Home Blog Page 4890

તબલીગી જમાતના મૌલાના સાદનો કથિત ઓડિયો વાઈરલ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના લગભગ 1500 લોકો ભલે પોતાની જાતને ત્યાં ફસાયેલા હોવાનું જણાવી રહ્યા હોય પરંતુ જમાતના મુખિયાનો એક વાયરલ થયેલો ઓડિયો કંઈક અલગ જ હકીકત જણાવે છે. તબલીગી જમાતના મૌલાના સાદનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં તે કોરોના વાઈરસનો ઉલ્લેખ કરી રહ્યાં છે.

આ ઓડિયોમાં મૌલાના સાદ કોરોનાને લઈ કહે છે કે, મરવા માટે મસ્જિદથી વધારે બીજી કોઈ સારી જગ્યા હોઈ જ ના શકે. એના પરથી સ્પષ્ટ થાય છે કે, મૌલાના એ બાબત સારી રીતે જાણતા હતાં કે, આ રીતે એકત્ર થવાથી કોરોના વાઈરસનું જોખમ છે.

વાઈરલ ઓડિયોમાં મૌલાના સાદ અનેક બાબતે પોતાનો મત વ્યક્ત કરે છે. આ દરમિયાન અહીં હાજર લોકોમાં ઘણા લોખો ઉધરસ ખાતા પણ સંભળાય છે. જે દર્શાવે છે કે, અહીં કોરોના વાયરસે પહેલા જ દસ્તક દઈ દીધી હતી પરંતુ તેને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવ્યો હતો.

મૌલાના સાદ ઓડિયોમાં કહેતા સંભળાય છે કે, એ વિચાર જ બેકાર છે કે, મસ્જિદમાં ભેગા થવાથી બિમારી ફેલાય છે, પણ હું કહેવા માંગુ છું કે, જો તમને એવુ દેખાય કે મસ્જિદમાં આવવાથી માણસ મરી જશે તો મરવા માટે આનાથી વધારે સારી બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે.

વાયરલ ઓડિયોમાં મૌલાના સાદ આગળ કહી રહ્યાં છે કે, અલ્લાહ પર વિશ્વાસ રાખો, કુરાન નથી વાંચતાને અખબાર વાંચો છો એટલે જ ડરી જાવ છો અને ભાગી જાવ છો. અલ્લાહ કોઈ પણ મુસીબત એટલે જ લાવે છે કે, તે પણ પારખી શકે કે મારો બંદો શું કરી શકે છે. આગળ કહે છે કે, કોઈ કહે છે કે મસ્જિદને બંધ કરી દેવી જોઈએ, તાળા મારી દેવા જોઈએ કારણે તેનાથી બિમારી વધશે તો આ પ્રકારનો વિચાર તમે તમારા મનમાંથી કાઢી નાખો.

તબલીગી જમાતની દિલ્હી મરકઝમાં ભારતના 19 રાજ્યોમાંથી લોકો આવ્યા હતાં. ત્યાર બાદ દેશમાં કોરોનાથી 10 મોત અને 80 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 45 તો માત્ર તમિળનાડુમાંથી મળી આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબલીગી જમાતની મરકઝ 15 થી 18 માર્ચ યોજાઇ હતી. જો કે તેમાં ભાગ લેવા માટે 1લી માર્ચથી લોકો દિલ્હીમાં આવવા માડયાં હતાં. જેમાં 16 દેશોના 281 લોકો આવ્યાં હતાં. જ્યારે દેશનાં 18 રાજ્યોમાંથી 1200 જેટલી વ્યક્તિઓ આવી હતી. મરકઝના સમય દરમિયાન દેશ અને દુનિયામાં કોરોનાનો ફેલાવો થઇ ચૂક્યો હતો. દેશમાં 144 ની કલમ લાગુ થઇ ગઇ હતી. પરંતુ દિલ્હી પોલીસના નાક નીચે જ્યારે એક મસ્જિદમાં 2000 હજાર લોકો ભેગાં થયાં તેની કોઇ નોંધ ના તો પોલીસે લીધી કે ના તો પ્રશાસને લીધી. પરિણામ આજે એ આવ્યું છે કે ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન દેશને થયું છે. મરકઝમાં સામેલ લોકોની દેશભરમાંથી શોધખોળ ચાલી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગાણામાંથી 1000 અને યુપીમાંથી 157 લોકોની ઓળખ થઈ છે.

