અમદાવાદ: કોરોના વાઈરસનો ફેલાવો અને તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના મુશ્કેલીના સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદોની મદદે આવી રહી છે. ઘણી સંસ્થાઓ ભોજન તેમજ અન્ય સામગ્રીઓનું વિતરણ કરી રહી છે તો અહીં એક એવી સંસ્થા છે જે જરૂરિયાતમંદ લોકો અને બાળકોને ચોકલેટ અને વેફર પેકેટ્સનું વિતરણ કરી રહી છે.
મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન, ઈન્ડિયાએ લોકડાઉન શરું થયું ત્યારથી જરૂરીયાતમંદ લોકો અને બાળકોને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટ્સનું વિતરણ કર્યું છે.
ફાઉન્ડેશનના કુસુમ વ્યાસ કૌલ જણાવે છે કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કપરા સમયમાં બાળકોને સૌથી વધુ મુશ્કેલીઓ પડતી હોય છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદેશ્યથી લોકડાઉમાં અમે બાળકોને ચોકલેટ તેમજ ચીઝ વેફર્સના પેકેટનું વિતરણ શરુ કર્યું. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છત્તિસગઢમાં અત્યાર સુધીમાં 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટનું વિતરણ કર્યું છે.
ઈન્ડિયા ફૂડ બેંકિંગ નેટવર્ટ આ જંગી પ્રોજેક્ટની કરોડરજ્જુ છે, જેને બ્રિટાનીયા અને મોન્ડલેઝ જેવી એફએમસીજી કંપનીઓનો સહયોગ હાંસલ થયો છે. કોરોના કાળમાં રાતદિવસ કામગીરી કરી રહેલા ડોક્ટર્સ અને હેલ્થવર્કર્સને પ્રોત્સાહિત કરવા માટે ફાઉન્ડેશન દ્વારા પ્રોટીન મિલ્કશેક અને પ્રોટીન કૂકીઝનું અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશન સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના ઉત્કર્ષ માટે સખત પરિશ્રમ કરી રહ્યું છે.
બદરીનાથઃ યાત્રાધામ બદરીનાથ ધામનાં કપાટ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4.30 કલાકે સંપૂર્ણ પૂજા-વિધિ સાથે ખોલવામાં આવ્યાં હતાં. બદરીનાથ ધામમાં પહેલી પૂજા-વિષ્ણુ સહસ્રનામ પાઠ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામથી કરવામાં આવશે. દેશને કોરોનાથી જલદી મુક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. લોકડાઉનને પગલે મંદિરમાં ગણ્યાગાંઠ્યા લોકો હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે ચારધામોના કપાટ ખૂલી ગયાં છે અને ટૂંક સમયમાં ચારધામની યાત્રા શરૂ થશે.
મંદિરના પ્રાંગણને સેનિટાઇઝર કરવામાં આવ્યું
બદરીનાથમાં કપાટ ખૂલવાના સમયે મુખ્ય પૂજારી રાવલ, ધાર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર ઓછા લોકો જ પૂજામાં સામેલ થઈ શક્યા હતા. આ દરમ્યાન માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.આ પૂર્વે મંદિરના પ્રાંગણને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. કપાટ ખૂલતાં પૂર્વે ગર્ભ ગૃહથી માતા લક્ષ્મીને લક્ષ્મી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કુબેરજી અને ઉદ્ધવજીની ચલ વિગ્રહ મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર નહીં
કોરોના રોગચાળાને લીધે બદરીનાથજીના સિંહ દ્વાર પર સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર અને સ્વસ્તીવાચન પણ ના થયું. આ ઉપરાંત ભારતી સેના ગઢવાલ સ્કાઉટના બેન્ડવાજાં અન ભક્તોના જયઘોષ પણ બદરીનાથ ધામથી ગાયબ છે.
