Home Blog Page 4917

નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર શું કહ્યું બોલીવુડે?

નવી દિલ્હીઃ બોલીવુડના કેટલાય સ્ટાર્સે વર્ષો બાદ નિર્ભયા મામલે મળેલા ન્યાય અને એક માં ની જીતના વખાણ કર્યા છે. આમાં સુષ્મિતા સેન, ઋષિ કપૂર, પ્રીતિ ઝિન્ટા, રિતેશ દેશમુખનો સમાવેશ થાય છે. અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું કે, એક માતાની નમ્રતાને હાથ જોડીને પ્રણામ. આશા દેવી આ બધુ જોતા રહ્યા અને આખરે ન્યાય મળ્યો. દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરે કહ્યું કે, જેવું કરો તેવું ભરો. ચલો આનાથી માત્ર ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં એક દાખલો બેસશે. દુષ્કર્મની સજા માત્ર મૃત્યુ છે. તમારે નારીત્વનું સન્માન કરવું પડશે. એ લોકો પર શરમ આવે છે કે જેમના કારણે ફાંસી આપવામાં મોડુ થયું છે. જય હિંદ.

બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે, જો નિર્ભયાના દોષિતોને 2012 માં લટકાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયિક પ્રણાલી મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓને રોકી શકી હોત. ભારત સરકારને ન્યાયિક સુધારો કરવાની જરુર છે.

એક્ટર રિતેશ દેશમુખે કહ્યું કે, ખૂબ રાહ જોવી પડી પરંતુ આખરે ન્યાય મળી ગયો. તેમણે લખ્યું કે, આ પ્રકારના જઘન્ય ગુના કરનારા રાક્ષસોમાં ડર પેદા કરવા માટે કડક કાયદા લાગૂ કરવા જોઈએ. કઠોર દંડ આપવો અને ફાસ્ટ કોર્ટની સ્થાપના કરવી તે જ એકમાત્ર ઉપાય છે.

ભારત સરકારે કોરોના સામે કેવી આર્થિક રાહત આપવી જોઈએ?

‘જનતા કર્ફયૂ’નો સહયોગ મળશે, સાથે જનતા રિલીફ પણ થવી જોઈએ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધી સાવચેતીના પગલાં ભરવામાં લોકોનો સહયોગ મેળવવા 22 માર્ચના રવિવારેજનતા કર્ફયૂ’ સહિત અનેક  જાહેરાત કરી છે, જેની સાથે આર્થિક પેકેજ માટે ઈકોનોમિક ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે, સમયમાં ટાસ્ક ફોર્સે કેવી રાહત આપવી જોઈએ એની ઝલક જોઈએ

કોરોના વાઈરસની ગંભીરતાને અને તેને અટકાવવાના સંનિષ્ઠ પ્રયાસ રૂપે ભારત સરકારે સંખ્યાબંધ સાવચેતી-અગમચેતીના  પગલાં જાહેર કરીને દેશભરની જનતાને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. તેમાં જનતાએ સહયોગ આપવાની જવાબદારી નિભાવવાની છે અને તે માત્ર દેશના જ નહીં, ખુદ જનતાના પણ  હિતમાં છે. જો કે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  એક મહત્ત્વની જાહેરાત ઈકોનોમિક ટાસ્ક ફોર્સ રચવાની પણ કરી છે . આ આર્થિક બાબત સામાન્ય જનતાથી માંડી વેપાર- ઉધોગના દરેક વર્ગને સ્પર્શે છે. આને નિભાવવાની  જવાબદારી સરકારની રહેશે.

માત્ર ગૌરવથી કામ નહીં ચાલે

કોરોના વાઈરસ સમગ્ર જગત પર છવાઈ રહયું છે અને તેનો ભય  વાઈરસ કરતા વધુ ઝડપથી છવાઈ રહયો છે. આ સમયમાં ભારત તેની 130 કરોડની જંગી વસ્તી સામે માત્ર નજીવા જ કેસો હોવાનું ગૌરવ લઈ રહયું છે તેમ જ આ માટે સતત અગમચેતીના પગલાં પણ ભરી રહયું છે. આટલી મોટી વસ્તીમાં આટલા ઓછાં કેસ બન્યા હોવાથી કયાંક એવા સવાલ પણ થાય છે કે શું ભારત સરકાર યા રાજય સરકારો કોરોનાના દર્દીને ઓળખવામાં ભુલ તો નથી કરી રહયા ને? ખૈર, ભારત માટે આજની સ્થિતી દુકાળમાં અધિક માસ નહીં, અધિક વરસ જેવી છે. અનેકવિધ આર્થિક સમસ્યા-પડકારોનો સામનો કરી રહેલા ભારતે કોરોના વાઈરસને ફેલાતા અટકાવવા જે પગલાં લેવા પડયા છે તે મંદીના જખ્મો પર નમક સમાન ગણાય. કિંતુ કમનસીબે આ સિવાય વિકલ્પ પણ નથી.