અમેરિકામાં રહેતા ભારતીયોની નોકરી પર સંકટના વાદળો

નવી દિલ્હી: વિદેશી આઈટી પ્રોફેશનલોએ ટ્રમ્પ પ્રશાસને આગ્રહ કર્યો છે કે, તેમને 60 દિવસને બદલે 180 દિવસ સુધી અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી આપે. કોરોનાવાઈરસને કારણે અમેરિકામાં મોટાપ્રમાણમાં છટણીની સ્થિતિ ઉભી થાય તેવી ભીતી છે. આ પ્રોફેશનલોમા મોટાભાગના ભારતીય એચ-1બી વીઝાધારકો છે. એચ-1બી એક નોન-પ્રવાસી વીઝા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી સ્કિલ્ડ વર્કરોને અમુક ખાસ વ્યવસાયોમાં નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. ભારતીય આઈટી પ્રોફેશનલોની આમાં સૌથી વધુ માંગ છે.

વર્તમાન નિયમો અનુસાર નોકરી છોડવાના 60 દિવસની અંદર આ વીઝાધારકોએ તેમના પરિવાર સાથે અમેરિકા છોડવું જરૂરી છે. કોરોના વાઈરસ મહામારીને પગલે અમેરિકન અર્થવ્યવસ્થાના જૂદા જૂદા ક્ષેત્રોમાં મોટા પ્રમાણ પર છટણીની આશંકા છે અને આવનારા મહિનામાં સ્થિતિ વધુ વણસી શકે છે. અમેરિકામાં 21 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 33 લાખ અમેરિકનોએ પ્રારંભિક બેરોજગારીનો દાવો કર્યો છે. દેશમાં લાખો લોકો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે.

એક અનુમાન અનુસાર લગભગ 4.7 કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે. આ એચ-1બી વીઝાધારકો ન તો બેરોજગારીનો લાભ મેળવવા પાત્ર છે કે ન તો સામાજિક સુરક્ષા લાભના હકદાર. પ્રાથમિક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં એચ-1બી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. તો કેટલાક કર્મચારીઓને અગાઉથી જ આ અંગે ચેતવી દેવામાં આવ્યા હતા કે તેમની નોકરી જઈ શકે છે.

આ સ્થિતિમાં એચ-1બી વીઝાધારકોએ નોકરી છોડયા પછી અમેરિકામાં તેમના પ્રવાસના સમયને વધારવા માટે વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર એક અરજી અભિયાન શરુ કર્યું છે. અરજીમાં સરકાર પાસે અસ્થાયી પ્રવાસની અવધિને 60 દિવસથી વધારીને 180 દિવસ કરવા અને આ વિપરીત સમયમાં એચ-1બી કર્માચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે, વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા મેળવવા માટે ઓછામાં ઓછી એક લાખ અરજીઓની જરૂર હોય છે.

 

મૌલાનાની જીદ સામે NSA ડોભાલને મધ્યસ્થી કરવી પડી

નવી દિલ્હીઃ દિલ્હીની નિઝામુદ્દીનની પાસે આવેલી મરકજ મસ્જિદને ભીડથી ખાલી કરાવવી એ ઘણું મુશ્કેલ કાર્ય હતું. નિઝામુદ્દીનની મરકજ મસ્જિદ લોકોને ખાલી કરવા પર રાજી નહોતી. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ચેતવણી છતાં તબલિગી જમાત જીદ પકકડીને બેઠું હતું. મૌલાના સાદ એને ખાલી કરવા નહોતા ઇચ્છતા. ત્યાર બાદ ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને આગ્રહ કર્યો કે તેઓ જમાતને મસ્જિદ ખાલી કરાવવા માટે સમજાવે.