ચારધામ યાત્રાનો વિધિવત્ પ્રારંભ
ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ- ગંગોત્રી-યમનોત્રી અને કેદારનાથ પછી શુક્રવારે ચારધામનું ચોથું ચરણ બદરીનાથનાં કપાટ ખૂલી ગયાં છે. બદરીનાથના કપાટ ખૂલતાં જ ચારધામ યાત્રાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે, જેને આ ભૂલોકનું આઠમું વૈકુંઠ ધામ પણ કહેવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે
ભગવાન બદરીનાથના શુક્રવારના દર્શનોમાં મુખ્યત્વે અખંડ જ્યોતિ અને ભગવાન બદરીનાથના નિર્વાણ દર્શન થાય છે. આ દર્શન કરવાનું મુખ્ય મહત્ત્વ હોય છે. શુક્રવારે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે, પણ સવારે શ્રદ્ધાળુઓની પાંખી હાજરી હતી, કેમ કે લોકડાઉન ચાલી રહ્યું છે.
સવારે કપાટ ખૂલતાં જ ભગવાન બદરી વિશાળની મૂર્તિથી ઘૃત કાંબળાને હટાવવામાં આવ્યો હતો.એની સાથે ભગવાન બદરીનાથનાં દર્શન શરૂ થઈ ગયાં છે. બદરીનાથ ધામ બંધ થવાના સમયગાળામાં છ મહિના અખંડ જ્યોતિનાં દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને સૌથી પહેલાં અખંડ જ્યોતિનાં દર્શન કરાવવામાં આવે છે.
ગુરુવારે તૈયારી કરવામાં આવી
ગઈ કાલે જ આધિ શંકરાચાર્યની ગાદીની સાથે રાવલજી, ઉદ્ધવજી, કુબેરજી અને ગાડુ ઘડા (તેલ કળશ) યોગ ધ્યાન બદરી મંદિર પાંડુકેશ્વરના બદરીનાથ ધામ પહોંચ્યા હતા. મંદિરના કપાટ ખોલવાની તમામ તૈયારી ગઈ કાલે પૂરી કરી લેવામાં આવી હતી.
પાછલા વર્ષે કપાટ ખૂલ્યા પછી આશરે 10,000 શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા હતા. ગઈ કાલે મંદિર અને આસપાસના વિસ્તારને ફૂલોથી સજાવવામાં આવ્યાં હતાં.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળ કે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, કફ, છાતી, પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
અમદાવાદ: બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ શાંતિ બિઝનેસ સ્કૂલ કોવિડ- 19 લોકડાઉન દરમ્યાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હાલમાં ‘શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓને દેશ અને વિદેશની જાણીતી કંપનીઓ તેમના મહત્વપૂર્ણ લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક આપી રહી છે, એટલું જ નહિ આ કંપનીઓના ટોપ મેનેજમેન્ટના હોદ્દેદારો વિદ્યાર્થીઓને કોવીડ-19 ની કટોકટી પછી માર્કેટમાં ઉદ્દભવતી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વિષય પર પણ ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ અંગે “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા જણાવે છે કે “સંપૂર્ણ પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે, પ્રથમ તબક્કો ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને ઉદ્યોગના નિષ્ણાતોના ઓનલાઇન સત્રો દ્વારા શીખવાનો છે, બીજો તબક્કો કોર્પોરેટ દ્વારા ફાળવવામાં આવેલા પ્રોજેક્ટને ફેકલ્ટી મેન્ટર અને કોર્પોરેટ મેન્ટરના માર્ગદર્શન હેઠળ પૂરો કરવાનો છે, અને ત્રીજો તબક્કો પ્રોજેક્ટ્સમાં ઊંડાણ પૂર્વક કરવામાં આવેલા સંશોધનો અને પરિણામો અંગે કોર્પોરેટને સૂચનો આપવા, જે સૂચનો કોર્પોરેટ દ્વારા ભવિષ્યની વ્યૂહરચના બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય.
“શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક આ નવીન મોડેલ અપનાવ્યું અને આ અનોખી પદ્ધતિ દ્વારા પોતાના જ્ઞાન-કૌશલ્યમાં વધારો કરી રહ્યા છે. વધુમાં પ્રોફેસર ડૉ. કિશોર બારડ ઉમેરે છે કે વિદ્યાર્થીઓ માટેના આ પ્રોજેક્ટ્સ આંતરશાખાકીય છે અને સંસ્થાના ફેકલ્ટી ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે, જેથી કોવિડ-19 સંકટ પછી જોબ માર્કેટની કઠિન સ્પર્ધા માટે તેઓ તૈયાર રહે. શાંતિ બિઝનેસ સ્કૂલની ફેકલ્ટી ટીમવર્ક દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવવા, માર્ગદર્શન અને સુવિધા આપવા માટે સતત કાર્યરત છે.
