Home Blog Page 4870

રાશિ ભવિષ્ય 09/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાગ: 09/04/2020

(મયંક રાવલ)

કોરોનાના દર્દીનું ઘર બતાવશે ગુગલ

અમદાવાદ: કોરોના મહામારી સામે લડવા દરેક સ્તરે પ્રયત્નો હાથ ધરાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 179 પર પંહોચી ગઈ છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ છે. ત્યારે લોકોને કોરોના સંક્રમિત વિસ્તારો અને દર્દીઓના રહેણાંકોથી દૂર રાખવા માટે ગુગલ મેપમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવામાં કોરોના સંક્રમિત લોકોના વિસ્તારોને વિસ્તારોને માસ્ક પહેરેલ ઈમોજી દ્વારા ખાસ ચિન્હિત કરવામાં આવ્યા છે. માસ્ક પહેરેલ ઇમોજી પર ક્લિક કરતા કોરોનાના દર્દીનું નામ, સોસાયટી, ઉંમર સહિતની વિગત પણ જાણી શકાય છે. દરેક પોઝિટિવ કેસોને એક સિરીયલ નંબર પણ આપવામાં આવ્યો છે.

અહીં આપેલી લિન્ક પર ક્લિક કરીને તમે પણ જાણી શકો છો….

https://bit.ly/2Rmku7I

ગુગલ મેપ દ્વારા હાલ અમદાવાદ શહેરમાં આવા વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિતોની યાદી જાહેર કરાઇ છે જેના આધારે ગુગલ મેપ પર આ દર્દીઓના વિસ્તાર અને સોસાયટી પર ખાસ માર્કિંગ કરવામાં આવ્યું છે.

તમે આ મેપના આધારે પોતાને આ વિસ્તારમાં કે સોસાયટીમાં જવાથી રોકી શકો અને કોરોનાને ફેલાતો અટકાવી શકો છો. મહત્વનું છે કે, નવા પોઝિટિવ કેસો શહેરના કોટ વિસ્તારમાથી સામે આવતાં કોટ વિસ્તારમાં આવતા તમામ દરવાજાએ ચેકપોસ્ટ બનાવી કોર્ડન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, દિલ્લી દરવાજા, શાહપુર દરવાજા, ત્રણ દરવાજા સહિતના કોટ વિસ્તારમાં આવતા 9 દરવાજા પર મોટા પોલીસ કાફલા સાથે આરોગ્ય વિભાગની ટીમ મૂકવામા આવશે.

સાળંગપુરમાં સાદાઈથી ઉજવાયો હનુમાન દાદાનો હેપ્પી બર્થ ડે

સારંગપુરઃ આજે હનુમાન જયંતિનો પાવન અવસર છે. ભારતનું એક પણ ગામડુ એવું નથી કે જ્યાં બરંગબલીના બેસણા નહોય. નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેર સુધી દરેક જગ્યાએ ભગવાન હનુમાનજી મહારાજના મંદીરો તો હોય જ, કારણ કે આ તો ભક્તોના ભયને અને સંકટને હરનારા દેવ છે. હનુમાન જંયતિની દરેક મંદીરોમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અત્યારે ભારત દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે એટલે આ વર્ષ મંદીરમાં જઈને ભક્તો હનુમાનજી મહારાજના દર્શન નહોતા કરી શક્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં પણ દર વર્ષે લખો ભક્ત ની હાજરીમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી સાદાઈથી હનુમાન જયંતી મહોત્સવ ઉજવાયો હતો.જેમાં શ્રી કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરી ભવ્ય આરતી કરવામાં આવી હતી. દાદાનો અભિષેક કરી રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. અને દાદાને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ બધી વિધિ બહારના નાગરિકોને પ્રવેશ નિષેધ હોવાથી ફક્ત સંતો પાર્ષદો દ્વારા જ કરાઈ હતી. આ બધી વિધિ હરિભક્તોએ ઘરેબેઠા ઓનલાઈન નિહાળી ધ્યાનતા અનુભવી હતી.સાથે જ આ દિવ્ય પ્રસંગે મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા કોઠારી સ્વામી વિવેકસાગરજી દ્વારા હાલની કોરોના વાયરસની મહામારીમાંથી દેશ અને દુનિયાને વહેલી તકે મુક્ત કરવા દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.

