Home Blog Page 4794

કોરોનાના નવા 6654 કેસ અને 137 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં સતત પાંચ હજારથી ઉપરનો દૈનિક વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે અને અત્યાર સુધી 3720 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6654 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે અને 137 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 51,784 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. એ 41.39 ટકાએ પહોંચ્યો છે. દેશનાં બધાં રાજ્યોમાંથી દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જોકે કેટલાંક રાજ્યો આ રોગચાળામાંથી મુક્ત પણ થઈ ચૂક્યાં છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ 44,582 કેસ નોંધાયા છે. અહીં આ વાઇરસને કારણે 1517 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાં 12,583 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર

વિશ્વમાં કોરોનાના કેસોમાં પણ ઝડપી વધારો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર 180થી વધુ દેશોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં વિશ્વમાં 53 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને સવા ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

ITએ 16.84 લાખ કરદાતાનાં ખાતાઓમાં રૂ. 26,242 કરોડ ટ્રાન્સફર કર્યાં

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલથી 16.84 લાખ ટેક્સપેયર્સને 26,242 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા છે. કોવિડ-19 સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું કામ ઘણી ઝડપથી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ શક્રવારે કહ્યું છે કે એક એપ્રિલથી 21 મેની વચ્ચે 16,84298 ટેક્સપેયર્સને રિફંડ મળ્યાં. CBDTએ કહ્યું છે કે 15,81,906 ટેક્સપેયર્સને 14,632 કરોડ રૂપિયાનાં ઇન્કમ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. ત્યાં 1,02,329 ટેક્સપેયર્સને કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કર્યા છે.

પાછલા સપ્તાહે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત પછી રિફંડ જારી કરવાનું કામ વધુ ઝડપથી કરવામાં આવ્યું. સીતારામને કહ્યું હતું કે આપણે રિફંડમાં મોડું ના કરવું જોઈએ. આપણે એને અટકાવવા નહીં જોઈએ. હાલના સમયમાં તમારે પૈસાની જરૂર છે અને તમને પાસે એ પહોંચવા જોઈએ.

CBDTએ 16 મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન 37,531 ટેક્સપેયર્સને 2050.61 કરોડનાં રિફંડ જારી કર્યાં હતાં.આ જ રીતે કોર્પોરેટ ટેક્સ પેયર્સને 867.62 કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. જ્યારે 21 મેએ પૂરા થયેલા સપ્તાહમાં 1,22,764 ટેક્સપેયર્સને 2672.97 કરોડનાં રિફંડ જારી કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ 33,774 કોર્પોરેટ ટેક્સપેયર્સને 6714.34 કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં.

 

 

 

 

રાશિ ભવિષ્ય 23/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

લોકડાઉનમાં ઘરમાં જ કરો આ કસરત…

કોરોના વાઈરસને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં જીમ્નેશિયમ્સ બંધ હોવાથી ઘણા લોકો તેમની ફિટનેસને લઈને ચિંતિત રહેતા હશે. અહીં અમે તમને કેટલીક એવી કસરતો અંગે જણાવી રહ્યા છીએ જેને તમે તમારા ઘરમાં જ સરળતાથી કરી શકો છો. આવી જ એક ખાસ કસરતનું નામ છે પુશઅપ્સ. રોજ 15 જેટલા પુશઅપ્સ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

આ કસરત તમે ઘરમાં સરળતાથી કરવાની સાથે તમારા શરીરને ફિટ રાખવામાં પણ મદદરૂપ થશે. ફિટનેસ ટ્રેનર્સ અને બોડી બિલ્ડર્સનું માનીએ તો દરરોજ પુશઅપ્સ કરવાથી બોડી ફિટનેસ એકદમ મેન્ટેન રહે છે. અહીં આપણે જોઈએ દરરોજ પુશઅપ્સ કરવાથી કયા કયા ફાયદા થાય છે.