જો કે મોદી સરકાર પરિસ્થિતી પર કાબુ મેળવવાનું જે ગૌરવ લઈ રહી છે તેની સામે આ કાબુ મેળવવા માટે સહકાર આપનાર પ્રજાનો વધી ગયેલો બોજ હળવો કરવાનું પણ વિચારવું જોઈએ.  કોરોના અસરગ્રસ્ત ઘણાં દેશોએ અત્યારના કપરાં સંજોગોમાં  અર્થતંત્રને-વેપાર-ઉધોગને ટેકો આપવા વિવિધ જંગી આર્થિક રાહત પેકેજ જાહેર કર્યા  છે, તેમ ભારત પણ હવે નજીકના ભવિષ્યમાં પોતાની  જાહેરાત પણ  કરશે, જેને માટે જ સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેની જાહેરાત પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ  ગુરુવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી.

લોકોને પ્રથમ સહાય કરો

સરકારે આ સમયમાં શા માટે રાહત આપવી જરૂરી છે તેના વિશે સમજતા પહેલાં હાલ કોની હાલત બુરી થઈ છે અને હજી કથળી રહી છે તે સમજીએ. આપણા દેશમાં મોટેપાયે બિનસંગઠિત ક્ષેત્રમાં કરોડો લોકો કામકરી રહયા છે, અનેક લોકો રસ્તામાં માલ વેચી રોજબરોજની  કમાણી પર જીવતા હોય છે. આમાં મોટેપાયે નિમ્ન અને મધ્યમ વર્ગ- નોકરિયાત વર્ગ-મધ્યમ વેપારી વર્ગ પણ આવી જાય છે. અનેક મોલ્સ બંધ કરાવી દેનાર સરકારે એ વિચાર્યુ છે કે આમાં ધંધો કરતા-નોકરી કરતા લોકોની આવકનું શું થશે? સરકારે જે-જે વેપાર-ઉધોગ બંધ કરાવ્યા છે તે દરેકમાં લાખો લોકોની રોજીરોટીનો સમાવેશ થાય છે, તેમની પાસે આવકના બીજા કયા વિકલ્પ છે? કેટલાં લોકો પાસે છે? શું સરકારે આ વિષયમાં વિચાર્યુ છે ખરું? જયારે કે દેશમાં પહેલેથી બેરોજગારીની સમસ્યા કાતિલ સ્વરૂપે ઊભી છે, ધંધા સાવ જ મંદા પડયા છે, ઉત્પાદન બંધ જેવા છે,  એરપોર્ટ, પોર્ટ, ટ્રેનો, સહિત અનેક પ્રકારની હેરફેર પર અંકુશ આવી જતા વિવિધ વેપાર -વ્યવહાર લગભગ બંધ સમાન છે, ઉપરથી  નોકરીમાં પણ કાપ આવી રહયા છે, આવા સંજોગોમાં જે ચાલતું હતું એ પણ બંધ થઈ જવાથી દશા વધુ કથળી રહી છે, ભલે એ કામચલાઉ કહેવાતી હોય, પરંતુ અત્યારે તો આ પણ નાજુક સમસ્યા બનીને સામે આવી છે.

વેપારઉધોગને પણ રાહત આપો

વર્તમાન કપરાં સંજોગોમાં સરકારને સહકાર આપનાર નાના-મોટા વેપાર-ઉધોગને ઈન્કમ ટેકસ, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) માં પણ ચોકકસ સમય અને અન્ય સંભવિત આર્થિક રાહત આપવી જોઈએ. જો મોદીજી એમ કહેતા હોય કે આ વર્ગ તેમના કર્મચારીઓનો પગાર ન કાપે, તેમને સહાય કરે, તેમની નોકરી સાચવે,જેવી જવાબદારી તેમનાં  પર નાંખતા હોય તો આ વર્ગને એ મુજબ રાહત પણ આપવી જોઈએ. કારણ કે આ વર્ગ પણ ધંધાની મંદીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે.  માર્ચ વર્ષાન્ત  આવી રહયો હોવાથી કેટલીક કર સંબંધી પાલનની બાબતોમાં પણ અનિવાર્ય છુટછાટ આપવાનું પગલું ભરવું જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવા માટે સરકાર પાસે પણ આ યોગ્ય અવસર છે.

