Home Blog Page 4830

કોવિડ હોસ્પિટલમાં વોર્ડની બહાર ચાદરોના રંગ દર્શાવતા બોર્ડ કેમ?

અમદાવાદ: સામાન્ય રીતે આપણા ઘરોમાં બેડ પરની બેડશીટ અઠવાડિયે કે પંદર દિવસે બદલાતી હશે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફક્ત કોરોના માટેની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની બેડશીટ દર રોજ બદલાય છે. ન માત્ર રોજ બદલાય છે, પરંતુ અઠવાડિયાના સાત વાર પ્રમાણે સાત કલર નક્કી કરવામાં આવ્યા છે, તે અનુસાર દરરોજ નવા -નવા કલર ની બેડશીટ દર્દીઓના બેડ પર પાથરવામાં આવે છે.

નાનપણમાં આપણે વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ‘જાનીવાલીપીનારા’ વિષે ભણ્યા હોઈશું. જેમાં “જા’ એટલે “જાંબલી’, ‘ની’ એટલે “નીલો’ વગેરે જેને પ્રકાશનું ઇન્દ્ર ધનુષ કહેવામાં આવે છે, પરંતુ સિવિલની કોરોના હોસ્પિટલમાં સાત વાર પ્રમાણે સાત રંગોના ઉપયોગ સાથે જાણે બેડ શીટનુ ઇન્દ્રધનુષ રચાય છે.

સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે જાંબલી, શનિવારે વાદળી અને રવિવારે રાખોડી કલરની બેડસીટ દર્દીઓના બેડ પર લગાવવામાં આવે છે. રંગોની આ રંગોળી વિશે કોવિડ હોસ્પિટલ ખાતે કાર્યરત આર.એમ.ઓ ડો.સંજય કાપડિયા કહે છે કે, કોરોનાના પોઝિટિવ દર્દીઓના બેડશીટના રંગો દરરોજ બદલાવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તેમનામાં સકારાત્મકતાનો સંચાર થાય છે.

રોજે રોજ બેડશીટ બદલવાથી સ્વચ્છતા તો જળવાય જ છે, સાથે-સાથે દર્દીઓ પણ પોતાની વેદનાને ભૂલી એક તાજગીનો અનુભવ અને અહેસાસ કરે છે. દર્દીઓમાં સકારાત્મકતા વધવાના કારણે તેમની માનસિક સ્થિતિ સુધરે છે. જેથી તેમની આંતરિક રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો આવે છે. સાથે સાથે ક્યારેક સ્ટાફ દ્વારા કેટલાક કિસ્સામાં આળસના પગલે ચાદર ન બદલવા જેવી માનસિકતા પણ ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે જો એક જ કલરની ચાદર હોય તો તંત્રને પણ ખબર ન પડે કે આ ચાદર બદલાઈ છે કે નહીં એટલે જુદા જુદા રંગોની ચાદર હોવાના કારણે તમને તરત જ ખબર પડે કે આ ચાદર બદલવામાં આવી છે આ પણ એક મહત્વનું કારણ છે.

આમ, કોરોનાના દર્દીઓને દવા, દેખભાળ, માનસિક શાંતિ વગેરે ઉપલબ્ધ કરાવવા સાથે રંગોના વિજ્ઞાનને સમજી દર્દીઓને માનસિક શાંતિ મળે તેવા હકારાત્મક વાતાવરણનું સર્જન વોર્ડમાં રચાયું છે. કયા વારે કઈ બેડશીટ બદલવામાં આવશે તે અંગેની વિગત પણ વોર્ડ માં લગાવવામાં આવે છે. જેથી દર્દીઓને પણ ખ્યાલ રહે કે, આજે કઈ ચાદર અમારા બેડ પર લગાવવામાં આવનાર છે.

DA સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને લીધે નાણાકીય સાધનો ઉભા કરવા માટે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું (DA) 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી અસરમાં આવે એ રીતે સ્થગિત કરી દીધું છે, પણ કેન્દ્રીય નાણાં મંત્રાલયના આ નિર્ણય સામે એક નિવૃત્ત લશ્કરી જવાન સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એમણે માગણી કરી છે કે કોર્ટ સરકારને આદેશ આપે કે તે મોંઘવારી ભથ્થું ચૂકવી દે.

