રાજકોટ: મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા કોઈ વ્યક્તિની વેદના ને ક્યારેય જાણી છે ? તેની લાગણીને ક્યારેય પિછાણી છે ? આવો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણો જવાબ સહેજેય ‘ના’ જ હોય. કેમકે આપણી સાથે જોડાયેલા આપણા અંગત વ્યક્તિઓ સાથે આવી ઘટના ક્યારેય બની જ નથી હોતી બહુ ઓછા લોકો હોય છે કે જેણે આવી વ્યક્તિની વેદના – લાગણીઓને જાણી હોય.

કોરોનાની મહામારી સમયે ગુજરાતમાં આવી કેટલીક ઘટનાઓ બની છે, જ્યાં સરકારી હોસ્પિટલના ડોક્ટરની સાથે આરોગ્ય કર્મીઓએ કોરોનાગ્રસ્ત લોકોની વેદનાને વાંચી તેમના માટે દવા અને દુવા બંને કરીને તેમને સાજા કર્યા છે.
આવો જ એક કિસ્સો છે રાજકોટમાં છેલ્લા પચાસ વર્ષથી રહેતા ૭૦ વર્ષીય વિમળાબેન કાનાબાર અને તેમના પુત્ર કૌશલનો કે જેવો કોરોના વાયરસથી સંક્રમિત બન્યા બાદ સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મીઓની આરોગ્ય સેવાઓના કારણે મૃત્યુને હાથતાળી આપી કોરોનામુક્ત બન્યા છે.
૭૫ વર્ષની વયે મૃત્યુને હડસેલી કોરોનાની બીમારીમાંથી બહાર આવી સ્વસ્થ બનેલા વિમળાબાના શબ્દોમાં જ કહીએ તો “મને જ્યારે અહીં લાવવામાં આવી ત્યારે મને હતું કે મને ન્યુમોનિયા જ છે, પરંતુ પછી મને કોરોના હોવાનું ડિટેક્ટ થયું. સતત ૧૩ દિવસ સુધી અહીંના ડોક્ટરોએ અને આરોગ્યના સ્ટાફે મારી એટલી સંભાળ લીધી છે, મને એટલી સાચવી છે, કે આજે હું સાજી થઈ ગઈ છું. અહીંના ડોક્ટરોએ ધૂણી ધખાવીને કરેલી દુઆ અને દવાના કારણે આજે હું સ્વસ્થ છું.
વિમળાબાએ ગદગદિત સ્વરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મારે શું કહેવું તે માટે મને શબ્દો નથી મળતા. આ બધી અંદરની સૂક્ષ્મ બાબતો છે અને એ મહેસૂસ કરો તો જ ખબર પડે. આજે હું સંપૂર્ણ સાજી થઈને અહીંથી વિદાય લઈ રહી છું ત્યારે મને આ જગ્યા છોડતાં દુઃખ થાય છે. અહીંના ડોક્ટરો – આરોગ્ય કર્મચારીઓ એ બધાએ આટલા દિવસો સુધી બા – બા કહીને મને એટલે સાચવી છે મારી એટલી સેવા કરી છે કે જાણે એ બધા મારા સંતાનો ન હોય ! હવે અહીંથી નીકળવાનું મન જ નથી થતું. પ્રભુ મને મોકો આપે તો હું પણ અહીં સેવામાં જોડાઈ જાઉ.

વિમળાબાના શબ્દો અક્ષરસહ સાચા પડે એવી જ સેવા રાજકોટની આ સરકારી હોસ્પિટલના તબીબો અને તેના કર્મીઓ બજાવી રહ્યા છે. જેના કારણે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ ધરાવતા વિમળાબાનુ ૧૩ દિવસના ટૂંકાગાળામાં જ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો છે. વિમળાબાએ હોસ્પિટલમાંથી તેમની વિદાય પ્રસંગે ભાવુકતા સાથે તેમના “દીદી” એ કહેલા શબ્દો વર્ણવતા કહ્યું હતું કે, ” હું છું હરિનો હરિ છે મુજ રક્ષક, હરિ કરે તે મારા હિતનું, તે નિશ્ચય બદલાયના.”
(હેતલ દવે)



















અને એટલા માટે ભારતમાં જે કોરોના રુપી નકારાત્મકતા વ્યાપ્ત છે, તેને દિપ જ્યોતિમાંથી નિકળતી ઉર્જા દ્વારા નાથવાનો આ એક વૈદિક પ્રયત્ન છે કે જેને ગુજરાતીઓએ ખુબ હર્ષ પૂર્વક કર્યો હતો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકલ્પને દ્રઢ કરવા માટે દીપ પ્રગટાવ્યો હતો. ગાંધીનગરમાં વડા પ્રધાનનાં માતા હીરા બાએ પણ ઘરની બહાર આવીને દીપ પ્રગટાવ્યો હતો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ િબરલા, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ જયશંકર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યરાજ, બાબા રામદેવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. વડા પ્રધાને અપીલ કરી હતી કે દીપ પ્રાગટ્ય સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહ્યું હતું, જેનું લોકોએ સંપૂર્ણ પાલન કર્યું હતું.



ત્યારે અમદાવાદમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અને ધાબા પર આજે
રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.


















પીએમઓ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાતચીત કરી હતી.
