, જે પુણેના રાજભવનમાં યોજવાનું નક્કી કરાયું હતું તે હવે રદ કરાશે.

નવા આદેશ ન મળે ત્યાં સુધી રાજભવનમાં નવી કોઈ પણ વ્યક્તિને નોકરીએ રાખવી નહીં.

રાજભવન માટે નવી કારની ખરીદીનો પ્રસ્તાવ મુલતવી રાખી દેવાયો છે.

મોંઘેરા મહાનુભાવોને ભેટસોગાદો-સ્મૃતિચિન્હો આપવાની પ્રથાને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવી.

મહાનુભાવ મુલાકાતીઓને પુષ્પગુચ્છ વડે આવકારવાની પ્રથા બંધ રહેશે. રાજભવનમાં ગેસ્ટ હાઉસ રૂમ્સને ફૂલદાનીઓથી સજાવાશે નહીં.

વાઈસ-ચાન્સેલરો તથા બીજા અનેક અધિકારીઓ સાથેની બેઠકો અને વાર્તાલાપ વિડિયો કોન્ફરન્સ મારફત જ યોજવી, જેથી પ્રવાસને લગતો કોઈ ખર્ચ ન થાય.

સાદાઈના આ પગલાંને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજભવનના બજેટમાં 10-15 ટકા જેટલો ખર્ચ બચાવી શકાશે.

રાજ્યપાલે એમનો એક મહિનાનો પગાર લેવાનું જતું કરી દીધું છે એટલું જ નહીં, પોતાના પગારનો 30 ટકા હિસ્સો એક વર્ષ માટે કોરોના વાઈરસ વિરુદ્ધના જંગ માટે રચાયેલા પીએમ કેર્સ ફંડમાં દાનમાં આપવાની જાહેરાત કરી છે.

રાજ્યપાલ કોશિયારીનું માનવું છે કે પોતે લીધેલા આ સાદાઈના પગલાં ભલે નાના હશે, પરંતુ એનાથી પર્યાપ્ત રકમના નાણાં બચાવી શકાશે જેનો ઉપયોગ કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે લોકોની મુશ્કેલીઓને ઘટાડવા માટેના કાર્યોમાં વાપરી શકાશે.

iCreateએ વિકસાવ્યું હવામાંના વાઈરસને નાશ કરતું ઉપકરણ

અમદાવાદઃ લોકડાઉન પછી જાહેરજીવનને સામાન્ય જીવનશૈલી તરીકે પાછું કેવી રીતે લાવી શકાય? તમારા અને મારા જેવા સામાન્ય લોકોને કેવી રીતે વિશ્વાસમાં લઈ શકાય કે બહાર જવું અને કામ કરવું સલામત છે. સેન્ટર ફોર ડિસીઝ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના તાજેરતના સંશોધન દ્વારા પુષ્ટિ થઈ છે કે કોવિડ-19 હવામાં રહેલાં ટીપાં અને સૂક્ષ્મ કણો દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં સૌથી અસરકારક રીતે ફેલાય છે. જેથી બે ગજની દૂરી (સોશિયલ ડિસ્ટન્સિંગ) બહુ જરૂરી છે. આ ઉપરાંત ઘરે કે ઓફિસમાં હવામાંના વાઇરસનો કેવી રીતે આપણે નાશ કરી શકીએ. આ સવાલ દરેકના મનમાં ઉદભવતો હશે, જેનો જવાબ iCreateએ ટેક્નોલોજી સંબંધિત ઇનોવેશન કરીને આપ્યો છે. વડા પ્રધાનની નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સહાયથી iCreateને ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ માટેની દેશની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે.

iCreateના યુવા વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું અનોખું સ્પેસ સેનિટાઇઝર 

iCreate સાહસિકતા અને ટેક્નોલોજીનો સમન્વય ધરાવતું વર્લ્ડ ક્લાસ સેન્ટર છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિમાં iCreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનોજિયા, નવનીત પાલ અને અંકિત શર્માએ  પ્રોજેકટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨ x ૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાઇરસ રહિત થઈ જશે તેવો તેમણે દાવો કર્યો છે. સંસ્થા તરફથી ઉપલબ્ધ માહિતી અનુસાર જો ડ્રોપલેટ્સ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે, ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિકસાવ્યું છે.

iCreate એ અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટોને સપોર્ટ કર્યો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં iCreateએ અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટોને ટેકો પૂરો પાડ્યો છે, પણ આ કોવિડ-19 રોગચાળાના પ્રારંભના દિવસોમાં અમે દેશને કઈ રીતે મદદ કરી શકીએ, જેથી અર્થતંત્ર ઝડપથી ફરી પાટે ચઢે. અમે એના માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો, એમ iCreateના CEO અનુપમ જલોટેએ કહ્યું હતું.

