Home Blog Page 4826

ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે વાજબી ગણાવ્યો છે અને કહ્યું કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાના અધિકારના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે મેલી રમત રમાતી હતી.

પ્રસાદે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સુવિધાના મામલે નિયમિત સ્તરે સમીક્ષા કરવામાં આવશે.

પ્રસાદે ગઈ કાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું.

એમણે એમ પણ કહ્યું કે ઈન્ટરનેટ ઉપયોગને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવા માટે બંધારણમાં સુધારો કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.

ગઈ 10 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જમ્મુ અને કશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાના તેના આદેશોની તે સમીક્ષા કરે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદી, વાણીસ્વાતંત્ર્ય તથા ઈન્ટરનેટ પર કાર્ય કરવું એ નાગરિકના મૂળભૂત અધિકારો દર્શાવતી બંધારણની 19મી કલમનો એક હિસ્સો છે. જો કે એમાં વાજબી રીતે નિયંત્રણો લાગુ કરી શકાય છે.

આ મુદ્દાનો પુનરોચ્ચાર કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઈન્ટરનેટના ઉપયોગના અધિકારને મૂળભૂત અધિકાર ગણવાની ખોટી માન્યતા સ્પષ્ટ થવી જોઈએ.

પ્રસાદે પોતાની દલીલમાં કહ્યું કે, ઈન્ટરનેટના ઉપયોગનો અધિકાર મહત્ત્વનો છે એ ખરું, પરંતુ દેશની સલામતી પણ એટલી જ મહત્ત્વની હોય છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. શું આપણે એ વાત નકારી શકીએ એમ છીએ કે ઈન્ટરનેટ, જે માનવ મનનું ઉત્તમ સર્જન છે, એનો ત્રાસવાદીઓ દુરુપયોગ કરતા નથી? એવી જ રીતે, સમાજવિરોધી તત્ત્વો ખોટા સમાચાર ફેલાવીને કોમી હિંસા ભડકાવતા હોય છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરે કે ઈન્ટરનેટનો ઉપયોગ હિંસા અને ત્રાસવાદનો ફેલાવો કરવા માટે કરાય છે અને પાકિસ્તાન કશ્મીરમાં એ જ કરતું આવ્યું છે. ત્રાસવાદી જૂથ ISIS ઈન્ટરનેટના ઉપયોગને કારણે જ વૃદ્ધિ પામ્યું હતું.

પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે દેશનું બંધારણ નાગરિકોને અધિકારો પૂરા પાડે છે, પરંતુ એના નિયમોના પાલનની પણ એટલી જ જરૂર હોય છે. તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી છો, પણ તમે હિંસાનું નિર્માણ કરી ન શકો, દેશની એકતા, અખંડતા અને સલામતીને નબળી પાડી ન શકો.

ઇતિહાસમાં આ નવ વર્ષ વિશ્વને બદલનારા સાબિત થયાં

આમ  તો ઇતિહાસમાં દરેક વર્ષ મહત્ત્વનું હોય છે, પણ કેટલાંક વર્ષ એવાં હોય છે, જે ઇતિહાસને નવી ઓળખ આપે છે, અમીટ છાપ છોડી જાય છે. એ વર્ષોમાં કંઈક એવી ઘટના બને છે વિશ્વ પૂરેપૂરું ના બદલાય તો કંઈ નહીં, પણ કમસે કમ મોટી છાપ છોડી જાય છે. ઇતિહાસનાં આવાં કેટલાંક વર્ષ છે, 2001, 1990, 1918, 1962, 1953 1789, 1905, 1945 અને 1979. આ વર્ષોમાં કઈ એવી મહત્ત્વની ઘટના બની. ચાલો જાણીએ…

વર્ષ 1789

આ વર્ષ ફ્રાંસિસી ક્રાંન્તિનું વર્ષ છે. એ આધુનિક લોકતંત્રનું વર્ષ હતું. જાન્યુઆરી, 1789માં જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને એ વર્ષે એપ્રિલમાં શપથ લીધા હતા.

