લંડનઃ બ્રિટન સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના સંકટની વચ્ચે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ રાષ્ટ્રને એક દુર્લભ ટેલિવિઝન સંદેશ આપીને અનુશાસનની યુદ્ધ સમયની ભાવનાનું આહવાન કર્યું હતું અને કોરોના વાઇરસ રોગચાળાથી લડવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે બ્રિટનના લોકોને આશ્વાસન આપ્યું હતું કે સારા દિવસો પાછા આવશે. કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધી 5,000 લોકોનાં મોત થયાં છે. જ્યારે વિશ્વમાં કોરોનાને લીધે 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે.
બ્રિટનનાં 93 વર્ષનાં મહારાણી અને ભારત સહિત 54 સભ્યોના કોમનવેલ્થનાં તેઓ પ્રમુખ છે, તેમણે આ સંકટના સમયે વિશ્વભરમાં વધી રહેલાં દુઃખ, દર્દ અને નાણાકીય મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો હતો અને આશા દર્શાવી હતી કે વિશ્વના એક સંયુક્ત પ્રયાસમાં એકજૂટ થઈ રહી છે.
વિન્ડસર કૈસલમાં ચાર મિનિટના ભાષણમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે આવનારાં વર્ષોમાં દરેક કોઈ ગર્વ લેશે કે તેમણે આ પડકારોનો કેવી રીતે જવાબ આપ્યો હતો. જે લોકો અમારા પછી આવશે -તેઓ કહેશે કે આ પેઢીના બ્રિટિશ લોકો પણ એટલા જ મજબૂત હતા. શાંત આત્મ સંયમી, વિનમ્ર સંકલ્પ અને સહકારની ભાવનાના આત્મ અનુશાસનના ગુણ હજી પણ આ દેશની વિશેષતા છે.
તેમણે કહ્યું હતું કે મને ખબર છે કે આ એક પકારજનક સમય છે. લોકોના જીવનમાં સમસ્યાઓનો એક સમય, એક એવી સમસ્યા જેણે કેટલાક લોકોને દુઃખ પહોંચાડ્યું હતું. અનેલ લોકો નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આપણા દૈનિક જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે મીણબત્તી, દિવા પ્રગટાવવા કે જેથી કોરોના વાયરસ વિરુદ્ધ દેશની એકજૂટતાનું પ્રદર્શન કરી શકાય, તમામ દેશવાસીઓએ વડાપ્રધાન મોદીની આ અપીલ બાદ લોકોએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો. પરંતુ કેટલાક એવા લોકો પણ રહ્યા કે જેઓ હાથમાં મશાલ લઈને ગો બેકના સૂત્રોચ્ચાર કરતા દેખાયા. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર બોલીવુડ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે ટ્વીટ કરીને રિએક્શન આપ્યું.
સંઘ્યા મૃદુલે ટ્વીટ કરીને લખ્યું કે, ઘરે રહીને દિવા પ્રગટાવવાના હતા પરંતુ આ લોકોતો ભેગા થઈને મશાલ પ્રજ્વલિત કરે છે. આ લોકો વિરુદ્ધ કાર્યવાહીની ખૂબ જરુર છે. આ વ્યક્તિ પોતાનો પાવર બતાવી રહ્યો છે પણ આ પાવર કોરોના પર ન ચાલે. સંધ્યા મૃદુલના આ ટ્વીટ પર યૂઝર્સે ખૂબ રિએક્શન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ભારતમાં દર્દીઓની સંખ્યા 4000 ને પાર કરી ગઈ છે. તો અત્યારસુધીમાં 109 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 232 જેટલા દર્દીઓ સાજા થયા છે.
દુનિયામાં એક પણ ઍસેટ ક્લાસ એવો રહ્યો નથી, જેને કોરોના વાઇરસના રોગચાળાની અસર ન થઈ હોય. પરિણામે, રોકાણકારોની સંપત્તિમાં ધરખમ ઘટાડો થયો છે. ભારતીય શેરબજાર પણ છેલ્લા બે મહિનામાં તેની ટોચ પરથી 35થી 40 ટકા ઘટ્યો છે.
સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર આ રોગચાળાની અસર થઈ છે, જેમાં શેરબજારમાં અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે પુષ્કળ વોલેટિલિટી છે. ટૂંકા ગાળા માટે બજારની દિશા વિશે કોઈ જ અનુમાન શક્ય નથી.