 આ રાહતો પણ આપવી જરૂરી  

સરકારે વર્તમાન સમયમાં જેમ કામચલાઉ ઘણી બાબતોમાં  બંધ અને પ્રતિબંધ  કરાવ્યા છે તેમ કામચલાઉ રાહત સ્વરૂપે જે સેકટર  કોરોનાથી અસરગ્રસ્ત છે તેને કર રાહત આપવી જોઈએ. રિઅલ્ટી સેકટરને ખાસ રાહત આપવી જોઈએ. વ્યાજના દર ઘટાડી ધિરાણ માગ વધે અને તેને પગલે વપરાશ વધે એવું કરવું જોઈએ.  નોન-બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપનીઝ માટે પ્રવાહિતાની સ્થિતી સુધારવી જોઈએ, જેથી તે વધુ ધિરાણ કરવા સક્ષમ બને. જેમના લોનના હપ્તા ચાલુ છે એવા વર્ગ માટે ચોકકસ મસયગાળાની રાહત આપી શકાય. બેંકોની એનપીએ (નોન-પફોર્મિગ એસેટસ) વધવાની શકયતા ને ધ્યાનમાં રાખી તેમાં હાલ રાહત આપી શકાય. રોજબરોજની આવક પર નભતા લાખો લોકોના બેંક ખાતામાં ચોકકસ રકમ જમા કરવી જોઈએ. આ માટે અલગથી ભંડોળ ઊભું કરવાનું વિચારવું જોઈએ. જે વેપાર-ઉધોગની લોનની સમસ્યા છે તેમને તેમની પાત્રતા  આધારે  ધિરાણની  પુનઃચુકવણી ના  સમયપત્રકને બદલી આપવું જોઈએ. અમુક સમય માટે વ્યાજ માફી પણ આપી શકાય. બેંકોને આ માટે જનારી ખોટને સરકારે બીજી રીતે સરભર કરી આપવી જોઈએ. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ભંડોળ ફાળવણી કરવી જોઈએ. જે પ્રોજેકટસ હાલ અમલમાં છે તેનું કાર્ય ઝડપથી વધારી, તેમાં વધુ માણસોને કામ આપી આવકનું સાધન ઊભું કરવું જોઈએ.

મોદીએ કરેલા અનુરોધને સુચના માનવી જોઈએ

મોદીએ કરેલી જાહેરાતમાં જે અનુરોધ કરાયો  છે, તેમાં  ખાનગી ક્ષેત્રને પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાની છુટ આપવાની વાત કહી છે. દરેક ફેકટરીને સેનિટાઈઝ કરવા કહયું છે. એન્ટ્રી લેવલે ટેમ્પરેચર ચકાસવા કહેવાયું છે. કર્મચારી યા કામદારને તેમનો પગાર સમયસર કરવાનું કહેવા ઉપરાંત નાના-મધ્યમ એકમોના પેમેન્ટ વિલંબમાં ન પડે તેની તકેદારી રાખવાનો અનુરોધ કરાયો છે. કંપનીઓને તેમની સોશ્યલ રિસ્પોન્સીબિલિટીની પ્રવૃતિ પબ્લિક હેલ્થ અંગે વધુ કરવાની સુચના અપાઈ છે. માસ્ક અને સેનિટાઈઝર્સનો પુરવઠો યોગ્ય રહે એવી ખાતરી રાખવા કહેવાયું છે. આ બધી જાહેરાત સાથે મોદીએ જરૂરી ચીજ-વસ્તૂઓની સંગ્રહખોરીથી અને કાળા બજારથી દુર રહેવાની ખાસ આગ્રહ કર્યો છે. સરકાર આ ચીજોની અછત થવા દેશે નહીં એવી ખાતરી પણ તેમણે આપી છે.  આ વિષયમાં સાચી જવાબદારી અને નૈતિકતા વેપારી વર્ગે પણ બતાવવી જોઈએ.

