Home Blog Page 4861

રાશિ ભવિષ્ય 12/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ, માથા, આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગ ક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

Chitralekha Marathi – April 20, 2020

PDF Version
This post is only available to members.

રામાયણના પુનઃપ્રસારણ પહેલાં જ આ કલાકારોએ દુનિયા છોડી

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે આખા દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ સમય દરમિયાન ડીડી નેશનલ પર બે વાર રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે કે જેને જે-તે સમયમાં અદભૂત સફળતા મળી હતી. રામાયણના રી-ટેલીકાસ્ટે દર્શકોને એ સમયમાં પહોંચાડી દીધા છે કે જ્યારે રામાયણના પ્રસારણ દરમિયાન રોડ પર સન્નાટો છવાઈ જાતો હતો. રામાયણની જૂની યાદો વચ્ચે મુખ્ય ભૂમિકા નિભાવનારા કલાકાર પણ યાદોમાં પાછા ફરીને આવ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ પૈકીના કેટલાય કલાકારો હવે આ દુનિયામાં રહ્યા નથી.

સુગ્રીવ (શ્યામ સુંદર કલાની)- સંયોગની વાત છે કે રામાયણના પુનઃ પ્રસારણના બે દિવસ પહેલા જ શ્યામ સુંદર કલાની આ દુનિયામાંથી ચાલ્યા ગયા. શ્યામ સુંદરે રામાયણમાં સુગ્રીવ અને બાલીનું પાત્ર નિભાવ્યું હતું. તેમણે કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રામાયણમાં સુગ્રીવના પાત્રએ તેમને ખૂબ પ્રસિદ્ધી અપાવી હતી. કલાનીનું નિધન 26 માર્ચના રોજ થયું હતું.

હનુમાન (દારા સિંહ)- હનુમાનનું પાત્ર રામાયણના સૌથી લોકપ્રિય પાત્રોમાં સમાવિષ્ટ છે. આ પાત્રને દારા સિંહે નિભાવ્યું હતું. તે સમયે દારા સિંહની ઉંમર 60 વર્ષ થઈ ચૂકી હતી. તેમનું નિધન 2012 માં થયું હતું.

મંથરા (લલીતા પવાર)- મંથરા સંભવતઃ રામાયણના એ પાત્રોમાં જોડાયેલા છે કે જેને સૌથી વધારે નફરત મળી હોય. ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસ પર મોકલવા માટે મંથરાને જ જવાબદાર માનવામાં આવે છે. આ પાત્રને વેટરન એક્ટ્રેસ લલિતા પાવારે નિભાવ્યું હતું. હિંદી ફિલ્મોમાં લલિતા પવારનું લાંબુ યોગદાન રહ્યું છે. લલિતા પવારનું નિધન રામાયણના પ્રથમ પ્રસારણ દરમિયાન 1988 માં થયું હતું.

વિભિષણ (મુકેશ રાવલ)- રાવણના નાના ભાઈ વિભિષણનું પાત્ર મુકેશ રાવલે નિભાવ્યું હતું. નુકેશે હિંદી અને ગુજરાતી ફિલ્મો અને સીરીયલોમાં કામ કર્યું છે. વર્ષ 2016 માં તેમનું નિધન થઈ ગયું હતું. તેમનો મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યો હતો.

જનક (મૂલરાજ રાજદા) – સીતાના પિતા મિથિલા નરેશ જનકનું પાત્ર મૂલરાજ રાજદાએ નિભાવ્યું હતું. મૂલરાજ હિંદી અને ગુજરાતી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. તેમણે વિક્રમ અને વેતાળ સિવાય વિશ્વામિત્ર સિરીયલમાં વશિષ્ઠ મુનીનો રોલ નિભાવ્યો હતો. તેમનું અવસાન 2012 માં થયું હતું.

કૌશલ્યાઃ જયશ્રી ગડકરે રામાયણમાં રામના માતા કૌશલ્યાનું પાત્ર નિભાવ્યું હતું. જયશ્રી ગડકર હિંદી અને મરાઠી ફિલ્મોની વેટરન એક્ટ્રેસ હતી. તેમનું નિધન વર્ષ 2008 માં થયું હતું.