વર્ષ 1905

વર્ષ 1905ને નામે આઇન્સ્ટાઇનનો મોટો વૈજ્ઞાનિક ખુલાસો સામે આવ્યો હતો. એ વર્ષે આલ્બર્ટે રિલેટિવિટીની સ્પેશિયલ થિયરી આપી હતી. આઇન્સ્ટાઇન પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સાબિત કર્યું હતું કે ફિઝિક્સના નિયમ હંમેશાં સાચા નથી હોતા. 1905માં રશિયામાં પહેલી ક્રાંતિ થઈ હતી.

વર્ષ 1918

આ વર્ષ જર્મન, ઓસ્ટ્રો-હંગેરી, ઓટોમન અને રશિયાના સામ્રાજ્યનું પતનનું વર્ષ હતું. ત્યાર બાદ આધુનિક યુગનો પ્રારંભ થયો. 1918ની સૌથી મોટી ઘટના સ્પેનિશ ફ્લુ હતી. વિશ્વની આશે એક તૃતીયાંસ વસતિ એ ફ્લુનો શિકાર થઈ હતી, જેમાં પાંચ કરોડથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

વર્ષ 1945

આ વર્ષને વિનાશનું વર્ષ કહેવાશે તો કંઈ ખોટું નહીં હોય, કેમ કે એ વર્ષે પહેલી વાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યું. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર બોમ્બમારો કર્યો હતો.

વર્ષ 1953

બીજા વિશ્વ યુદ્ધ પછી આ વર્ષ પરિવર્તનનો દોર લઈને આવ્યું. 1953માં જ અમેરિકાના સમર્થનથી ઇરાનના વડા પ્રધાન મોહમ્મદ મુસદ્દિકનું તખતાપલટ થયું. આ ઘટનાનો મધ્ય-પૂર્વના દેસો પર ભારે પ્રભાવ પડ્યો હતો અને એ જ ઘટના હાલની સ્થિતિ માટે પણ દવાબદાર છે. એ વર્ષે એક મોટી વૈજ્ઞાનિક સફળતા પ્રાપ્ત થઈ હતી. એ વર્ષે માલૂમ પડ્યું હતું કે ડીએનએની સંરચના ડબલ હેલિક્સ જેવી હોય છે.

વર્ષ 1962

વર્ષ 1962ને ક્યુબા મિસાઇલ સંકટ માટે પણ યાદ કરવામાં આવે છે. એ તો કોઈક રીતે સંકટ ટળી ગયું, નહીં તો વિશ્વના બીજા વિશ્વયુદ્ધ પછી એનાથી પણ મોટી વિનાશકતાનો સમાનો કરવો પડત.

વર્ષ 1979

આ વર્ષે અફઘાનિસ્તા પર સોવિયેત હુમલાની સાથે વિશ્વમાં ઇસ્લામી આતંકવાદીના નવા રૂપને જન્મ આપવા માટે ઓળખવામાં આવે છે. યુએસએસઆરને હરાવવા માટે સાઉદી આરબ અને અમેરિકાના ઇસ્લામી ચરમપંથીઓની મદદથી ઇસ્લામી આતંકવાદનો નવો અધ્યાય શરૂ થયો.

વર્ષ 1990

આ વર્ષે જર્મનીનું એકીકરણ અને સોવિયેત રશિયાનું વિઘટન થયું હતું, પણ સૌથી મોટી ઘટના સામ્યવાદી એટલે કે કોમ્યુનિઝમનું પતન હતું. વિશ્વના કેટલાક ભાગોમાં દાયકાઓ સુધી સામ્યવાદી પ્રયોગના પતનની શરૂઆત થઈ. જોકે આમ તો આ વર્ષે ખાડીયુદ્ધ પણ થયું હતું.

વર્ષ 2001

વર્ષ 2001ની મુખ્ય ઘટના તો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો હતી. આ વર્ષે વિશ્વમાં આર્થિક મંદી પણ આવી હતી. આ વર્ષની એક સૌથી મોટી ઘટનાનો વિજ્ઞાનથી સીધો સંબંધ છે. જીનની આપણા શરીરમાં મહત્ત્વની ભૂમિકા છે. કોઈક સેલમાં જેનેટિક ઇન્ફોર્મેશનથી સંબંધિત જીનોમના વર્કિંગ ડ્રાફ્ટને આ વર્ષે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આનાથી માનવ શરીર અને એના વિકાસ વિશે આપણી સમજ બદલાઈ ગઈ.