(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

મોદીએ અમને સંજીવની આપીઃ બ્રાઝિલ

બ્રાસીલિયાઃ કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલા બ્રાઝીલે હનુમાન જયંતી પર આ મહામારી માટે ગેમ ચેન્જર બતાવવામાં આવી રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને સંજીવની ગણાવી છે. બ્રાઝીલે મલેરિયાની આ દવાના સપ્લાય માટે ભારતના વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વિનના સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.

બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે રીતે હનુમાનજીએ સંજીવની બુટી લાવીને ભગવાન રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા તે જ પ્રકારે ભારત દ્વારા આપવામાં આવેલી આ દવાથી લોકોના જીવ બચશે. તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝીલ મળીને આ મહાસંકટનો સામનો કરવામાં સક્ષમ હશે. કોરોના સંક્રમણની સારવારમાં લાભદાયી ગણવામાં આવતી આ દવા માટે અમેરિકા સહિત વિશ્વભરમાંથી માંગ આવી છે.

 

હકીકતમાં વૈશ્વિક મહામારીનું રુપ લઈ ચૂકેલા કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વના ઘણા દેશોમાં તેજીથી ફેલાયું છે. અમેરિકા, ઈટલી, સ્પેન જેવા વિકસિત દેશોએ પણ આ વાયરસ આગળ ઘુંટણીયા ટેકવી દીધા છે. ખુદ અમેરિકાની નજર હવે મદદની આશમાં ભારત પર ટકેલી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માંગ કરી હતી. અમેરિકાએ કોરોના સામે યુદ્ધ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનના 29 મિલિયન ડોઝ ખરીદ્યા છે. આમાંથી એક મોટો જથ્થો અમેરિકા ભારત પાસેથી ખરીદી રહ્યું છે. શરુઆતમાં ભારતે આ દવાના નિર્યાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હવે ફરીથી શરતો સાથે આની મંજૂરી આપવામાં આવી છે.

બચ્ચન અને લતાજી સહિત સ્ટાર્સે આપી હનુમાન જયંતિની શુભેચ્છા

નવી દિલ્હીઃ બોલીવુડના સ્ટાર્સે હનુમાન જયંતીના અવસર પર પોતાના ફોલોઅર્સને શુભેચ્છાઓ આપી છે. તમામે સર્વશક્તિમાન હનુમાનજી મહારાજ પાસેથી બધા જ લોકોને ખુશી, સદભાવના સાથે સાથે રહેવા અને જીવનમાં આવતા સંકટનો સામનો કરવા માટે બધાને મજબૂત બનાવવાના આશીર્વાદ માંગ્યા હતા. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, અનુપમ ખેર જેવા ઘણા કલાકારોનો સમાવેશ થાય છે.

હનુમાનજી મહારાજને તેમની શક્તિ અને ભગવાન રામ પ્રત્યે સમર્પણ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ભગવાન હનુમાનજી મહારાજે રામાયણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે ભગવાન રામની પરમ ભક્તિ કરી હતી. અને રાવણ સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો હતો ત્યાંથી માં સિતાને મુક્ત કરાવવામાં પણ ભગવાન રામની મદદ કરી હતી. આજે હનુમાન જયંતીના અવસર પર આ શક્તિશાળી સ્વામીને આ સ્ટાર્સે પોતાના સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટ પર પોતાના ફેન્સના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, નીલ નીતિન મુકેશ, અભિનેત્રી રવીના ટંડન જેવા ઘણા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ભગવાન હનુમાનજીનો એક ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને પવિત્ર પુસ્તક હનુમાન ચાલીસાની એક પંક્તિને તેમના કેપ્શનના રુપમાં લખ્યું.

