Home Blog Page 4789

શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો

બીજિંગઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટેન્શન જારી છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતાં સેનાને યુદ્ધની તૈયારીઓ તેજ કરવાનો આદેશ આપ્યો હતો અને એને પૂરી દ્રઢતા સાથે દેશની સુરક્ષા કરવાના નિર્દેશ આપ્યા હતા. દેશની સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના મહાસચિવ અને આશરે 20 લાખ સૈનિકોવાળી સેનાના પ્રમુખ 66 વર્ષીય શીએ ચાલી રહેલા સંસદ સત્ર દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેતાં આ ટિપ્પણી કરી હતી. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણે સેનાપ્રમુખો સાથે મુલાકાત કરી હતી.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર શીએ સેનાને આદેશ આપ્યો છે કે તેઓ ગંભીર સ્થિતિની કલ્પના કરે. એના વિશે વિચારે અને યુદ્ધ માટેની તૈયારીઓ અને ટ્રેનિંગમાં વધારો કરે. તમામ જટિલ પરિસ્થિતિઓ સામે તત્કાળ અસરકારક રીતે કેવી રીતે કામગીરી કરવી એની તૈયારી કરે. આ સાથે પૂરી દ્રઢતાની સાથે રાષ્ટ્રીય હિતો, સુરક્ષા અને વિકાસ સંબંધી હિતોની રક્ષા કરે. તેમની ટિપ્પણી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની વચ્ચે આશરે 20 દિવસથી જારી રહેલા સંઘર્ષને લીધે આવી છે.

બંને સેનાઓએ સરહદે સંખ્યા બળ વધાર્યું

હાલના દિવસોમાં લદ્દાખ અને ઉત્તરીય સિક્કિમમાં ભારત અને ચીનની સેનાઓએ પોતાના સંખ્યામાં સતત વધારો કર્યો છે. આ બંને દેશોની સેનાઓની વચ્ચે અલગ-અલગ બે સપ્તાહથી ટેન્શનમાં સતત વધારો થયો છે અને બંને પક્ષો પોતાના વલણમાં નમતું જોખવા તૈયાર નથી. આશરે 3500 કિલોમીટર લાંબા LAC બંને દેશોની વચ્ચે સરહદે કામ કરે છે.

ભારત-ચીનના સૈનિકો આમને-સામને

લદ્દાખ સરહદે ભારત અને ચીનના સૈનિકો એકબીજાની વાસ્તવિક નિયંત્રણ રેખા પર આમનેસામને આવી ગયા છે. વળી ભારતના લદ્દાખ ક્ષેત્રની ગલવા ઘાટી પર ચીની દાવાએ તણાવમાં ઓર વધારો કર્યો છે.

ભારત પાછા હટવા તૈયાર નહીં

ભારત સતત એ વાતનો સંકેત આપી રહ્યું છે કે એ આ મામલે પાછા હટવા તૈયાર નથી. ભારતીય સેનાના સૂત્રોએ એ સ્પષ્ટ કર્યું છે કે ચીને વાંધો ઉઠાવ્યો હોવા છતાં સરહદી ક્ષેત્રોમાં રસ્તા અને અન્ય બાંધકામ પ્રવૃત્તિ જારકી રહેશે. લદ્દાખની સરહદ નજીક ભારતીય ક્ષેત્રમીં રસ્તા અને અન્ય નિર્માણ કાર્યને અટકાવવાના ઉદ્દેશથી ચીની સેના અતિક્રમણ કરીને ટેન્શનમાં વધારો કર્યો છે.

 

 

પંચાંગ 27/05/2020

રાશિ ભવિષ્ય 27/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુ ભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

અભિનેત્રીઓએ પોતાનાં નામ બદલ્યા, થઈ ગઈ સફળ!

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે તેનું નામ હોવું જરૂરી છે. કેટલાક જ્યોતિષોનું માનવું છે કે વ્યક્તિની સફળતા પાછળ તેનું નામ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો નામ બદલીને કિસ્મત ચમકાવે તેવું પણ બન્યું છે. ખાસ કરીને ફિલ્મોમાં કે ટીવી ક્ષેત્રે આવા અનેક સિતારાઓ મળશે જેને નામ બદલ્યા બાદ તેમના કેરિયરમાં સફળતા મેળવી હોય..

