Home Blog Page 4880

સુવિચાર – ૫ એપ્રિલ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 05/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

Chitralekha Marathi – April 6-13, 2020

PDF Version
This post is only available to members.

કોરોના પછી આવી શકે છે ઈમ્યુનિટી પાસપોર્ટ!

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં એ વાતને લઈને ચિંતા વ્યાપી રહી છે કે, એક વખત કોરોના વાઈરસ સામે જંગ જીત્યા પછી કેવી રીતે સામાન્ય જનજીવન પુન: સ્થાપિત કરી કરવું કે જેથી કોરોના વાઈરસનું ફરીથી સંક્રમણ ન ફેલાય. ચીનમાંથી એવા સંકેત મળ્યા છે કે, કોરોનાથી સાજા થઈ ગયેલા દર્દીઓમાં કોરોના સંક્રમણના લક્ષણો ફરીથી જોવા મળ્યા છે. જર્મનીએ આ દિશામાં પહેલ કરી છે અને બ્રિટને સત્તાવાર રીતે આ યોજનામાં રુચી દેખાડી છે. યોજના છે ઈમ્યુનિટી ‘પાસપોર્ટ’

તમને સામાન્ય પાસપોર્ટ અંગે લગભગ બધી ખબર જ હશે, જે તમને વિદેશ યાત્રાનો પ્રથમ અધિકાર અને યોગ્યતા આપે છે. ત્યારપછી તેમા વીઝા અને ઈમિગ્રેશન જેવી શરતો હોય છે, જેને પૂર્ણ કરીને જ તમે વિદેશ યાત્રા કરી શકો છો. જેવી રીતે વિદેશ યાત્રા માટે પાસપોર્ટ જરૂરી હોય છે એવી જ રીતે કોરોના વાઈરસ પછી વિશ્વમાં ઈમ્યુનિટી પાસપોર્ટ હશે, જે તમને કામ કરવાનો અધિકાર આપશે.

શા માટે જરૂરી છે યોજના

લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ ગયું છે. સામાન્ય દુકાનોથી લઈને સ્કુલ સુધીની તમામ વસ્તુઓ બંધ છે. વિશ્વને દરરોજ અબજો ડોલરનો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ સ્થિતિમાં વર્ક ફોર્સને ફરી વખત કામે લગાડવાનો પડકાર છે. જર્મનીએ  આ દિશામાં પહેલ કરી છે. તેમણે લોકડાઉનનો નિર્ણય કરવાની સાથે જ કામ કરવાનું શરુ કરી દીધુ હતું. જે લોકો પાસે ઈમ્યુનિટી પાસપોર્ટ હશે તેમને સૌથી પહેલા કામ પર જવાની તક મળશે.

આ કરી રહ્યા છે શોધ: જર્મનીની રોબર્ટ રોચ ઈન્સ્ટીટ્યૂટ, જર્મન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરસ ઈન્ફેક્શન અને બર્લિનની ચેરિએટ હોસ્પિટલની ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીને જર્મનીના સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર લગાવ્યો છે. બ્લડ ડોનેશનમાં લાગેલા એનજીઓ પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી વધુને વધુ સેમ્પલ એકત્રિત કરી શકાય. આ દરમિયાન માનવ શરીરમાં રહેલ લાખો રીતે એન્ટી બોડીઝને ઓળખવા અને તેને કોરોના સામે લડાઈ પર લગાવવાની યુક્તિ વિચારવામાં આવી રહી છે. સ્વસ્થ એન્ટી બોડીઝને ઓળખવામાં આવશે, ખાસકરીને એ લોકો જે કોરોના વિરુદ્ધ શક્તિશાળી છે.

બ્રિટન પણ તૈયારીમાં:

બ્રિટનના શૈડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશવર્થએ જણાવ્યું કે, જર્મનીને પહેલ કરી છે. અમારી નજર તેમના ટેસ્ટ પર છે. અમે અહીં અમારી જરૂરીયાત અનુસાર ટેસ્ટ કરાવશું અને ઈમ્યુનિટી પાસપોર્ટ યોજના પર અમલ કરશું. શરુઆતના તબક્કે આ સારી યોજના લાગી રહી છે. ઈમ્યુનિટી પાસપોર્ટ ધારકો એક પ્રકારે વેક્સિનેશન કાર્યક્રમનો હિસ્સો હશે, જેના કામ કરવાની છૂટ આપવામાં આવશે.

કેવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે ઈમ્યુનિટી પાસપોર્ટ

જર્મનીએ માનવ શરીરમાં રહેલ એન્ટી બોડીને લઈને શરુઆતની તપાસ પૂર્ણ કરી લીધી છે. એપ્રિલના મધ્ય સુધીમાં એક લાખ લોકો પર આનો પ્રયોગ કરવામાં આવશે. કોરોના વાઈરસ પ્રત્યે આ લોકોની રોગ પ્રતિકારક શક્તિને માપવામાં આવશે. ત્યારપછી આ ટેસ્ટને મોટી જનસંખ્યા પર કરવામાં આવશે. જે લોકોની એન્ટી બોડીઝ કોરોના વાઈરસ સામે લડવામાં સફળ રહેશે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે, જે ઈમ્યુનિટી પાસપોર્ટ કહેવાશે. લોકડાઉન પછી આ લોકો જ સૌથી પહેલા કામ પર પરત ફરી શકશે.

પાંચ વર્ષ લાગુ રહી શકે છે યોજના

બ્રિટનના સાંસદ અને સર્જન ડો. ફિલિપ વિદફોર્ડે જણાવ્યું કે, આનાથી મુશ્કેલ કામમાં લાગેલા લોકોને સરળતાથી પરત ફરવાની તક મળશે. ખાસ કરીને હેલ્થ સિસ્ટમ ને તેના સહયોગમાં લાગેલા લોકોને. ઈમ્યુનિટી પાસપોર્ટ યોજના પાંચ વર્ષ માટે અમલમાં લાવી શકાય છે જે આપણે નવા વાઈરસોના પ્રભાવ અંગે પણ જાણવાની તક આપશે.

યુવાઓને લઈને ચિંતા

જોકે, બ્રિટનમાં આ યોજનાને લઈને ચિંતા પણ છે. ખાસ કરીને નબળું સ્વાસ્થ્ય ધરાવતા યુવાઓને લઈને, જેમણે મોટી લોન લઈને અભ્યાસ કર્યો છે. કામ નહીં કરી શકવાને કારણે તેમનું દેવુ વધતું જ જઈ રહ્યું છે. ઈમ્યુનિટી પાસપોર્ટને કારણે તેમનું કામ પર પરત ફરવું મુશ્કેલ બની જશે.

કોરોના સામેના જંગમાં દેશ આજે ઉજવશે પ્રકાશપર્વઃ આટલી સાવચેતી રાખજો

મુંબઈઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના રોગચાળાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે એક વિડિયો સંદેશ દ્વારા લોકોને અપીલ કરી હતી કે સૌ પાંચ એપ્રિલના રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી એમનાં ઘરની લાઈટ્સ બંધ રાખે અને મીણબત્તી કે દીવડો પેટાવીને કે ટોર્ચ ચાલુ કરીને કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પ્રકાશનો ફેલાવો કરે.

કોરોના વાઈરસ સામે દુનિયાના તમામ દેશોએ જંગ આદર્યો છે. કોરોનાને કારણે સમાજમાં જે અંધકાર ફેલાઈ ગયો છે એને પ્રકાશ ફેલાવીને દૂર કરવા માટે એક સામૂહિક-સાંકેતિક લડાઈ રૂપે રવિવારે રાતે લાઈટ્સ બંધ કરીને લોકો પોતપોતાના ઘરની બાલ્કનીમાં, બારીમાં કે દરવાજે ઊભીને પ્રકાશ ફેલાવે એવી મોદીએ અપીલ કરી છે. એમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ માટે લોકોએ એમના ઘરની બહાર નીકળવાનું નથી.

મોદીની આ અપીલનો અમલ કરવા માટે દેશની જનતા આજે પણ સજ્જ થઈ ગઈ છે. આ પહેલાં, મોદીએ ‘જનતા કર્ફ્યૂ’ના દિવસે લોકોને અપીલ કરી હતી કે બરાબર સાંજે પાંચ વાગ્યે સૌ પોતપોતાના ઘરની બાલ્કનીમાં કે દરવાજે કે બારીમાં ઊભીને પાંચ મિનિટ સુધી તાળી પાડે, થાળી-વેલણ વગાડે અને એમ કરીને સૌ એવા ડોક્ટરો, હેલ્થકેર કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓનું અભિવાદન કરે જેઓ પોતાના જાનને જોખમમાં મૂકીને દર્દીઓને બચાવી રહ્યાં છે, કોરોના સામે લડી રહ્યાં છે.