મુંબઈઃ બીકેસી વિસ્તારમાં જંતુનાશકનો છંટકાવ…

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે મુંબઈમાં સત્તાવાળાઓ અનેક પગલાં લઈ રહ્યા છે. બાન્દ્રા-કુર્લા-કોમ્પલેક્સ વિસ્તારમાં 11 એપ્રિલ, શનિવારે આવા મશીનો દ્વારા જંતુનાશક પ્રવાહીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ મશીન વડે સમગ્ર E-બ્લોકને આવરી લેવામાં આવ્યો હતો જેમાં ઈન્કમ ટેક્સ કાર્યાલય વિસ્તારનો પણ સમાવેશ થાય છે.


રાજ્ય સરકાર હસ્તકની કંપની MMRDAના સંગાથમાં UPL કંપની દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. UPL કંપનીએ MMRDAને બે ફાલ્કન સ્પ્રેઈંગ મશીન પૂરા પાડ્યા છે અને સાથે બે નિષ્ણાત પણ આપ્યા છે. આ માટે તેણે કોઈ પૈસા ચાર્જ કર્યા નથી. આ મશીન દ્વારા વિસ્તારમાં 1 લાખ જેટલું સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યૂશન્સ છાંટવામાં આવી રહ્યું છે.
















 

વૈશ્વિક ક્રૂડ ઓઇલની ઘટેલી કિંમતોનો લાભ ભારતને મળશે?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાનો લાભ ઉઠાવવા માટે ભારત પોતાના ભૂગર્ભ ફંડાર ભરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે એની ઇમર્જન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 53.3 લાખ ટન ભંડાર તૈયાર કર્યો છે. કર્ણાટકના મેગલુરુ અને પાડુર તથા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનેલા આ અનામત ભંડારથી ઇમર્જન્સી સ્થિતિમાં 10 દિવસ સુધી જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. આ અનામત ભંડારનો ભરવા માટે ભારતે સાઉદી અરેબિયા અને યુએઈથી આયાતમાં વધારો કર્યો છે.

ક્રૂડની કિંમતોમાં 60 ટકાનો ઘટાડો

આ મામલા સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે મેંગલુરુ અને પાડુરના અનામત ભંડાર અડધા ખાલી છે, જ્યારે વિશાખાપટ્ટનમવાળા અનામતમાં પણ થોડી જગ્યા ખાલી છે. જેથી સાઉદી અરેબિયા, યુએઈ અને ઇરાકથી ઓઇલ ખરીદીને એમને ભરવામાં આવશે. કોરોના કકારણે ઊભી થયેલી સ્થિતિને લીધે ઓઇલની માગ ઓછી હોવાને કારણે અને ઓપેક તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન કાપ મૂકવામાં ના આવતાં જાન્યુઆરીથી અત્યાર સુધી ઓઇલની કિંમતોમાં 60 ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે.

હાલના સમયે ક્રૂડ ઓઇલની કિંમતો 30 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પાછલા દિવસોમાં સાઉદી અરેબિયા અને યુએઈમાં તેમના સમકક્ષ નેતાઓ સાથે વાતચીત કરીને ક્રૂડ ભંડાર વધારવા પર ચર્ચા કરી હતી.

ભારત ઇમર્જન્સી સ્થિતિમાં વિદેશી કંપનીનું ક્રૂડનો ઉપયોગ કરી શકશે

ભારતે અનામત અને કિંમતોમાં મોટા ફેરફારની સ્થિતિમાંથી બચવા માટે સુરક્ષિત રહેવા માટે ભૂગર્ભ સ્ટોરેજ તૈયાર કર્યો છે. ભારતે વિદેશી કંપનીઓને પણ આ શરતોએ ક્રૂડ ઓઇલ રાખવા માટે મંજૂરી આપી છે, કે કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિમાં ભારત એ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી શકશે. આ શરતે અભુ ધાબી નેશનલ ઓઇલ કંપની (એડનોક)એ મેંગલોરના સ્ટોરેજમાં 15 લાખ ટનની જગ્યા ભાડે લીધી છે.

સરકારી ઓઇલ કંપનીઓને ઓઇલનું સ્ટોરેજ કરવા નિર્દેશ

કર્ણાટકના પાડુર સૌથી મોટું સ્ટોરેજ છે, જેની કુલ ક્ષમતા 25 લાખ ટન (આશરે 1.7 કરોડ બેરલ) છે. આમાં અડધા સ્ટોરેજને સરકાર ભરી પણ ચૂકી છે. બાકીની અડધી જગ્યા ભરવા માટે સાઉદી અરેબિયાથી ઓઇલ લેવા માટે મંત્રણા કરી રહ્યું છે. સરકારે આઇઓસી, BPCL અને HPCLને આ ત્રણ ખાડી દેશોથી ઓઇલ ખરીદવા અને આ સ્ટોરેજને ભરવા માટે નિર્દેશ કર્યો છે.

