Home Blog Page 4816

કોરોના વિરુદ્ધ આયુર્વેદઃ ભારતે શરૂ કરી ચિકિત્સકીય અજમાયશો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા એના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓના ઉપયોગની સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે અશ્વગંધા સહિત અન્ય આયુષ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી રહી છે, જેથી આ દવાઓ કોરોના સંક્રમણને અટકાવવામાં અથવા એના ઇલાજમાં કેટલી કારગત સાબિત થાય છે એ ચકાસી શકાશે.

આ ટ્રાયલ 1000 દર્દીઓ પર કરવામાં આવશે

આયુષ મંત્રાલય આયુર્વેદની ચાર દવાઓ દ્વારા કોરોના દર્દીઓ પર અજમાયશ શરૂ કરશે. બે દિવસમાં થનારી આ ટ્રાયલ 12 સપ્તાહની હશે અને 1000 દર્દીઓ પર તે કરવામાં આવશે. આ ટ્રાયલ આયુષ મંત્રાલય CSIRની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલય અને CSIRની સાથે મળીને ત્રણ પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.

ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ

તેમણે કહ્યું હતું કે ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી હી છે. બહુ મોટાં સેમ્પલ સાઇઝ પર અમે સ્ટડી કરી રહ્યા છીએ. આમાં સેમ્પલ સાઇઝ પાંચ લાખની છે. વડા પ્રધાન મોદીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા મુદ્દે આયુષ મંત્રાલયની દવા વિશે જે સલાહ આપી હતી એની અસરની ચકાસણી 50 લાખ લોકો પર કરી રહ્યા છે. ચાર આયુર્વેદ દવા છે – અશ્વગંધા, યષ્ટિમધુ, ગુડૂચી અને પિપ્પલી.

આરોગ્યપ્રધાને આ ટ્રાયલને ઐતિહાસિક ગણાવી

તેમણે કહ્યું હતું કે આ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આરોગ્ય કર્મચારીઓ તથા એ લોકો પર કરવામાં આવી રહી છે, જેઓ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હોય અથવા અન્ય કારણોથી સંક્રમણનો ખતરો સૌથી અધિક ઝળૂંબતો હોય. આ પગલાને ઐતિહાસિક ગણાવતાં તેમણે કહ્યું હતું કે CSIR, ICMRના ટેક્નિકલ સહયોગથી એની ટ્રાયલ કરવામાં આવી રહી છે અને આયુર્વેદિક દવાઓની શ્રેષ્ઠતા આધુનિક તરીકે સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ દવાઓની ટ્રાયલ

આરોગ્યપ્રધાને કહ્યું છે કે જે રીતે આ વાઇરસ સામે આખા વિશ્વમાં લડાઈ ચાલી રહી છે. એની વચ્ચે દેશમાં ઐતિહાસિક કામ શરૂ કરાયું છે. આ ચિકિત્સકીય અજમાયશો દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ દવાઓની શું ભૂમિકા છે અથવા આ દવાઓનું કોવિડ-19 બીમારી સામે લડવામાં શું યોગદાન થઈ શકે છે.

લોકડાઉનમાં છૂટછાટો આપવા સામે WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દુનિયામાં અનેક દેશોએ લોકડાઉન કે તાળાબંધી લાગુ કરી છે. ભારત પણ એવા દેશોમાં સામેલ છે. ભારતમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ છે.

હવે આ લોકડાઉન ઉઠાવી લેવા માટે ઘણા દેશોનાં લોકો ઉતાવળા થયા છે. અમુક દેશોમાં લોકડાઉન નિયમોમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે.

પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દુનિયાના દેશોને ચેતવ્યા છે. એણે કહ્યું છે કે કોરોના વાઈરસને દુનિયાના દેશોની સરકારો હળવાશથી ન લે. જરાસરખી લાપરવાહી પણ એ દેશોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પાડશે એવું બની શકે છે.

ભારતમાં શરાબના વેચાણની પરવાનગી આપતાં ઠેર ઠેર શરાબ ખરીદનારાઓની લાંબી લાઈનો લાગી રહી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની ઐસીતૈસી કરી દેવામાં આવી છે.