આજે રાતે 9 વાગ્યે લાઈટ બંધ કરીને મીણબત્તી, દીવો પેટાવવાની મોદીની અપીલ સામે કેન્દ્ર સરકારે અમુક સાવચેતી રાખવાની પણ લોકોને અપીલ કરી છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મીણબત્તી કે દીવો પેટાવતી વખતે આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર વાપરવું નહીં. જો કોઈ આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર વાપરશે અને એ જ વખતે મીણબત્તી કે દીવો પેટાવશે તો આલ્કોહોલ સળગવાની સંભાવના રહેશે અને એવા સંજોગોમાં વ્યક્તિનો હાથ દાઝી જવાની સંભાવના રહેશે. તેથી મીણબત્તી કે દીવો પેટાવતા પહેલા હાથ પર આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર લગાડવું નહીં, એવી સલાહ સરકારે આપી છે.

આમ, આવી કાળજી લઈને જ દેશવાસીઓએ આજે રાતે 9 વાગ્યે પ્રકાશપર્વ મનાવવાનો છે.

મોદીએ એમના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે આ અંધકારમાં લડી રહેલા લોકો એકલા નથી અને આપણે સહુ એમની સાથે છીએ એ બતાવવા માટે આપણે પ્રકાશપર્વ ઉજવવાનો છે.

દેશભરમાં તમામ ઘરોમાં એક સાથે લાઈટો બંધ કરી દેવાશે અને 9 મિનિટ પછી એક સાથે ચાલુ કરવામાં આવશે તો વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ આવવાને કારણે પાવર ગ્રિડ પર દબાણ આવી પડશે અને લોકોના ઘરવપરાશના ઉપકરણો બંધ થઈ શકે છે એવી માત્ર અફવાઓ જ છે એવો ખુલાસો કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો સંસ્થાએ તેના ટ્વિટર હેન્ડલ પર કર્યો છે. એણે જણાવ્યું છે કે લોકોએ આ પ્રકારની અફવાઓ અને બિનવૈજ્ઞાનિક કારણોને માનવા નહીં. વડા પ્રધાનની હાકલ કોરોના વાઈરસ સામે આપણી સહિયારી લડતમાં એકતા અને આત્મવિશ્વાસ વ્યક્ત કરવા માટેની પહેલ છે. કોવિડ-19ને દૂર રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, એવી અપીલ પણ પીઆઈબી સંસ્થાએ કરી છે.

સંસ્થાએ ચોખવટ કરી છે કે રસ્તાઓ પરની લાઈટ્સને બંધ કરવામાં નહીં આવે કે લોકોએ એમના ઘરમાં રેફ્રિજરેટર, ટીવી કે એરકન્ડિશનર જેવા સાધનો બંધ કરવાની પણ જરૂર નથી. દરમિયાન, વીજપુરવઠામાં સંતુલન જાળવી રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના કારણે બરબાદ થઈ જશે પાકિસ્તાન?

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ ગંભીર સ્થિતિમાં હતી પરંતુ કોરોના વાયરસના કારણે આ દેશમાં લોકોને ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ છે. ત્યાં અત્યારસુધીમાં 2680 જેટલા કેસો સામે આવ્યા છે કે જેમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કોરોના વાયરસની મહામારીના કારણે 3 મહિનામાં 2500 અરબ રુપિયાનું નુકસાન થવાની અને 1.85 કરોડ લોકો બેરોજગાર થાય તેવી આશંકા છે. આ સંખ્યા ત્યાંની વસતીના 10 ટકા જેટલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આંકલન કોરોના વાયરસને રોકવા માટે સીમિત સ્તર પર અથવા તો કેટલીક છૂટ સાથે અને બાદમાં પૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન સીમિત લોકડાઉનના સમયમાંથી પસાર થઈ ચૂક્યું છે અને હવે કેટલીક છૂટછાટ સાથે લોકડાઉન બાદ પૂર્ણ રીતે લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનના યોજના મંત્રાલયમાં વિભિન્ન મંત્રાલયોની બેઠક થઈ હતી. આ જ બેઠકમાં નુકસાનનું આંકલન કરવામાં આવ્યું છે.