તેમણે લખ્યું હતું કે, “જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર” અનિલ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હનુમાનજીનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમના અનુયાયીઓ માટે ખુશી, સદભાવ અને સમૃદ્ધીની કામના કરવામાં આવી છે. રવીના ટંડને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિઓ લખી છે. આ સાથે જ દુનિયાના તમામ લોકોને સાજા કરવા માટે પ્રાર્થના પણ કરી હતી.

સુરતના કલાકારોનું અનોખું લોકડાઉન સોંગઃ ઘરમાં રહો…

સુરત: સુરતના ફિલ્મ અને સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો દ્વારા લોકડાઉનમાં લોકોને ઘરે જ સુરક્ષિત રહેવાની અપીલ કરવા માટે એક અનોખું સોંગ બનાવવામાં આવ્યું છે. ‘ઘરમાં રહો’ નામના આ મનોરંજક વિડીઓ સોંગમાં સુરતના પદ્મશ્રી સન્માનિત યઝદી કરંઝીયા, બોલિવુડ અભિનેતા ગૌરવ પાસવાલા, પ્રખ્યાત ગાયક જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા તથા અન્ય કલાકારોની મદદથી આ લોકડાઉન સોંગનું નિર્માણ થયું છે. લોકડાઉનમાં લોકો સરકારના આદેશોનું પાલન કરે, ઘર બહાર નીકળવાનું જોખમ ન ખેડે અને કોરોના સામેના જંગમાં લોકો સુધી હકારાત્મક સંદેશ પહોંચે એ આશયથી સુરતના લેખક અને દિગ્દર્શક ભાવિન પાટીલ અને સંદીપ રાજપૂત દ્વારા આ સોંગનું નિર્માણ કરાયું છે. ગીતને ગાયક દર્શિત નાયકે સ્વર આપ્યો છે.

સરકારના લોકડાઉનના સખત અમલીકરણ પછી પણ કેટલાક લોકો કારણ વગર ઘરની બહાર નીકળી કાયદાનો ભંગ કરવાની સાથે સાથે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાના ફેલાતો અટકાવવા રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારને સાથ સહકાર આપવો એ આપણી નૈતિક ફરજ છે. લોકો ઘરની બહાર નીકળશે તો લોકલ ટ્રાન્સમિશનનો ભય રહે છે. જેથી હવે જ પૂરતી કાળજી અને ગંભીરતા રાખવાનો સમય આવ્યો છે. જેથી લોકડાઉન પૂરૂ ન થાય ત્યાં સુધી લોકો ઘરમાં જ રહી પરિવાર સાથે સમય વિતાવે એવો સંદેશ આપવાના આશયથી સુરતના નામી-અનામી કલાકારોની મદદથી આ સોંગ બનાવાયું છે.

સોંગમાં યોગ્ય રીતે હાથ ધોવા, સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, ડોક્ટર્સ, પોલિસ અને સરકારી તંત્રને સહકાર જેવા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન દરેક કલાકારો ઘરમાં જ હોવાથી સમયનો સદુપયોગ કરી સૌ કલાકારોએ સમાજને મનોરંજક રીતે ઉપયોગી સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

(ફયસલ બકીલી-સુરત)

લોકડાઉનમાં માનસિક સંતુલન જાળવી રાખવા આ કરો

લોકડાઉન એટલે ફક્ત ઘેર બેઠાં આરામ જ નથી. કાંઇ પણ કર્યા વિનાનો આ આરામ છેવટે હતાશા, નિરાશા અને ડિપ્રેશનમાં પરિણમી શકે છે. તણાવના આ માહોલમાં માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઇએ? જાણીતા મનોવૈજ્ઞાનિક સુજાતા કુમાર ચિત્રલેખા.કોમ ના વાચકો માટે અહીં એની સરળ રીતો બતાવે છે… 

—————————————————————-

આજે આપણે એક એવા વિશ્વમાં જીવી રહ્યા છે, જેમાં ના જાણ્યું જાનકીનાથે આવતી કાલે શું થવાનું છે એવી સ્થિતિ પ્રવર્તે છે. સવારે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપણું કોઈ નિશ્ચિત રૂટિન હોતું નથી, કેમ કે કોરોનાને લીધે લોકડાઉનનો સમયગાળો ચાલી રહ્યો છે, જેથી મિત્રો, સહકર્મચારી કે પછી કોઈ બિઝનેસ મીટિંગ નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગને પગલે આપણા અન્ય લોકો સાથે સંપર્કો ય ખૂબ મર્યાદિત થઈ ગયા છે.