 ૧૨x૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થશે

આ ઉપકરણ એ બલ્બહોલ્ડરમાં મૂકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શકશે. એટલું જ નહીં, પરંતુ લોકો રોજબરોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શકશે. માત્ર એક કલાકમાં જ ૧૨x૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થઈ શકશે. વળી, આમાં માત્ર પાંચ વોટ વીજળીનો જ વપરાશ થશે. આ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાઇરસના ચેપથી મુક્ત રાખી શકશે.  આ ઉપકરણ 24 કલાક વાપરી શકાશે અને એની કોઈ આડઅસર નથી. તેને મેઇનટેનન્સ કે રિફિલ કરવાની પણ જરૂર નથી.

સેફ્ટી, ગ્લાસિસ, ફેસ શિલ્ડ્સ અને PPE કિટ પણ વિકસાવી

હાલ કોવિડ-19ના રોગચાળા સામે સૌથી મોટી જરૂરિયાત ઊંચી ગુણવત્તાવાળા અને નીચી કિંમત ધરાવતા સુરક્ષિત સાધનો-PPEની છે. જેથી iCreateના પ્રમોટર અભિજિત કુમારે અને તેમની ટીમે ખૂબ ઓછી કિંમતે 95 ગ્રેડ સોલ્ટ કોટેડ માસ્ક, સેફ્ટી ગ્લાસિસ, ફેસ શિલ્ડ્સ અને PPE કિટ્સ પણ વિકસાવી છે. સંસ્થાએ 30,000 PPE કિટની મુંબઈ, નાગપુર, બેંગલુરુ, નાશિક, પટના, પુણે અને હૈદરાબાદમાં પહોંચાડી છે.

iCreateના CEO અનુપમ જલોટેએ જણાવ્યું છે કે આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માગને પારખીને iCreateની ટીમે ચીજવસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાઇરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિકસાવ્યું છે.

iCreate એક સ્વાયત્ત સંસ્થા

iCreate  અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત રાજ્ય સરકારના હસ્તકની એક સ્વાયત્ત સંસ્થા છે. જે અવનવાં સંશોધનો કરી ટેક્નોલોજી વિકસિત કરે છે. આંતરરાષ્ટ્રીય સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી એ એક્સેલન્સનું સ્વાયત્ત કેન્દ્ર છે. આ કેન્દ્ર અમદાવાદની હદમાં ૪૦ એકરના કેમ્પસમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં એકસાથે 100 ઇન્ક્યુબેટ્સ કામ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત iCreate  જે ઊભરતા ઉદ્યોગ સાહસિકોની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય માર્ગદર્શન દ્વારા ઉદ્યોગસાહસિક સફર દરમિયાન તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડે છે.

કોરોનાના 6566 નવા કેસ, 194 લોકોનાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,58,333 થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 4531 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6566 નવા કેસો સામે આવ્યા છે અને 194 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 67,692 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 42.75 ટકા થયો છે.

 

અમેરિકા વિશ્વમાં કોરોના વાઇરસનું હબ

અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં ન્યુ યોર્કમાં આશરે 30,000 મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કુલ 16,700 નવા કેસ નોંધાયા છે.  ન્યુ યોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે.

વિશ્વમાં કોરોનાના 56 લાખ કેસો

વિશ્વભરમાં કોરોનાના કેસની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય મુજબ વિશ્વભરમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 56 લાખ 90,000 કેસો છે, જ્યારે મોતનો આંકડો 3.56 લાખે પહોંચ્યો છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 23.50 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

વિશ્વમાં કોરોના વાઇરસનું હબ બની ગયું અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વમાં કોરોના વાઇરસનું હબ બની ગયું છે. અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. ન્યુ યોર્કમાં હાલત બેકાબૂ છે, જ્યા દેશના કુલ 22 ટકા કેસો છે. ન્યુ યોર્કમાં આશરે 30,000 લોકોનાં મોત થયાં છે.