રશ્મિ દેસાઈ

‘ઉતરન’ સીરીયલમાં તેમના અભિનયથી લોકોના દિલ જીતનાર રશ્મિ દેસાઈ એક સમયે ટીવીની સૌથી મોંઘી અને ડિમાન્ડિંગ અભિનેત્રી હતી. તાજેતરમાં રશ્મિ ‘બિગ બોસ 13’માં પણ જોવા મળી હતી. રશ્મિનું પહેલાનું નામ દિવ્યા હતું તેની માતાને એક જ્યોતિષની સલાહ પર રશ્મિ નામ રાખ્યું હતું.

નિયા શર્મા

‘જમાઈ રાજા’થી ઘર ઘરમાં જાણીતી થયેલી નિયા એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પણ સામેલ થઈ છે. ‘નાગિન’ શો દ્વારા નિયા અત્યારે નામના મેળવી રહી છે. નિયાએ પોતાનું નામ નેહાથી બદલીને નિયા શર્મા કરી દીધું છે.

માહી વિજ

માહી હાલમાં જ એક પુત્રીની માતા બની છે આ પહેલા તે બે બાળકોને ગોદ લઈ ચુકી છે. ટીવીની આ લોકપ્રિય અભિનેત્રી ‘લાગી તુઝસે લગન’, ‘તેરી મેરી લવ સ્ટોરી’ અને ‘બાલિકા વધૂ’, ‘લાલ ઇશ્ક’ જેવા શોમાં ચમકી હતી આજે તે ખૂબ જ લોકપ્રિય છે તેણે પણ તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાના નામનો સ્પેલિંગ Mahi લખતી હતી, પણ બાદમાં Mahhi લખતી થઈ છે.

ગૌહર ખાન

મોડલિંગથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવનાર ગૌહર ખાનના લાખો ચાહકો છે. ગૌહર ‘બિગ બોસ’ સિઝન 7ની વિજેતા પણ રહી ચૂકી છે. ગૌહરે તેના નામનો સ્પેલિંગ બદલ્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાનું નામ Gauahar Khan લખતી હતી, પણ હવેGauhar Khanલખે છે. ગૌહર તેની કેરિયરની સફળતામાં આ ફેરફારને ઘણો મોટો માને છે.

અનિતા હસનંદાની

ટીવીની લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાનીએ ‘તાલ’ ફિલ્મથી તેમના અભિનયની શરુઆત કરી હતી. આ ફિલ્મથી તેને કોઈ ખાસ ઓળખ ન મળી અને ન તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો સિક્કો ચાલ્યો. પણ જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો તો આ અભિનેત્રીએ ધમાલ મચાવી દીધી. ‘યે હૈ મોહબ્બતે’ની શગુનથી લઈને ‘નાગિન’ શોમાં અનિતાએ ઘણી સફળતા મેળવી. અનિતાનું પહેલાનું નામ નતાશા હસનંદાની હતું.

WHOનો પ્રતિબંધ છતાં ભારતે કહ્યું, HCQનો ઉપયોગ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ મેલેરિયાની બીમારી માટે ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સિક્લોક્વીન દવાની કોરોના વાઈરસના દર્દીઓ પર અજમાયસશો કરવા પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું છે કે ભારતમાં થયેલાં સંશોધનોમાં હાઇડ્રોક્સિક્લોક્વીનની કોઈ આડઅસર જોવા નથી મળી, તેથી ભારતમાં કોવિડ-19ની સારવારમાં અને સ્વાસ્થ્ય કર્મચારીઓમાં તેનો ઉપયોગ જારી રહેશે. ICMRએ કહ્યું છે કે અમારી સ્પષ્ટ સલાહ છે કે HCQ ખાલી પેટે ના લેતાં, જમ્યા પછી લેવી જોઈએ અને સારવાર દરમ્યાન એક ECG કરાવી લેવો જોઈએ.

