Home Blog Page 4835

શાહીનબાગ મુદ્દો ધ્રુવીકરણ કરાવશે કે કેજરીવાલનો કરિશ્મા ચાલશે?

નવી દિલ્હી: ભાજપ તેની રણનીતિ મુજબ શાહીન બાગના મુદ્દાને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. દિલ્હીના રસ્તાઓથી લઈને સંસદ સુધી પાર્ટી તરફથી સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, તે શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન વિરુદ્ધ છે. એટલું જ નહીં શાહીન બાગ પર વિવાદિત નિવેદન મામલે ચૂંટણી પંચની કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા ભાજપા સાંસદ પ્રવેશ વર્મા દ્વારા જ પાર્ટીએ રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા શરુ કરાવી. એ જ દિવસે સદનમાં પ્રશ્નકાળ દરમ્યાન અનુરાગ ઠાકુરના વિરોધમાં પણ જોરદાર નારેબાજી કરવામાં આવી. મહત્વનું છે કે, અનુરાગ ઠાકુરે દિલ્હીમાં એક રેલી દરમ્યાન ‘ગદ્દારોને ગોળી મારો’ જેવા નારા લગાવ્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, કેટલાક કેન્દ્રીય મંત્રી પોતાના ‘રાજકીય આકા’ઓના ઈશારે ભડકાઉ નિવેદનો આપીને દેશમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ દેશમાં નફરતની રાજનીતિના સ્થાને નવી અપેક્ષાની રાજનીતિની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બેરોજગારી, ગરીબી, મોંઘવારી, શિક્ષણ જેવા વિકરાળ પડકારો વચ્ચે દેશના ભાગલા પડે તેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે, આ સ્થિતિમાં વિપક્ષી દળો દેશ અને બંધારણને બચાવવાની વાત કરી રહ્યા છે.

આ તમામ ચર્ચાઓ, નિવેદન અને આરોપો વચ્ચે પ્રશ્ન એ વાતનો છે કે, શું શાહીન બાગને હાથો બનાવી ભાજપ દિલ્હીમાં મતદાતાઓનું ધ્રુવીકરણ કરવામાં સફળ થશે? આ સવાલના જવાબમાં આપણે વર્ષ 2008ની દિલ્હીની ચૂંટણી પર નજર નાખવી પડશે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ હુમલો થયો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકાર એકદમથી બેકફૂટ પર જતી રહી હતી. હુમલાના બે દિવસ પછી એટલે કે 28 નવેમ્બરે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન હતું.

ભાજપે આ બે દિવસનો ફાયદો ઉઠાવતા મતદાતાઓને એવો સંદેશો પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે નરમ વલણ અપનાવે છે. પણ અહીં ભાજપનું નસીબ પાછું પડયું કારણ કે, એ દિવસોમાં રાજધાની પર શીલા દીક્ષિતની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. તેમના વિકાસ કામોના ચારેકોર વખાણ થતા રહ્યા અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું તો કોંગ્રેસની જીત થઈ. શું અરવિંદ કેજરીવાલ પણ એવો જ કરિશ્મા આ ચૂંટણીમાં કરી શકશે?

વોટ્સએપ હેક થવાની ચિંતા છે તો આ ફીચર એક્ટિવેટ કરો

નવી દિલ્હી: વોટ્સએપ તેના યુઝરની સિક્યોરિટી અને પ્રાઈવેસી માટે ઘણાં ફીચર ઓફર કરે છે. કંપનીનો હમેશાં પ્રયાસ હોય છે કે તે યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખે. Pegasus સ્પાયવેરથી જોડાયેલ કિસ્સાઓ સામે આવ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રાખવું જરૂરી બની ગયુ છે.