લંડન: શું તમને કયારેય વિચાર આવ્યો છે કે, કોરોના વાઈરસ બીમારીને કારણે મહિલાઓ કરતા પુરૂષોના મોતા શા માટે વધારે થયા છે? આ વાતને લઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશનમાં એક રિસર્ચ રિપોર્ટ છપાયો છે. રિપોર્ટમાં એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, કોરોનામાં પુરૂષોના શા માટે વધારે મોત થઈ રહ્યા છે?. રિસર્ચમાં જે સામે આવ્યું છે તેનાથી આ સવાલનો જવાબ મળી ગયો છે.
હકીકતમાં આનો જવાબ માણસના શરીરમાં મળી આવતું એક એન્ઝાઇમ ACE2 છે. આ એન્ઝાઇમ કોરોનાને શરીરમાં ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશન European Heart Journal આ દાવો કરવામાં આવ્યો છે.
શું હોય છે એન્ઝાઇમ ACE2
ACE2નું આખુ નામ એન્જીયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 છે. ACE2 હાર્ટ, કિડની, ધમનીઓ, આંતરડા અને શરીરના અન્ય ભાગોમાં હોય છે. ACE2 એક પ્રકારનું સિગ્નલ આપતું એન્ઝાઇમ છે જે કોશિકાઓની સપાટી પર જોવા મળે છે.
પુરુષોમાં ACE2નું પ્રમાણ મહિલાઓની સરખામણીએ વધારે હોય છે. કોરોના વાઈરસથી ACE2 જોડાઈ જાય છે અને કોરોનાને સ્વસ્થ કોશિકાઓ સુધી પહોંચાડી દે છે. કોવિડ19 દર્દીઓને ACE ઈનહિબિટર્સ અને ARB દવાઓ આપી શકાય છે. ACE ઈનહિબિટર્સ અને ARB દવા હાર્ટ એટેક, ડાયાબિટીસ કે કિડનીની બિમારીથી પીડિત દર્દીઓને આપવામાં આવે છે.
આ રિસર્ચમાં 11 યુરોપીયન દેશોના 3500 હાર્ટના દર્દીઓના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના મહામારી પહેલા આ રિસર્ચ શરુ થયું હતુ એટલા માટે આમાં કોરોના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા નહતા.
શોધકર્તાઓની ટીમે કોરોનાને લઈને પહેલાથી ઉપલબ્ધ માહિતી પરથી જાણવા મળ્યું કે, આ વાઈરસથી સૌથી વધુ મોત પુરુષોના થઈ રહ્યા છે. આ અભ્યાસમાં મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં ACE2નું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. આ આધારે જ ACE2ને કોરોનાને ફેલાવનાર એન્ઝાઇમ કહેવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાઈરસ મહાબીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સાવ ધીમી પડી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામક આ યોજના હેઠળ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશના કુલ જીડીપીના લગભગ 10 ટકા જેટલું છે.
આ આર્થિક પેકેજને અલગ રીતે સમજીએ…આ રકમને ડોલરમાં ફેરવી દઈએ તો 266 અબજ ડોલર જેટલી થાય છે. પાકિસ્તાનનો જીડીપી 320 અબજ ડોલર છે. એ હિસાબે આપણું આર્થિક પેકેજ પાકિસ્તાનના વાર્ષિક કુલ જીડીપીના 83 ટકા જેટલું છે. જો કે માત્ર પાકિસ્તાન જ નહીં પણ વર્લ્ડ બેંકના જીડીપી ઈન્ડિકેટરના હિસાબે આ આંકડો અન્ય 149 દેશોના કુલ વાર્ષિક જીડીપી કરતા પણ વધારે છે. આ દેશોમાં પાકિસ્તાન, વિયેતનામ, પોર્ટુગલ, ગ્રીસ, રોમાનિયા અને ન્યુઝીલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
મોદી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની તુલના પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાથે કરીએ તો વર્ષ 2019માં પાક સરકારે 7022 અબજ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતુ, ભારતીય રૂપિયામાં આ લગભગ 3.30 લાખ કરોડ આસપાસ થાય છે. ભારતનું રાહત પેકેજ પાકિસ્તાનના બજેટથી લગભગ 6 ગણું વધારે છે.