 

લીગલ ન્યૂઝ વેબસાઈટ BarandBench ડોટ કોમના જણાવ્યા મુજબ એક નિવૃત્ત લશ્કરી જવાને સરકારના નિર્ણયને જનહિતની અરજી દ્વારા પડકાર્યો છે. સરકારે કોરોના કટોકટીને કારણે નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી સ્થગિત કરી દેવાનો નિર્ણય ગઈ 20 એપ્રિલે લીધો હતો.

સ્થગિત કરાયું ન હોત તો આ મોંઘવારી ભથ્થું એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ચૂકવી દેવાનું થયું હોત.

હવે સરકારના નિર્ણયને નિવૃત્ત લશ્કરી જવાને જનહિતની અરજી દ્વારા અદાલતમાં પડકાર્યો છે.

અરજદારે કહ્યું છે કે સરકારના આ નિર્ણયને કારણે પોતાની પર અવળી અસર થઈ છે, કારણ કે એમની પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. જવાને વધુમાં કહ્યું કે, પોતે કેન્સરના દર્દી છે અને ભાડાંના ઘરમાં રહે છે. આમ એમનું પોતાની માલિકીનું કોઈ ઘર નથી.

અરજદાર જવાને વધુમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર 2020ના એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં મોંઘવારી ભથ્થાની બાકી નીકળતી રકમ ધારકોને ચૂકવી દેવા બંધાયેલી હતી, પણ એણે નાણાં મંત્રાલયના સચિવ મારફત મનસ્વી રીતે પગલું ભરીને એ ચૂકવણી અટકાવી દીધી, પરિણામે હું અને બીજા લાખો નિવૃત્ત જવાનો ફરિયાદી બન્યા છીએ. સરકારે મોંઘવારી ભથ્થાની બાકી નીકળતી રકમ આ વર્ષના એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઈરાદાપૂર્વક ચૂકવી નહોતી અને ત્યારબાદ 20 એપ્રિલે એ રકમની ચૂકવણીને સ્થગિત કરી દેતો નિર્ણય જાહેર કર્યો.

સરકારના આ નિર્ણયથી ભૂતપૂર્વ લશ્કરી જવાનોને ઘણી ખોટ જશે, ખાસ કરીને હાલ કોરોના વાઈરસ રોગચાળો આખો વિશ્વમાં ફેલાયો છે તેથી. ભૂતપૂર્વ જવાનોને ચૂકવવાની નીકળતી રકમ સરકાર માટે મહત્ત્વની છે એવી દલીલ સામે અરજદારે એવી દલીલ કરી કે અમારા જેવા જવાનો માટે પણ આ રકમ આજીવિકા માટે એટલી જ મહત્ત્વની છે.

અરજદારે કોરોના આફતના આ સમયગાળામાં લોકોને ભોગવવી પડતી અનેક તકલીફોના ઉલ્લેખ સાથે એવો નિર્દેશ પણ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના તમામ માલિકોને વિનંતી કરી છે કે તેઓ એમના કર્મચારીઓનો પગાર ન કાપે કે કોઈને નોકરીમાંથી છૂટા પણ ન કરે. વડા પ્રધાન આવી વિનંતી કરે છે, પણ બીજી બાજુ, સરકાર પોતે તેના જુદા જુદા વર્ગના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકી દે છે.

નાણાં મંત્રાલયના આ આદેશને અરજદારે મનસ્વી તેમજ બદઈરાદાભર્યો ગણાવીને કહ્યું છે કે આ નિર્ણયથી વરિષ્ઠ નાગરિકોને સૌથી વધારે માઠી અસર થશે, કારણ કે કોરોના વાઈરસનો ચેપ લાગવાનું એમની પર વધારે જોખમ રહેલું છે.

સરકારે ઉદ્યોગક્ષેત્રને અત્યાર સુધીમાં જે નાણાકીય રાહતો આપી છે અને હજી બીજા આપવા તે વિચાર કરી રહી છે તેની સામે પણ અરજદારે સવાલ ઉઠાવ્યો છે. એમણે કહ્યું કે સરકારના આ નિર્ણયને કારણે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકી દેવું પડ્યું છે. સરકારનો આ નિર્ણય આપખુદ, ગેરકાયદેસર અને વગર વિચાર્યે લીધેલો છે, જે તેણે તત્કાળ પાછો ખેંચવો જોઈએ અને લાભાર્થીઓને 2020ની 1 જાન્યુઆરીની તારીખથી અમલમાં આવે એ રીતે એમના હકની રકમ ચૂકવી દેવી જોઈએ, ચૂકવવાનું ચાલુ જ રાખવું જોઈએ.