ICMRના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે માર્ચ મહિનામાં પ્રારંભિક સંશોધનોને આધારે આ ડ્રગની ભલામણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ ડ્રગ્સમાં એન્ટિવાઇરલ ગુણધર્મો છે. વળી, તેમણે કહ્યું હતું કે સતત અભ્યાસો અને કેસ નિયંત્રણ અધ્યયનોમાં આ HCQના ઉપયોગને લીધે આડઅસર દર્શાવવામાં નથી આવી.

ICMRનું આ સૂચન WHOના HCQના ટ્રાયલ પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યું છે. વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોનાની સંભવિત સારવારમાં અસરકારક મનાતી હાઇડ્રોક્સિક્લોરોક્વીન  દવાની ટ્રાયલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આવું સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું છે. હાઇડ્રોક્સિક્લોરોક્વીન મલેરિયાના દર્દીઓને આપવામાં આવે છે.

HCQની મોટી આડઅસર નહીં

કોરોના વાઇરસ સામેના ઉપચારમાં આ દવાની ભલામણ કરવામાં આવ્યાનાં અનેક સપ્તાહો દરમ્યાન દેશમાં થોડો ડેટા મળ્યો છે, જેમાં આ દવા લેવાથી કોઈ નુકસાન નથી થયું, પરંતુ એનો લાભ થયો છે, એમ ભાર્ગવે જણાવ્યું હતું. એઇમ્સ દ્વારા જુદાં-જુદાં જૂથોના નિરીક્ષણ કરવામાં આવેલા અભ્યાસમાં અને ICMRના કેસ નિયંત્રિત અભ્યાસમાં કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી, પણ કેટલાક લોકોને ઊબકા, ઊલટી અને હ્દયના ધબકાર વધ્યા સિવાયની કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી.

HCQ પરનો અભ્યાસ ટૂંકમાં પ્રકાશિત

અમે અમારા હેલ્થકેર વર્કર્સ અને કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં લાગેલા ફ્રન્ટલાઇન વર્કર્સને આ દવા લેવા માટે ના નથી પાડી અને એ જ વખતે અમે તેમને PPEનો કિટ ઉપયોગ કરવો આવશ્યક છે, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે HCQ પર અમારો અભ્યાસ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. 

WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબિયસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષમાં જણાવ્યેં હતું કે પાછલા સપ્તાહ લૈંસેટમાં એક અધ્યયનમાં પ્રકાશિત થયા પછી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોવિડ-19 દર્દીઓ પર દવાનો ઉપયોગ કરવાથી તેમના મરવાની સંભાવના વધી જાય છે. જેને લીધે WHOએ પરીક્ષણોને રદ કરી દીધો છ, જ્યારે સુરક્ષાને લઈને આની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેડ્રોસના જણાવ્યા મુજબ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ સેફ્ટી ડેટાની સમીક્ષા કરશે. ટ્રાયલના બાકી હિસ્સા જારી રહેશે.

આમિરની પુત્રી ઈરાનો સાડી-લૂક…

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાને ઈદ તહેવાર નિમિત્તે પોતાનો નવો લૂક અપનાવવાનું નક્કી કર્યું. એણ જાતે સાડી પહેરી અને પછી તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી. કાળા રંગના બ્લાઉઝ અને લાલ રંગની સાડીમાં એ સુંદર દેખાય છે. લૂકને સંપૂર્ણ બનાવવા માટે એણે કાનમાં ઝૂમકા પહેર્યા અને વાળને ખુલ્લા રાખવાનું પસંદ કર્યું.

ઈન્સ્ટન્ટ જલેબી

બાળકોને જલેબીનું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જતું હોય છે. મોટેરાંઓને પણ જલેબી તો ભાવે જ છે. પરંતુ આ લૉકડાઉનમાં મીઠાઈની દુકાનો બંધ છે.

તો શું થાય? જવાબ છે: જલેબી ઘરમાં બનાવી લેવાય!!!

તો બનાવી લો, સહેલાઇથી બનતી ઈન્સ્ટન્ટ જલેબી!!


