ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થતાં તેમનાં મોત થયાં છે. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં આશરે 16 મજૂરોનાં મોત થયાં હતાં. આ મૃતકોમાં મજૂરોનાં બાળકો પણ સામેલ છે. આ ઘટનામાં બે મજૂરો ઇજાગ્રસ્ત છે, જેમાં એક મજૂરની ગંભીર હાલત છે. આ દુર્ઘટના કરમાડ પોલીસ સ્ટેશન પાસેની છે.
અહેવાલ અનુસાર પ્રવાસી મજૂરો રેલના પાટા પર સૂતા હતા અને માલગાડી એમની પરથી પસાર થઈ ગઈ હતી. આ મજૂરો ઊંઘમાં હોવાને કારણે કોઈને પાટા પરથી ભાગવાની તક નહોતી મળી. આ ઘટના આજે સવારે 5.22 કલાકે બની હતી. પોલીસ અધિકારીઓ અને બચાવ કામદારો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ બધા મજૂરો એક સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા હતા. આ ઘટના બદનાપુર અને કરમાડની વચ્ચે થઈ હતી. આ બધા મજૂરો ઔરંગાબાદથી એમના વતન તરફ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત્રે થાકી જતાં તેઓ પાટા પર સૂઈ ગયા હતા. એમને એમ હતું કે હાલ ટ્રેનો બંધ છે તો પાટા પર સૂવામાં વાંધો નહીં આવે, પણ વહેલી સવારે એક માલગાડી અચાનક પસાર થતાં 16 મજૂરોનાં મોત થયાં હતાં.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુ કામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
નવી દિલ્હીઃ DTH યુઝર્સ માટે માઠા સમાચાર છે. દેશની બે મોટા DTH ઓપરેટર કંપની ટાટા સ્કાઈ અને એરટેલ ડિજિટલ ટીવીએ લોકડાઉનમાં ઓફર કરેલી ફ્રી સર્વિસિસ બંધ કરી દીધી છે. લોકડાઉનમાં યુઝર્સને કંટાળો ના આવે એટલે ટાટા સ્કાઈએ 10 ઇન્ટએક્ટિવ સર્વિસ (ચેનલ)ની શરૂઆત કરી હતી. આ સર્વિસિસ માટે યુઝર્સને કોઈ પણ ચાર્જ નહોતો ચૂકવવો પડતો. આવી જ રીતે એરટેલ પણ પોતાના યુઝર્સને વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ત્રણ સર્વિસ ઓફર કરી રહી હતી.
ટાટા સ્કાઈની આ ચેનલ ફ્રી હતી
કોરોના-લોકડાઉનની શરૂઆતમાં આ બંને ઓપરટર્સે કહ્યું હતું કે આ સર્વિસિઝ લોકડાઉન ખતમ થવા સુધી ઉપલબ્ધ રહેશે કંપનીએ લોકડાઉન દરમ્યાન યુઝર્સને ડાન્સ સ્ટુડિયો, ટાટા સ્કાઈ ફન લર્ન, સ્માર્ટ મેનેજર, વેદિક મેથ્સ, કુકિંગ ક્લાસરૂમ, બ્યુટી, જાવેદ અખ્તર અને ટાટા સ્કાઈ ફિટનેસ ચેનલ ફ્રીમાં ઓફર કરી રહી હતી. ટાટા સ્કાઈએ ફ્રી સર્વિસને ખતમ કરી રહી હોવાની સૂચના પોતાના યુઝર્સને આપવાની શરૂઆત કરી છે.
પ્રતિ મહિને રૂ. 60 ચૂકવવા પડશે
હવે આ ચેનલ્સ જોવા માટે યુઝર્સે પૈસા આપવા પડશે. ફિટનેસ અને ફન લર્ન માટે યુઝર્સે પ્રતિ મહિને રૂ. 60 ખર્ચ કરવો પડશે. બીજી બાજુ, વેદિક મેથ્સ અને સ્માર્ટ મેનેજર માટે કંપની દૈનિક ધોરણે રૂ. 10 ચાર્જ કરે એવી શક્યતા છે. આમાં એ યુઝર્સને રાહત આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેઓ દુકાનો બંધ હોવાને કારણે પોતાનું ટાટા સ્કાઈ એકાઉન્ટ રિચાર્જ નથી કરાવી શકતા.