કેન્દ્રએ રૂ. 700 કરોડનું ફંડ ફાળવ્યું, રૂ. 2,000 કરોડની આવશ્યકતા

હાલ નાણાં મંત્રાલયે આ માટે રૂ. 700 કરોડનું ફંડ ફાળવ્યું છે. મંગલુરુ, પાડુર અને વિશાખાપટ્ટનમના સ્ટોરેજને ભરવા માટે 1.5 કરોડ ઓઇલની જરૂર છે અને આ માટે કમસે કમ રૂ. 2,000 કરોડની જરૂર છે.

કોરોના સંકટઃ પ્રિયંકા ચોપરા લોસ એન્જેલીસમાં બાળકોને ભણવામાં મદદ કરી રહી છે

લોસ એન્જેલીસઃ બોલીવૂડમાંથી હોલીવૂડની અભિનેત્રી બનેલી અને હવે અમેરિકન નાગરિક નિક જોનસને પરણીને અમેરિકામાં રહેતી પ્રિયંકા ચોપરા કોરોના વાઈરસ જાગતિક રોગચાળા વિશે જનજાગૃતિ લાવવામાં અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવામાં પોતાના પ્રયાસો કરી રહી છે.

અત્યંત ચેપી અને જીવલેણ કોવિડ-19 મહાબીમારીના ફેલાવાને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 20 હજાર જેટલા લોકોના મરણ થઈ ચૂક્યા છે અને પાંચ લાખથી વધારે લોકોને આ રોગનો ચેપ લાગી ચૂક્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં અમેરિકામાં બે હજારથી વધારે લોકોનાં મરણ થયા હતા.

આવા કપરા સમયમાં અમેરિકાનાં લોકોને ‘દેશી ગર્લ’ પ્રિયંકા મદદરૂપ થઈ રહી છે.

આ રોગચાળાને કારણે અમેરિકામાં બાળકોનાં શિક્ષણને મોટો ફટકો પડ્યો છે. પ્રિયંકા શિક્ષણને કાયમ મહત્ત્વ આપતી આવી છે.

આ ‘ક્વેન્ટિકો’ અભિનેત્રીએ સોશિયલ મિડિયા પરની એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે લોસ એન્જેલીસ શહેરમાં બાળકોને વર્ચ્યુઅલ શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ રહી છે. પોતે બાળકોને એ માટે હેડફોન્સ પૂરા પાડી રહી છે.

આ સહાયતા માટે પ્રિયંકાએ એક સેવાભાવી સંસ્થા સાથે સહયોગ કર્યો છે, જે સંસ્થા બાળકોને હેડફોન્સ આપશે.

પ્રિયંકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો સંદેશ શેર કર્યો છે જેમાં તેણે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.

એણે કહ્યું છે કે તેણે JBL સંસ્થા સાથે સહયોગ કર્યો છે જે લોસ એન્જેલીસમાં બાળકોને હેડફોન્સ પૂરા પાડશે, જેથી તેઓ નવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સમાં ભણી શકે. અમે સાથે મળીને આ કામ કરી રહ્યાં છીએ.

પ્રિયંકાએ એમ પણ કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં લોકો આગળ આવીને એકબીજાને મદદ કરે એ મહત્ત્વનું છે. યુવા સશક્તિકરણ અને શિક્ષણમાં સફળતા બે એવા કારણ છે જે કાયમ મારા દિલની નિકટ રહ્યા છે.

સુવિચાર – ૧૨ એપ્રિલ, ૨૦૨૦

EMI ફ્રોડઃ જાહેર-ખાનગી બેન્કોએ ગ્રાહકોને ચેતવ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લોકડાઉન લાગુ થયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ત્રણ મહિના એટલે કે 31 માર્ચથી 31 મે સુધી દરેક પ્રકારની ચુકવણી, લોન અને ક્રેડિટ કાર્ડ બિલના EMIમાં  હાલ પૂરતું હંગામી ધોરણે રાહત આપી છે. આવામાં ઓનલાઇન છેતરપિંડી કરવાવાળા સક્રિય થઈ ગયા છે અને ગ્રાહકોને છેતરવા માટે દાવપેચ અજમાવી રહ્યા છે. દેશમાં મોટી બેન્કો જેવી કે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક સહિત અન્ય બેન્કોએ પોતાના ગ્રાહકોને આવી છેતરપિંડી કરવા સામે ચેતવ્યા છે.