દરરોજ પુશઅપ્સ કરવાને કારણે તમારા શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે સાથે શરીરના લગભગ તમામ અંગોની કસરત પણ થાય છે. શરીરની શિથિલતા દૂર થવાથી શરીર સ્ફૂર્તિલું લાગે છે. તમે ઈચ્છો તો એક સપ્તાહ સુધી દરરોજ પુશઅપ્સ કરીને આ અનુભવ કરી શકો છો.

હ્રદયની કાર્ય પ્રણાલીને વધુ સારી બનાવો

હ્રદય સાથે જોડાયેલી કાર્યપ્રણાલીને વધુ સારી બનાવી રાખવા માટે પુશઅપ્સથી ઘણો ફાયદો થાય છે. પુશઅપ્સ કરતી વખતે આપણા મગજની માંસપેશીઓમાં ખેંચાણ થવાની સાથે રક્તવાહિનીઓની પણ સારી કસરત થાય છે. આ કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ થવાથી હ્રદય સંબંધીત બિમારીઓનો ખતરો ઘટી જાય છે.

ખભા મજબૂત બને છે

પુશઅપ્સને કારણે ખભા મજબૂત બનવાની સાથે આકર્ષક પણ લાગે છે. જોકે, ખભાના શેપને આકર્ષક બનાવવા માટે અલગ અલગ કસરતો કરવી પણ ખૂબ જ જરૂરી છે. પુશઅપ્સને કારણે તમારા ખભામાં મોચ આવવાનો ખતરો અનેક ગણો ઘટી જાય છે.

બોલીવુડમાં અભિનેતાની જો વાત કરવામાં આવે તો હ્રતિક રોશન, ટાઈગર શ્રોફ, વિદ્યુત જામવાલા, સોનૂ સૂદ અને વરુણ ધવન જેવા કલાકારોની છાતી તો તમે ફિલ્મોમાં જોઈ જ હશે. તમારે પણ આવી છાતી બનાવવી હોય તો પુશઅપ્સ તેમાં ઘણા મદદગાર સાબિત થઈ શકે છે. છાતીને બહાર કાઢવા માટે પુશઅપ્સ સૌથી કારગર કસરત માનવામાં આવે છે.

વાહ ભાઈ વાહ! ૨૩ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૩ મે, ૨૦૨૦

ડો. હર્ષવર્ધને સંભાળી લીધી WHO એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય સંગઠનના એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સંભાળ્યો. તેમણે દિલ્હી સ્થિત WHOના કાર્યાલય ખાતે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. આ પહેલા આ પદની જવાબદારી જાપાનના ડૉક્ટર હિરોકી નાકાતાની પાસે હતી જે 34 સભ્યોના બોર્ડના ચેરમેન હતા. સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે આ સ્થિતિમાં ડૉ. હર્ષવર્ધન કોરોના સામેની આ લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં ભારત તરફથી હર્ષવર્ધનના નામની નિર્વિરોધ પસંદગી કરવામાં આવી હતી. પદભાર સંભાળ્યા બાદ ડૉ. હર્ષવર્ધને કહ્યું કે મને ખબર છે કે વૈશ્વિક સંકટના સમયે હું આ કાર્યાલયમાં પ્રવેશ કરી રહ્યો છું. આવનારા 2 દાયકાઓ સુધી આરોગ્યને લઈને અનેક પડકારો આવશે. આ પડકારો સામે આપણે સૌ સાથે મળીને લડીશુ. તેમણે કહ્યું કે ભારત વર્તમાન સમયમાં કોરોના સામે દ્રઢ સંકલ્પ સાથે લડી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 3 ટકા જ છે. વળી, 135 કરોડની વસ્તીવાળા ભારતમાં માત્ર એક લાખ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ પણ 40 ટકાથી વધુ છે.