લડાઈ માત્ર સરકારની નથી

કોરોના વાઈરસ સામેની લડાઈ માત્ર સરકારની કે ભાજપની કે મોદીની જ નથી. આ લડાઈ આખા દેશની છે. ભારત સામે હાલ પડકાર અને પરીક્ષા બંને છે. જેથી જ સંકલ્પ અને સંયમ બંને જરૂરી છે. આ વિષયમાં મતભેદ યા વિવાદ ઊભા કરવાને બદલે દેશના અને સ્વંયના હિતમાં સજજ થઈ સહયોગ આપવાનો ખરો સમય છે. ભારત વિશ્વ સમક્ષ પોતાની એકતાની શકિત આ માર્ગે પણ દર્શાવી શકે છે. સ્વસ્થ ભારત અને સશકત ભારત એ આપણા સૌની જવાબદારી બને છે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)

નિર્ભયાના દોષિતોને ફાંસીઃ વડાપ્રધાને કહ્યુ, ન્યાય થયો

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને આજે સવારે ફાંસી આપી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારેય દોષિતોને મળેલી સજા બાદ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ન્યાય થયો છે. મહિલાઓની ગરીમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આનું ખૂબ મહત્વ છે. આપણા દેશની નારી શક્તિએ દરેક દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.આપણે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે કે જ્યાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવે, સમાનતા અને અવસર પર જોર આપવામાં આવે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ભયા મામલે ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દોષિતોની ફાંસી પર કહ્યું કે, ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે હવે ક્યારેય આ પ્રકારની ઘટના નહી થવા દઈએ. આપણે જોયું કે કેવી રીતે ગોષિતોએ કાયદા સાથે છેડછાડ કરી. આપણી વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. આપણે સિસ્ટમમાં સુધારો કરવાની જરુર છે.

ભારતમાં કોરોનાનો આંકડો 185 પર પહોંચ્યોઃ 5 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના 22 નવા કેસો સામે આવ્યા બાદ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 195 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આમાંથી 32 જેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મંત્રાલય અનુસાર, દેશમાં કોવિડ-19 અત્યારે 171 કેસ છે. આ સિવાય 20 લોકો એ છે કે જે સાજા થઈ ગયા છે અને જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી એક વિદેશી સહિત 17 દર્દીઓની પુષ્ટી થઈ છે. તો ઉત્તર પ્રદેશમાં પણ એક વિદેશી સહિત કુલ 19 કેસો સામે આવ્યા છે.

  1. પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. તાજેતરમાં જ બ્રિટનની યાત્રા પર ગયેલો આ વ્યક્તિ રાજ્યમાં કોરોના વાયરસનો બીજો દર્દી છે.
  2. તાજેતરમાં બ્રિટનથી પાછી આવેલી મોહાલીની 69 વર્ષની મહિલા કોરોના પોઝિટીવ આવી અને આ સાથે જ પંજાબમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. મોહાલીના ડેપ્યુટી કમિશનર ગિરીશ દયાલનને કહ્યું કે, મોહાલીમાં ફેઝ 3 એની નિવાસી મહિલા કોરોના વાયરસની પોઝિટીવ આવી છે. તેમણે કહ્યું કે, તપાસ માટે મહિલાના પરિવારના બે અન્ય સભ્યોના નમૂના લેવામાં આવશે.
  3. રેટિંગ એજન્સી “ફિંચ” કોરોના વાયરસ મહામારીના કારણે ભારતની આર્થિક વૃદ્ધિના અનુમાનને 5.6 ટકાથી ઓછું કરીને 5.1 કરી દીધું છે.
  4. ફિરોઝપુર રેલવે મંડળે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને લઈને હિમાચલ પ્રદેશમાં તમામ પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કાંગડા ઘાટીમાં 14 ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.
  5. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીનમાં સતત બીજા દીવસે જીવલેણ બીમારીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જો કે ત્રણ અન્ય લોકોના મોત સાથે દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક 3,248 પર પહોંચી ગયો છે.
  6. પશ્ચિમ બંગાળમાં સાત લોકોમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી કેટલાક લોકો તાજેતરમાં વિદેશથી પાછા આવ્યા હતા.
  7. જયપુરમાં એક દંપતિને કોવિડ-19 પોઝિટીવ આવ્યો હતો. 30 વર્ષીય આ દંપતિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. તેમને સવાઈ માનસિંહ ચિકિત્સાલયના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
  8. દિલ્હીમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખતા મેટ્રો અધિકારીઓએ યાત્રીઓને જરુર વગર મેટ્રોમાં મુસાફરી ન કરવા માટે અપીલ કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, તમામ સ્ટેશનો પર યાત્રીઓની તપાસ કરવામાં આવશે.
  9. છત્તિસગઢ સરકારે નોવેલ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્યની તમામ શાળાઓને આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રવિવારે જનતા કર્ફ્યૂ, અઠવાડિયું આખું અર્ધ-કર્ફ્યૂ