NSA અજિત ડોભાલ રાત્રે બે વાગ્યે પહોંચ્યા

ગૃહપ્રધાનના આગ્રહને લીધે અજિત ડોભાલ 28-29 માર્ચે રાત્રે બે વાગ્યે મરકકજ પહોંચ્યા હતા. ડોભાલે મૌલાના સાદને સમજાવ્યા અને ત્યાં હાજર રહેલા લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરાવવા માટે કહ્યું અને આ લોકોને ક્વોન્ટાઇનમાં રાખવાની વાત કરી. શાહ અને ડોભાલને સ્થિતિની ગંભીરતા માલૂમ હતી, કેમ કે સુરક્ષા એજન્સીઓએ કરીમનગરમાં ઇન્ડોનેશિયાના નવ લોકોની કોરોના પીડિત તરીકે ઓળખ કરી લીધી હતી.

ડોભાલે મસ્જિદના મૌલાનાઓને સમજાવ્યા

સુરક્ષા એજન્સીઓએ મરકજમાં કોરોના સંક્રમણનો સંદેશ બધાં રાજ્યો અને પોલીસને મોકલી આપ્યો. NSA ડોભાલે સમજાવ્યા પછી મરકજ 27,28 અને 29 માર્ચે 167 તબલિગી વર્કર્સને હોસ્પિટલમાં દાખલ કરાવવા સહમત થયા. ડોભાલના હસ્તક્ષેપ પછી જમાતના નેતા મસ્જિદની સફાઈ કરાવવા સંમત થયા. ડોભાલે મુસલમાનોની સાથે પોતાના જૂના સંપર્કોનો ઉપયોગ કરીને આ કામ પૂરું કર્યું. દેશની સુરક્ષા માટે વ્યૂહરચના બનાવવા માચે મુસ્લિમ ઉલેમાઓ સાથે તેઓ મીટિંગ કરી ચૂક્યા હતા.

જમાતમાં સામેલ થયેલાં નવનાં કોરોનાથી મોત

નિઝામુદ્દીન મરકજમાં તબલિગી જમાતમાં સામેલ નવ લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યાં છે. આ મોત તેલંગાણામાં છ, તામિલનાડુ, દિલ્હી અને મુંબઈમાં એક-એક થયાં હતાં.

મરકજથી 2361 લોકોને બહાર કઢાયા

નિઝામુદ્દીન મરકજથી આશરે 2,361 લોકોને પરાણે બહાર કઢાયા હતા. આ લોકોમાંથી 441 લોકોમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. આ લોકોને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય 1,107 લોકોને નરેલા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

મરકજથી પોલીસ કાર્યવાહી

મરકજ મામલે દિલ્હી પોલીસે મૌલાના સાદ, ડો. જીશાન, મુફ્તી શહજાદ, એમ સૈફી, યિનુસ અને મોહમ્મદ સલમાન સામે FIR  નોંધ્યા છે. દરમ્યાન મૌલાના સાદ 28 માર્ચ પછી લાપતા છે. તેમની શોધખોળ ચાલુ છે.

 

 

તબલિગી જમાતનું મરકજ કોરોનાનું ‘કારખાનું’ બન્યું

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીનું એ બિલ્ડિંગ જ્યાં નિઝામુદ્દીન મરકજ હેઠળ કેટલાય વિદેશી લોકો આવ્યા હતા, એને કેન્દ્ર દ્વારા કોરોના વાઇરસનું હોટસ્પોટ (ચેપગ્રસ્ત લોકોની વધુ સંખ્યા) જાહેર કરવામાં આવ્યું હતું.  100થી વધુ લોકો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી નિઝામુદ્દીનના મરકજમાંથી 2,361 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મરકજને સવારે ચાર વાગ્યે ખાલી કરાવવામાં આવ્યું હતું. આ લોકોમાંથી 1700થી વધુ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મરકજ મામલે પોલીસ દ્વારા સાત FIR નોંધવામાં આવ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાંચ તપાસ કરશે. તેલંગાનાના છ સહિત કોરોનાને કારણે નવનાં મોતને પગલે નિઝામુદ્દીન મરકજમાં રોકાયેલા લોકોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં આઠ-10 માર્ચ સુધી તબલિગી જમાતમાં હિસ્સો લેવા માટે બે હઝારથી વધુ લોકો આવ્યા હતા. આમાં દેશના વિવિધ રાજ્યો અને વિદેશથી કુલ 1,830 લોકો મરકજમાં સામેલ થયા હતા. આ મરકજની આસપાસ અને દિલ્હીની નજીક 500થી વધુ લોકો હતા. તબલિગી જમાતના આ કાર્યક્રમમાં 200થી વધુ વિદેશી લોકો સામેલ હોવાના સમાચાર હતા.