એરટેલે આ ત્રણ ફ્રી સર્વિસને બંધ કરી
એરટેલે એપ્રિલના પહેલા સપ્તાહમાં ત્રણ ફ્રી સર્વિસિસની શરૂઆત કરી હતી. આમાં યુઝર્સે ત્રણ સર્વિસ ચેનલ-આપકી રસોઈ, એરટેલ સિનિયર્સ ટીવી અને લેટ્સ ડાન્સને ફ્રી એક્સેસ કરી હતી. જોકે કંપનીએ ચોથી મેએ આ સર્વિસ ચેનલ્સની ફ્રી એક્સેસને બંધ કરી દીધી હતી. એરટેલ પોતાની સિનિયર ટીવી સર્વિસ માટે રૂ. બે, આપકી રસોઈ માટે રોજના રૂ. 1.5 અને લેટ્સ ડાન્સ માટે પણ રૂ. 1.6 લેતી હતી.
અમદાવાદ: એક તરફ કોરોના વાઈરસના કેસ વધતા જાય છે. બીજી તરફ ગરમીનો પારો પણ સતત વધતો જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જરુરીયાત વાળા લોકોને ભોજન કરાવવાનું સેવાભાવી લોકો ચૂકતા નથી. અમદાવાદ શહેરમાં ઘણાં બધાં લોકો કોરોનાના આ કાળમાં લોકડાઉનની શરૂઆતથી જ શ્રમિકો અને જરૂરિયાત વાળા લોકોને સીધુ સામાન તેમજ ભોજન પુરુ પાડે છે.
શહેરના પશ્ચિમ વિસ્તારના ગોતા વૉર્ડ, એસ જી હાઈવે પર એક રેસ્ટોરાં-પાર્ટી પ્લોટમાં લોકડાઉનની શરૂઆત થી જ ૧૨૦૦ થી ૧૫૦૦ માણસો ને ભરપેટ જમાડવામાં આવે છે. ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવા ના આ સેવાયજ્ઞ ના એક સંચાલક દિનેશ ભાઈ દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે એસ જી હાઈવેને અડીને આવેલા ગોતા વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર પણ છે જેથી મોટી સંખ્યામાં શ્રમિકો વસે છે. કોરોના ના કારણે ઘણાં શ્રમિકો અને સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોની હાલત કફોડી થઈ ગઈ છે. જેથી આ લોકોને સારું અને તાજુ ભોજન આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
રાજકીય પક્ષો ના હજારો નેતા અને હોદ્દેદારોમાંથી ગણ્યા ગાંઠ્યા દિનેશભાઇ જેવા લોકો આ મહામારીમાં માનવતાની વહારે આવ્યા છે.
રાયગઢ (છત્તીસગઢ): આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની જીવલેણ ઘટના પછી છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગેસ ગળતની દુર્ઘટના બની છે. આ મિલમાં પણ ગેસ લીક થયો હતો, જેને કારણે ત્યાં કામ કરતા સાત મજૂર બીમાર પડી ગયા છે. રાયગઢ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બધા મજૂરોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા મજૂરો મિલમાં એક ટેન્કને સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ લીક થઈ ગયો અને એ લોકો ત્યાંથી નીકળવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
આ ઘટના આજે બપોરે બે કલાકે થઈ હતી. તેતલા ગામમાં શક્તિ પેપર મિલમાં આ બનાવ બન્યો હતો. મજૂરો એક ખુલ્લી ટાંકીની અંદર ઉતરી એને સાફ કરતા હતા ત્યારે ગેસ લીક થયો હતો. ખબર પડતાં જ બહાર રહેલા લોકોએ ત્યાંથી ભાગીને જીવ બચાવી લીધો હતો, પણ જે લોકો ટેન્કની અંદર હતા એ લોકો ફસાઈ ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. એ પછી કેટલાક લોકોએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘાયલોની હાલત જાણવા માટે રાયગઢના કલેક્ટર અને એસપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેઓ અસરગ્રસ્તોના પરિવારજનોને પણ મળ્યા હતા.
ત્રણ મજૂરની સ્થિતિ ગંભીર, ચાર જણ ભયમુક્ત
આ ઘટનામાં ત્રણ મજૂરોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ચાર મજૂરો ભયમુક્ત છે. પ્રારંભિક તપાસમાં ક્લોરિન ગેસ લીક થવાની વાત સામે આવી છે. પેપર મિલમાં ક્લોરિન ગેસનો ઉપયોગ ઇન્કની સફાઈ માટે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં આજે વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 11 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1000 જેટલા લોકો બીમાર પડી ગયા હતા. આરઆર વેંકટપુરમ ગામમાં એલ.જી. પોલીમર કંપનીના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટનામાં એક બાળક સહિત 11 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર કોરોના રોગચાળા માટે બીજિંગને દોષી ગણાવી રહ્યા છે. ટ્રમ્પે કોરોના વાઇરસને પર્લ હાર્બર અને 9/11ના હુમલા કરતાં પણ જીવલેણ હુમલો ગણાવ્યો છે અને આ માટે ટ્રમ્પને ચીન માટે ભારોભાર ગુસ્સો છે. હવે બેની લડાઈંમાં ત્રીજો ફાવે એ ન્યાયે ભારત ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને સ્થળાંતર કરવા માટે લલચાવી રહ્યું છે.