તાળાબંધી શબ્દ પ્રચલિત થવાની તૈયારીમાં હતો, પણ તેની જગ્યાએ જનતા કર્ફ્યૂ શબ્દ ગુંજતો રહેશે. તાળાબંધી એટલે કે લોકડાઉન કોરોના વાયરસ ફેલાયો તે ઘણા દેશોમાં કરવામાં આવી છે. ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાનમાં કોરોના ફેલાયો તે પછી સમગ્ર શહેરમાં સંચારબંધી કરી દેવામાં આવી હતી. ઇટાલી ઉંઘતું રહ્યું અને ત્યાં લોમ્બાર્ડી પ્રાંતમાં કોરોના ફેલાયો પછી સમગ્ર પ્રાંતમાં લોકડાઉન એટલે કે સંચારબંધી કરવી પડી હતી. આ પ્રકારના રોગચાળામાં લોકોને એકબીજાથી દૂર રાખવા એ ઉત્તમ ઉપાય છે, પણ લોકોની એકબીજા સાથેની મિલનબંધી કરવી મુશ્કેલ હોય છે.

તેથી જ ભારતમાં પણ હવે વધારે સાવચેતી લેવી પડે તેવો સમય આવ્યો છે. હવે કોરોના માટે કાળજી ના લેવાય તો કમ્યુનિટી લેવલે એટલે કે સમુદાય લેવલે, સામાજિક કે વેપારી કામકાજે સંપર્ક થાય તેનાથી વાયરસ ફેલાઇ શકે છે તે ત્રીજો તબક્કો આવી ગયો છે. પરંતુ તાળાબંધી કે ઘરબંધી કરવાનો આદેશ લોકોના રોજબરોજના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે અને રોષ પણ ફેલાય. તેથી સૌથી ઉત્તમ છે જનતા કરફ્યૂ, જેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રાષ્ટ્રજોગ સંદેશમાં વિનંતી કરી છે.

22 માર્ચ રવિવારે દેશની જનતાને જનતા કર્ફ્યૂ માટે વડા પ્રધાને વિનંતી કરી છે. જનતા કર્ફ્યૂ ગ્રામીણ વિસ્તારમાં બહુ પ્રચલિત શબ્દ નથી, પણ અમદાવાદ જેવા શહેર આ શબ્દને સારી રીતે સમજે છે. હમણાં થોડા વર્ષોથી જ રથયાત્રા દરમિયાન જનતા કર્ફ્યૂ બંધ થયો છે, નહિતો કોટ વિસ્તારમાં તેઓ આંશિક અમલ થતો હતો. કર્ફ્યૂ શબ્દ મોટા ભાગના લોકો જાણે છે અને તેનો અમલ સ્વેચ્છાએ કરવો સારો સાબિત થઈ શકે છે.

ફરજિયાતના બદલે જનતાને વિનંતી સાથે કરાયેલા જનતા કર્ફ્યૂને સૌ શક્ય એટલી સારી રીતે પાળશે. હકીકતમાં હવે બે અઠવાડિયા કાળજી લેવાની છે ત્યારે સમજદાર લોકોએ રવિવાર પછીના બે અઠવાડિયા સુધી પણ અર્ધ-કર્ફ્યૂ પાળવો જોઈએ. આ મેસેજ આપણે ફેલાવીએ કે અર્ધ-કર્ફ્યૂ પાળો અને ચેપને અડધેથી જ પાછો વાળો.