સામેલ થયેલા લોકોની વિવિધ રાજ્યોમાં શોધ

આ મરકજમાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમને ક્વોરોન્ટાઇનમાં રાખવા અને તેમનું પરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મરકજમાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના લોકો સામેલ થયા હતા. આ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, જેથી કોરોનાના ચેપને વધુ ફેલાતો રોકી શકાય.

કોરોનાનું હોટસ્પોટ કે કારખાનું

દક્ષિણ દિલ્હીનું એ બિલ્ડિંગ જે નિઝામુદ્દીન મરકજ હેટળ કેટલાય દેશોમાંથી લોકો આવ્યા હતા. કેન્દ્ર દ્વારા કોરોના વાઇરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. 28 માર્ચે ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે અમને સૂચના મળી છે કે તબલિગી જમાતમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમને આશંકા છે કે અન્ય દેશોથી આવેલા લોકોથી કોરોના વાઇરસ ફેલાઈ શકે છે.

 

વર્ષ 2019-20માં રોકાણકારોના રૂ. 41 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ રોકાણકારો નાણાકીય વર્ષ 20190-ને યાદ રાખવા નહીં માગે, કેમ કે વીતેલા નાણાકીય વર્ષમાં શેરબજારોમાં ભાગે ઊથલપાથલ જોવા મળી હતી. વીતેલા નાણાકીય વર્ષમાં આ વર્ષે રોકાણકારોને અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર, પીએમસી અને યસ બેન્કની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, વૈશ્વિક સ્લોડાઉનને લીધે નબળું પડેલું અર્થતંત્ર અને વર્ષના અંતે કોરોના વાઇરસને લીધે બજારોની અવદશા જોવા મળી હતી. જેથી રોકાણકારોના વીતેલા વર્ષમાં 41 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી ટોપ અને બોટમ બનાવી

જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. પણ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સતત ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઇરસને કારણે વર્ષના અંતે સેન્સેક્સ 9000 પોઇન્ટ અથવા 25 ટકા ઘટ્યો હતો. જ્યારે વર્ષ 2019-20માં નિફ્ટી 3000 પોઇન્ટ અથવા 26 ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 10 શેરોમાં 10.6 ટકાનો ઘટાડો

સેન્સેક્સમાં સમાવિષ્ટ 10 શેરોએ વર્ષના અંત સુધીમાં સરેરાશ 10.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ શેરોએ સેન્સેક્સ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. આ બધા શેરોનું માર્કેટ કેપ બે લાખ કરોડથી વધુનું છે. નાણાકીય વર્ષ 2018-19માં આ શેરો 30 ટકા અને વર્ષ 2017-18માં 20 ટકા વધ્યા હતા.

વર્ષમાં મિડકેપ 32 ટકા અને સ્મોલકેપ 37 ટકા ઘટ્યા

આ વર્ષે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 32 ટકા ઘટ્યો હતો, જે વર્ષ 2008-09માં આવેલી આર્થિક કટોકટી પછી સૌથી મોટો ઘટાડો છે. એ વર્ષે ઇન્ડેક્સ 54 ટકા તૂટ્યો હતો. એ જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સ 37 ટકા ઘટ્યો હતો. આર્થિક મંદીના વર્ષમાં ઇન્ડેક્સનું મૂલ્ય 58 ટકા ઘટી ગયું છે.