ભારતીય અધિકારીઓએ ઓળખ ના આપવાની શરતે કહ્યું છે કે ગયા એપ્રિલમાં ભારત સરકારે અમેરિકાની આશરે 1000 કંપનીઓને ચીનથી બહાર નીકળી ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી હતી. ભારતે આમાં એબોટ લેબોરેટરીઝ સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ટેક્સટાઇલ્સ, લેધર અને ઓટો પાર્ટ ઉત્પાદકોને સહિત 550 ઉત્પાદનોના ઉત્પાદકોને સંપૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે.
બધી સુવિધા આપવાનાં પ્રલોભનો
ભારતીય અધિકારીઓએ આ કંપનીઓને કહ્યું છે કે જમીન ઉપલબ્ધ કરવા સાથે સલામતી અને સસ્તી કુશળ મજૂરી આપવા બાબતમાં ભારત વધુ સક્ષમ છે. આમાં જો આ કંપનીઓ પરત અમેરિકા અથવા જાપાન જશે તો આ કંપનીઓને ચીન કરતાં એકદંરે મોંઘું પડશે.
જાપાન પણ ફેક્ટરીઓનું સ્થળાંતર કરશે
વિશ્વભરમાં કોરોના વાઇરસથી એક ચતુર્થાંસથી વધુ લોકોનાં મોત માટે ટ્રમ્પ ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેથી વોશિંગ્ટનના પગલાથી ચીન સાથેના વૈશ્વિક વેપારી સંબંધો વધુ ખરાબ થવાની સંભાવના છે. આ સાથે જાપાનની સરકારે પણ એના પડોશી દેશમાંથી ફેક્ટરીઓનું સ્થળાંતર કરવા માટે 2.2 અબજ ડોલર ફાળવ્યા છે.
બીજી બાજુ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો પણ ચીનથી થતા સપ્લાયની નિર્ભરતાને ઘટાડવાની યોજના ઘડી રહ્યા છે.
નવી દિલ્હી: શું વાત કરો છો સુપ્રીમ કોર્ટ અને એ પણ ફેસબુકની? હા તમે સાચું જ સાંભળ્યું છે, ફેસબુકે પોતાની સુપ્રીમ કોર્ટ બનાવી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વધી રહેલી વિવાદિત પૉસ્ટને કન્ટ્રૉલ કરવા માટે કંપનીએ આ પગલુ ભર્યુ છે.
ફેસબુકે એક ઓવર સાઇટબોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, આને ફેસુબુકની ‘સુપ્રીમ કોર્ટ’ માનવામાં આવે છે. આ બોર્ડમાં એક પૂર્વ વડાપ્રધાન, એક નૉબલ શાંતિ પુરસ્કાર વિજેતા, કેટલાક બંધારણીય કાયદાકીય વિશેષજ્ઞો અને તેમના પહેલા 20 સભ્યોના અધિકાર વકીલ સામેલ થશે, જે કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગના નિર્ણયમાં પણ ફેરફાર કરી શકવાની સત્તા ધરાવશે.
ફેસબુકનું ઓવરસાઇટ બોર્ડ એકદમ ‘સુપ્રીમ કોર્ટ’ની જેમ કામ કરશે, જેમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને હ્યૂમન રાઇટ્સના આધારે નિર્ણય લેવામાં આવશે. આ બોર્ડનો હેતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી ગંદકી (અશ્લીલ કે વિવાદિત પૉસ્ટ)ને હટાવીને એક સુંદર માહોલ બનાવવાનો છે. આ બોર્ડ બંને પ્લેટફોર્મ પર રહેલી પૉસ્ટ કે કન્ટેન્ટ પર ધ્યાન રાખશે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેવું કન્ટેન્ટ રહેશે અને કેવું નહીં એ વાતનો નિર્ણય પણ આ આ ઓવર સાઇટબોર્ડ જ કરશે. સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ, પૉસ્ટ, કોઇપણ પ્રૉફાઇલની સાથે સાથે એડ પર પણ આ બોર્ડ પોતાની નજર રાખશે. આ ઓવરસાઇટ બોર્ડમાં 20 ખાસ લોકોને નિયુક્ત કરવામાં આવશે. જે એવા કેસોનો નિકાલ કરશે જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થતા હોય. બોર્ડની પાસે વધુમાં વધુ 90 દિવસનો સમય હશે. જોકે બોર્ડ પોતાનો નિર્ણય જલ્દી પણ લઇ શકશે, પણ આ બોર્ડ સરકારની કોઇપણ પોલીસીમાં દખલગીરી નહીં કરી શકે. હાલ આ બોર્ડ ફેસબુક અને ઇન્ટાગ્રામ માટે જ કામ કરશે. ભવિષ્યમાં કંપની આ બોર્ડનો તેમના અન્ય પ્લેટફોર્મ માટે પણ ઉપયોગમાં લઈ શકે છે.