સામગ્રી:

  • 1/2 કપ મેંદો
  • 1/2 ટી.સ્પૂન ઘી
  • 1/2 કપ પાણી
  • એક સેચેટ ઈનો પાવડર
  • બદામ અથવા પિસ્તાની કાતરી
  • જલેબી તળવા માટે ઘી

ચાસણી માટે:

  • 1 કપ સાકર
  • ૧ કપ પાણી
  • 1/2 ટી.સ્પૂન એલચી પાવડર
  • કેસર હોય તો ચપટી કેસર
  • એક ચપટી ફૂડ કલર (જલેબી માટેનો પીળો કલર)

રીત:

મેંદાને એક બાઉલમાં ચાળી લો. તેમાં 1 ટી. સ્પૂન ઘી ઉમેરીને મિક્સ કરો. હવે 1/2 કપ પાણી એમાં ઉમેરો. આ મિશ્રણને જેરણી અથવા એક ચમચી વડે પાંચ મિનિટ સુધી ફેંટો. આ ખીરૂ ઢોકળાના ખીરા જેવું ઘટ્ટ હોવું જોઈએ. બહુ પાતળું ના થવું જોઈએ. પાંચ મિનિટ ખીરાને ફેંટી લીધા બાદ એને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દો.

ચાસણી માટે એક તપેલીમાં સાકર તેમજ એક કપ પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો. એક ચમચા વડે મિશ્રણને હલાવો. એલચી પાઉડર તેમજ કેસર ઉમેરી દો અને જલેબીનો કલર (ફૂડ કલર) પણ મિક્સ કરી દો. ચમચા વડે ચાસણીને હલાવતા રહો. પાંચ થી દસ મિનિટ બાદ મિશ્રણમાંથી એક ટીપું આંગળી પર લઈ ચેક કરો. મિશ્રણ થોડું પણ ચીકાશવાળું લાગે અને આંગળી પર ચોંટતું લાગે એટલે ગેસ બંધ કરીને ચાસણીને ઢાંકી દો.

એક નાની પ્લાસ્ટિકની જાડી થેલી ધોઈને લો.

ઈનો પાઉડરના પેકેટમાંથી અડધું પેકેટ પાઉડર જલેબીના મિશ્રણમાં નાંખો. આ પાઉડર ઉપર અડધી ટી.સ્પૂન ગરમ પાણી રેડીને મિશ્રણને હળવું થાય ત્યાં સુધી એટલે કે બે થી ત્રણ મિનિટ સુધી ફેંટો.

થેલીના એક ભાગમાં મિશ્રણ ભરીને ઉપરથી થેલીને દોરાથી બાંધી દો. થેલીના ખૂણાને બારીક કટ કરો. (જલેબી પાડવા માટે)

એક ફ્રાઈ પેન અથવા છીછરી કઢાઈ લો. એમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી વધુ ના લેતાં જલેબી ડુબે એટલું જ લેવું.

ઘી ગરમ થાય એટલે થોડું મિશ્રણ થેલીમાંથી ઘીમાં પાડી જુઓ. જલેબીનું મિશ્રણ નાખતાંવેંત ઉપર આવી જાય તો સમજવું ઘી ગરમ થઇ ગયું છે. હવે ગેસની આંચ મધ્યમ કરીને થેલી વડે જલેબી પાડી લો. જલેબી બંને બાજુએથી સોનેરી રંગની તળી લેવી.

તળેલી જલેબી બહાર કાઢો એવી તરત જ ચાસણીમાં ડુબાડી દો. 1-2 મિનિટ બાદ જલેબીની ચિપિયા વડે બહાર કાઢીને એક સ્ટીલની ચાળણીમાં મૂકી દો. જેથી વધારાની ચાસણી નિતરી જાય. ચાળણીની નીચે થાળી અથવા ડીશ મૂકવી.

જલેબીને સૂકા મેવાની કાતરીથી ગાર્નિશ કરી શકો છો.

ઈંગ્લેન્ડના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર પાકિસ્તાનીની ધરપકડ

લંડન:  ઈંગ્લેન્ડના ડર્બીશાયરના એક ગુરુદ્વારામાં તોડફોડ કરનાર એક પાકિસ્તાની મુસ્લિમની બ્રિટનની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ જબરદસ્તીથી ગુરુદ્વારામાં ધૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ ગુરુદ્વારાની સંપત્તિને નુક્શાન પહોંચાડવાની સાથે ત્યાં કાશ્મીર સંબંધિત એક ધમકી ભરેલી નોટ પણ લખીને છોડી ગયો હતો.