BSE SME પ્લેટફોર્મ પર 316મી કંપની જાનુસ કોર્પોરેશન લિસ્ટ થઈ  

મુંબઈ તા.6 ફેબ્રુઆરી, 2020ઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 6 ફેબ્રુઆરી, 2020ના રોજ 316મી કંપની જાનુસ કોર્પોરેશન લિ. લિસ્ટ થઈ હતી. જાનુસ કોર્પોરેશન લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 15,99,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.799.50 લાખનો પબ્લિક ઈશ્યુ 30 જાન્યુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.50ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.

જાનુસ કોર્પોરેશન લિ. મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. કંપની મુખ્યત્વે કન્ટ્રક્શન, ઈરેક્શન, મીડિયા, ટ્રેડિંગ અને કન્સલ્ટિંગ બિઝનેસ કરે છે. કંપની સિવિલ કન્સ્ટ્રક્શન, લેન્ડ એન્ડ સાઈટ ડેવલપમેન્ટ, લેન્ડ ફાઈલિંગ, ફેન્સિંગ વોલ્સ, ઈરેક્શન ઓફ હોર્ડિંગ્સના બિઝનેસમાં કામ કરે છે અને તેની સાથે સિમેન્ટ્સ, આયર્ન એન્ડ સ્ટીલ, સેન્ડ, સોઈલ, એલ્યુમિનિયમ સંબંધિત મટિરિયલ્સના વિવિધ ચીજોનું ટ્રેડિંગ કરે છે. વિવિધ ગ્રાહકોને પ્રોજેક્ટ્સ અને કન્સ્ટ્રક્શન સંબંધિત સલાહ પૂરી પાડે છે. આ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં સાઈટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન સુપરવિઝન એન્ડ મેનેજમેન્ટ, સેફ્ટી મેનેજમેન્ટ, સેફ્ટી ઓડિટ્સ, સેફ્ટી સિસ્ટમ એન્ડ પ્રોસેસ અને અન્ય કામકાજ ઉપરાંત સેફ્ટી ડોક્યુમેન્ટેશનનો સમાવેશ થાય છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 316 કંપનીઓએ 6 ફેબ્રુઆરી, 2020 સુધીમાં રૂ.3289.94 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.18,240.26 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 59.77 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

Chitralekha Marathi – February 17, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

આ છે અંડર 19 ટીમના ખેલાડીઓની રસપ્રદ સંઘર્ષ ગાથા…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના અંડર 19 ટીમના ખેલાડીઓના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પર આજે નજર નાખવી છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહી શકાય તેવા આ અંડર-19 ના પ્લેયર્સ, જેમાં કોઈના પિતા ડ્રાઈવર છે, કોઈ ભૂતકાળમાં મજૂરી કરતા હતા અને કોઈકની પાસે બે ટંક સારુ જમવાના પૈસા પણ નથી. ક્રિકેટના મેદાન પર કલાકો સુધી પરસેવો પાડ્યા બાદ જ્યારે તે આવે ત્યારે, મારી પાસે તેને જ્યૂસ પીવડાવવાના અથવા તો તેને સારુ જમાડવાના પૈસા નહોતા પરંતુ તે સામાન્ય ભોજનથી જ ખુશ થઈ જતો હતો. અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ તે છપ્પન પ્રકારના પકવાન નહી પરંતુ આ જ માંગશે. આ શબ્દો છે, દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ સુધીની યાત્રામાં ટીમના સ્ટાર રહેલા અથર્વ અંકોલેકરની માં વૈદીહીની.

આ પ્રકારની સ્ટોરી માત્ર અથર્વની નથી પરંતુ વિશ્વ વિજેતા બનવાના છેલ્લા પગથિયા પર પહોંચેલી ભારતની અંડર-19 ટીમના ઘણા સ્ટાર પ્લેયર્સની છે કે જેઓ તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે.