શું શું કરી શકાય તેવી ટૂંકમાં વાત કરીએઃ

1) સરકારી કચેરીઓમાં જરૂર હોય તેટલા જ કર્મચારીઓ આવે અને બાકીનાને રજા મળે. આ અંગે કેટલાક અંશે નિર્ણય લેવાયો છે, વધુ સ્પષ્ટતા સાથે રાજ્ય સરકારે પણ નિર્ણય લેવો જોઈએ.
2) પબ્લિક સાથે કામ પાડવાનું હોય તે બારીના કર્મચારીઓમાં પણ શિફ્ટ કરી શકાય. સવાર અને સાંજની ચાર ચાર કલાકની શિફ્ટ અને અડધો દિવસની રજા.
3) બેન્કમાં અનિવાર્ય ના હોય તો જવું જ નહિ. બેન્કમાં પણ સ્ટાફની શિફ્ટ કરી શકાય.
4) પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા સૌને એકઠા કરવાના બદલે સીધા જ ડ્યુટીના સ્થળે.
5) દૂધ વગેરેની ખરીદી સિવાયની બધી જ ખરીદી બંધ કરો. ઘરમાં હોય તે વસ્તુ સાવ ખૂટી ના જાય ત્યાં સુધી લેવા ના જાવ. ડેરીએ ભીડ ના કરવી અને પાંચ પાંચ ફૂટના અંતરે રહેવું.
6) શાકભાજીની લારીએથી અઠવાડિયુ ચાલે તેટલી ખરીદી કરીને આવતા બે અઠવાડિયામાં ફક્ત બે જ વાર શાકમાર્કેટ જવું. લારી પર એક ગ્રાહકની ખરીદી ચાલતી હોય ત્યારે બીજાએ ડાબી બાજુ અને ત્રીજાએ જમણી બાજુ ઊભા રહેવું. ચોથા ગ્રાહકે દૂર ઊભા રહેવું.
7) પાણીપુરી ના ખાવા જાવ તે ઉત્તમ, પણ નાના ફેરિયા અને લારીવાળાની રોજીરોટી અટકશે તો આર્થિક સમસ્યા વધશે. તેથી એકબીજાથી દૂર રહીને વારાફરતી પાણીપુરી ખાવ. દર વખત કરતાં અડધી ખાવ અને પૈસા ડબલ આપો. ડબલ પૈસા આપજો, પૂણ્યનું કામ થશે. ભીડ ઓછી થવાથી ચેપ નહિ ફેલાય અને રોજીરોટી માટે કપરાં સમયે મદદ કરી તેનું પૂણ્ય મળશે.
8) કામવાળાને, ડ્રાઇવરને, ચોકિદારને રજા આપી દો અને તેમને એડવાન્સમાં પગાર આપો અને થોડું બોનસ આપો. જાતે કામ કરવાથી કસરત થશે, ઇમ્યુનિટી વધશે, ફાયદો થશે. માણસોને નાનકડું બોનસ મળવાથી ખુશ થશે, તેઓ ઘરે જ રહેશે અને ભીડ ઓછી કરીને આપણને સૌને જ ફાયદો કરાવશે.
9) સરકારી કચેરીની જેમ ખાનગી કંપનીઓએ પણ બિનજરૂરી બધા જ કર્મચારીઓને સ્વંય રજા આપી દેવી રહી. મુંબઈમાં આનો અમલ થવા લાગ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, જામનગર, ભાવનગર, જૂનાગઢમાં પણ અમલ થવો જોઈએ. 22 તારીખે જનતા કર્ફ્યૂ પછી આખું અઠવાડિયું ચાલુ પગારે રજા.
10) જે કંપની ઉત્પાદન આધારે ચાલતી હોય અને ઉત્પાદન બંધ કરીને ચાલુ પગારે રજા આપી ના શકે તેમ હોય તેમણે સમગ્ર કંપનીના કર્મચારીગણના પગારમાં કામ મૂકવો. મોટા પગારદારો વધુ કાપ સ્વીકારે, મધ્યમ ઓછો કાપ સ્વીકારે અને નાના કર્મચારીનો પગાર યથાવત રહે. તેના કારણે કંપનીને કુલ નુકસાન જવાનું હોય તેમાંથી થોડી ખોટ માલિક સહન કરે અને બાકીની ખોટ આ રીતે કર્મચારીઓ વચ્ચે વહેંચે.
11) પગારદાર સેલ્સમેન ચાલુ પગારે ઘરે રહી શકે, પણ વસ્તુઓ જાતે લાવીને જાતે વેચતા સેલ્સમેન માટે કામ છોડી દેવું અઘરું છે. આ પ્રકારના સેલ્સમેન જે વેપારીને કાયમ કમાણી કરી આપે છે, તે વેપારીએ સામે ચાલીને કહેવું જોઈએ કે બે અઠવાડિયાની તારી સરેરાશ કમાણી તને હું આપી દઈશ, પણ તું હાલમાં ઘરે રહેજે.
વેપારીએ વ્યાપક રીતે વિચારવું રહ્યું. સ્થિતિ સંભાળીશું નહિ તો આરોગ્ય કરતાં મોટું નુકસાન અર્થતંત્રને થવાનું છે. અર્થતંત્રને નુકસાન થતું અટકાવીએ અને રૂપિયાને ફરતો રાખીએ તે અર્થતંત્રને ઓછું નુકસાન થશે અને વેપારીવર્ગને પણ એટલું નુકસાન ઓછું થશે. થોડું નુકસાન સહન કરીને, પોતાની સાથે કામ કરતાં માણસોને ટકાવી રાખીને વેપારને અને દેશના અર્થતંત્રને ટકાવી રખાશે. સાચો દેશપ્રેમ આ જ છે. દેશદાઝ દેખાડો.
12) રેસ્ટોરન્ટ બંધ કરી દેવાથી રોજગારી પર અસર થશે, પણ સાથે જ જોખમ ત્યાં વધુ હોવાથી કાળજી વધુ લેવી જોઈએ. અહીં પણ એક ટેબલ પર એક જ ગ્રાહક અને બીજા ટેબલ પર સામી બાજુ બીજો ગ્રાહક એટલા અંતરથી જ ગ્રાહકોને બેસાડવા. આવનારા ગ્રાહકના હાથ સેનિટાઇઝરથી ધોવરાવવા. સ્ટાફ માટે વિશેષ કાળજી લેવી. વધારે ગ્રાહકો હોય ત્યારે ટોકન આપીને વારાફરતી પ્રવેશ આપવો. આસપાસમાં ભીડ ના થાય તે માટે પણ ગ્રાહકોને વિનંતી કરવી. કાર લઈને આવ્યા હોય તે ગ્રાહકને કારમાં જ સર્વ કરવું. સરકાર બંધ કરાવે તેના બદલે સ્વંય શિસ્ત પાળીને રેસ્ટોરન્ટ થોડો બિઝનેસ ચાલુ રાખી શકે છે.
13) એ જ રીતે સિટિબસ વગેરે બંધ કરવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. સારો ઉપાય એ છે કે પહેલાં જેટલી જ બસો દોડતી રાખવી. અર્ધ-કર્ફ્યૂ જેવી સ્થિતિ હોવાથી બસો ખાલી ખાલી હશે. તેથી જોખણ પણ ઓછું અને જરૂરી અવરજવર કરનારા લોકોને મુશ્કેલી પણ ના પડે.
14) ટેક્સી સર્વિસને અસર થઈ છે. ટેક્સી ડ્રાઇવર પણ સેનેટાઇઝર સાથે રાખી શકે છે અને પાછલી સીટમાં ફક્ત એક એક ગ્રાહકને બેસાડીને સેવા ચાલુ રાખી શકે.
15) આમ છતાં ઉપરની કક્ષાને એરલાઇન્સને અને તળિયાની કક્ષાએ ટેક્સી ડ્રાઇવર અને નાના રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસને અસર થશે જ. સરકારે ટાસ્ક ફોર્સ બેસાડ્યું છે અને આર્થિક રીતે જે જે ક્ષેત્રને અસર થવાની હોય તેવા માટે વિચારાશે. પરંતુ સરકારી પ્રયાસો સરકારી જ રહેવાના. આજે સંકટના સમયે જરૂર છે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને વિચારે કે પોતે શું કરી શકે. જનતા કર્ફ્યૂ અને પછી અઠવાડિયું અર્ધકર્ફ્યૂ પાળે.