રાશિ ભવિષ્ય 01/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુના અટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

કોરોના સામે લડવા ભારત-પાકિસ્તાનના ક્રિકેટરો સંગઠિત થયા

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા આખું વિશ્વ હાલ સ્થગિત થઈ ગયું છે ત્યારે આ કપરાં સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે રમતવીરો આગળ આવ્યાં છે અને એમનાથી બનતું દાન આપી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફરિદી સાથે હાથ મિલાવ્યા છે.

યુવરાજ સિંહે આફરિદી અને એની બિનસરકારી સંસ્થા આફરિદી ફાઉન્ડેશનને ટેકો જાહેર કર્યો છે. યુવરાજે ટ્વીટ કરીને લખ્યું છે કે, હાલના કટોકટીભર્યા સમયમાં કમનસીબ લોકોને મદદરૂપ થવા માટે ભેગા થવાની જરૂર છે. ચાલો આપણે પણ થોડીક મદદ કરીએ. હું શાહિદ આફરિદી અને એની સંસ્થા શાહિદ આફરિદી ફાઉન્ડેશને કોવિડ-19 સામેની લડાઈમાં આદરેલી ઉમદા પહેલને મારો ટેકો જાહેર કરું છું. પ્લીઝ donatekarona.com પર દાન આપજો.

આ જ રીતે ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે પણ આફરિદીની પહેલની પ્રશંસા કરી છે. એણે ટ્વીટ કરીને લખ્યું છે કે માનવતા માટે શાહિદ આફરિદીનું આ મહાન કાર્ય છે. ભગવાનના આપણા સૌની ઉપર આશીર્વાદ રહે, વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું છું.

શાહિદ આફરિદીએ પણ પોતાને ટેકો આપવા બદલ યુવરાજ સિંહ અને હરભજન સિંહનો આભાર માન્યો છે. આફરિદીની સંસ્થા પાકિસ્તાનમાં આ રોગચાળાને કારણે સૌથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, જંતુનાશક દવાઓ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરા પાડી રહી છે.

યુવરાજ સિંહે એક વિડિયો સોશિયલ મિડિયા પર રિલીઝ કરીને જણાવ્યું છે કે આ સમયમાં સાથે રહેવું બહુ જ મહત્ત્વનું છે.

શાહિદ આફરિદીને ટેકો આપવા બદલ જોકે યુવરાજ અને હરભજન ઉપર ભારતમાં અનેક લોકો નારાજ થયા છે. ઘણા નેટયુઝર્સે સોશિયલ મિડિયા પર આ બંને ક્રિકેટરની ટીકા કરતા સંદેશા પોસ્ટ કર્યા છે.

ઘરને બનાવો કોરોના વાયરસ પ્રુફ!

જે ચોતરફ કોરોના વાયરસની વાતો થાય છે. દેશમાં ઘણે ઠેકાણે લોકોને વાયરસનું સંક્રમણ લાગ્યું છે. એ સંક્રમણ પોતાને ન થાય તે માટે લોકો ઘણા જાગૃત થઈ ગયા છે અને વારંવાર સાબુથી હાથ ધોઈને કે હાથને સેનેટાઈઝર લગાડીને સ્વચ્છતા જાળવી રહ્યાં છે. પરંતુ શરીરની સ્વચ્છતા ઉપરાંત ઘરની સ્વચ્છતા તેમજ ઘરમાં આ સંક્રમણ ના ફેલાય તે માટે ઘરને પણ વાઈરસ પ્રુફ બનાવવું જરૂરી છે.

 

‘ડેઇલી મેલ’ના જણાવ્યા પ્રમાણે ‘રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ’ના ટ્રસ્ટી તથા અધ્યક્ષા લિસા એકરેલે, ઓનલાઇન મેડિકલ સર્વિસ ‘ડોક્ટર ‘4-યુકે કન્સલ્ટન્ટ ફાર્માસિસ્ટ’ જેમ ઑલોન તથા ‘કમર્શિયલ ક્લીનીંગ ફર્મ ક્લીનોલોજી’ના સીઇઓ ડોમિનિક પોન્નિયાહ વગેરે નિષ્ણાતોએ કોરોના વાયરસથી બચવા માટે સલાહ આપી છે. જેમ કે,

ક્યારે ક્યારે હાથ ધોવા જરૂરી છે:

  • બહારથી ખરીદી કરીને આવ્યા બાદ તેમજ વ્યાયામ કર્યા પછી તરત હાથ ધોવા.
  • બહાર હો ત્યારે ચહેરાને ના અડધો. ઘરે આવ્યા બાદ સાબુથી હાથ ધોઈને ચહેરાને અડો.
  • કારમાં એન્ટીબેક્ટેરિયલ વાઈપ્સ રાખવા. ઘરે આવ્યા બાદ હાથ સાબુથી ધોવા.
  • ગંદા હાથ ક્રોકરીને સંક્રમિત કરી શકે છે. તેથી ગ્લાસ, પ્લેટ, મગને હાથમાં લેવા પહેલાં હાથ સાબુથી ધોઈ લેવા.

 

ફેબ્રિક કન્ડિશનર થી બચો:

કપડા માટે ફેબ્રિક સોફ્ટનર વાપરતા હો તો જાણી લો કે આ સોફ્ટનર કપડાંની ઉપર એક અદ્રશ્ય પરત જમાવી લે છે. જે કપડાં પહેર્યા બાદ ચામડીને અસર કરે છે.

ત્વચાને સાફ કરતા રહો: અઠવાડિયામાં એકવાર ત્વચા ઉપર સ્ક્રબનો ઉપયોગ કરવો. જેથી ડેડ સ્કિન નીકળી જાય અને સાથે સાથે ત્વચા પર લાગેલી ધૂળના રજકણો પણ સાફ થઈ જાય.

મહિનામાં એકવાર દિવાલ તથા સીલીંગને વેક્યુમ કરવા:

  • સોફા તેમજ ખુરશીને સાફ કરતી વખતે હાથમાં રબરના ગ્લોવ્ઝ પહેરવાં
  • જો ઘરમાં કોઈને એલર્જી હોય તો ઘરને અઠવાડિયામાં એક વાર સાફ કરવું. ડસ્ટીંગ કરવું.
  • એયર સ્પ્રેથી કી બોર્ડ સાફ કરતી વખતે તેને ઘરની બહાર સાફ કરવું. જેથી ઘરમાં ધૂળ ના આવે.
  • છોડને પણ વોટર સ્પ્રેથી પાણી આપવાને બદલે કમ્પ્રેસ્ડ એયર સ્પ્રેનો ઉપયોગ કરવો

ઘરની અંદર પણ ઘણી ધૂળની રજકણો હોય છે, જે શ્વસન માર્ગેથી ફેફસામાં પહોંચી જાય છે. જે અસ્થમાના રોગી માટે પણ હાનિકારક છે. એથી મહિનામાં એકવાર ઘરની સીલીંગ તથા દીવાલોને વેક્યુમ ક્લીન કરવા.

બૈમ્બો ટોયલેટ-રોલ વાપરવા: સામાન્ય ટોયલેટ પેપર ફાડતી વખતે એમાંથી ધૂળની રજકણો નીકળે છે. જે બૈમ્બો ટોયલેટ પેપર શીટમાં નથી થતું. જો કે, આ પેપર થોડા મોંઘા છે.

વાળ ઘરની બહાર ઓળવા:

  • વાળ ઓળતી વખતે ઘરની બહાર ઊભા રહો. જેથી વાળમાંનો ખોડો ઘરમાં ના પડે.
  • પાલતુ પ્રાણીઓને પણ ઘરની બહાર ઉભા રાખીને એમના વાળને બ્રશ ફેરવો.
  • હેર સ્પ્રે તથા ડ્રાય શેમ્પૂનો ઉપયોગ ટાળો.

કોરોના વિશ્વની અર્થવ્યવસ્થા બગાડશે, શું ભારત-ચીન અપવાદ?

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને લઈને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર આ વર્ષે મંદી જોવા મળશે અને વૈશ્વિક આવમાં ઘણાય ટ્રિલીયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. આ સ્થિતિમાં વિકાસશીલ દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે પરંતુ ચીન અને ભારત જેવા દેશો આમાં અપવાદ સાબિત થશે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટથી આ જાણકારી સામે આવી છે. દુનિયાની બે-તૃતિયાંશ જનસંખ્યા વાળા વિકાસશીલ દેશોને કોરોના વાયરસને લઈને અભૂતપૂર્વ આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રએ આ દેશો માટે 2.5 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જરુરિયાત વ્યક્ત કરી છે.