ડર્બીશાયરમાં સ્ટેનહોપ સ્ટ્રીટ સ્થિત ગુરુ અર્જન ગુરુદ્વારામાં સોમવારે સવારે દરવાજો તૂટેલો નજરે પડતા સ્થાનિકોએ ડર્બીશાયર પોલીસને તેની જાણકારી આપી. ગુરુદ્વારાના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ સવારે છ વાગ્યે ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ કરીને હુમલો કર્યો જેમાં હજારો પાઉન્ડનું નુકસાન થયું છે. જોકે આ હુમલામાં કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી. ગુરુદ્વારાએ આ તોડફોડને ‘હેટ ક્રાઈમ’ (ધર્મઝનૂની ગુનો) ગણાવ્યો છે.

હુમલો કરનાર વ્યક્તિને સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાયો છે. વિડિયોમાં ગુરુદ્વારાની અંદરમાં ઘણા કાચના ટુકડા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. હુમલો કરનાર વ્યક્તિએ અહીં એક નોટ પણ છોડી હતી જેમાં શીખ સમુદાયને કશ્મીરના લોકોને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાગળના એક છેડે ‘પાક અલ્લાહ પાક’ લખેલું હતું સાથે એ વ્યક્તિએ પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો.

ડર્બીશાયર પોલીસે આ વ્યક્તિ પાકિસ્તાની મુસ્લિમ હોવાની પુષ્ટી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુદ્વારાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે અત્યાર સુધી જે પુરાવાના આધારે તે વ્યક્તિને પકડવામાં આવ્યો છે તેના વસ્તુ, પત્ર અને સરનામા હેઠળ જાણવા મળ્યું છે કે તે એક મુસ્લિમ પુષ્ઠભૂમિથી આવ્યો છે. તેણે જ્યારે ગુરુદ્વારા પર હુમલો કર્યો ત્યારે ગુરુદ્વારામાં કોઇ હાજર નહોતું.

BSEએ સ્ટાર MF પ્લેટફોર્મ પરના રોકાણકારો માટે E-KYC સુવિધા શરૂ કરી

નજીકના ભવિષ્યમાં સ્ટોક બ્રોકર્સ અને અન્ય ઈન્ટમીડિયેટ્સ માટે પણ E-KYC સુવિધા શરૂ કરશે


મુંબઈ, તા. 26 મે, 2020ः દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર રોકાણકારો સરળતાથી કામકાજ કરી શકે એ માટે ઈકેવાયસી સુવિધા શરૂ કરવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને એન્ડ ટુ એન્ડ મૂલ્યવર્ધિત સર્વિસીસ પૂરી પાડવાના સતત પ્રયત્નોના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી આ સુવિધાની જે મુખ્ય વિશેષતાઓ છે, એમાં યુઝર ફ્રેન્ડલી વેબ અને વિવિધ સહભાગીઓ માટે મોબાઈલ ઈન્ટરફેસ, કેવાયસી ડોક્યુમેન્ટ્સનું ડિજિટલી વેરિફિકેશન્સ અને કેઆરએ સિસ્ટમ્સ સાથેના સંકલનનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત આઈડીઝ અને ડોક્યુમેન્ટ્સના સફળ વેરિફિકેશનના કિસ્સામાં રિયલ ટાઈમ મંજૂરી (એપ્રુવલ)નો સમાવેશ થાય છે. નવા પ્રવેશી રહેલા રોકાણકારો માટે આ ઈકેવાયસી સર્વિસીસ ઘણી મુશ્કેલીઓ દૂર કરશે.

બીએસઈ સ્ટોક બ્રોકર્સ અને અન્ય માન્ય ઈન્ટરમીડિયેટ્સ માટે નજીકના ભવિષ્યમાં ઈકેવાયસી સુવિધા પૂરી પાડવાની યોજના ધરાવે છે અને તે માટે સ્ટોક બ્રોકર્સ અને અન્ય ઈન્ટરમીડિયેટ્સ માટે એપીઆઈઝ ઈશ્યુ કરશે, જેથી તેઓ તેમની આઈટી સિસ્ટમ્સને બીએસઈની ઈકેવાયસી સિસ્ટમ સાથે જોડી શકશે.