પેગાસસ એ જ સ્પાયવેર જેણે ગયા વર્ષે 120 ભારતીયોના ફોનને હેક કરી લીધા હતા. એટલું જ નહીં એમેઝોનના માલિક જેફ બેઝોસના ફોનને હેક કરવા માટે પણ તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી તમારા વોટ્સએપને સેફ રાખવા માટે અમે તમને વોટ્સએપ પર ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આને એક્ટિવ કરીને તમે વોટ્સએપ ડેટાની સિક્યોરિટીને વધુ સારી બનાવી શકો છો. આ ફીચર એક્ટિવેટ થવા પર ફોન રિસેટ કે સિમકાર્ડ ચેન્જ કરતી વખતે વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન કરવા માટે 6 આંકડાવાળો એક પિનકોડની જરૂર પડે છે. અહીં અમે તમને તમારા વોટ્સએપને હેકર્સથી બચાવવા માટે ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચર અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે એક્ટિવેટ કરશો ટૂ-સ્ટેપ વેરિફિકેશન

ટૂ-સ્ટેપ વેરિફિકેશનને એક્ટિવેટ કરવા માટે વોટ્સએપ ઓપન કરીને સેટિંગમાં જવાનું રહેશે. અહીં એકાઉન્ટ સેક્શનમાં તમને ટૂ-સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન મળશે જેને સેટિંગમાં જઈને ઈનેબલ કરી દો. આટલુ કર્યા બાદ તમારે 6 આંકડાનો પિન દાખલ કરવો પડશે.

પિન કન્ફર્મ કર્યા બાદ વોટ્સએપ તમને એક ઈમેલ એડ્રેસ એડ કરવાનું કહેશે. આ ઈમેલ એડ્રેસનો ઉપયોગ તમે પિન ભૂલાઈ જવા પર તેને રિસેટ કરવા માટે કરી શકો છો. ધ્યાન રાખવું કે, ઈમેલ એડ્રેસમાં તમારાથી કોઈ ભૂલ ન થાય, કારણ કે પછી વોટ્સએપ તેને વેરિફાઈ નહીં કરી શકે. ઈમેલ એડ્રેસ આપવું કે ન આપવું તમારી પર નિર્ભર કરે છે. તમે ઈચ્છો તો આ સ્ટેપ છોડી પણ શકો છો.

ફિંગરપ્રિન્ટ લોક

ગયા વર્ષે વોટ્સએપે ફિંગરપ્રિન્ટ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને તમારી આંગળીના ટેરવે સુરક્ષિત રાખી શકો છો. આ ફીચરને ઈનેબલ કરવા માટે વોટ્સએપ સેટિંગમાં એકાઉન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે અને ત્યાં પ્રાઈવેસી ઓપ્શન પર ક્લિક કરીને સૌથી છેલ્લે ફિંગરપ્રિન્ટ લોકનો ઓપ્શન દેખાશે, તેને ઓન(શરુ) કરવાથી આ ફીચર એક્ટિવેટ થઈ જશે.

 

રાશિ ભવિષ્ય 05/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પાકિસ્તાનને 10-વિકેટથી હરાવી ભારત અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતના 19-વર્ષની નીચેના ક્રિકેટરોની ટીમે આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં સતત ત્રીજી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળની ટીમે આજે અહીં સેન્વેસ પાર્ક મેદાન પર રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 10-વિકેટથી સજ્જડ પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત ICC U-19 વર્લ્ડ કપ સ્પર્ધાનું ગઈ વેળાનું ચેમ્પિયન છે. આમ, એ પોતાનું વિજેતાપદ જાળવી રાખવા અગ્રસર છે.

ભારતના અન્ડર-19 ખેલાડીઓ 2000ની સાલમાં આ સ્પર્ધામાં ચેમ્પિયન્સ બન્યા હતા, 2006માં રનર્સ-અપ હતા, 2008માં ચેમ્પિયન્સ, 2012માં ચેમ્પિયન્સ, 2016માં રનર્સ-અપ અને 2018માં ચેમ્પિયન્સ બન્યા હતા.

પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર રોહેલ નઝીરે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમ 43.1 ઓવરમાં 172 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહેલ પોતે 62 રન કરીને એની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

એના જવાબમાં, ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (105 નોટઆઉટ) અને દિવ્યાંશ સક્સેના (59 નોટઆઉટ)ની ઓપનિંગ જોડીએ 35.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 176 રન કરીને ટીમને ઝળહળતી જીત સાથે ફાઈનલમાં પહોંચાડી હતી.

યશસ્વી જયસ્વાલ

હવે 6 ફેબ્રુઆરીએ બીજી સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશમાંથી જે ટીમ વિજેતા બનશે એની સામે ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીની ફાઈનલમાં રમશે.