બીજું આપણી આસપાસની દરેક બાબત ઝડપથી બદલાઈ રહી છે, કેમ કે જીવનની અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. મોટા ભાગે દરેક વ્યક્તિ ભવિષ્યનું આયોજન કરે છે, પરંતુ હાલના સમયે આ બધું શક્ય નથી, કેમ કે જાન હૈ તો જહાં હૈ.

હાલ નવરાશના સમયમાં ઘરમાં કેદ કોઈપણ વ્યક્તિને ચિંતા થાય એ સ્વાભાવિક છે, કેમ કે હાલ લોકો પાસે સમય જ સમય છે. ફુરસદના આ સમયમાં તેની પાસે કોરોના વાઇરસની ઢગલાબંધ સાચી-ખોટી માહિતી અને વિડિયો આવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા જેવા કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર તેને કોરોનાથી કેવી રીતે બચવું એની પ્રતિ દિન 100થી વધુ વિવિધ દવાઓ તેમજ નુસખા મળી રહ્યા છે.

આ બધા અતિરેકથી તે અસ્વસ્થ થાય છે. વ્યક્તિ માનસિક રીતે હતાશ, નિરાશ કે પછી ક્યારેક ડિપ્રેશનમાં પણ સરી પડે છે, જેની અવળી અસર તેના શરીર પર થવા માંડે છે. તેની માંસપેશીઓમાં તાણ થવા માંડે છે અથવા પીડા થવા માંડે છે. તે આરામ કરવા માગે છે, પણ મન બેચેન હોવાને લીધે આરામ કરી શકતી નથી. આ ઉપરાંત, કોઈ પણ વિષય કે જે કાંઈ કામ કરે એમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તેને મુશ્કેલી થાય છે. તે અકારણ માનસિક થાકી જાય છે, જેની અસર તેના તન પર પડે છે. તેને ઊંઘવા માટે મુશ્કેલી થાય છે અથવા વારંવાર તે જાગી જાય છે અથવા તેની ઊંઘમાં વિક્ષેપ પડે છે.

પહેલું પગલું એકદમ સરળ છે કે આ અસ્વસ્થતા કે વ્યથાને પહેલાં ઓળખી લો કે એ ખરેખર સમસ્યા છે કે પછી એ કાલ્પનિક છે.

જો કે વાસ્તવિક સમસ્યા કંઈક આવી હશેઃ જેમ કે, મારે જરૂરી ચીજવસ્તુ ખરીદવા બહાર નીકળવું પડશે, પણ મારે કોઈ વસ્તુને અડવું તો નહીં પડેને? અથવા મારે મારા ચહેરાને સ્પર્શ ના કરવો જોઈએ… આ એક કુદરતી ચિંતા છે, જે તમને સલામત રહેવામાં મદદ કરશે અને એનાથી તમે સજાગ અને સતર્ક રહેશો. આ ઉપરાંત, તમે પૂરતી સાવચેતી રાખશો જેથી તમે સુરક્ષિત રહી શકશો.

જોકે કાલ્પનિક ભય તમને ખરાબ પરિસ્થિતિની કલ્પના કરાવશે કે જો હું આવશ્યક ચીજવસ્તુઓ લેવા જઈશ અને દુકાનોમાં એ ખતમ થઈ ગઈ હશે તો? અથવા દુકાનો જ ખુલ્લી નહીં હોય તો? આવા સમયે તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જશો, હતાશ થશો.