અધિકારીઓએ આ બેઠકમાં પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સના શરુઆતની શોધ તેમજ વિભિન્ન સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત આંકડાઓ પર ચર્ચા કરી. યોજના મંત્રાલયના આંકલન બાદ સામે આવ્યું કે, સીમિત લોકડાઉનની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને 1200 અરબ રુપિયાનું નુકસાન થઈ શકે છે. જો કેટલીક છૂટ સાથે લોકડાઉનની સ્થિતિ રહી તો નુકસાન વધીને 1960 અબજ રુપિયા તેમજ પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતિમાં 2500 અબજ રુપિયા પર પહોંચી શકે છે.

આ પ્રકારે પ્રાથમિક આંકલનના આધાર પર સીમિત રોક સ્થિતિમાં 14 લાખ જેટલા લોકો કેટલીક છુટ સાથે લોકડાઉન થવા પર 1.23 કરોડ લોકો બેરોજગાર થવાની આશંકા છે. જો કે, પૂર્ણ લોકડાઉન થવા પર બેરોજગાર થનારા લોકોની સંખ્યા વધીને 1.85 કરોડ પર પહોંચી શકે છે.

સાયબર ક્ષેત્રમાં પણ કોવિડ-19એ મચાવ્યો આતંક!

નવી દિલ્હી: છેલ્લા થોડા સમયથી હેકર્સોએ અનેક બોગસ એપ બનાવી છે. સાયબર હુમલાખોરો કોવિડ-19ને હથિયાર બનાવી લોકોના ડેટા પર અટેક કરી રહ્યા છે. હવે સાયબર નિષ્ણાતોએ એક નવા માલવેયરને ઓળખી કાઢ્યો છે, જેની મારફતે યુઝર્સના ડેટા ચોરીને તેને ઉડાવી (ડિલિટ) કરી દેવામાં આવે છે. આ માલવેયર માસ્ટર બૂટ રેકોર્ડને ઓવરરાઈટ કરે છે જેથી સિસ્ટમ સામાન્ય રીતે ફરી શરુ થઈ શકતી નથી.

ઝેડનેટના રિપોર્ટ અનુસાર સિક્યોરિટી શોધકર્તાઓએ આ પ્રકારના 5 માલવેયર અંગે જાણકારી મેળવી છે, જે વિન્ડોઝ કોમ્પ્યુટરને પ્રભાવિત કરે છે. આ માલવેયર અનેક યુઝર્સને તેમનો શિકાર બનાવી ચૂકયા છે, તો કેટલાક માલવેયર્સને માત્ર ટેસ્ટીંગ માટે બનાવવામાં આવ્યા છે.

આમાંથી 4 ખતરનાક એપ છે જે કોરોના વાઈરસની થીમની સમાંતર કામ કરી રહ્યી છે. આ એપનું કામ આર્થિક ફાયદો મેળવવા કરતા વધારે માહિતીને ખતમ કરવાનું છે. ગયા મહિને આઈબી શોધકર્તાઓએ 4 માલવેર નમૂનાઓની જાણકારી મેળવી જેમાંથી બે સૌથી એડવાન્સ્ડ છે જે માસ્ટર બૂટ રેકોર્ડને રિરાઈટ કરી રહ્યા છે.

પ્રથમ માલવેયરની શોધ MalwareHunter ટીમે લગાવી અને આ સપ્તાહે આવેલ SonicWall ના રિપોર્ટમાં આ માલવેયર અંગે જાણકારી આપવામાં આવી. આ માલવેયર COVID-19.exe તરીકે બે સ્ટેજમાં ફેલાવવામાં આવે છે.

પ્રથમ સ્ટેજમાં આ કોમ્પ્યુટર વાઈરસ એક અજીબ સી વિન્ડો ખોલી નાખે છે જેને યુઝર્સ બંધ નથી કરી શકતા. આ સાથે જ માલવેયર એમબીઆરને નુકસાન પહોંચાડીને કોમ્પ્યુટરને રિબૂટ કરી દે છે. જોકે, અહીં એક સારી બાબત એ છે કે, આ સ્થિતિમાં મશીન અને ડેટાને રિસ્ટોર એક્સેસ કરી શકાય છે. એમબીઆરને રિલોડ કરવા માટે એક સ્પેશિયલ સોફ્ટવેરની જરૂર પડશે.