“Before and After – Thoughts on a Pandemic”

Would you like to imagine a scene with me? In his book The Republic, the Greek philosopher Plato described a condition. Picture this: a group of people have been confined in a cave all of their lives. They are chained in a way that they face the blank wall of the cave. Behind them, there is a fire. All they can see are shadows being cast on that wall from objects that pass in front of the flames. For them, the shadows are the reality.

Statue of Greek philosopher Plato

These days, this scene keeps coming back to me. Everything about it sounds eerily familiar. We are confined within the walls of a place we loved coming back to at the end of the day. When we were out typing code, teaching a class, treating patients, or trading stocks, our entire being longed to reach home. Suddenly, we have been compelled to realise a bitter truth: if we stay within our walls longer, we start noticing the cracks. Even the ones that are just shadows.

This is our tunnel.

It is dark.

There is no light at the end of it.

Our lives have been irreversibly split into ‘before’ and ‘after’. The tragedy is that we don’t even know if this moment that we live in is a part of the ‘before’ or the ‘after’. These days, every new morning keeps reminding the same lesson: if you don’t know anything else, know your truth.

I urge you, dear readers. Pick up your pens, open your diaries, pick the page of your favourite day and list down your truths.

There are a few moments that have gifted me my truth. I would like to share them with you today.

  1. Lately, my evenings have been nothing short of festivity. My loved ones peek from the little windows on my screen. We spend our hours singing melodies from the times gone by. Not only has it brought back older memories, but it has also laid the ground for new ones that would stay around for years to come.

  1. Sunsets have also been a steady source of solace. I spend the dusk capturing the iridescent sky through the lens. As the night sets in, my friends and I share the pictures of the view from our terrace. The sky reminds us of the vast endlessness we have in common, no matter the distance. In turn, the sky keeps loving us back – have you seen how bright the stars are at night?

  1. Apart from the dusk-strewn skies, our phone galleries are flooded with another kind of pictures, too – slightly burnt, a little off-colour, hastily plated dishes of food. We have donned our ill-fitting aprons to embark on a series of experiments behind the kitchen counter. Sometimes our proportions get messed up midway, sometimes the gas burns too hot. Maybe one can also imagine the number of times our parents would have sighed (be it in relief or in disappointment) in the making of the dish. But in a time when we find it puzzling to express our emotional support – not knowing what to say and how – it is fun to find our camaraderie through our tastebuds.
  1. Like the people in Plato’s cave, I also have my blank walls. The only difference that a few hundred years have made is that my walls light up when I press the power key. These days, some horrific shadows dance on the black walls of my smartphone, my laptop and the TV screen. They take the form of statistics showing the death rates across the world; the heartbreaking plight of the ones who risk their lives to save ours in these troubling times; the hauntingly deserted roads and bridges. The end of a life that shatters hundreds of others ends up being a flimsy addition on the death curve that I keep looking at blankly on my screens. In such moments, a seemingly regular word that I overlook every day has helped me immensely: context. It is a painful process, I would not deny. At times, the picture that contextual reading paints is far scarier than the one that I expect. But there is something about gaining absolute context that helps me discern the fine line between truth and sensationalism. The forms of tragedy are endless, but our resilience to stand tall against them is in no way minimal.

  1. Ever since the world went into total lockdown, I have been thinking about silences. The bus conductor’s bell, chalk on the blackboard, the coffee machine at the canteen of my college – my ears were shut to thousands of sounds that drove my life every day. I didn’t notice their absence until the endless ring of silence was all that there was. That is what I am fascinated by – the quietude of it all. The gravity of our times has rendered us almost incapable of expressing any emotion, inwards and outwards. But I find my solace in believing that this is a shared silence, a people’s silence. These days have helped me realise that my life is not restricted to the metallic clang of machines. Waking up to a quiet street and the chirping of mynahs is fulfilling enough to uplift the beauty of human silences.

Take heart, dear readers. When we come out of the cave, all of us will be singing.

  • Nivid Desai

મહારાષ્ટ્ર સરકાર કર્મચારીઓનો DA વધારો કદાચ બે વર્ષ માટે સ્થગિત કરશે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ ઊભા કરેલા આર્થિક સંકટને કારણે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)માં વધારો આપવાનું અને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) આપવાનું બે વર્ષ માટે સ્થગિત કરે એવી ધારણા છે.