બજાર નીચલી સર્કિટની સ્થિતિને પણ જોઈ આવ્યું છે. જો કે, વચ્ચે વચ્ચે રિકવરી પણ થતી દેખાય છે. કોરોના વાઇરસને કારણે થતાં મૃત્યુનો દર સાર્સ તથા અન્ય બીજા રોગચાળાના મૃત્યુદર કરતાં ઓછો હોવાનું જોવા મળી રહ્યું છે.
દરેક રોકાણકારે યાદ રાખવું જરૂરી છે કે બજાર તૂટ્યું હોય એવી આ એકમાત્ર ઘટના નથી. આપણે આ કટારમાં અગાઉ પણ વાત કરી હતી, પરંતુ તેનો પુનરોચ્ચાર કરીને કહેવાનું કે કટોકટીની પરિસ્થિતિ પૂરી થઈ ગયા બાદ બજારમાં જોરદાર ઉછાળો આવતો હોય છે.
અત્યારે લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરમાં બેસી-બેસીને કંટાળી ગયા છે, એ વાત સાચી પરંતુ દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે. જેમ સારા દિવસો કાયમ રહેતા નથી એ જ રીતે કપરા દિવસો પણ પૂરી થઈ જાય છે.
ઘરમાં બેસી રહેવું અનિવાર્ય છે અને કોરોના વાઇરસની સામે લડવા માટેનો એ જ સૌથી વધુ અસરકારક ઉપાય છે એવા વખતે લોકો ઘરમાં બેસીને આવતો કંટાળો દૂર કરવા માટે કઈ પ્રવૃત્તિઓ કરી શકે તેના વિશેનાં અનેક સૂચનો લોકોને વાંચવા મળી રહ્યા છે.
અહીં આપણે એવાં નાણાકીય સૂચનોની વાત કરીએ જે દરેક પરિવારની આર્થિક સુરક્ષા માટે આવશ્યક છેઃ
સંકટ સમયની સાંકળ તૈયાર રાખોઃ
તમારા ઘરના માસિક ખર્ચના આધારે ત્રણથી છ મહિનાનો ખર્ચ કરી શકાય એટલી રકમ તત્કાળ રોકડ સ્વરૂપે મળી રહે એમ રાખવી. તેનો અર્થ એવો થયો કે એ પૈસા સૅવિંગ્સ બૅન્ક ખાતામાં, ફિક્સ્ડ ડિપોઝિટમાં કે લિક્વિડ ફંડમાં રાખવા. એમાં તમને કેટલું વળતર છૂટે છે એનો વિચાર કરવો નહીં, કારણ કે એ કોઈ રોકાણ નથી હોતું, તાકીદના સમયે કામ આવે એવી રકમ હોય છે.
ગભરાઓ નહીં, રોકાણ રાખી મૂકો:
મુશ્કેલ વખતમાં બજારોના હાલ બગડતાં જોઈને મનુષ્યોની હાલત પણ બગડી જાય છે. ઘર-પરિવારથી માંડીને દેશ-દુનિયાની આર્થિક સ્થિતિને બગાડી નાખનારી સમસ્યાઓ વખતે લાગણીઓ પર કાબૂ રાખવાનું મુશ્કેલ હોય છે, પરંતુ આવા સમયે જ માણસના મનોબળની મજબૂતીની કસોટી થાય છે. અગાઉ કહ્યું એમ, દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે. આથી હિંમત હારીને કે ગભરાઈને ઈક્વિટી રોકાણ કાઢી નાખવું નહીં. ઈક્વિટીમાં કરેલા રોકાણનું મૂલ્ય ભલે ઘટી ગયું હોય, જ્યાં સુધી એને વેચીએ નહીં ત્યાં સુધી એમાં વાસ્તવિક ખોટ જતી નથી. તમે ઈક્વિટી બજારમાંથી નીકળી જાઓ તો ખોટ કરી કહેવાય, અન્યથા એ ચોપડે નોંધાયેલી ખોટ જ રહે છે. જો બજારમાં ટકી રહો તો ભવિષ્યમાં ભાવ વધવા લાગે ત્યારે એ રોકાણ વધુ વળતરદાયી બની શકે છે. બજારને વશમાં કરવાનું શક્ય હોતું નથી, બજારને સમય આપવો જરૂરી હોય છે. આમ, શિસ્તબદ્ધ રોકાણના પોતાના મૂળ પ્લાનને વળગી રહેવું. સટ્ટો ખેલવો નહીં અને આખો દિવસ રોકાણનું મૂલ્ય તપાસતાં રહેવું નહીં કે બજાર વિશેની માહિતી સતત ખોળ્યા કરવું નહીં.