આ રીતે સ્વંય બહારની અવરજવર ઓછી થશે તેનાથી સ્વંયની સુરક્ષા થશે અને બીજા પરનું જોખમ પણ ઘટશે. પણ બે અઠવાડિયા અર્ધકર્ફ્યૂ જેવી સ્થિતિમાં નિમ્ન મધ્યમ વર્ગ અને કામદાર અને રોજમદાર વર્ગને નુકસાની થશે. તમારી કલ્પના કામે લગાવો અને એવી રીતે દાનપૂણ્ય કરો કે આવા વર્ગના લોકોને ટેકો થઈ જાય. તમારી આસપાસના લોકો, તમારી સોસાયટીના ચોકિદાર, નજીકનાચાર રસ્તે રોજ ઊભા રહેતા રીક્ષાવાળાથી માંડીને લારીવાળા સહિતના લોકોને મદદ કરવા માટે વિચારો. કર્ફ્યૂમાં એકલા રહેવા મળ્યું છે ત્યારે ચિંતન કરો, સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરો, સારા આઇડિયા વિચારીને મિત્રો સાથે ઓનલાઇન શેર કરો અને દાનપૂણ્ય, મદદના મેસેજ ફેલાવો.

ખાસ યાદ રાખજો, કેવી રીતે મદદની વહેંચણી કરવી તેના આઇડિયા પણ વિચારો અને શેર કરજો. જરા પણ ભીડ કર્યા વિના, એક પછી એકને વારાફરતી, દસ દસ ફૂટનું અંતર રાખીને સહાયના વિતરણના આઇડિયા વિચારો. ડૉક્ટર્સ, નર્સ, વૉર્ડમાં કામ કરતા સહાયકો, હોસ્પિટલમાં મદદરૂપ થાઓ, સાફસફાઇ રાખનારા સૌ કોઈ હિંમતથી જોખમી કામ ફરજ સમજીને બજાવે છે ત્યારે સૌ કોઈ તેમને વધાવી રહ્યા છે, તેમને ધન્યવાદ આપી રહ્યા છે. તમે દાનપૂણ્ય, સહાયના સલામત આઇડિયા શેર કરશો તો સોશ્યલ એન્ટ્રપ્રેન્યોર તરીકે તમને પણ સૌ ઓનલાઇન વધાવી લેશે.