ચાલો, જાણીએ EMI છેતરપિંડી કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચી શકાય?

આ છેતરપિંડી તમારી બેન્કના કર્મચારી વાત કરશે?

તમને ફસાવવા માટે, તમને છેતરવા માટે આ છેતરપિંડી તમારા બેન્કના કર્મચારીને વાત કરશે અને તમને જણાવશે કે તમે કઈ રીતે EMI પર હંગામી રાહતનો લાભ લઈ શકો છો.

કોલ સાચો લાગે એટલે આના માટે તમારી વ્યક્તિગત માહિતીની ચકાસણી થશે

તમારી સાથે છેતરપિંડી કરવા માટે અને કોલ સાચો લાગે એ માટે અને તમને કોઈ પણ જાતની શંકા ના થાય એટલા માટે તમારી જન્મતિથિ, આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ જેવી માહિતીની ચકાસણી કરવાનું બહાનું કાઢશે.

છેતરવાવાળા લોકો તમને EMI  અને ક્રેડિટ કાર્ટ વિશે સ્પષ્ટીકરણ આપશે

આ ઓનલાઇન ઠગો તમને જણાવશે કે EMI, ક્રેડિટ કાર્ડ પર કેવી રીતે હંગામી રાહત મળી શકે છે અને તમારી મદદ કરવાની કોશિશનું બહાનું કાઢશે. આ લોકો તમને કોલ પર સપોર્ટ કરશે અને જરૂરી શરતો અને નિયમ વિશે વિસ્તારથી જણાવશે.

ઓનલાઇન ફોર્મથી કાર્ડ સાથે સંકળાયેલી સંકળાયેલી માહિતી

EMIમાં હંગામી રાહત આપવાને નામે તમને એક ઓનલાઇન ફોર્મ ભરવાનું કહેવામાં આવશે. આ ફોર્મમાં તમારો કાર્ડ નંબર, CVV અને એક્સપાયરી ડેટ જેવી માહિતી પૂછવામાં આવશે. તમારો વિશ્વાસ જીતવા માટે તમને તમારા ફોન પર OTP આવવાની માહિતી આપવામાં આવશે.જેથી ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવા માટે તમને શેર કરવાનું કહેવામાં આવશે.

ત્યાર બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને OTP પૂછવામાં આવશે

હવે તમારી માહિતી વગર જ ફ્રોડ કોલર એક ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થશે. આ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા ઓનલાઇન ફોર્મમાં અપાયેલી માહિતીને આધારે થશે. ત્યાર બાદ OTP પૂછવામાં આવશે, જે તમારા રજિસ્ટર્ડ ફોન પર તમને મળશે.

EMIમાં રાહત માટે તમે OTP શેર કર્યો, તમારુ અકાઉન્ટ સાફ થઈ ગયું

પીડિત એ વિચારીને OTP શેર કરી દે છે કે તેમને EMIમાંથી રાહત મળી જશે, પરંતુ જેવો ગ્રાહતે OTP શેર કર્યો કે તેના ખાતામાંથી પૈસા ઊપડી જાય છે.

લોકડાઉનમાં પોલીસ ફરિયાદ પણ મુશ્કેલ

લોકડાઉનના આ સમયમાં ટ્રાન્ઝેક્શન ઘરેથી કેન્સલ કરવાનું મુશ્કેલ છે. આ સિવાય પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી સરળ નહીં હોય. ગ્રાહક છેતરપિંડીની જાણ થઈ હોવા છતાં તે ઘરેથી કંઈ પણ કરી નહીં શકે. એટલા માટે આ સ્કેમ માટે આ એકદમ યોગ્ય સમય છે.

ક્યારેય પોતાના ફોન, ઈમેલ અથવા કોઈ ઓનલાઇન ફોર્મ ભરીને વ્યક્તિગત માહિતી કોઈને ના આપો.