વૈદેહીએ પતિના મૃત્યુ બાદ મુંબઈની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને પોતાના દિકરા અથર્વને ક્રિકેટના મેદાન પર મોકલ્યો, જ્યારે કેપ્ટન પ્રિયમ ગર્ગના પિતા સ્કૂલ વાન ચલાવતા હતા. પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઈનલમાં સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલ પોતે પાણીપુરી વેચતા હતા. જિંદગીએ આ જાંબાઝોની પગલે-પગલે પરિક્ષા લીધી અને આ લોકો પોતાના જીવનમાં આવેલી તમામ પરિક્ષાઓ નિડરતાથી પાર કરીને, તનતોડ મહેનત અને પરિવારના સમર્પણ અને બલિદાનના પરિણામે વિશ્વ વિજેતાથી માત્ર એક સ્ટેપ દૂર જેટલે સુધી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના ભદોહીથી ક્રિકેટમાં નામ કમાનારા અને મુંબઈ આવેલા યશસ્વી હવે “ગોલગપ્પા બોય” ના નામથી ઓળખ બની ગઈ છે. પોતાનું ઘર છોડીને આવેલા યશસ્વી પાસે ન તો રહેવાની જગ્યા હતી અને ન તો બે ટંકના ભોજનના ઠેકાણા હતા. સંઘર્ષના સમયમાં રાત્રે પાણીપુરી વેચીને દિવસે ક્રિકેટ રમનારા યશસ્વીએ એ વાત સાબિત કરી બતાવી છે કે, જ્યાં કંઈક પામવાની ખેવના હોય છે ત્યાં રસ્તાઓ ખૂલતા જાય છે.

તેમના કોચ જ્વાલા સિંહે તેમને પોતાની છત્રછાયામાં લીધા અને અહીંયાથી જ શરુ થઈ સફળતાની એક સ્ટોરી. અત્યારસુધી અંડર-19 વર્લ્ડ કરમાં રમવામાં આવેલી પાંચ મેચમાં તેમણે પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 105 રન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન, ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અણનમ 57 રન, જાપાન વિરુદ્ધ અણનમ 29 અને શ્રીલંકા વિરુદ્ધ 59 રન બનાવ્યા હતા.

મેરઠની નજીક કિલા પરીક્ષિત ગઢના રહેવાસી કેપ્ટન પ્રિયમ ગર્ગના માથેથી માતાની છત્રછાયા બાળપણમાં જ જતી રહી હતી. ત્રણ બહેનો અને બે ભાઈઓના પરિવારને તેમના પિતા નરેશ ગર્ગે સંભાળ્યા, જેમણે દૂધ, પેપર વેચ્યા અને બાદમાં સ્કૂલ વેન ચલાવીને પોતાના દિકરાના સ્વપ્નાઓને પૂરા કર્યા.

ગર્ગના કોચ સંજય રસ્તોગીએ જણાવ્યું કે, પ્રિયમે પોતાના પિતાના સંઘર્ષને જોયો કે જેઓ આટલે દૂર તેને લઈને આવતા હતા. આ જ કારણ છે કે તે ઈમાનદારીથી કંઈક બનવા માટે રમે છે. આ ભવિષ્યમાં એક મોટો પ્લેયર બનશે કારણ કે તેનામાં આ પ્રકારના ગુણો છે. પ્રિયમના પિતાએ પોતાના મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને પ્રિયમ માટે ક્યારે ક્રિકેટ કિટ અને કોચિંગની વ્યવસ્થા કરી હતી અને તેની મહેનત રંગ લાવી જ્યારે તે 2018 માં રણજીમાં સીલેક્ટ થયો.

શ્રીલંકામાં ગત વર્ષે એશિયા કપ ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારા અથર્વએ નવ વર્ષની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. સાસુ, નણંદ અને બે દિકરાની જવાબદારી તેમની માતા વૈદેહી પર આવી પડી. વૈદેહીએ પોતાના પતિની જગ્યાએ મુંબઈમાં ઈલેકટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને અથર્વને ક્રિકેટર બનાવ્યો.