ઉત્તર પ્રદેશની સરકાર બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સરકાર પણ તેના કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થામાં વધારો અને લીવ ટ્રાવેલ કન્સેશન આપવાનું બે વર્ષ માટે મોકૂફ રાખે એવી શક્યતા છે. કારમી આર્થિક કટોકટી સર્જાઈ છે ત્યારે કોરોના રોગચાળાનો સામનો કરવા માટેના એક પગલા તરીકે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને એમની આ બે પ્રકારની આવકમાં કાપ મૂકશે.

એક સરકારી અમલદારનું કહેવું છે કે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન ઘોષિત કરાયા બાદ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું 2021ના જુલાઈ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ રાજ્ય સરકારો પણ એનું અનુકરણ કરીને પોતપોતાના કર્મચારીઓને આ વધારો મોકૂફ રાખે એવી ધારણા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકાર વિકાય યોજનાઓ માટેના ખર્ચમાં તેમજ એના કર્મચારીઓને આપવામાં આવતા જિલ્લા વિકાસકાર્યો માટેના ભંડોળમાં પણ કાપ મૂકે એવી ધારણા છે.

એક સિનિયર અધિકારીએ કહ્યું કે હાલ સરકારને આવકનો કોઈ જ સ્રોત રહ્યો નથી. તેથી અમારે બજેટમાં આપવામાં આવેલી જોગવાઈઓમાં કાપ મૂક્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એ રીતે અમારે રૂ. 70,000 કરોડ ઊભા કરવાના છે. અમે કર્મચારીઓના પગાર, પેન્શનની રકમમાં કાપ મૂકી શકીએ એમ નથી. તેથી અમારે વિકાસ યોજનાઓ પાછળના ખર્ચને ઘટાડવો જ પડશે અને આશરે 12 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો તથા એલટીસી આપવાનું સ્થગિત કરી દેવું પડશે.

મહારાષ્ટ્ર સરકાર જો કર્મચારીઓને 2021ના જૂન સુધી મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું માંડી વાળે તો એને રૂ. 18,000 કરોડ મળશે અને જો એલટીસી નહીં આપીએ તો રૂ. 1,000 કરોડ બચાવી શકશે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે તે એના 1.13 કરોડ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને બે વર્ષ સુધી વધારો નહીં આપે.

‘માસ્ક’ સભ્ય સમાજનું પ્રતીક: મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનની વાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અનેક લોકોએ મને સૂચનો કર્યાં છે. કોરોના વાઇરસથી જનતા લડી રહી છે. દેશનો દરેક નાગરિક આ લડાઈમાં યોદ્ધા છે અને આ લડાઈમાં નેતૃત્વકર્તા છે. સંપૂર્ણ દેશ એકજૂટ છે. દેશવાસીઓ એકમેકની મદદ કરી રહ્યા છે. દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે. લોકોના આ તપને હું નમન કરું છું. કોરોના સામે આપણી આ લડાઇ પબ્લિક ડ્રિવન છે. આ મનની વાત કાર્યક્રમની 64મી આવૃત્તિ છે. આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે.

 

વડા પ્રધાન મોદીએ મનની વાત કાર્યક્રમ દ્વારા જે વાત કરી હતી એના મુખ્ય અંશો આ પ્રમાણે છે.