નાણાકીય આયોજન કરોઃ
કટોકટી હોય કે ન હોય, દરેક પરિવારે નાણાકીય આયોજન કરી લેવું આવશ્યક છે. પરિવારનો પ્લાન તૈયાર હોય અને એનું અનુસરણ થતું રહે એ કપરા સમયમાં ખૂબ જ જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનરનો સંપર્ક કરીને પોતાના પરિવારની આવશ્યકતા અને તેનાં લક્ષ્યો મુજબનો નાણાકીય પ્લાન આવા સમયે ઉપયોગી થાય છે. વળી, જેણે યોગ્ય આયોજન કર્યું હોય તેને મુશ્કેલ વખતમાં ડર ઓછો લાગે છે અથવા તો લાગતો નથી. નાણાકીય લક્ષ્યો મુજબનું રોકાણ હોય તો ઘણું સારું રહે છે. તમારે એકેએક પૈસો કોઈક ઉદ્દેશ્ય કે હેતુસર રોકાયેલો હોવો જોઈએ. લાગણીવશ થઈને રોકાણના નિર્ણયો લેવાય નહીં.
જોખમ ખમવાની શક્તિનું પુનઃ આકલન કરોઃ
બધું સારું-સારું ચાલતું હોય એવા વખતે દુનિયા આખી સારી જ લાગતી હોય છે. કપરા સમયમાં આપણે મનથી વિચલિત થઈ જઈએ છીએ. આવા વખતે પોતાની જોખમ ખમવાની શક્તિનું પુનઃ આકલન કરી લેવું હિતાવહ છે. જો તમને પોતાનાં રોકાણો વિશે બેચેની લાગવા માંડે તો સમજવું કે તમે પોતાની ક્ષમતા કરતાં વધુ જોખમ લઈ લીધું હતું.
મૂળભૂત રીતે સમર્થને વળગી રહોઃ
હાલની બજારની સ્થિતિ ભલે આર્થિક કારણસર ન હોય, પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું એમ 2008ની આર્થિક કટોકટી કરતાં વધારે ગંભીર અસર હાલ થઈ છે. કોરોના વાઇરસે સર્જેલી સમસ્યાને કારણે શક્ય છે કે મધ્યમ કક્ષાના બિઝનેસને પણ તકલીફ થાય. આવા સમયે ફંડામેન્ટલી મજબૂત હશે એ જ બિઝનેસ ટકી શકશે. આથી મોટી અને ફંડામેન્ટલી મજબૂત કંપનીઓને વળગી રહો.
બજાર તળિયે આવી ગયું છે એમ સમજીને રોકાણ માટે દોડી જવાની ઉતાવળ કરવાને બદલે થોડી ધીરજ રાખીને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનું અગત્યનું છે. ‘બધા લઈ ગયા, અમે રહી ગયા’ની વૃત્તિ રાખતા નહીં. વધુ વળતર મળે એ સૌને ગમે, પરંતુ તેના માટે દિવસ-રાત એના એ જ વિચાર કર્યે રાખવાનું પણ સારું નથી.
આપણે વારંવાર કહ્યું છે કે કોઈ પણ રોકાણ આર્થિક લક્ષ્યના આધારે જ કરવામાં આવવું જોઈએ. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત આર્થિક આયોજન કરવામાં આવશે તો ઉજ્જવળ ભવિષ્ય તમને ઘણું સારું વળતર અપાવી શકશે, એ વાતમાં કોઈ બેમત નથી.
નવી દિલ્હી: જૈન સમુદાય માટે મહત્વપૂર્ણ તિથિ મહાવીર જયંતીને મહાવીર જન્મ કલ્યાણકના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન મહાવીર જૈન ધર્મના 24માં તીર્થકર અને અંતિમ પ્રચારક રહ્યા. શરુઆતમાં મહાવીર યુવરાજ હતા પણ જૈન ધર્મની માન્યતાઓએ તેમને આકર્ષિત કર્યા અને તેમણે તપસ્યા શરુ કરી દીધી. 30 વર્ષની ઉંમરે તેમણે રાજાશાહી ઠાઠ અને પરિવારનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડ્યા.