મહત્વનું છે કે, WHO ના દક્ષિણ-પૂર્વ એશિયા સમૂહે ગયા વર્ષે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભારતને ત્રણ વર્ષના કાર્યકાળ માટે કાર્યકારી બોર્ડ માટે પસંદ કરવામાં આવશે. બોર્ડના ચેરમેનનું પદ ઘણા દેશોના અલગ અલગ ગ્રુપમાં એક – એક વર્ષના હિસાબે આપવામાં આવે છે. ગયા વર્ષે નક્કી થયું હતું કે આગામી એક વર્ષ સુધી માટે આ પદ ભારત પાસે રહેશે. 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદગી બોર્ડની બેઠક વર્ષમાં બે વાર થાય છે. આની મુખ્ય બેઠક સામાન્ય રીતે જાન્યુઆરીમાં થાય છે જ્યારે બીજી બેઠક મે મહિનામાં થાય છે.

આવજો મુંબઈ… પ્રવાસી કામદારો બોરીવલીથી ઝારખંડ રવાના થયા…

કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે બે મહિનાથી મુંબઈમાં ફસાઈ ગયેલા ઝારખંડનિવાસી 1800 જેટલા પ્રવાસી મજૂર-કામદારો 22 મે, શુક્રવારે મુંબઈના બોરીવલી સ્ટેશનેથી ઝારખંડ માટેની સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા રવાના થયા હતા. થાકીને લોથપોથ થઈ ગયેલા શ્રમિકો અને એમના બાળકો સવારે 10 વાગ્યે ટ્રેન ચાલુ થતા જ આનંદમાં આવી ગયા હતા. આ કામદારો મલાડ (પૂર્વ)ના વિસ્તારોમાં રહેતા હતા. આ નિઃસહાય લોકોને એમના વતન પહોંચવા માટેની વ્યવસ્થા સ્થાનિક નેતાઓએ કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

લોકડાઉને 20 લાખ લોકોને કોરોનાનો શિકાર થતા બચાવ્યા

નવી દિલ્હીઃ દેશમાં જો સમયસર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ન હોત તો કોરોના સંક્રિમતોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો હોત. આ ઉપરાંત દેશ પાસે એ સમયે કોરોના કેસોની સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત. દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં લોકડાઉનને લીધે લગભગ 20 લાખ કોરોના સંક્રમણને અને 54,000 મરણ થતા રોકી શકાયા છે. સરકારે કહ્યું છે કે આશરે 80 ટકા કેસ પાંચ રાજ્યો –મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિંમ બંગાળ અને દિલ્હીમાં થયા છે. આવામાં કહી શકાય કે દેશમાં કોરોના પ્રકોપ સીમિત ક્ષેત્ર સુધી છે. સરકારે કહ્યું છે કે બે સ્વતંત્ર અર્થશાસ્ત્રી દ્વારા તૈયાર મોડલથી માલૂમ પડ્યું છે કે લોકડાઉનને કારણે કોવિડ-19ના 20 લાખ કેસ અને 68,000 મોતોને ટાળી શકાય છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યાનુસાર લોકડાઉનને કારણે આશરે 78,000 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારેથી દેશમાં કોવિડ-19ના કેસોનો ડબલિંગ રેટ 3.4 દિવસની હતી, જ્યારે હાલમાં એ 13.3 દિવસ છે. આવામાં જો લોકડાઉન ના લગાવવામાં આવ્યું હોત તો કોરોના કેસમાં ઝડપથી વધારો થાત.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના આંકડા 1,18,000એ પહોંચી ગયા છે. અત્યાર સુધી બપોરે 27 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ સમયગાળામાં 18,287 ટેસ્ટ ખાનગી લેબમાં કરવામાં આવ્યા હતા. ICMRએ પણ કહ્યું છે કે એક દિવસમાં 1,03829 ટેસ્ટ થયા છે.