કોરોના વાઈરસનો બીજો માલવેયર પણ એમબીઆરને રિરાઈટ કરી દે છે પણ આ થોડો વધારે ગૂચવળભર્યો છે.  પ્રથમ નજરે જોતા આ એક રેનસમવેયર છે જેનું નામ CORONAVIRUS છે પણ આ માત્ર દેખાવ છે. આ માલવેયરનો મુખ્ય હેતુ પાસવર્ડ ચોરી કરવાનો છે. જેટલી ઝડપે આ માલવેયર યુઝરના ડેટા ચોરે છે એટલી જ ઝડપે એમબીઆરને ઓવર રાઈટ કરીને યુઝરની સિસ્ટમને બ્લોક કરી દે છે. આમ થવાથી યુઝર તેમના પીસીનો એક્સેસ ગુમાવી બેસે છે. આ સ્ટેજ પર યુઝરને એક રેનસમ મેસેજ અને જાણકારી મળે છે કે, તેમનો ડેટા ઈનક્રિપ્ટેડ છે. આ સ્થિતિમાં તમને ખબર પણ નહીં પડે કે તમારો પાસવર્ડ ચોરી થઈ ગયો છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ માલવેયરમાં એક કોડ રહેલો હોય છે, જે યુઝરના કોમ્પ્યુટરમાંથી ફાઈલ ડિલિટ કરી નાંખે છે. ટુંકમાં સાયબર સિક્યોરિટી મામલે પણ હવે કોરોના વાઈરસે આતંક મચાવી દીધો છે. ઈમેલ સ્પામર્સ પણ  કોવિડ-19નો ઉપયોગ કરી રહ્યો છે જેથી લોકોને મેલ દ્વારા એટેચમેન્ટ ડાઉનલોડ કરવા માટે લલચાવવામાં આવે છે. અનેક ફ્રોડસ્ટર્સે હજારો બોગસ વેબસાઈટો બનાવી લીધી છે, જેના ડોમેનમાં કોરોના કે કોવિડ-19નો ઉલ્લેખ છે. એવી એપ્લિકેશન અને પ્રોગ્રામ પણ બનાવવામાં આવ્યા છે જે કોમ્પ્યુટર અને સ્માર્ટફોન પર અટેક કરી રહ્યા છે. એટલા માટે જરૂરી છે કે, તમે તમારી ડિવાઈસની સુરક્ષા પર પૂરતુ ધ્યાન આપો અને કોઈપણ લિન્કને તપાસ કર્યા વગર ઓપન ન કરો.

 

લોકડાઉન પૃથ્વીને ફળ્યું : ધરાના કંપનમાં ઘટાડો થયો : ભૂસ્તરશાસ્ત્રીઓ

બ્રસેલ (બેલ્જિયમ): વિશ્વભરમાં કોરોના વાઇરસના પ્રકોપને કારણે સામાન્ય લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે જાહેર વાહનવ્યવહાર થંભી ગયો છે અને વેપાર-ધંધા પણ હાલ બંધ જેવા છે ત્યારે રસ્તાઓ પર લાખ્ખો-કરોડોની સંખ્યામાં લોકો ફરતા હતા. જોકે હાલના સમયે કેટલાક લોકો જ રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે વૈશ્વિક સ્તરે વિશ્વ શાંત થઈ ગયું છે. જેની પુષ્ટિ કેટલાક ભૂગર્ભ વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે.

પૃથ્વીના ઉપરનમાં પડમાં કંપનમાં ઘટાડો

બેલ્જિયમમાં રોયલ ઓબ્ઝર્વેટરીના ભૂસ્તર વિજ્ઞાની થોમસ લેકોકે બ્રસેલ્સમાં કહ્યું હતું કે કોરોના વાઇરસને રોકવા માટેના ઉપાયોને કારણે પૃથ્વીના ઉપરી પડમાં કંપનનો સ્તર ભારે માત્રામાં ઓછો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે આ કંપન કાર, બસ, ટ્રક, ટ્રેન અને કારખાનાંઓ ચાલવાને લીધે પેદા થાય છે.

કંપનમાં 30થી 50 ટકાનો ઘટાડો

માત્ર બ્રસેલ્સમાં જ માર્ચમાં ધરતીના કંપનમાં 30 ટકાથી 50 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આનું કારણ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સામાન્ય લોકોનાં કામકાજ અટકાવી દેવામાં આવ્યાં અને સામાજિક અંતર બનાવવામાં આવ્યું હતું, એમ થોમસ લેકોકે કહ્યું હતું.