મેનેજમેન્ટ

તમે તમારી જાત ચકાસો. તમે તમારા મનને પૂછો કે શું તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો?  જો જવાબ હા હોય તો તમારે શું કરવાનું છે એ તમને ખબર છે, પણ જો એનો જવાબ ના હોય તો એ સમસ્યા કે કામને હાલપૂરતું ટાળી દો. એને ભૂલી જવું જ યોગ્ય છે, ઉત્તમ છે, પણ એકના એક વિચારો તમારો કેડો ના મૂકતું હોય અથવા તમને ફરીફરીને એ નકારાત્મક વિચાર પજવતા હોય ત્યારે એના માટે એક જૂની પણ સરસ થેરપી છે, જેનું નામ ટ્રેડિશનલ કોગ્નિશિયેટિવ બિહેવિયર થેરપી છે. આ થેરપી વ્યક્તિની નકારાત્મકતા, માનસિક અસ્વસ્થતા, હતાશાને ઓછી કરે છે, જેમાં વ્યક્તિએ પોતાની સમસ્યા લખી રાખવાની છે અને એ લખ્યા પછી બીજી રીતે ઉકેલ શોધવાનો હોય છે. આ એક અલગ ટેક્નિક છે.

અહીં કેટલીક ઉપયોગી આ બાબતો છે, જે માનસિક અસ્વસ્થતા ઓછી કરવામાં મદદ મળશે…

  •  મિત્રો, સગાંવહાલાંને કોલ કરો અને ખાસ કરીને વિડિયો કરો, જેથી આ સામાજિક એકલતાની લાગણીને ઘટાડી શકાય.
  •  સંભાળ અને શેર (વહેંચણી) દાખલા તરીકે તમારા વૃદ્ધ પડોશી, હાલના સમયે બહાર ના નીકળી શકતા હોય તો તેમને જરૂરી ચીજવસ્તુઓ લેવામાં મદદ કરો. આવાં પરોપકારી કાર્યો કરવાથી તમને આત્મસંતોષ થશે.
  • ઘણાબધા ઓનલાઇન કોર્સ (અભ્યાસક્રમો) ઉપલબ્ધ છે ત્યારે તમારી સ્કિલને અપગ્રેડ કરવાથી અથવા નવી સ્કિલને વિકસિત કરવાની જરૂર છે. કંઈક એવું જે તમે ઘણા સમયથી કરવા માગતા હતા, પણ કરી નહોતા શકતા.
  • તમને ગમતું મ્યુઝિક કે ગીતો સાંભળો, આવા ફુરસદના સમયમાં કંઈક મનગમતું કાર્ય કરો.
  • આપણામાંના ઘણાને ડાન્સ કરવો ગમતો હશે, પણ સમયના અભાવે કરી નહીં શકતા હોય. જેથી આવા નવરાશના સમયમાં વિવિધ ટ્યુન પર થોડોડ સમય ડાન્સ કરો, ધ્યાન કરપો, પ્રાર્થના કરો, યોગાભ્યાસ કરો.
  • આ સતત વ્યસ્ત સમયમાં જે તમે કરવા માગતા હતા અને હજી સુધી નથી થઈ શક્યું એવા તમારા શોખને પુનર્જીવિત કરો.
  • લોકડાઉનનો સમય પૂરો થયા પછી તમારે કયાં-કયાં કામોને પ્રાથમિકતા આપવાની છે એની યાદી બનાવો.
  •  તમારા પોતાના માટે સમય કાઢો, જેમ કે તમારા નખ કાપો, ફેસપેક લગાવો… વગેરે…વગેરે
  • ઘરની સફાઈ કરો, તમારા કાગળિયાંનું ફાઇલિંગ કરો. તમારી બેન્ક અકાઉન્ટ, પાસબુક વગેરે અપડેટ કરો. ઘરમાં તમારી તિજોરી બરાબર ગોઠવો…વગેરે
  • તમારી દૈનિક પ્રવૃત્તિઓની એક ડાયરી બનાવો અને એમાં દરેક નાની-મોટી કૌટુંબિક પ્રવૃત્તિ પણ નોંધો. તમે જેના માટે આદર કરો છો અથવા તમે જેના આભારી છો એની તેમાં નોંધ લો.
  • તમે નાનપણમાં જે રમત રમતા હતા, જેમ કે ચેસ, કેરમ, અમદાવાદ, વેપાર કે પત્તા વગેરે રમીને બાળપણની યાદોને ફરી તાજી કરો.
  • તમારા દૈનિક જીવનનું રૂટિન ગોઠવો, જેમ કે નિયમિત ઊઠવાનું, સૂવાનું, જમવાનું. આ ઉપરાંત દૈનિક પ્રવૃત્તિ માટે ચોક્કસ સમય નક્કી કરો. જે તમને સામાન્ય વર્તન કરવામાં મદદ કરશે.
  • માનસિક અસ્વસ્થતા ઘટાડવા માટે તમારા સોશિયલ મિડિયાનો સમય નિશ્ચિત કરો. મોબાઇલ સિવાય પુસ્તક વાંચો, ટેલિવિઝન પર ફિલ્મ જુઓ.
  • પોષણક્ષમ ખોરાક લો, નિયમિત કસરત કરો, શારીરિક સ્વચ્છતા જાળવો. સકારાત્મક રહો. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે એવો આહાર લો.
  • આ એક મુશ્કેલ દોર છે, જે તમને હાલ યાદ અપાવાની જરૂર નથી. આ સમય પણ જતો રહેશે.