113 બોલમાં, 8 ફોર અને 4 સિક્સ ફટકારનાર જયસ્વાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

દિવ્યાંશ સક્સેના 99 બોલમાં 6 બાઉન્ડરી સાથે 59 રન કરીને નોટઆઉટ રહ્યો.

પાકિસ્તાનના દાવ વખતે, ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ યોર્કર ડિલીવરીઓનો મારો ચલાવીને હરીફ બેટ્સમેનોને હેરાન કરી મૂક્યા હતા. ત્યાગીએ 8 ઓવરમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લેગ-સ્પિનર રવિ બિસ્નોઈએ 10 ઓવર ફેંકી હતી અને 46 રન આપીને બે વિકેટ પાડી હતી.

દિલ્હી ચૂંટણી 2020:  દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ ગઈ છે. વડા પ્રધાનથી માંડીને ભાજપનાં તમામ દિગ્ગજોની ફોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી મેદાનમાં હરાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કેજરીવાલ અને આપના નેતાઓ પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પણ રાહુલ-પ્રિયંકા સાથે આક્રમક ચૂંટણીપ્રચાર કરી રહી છે.દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના ચાર-પાંચ દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને ચૂંટણીસભાઓ કરી રહ્યા છે. તેમણે પૂર્વ દિલ્હીમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં જે કેજરીવાલ સરકાર છે, જે કેન્દ્રની યોજનાઓના અમલમાં રોડાં નાખ્યાં કરે છે. આ લોકો બાટલા હાઉસના આતંકવાદીઓ માટે રડી શકે છે, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો કરે છે અને સુરક્ષા દળોને કઠેડામાં ઊભા કરે છે, પણ દિલ્હીનો વિકાસ નથી કરી શકતા.
બીજી બાજુ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે  દિલ્હીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતાં ભાજપને પડકાર આપ્યો હતો કે કે 24 કલાકમાં ભાજપના દિલ્હીના સંભવિત મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરો, હું તેમની સાથે જનતાની સામે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુદ્દે વિચારવિમર્શ કરવા તૈયાર છું. પક્ષના સિનિયર નેતા સંજય સિંહે પણ ભાજપને મુખ્ય પ્રધાનનું નામ જાહેર નહીં કરવા બદલ આડે હાથ લીધો હતો.

ત્રીજી બાજુએ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન અને વડા પ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ મોદીની નહીં અદાણી-અંબાણીની સરકાર છે. આ કામ નહીં માર્કેટિંગ કરે છે.

BSEનું ડેટ સિક્યુરિટીઝ RFQ પ્લેટફોર્મ લાઈવ થયું

મુંબઈ – દેશના શેરબજારોમાં સતત નવી પહેલ કરી રહેલા વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ સોમવારથી રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફક્યુ) પ્લેટફોર્મ લાઈવ કર્યું છે, જેમાં ડેટ સિક્યુરિટીઝનું કામકાજ અને સેટલમેન્ટ થઈ શકે છે. આ અંગે સેબીની મંજૂરી મળ્યા બાદ એક્સચેન્જે આ પ્લેટફોર્મ લાઈવ કર્યું છે.

આરએફક્યુ પ્લેટફોર્મ વેબઆધારિત ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના પર કોર્પોરેટ બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, જી-સેક, ટી-બિલ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ અને સિક્યુરિટાઈઝ્ડ ડેટનું ટ્રેડિંગ અને સેટલમેન્ટ થઈ શકે છે.

આ નવું ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઓટીસી માર્કેટ્સ કરતાં વધુ સારાં ફીચર્સ અને લવચીકતા ધરાવે છે અને વધુ કાર્યક્ષમતા અને પારદર્શકતા પૂરી પાડે છે. આરએફક્યુ બીએસઈની કોર્પોરેટ ડેટ સિક્યુરિટીઝ માટેની વર્તમાન રિપોર્ટિંગ અને સેટલમેન્ટ પ્લેટફોર્મ એનડીએસ-આરએસટીનો હિસ્સો છે.