ભગવાન મહાવીરનો ઈસ. 599માં બિહાર રાજ્યામાં થયો હતો. તેમનો જન્મ લિચ્છવી વંશના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના ઘરે થયો હતો. ગર્ભ દરમ્યાન ત્રિશલાને એવા સપનાઓ આવતા કે તેમનું બાળક તીર્થકર બની જશે. એવું કહેવામાં આવે છે કે, બ્રાહ્મણ ઋષભદેવની પત્ની દેવનંદાના ગર્ભમાં ભગવાન મહાવીરની ઉત્પત્તિ થઈ હતી પણ ભગવાને આને ત્રિશલાના ગર્ભમાં સ્થાનાંતરિક કરી દીધા હતા.
એવી માન્યતા છે કે, જ્યારે મહાવીર ભગવાનનો જન્મ થયો હતો ત્યારે તેમના રાજ્યમાં ઘણી પ્રગતિ અને સંપન્નતા આવી ગઈ હતી એટલા માટે તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. વર્ધમાનનો અર્થ છે પ્રગતિ
ભગવાન મહાવીરનો જન્મ 23માં તીર્થકર પાર્શ્વનાથના મોક્ષ પ્રાપ્ત કર્યાના 188 વર્ષ પછી થયો હતો. ભગવાન મહાવીરે સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મ: નો સંદેશ આપ્યો. તેના ફળસ્વરૂપે જૈન ધર્મના લોકોએ મોઢા પર સ્કાર્ફ બાંધવાનું શરુ કર્યું કે, શ્વાસ કે મોઢામાં જીવજંતુ આવવાથી તેમનું મૃત્યું ન થઈ જાય.
આજના દિવસે જૈન ધર્મના અનુયાયી પ્રાર્થના કરે છે અને વ્રત રાખે છે. ભગવાન મહાવીરના મંદિરોમાં જઈને મૂર્તિને સ્નાન કરાવે છે અને તેમનો અભિષેક કરે છે. ત્યારપથી મૂર્તિને રથ કે સિંહાસન પર રાખીને યાત્રા કાઢે છે. અનેક જગ્યાઓ પર આજના દિવસે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. પણ આ વખતે આ પાલખીયાત્રા શક્ય નથી કારણ કે કોરોના વાઈરસને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ છે. સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવવા ઉપરાંત ભગવાન મહાવીરે પાંચ મહાવ્રત, પાંચ અનુભાવ્રત, પાંચ સમિતિ અને 6 જરૂરી નિયમોનો ઉલ્લેખ કર્યો છે જે જૈન ધર્મનો મુખ્ય આધાર છે.
ન્યુ યોર્કઃ કોરોના વાઇરસનો ફેલાવો હવે વ્યક્તિ સિવાય પશુઓમાં પણ ફેલાયો છે, જે એક ગંભીર વાત છે. અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં કોરોના વાઇરસ એક વાઘનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં ન્યુ યોર્કમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 1,200 લોકોનાં મોત થયાં છે. જે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાઇરસને લીધે સૌથી મોતનો આંકડો છે.
વાઘ-સિંહને સૂકી ખાંસી
વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના બ્રોંક્સ ઝૂના જણાવ્યા મુજબ ન્યુ યોર્કમાં એક વાઘનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચાર વર્ષની માદા મલય વાઘનું નામ નાદિયા છે, એની સાથે-સાથે ત્રણ અન્ય વાઘ અને ત્રણ આફ્રિકી શેરમાં પણ સૂકી ખાંસીની ફરિયાદ નોંધવામાં આવી.
કૂતરાને પણ કોરોના વાઇરસ
આ પહેલાં એક પાળતુ કૂતરાને પણ કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરની નેશનલ વેટરનરી સર્વિસની લેબમાં આ ટાઇટરની તપાસ કરતાં એ કોવિડ-19થી સંક્રમિત હોવાનો પહેલો કેસ છે.