પાછલા 24 કલાકમાં નવા 16,700 કેસો

અમેરિકામાં કોરોના રોગચાળો સતત વિકરાળ રૂપ લેતો જાય છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા સત્તાવાર રીતે વધીને 1,00,396 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ પાછલા 24 કલાકમાં કુલ 16,700 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 17.3 લાખે પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 3.72 લાખ લોકો આ બીમારીને માત આપવામાં સફળ થયા છે.

વિશ્વના એક તૃતીયાંશ કોરોના કેસો અમેરિકામાં  

વિશ્વભરના આશરે એક તૃતીયાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં જ છે. ન્યુ યોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે.

વિશ્વમાં કોરોનાના 56 લાખ કેસો

વિશ્વભરમાં કોરોનાના કેસની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય મુજબ વિશ્વભરમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 56 લાખ 90,000 કેસો છે, જ્યારે મોતનો આંકડો 3.56 લાખે પહોંચ્યો છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 23.50 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

 

 

 

 

સુવિચાર – ૨૮ મે, ૨૦૨૦

સુવિચાર – ૨૮ મે, ૨૦૨૦

પંચાંગ 28/05/2020

રાશિ ભવિષ્ય 28/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

Chitralekha Gujarati – June 08, 2020

PDF Version

વિશ્વનાં 15 સૌથી ગરમ શહેરોમાં ભારતનાં 10 શહેરો

નવી દિલ્હીઃ હવામાનની નિગરાની કરતી વેબસાઇટ અલ ડોરેડો (El Dorado) ના જણાવ્યાનુસાર પાછલા 24 કલાકમાં વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાંથી 10 શહેરો ભારતનાં છે. જ્યારે અન્ય પડોશી દેશોમાં છે. રાજસ્થાનના પાટનગર જયપુરથી લગભગ 20 કિમી ઉત્તરમાં સ્થિત ચુરુમાં મંગળવારે દેશનું મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ચુરુને થાર રણનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. જોકે પાકિસ્તાનના જૈકબાબાદ અને ચુરુનું તાપમાન ધરતી પર સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયું છે.

દેશનાં 10 શહેરો

બિકાનેર, ગંગાનગર અને પિલાની રાજસ્થાનનાં ત્રણ અન્ય શહેર છે, જે ધરતી પર સૌથી ગરમ જગ્યા તરીકે નોંધાયેલાં છે. સૌથી ગરમ શહેરોમાંથી બે ઉત્તર પ્રદેશનાં બે અને બે મહારાષ્ટ્રનાં હતાં. યુપીનું બાંદા અને હરિયાણાનું હિસાર પણ મંગળવારે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સૌથી ગરમ શહેરોની યાદીમાં 47.6 ડિગ્રી સેલ્સિયસની સાથે નવી દિલ્હી, 47.4 ડિગ્રીની સાથે બિકાનેર, 47 ડિગ્રીની સાથે ગંગાનગર, 47 ડિગ્રી સાથે ઝાંસી, 46.9 ડિગ્રી સાથે પિલાની, 46.8 ડિગ્રી સાથે નાગપુરનું સોનગાંવ અને 46.5 ડિગ્રી તાપમાન સાથએ અકોલા છે.

ચુરુમાં પાછલાં 10 વર્ષોમાં મેમાં બીજી વાર સૌથી વધુ તાપમાન

ચુરુમાં પાછલાં 10 વર્ષોમાં મેમાં બીજી વાર સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર ચુરુમાં 19 મે, 2016એ 50.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં 22 મેએ 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર તાપમાન સતત વધી રહ્યું હતું. 23 મેએ 46.6, 24 મેએ 47.4, 25 મેએ 47.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજ્યના અન્ય બે શહેરોમાં પણ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કોટા અનમે જેસલમેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં હીટ વેવની સ્થિતિ હતી.