 

 

 

(સુજાતા કુમાર)

હું એમ કહીને પૂરું કરવા માગું છું કે તમારા મનને ખુલ્લું રાખો તમારા જીવનમાં જે નવા પરિવર્તન થાય છે તેને સહજતાથી સ્વીકારતા શીખો અને ગમે તે પરિસ્થિતિમાં માનસિક સંતુલન ના ગુમાવો. જીવનમાં પડાકારો તો આવ તા રહેશે.

બસ, તેનાથી લડતા શીખો, મુશ્કેલીમાંથી માર્ગ કાઢો.

 

(લેખિકા ચેન્નઇસ્થિત જાણીતા મનોવૈજ્ઞાનિક છે.)

 

 

 

 

 

મારા માટે પ્રેમ હોય તો એક ગરીબ પરિવારની જવાબદારી લોઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ લોકોને સજાગ કરતાં ટ્વીટ કરીને કહ્યું હતું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો એ ચળવળ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઊભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે. પહેલી નજરે તો આ મોદીને વિવાદમાં ખેંચવાની કોઈ બદદાનત લાગી રહી છે. તેમણે કહ્યું હતું કે ટ્વીટ કરીને કહ્યું હતું કે કદાચ આ કોઈની સારી ઇચ્છા હોય તો પણ મારો આગ્રહ છે કે જો સાચે જ મારા માટે તમારા દિલમાં પ્રેમ હોય અને મોદીને સન્માનિત જ કરવા હોય તો ગરીબ પરિવારની જવાબદારી કમસે કમ ત્યાં સુધી ઉઠાવો, જ્યાં સુધી કોરોના વાઇરસનું સંકટ હોય. મારા માટે આનાથી મોટું સન્માન ના હોઈ શકે.   

 

લોકડાઉનમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેક ન્યૂઝ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આમાં એક અફવા એ પણ છે, જેમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે PM  મોદીના સન્માનમાં પાંચ મિનિટ  ઊભા રહો. આ અફવાનો દુરુપયોગ પણ કરવામાં આવે એવી શક્યતા છે.

વડા પ્રધાન મોદીની ભૂમિકાની પ્રશંસા

વડા પ્રધાન મોદીની કોરોના વાઇરસ સામેના જંગમાં અને લોકડાઉન લાગુ કરવા માટે સ્થાનિક સ્તરથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી રહી છે. તેઓ કોરોનાને મામલે દરરોજ બેથી વધુ લોકોથી વાત કરે છે.