વૈદેહીએ કહ્યું કે, અથર્વના પિતાનું સ્વપ્ન હતું કે તે ક્રિકેટર બને અને તેમના નિધન બાદ મેં તેમનું સ્વપ્ન સાકાર કરવામાં મારા દિકરાને ખૂબ મદદ કરી. તેઓ હંમેશા નાઈટ શિફ્ટ કરતા હતા કે જેથી દિવસે પોતાના દિકરાને પ્રેક્ટિસ કરાવી શકે. પરંતુ દિકરાની સફળતા જોવા માટે તેના પિતા ન રહ્યા. પોતાના સંઘર્ષના સમયને યાદ તેમણે જણાવ્યું કે, તે ખૂબ અઘરો સમય હતો. હું તેને મેદાન પર લઈ જતી પરંતુ બીજા બાળકો અભ્યાસ બાદ જ્યૂસ પીતા અથવા સારુ જમતા પરંતુ તે હું તેને ન ક્યારેય ન આપી શકી. તેમણે કહ્યું કે, અથર્વના મિત્રોના માતા પિતા અને તેના કોચોએ તેની ખૂબ મદદ કરી.

એશિયા કપ જીત્યા બાદ માએ પોતાના દિકરાને કોઈ ભેટ ન આપી પરંતુ તેના માટે તેને ભાવતું એક સુંદર પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. તેમણે કહ્યું કે, હવે અમારી સ્થિતિ પહેલા કરતા સારી છે, પરંતુ અમારો ખરાબ સમય, હજી અમને યાદ છે. આજે પણ ખુશીના સમયમાં તેને છપ્પન ભોગ નહી પરંતુ એ જ ભોજન પસંદ છે કે જે ખાઈને તે મોટો થયો છે. મોટાભાગે અથર્વની મેચના દિવસે વૈદેહીની ડ્યૂટી હોય છે પરંતુ હવે જ્યારે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારના રોજ છે તો તે આખી મેચ જોશે અને પોતાના દીકરાને મન ભરીને નિહાળશે.

નૌસેનાની તાકાત વધારવા આવી રહી છે સ્વદેશી હાઈટેક ક્રૂઝ મિસાઈલ

લખનૌ: નેવીમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી ક્ષમતા અને સમુદ્ર ખતરાને જોતા ભારત પણ તેની તાકત વધારવા માટે નવી હાઈટેક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. લગભગ એક હજાર કિલોમીટર સુધીની દરિયાઈ સપાટી પરથી જમીન સ્તર પર હુમલો કરવામાં સક્ષમ આ ક્રૂઝ મિસાઈલને બ્રહ્મોસના લોન્ચર વડે છોડી શકાશે. આ મિસાઈલની રેન્જ સમગ્ર પાકિસ્તાન અને ભારતની સરહદ સાથે જોડાયેલા ચીનના મુખ્ય વિસ્તારોને આવરી લે એટલી છે. આ મિસાઈલ સબસોનિક સ્પીડથી ઉડાન ભરવામાં સક્ષમ છે.

ઓનમનોરમાના રિપોર્ટ અનુસાર બ્રહ્મોસના લોન્ચરને અત્યાર સુધીમાં 30 જંગી જહાજોમાં લગાવવામાં આવ્યું છે અને આ નવી મિસાઈલને પણ એ લોન્ચર વડે છોડી શકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેવીએ આ પ્રકારની શક્તિશાળી મિસાઈલની માંગ કરી હતી જેને પગલે હવે ડીઆરડીઓ આ મિસાઈલનું નિર્માણ કરી રહ્યું છે. આગામી બે મહિનામાં આ પ્રોજેક્ટની મંજૂરી મળી શકે છે અને વર્ષ 2023ની શરુઆતમાં આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.

હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે

આ મિસાઈલના નિર્માણનું કામ ડીઆરડીઓની બેંગ્લુરુ સ્થિત લેબને સોંપવામાં આવ્યું છે. આ જ લેબોરેટરીમાં ભારતની પ્રથમ સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું પણ નિર્માણ કર્યું હતું. લખનૌમાં આયોજીત ડિફેન્સ એક્સપોમાં સરંક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, આ હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે અને આ મિસાઈલને સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનીકથી બનાવવામાં આવશે. આ મિસાઈલ ઓછી ઉંચાઈ પર ઉડતા દુશ્મનો પર પ્રહાર કરવામાં સક્ષમ છે.