  • આપણે ભાગ્યશાળી છીએ કે દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સૈનિક છે. વિશ્વઆખું આ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. તમે ક્યાંય પણ નજર નાખો આ જનતાની લડાઈ છે.
  • શહેર હોય કે ગામ હોય- એવું લાગી રહ્યું છે કે દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક જણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. ખેડૂતો દિવસ-રાત ખેતરોમાં સતત મહેનત કરી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ભૂખે ના સૂએ.
  • કોઈ પગારનું દાન આપી રહ્યું છે, કોઈ માસ્ક બનાવી રહ્યું છે તો કોઈ ખેતરમાંની શાકભાજીનું દાન કરી રહ્યું છે. કોઈ મજૂર જે સ્કૂલમાં ક્વોરોન્ટાઇન છે એમાં સ્કૂલનું રંગકામ કરી રહ્યું છે. આ જ ભાવ કોરોના સામેની લડાઈમાં તાકાત આપી રહ્યું છે.
  • પાછલાં કેટલાંક વર્ષોમાં લાખ્ખો લોકોએ ગેસ સબસિડી છોડી છે.
  • cavidworriors.gov.in –સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી સિવિલ સોસાઇટીના પ્રતિનિધિ અને સ્થાનિક વહીવટી તંત્રને સાંકળ્યા છે. આમાં અત્યાર સુધી સવા કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.
  • અમારા એવિયેશનના સાથીઓએ આટલા સમયમાં ત્રણ લાખ કિલોમીટરની હવાઈ પ્રવાસ દ્વારા 500 ટન મેડિકલ સામગ્રી દેશના ખૂણેખૂણામાં પહોંચાડી છે. એવી જ રીતે રેલવે પણ દિવસ-રાત કામ કરી રહી છે.
  • દેશમાં આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા લોકો માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. આ વટહુકમમાં આરોગ્ય કર્મયચારીઓની સામે હિંસા પર કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ભારતના આયુર્વેદને લોકો વિશિષ્ટ ભાવથી જોઈ રહ્યા છે. કોરોનાની દ્રષ્ટિએ ઇમ્યુનિટી વધારવા માટે જે પ્રોટોકોલ આપવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તમે એનો ઉપયોગ કરી રહ્યા હશો.
  • દેશની યુવા પેઢી આ પડકારનો સ્વીકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સ્વીકાર કર્યો છે, એવી રીતે આયુર્વેદને વિશ્વ જરૂર સ્વીકારશે.
  • દેશમાં મોટું પરિવર્તન થયું છે અને લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે માસ્ક સભ્ય સમાજનું પ્રતીક બની જશે.
  • રમજાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. કોકઈએ વિચાર્યું પણ નહીં હોય કે રમજાનમાં આટલી મોટી મુશ્કેલી ઊભી થશે. આપણે પહેલાથી વધુ નમાજ અદા કરીએ અને કોરોના સામેની લડાઈ મજબૂત કરીએ.
  • હું તમને આગ્રહ કરું છુ કે ક્યારે વધુપડતા આત્મવિશ્વાસમાં ના આવતા. કોરોના સામે સાવધ રહેવું અત્યંત જરૂરી છે. આને હલકામાં લઈને છોડી ના દેતા. આપણા પૂર્વજો કહી ગયા છે કે આગ, ઋણ અને બીમારી તક જોઈને ફરી વધી જાય છે. એટલે આની સંપૂર્ણ સારવાર જરૂરી છે.
  • બે ગજનું અંતર બહુ જરૂરી છે. પ્રાર્થના કરું છું કે આવતી વખતે આપણે મળીએ ત્યારે વિશ્વ કોરોનાથી મુક્તિના સમાચાર મળે.

 

 

 

પૃથ્વીની નજીકથી પસાર થશે વિશાળકાય ઉલ્કાપિંડ

નવી દિલ્હી: બ્રહ્માંડમાં અવારનવાર  ખગોળીય ઘટનાઓ થતી હોય છે ત્યારે આગામી 29 એપ્રિલના રોજ પણ આવી એક અનોખી ખગોળીય ઘટના બ્રહ્માંડમાં થવા જઈ રહી છે. આ દિવસે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક ઉલ્કાપિંડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવડો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહીં.

આ ઉલ્કાપિંડ 4.1 કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. જે 29મી સવારે 4:56 કલાકે 31320 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ સમયે તે ધરતીથી 3.9 મિલિયન માઇલ્સ દૂર હશે. લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તેના માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે આ નજરો નહીં જોઇ શકો.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને આ ઉલ્કાપિંડ વિશે વર્ષ 1998માં માહિતી મેળવી લીધી હતી.ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તેને 52766 અને 1998માં ઓઆર-2 નામ આપ્યું હતું. જો કે તેના મોટો આકારના કારણે વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખતા હતા.

4.5 અબજ વર્ષ પહેલા જ્યારે સૌરમંડળનું નિર્માણ થયું ત્યારે આવા અનેક ઉલ્કાપિંડ કે જે ગ્રહનો આકાર ન લઇ શક્યા અને આકાશમાં તરવા લાગ્યા. મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર મોટા મોટા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂક્યા છે. જેણે ખગોળશાસ્ત્રીઓનો ઉત્સાહ વધાર્યો છે.