કર્મચારીને કોરોનાને લીધે વાઘ પણ શિકાર
ટાઇગર ઝૂના કોરોના વાઇરસ પોઝિટિવ કર્મચારીઓના સંપર્કકમાં આવ્યા પછી વાઘ આ રોગના ભરડામાં આવ્યો હોવાની આશંકા છે. આ વાઘમાં 27 માર્ચથી આ વાઇરસનાં લક્ષણો દેખાવા માંડ્યા હતા. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેટિવ સોસાયટીના નિવેદન મુજબ આ વન્ય જીવોના ખાવાની ઇચ્છામાં પણ ઘટાડો થયો છે. જોકે આ વેટરનરી કેરમાં છે. જોકે પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખવામાં આવી રહી છે.
અમેરિકામાં 3,40,000 કોરોનાપીડિત
અમેરિકામાં કોરોના વાઇરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં 3,40,000થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. અહીં કોરોનાને કારણે 8,500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
જાણીતા ગુજરાતી પ્રકાશક નવભારત સાહિત્ય મંદિરના સ્થાપક ધનજીભાઇ શાહનું ગઇકાલે જ મુંબઇમાં દુઃખદ નિધન થયું. ગુજરાતી સાહિત્યજગતના અનેક પ્રતિષ્ઠિત અને જાણીતા લેખકોના પુસ્તકોને ગુજરાતીઓના ઘેરઘેર પહોંચાડવામાં ધનજીભાઇનું યોગદાન અણમોલ અને ચિરંજીવ છે. ચિત્રલેખા પરિવાર પણ આ ક્ષણે શોકની લાગણી અનુભવે છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવે છે.
ચિત્રલેખાના વર્ષ 2017 ના વાર્ષિક અંકની સાથે પ્રકાશિત થયેલી ગૌરવવંતા ગુજરાતીઓની યાદીમાં પણ એમનો સમાવેશ થયો હતો. એ અંકમાં એમના વિશે લખાયેલો આ લેખ એમને શ્રધ્ધાંજલિરૂપે અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ…
———————————————————–
વર્ષ ૧૯૬૦ની વાત છે. માંડ એસ.એસ.સી. સુધી ભણેલો ધનજી શાહ નામનો એક કચ્છી માડુ હાથમાં ફક્ત 200 રૂપિયાની મૂડી લઈને મુંબઈમાં પગ મૂકે છે. ત્રીજા ધોરણમાં સાથે ભણતા બાળગોઠિયા ખુશાલભાઈ વોરાને મળે છે. ખુશાલભાઈનું લોખંડબજારમાં સારું કામ છે, પણ એમણે જોયું કે આ મિત્ર તો અમદાવાદમાં પુસ્તક પ્રકાશકને ત્યાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. લોખંડબજારમાં એની ચાંચ કેમ ડૂબશે? છેવટે એ પોતે જ સલાહ આપે છે કે, તને પુસ્તકની લે-વેચનો અનુભવ છે તો એ જ કામ કર. ધંધો ચાલુ કરવા ખુશાલભાઈ થોડીક મૂડીની પણ મદદ કરે છે અને એમાંથી કાલબાદેવીમાં ભાડાની જગ્યા લઈને આ યુવાન પુસ્તકની દુનિયામાં પાંખ ફફડાવે છે.
કટ ટુ ૨૦૧૭.
ગુજરાતી પુસ્તક પ્રકાશનની દુનિયામાં આજે ધનજીભાઈ શાહ અને એમણે સ્થાપેલા‘ નવભારત સાહિત્ય મંદિર’નું નામ બહુ જાણીતું છે. લોકપ્રિય નવલકથાકાર રસિક મહેતાની નવલકથા પ્રણયપ્રકાશ ના પ્રકાશનથી શરૂ કર્યા પછી આજ સુધીમાં નવભારત દ્વારા એમણે લગભગ પ૦૦૦થી વધારે પુસ્તકો ગુજરાતી વાચકોને આપ્યા છે. ચંદ્રકાન્ત બક્ષી, પ્રિયકાન્ત પરીખ, ચુનીલાલ મડીયા, મોહનલાલ મહેતા, કુન્દનિકા કાપડિયા, મકરંદ દવે, કાન્તિ ભટ્ટ, તારક મહેતા અને અશ્વિની ભટ્ટ જેવા લેખકોને પુસ્તકસ્વરૂપે દેશ-વિદેશમાં વાચકોના ઘર સુધી પહોંચાડ્યા છે.