બુધવારે ડીઆરડીઓના એક્સપોમાં પહોંચેલા નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે ઈચ્છા વ્યક્ત કરી કે આ નવી મિસાઈલનું શક્ય તેટલી ઝડપે પરિક્ષણ કરીને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત આ મિસાઈલનું ટ્રાયલ પૂર્ણ થઈ જશે તો નેવી તેના નિર્માણનો આર્ડર આપશે. 200 મિસાઈલો ખરીદવા પર નેવીને અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ મિસાઈલો શોર્ટ ટર્બો ફેન એન્જિનની મદદથી ચાલશે.

આ મિસાઈલમાં સ્વદેશમાં નિર્મિત સીકર લગાવવામાં આવશે. આ મિસાઇલનું એર વર્ઝન અને સબમરીન વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. મિસાઈલ કાર્યરત થયા પછી નૌસેના એક હજાર કિલોમીટરના અંતરેથી દુશ્મન પર હુમલો કરી શકશે. આ મિસાઇલ ખૂબ ઓછી ઉંચાઇથી ઉડાન ભરશે, તેથી રડાર પકડવાની શક્યતા ઓછી રહેશે.

ડિફેન્સ પેન્શનના ખર્ચમાં તોતિંગ વધારોઃ સંરક્ષણ બજેટના 28 ટકા

નવી દિલ્હીઃ સરકારે 2015માં વન રેન્ક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેથી સેનાના કર્મચારીઓને મળનારા પેન્શનના બજેટમાં રૂ. 8600 કરોડનો વધારો થયો હતો. એ પછી વર્ષ 2017માં સરકારે જ્યારે સાતમા પગાર પંચની ભલામણોને લાગુ કરી ત્યારે એમાં ઓર વધારો થયો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના પેન્શન માટે રૂ. 1,33,825 કરોડની તોતિંગ ફાળવણી કરવામા આવી છે. સંરક્ષણ કર્મચારીઓના પેન્શનની રકમ છેલ્લાં 15 વર્ષોમાં 10.5 ગણી ઝડપથી વધતી અહીં સુધી પહોંચી છે. વર્ષ 2005-06માં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરતા કર્મચારીના પેન્શન માટે રૂ. 12,715 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

સરકારના કુલ ખર્ચના 4.4 ટકા પેન્શનમાં

સંરક્ષણ કર્મચારીઓના પેન્શન માટે ફાળવવામાં આવેલી રકમ રૂ. 1,33,825 કરોડ કેન્દ્ર સરકારના 4.4 ટકા જેટલી થાય છે. આટલું જ નહીં, એ સંરક્ષણ બજેટના 28 ટકા હિસ્સો થાય છે.

પેન્શનથી ઓછો ખર્ચ આધુનિકીકરણ કરવા માટે

સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવતા મૂડી ખર્ચ કરતાં પણ એ રૂ. 15,291 કરોડથી અધિક છે. મંત્રાલય દ્વારા કરવામાં આવતાં મૂડી ખર્ચનો મોટો હિસ્સો સશસ્ત્ર દળોના આધુનિકીકરણ પર ખર્ચ થાય છે. એ તો સ્પષ્ટ છે કે સરકાર પગાર અને પેન્શન પર જેટલો વધુ ખર્ચ કરશે, એનાથી ઓછો સેનાના આધુનિકીકરણ પર ખર્ચ કરશે.

મનરેગા, હેલ્થ અને એજ્યુકેશનના બજેટ પેન્શનથી પણ ઓછાં

સરકાર દ્વારા મનરેગા માટે ફાળવવામાં આવેલા રૂ. 61,500 કરોડની રકમ ડિફેન્સ પેન્શનના 46 ટકા બરાબર છે. આ સિવાય સરકારે પીએમની ફ્લેગશિપ યોજના સ્વચ્છ ભારત યોજના માટે રૂ. 12,300 કરોડ ફાળવ્યા છે. આ પ્રકારે સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ અને હેલ્થ માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ કરી છે.

 

 

 

રાશિ ભવિષ્ય 07/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.