 

પંચાંગ 26/04/2020

રાશિ ભવિષ્ય 26/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે. હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

કોરોના વાઇરસના ટેસ્ટ માટે IIT દિલ્હીએ કરી આ કમાલ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના ટેસ્ટને લઈને કિટ મોટી સંખ્યામાં જરૂર છે અને ચીન જેવા દેશોથી જે કિટ આવી છે, એમાંથી મોટા ભાગની કિટ ખરાબ ગુણવત્તાની છે, ત્યારે હવે આ મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દીધી છે. હા, IIT દિલ્હીએ RT-PCR કિટ બનાવીને તૈયાર કરી છે, જેને ICMRએ પણ તપાસ કરીને લીલી ઝંડી આપી દીધી છે.

IIT-દિલ્હીનામા પ્રોફેસર વી. પેરુમલે કહ્યું હતું કે અમે જાન્યુઆરીના અંતમાં કોવિડ-19ને ટેસ્ટની કિટ પર કામ શરૂ કર્યું હતું અને એ ત્રણ મહિનામાં તૈયાર થઈ ગઈ હતી. જોકે અમે એને સસ્તી કિંમતે વિકસાવવા માગીએ છીએ, જેથી એનો ઉપયોગ મોટી સંખ્યામાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કે એ સ્વેબ પરીક્ષણ કિટ છે.  તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટે હાલ  જે ડિવાઇસ ઉપલબ્ધ છે, એ તમામ ઉપકરણો કરતાં એ સસ્તી હશે. આ નવી વિકસાવાયેલી કિટની કિંમત રૂ. 300 કરતાં પણ ઓછી હશે.

આ કિટથી દેશભરમાં RT-PCR દ્વારા કોરોન વાઇરસનું ટેસ્ટિંગ થશે. આ કિટ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. IIT દિલ્હીની બે કંપનીઓથી એના માટે વાતચીત ચાલી રહી છે. આ કિટ બજારમાં આવશે, એ પછી સસ્તા અને યોગ્ય રીતે કોરોનાની તપાસ થઈ શકશે. IIT દિલ્હીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિયના સંશોધકોએ કોવિડ-19ની તપાસ માટે જે કિટ તૈયાર કરી છે, એને ICMRએ પણ મંજૂરી આપી દીધી છે.

IIT દિલ્હી એવી પહેલી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે જેણે RT-PCR આધારિત કિટ માટે ICMRથી મંજૂરી મળી ગઈ છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ દેશનાં ત્રણ રાજ્યો કોરોનામુક્ત થઈ ચૂક્યા છે.

 

 

 

 

 

ભારતમાં કોરોનાનાં કેસોનો આંક 25,000ને પાર

નવી દિલ્હીઃ વિશ્વભરમાં મોતનું તાંડવ રચનાર મહાબીમારી કોરોના વાઈરસ ભારતમાં પણ જીવલેણ બન્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલાઓનો આંક વધીને 26,496 થયો છે. જ્યારે આ રોગથી અત્યાર સુધીમાં 824 જણ મૃત્યુને શરણ થયા છે.

આ રોગચાળાને કાબૂમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારો તનતોડ મહેનત કરી રહ્યાં છે, કડક પગલાં ભરી રહ્યાં છે. દેશભરમાં હાલ લોકડાઉન લાગુ છે, જેને 3 મે સુધી લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 14 એપ્રિલે જાહેરાત કરી હતી.

લોકડાઉનની લંબાવેલી મુદતનો આજે 12મો દિવસ છે.

લોકડાઉનના કડક અમલ છતાં કોરોના બીમારીનો શિકાર બનતા લોકોની સંખ્યા વધી રહી છે.

ભારતમાં આ રોગનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યાં કેસોની સંખ્યા 7,600ને પાર કરી ગઈ છે. ગઈ કાલે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 811 નવા કેસો નોંધાયા હતા.

મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાનું હોટબેડ બન્યું છે. મુંબઈમાં ગઈ કાલે વધુ 600 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 13 જણે જાન ગુમાવ્યો હતો. આ સાથે મુંબઈમાં કોરોનાને કારણે થયેલા મરણનો આંક વધીને 200ની નજીક પહોંચ્યો છે.

ગુજરાતમાં, કોરોનાનાં કુલ 2,815 કેસો નોંધાયા છે. મરણનો સત્તાવાર આંક 127 દર્શાવાયો છે.

દરમિયાન, એક રાહતના સમાચાર એ છે કે દેશમાં 15 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસોમાં કોરોનાનાં નવા એકેય કેસ નોંધાયા નથી.