પિતા પ્રેમચંદભાઈ તો મુંદ્રામાં વાસણની ફેરી કરતા. બહોળો પરિવાર એટલે ધનજીભાઈ અમદાવાદ આવીને પરિવારના જ વડીલો એવા શંભુભાઈ અને ગોવિંદભાઈ સાથે એમની પ્રકાશન સંસ્થા ગુર્જર પ્રકાશનમાં જોડાયા. પુસ્તકની દુનિયાનો આ પહેલો પરિચય. ગુર્જરમાં એ દિવસોમાં ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા લેખકો આવતા. એમને નજીકથી જોયા. પુસ્તકોનું વેચાણ કેમ થાય એ શીખ્ચા. ૧૯૬૦માં મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં જૂના પુસ્તકો ખરીદીને અમદાવાદ વેચવા મોકલતા. સંઘર્ષના એ દિવસમાં સવારે નવ વાગ્યે ઘરેથી થેલામાં પુસ્તકો નાંખીને નીકળતા. સ્કૂલોમાં જાય અને વેચે. જૂના પ્રકાશકો પાસેથી વેચાણનું ઓછું કમિશન મળે તો ય પુસ્તકોનું વેચાણ વધારવા અથાગ મહેનત કરતા. ચિત્રલેખા માં એની અવરજવર એટલે મધુરીબહેનને મળે. વજુભાઈના પુસ્તકો ય વેચ્યા. ચિત્રલેખા ના જિતુભાઈ મહેતા અને વિજયગુપ્ત મૌર્ય જેવા લેખકોના પુસ્તકો ય છાપ્યા. બક્ષી અને મડિયા જેવા લોકપ્રિય લેખકો નવભારતમાં આવ્યા અને મહેનતકશ ધનજીભાઇનો ધંધો જામતો ગયો.
વણિકના દીકરાને આમે ય ધંધો કરતા શીખવાડવું ન પડે. આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતીઓના નામ-સરનામા મેળવીને એ સામેથી ઓર્ડર વિના પુસ્તક મોકલી આપે. મોટાભાગે ગુજરાતીઓ બિલ ય મોકલી આપે! વેપારની સૂઝ જબરી. ૧૯૬૭માં દરિયાઈ માર્ગે પુસ્તકો મોકલી શકવાની મંજૂરી મળતા અને એક્સપોર્ટ પર છૂટછાટ મળતા ધનજીભાઇએ જહાજમાં પેટીઓ ભરીને પુસ્તકો મોકલવાનું શરૂ કર્યું. એક વખત પુસ્તકોના વેચાણ માટે લંડન ગયા. ત્યાંની લાઇબ્રેરીમાં સંચાલક ભદ્રાબહેન મુંદ્રાના ગુજરાતી હતા. પરિચય થયો તો જાણવા મળ્યું કે એ તો બાળપણમાં સ્કૂલમાં સાથે હતા! એ પછી લંડનની લાઇબ્રેરીમાં ય નવભારતના પુસ્તકો વંચાતા થઈ ગયા.
મુંબઈમાં મધુરીબેન શાહ મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓર્ડર અપાવતા. સુરેશ દલાલે પણ ખૂબ સહકાર આપ્યો. સામે ધનજીભાઈએ પોતાના સરળ સ્વભાવ અને ચબરાક વાણિયાબુદ્ધિથી બક્ષી જેવા તેજતરાર લેખકને પણ નવભારતમાં સાચવી રાખ્યા! સુરેશ દલાલ લખે છે, ‘નવભારતમાં છપાયેલા પુસ્તકોના અક્ષરમાંથી ધનજીભાઈની અદશ્ય છાપ ઉપસે છે.’
અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિ ધરાવતા લેખકોને એકસાથે સાચવી રાખવામાં અને એમને અક્ષરદેહે લાખો વાચકો સુધી પહોંચાડવામાં ધનજીભાઈ સફળ થયા છે. ક્યારેય કોઈના પ્રત્યે કડવાશ રાખી નથી. બલ્કે, જીવનમાં થયેલા ખરાબ અનુભવોને ભૂલી જઈને ફક્ત સારા પ્રસંગો જ યાદ રાખ્યા છે. અથાગ મહેનત પછી પણ એ નમ્રતાથી કહે છે, ભાગ્ય ચડિયાતું હોય તો જ પુરુષાર્થને સાથ મળે છે.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
થેલામાં પુસ્તકો રાખીને વેચવાથી શરૂ થયેલી એમની આ સફર આજે ગુજરાતી સાહિત્યની અણમોલ થાપણ સર્જી ચૂકી છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસથી 100 વધુ લોકોનાં મોત થયાં છે અને 4,000 લોકો આ રોગના સંક્રમણનો શિકાર થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 505 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ રોગમાંથી 275 લોકો અત્યાર સુધી મુક્ત થયા છે. કોરોના વાઇરસને કારણે 21 દિવસનો લોકડાઉન સમયગાળો છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકારે એક વ્યૂહરચના બનાવી છે.