મુંબઈઃ મહાનગરમાં કોરોના વાઈરસની ઝપટમાં અનેક પોલીસ જવાનો પણ આવી ગયા છે. એક અહેવાલ મુજબ, આશરે 250 પોલીસ જવાનોનો કોરોના વાઈરસ તપાસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં 487 પોલીસ જવાનને કોરોના લાગુ પડ્યાનો અહેવાલ છે.
મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે કોવિડ-19 લક્ષણના કેસોની સંખ્યા ઘણી જ ઓછી છે અને એમાંથી એકેય જણ હોસ્પિટલમાં આઈસીયૂમાં નથી.
હાલમાં જ દક્ષિણ મુંબઈમાં જે.જે. હોસ્પિટલ માર્ગ પોલીસ સ્ટેશનમાં 12 પોલીસ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમાં છ અધિકારી હતા અને છ જવાન હતા.
તે ઉપરાંત અન્ય 6 અધિકારી તથા 48 પોલીસજવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ધારાવી અને શાહૂનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કોન્સ્ટેબલોને કોરોના થયાનું સમર્થન મળ્યું છે.
મુંબઈમાં ગયા એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 16,700થી વધુ લોકોને કોરોના ઝપટમાં લઈ ચૂક્યો છે અને 651 જેટલા લોકોના મરણ થઈ ચૂક્યા છે. જોકે મહારાષ્ટ્રમાં 3,094 જણ કોરોનાને હંફાવીને સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ લઈ ચૂક્યા છે.
મુંબઈમાં કુલ 93 પોલીસ સ્ટેશનો છે. એમાં સૌથી વધારે જે.જે. હોસ્પિટલ માર્ગ અને સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનના જવાનોને કોરોના થયો છે.
જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં કુલ 200 પોલીસો ફરજ બજાવે છે. એમાંના 27 જણને કોરોના થયો છે. આમાં 15 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 55 વર્ષથી ઉપરની વયના 33 પોલીસ જવાનોને રજા પર મોકલી દેવાયા છે.
સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 14 પોલીસ જવાનને કોરોના થયો છે. એમાં સાત અધિકારીઓ છે. આ બધાયને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલાં, સાંતાક્રૂઝ-ખારના વાકોલા પોલીસ સ્ટેશનના છ જવાનને કોરોના થયો હતો.
અમદાવાદ: કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યમંત્રીની અપીલને લઈને શહેરના ચાર ડોક્ટરો Covid-19 ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં જોડાયા. મહત્વનું છે કે, કોરોના સામેની આ લડાઈમાં ભાગીદાર થવા, આ સેવાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રીએ શહેરના ખાનગી તબીબોને પણ અપીલ કરી હતી.
આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટરો – ડો. તુષાર પટેલ, ડો. જીગર મહેતા, ડો. ગોપાલ રાવલ, અને ડો. અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવી ઉભી કરાયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.
સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ ‘કોવિડ હોસ્પિટલ’માં ફેરવવામાં આવી છે. દિવસે ને દિવસે વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આ ચાર તબીબો આ દર્દીઓની સારવારમાં જોડાયા છે.
સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે, ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યા છે. અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાંત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ ધરાયો છે.
સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘અહીં સર્વ શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓને સઘન સારવાર અપાય છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.
કે.ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેરના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે, એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે. તો ડોક્ટર તુષાર પટેલે કહ્યું કે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની અપીલના પગલે અમે સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. અમે અહીં મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે. અહીં તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને અહીંના ડોક્ટરો અને અમે સૌ સાથે મળીને કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરીશું.
ડોક્ટર ગોપાલ રાવલે જણાવ્યું કે અમારા માટે આ ઋણ ચૂકવવાની તક છે. દર્દીઓની સેવા એ અમારો મૂળ મંત્ર છે અહીંના તબીબો મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે જ સેવા આપી રહ્યા છે પરંતુ આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવાનું કામ કપરું હોઇ અમે પણ આ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે અને આ અમારી સેવા નિશુલ્ક રહેશે. અમે અહીં જ ભણ્યા છીએ અને અહીંના તબીબો અને અમે સૌ ભેગા મળીને સંયુક્ત પણે કોરોનાને હરાવીને જ જંપીશું.