ખાધ સામગ્રીના બોક્સને જંતુનાશક કઈ રીતે કરશો?

હાલના કોરોનાગ્રસ્ત વાતાવરણમાં ઘર માટે જરૂરી વસ્તુઓ લેવા કોઈક વાર બહાર નીકળવું પડે. આ વસ્તુઓ જો રેફ્રીજરેટરમાં મૂકવાની હોય તો સહેજે વિચાર આવે કે, ગ્રોસરી સ્ટોરમાંથી લાવેલા અનાજ-કઠોળના કે મસાલાના પેકેજ કે બીજા ખાદ્ય પદાર્થના બોક્સ સીધેસીધા ફ્રીજ માં મૂકી દેવાય? ધારો કે, આ પેકેટ કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિના હાથમાંથી પસાર થયું હોય તો? આ પેકેટ રેફ્રીજરેટરમાં મૂકવામાં આવે તો તેના પર ચોંટેલા વાયરસ ફ્રીજમાં કેટલા દિવસ સુધી ટકી રહે? આવા ઘણાં બધાં વિચાર આવે અને મગજ ચકરાવે ચડી જાય!

‘કોરોના વાયરસ એ વારસાગત ચીકણો એટલે કે ચોંટી જાય તેવો વાયરસ છે. જે કોઈ પણ સપાટી પર આશ્ચર્યજનક રીતે લાંબો સમય સુધી ચોંટી રહે છે. ત્યારબાદ તે સપાટી પર તેનો નાશ થાય છે.’ આ શબ્દો ડો.વોર્નર ગ્રીનના છે જેઓ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી ગ્લેડસ્ટોન ઇન્સ્ટિટયૂટના સિનિયર વાયરોલોજીસ્ટ અને રિસર્ચ સાયન્ટિસ્ટ છે.

હાલના સમયમાં કોરોનાવાયરસ વિષે સંશોધનો થઈ રહ્યા છે. જેમાં તેનો ઊંડાણથી અભ્યાસ થઇ રહ્યો છે કે, કઈ રીતે આ વાયરસ માનવ શરીરમાં ફેલાઈને કામ કરે છે.

ઘણાં સંશોધકો સાર્સ વાયરસ જે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩ દરમ્યાન ઉદ્ભવ્યો હતો તેના પર થયેલા સંશોધનોનો અભ્યાસ કરી રહ્યાં છે. કારણ કે, તે વાયરસ, કોરોના વાયરસ ફેમિલીનો હતો. વર્તમાન કોરોના વાયરસ તે વાયરસને મળતો આવે છે.

વર્ષ ૨૦૧૦માં અમેરિકન માઇક્રોબાયોલોજી એસોસિયેશનના રિસર્ચ પ્રમાણે સાબિત થયું હતું કે, આ સાર્સ વાયરસ (SARS) ભેજવાળા તેમજ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વાતાવરણ જે રેફ્રિજરેટરમાં હોય છે. એવા વાતાવરણમાં ફળે છે એટલે કે, વધે છે.

જો કે, આ સંશોધન વર્તમાન કોરોના વાયરસ પરનું નથી. પરંતુ માનવામાં આવે છે કે, આ વાયરસ એ જ પરિવારનો હોવાથી આ બાબતો તેને પણ લાગુ પડે છે. તેથી ઘણી સાવચેતી રાખવી જરૂરી છે. આ જ વાતને લઈને ડો.ગ્રીન કહે છે કે, ‘બહારથી લાવવામાં આવેલી કોઈપણ વસ્તુને ફ્રિજમાં મૂકતાં પહેલાં જંતુનાશક કરીને મૂકવી. કોઈપણ જાતના ફૂડપેકેટ્સ, કોઈ પણ ખાદ્ય સામગ્રી જે કાર્ડબોર્ડના બોક્સમાં કે કન્ટેનરમાં હોય તેને disinfect એટલે કે, જંતુનાશક કરી લેવા.