આ નવી શરૂ કરવામાં આવેલી સુવિધા વિશે બીએસઈના બીઝનેસ હેડ, મ્યુચ્યુઅલ ફંડ, ગણેશ રામે કહ્યું, “બીએસઈ સ્ટાર એમએફ એવું સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ છે, જેણે ઈકેવાયસી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા રોકાણકારોને સરળતાથી કામકાજ કરવામાં બહુ ઉપયોગી થશે.  ઉચ્ચ સિસ્ટમ્સને પગલે કાર્યક્ષમતામાં વધારો થશે અને  સમયની બચત થશે.”

નાણાકીય વર્ષ 2019-20ના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.56,038 કરોડ રહ્યો હતો, જે ઉદ્યોગના રૂ.83,781 કરોડના નેટ ઈક્વિટી ફ્લોના 66 ટકા છે. એપ્રિલ મહિનામાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો નેટ ઈક્વિટી ઈન્ફોલોમાં 61 ટકા એટલે કે રૂ.3,806 કરોડ રહ્યો હતો.

લોકડાઉન ફેઈલ; ગરીબોને દર મહિને રૂ. 7,500 આપોઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને લઈને મોદી સરકારની તીખી આલોચના કરી છે. રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લોકડાઉનના ચારેચાર તબક્કા નિષ્ફળ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં 21 દિવસ લોકડાઉન કર્યું હતું, પણ એનો કોઈ ખાસ લાભ નથી થયો. વડા પ્રધાન મોદીએ તેમની આગળની વ્યૂહરચના જણાવવી જોઈએ.

દેશને તેમની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ

રાહુલે કહ્યું કે જે થવું જોઈતું હતું, એ નથી થયું. દેશને સરકારની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ. લોકડાઉનને લાગુ થયે 60 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પણ આ રોગચાળો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધતો જાય છે. પ્રવાસી મજૂરો પરેશાન છે. સરકાર તેમની મુશ્કેલીઓ અને મુસીબતોને કેવી રીતે દૂર કરશે?

સરકારે લોકોને રોકડ આપવી જોઈએઃ રાહુલ

મોદી સરકાર કોરોનાને અંકુશમાં રાખવા માટે શું વિપક્ષને ગંભીરતાથી નથી લેતી? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમારું કામ સરકાર પર દબાણ કરવાનું છે. મેં ફેબ્રુઆરીમાં જ કહી દીધું હતું કે હાલત વધુ ખતરનાક થશે.’ રોજગારને લઈને રાહુલે કહ્યું છે કે સરકારે આર્થિક મોરચે બહુ કામ કરવાની જરૂર છે. સરકારે લોકોને રોકડ રકમ આપવી જોઈએ. સરકારે ગરીબોના ખાતામાં દર મહિને 7500 રૂપિયા કેશ ટ્રાન્સફર કરવા જોઈએ.

રાજ્યોની મદદ કરે કેન્દ્ર

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ રાજ્યોની પાછળ કેન્દ્ર સરકાર ઊભી નહીં રહે તો તેઓ કોરોનાથી લડી નહીં શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે વેપાર-ધંધા બંધ છે, ત્યારે કેટલાય નાના-મધ્યમ ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે. નાના ઉદ્યોગોને પૈસા આપવાની માગ કરી રહ્યા છે. વેપાર-ધંધા બંધ હોવાથી બેરોજગારી વધવાનો ભય છે.

આ રાજકારણ નહીં, બલકે મારી ચિંતા

રાહુલ ગાંધીએ ક્હ્યું હતું કે પેકેજ વિશે કેટલીય પત્રકાર પરિષદ થઈ. અમને બહુ આશા હતી. વડા પ્રધાને કહ્યું હતું કે એ જીડીપીના 10 ટકા હશે. વાસ્તવમાં એ જીડીપીના એક ટકાથી પણ ઓછું છે અને એમાં મોટા ભાગે લોક છે, રોકડ નથી. તેમણે કહ્યું કે મજૂર ભાઈ-બહેનો, MSMEsની  કેવી રીતે કરશો? આ રાજકારણ નથી, બલકે મારી ચિંતા છે, આ બીમારી સતત વધી રહી છે, એટલે હું સવાલ પૂછી રહ્યો છું.