સરકારની વ્યૂહરચના
સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની બેકાબૂ સ્થિતિને જોતાં આક્રમક વ્યૂહરચના બનાવી છે. આ યોજના હેઠળ જે વિસ્તારમાં કોરાના વાઇરસનો વધુ ફેલાવો હોય કે સૌથી વધુ કેસ સામે આવ્યા હોય એ વિસ્તાર અથવા ઝોનને બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. આવા ક્ષેત્રને લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવશે. જેથી કોરોનાનો વધુ ફેલાવો ના થાય.
કોરોના પ્રભાવિત વિસ્તારોને સીલ કરાશે
દેશના 274 જિલ્લાઓમાં અત્યાર સુધી કોવિડ-19ના મામલા સામે આવ્યા છે. 22 માર્ચથી કોરોના સંક્રમિત કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. એ પછી સરકારે આ યોજના બનાવી છે. 20 પાનાંના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાનો ત્યાં સુધી કડક અમલ કરવામાં આવશે જ્યાં સુધી છેલ્લા ટેસ્ટ પછી ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી કોવિડ-19ના કોઈ નવા કેસ એ વિસ્તારમાંથી ના આવે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં જારી કરવામાં આવેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે બધા સંદિગ્ધ અને કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરીને આઇસોલેશનમાં રાખવામાં આવશે. દર્દીઓને ત્યારે હોસ્પિટલમાં રજા આપવામાં આવશે, જ્યારે એ દર્દીનો રિપોર્ટ નેગેટિવ ના આવે.જે લોકોમાં કોરોનાના થોડા પણ લક્ષણ દેખાશે તેમને ક્વોરાન્ટાઇનમાં રાખવામાં આવશે. જેકોઈ દર્દીમાં કોરોનાનાં વધુ લક્ષણો હશે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.
કોરોના વધુ કેસ વિસ્તારને બફર ઝોન બનાવાશે
સરકારની યોજના મુજબ જે વિસ્તારવે બફર ઝોન બનાવવામાં આવશે, ત્યાંની બધી સ્કૂલ, કોલેજ અને ઓફિસને બંધ રાખવામાં આવશે. આ વિસ્તારોમાં જાહેર પરિવહન બંધ રહેશે અને માત્ર જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસો ખરેખર એક મોટી ચિંતાજનક બાબત છે. આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો 13 મો દિવસ છે. પરંતુ કેસો સતત વધી રહ્યા છે. તબલિગી જમાતીઓના કારણે પણ ગુજરાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવું કહી શકાય. અમદાવાદમાં આજે કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો 144 પર પહોંચી ગયો છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિએ રવિએ આજે કોરોનાના દર્દીઓ વિશે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. દિલ્હીમાંથી જમાતીઓ વિવિધ રાજ્યોમાં ફર્યા છે. ગુજરાત હાલ જમાતીઓની સજા ભોગવી રહ્યું છે, જેમના કારણે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. તેમણે જણાવ્યું કે, જમાતીઓએ ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે.
ગુજરાતમાં કોરોનાના વધુ 16 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ 12885 લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. પરંતુ હવે કોરોના પોઝિટીવના કેસ ગીચ વિસ્તારોમાં તેની સંખ્યા વધતી જાય છે. અમદાવાદમાં નવા 11 પૈકી 10 કેસ મુસ્લિમ કમ્યુનિટીના હોવાનું તેમને ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે મહેસાણામાં નવા નોંધાયેલા કેસમાં તબલીગી જમાતનું કનેક્શન નીકળ્યું છે. રાજ્યના હજુ 39 દર્દીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.
આજે અમદાવાદમાં નવા 11 પોઝિટીવ કેસો સામે આવ્યા છે, જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવો કેસ નોંધાયો છે. ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિક સ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિક પ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાત વર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થી વર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિક સ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.