ICMRએ કહ્યું છે કે સતત ચોથો દિવસ છે, જ્યારે દૈનિક ધોરણે એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-19ના કેસોની ગતિ ધીમી પડી છે. પ્રારંભમાં ડબલિંગ રેટ વધુ હતો, પણ પછી એ ઓછો થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અત્યારે કેસ વધુ આવી રહ્યા છે, પણ અન્ય દેશોની તુલનામાં ભારત સારી સ્થિતિમાં છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-19 મૃત્યુ દર 3.13 ટકાથી ઘટીને 3.02 ટકા થઈ ગયો છે. રિકવરી રેટ પણ વધીને આશરે 41 ટકા થયો છે.

Small Steps, Big Change: The Extraordinary Story of Mukesh Gandhi

RBIએ રેપો રેટમાં 0.40 ટકાનો કાપ મૂકતાં EMI ઘટશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 40 બેઝિસ પોઇન્ટનો ફરી કાપ મૂક્યો છે. જેથી રેપો રેટ હવે 4.40 ટકાથી ઘટીને 4 ટકાએ આવી ગયો છે. આ પહેલાં પહેલી માર્ચે બેન્કે રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટ્સનો કાપ મૂક્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MPCની બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજદર ઘટાડવા માટે સંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે સમય પહેલાં મોનિટરી પોલિસી કમિટીની બેઠક થઈ હતી. આ બેઠક પાછલા ત્રણ દિવસોમાં થઈ હતી. આ પહેલાં રિઝર્વ બેન્કના ગવર્નર 27 માર્ચ અને 17 એપ્રિલે કોવિડ-19થી જોડાયેલી જાહેરાતો કરી ચૂક્યા છે.

EMI ના ચૂકવવાની મુદત ત્રણ મહિના વધી

રિઝર્વ બેન્કે લોન મોરિટોરિયમનો સમયગાળો પણ ત્રણ મહિના વધારવાની જાહેરાત કરી છે. હવે લોન પર મોરિટોરિયમનો સમયગાળો ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે. એટલે કે તમે તમારી લોનનો EMIને ત્રણ મહિના વધુ અટકાવીનો વિકલ્પ લઈ શકો છો. પહેલાં એ માર્ચથી મે સુધી હતો, જે હવે માર્ચથી ઓગસ્ટ સુધી થઈ ગયો છે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ-19 સંક્રમણની સૌથી મોટી માર કન્ઝ્યુંર ડ્યુરેબલ્સની માગ પર પડી છે. માર્ચ, 2020થી અત્યાર સુધી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.

વૈશ્વિક વેપારમાં 13-32 ટકાનો ઘટાડો

તેમણે કહ્યું હતું કે આ વર્ષે વર્લ્ડ ટ્રેડમાં 13-32 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે માર્ચ, 2020થી શહેરી અને ગ્રામીણ- બંને વિસ્તારોમાં માગમાં ઘટાડો થયો છે, જેથી અસર સરકારી આવક પર પણ પડી છે.

મોંઘવારી વધવાની આશંકા

લોકડાઉનને કારણે મોંઘવારી વધવાની આશંકા છે. અનાજોનો સંગ્રહ FCIએ વધારવો જોઈએ. દેશમાં રવી પાક સારો થયો છે. સારા મોન્સુન અને કૃષિથી ઘણી આશા છે. માગ અને પુરવઠામાં અનિયમિતતાને કારણે દેશના અર્થતંત્ર અટકી ગયું છે. સરકારી પ્રયાસો અને રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલાં પગલાંની અસર સપ્ટેમ્બર પછી દેખાવાની શરૂ થશે.

શક્તિકાંતે કહ્યું હતું કે એક્ઝિમ બેન્કને અમેરિકી ડોલર સ્વેપ માટે 90 દિવસો માટે રૂ. 15,000 કરોડની લોન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સિડબીને વધુ લવચીક બનાવવા માટે ટર્મ લોન પર 90 દિવસો પછી વધુ 90 દિવસોની છૂટ આપવામાં આવી રહી છે.