WHOના વડા ડો. ટેડ્રોસે કહ્યું છે કે લોકડાઉન પાછું ફરવાનું જોખમ વાસ્તવિક છે એ દેશોએ સમજી લે. જો કોઈ દેશ સતર્ક નહીં રહે અને લોકડાઉન મામલે તબક્કાવાર કામ નહીં કરે તો કોરોના બીમારી પાછી ફરવાનો ખતરો રહેશે.

ભારત સહિત કેટલાક દેશોએ અર્થતંત્રની ચિંતાને કારણે કેટલીક બિન-આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ-ખરીદીમાં છૂટછાટ આપી છે.

દુનિયાભરમાં કોરોનાનાં 38 લાખથી વધારે કેસો નોંધાયા છે અને અઢી લાખથી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. રોજ પાંચેક હજાર જેટલા લોકો મૃત્યુ પામે છે. તેથી લોકડાઉનને જો ઉતાવળે ઉઠાવી લેવામાં આવશે તો કોરોનાને કારણે મરણાંક ઝડપથી વધી શકે છે.

જ્યાં કોરોના કેસોની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં લાંબો સમય સુધી લોકડાઉન રખાયા બાદ હવે ત્યાં જિંદગી ફરી પાટે ચડી શકી છે.

ભારતમાં કોરોનાનાં નવા 3561 કેસો નોંધાયા; 89 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં લોકકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 52,000ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 52,952 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી 1783થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3561 કેસો નોંધાયા હતા, જ્યારે 89 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 28.83 ટકા છે. અત્યાર સુધી કુલ 15,267 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એવી માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે. પાછલા ત્રણ દિવસમાં કોરોનાના 10,000 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસો

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 16,758 કેસો નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,000ને પાર થઈ ચૂકી છે. મુંબઈમાં આ વાઇરસના 10,714 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 6,200થી વધુ કેસ છે. એ પછી દિલ્હીનો નંબર છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 5,000થી વધુ છે. દિલ્હી પછી તામિલનાડુમાં 4000થી કોરોના સંક્રમિતોના કેસ છે.

દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ આ મુજબ રહી હતી.

 

 

 

 

 

 

ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યોઃમોદી

નવી દિલ્હીઃ વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન બુદ્ધનું વચન છે કે – मनो पुब्बं-गमा धम्मा, मनोसेट्ठा मनोमया, यानि, धम्म मन से ही होता है, मन ही प्रधान है. આમ  વડા પ્રધાન મોદીએ કહ્યું હતું  કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હતાશા અને નિરાશાના સમયમાં ભગવન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક છે. દુનિયા મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે અને આવા સમયમાં બુદ્ધના સંદેશથી પ્રેરણા લઇને ભારત દુનિયાની મદદ કરી રહ્યું છે.

કોરોના વોરિયર્સ એટલે કે હેલ્થકેર વર્કર્સ વિશે મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં કોરોના મહામારી સામે આ લોકો લડી રહ્યા છે, જેની હું પ્રશંસા કરું છું. તેઓ આ મુશ્કેલ સમયમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે, જે સરાહનીય છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વના દેશો સાથે ઊભો છે. આપણે આપણી સાથે-સાથે આપણા પરિવારની સુરક્ષા કરવી પડશે. આ સંકટના સમયે દરેકની મદદ કરવી જ બધાનો ધર્મ છે. આપણું કામ નિરંતર સેવા ભાવ હોવું જોઈએ. બીજા માટે કરુણા રાખવી જરૂરી છે. આજે વિશ્વમાં ઊથલપાથલ છે. ત્યારે બુદ્ધનો સંદેશ જરૂરી છે.

બુદ્ધ માત્ર એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર કહ્યું હતું કે બુદ્ધ કોઇ એક પરિસ્થિતિ સુધી સીમિત નથી. બુદ્ધ માત્ર એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર પણ છે, માનવતાનું માર્ગદર્શન કરે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યા છે. બુદ્ધ સેવાનો પર્યાય છે. બુદ્ધ એ છે જે જાતે તપીને, ખપીને પોતાને ન્યોછાવર કરીને આખી દુનિયામાં આનંદ ફેલાવા માટે આવે.