આ નવા પ્લેટફોર્મની વિશિષ્ટતાઓમાં અત્યાધુનિક વેબ-આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ, રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા, કામગીરી પ્રમાણેનું યુઝર મેનેજમેન્ટ અને કાઉન્ટરપાર્ટી આધારિત રિસ્ક મેનેજમેન્ટ અને કોર્પોરેટ બોન્ડ્સમાં સેટલમેન્ટ માટે  થયેલા વેપારના સ્વયં પ્રવાહનો સમાવેશ થાય છે.

અરમાન જૈનનાં લગ્નમાં ઐશ્વર્યા, નીતા અંબાણી ઉપસ્થિત…

અભિનેતાઓ રણધીર, રિશી અને રાજીવ કપૂરની બહેન રીમા કપૂર અને મનોજ જૈનના પુત્ર અરમાન જૈનનાં લગ્ન 3 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં એની જૂની મિત્ર અનિષા મલ્હોત્રા સાથે સંપન્ન થયા હતા. લગ્ન તથા સત્કાર સમારંભમાં અરમાનની પિતરાઈ બહેનો કરિશ્મા અને કરીના કપૂર-ખાન તથા કપૂર પરિવારનાં સભ્યો, સૈફ અલી ખાન તેમજ અભિષેક-ઐશ્વર્યા બચ્ચન તથા નીતા અંબાણી ઉપસ્થિત રહ્યાં હતાં.


અરમાન જૈને 2014માં આવેલી 'લેકર હમ દીવાના દિલ' ફિલ્મમાં અભિનય કર્યો હતો. જો કે એ ફિલ્મ ચાલી નહોતી.


નીતા અંબાણી એમનાં પુત્રી ઈશા પરિમલ સાથે


અંબાણી પરિવારની ભાવિ નાની પુત્રવધુ રાધિકા મરચંટ


સૈફ અલી ખાન, કરિશ્મા, રણધીર કપૂર, કરીના




પિતરાઈ ભાઈ-બહેન - કરિશ્મા કપૂર અને અરમાન જૈન


કરિશ્મા કપૂર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે, ટીના અંબાણી




અભિષેક, આરાધ્યા, ઐશ્વર્યા બચ્ચન




અરમાન જૈન અને અનિષા મલ્હોત્રા




કરીના કપૂર-ખાન


કરિશ્મા કપૂર એની પુત્રી સમાઈરા


આકાશ અંબાણી એમના પત્ની શ્લોકા સાથે


તારા સુતરિયા


સનાયા કપૂર


બોની કપૂર


અરમાન જૈનનાં માતા રીમા જૈન


અનિલ કપૂર


અનિલ અંબાણી અને ટીના અંબાણી


સોહેલ ખાન, માતા સલમા ખાન, અરબાઝ ખાન, અલવીરા અગ્નિહોત્રી, અતુલ અગ્નિહોત્રી


અરમાન અને અનિષા (રિસેપ્શનમાં)


કિયારા અડવાની


તારા સુતરિયા


સંજય કપૂર, પુત્રી સનાયા અને પત્ની મહિપ


કરિશ્મા કપૂર


અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન. સાથે અનિલ અંબાણી


નીલ નીતિન મૂકેશ, અરમાન, નીલની પત્ની રુકમિણી


કિયારા અડવાની


કરિશ્મા, અરમાન, સૈફ અલી ખાન, કરીના, અનિષા


પીએફઆઈ સાથે જોડાયેલા છે શરજીલ ઈમામના તાર: વધુ ત્રણ દિવસના રિમાન્ડ

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના  લોકોના સંપર્કમાં હતો.  જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે.

આ તમામ લોકો વ્હોટ્સએપ ગ્રુપ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જેએનયુ તેમજ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જામિયા સાથે જોડાયેલા હતા. બીજી તરફ શરજીલના મોબાઇલની તપાસ બાદ પોલીસે જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ શરજીલના સંપર્કમાં હતા. પોલીસે આ તમામને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શરજીલના લેપટોપ અને ડેસ્કટોપની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલે જામિયા હિંસા પહેલા ઉર્દુ અને અંગ્રેજીમાં કેટલાક ભડકાઉ પોસ્ટર બનાવ્યા હતા. આ પોસ્ટર તેમણે વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યા હતા. પોલીસે શરજીલના મોબાઇલમાંથી ડિલીટ થયેલો ડેટા પણ મેળવ્યો છે.  મોબાઇલમાંથી મળેલા અનેક વીડિયોમાં શરજીલ ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે.