Home Blog Page 4846

આ પણ છે કોરોના સામેની લડાઈના યોદ્ધા…

કોરોના વાઈરસની બીમારીએ દેશભરમાં લોકડાઉનની અને લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની ફરજ પાડી છે ત્યારે નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે અમુક સામાજિક યોદ્ધાઓ. આવા જ યોદ્ધાઓમાં સામેલ છે એલપીજી ગેસ સિલિન્ડરોની ઘેર-ઘેર ડિલીવરી કરવાનું કામ કરનારાઓ. મુંબઈમાં 17 એપ્રિલ, શુક્રવારે પણ ગેસ એજન્સીના માસ્ક પહેરેલા કર્મચારીઓ રાબેતા મુજબ એમનું કામ કરતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)


ગેસ એજન્સીના કર્મચારીઓ ગ્રાહકોને બુક કરાવેલું ગેસ સિલિન્ડર નિયમિત રીતે અને સમયસર એમના ઘેર પહોંચાડે છે જેથી લોકડાઉનને કારણે ઘરમાં જ રહેતા લોકોને ભોજન રાંધવામાં કોઈ તકલીફ ન પડે.












રાશિ ભવિષ્ય 18/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે. મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પ્યુટર, દલાલી, કમીશન, પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય.  લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,  ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પ્યુટર ક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે .


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે વિશ્વના દેશો

નવી દિલ્હીઃ વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાઇરસના પ્રકોપથી ઝઝૂમી રહ્યા છે અને એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી રહ્યા છે. યુરોપ કોરોના વાઇરસના પ્રકોપનું હોટ સ્પોટ બન્યું છે. ઇટાલી, સ્પેન, બ્રિટેન, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશો કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. યુરોપના તમામ અન્ય દેશોમાં પણ લોકડાઉન છે. જોકે કેટલાક દેશો લોકડાઉનને પૂરું કરવા અને સામાન્ય જનજીવન તરફ આગળ વધવા ઇચ્છે છે. આ દેશો થોભો અને રાહની નીતિ અપનાવી રહ્યા છે. અન્ય કેટલાક દેશો કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં પહેલ કરવાવાળાના દેશોના હાલ જોવા ઇચ્છે છે, કેમ કે તેમને ડર છે કે કોરોના ફરી વાર હુમલો કરશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

WHO સહમત નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુરોપના ક્ષેત્રીય નિર્દેશક ડો. હૈન્સ ક્લુગે ચેતવણી આપરતાં કહ્યું હતું કે લોકડાઉનમાં કોઈ પણ રાહત આપવા સાથે જોખમ ઊભું કરશે. તેમણે કહ્યું કે યુરોપની સ્થિતિબહુ ખરાબ છે અને ચિંતાજનક છે. આ સમય કોઈ પણ પર પ્રકારની રાહત આપવાનો નથી. યુરોપ જ રોગચાળાનું કેન્દ્ર છે. અત્યારથી આગામી સ્થિતિ સામાન્ય હોવાનો અંદાજ માંડી ના શકાય. પ્રસિદ્ધ વિજ્ઞાન જર્નલ લેન્સેટમાં પ્રકાશિત શોધમાં વિશ્વભરમાં સરકારોથી અપીલ કરી છે કે કોરોનાની વેક્સિન બજારમાં આવે ત્યાં સુધી લોકડાઉન જેવા સખત પ્રતિબંધ જારી રાખવામાં આવે.

 

ભારતની વિશ્વના દેશો પર નજર

નાનકડી વસતિ પર મોટો પ્રયોગ ભારતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એક નાની વસતિ પર મોટો પ્રયોગ છે. વડા પ્રધાને લોકકડાઉનથી પરત ફરવાનો રોડમેપ બનાવવાનો આદેશ મંત્રીમંજળને આપ્યો છે., જેમાં નિષ્ણાતો અને અન્ય નેતાઓથી સતત તેઓ વાતચીત કરી રહ્યા છે. જો અઢી કરોડની વસતિવાળા ચાર દેશોનું પહેલું પગલું કઈ રીતે સફળ રહેશે, એની પર ભારતની નજર છે. ભારતની વસતિ 130 કરોડ છે.

 

ચેક રિપબ્લિકે કેટલીક મંજૂરી આપી

પૂર્વ યુરોપના આ દેશે પોતાના નાગરિકોને હાર્ડવેરની દુકાનો, સાઇકલ મરામત કરતી દુકાનો ખોલવાની સાથે ટેનિસ અને સ્વિમિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોઈ પણ ખેલાડી વ્યક્તિગત અથવા અન્ય સાથીની સાથે પ્રેક્ટિસ કરી શકે છે. જોકે બેથી વધુ લોકો એકસાથે સ્વિમિંગ નહીં કરી શકે. મંગળવારથી લોકો માસ્ક વિના રસ્તા પર નીકળી શકશે. બાંધકામ કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે. 14 એપ્રિલ પછી જરૂર પડી તો લોકો પ્રવાસ કરી શકે છે.

ડેન્માર્કે પણ લોકડાઉન ખોલવાનો નિર્ણય કર્યો

ડેરી ઉદ્યોગ માટે મશહૂર આ દેશે પહેલાં કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. આના એક સપ્તાહ પછી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવશે. જો સ્થિતિમાં કાબૂમાં રહેતો ડેન્માર્કમાં 15 એપ્રિલથી કિંડરગાર્ટન સ્કૂલ  ખૂલી જશે. જોકે મોટા ભાગના પ્રતિબંધ ચાલુ રહેશે. 10થી વધુ લોકો કોઈ પણ સ્થિતિમાં એક જગ્યાએ જમા નહીં થઈ શકે. 10 મે સુધી કોઈ પણ પ્રકારના ધાર્મિક, રાજકીય, સામાજિક અને વ્યક્તિગત સંમેલનનું આયોજન નહીં કરી શકાય. ચર્ચ, સિનેમા હોલ અને શોપિંગ સેન્ટર બંધ રહેશે. વડા પ્રધાને સરહદો સીલ રહેવાની જાહેરાત કરી છે.

જર્મની લોકડાઉન સતર્ક રહીને ખોલવા ઇચ્છે છે લોકડાઉન

જર્મની પણ લોકડાઉન ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ એ પહેલાં અન્ય દેશોનો અનુભવ જોવા ઇચ્છે છે. ચાન્સેલર એન્જલા મર્કેલે કહ્યું છે કે અમારી પાસે આશાવાદી થવાનું કારણ મોજુદ છે, પણ અમે સતર્ક છે. આપણે વૈજ્ઞાનિકોની સલાહને ધ્યાનમાં રાખવી જોઈએ. જર્મનીના આરોગ્ય વિભાગનું માનવું છે કે 26 એપ્રિલ પછી લોકડાઉનમાં રાહત આપવામાં આવશે.

નોર્વે કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો

ઉત્તર યુરોપીય દેશે સતર્કતાપૂર્ણ વલણ બતાવ્યું છે. એણે આગામી સપ્તાહે કિંડરગાર્ટન સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. નોર્વેએ સ્કૂલોને ખોલવાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વડા પ્રધાન ઇરના સોલબર્ગે કહ્યું છે કે અમે પહેલાં કિંડરગાર્ટન ખોલીશું. ત્યાર બાદ ધોરણ એકથી ચારની સ્કૂલ. ધીરે-ધીરે અમે પગલાં લઈશું. આ ગરમીમાં બધા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં હોવા જોઈએ. આપણે આશાવાદી બનવું પડશે. અત્યારે સ્થિતિ અમારા કાબૂમાં છે, પરંતુ આપણે સતર્ક રહેવું પડશે.

સૌથી પહેલાં લોકડાઉન અહીં થયું હતું

ચેક રિપબ્લિક હોય કે ઓસ્ટ્રિયા- આ એ દેશો છે, જેણે ચીનમાં કોરોના વાઇરસના રોગચાળો ફેલાયા પછી પોતાની સરહદો સીલ કરી દીધી હતી અને સૌથી પહેલાં સામાજિક અંતરના સિદ્ધાંતનું પાલન કાનૂની રૂપે લાગુ કર્યું હતું.આ બધા ઉપાયોને કારણે કોરોના સંક્રમણ આ દેશોમાં વધુ નથી ફેલાયું અને લોકોનાં મોત પણ વધુ નથી થયાં

 

વિશ્વની દેશો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે

યુરોપ જ નહીં પણ અન્ય દેશો પણ વિશ્વના તમામ દેશો એ જોવા ઇચ્છે છે અન્ય દેશ કેવી રીતે સામાજિક અને આર્થિક દબાણનો સામનો કરીને લોકડાઉન પછી જનજીવન સામાન્ય કરવા માટે કેયાં પગલાં લે છે. ઓક્સફોર્ડના વૈશવિક આરોગ્ય નિષ્ણાત ડો. પીટર ડ્રોબાકે કહ્યું હતું કે જે પણ દેશો સામાન્ય જનજીવન પરથી પ્રતિબંધ દૂર કરી રહ્યા છે એ બહુ મહત્ત્વપૂર્ણ અને આશાવાદી પગલું છે.

આપણે જાણવું છે કે કેવી રીતે સુરક્ષિત અને અસરકારક રીતે લોકડાઉનથી બહાર આવવું છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી સામાન્ય જનજીવનમાં પાછા ફરવા માટે ધીમે-ધીમે પ્રતિબંધો ઉઠાવી રહ્યા છે. જો આ દેશોમાં ઝડપથી રાહત આપવામાં આવશે તો સંક્રમણે ફેલાવવાનો અંદેશો છે કે બહુ વારે લોકો સંક્રમિત થઈ જશે.

 

મુંબઈમાં નૌકાદળના 21 જવાનોને કોરોના થયો

મુંબઈઃ ખતરનાક અને આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ રોગચાળાએ ભારતીય નૌકાદળના 21 જવાનને પણ પોતાના શિકાર બનાવ્યા છે. મુંબઈમાં ફરજ બજાવી રહેલા ભારતીય નૌકાદળના ઓછામાં ઓછા 21 જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ જવાનોને દક્ષિણ મુંબઈના કોલાબામાં આવેલી નૌકાદળની હોસ્પિટલ ‘INHS અશ્વિની’માં દાખલ કરવામાં આવ્યા છે.

‘INS આંગ્રે’ (નૌકાદળની જહાજી છાવણી) પર ફરજ બજાવતા એક જવાનને ગઈ 7 એપ્રિલે કોરોના થયો હતો. એના સંપર્કમાં આવનાર અન્ય જવાનોનો રિપોર્ટ પણ હવે પોઝિટીવ આવ્યો છે, એમ નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું છે.

નૌકાદળના મથકના તે ભાગને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે અને ‘INS આંગ્રે’ જહાજને લોકડાઉનમાં મૂકી દેવામાં આવ્યું છે. ‘INS આંગ્રે’ પશ્ચિમી નૌકા કમાન્ડનો લોજિસ્ટિક અને સપોર્ટ સુવિધા પૂરી પાડતો હિસ્સો છે.

નૌકાદળના જવાનોને કોરોના થયો હોવાનો આ દેશમાં પહેલો જ બનાવ છે.

(પ્રતિકાત્મક તસવીર)

આ પહેલાં દેશના ભૂમિદળના 8 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

શુક્રવારે લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ કહ્યું હતું કે લશ્કરના 8 જવાનને કોરોના થયો છે. આમાં બે ડોક્ટર છે, એક નર્સિંગ સહાયક છે. આઠમાંના ચાર જણની તબિયત સારવાર દરમિયાન સારી થઈ છે.

ભારતમાં કોરોના વાઈરસના કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 14,378 પર પહોંચી ગઈ છે. 1,766 જણ સાજા થઈ ગયા છે અને એમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે. કોરોનાગ્રસ્તોમાં 76 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના બીમારીને કારણે 480 જણના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે વધુ 118 જણને કોરોના થયાનું માલુમ પડ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 3,320 પર પહોંચી હતી.

શુક્રવારે રાજ્યમાં કોરોનાને કારણે વધુ 7 જણે જાન ગુમાવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા મરણનો આંક વધીને 201 થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં 3,320 કેસોમાંથી 2,085 તો એકલા મુંબઈમાં જ છે. રાજ્યમાં જે કુલ 201 જણના મરણ થયા છે એમાં પણ 122 જણ મુંબઈના હતા.

વાહ ભાઈ વાહ! ૧૮ એપ્રિલ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૮ એપ્રિલ, ૨૦૨૦

રિઝર્વ બેન્કના બુસ્ટર ડોઝથી જોબ માર્કેટમાં તેજી આવશે?

અમદાવાદઃ લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો છે. આ ઝટકો એટલો મોટો છે કે એમાં લાખ્ખો લોકોની નોકરીઓ જવાનો અંદેશો છે. આવામાં અર્થતંત્ર અને રોજગારને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બુસ્ટર ડોઝ આપ્યો છે અને બજારમાં રોકડ તરલતા વધારવા માટેની મોટી પહેલ કરી છે.

કોરોના વાઇરસના રોગચાળાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનને લીધે વિવિધ ક્ષેત્રોને ભારે નુકસાનને ભરપાઈ કરવા માટે રિઝર્વ બેન્કે કેટલીય જાહેરાતો કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ખાસ કરીને હાઉસિંગ કન્સ્ટ્રક્શન તથા મધ્યમ કકદના ઉદ્યોગોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ જાહેરાતોથી દેશના રોજગાર માર્કેટનો મોટું પ્રોત્સાહન મળવાની આશા છે. લોકડાઉનને કારણે અર્થતંત્રને લાગેલા ઝટકાને લીધે મોટા પ્રમાણમાં નોકરીઓ જવાની અપેક્ષા છે. આવામાં રિઝર્વ બેન્કની આ જાહેરાત રોજગાર બજાર માટે સંજીવનીનું કામ કરે એવી શક્યતા છે.

એક લાખ કરોડ રૂપિયાનો બુસ્ટર ડોઝ
રિઝર્વ બેન્કે સિડબીને રૂ. 15,000 કરોડ, નેશનલ હાઉસિંગ બેન્કને રૂ. 10,000 કરોડ તથા નાબાર્ડને રૂ. 25,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય રિઝર્વ બેન્કે થ્રી લોંગ ટર્મ રેપો ઓપરેશન (TLTRO) 2.0ની શરૂઆત રૂ. 50,000 કરોડથી થશે. આમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનન્સનો ફંડ મળશે.

TLTROથી જોબ માર્કેટમાં તેજી આવશે
ટાર્ગેટેટ લોંગ ટર્મ રિપો ઓપરેશન્સ (TLTRO) દ્વારા ક્રેડિટ સંસ્થાઓને ધિરાણ કરવામાં આવે છે. આના હેઠળ બેન્કોને લાંબા સમય માટે આકર્ષક શરતો પર ફન્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આનાથી બેન્કોને લોનો આપવામાં સુવિધા મળે છે તો અર્થતંત્રને ઋણ દેવા માટે પણ આ સારો સમય છે. ઉદ્યોગોની પાસે જેટલી રોકડની તરલતા હશે, તેટલી એમનો વિસ્તરણ થશે. પરિણામસ્વરૂપ રોજગારીમાં વધારો થશે.
રિવર્સ રેપો રેટ ઘટવાથી વધશે રોકડ
લોકોને લોનો લેવામાં સરળતા રહેશે. એટલા માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ ઘટાડ્યો છે. હવે એ ચારથી ઘટીને 3.75 ટકા થયો છે. આની જોબ માર્કેટ પર સકારાત્મક અસર પડશે. બેન્ક હવે રિઝર્વ બેન્ક પાસે પોતાના પૈસા નહીં રાખે, કેમ કે રિઝર્વ બેન્ક હવે પહેલાં કરતાં ઓછું વ્યાજ આપશે. આનું પરિણામ એ થશે કે હવે બેન્કોની પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ રહેશે અને કંપનીઓ હવે નાણાં લઈને વિસ્તરણ કરી શકશે, જેથી વધારાની જોબ પેદા થશે.

બેન્કોને ડિવિડન્ડ આપવા પર પ્રતિબંધ


રિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું છે કે બેન્કો હવે તેમના નફામાંથી ડિવિડન્ડ નહીં આપે. જેથી બેન્કો પાસે મૂડી વધશે, જેથી હવે બેન્કો ઉદ્યોગોને ધિરાણ કરી શકશે. બેન્કો જેટલી વધુ લોનો ઉદ્યોગોને આપશે, જેનાથી ઔદ્યોગિક કામકાજમાં વધારો થશે. જેને પરિણામે જોબ માર્કેટમાં તેજી આવશે.
NBFC, MFIને રૂ. 50,000 કરોડ


રિઝર્વ બેન્કે નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપનીઓ તથા માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સને TLTRO દ્વારા રૂ. 50,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. આનો સૌથી મોટા લાભ નાના ઉદ્યોગો અને વેપારીઓને મળશે. દેશમાં સૌથી વધુ લોકો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે અને આ ક્ષેત્રને મોટા ભાગની લોનો NBFC અને MFIથી મળે છે, એટલે નાના વેપારીઓની પાસે જેટલી વધુ રોકડ હશે, તેટલું એ લોકો કંપનીનું વિસ્તરણ કરશે. જેનાથી વધુથી વધુ લોકોને નોકરીઓ મળશે.
નાબાર્ડ, સિડબી અને એનએચબીને રૂ. 50,000 કરોડ


હાલમાં ગ્રામીણ કૃષકો અને ગ્રામીણ પરિવારોને નાબાર્ડ અને સિડબી દરેક સંભવિત સહાયતા અને માર્ગદર્શન કરી રહી છે તથા સમયાંતરે આર્થિક છૂટ પણ પ્રદાન કરે છે. રિઝર્વ બેન્ક દ્વારા રૂ. 50,000 કરોડ મળવાથી બેન્કો વધુ ને વધુ લોન આપવા પ્રેરાશે. જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોની સ્થિતિ સુદ્રઢ થશે.
કોમર્શિયલ રિયલ્ટી પ્રોજેક્ટ લોન એક્સટેન્શન


રિઝર્વ બેન્કે કોમર્શિયલ પ્રોજેક્ટની લોનને એક વર્ષ માટે એક્સટેન્શન આપ્યું છે. એનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત મળી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે. એટલા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તરલતા વધારવા માટે પણ જોબ માર્કેટ પર સાનુકૂળ અસર પડશે.
રેપો રેટમાં કોઈ બદલાવ નથી


રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી અને એનમે 4.40 ટકાએ યથાવત્ રાખ્યો છે. પાછલા કેટલાક ત્રિમાસિકના રેપો રેટનો આ સૌથી નીચલો સ્તર છે.
જરૂર પડી તો ઓર TLTRO-2


રિઝર્વ બેન્કોએ સ્પષ્ટ કર્યું છે કે જો સિસ્ટમમાં રોકડની ખેંચ છે અને બેન્ક વધુ TLTRO જારી કરશે. આમાં ઉદ્યોગોને લોનો આપવા માટે વધુ રોકડ ઉપલબ્ધ થઈ શકશે.

 

અમેરિકા ભારતને રૂ. 1,178 કરોડનાં મિસાઇલ્સ વેચશે

નવી દિલ્હીઃ ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતને 155 મિલિયન ડોલરના ટોર્પિડો મિસાઇલને ભારતને વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારતને રૂપિયા 1,178 કરોડની હાર્પૂન તેમ જ ટોર્પિડો મિસાઇલ્સ વેચવાની અમેરિકાના વિદેશ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને કહ્યું હતું કે ઇન્ડો-પેસિફિક સમુદ્ર ક્ષેત્રે ચીની લશ્કરના વધતા જતા પ્રભુત્વને લઈને તેમ જ તેને લઈને વધતા જોખમનો સામનો કરવા માટે ભારતે મિસાઇલનો સોદો જલદી પાર પાડવા દબાણ કર્યું હતું, તેથી યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ સોદાને ત્વરિત મંજૂરી આપી દીધી છે.

ભારત અમેરિકાનું મુખ્ય સંરક્ષણ ભાગીદાર

વર્ષ 2016માં અમેરિકાએ ભારતને તેનું ‘મુખ્ય રક્ષા ભાગીદાર’ ઘોષિત કર્યું હતું. અમેરિકા તરફથી કોઈ દેશને આ દરજ્જો આપવાનો અર્થ એ છે કે એ દેશ અમેરિકા પાસેથી અત્યાધુનિક તકનિકી લશ્કરી ઉપકરણો ખરીદી શકશે. અમેરિકા આ દરજ્જા હેઠળ ફક્ત તેના સહયોગી તેમ જ મિત્ર દેશોને જ હથિયાર વેચે છે.

આ સોદા અંતર્ગત અમેરિકા ભારતને જે મિસાઈલો વેચશે તેમાં હાર્પૂન તેમજ ટોર્પિડો મિસાઇલ્સનો સમાવેશ છે. જેની કિંમત 155 મિલિયન ડોલર એટલે કે 1,178 કરોડ રૂપિયા છે. આ મિસાઇલોની મદદથી ભારત તેની સામે રહેલા સમુદ્ર સીમાના ક્ષેત્રીય જોખમનો સારી રીતે સામનો કરી શકશે. તેમ જ પોતાનું સંરક્ષણ ક્ષેત્ર પણ મજબૂત બનાવી શકશે.

કોરોનાનું ઉદગમ સ્થાન ચીન

વિશ્વભરમાં ફેલાયેલી બીમારી કોરોનાનું ઉદગમ સ્થાન ચીન છે. આ સંકટ સામે ચીન પોતે પણ ઝઝૂમી રહ્યું છે. છતાં એ સીધું ચાલે તેવું તો નથી જ. છેલ્લા કેટલાય સમયથી ચીન પડોશી દેશોની જમીનની સરહદો સાથે સાથે હવે દરિયાઈ સીમાઓને લઈને પણ પડોશી દેશો સાથે ટક્કર લઇ રહ્યું છે.

દક્ષિણ ચીની સમુદ્ર પર હક જમાવતું ચીન

દક્ષિણી ચીની સમુદ્ર અને પૂર્વી ચીની સમુદ્ર પર એની મહદંશે ટક્કર જોવા મળે છે, તેમાં દક્ષિણી ચીની સમુદ્ર પર તો ચીન પોતાનો પૂરેપૂરો હક જમાવી રહ્યું છે, જ્યારે આ સમુદ્રી સીમા પર વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઈ અને તાઈવાન જેવા દેશોનું સાર્વભૌમત્વ છે. તે જ રીતે જાપાન સાથે પણ ક્ષેત્રીય સીમાને લઈને ચીનનો સંઘર્ષ ચાલી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વ ચીની સમુદ્ર ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. તેથી આર્થિક તેમ જ વૈશ્વિક વ્યાપારના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ આ ક્ષેત્ર બહુ જ મહત્વ ધરાવે છે. તેના પર પણ ચીન પોતાની તેજ નજર રાખી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે 10 AGM-84L હાર્પૂન બ્લૉક II એર-લોન્ચ મિસાઇલ માટે ભારતે 92 મિલિયન ડોલર ચૂકવવા પડશે, જ્યારે 16 માર્ક 54 લાઇટવેઇટ ટોર્પિડો અને 3 માર્ક 54 એક્સરસાઈઝ ટોર્પિડોસ મિસાઇલ માટે ભારતે 63 મિલિયન ડોલરની ચુકવણી કરવી પડશે. અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીએ અમેરિકાની સંસદને આ સોદાની જાણકારી આપી હતી.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય- પેન્ટાગોનના જણાવ્યા પ્રમાણે હાર્પૂન મિસાઇલ દ્વારા હવાઈ માર્ગ પરથી સમુદ્રી સીમાઓનું ધ્યાન રાખી શકાય છે તેમ જ કોઈ શંકાશીલ જહાજ પર નિશાન તાકીને આક્રમણ પણ કરી શકાય છે. પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે આ સોદા હેઠળ અમેરિકા તેમ જ તેના સહયોગી અને મિત્ર દેશોના આપસી સહકાર વડે સંવેદનશીલ સમુદ્રી સીમા ક્ષેત્રો પર ધ્યાન રાખવું વધુ સરળ થઈ જશે.

 

શું તમે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન વાપરી રહ્યા છો?

નવી દિલ્હી: વોટ્સએપના વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. આ એપમાં અનેક ફિચર્સ છે જે તમને મિત્રો અને પરિવાર સાથે સરળતાથી જોડાયેલા રાખે છે. વોટ્સએપ સતત તેમના પ્લેટફોર્મને વધુ સારુ બનાવવા માટે નવા અપડેટ આપતુ રહે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારા વોટ્સએપને કેવી રીતે અપડેટ કરી શકો છો.

વોટ્સએપને તમારા ફોનના એપ્લિકેશન સ્ટોર પરથી અપડેટ કરવું એકદમ સરળ છે. અહીં મહત્વની વાત એ છે કે, જો તમારા વોટ્સએપ પર કોઈ મેસેજ મળ્યો હોય અને તેને તમારું વોટ્સએપ વર્ઝન સપોર્ટ નથી કરતું તો તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવાની જરૂર છે. કંપની હંમેશા અપડેટેડ વર્ઝન વાપરવાનો જ આગ્રહ કરે છે. લેટેસ્ટ વર્ઝનમાં નવા ફિચર્સની સાથે બગ રહેતી નથી. એટલા માટે જ વોટ્સએપના અપડેટેડ વર્ઝનનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.

એન્ડ્રોઈડ પર આવી રીતે કરો અપડેટ

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને વોટ્સએપ સર્ચ કરો. ત્યાં તમને વોટ્સએપ મેસેન્જરની બાજુમાં લખેલુ દેખાશે અપડેટ(જો તમારું વોટ્સએપ લેટેસ્ટ અપડેટ વાળુ નહીં હોય તો) તેના પર ક્લિક કરો. બસ આ અપડેટ થઈ ગયા બાદ તમે નવા વર્ઝનનો ઉપયોગ કરી શકો છો. આઈફોન પર અપડેટ કરવા માટે પણ તમે એપ સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરી તેને અપડેટ કરી શકો છો.

KaiOS (કાઈઓએસ)

એપ મેનુમાં જઈને જિયોસ્ટોર પર પ્રેસ કરો. ત્યાર પછી સોશિયલ સિલેકટ કરવા માટે સાઈડમાં સ્ક્રોલ કરો. હવે વોટ્સએપ સિલેક્ટ કરો. હવે ઓકે કરો અથવા અપડેટ સિલેક્ટ કરો. બસ થઈ ગયું તમારું વોટ્સએપ અપડેટ.

પંચાંગ 18/04/2020

રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવાર

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર વતી માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે રાજ્યની તમામ 31 કોવિડ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડ-19ની સારવારનો લાભ વિનામૂલ્યે મળે તે માટે નિર્ણય કર્યો છે.અશ્વિની કુમારે ઉમેર્ય કે મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ આવી કોવિડ કોરોના ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે. આવી હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ રૂ. રપ લાખની સહાય તેવા આરોગ્યકર્મીને અપાશે.

સરકારે કોરોના વાયરસના સંક્રમણને જોતા આજે મધરાતથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ  રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના જંગલેશ્વરમાં કર્ફ્યૂ દરમિયાન પણ અમદાવાદની જેમ ચોક્કસ સમયે છૂટ અપાશે.

રાજ્યમાં આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી કચેરીઓ તેમજ સરકારી કચેરીઓ 20મી એપ્રિલથી ખૂલશે. આ કચેરીઓમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સરકારની ગાઇડલાઇન મુજબ કાર્ય શરૂ થશે. કોવિડ-19 ચેપ વાયરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસીટી વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ દરમિયાન હોટસ્પોટ વિસ્તારની કચેરીઓ બંધ રાખવામાં આવશે. રાજ્યમાં 20મી એપ્રિલથી તબક્કાવાર સરકારી કચેરીઓ ખુલશે. રાજ્યના 60 માર્કેટિંગ યાર્ડ પણ કાર્યરત થયા છે ત્યારે સરકાર તરફથી કેન્દ્રની ગાઇડલાઇન મુજબ વેપાર ઉદ્યોગો શરૂ કરાવવામાં આવશે જોકે, આ તમામ છૂટમાં હોટસ્પોટ વિસ્તારોને છૂટ નહીં મળે.