નાનામાં નાની ભૂર્ગભીય હલચલને સાંભળી રહ્યા છે વિજ્ઞાનીઓ

લોકડાઉનને લીધે ઓછા ઘોંઘાટને કારણે ભૂકંપ વિજ્ઞાનીઓને નાનામાં નાની ભૂગર્ભીય હલચલ પણ માલૂમ પડે છે. ધરતીનું આ કંપન સામાન્ય સમયમાં ઉપરના પડમાં માનવ નિર્મિત કંપનને કારણે રેકોર્ડમાં નથી આવતી. એટલા માટે ભૂકંપ માપન કેન્દ્ર હંમેશાં શહેરોથી બહાર સ્થાપિત કરવામાં આવે છે, કેમ કે માનવીય ઘોંઘાટને કારણે એ કંપનોને સાંભળવી સરળ નથી હોતી, એમ લેકોકે કહ્યું હતું.

તેમણે એ પણ જણાવ્યું હતું કે ભૂકંપ વિજ્ઞાની (સિસ્મોલોજિસ્ટ) ધરતીનાં કંપનોને માલૂમ કરવા માટે બોરહોલ સ્ટેશન (જમીનની અંદર બનેલા કેન્દ્ર)નો ઉપયોગ કરે છે, પણ વર્તમાનમાં શહેરમાં લોકડાઉનને પગલે છવાયેલી શાંતિને કારણે એને બહારથી પણ એટલી જ સારી રીતે સાંભળી શકાય છે, જેટલી નીચેથી સાંભળી શકાય છે.

લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરી રહ્યા છે

ધરતીના ઉપરના પડમાં કંપનમાં આલે ઘટાડો એ બતાવે છે કે વિશ્વભરમાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે.  આ સાથે લોકો એકમેકથી સામાજિક અંતર પણ રાખી રહ્યા છે, એમ લેકોકે કહ્યું હતું.

પંચાગ: 05-04-2020

આવતી કાલે વીજ બંધ કરવાથી ગ્રિડને જોખમ નહીં : કેન્દ્ર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે પાંચ એપ્રિલે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી સ્વેચેછાએ લાઇટ બંધ રાખવાની અપીલ કરી છે. કેટલાક અહેવાલોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એનાથી વોલ્ટેજમાં ઉતાર-ચઢાવને કારણે ગ્રિડ પ્રભાવિત થવાની શક્યતા છે, જેનાથી વીજ ઉપકરણોને નુકસાન પણ થવાની શક્યતા છે. હવે વીજ મંત્રાલયે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે આ બધી આશંકાઓ ખોટી છે.

બીજી બાજુ જાહેર ક્ષેત્રની પાવર ગ્રિડ કોર્પોરેશને વડા પ્રધાનની વીજ બંધ કરવાની અપીલને જોતાં ગ્રિડની સ્થિરતા માટે પહેલેથી જ સક્રિય છે. કંપનીએ કોઈ પણ પ્રકારની સમસ્યા નહી આવવાનો વિશ્વાસ આપ્યો છે. વીજપ્રધાન આરકે સિંહે પાવર ગ્રિડ કોર્પોરેશન અને અન્ય સંબંધિત પક્ષોની સાથે આ મુદ્દે વાટાઘાટ કરી હતી.

આ પહેલાં વડા પ્રધાને દેશને વિડિયો સંદેશ આપતાં કહ્યું હતું કે પાંચ એપ્રિલ્ રાત્રે નવ કલાકે સ્વેચ્છાએ નવ મિનિટ સુધી વીજળી (ઘરની લાઇટ) બંધ કરીને આનાથી ગ્રિડની સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે. વીજ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સંકટ સમયે વીજની સમસ્યાને લીધે ગ્રિડ પર જબાણ પડશે,પણ એની સ્થિરતા પર કોઈ પ્રભાવ નહીં પડે. જોકે આના માટે વીજ વિભાગ પહેલેથી સક્રિય થઈ ગયો છે. વીજ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા જોઈએ તો બીજી એપ્રિલે વીજ માગ ઘટીને 25 ટકા ગટીને 1,25,810 મેગાવોટ રહી ગઈ છે. પાછલા વર્ષે બીજી એપ્રિલે વીજ માગ 1,68,320 મેગાવોટ હતી.