આપણે આપણી આજુબાજુ એવા અનેકો લોકોને જોઇ રહ્યા છીએ જે બીજાની સેવા માટે, કોઇ દર્દીની સારવાર માટે, કોઇ ગરીબને ભોજન કરવા માટે, કોઇ હોસ્પિટલમાં સફાઇ માટે, કોઇ રસ્તા પર કાયદા-વ્યવસ્થા બનાવી રાખવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. ભારતમાં ભારતની બહાર આવા દરેક વ્યક્તિ અભિનંદનના પાત્ર છે.

કોરોના સામેની લડાઈમાં દેશમાં ફ્રન્ટલાઇનર યોદ્ધાઓના મનોબળને ટકાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં ત્રણે સેનાઓએ એકસાથે કોરોના સામેના જંગમાં લડનારા4 યોદ્ધાઓને અનોખી રીતે સલામી આપી હતી. એરફોર્સના લડાકુ વિમાનોએ દેશમાં ચારે દિશાઓથી કોરોના હોસ્પિટલો પર ફૂલો વરસાવ્યાં હતાં.

 

 

અમદાવાદમાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન શરૂ

અમદાવાદઃ આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. જેથી વહેલી સવારથી જ અમદાવાદીઓએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના મોટા ભાગના  રસ્તાઓ પર એકલદોકલ વ્યક્તિ જ નીકળી રહી છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાતાં મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 15 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશકુમારે અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે.  આ ઉપરાંત રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આ સંદર્ભે પોલીસે કડક હાથે અમલ કરાવવાનું શરૂ કર્યું છે.શહેરના કેટલાક વિસ્તારોમાં કરિયાણાની દુકાનો ખૂલી હતી, જેને પોલીસે બંધ કરાવી છે.

પેરૈ મિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તહેનાત

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવામાં આવી છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લાબંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ

શહેરમાં 15 મે સુધી ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવશે આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે. ગઈ કાલે આવેલા આ આદેશને પગલે શહેરમાં શાકભાજી અને અનાજ લેવા માટે લાંબી લાંબી લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા રસ્તા પર ઉતરી આવ્યાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોનાં ટોળેટોળાં વળ્યાં હતાં.. અમદાવાદના નારણપુરા, જોધપુર, સરખેજ વગેરે વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં હતાં.

અન્ય વિસ્તારોમાં પણ અફાતફરી

ઘાટલોડિયા, સેટેલાઇટ, સરદાર નગર, સાયન્સ સિટી રોડ, બાપુનગર, નારણપુરા, વેજલપુર, જોધપુર ગામ, સરખેજ વગેરે જેવા વિસ્તારોમાં લોકોએ રીતસર કરિયાણું લેવા માટે દોટ કાઢી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરનામાનો ભંગ કરી પડાપડી કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા છે.

Chitralekha Gujarati – May 18, 2020

PDF Version

રાશિ ભવિષ્ય 07/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 07/05/2020

સુવિચાર – ૭ મે, ૨૦૨૦

સુવિચાર – ૭ મે, ૨૦૨૦

મુંબઈમાં જરૂરિયાતમંદોની મદદે સુપરસ્ટાર સલમાન ખાન…

કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા લોકડાઉનને કારણે અસંખ્ય ગરીબ, જરૂરિયાતમંદ, બેઘર લોકો મુસીબતમાં મૂકાઈ ગયા છે. એમને મદદરૂપ થવા માટે બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં નવી પહેલ શરૂ કરી છે – ‘બીઈંગ હંગ્રી’. આ એક હરતીફરતી ફૂડ ટ્રક છે જે એવા લોકોને મફતમાં જમવાનું પૂરું પાડે છે. આ ટ્રક મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને ત્યાંના જરૂરિયાતમંદોને જમવાનું પૂરું પાડે છે.