20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી સુસ્ત અર્થવ્યવસ્થાને એક નવી ગતિ મળવાની આશા છે. વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ પર વધુ ભાર આપ્યો છે જેથી ભવિષ્યમાં કોવિડ19 જેવા સંકટોનો સરળતાથી સામનો કરી શકાય. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, રોકાણકારોને આકર્ષિત કરવા અને ‘મેક ઈન ઈન્ડિયા’ને મજબૂત કરવાના ઉપાયો શોધવા જોઈએ.
નવી દિલ્હીઃ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે કોરોના રાહત પેકેજના પહેલા હિસ્સામાં આશરે રૂ. છ લાખ કરોડની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આજે નાણાપ્રધાને કોરોના રાહત પેકેજના બીજા તબક્કા વિશે માહિતી આપી હતી. તેમણે નવ પગલાંની જાહેરાત કરી હતી. આજે એમણે ખેડૂતો, મજૂરો, રસ્તા પરના ફેરિયાઓ, આદિવાસીઓ અને મધ્યમ વર્ગના પરિવારો વગેરે માટે અનેક જાહેરાતો કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે બેન્ક દ્વારા રૂ. 86,600 કરોડની કુલ 63 લાખ લોન પાસ થઈ છે. નાબાર્ડ, ગ્રામીણ બેન્ક અને કો-ઓપરેટિવ્સ દ્વારા રૂ. 29,500 કરોડનું રિફાઇનાન્સિંગ થયું છે. માર્ચ, 2020ના સમયગાળા માટે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ માટે રાજ્યોને રૂ. 4200 કરોડ આપવામાં આવ્યા છે. એની સાથે રાજ્ય સરકારોને કૃષિ ઊપજોની ખરીદી માટે માર્ચમાં રૂ. 6700 કરોડ આપવામાં આવ્યા છે.
ખેડૂતો માટે રૂ. 25,000 કરોડ લોનની ફાળવણી
નાણાપ્રધાને કહ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયમાં ખેડૂતો માટે રૂ. 25,000 કરોડની લોનની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું હતું કે ગત બે મહિનામાં રૂ. 25,000 કરોડની લોનની લિમિટની સાથે 25 લાખ નવા કિસાન કાર્ડને મંજૂરી આપવામાં આવી છે.
ખેડૂતો માટે લોનની વ્યવસ્થા
દેશના અઢી કરોડ ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપવા માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી દેશના ખેડૂતો સસ્તા વ્યાજદરે લોન લઈ શકશે. આમાં ખેડૂતોની સાથે માછીમારો અને પશુપાલકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. દેશના અઢી કરોડ ખેડૂતોને રૂ. બે લાખ કરોડની રોકડ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
ખેડૂતોએ પણ EMI મોરેટોરિયમનો લાભ લીધો
4.22 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન માટે ત્રણ કરોડ ખેડૂતોને ત્રણ મહિના સુધી EMI મોરોટોરિયમ વિકલ્પનો લાભ અપાયો છે.
રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુની રકમ SDRF હેઠળ
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબી લોકો માસે કેન્દ્ર સરકારે પાછલા બે મહિનામાં રાજ્ય સરકારોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના રૂપમાં મોટી મદદ કરી છે. આમાં પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે ખાવા-પીવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુ રકમ આપવામાં આવી છે. જે હેઠળ શહેરી ગરીબ અથવા બેઘર લોકોને દિવસમાં ત્રણ વાર જમવાનું ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર
તેમણે કહ્યું હતું કે 12,000 સેલ્ફ હેલ્પ ગ્રુપે ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર બનાવ્યાં છે. આનાથી અનેકને રોજગારી મળી છે. ત્યાર બાદ રિવોલ્વિંગ ફંડના સ્વરૂપે સેલ્ફ હેલ્પ ગ્રુપને ઘણી મદદ કરવામાં આવી છે. શહેરી ગરીબોના 7200 સેલ્ફ-હેલ્પ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેનાથી તેમને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે.
આઠ કરોડ પ્રવાસી મજૂરોને આગામી બે મહિના ફ્રી કરિયાણું
દેશમાં આઠ કરોડ એવા પ્રવાસી મજૂરો જે ન તો NFSAના લાભાર્થી છે અને ન તો સ્ટેટ કાર્ડના લાભાર્થી છે, તેમને આગામી બે મહિના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ચોખા અથવા ઘઉં, એક કિલો ચણા દાળ ફ્રી મળતી રહેશે. આને લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એના માટે રૂ. 3500 કરોડની ફાળવણી સરકારે કરી છે.
‘વન નેશન, વન રેશનકાર્ડ’
‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજના લાગુ થવા પર કોઈ પણ વ્યક્તિ દેશના ગમે એ ખૂણામાંથી રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશે અને રાશન PDS દુકાનોથી મેળવી શકશે.
મુદ્રા શિશુ લોન માટે રૂ. 1500 કરોડ
મુદ્રા શિશુ લોન લેવાવાળાઓને વ્યાજમાં રૂ. 1500 કરોડની વ્યાજરાહત સરકાર આપશે. આ લોનધારકોને વ્યાજ પર એક વર્ષ માટે બે ટકાની રાહત મળશે. આ યોજના દ્વારા ત્રણ કરોડ લોકોને લાભ મળશે.
સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા
રેંકડીવાળા, રેલવેના પાટા પાસે સામાન વેચતા, ઘરોમાં કામ કરતા લોકો સહિત બધા સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા લાવવામાં આવી છે. એને એક મહિનામાં લોન્ચ કરાશે. એના હેઠળ રૂ. 10,000 સુધી ઇનિશિયલ વર્કિંગ કેપિટલ લઈ શકશે. આનાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળશે.
અફોર્ડેબલ હાઉસિંગ માટેની જાહેરાત
6-18 લાખ સુધીની આવકવાળાઓ માટે હાઉસિંગ ક્ષેત્રનો લાભ મળી શકે, એના માટે રૂ. 70,000 કરોડનાં પ્રોત્સાહનો અપાશે. ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ, 2021 મસુધી વધારવામાં આવી છે. અઢી લાખથી વધુ મધ્યમ પરિવારોને લાભ મળશે
આદિવાસીઓ માટે રોજગાર અવસર
આદિવાસીઓ માટે રોજગાર તક ઊભી કરવા માટે રૂ. 6000 કરોડની યોજનાને કોમ્પેન્સેટરી મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી ફંડ્સ હેઠળ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે.
મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરાયો
પ્રવાસી મજૂરો વિશે નાણાપ્રધાને કહ્યું છે કે સરકારે પ્રવાસી મજૂરો માટે અનેક વ્યવસ્થા કરી છે. પ્રવાસી મજૂરો માટે મનરેગાના માધ્યમથતી તેમને સપોર્ટ કરવાની કોશિશ કરી છે. 13 મે, 2020 સુધી રાજ્યોમાં રૂ. 14.62 કરોડના કામકાજના દિવસ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રવાસી મજૂરો માટે મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માત્ર આ સપ્તાહે બુધવાર સુધી 1.87 લાખ ગ્રામ પંચાયતમાં 2.33 કરોડ કામ શોધવાવાળા લોકોને કામ આપવામાં આવ્યાં છે.
ખેડૂતોને રૂ. 30,000 કરોડની લોનની ફાળવણી
કેન્દ્ર સરકાર નાબાર્ડના માધ્યમથી વધારાની ઇમર્જન્સી કામકાજ માટેની મૂડી ફન્ડિંગ ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોને આ જોગવાઈ હેઠળ રૂ. 30,000 કરોડની વધુ લોન મળી શકશે. નાના અને સીમાંત ખેડૂતોની પાસે નાણાકીય સંસાધન ના હોવાને કારણે તેમને આ મદદ આપવામાં આવી રહી છે. ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્ક તેમના માટે ફંડનો સ્રોત છે. નાબાર્ડ રિફાઇનાન્સિંગ સપોર્ટને રૂરલ ઓ-ઓપરેટિવ બેન્ક અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક સુધી પહોંચાડવામાં મદદ કરશે. એ નાબાર્ડ દ્વારા નોર્મલ રિફાઇનાન્સિંગ રૂટના રૂપમાં રૂ. 90,000 કરોડની મદદ સિવાયના છે.