યૂએનસીટીએડીએ કહ્યું કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી રહેશે અને વૈશ્વિક આવકને કેટલાય ટ્રિલીયન ડોલરનું નુકસાન થાય તેવી શક્યતા છે. આનાથી વિકાસશીલ દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. પરંતુ આમાં ચીન અપવાદ સાબિત થઈ શક્યું છે કે ભારત પણ અપવાદ સાબિત થાય તેવી શક્યતા છે.

જો કે રિપોર્ટમં એ વાતની વ્યાખ્યા નથી કરવામાં આવી કે જ્યારે કોરોના વાયરસના કારણે સર્જાનારી વૈશ્વિક મંદીથી દુનિયાભરના વિકાસશીલ દેશોને મોટું નુકસાન ઉઠાવવું પડશે તો ભારત અને ચીન આમાં અપવાદ કેમ અને કેવી રીતે થશે. યીએનસીટીએડીનું અનુમાન છે કે આવતા બે વર્ષમાં વિકાસશીલ દેશોને બેથી ત્રણ ટ્રિલિયન ડોલરના ફાઈનાન્સિંગ ગેપનો સામનો કરવો પડશે.

ટચૂકડા પડદાના સુવર્ણયુગને ફરી જીવંત કરી રહયું છે દૂરદર્શન

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દૂરદર્શનના જૂના દિવસ પાછા આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરદર્શન પર એક જમાનામાં અતિ લોકપ્રિય થયેલા શોને ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ શોનો એક મોટો ચાહકવર્ગ છે.

ભારત સરકારના માહિતી વિભાગ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, એપ્રિલથી શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, ચાણક્ય, ઉપનિષદ ગંગા અને કૃષ્ણા કાલી સિરિયલ દૂરદર્શન પર ફરી વખત પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ તમામ કેબલ ઓપરેટરોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે દૂરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલોને ફરજીયાતપણે દેખાડવામાં આવે. જો કોઈ કેબલ ઓપરેટરો વિરુદ્ધ ફરિયાદ આવશે તો કેબલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેલીવિઝનના સુવર્ણયુગને ફરી જીવંત કરવાની તૈયારી:

મહત્વનું છે કે, આ પહેલા દૂરદર્શનની ડીડી નેશનલ ચેનલ પર રામાયણ અને ડીડી ભારતી પર મહાભારતનું ટેલિકાસ્ટ શરું થઈ ચૂક્યું છે. શાહરુખ ખાનનો શો સર્કસ અને જાસૂસી સીરિયલ બ્યોમકેશ બક્સી પણ ફરીથી પ્રસારીત કરવામાં આવી રહ્યા છે. આ તમામ શો 80 અને 90ના દાયકાના છે. આ શોને જોવા વાળી પેઢી હવે મિડલ ઉંમરમાં છે. જેથી બાળપણ અને કિશોરાવસ્થાના શો તેમને યાદોના દરિયામાં ડુબાડી દેશે અને નવી પેઢીને સંસ્કારો સાથે સમજણ કેળવવામાં મદદ કરશે.

મહત્વનું છે કે, ચાણક્યનું પ્રથમ પ્રસારણ 1991 1992ની વચ્ચે થયું હતું. 47 એપિસોડની આ એકદમ લોકપ્રિય સીરિઝનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું હતું અને તેમણે પોતે ચાણક્યનો રોલ નિભાવ્યો હતો. કોમેજી સીરિઝ શ્રીમાન શ્રીમતીનું પ્રસારણ 1994 1999ની વચ્ચે થયું હતું. 143 એપિસોડની આ સીરિઝનું નિર્દેશન રાજન વાઘધરેએ કર્યું હતું. જતિન કનકિયા, રીમા લાગૂ, રાકેશ બેદી અને અર્ચના પૂરણ સિંહે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.