આ ઉપરાંત ડોક્ટર બૅન ચેપ્મેન જેઓ ફુડ સેફ્ટી એક્સપર્ટ છે અને નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં લેક્ચરર છે. તેઓ પણ આ જ બાબત વિશે કહે છે, ‘તમે કોઈપણ ખાધ પદાર્થ કે ગ્રોસરી (કરિયાણા)ના પેકેટ્સ કે બોક્સ ઘરમાં લાવો કે, તરત હાથ સાબુથી ધોઈ લેવા. હું તો ક્યારે પણ કરિયાણાની વસ્તુઓ ઘરે લાવ્યા બાદ હાથ સાબુથી ધોઈ લઉં છું.’ તેઓ વધુમાં ઉમેરે છે, ‘આ વસ્તુઓ ગોઠવ્યા બાદ પણ હું હાથ ધોઈ લઉં છું. હું તો તમને સહુને સલાહ આપીશ કે, તમે રાંધતી વખતે પણ હાથ ધોઈને રસોઈની તૈયારી કરવાનું રાખો.’

ખાધ સામગ્રીના બોક્સને જંતુનાશક કઈ રીતે બનાવશો?

જંતુનાશક પ્રવાહી તૈયાર કરવા માટે એક બાઉલમાં થોડું સાબુવાળું પાણી લેવું. તેમાં થોડું (ચપટી જેટલું) લિક્વિડ બ્લીચ ઉમેરી દો. આ મિશ્રણમાં કોટનનું એક કાપડ ભીંજવીને નીચોવી લો. આ કાપડથી ફુડ કન્ટેનર, બોટલો કે કાર્ડબોર્ડના બોક્સ લૂછીને જંતુનાશક કરી શકો છો.

અને હા, ત્યારબાદ તમારા હાથને સાબુથી 20 સેકન્ડ સુધી ધોયા બાદ પાણીથી ધોઈ લેવા.

હવે હવાઈ મુસાફરી ઘણી બધી બદલાઇ જઇ શકે છે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં નાટકીય રીતે જે વધારો જોવા મળ્યો છે તે જોતા એ તો નક્કી છે કે, દેશમાં હવાઈ યાત્રા હાલના તબક્કે તો શરુ થવાના કોઈ એંધાણ નથી. પરંતુ અહીં એ પણ જાણવું જરૂરી છે કે હવે જ્યારે પણ હવાઈ મુસાફરી શરુ થશે તો પહેલા જેવું નહીં રહે. હવે એરપોર્ટ પર અને વિમાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો બનાવવામાં આવશે અને હવાઈયાત્રા મોંઘી પણ બની જશે.

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ યાત્રીઓના એરપોર્ટ પ્રવેશ પહેલા જ શરૂ થઈ જશે. એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ થર્મલ ટેમ્પરેચર સ્કેનરથી સજ્જ હશે અને જો યાત્રીને તાવ જેવા કોઈ લક્ષણ દેખાશે તો તેમને એરપોર્ટમાં પ્રવેશ આપવામાં નહીં આવે. યાત્રીઓની લાઈનોમાં પણ કડક વલણ દાખવામાં આવશે અને એક બીજા યાત્રીઓ વચ્ચે ઓછોમાં ઓછું એક મીટરનું અંતર જાળવામાં આવશે. આ ઉરાંત વિમાનમાં મુસાફરી વખતે પણ યાત્રીઓની બેઠક વ્યવસ્થામાં પણ અંતર જાળવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે વિમાનમાં જો અડધા જ મુસાફરોને લઈ જવામાં આવશે તો એનો અર્થ સ્પષ્ટ છે કે, ટિકિટની કિંમતોમાં મોટો ઉછાળો આવશે. આ સ્થિતિમાં મુંબઈથી દિલ્હી વચ્ચે ટિકિટના દર 8000 થી શરુ થઈ શકે છે. કારણે કે વિમાનમાં અડધી સીટો ખાલી રાખવામાં આવશે જેથી તેમના નુકસાનની ભરપાઈ કરવા આ ભાવ વધારો થશે.

ઓછા મુસાફરો સાથે ફ્લાઈટ ઉડાન ભરશે જેથી આપણા એરપોર્ટ જે પહેલાથી જ જગ્યાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને દિલ્હી અને મુંબઈ આ એરપોર્ટના કેટલાક ટર્મિનલ બંધ કરવા પડશે.

આ બધો આધાર એ સમયે વિમાન કંપનીઓની સ્થિતિ પર રહેલો છે. જ્યારે કોરોના મહામારી ખતમ થઈ જશે પછી પણ સરકારના રાહત પેકેજ વગર કેટલીક વિમાન કંપનીઓ માટે કોરોના વાઈરસના પ્રભાવમાંથી બહાર આવવું મુશ્કેલ બની જશે.