ગુજરાત પણ કોરોનાની ઝપટેઃ પાંચ કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના પાંચ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈ કાલે બે હતી, એ એક દિવસમાં જ વધીને આજે પાંચ થઈ ગઈ છે. અમદાવાદની બે મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યુ યોર્કથી આવી હતી, જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યનાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે એ બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ સ્થાનિક રહેવાસીના કેસ પોઝિટિવ આવ્યો નથી.

જોકે સમગ્ર દેશમાં કોરોના વાઇરસના વધીને 206 કેસ થયા છે, જ્યારે વિશ્વભરમાં કોરોના વાઇરસથી 10,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. અમદાવાદમાં પોશ વિસ્તારની સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતી જે ન્યુ યોર્કથી પરત ફરી છે, એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટમાં એક 32 વર્ષીય યુવક કે જે સાઉદી અરેબિયાથી પાછો ફર્યો છે અને સુરતમાં 21 વર્ષીય યુવતી જે લંડનથી પરત ફરી છે –એમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદ –22 વર્ષની પેશન્ટ કે જે હાલમાં અમેરિકાથી રવિવારે પરત ફરી છે. જે ફ્લાઇટમાં બેસતાં પહેલાં ન્યુયોર્કમાં તેની મિત્રને મળી હતી, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજકોટ- 32 વર્ષનો યુવક તે કે તેના 10 સગાંસબંધી સાથે મદિના ગયો હતો, એ મુંબઈ પહોચ્યા પછી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં બાંદરાથી રાજકોટ નવ માર્ટે આવ્યો હતો, તેને ક્વોરિન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે.સુરતઃ 21 વર્ષીય યુવતી જે મુંબઈ એરપોર્ટથી સુરત તેનાં માતાપિતા સાથે પ્રવાસ કર્યો હતો. તેના ફેમિલીના સભ્યો અને તેના ઘરે કામ કરતા સભ્યોને પણ તપાસવામાં આવ્યા છે.

આમ ગુજરાતમાં  કોરોના વાઇરસના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

શું હતી નિર્ભયાના દોષિતોની અંતિમ ઈચ્છા?

નવી દિલ્હીઃ દિલ્હી ગેંગ રેપ મામલે નિર્ભયાના ચાર દોષિતોને આજે ફાંસી આપી દેવામાં આવી છે. આ ફાંસી પહેલા છેલ્લા સાત વર્ષ સુધી નિર્ભયાની માતા સતત કોર્ટમાં લડતી રહી. દોષિતોને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે તેણે પૂરી તાકાત લગાવી દીધી હતી. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ દિલ્હીના નિર્ભયા ગેંગરેપ મામલે ચાર દોષિતોને ફાંસીના માચડે લટકવું જ પડ્યું. ફાંસી પર લટકાવવામાં આવ્યા પહેલા દોષિતોએ ફાંસીથી બચવા માટે પોતાના તમામ કાયદાકીય વિકલ્પોને પૂર્ણ રીતે ઉપયોગ કર્યો પરંતુ નિર્ભયાને આખરે ન્યાય મળી ગયો. ફાંસી આપતા પહેલા જ્યારે દોષિતોને પોતાની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો કોઈપણ ગુનેગારે કોઈ જ જવાબ ન આપ્યો.

ઉલ્લેખનીય છે કે આ ચાર દોષિતો પૈકી એક વિનય પહેલા ખૂબ રડ્યો હતો. બાકીના ત્રણેય દોષિત પવન, મુકેશ, અને અક્ષય શાંત રહ્યા હતા. મુકેશે મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દોષિત વિનયે કહ્યું હતું કે મેં જે પેઈન્ટિંગ બનાવી છે તે મારા ઘરના લોકોને આપી દેજો. ફાંસીના એક દિવસ પહેલા રાત્રે મુકેશ-વિનયે ડિનર કર્યું હતું. તો પવન અને અક્ષય આખી રાત બેચેન રહ્યા હતા. આ લોકો આખી રાત સૂઈ ન શક્યા અને આખી રાત જાગીને પોલીસ કર્મચારીઓને પૂછતા રહ્યા કે શું કોર્ટમાંથી કોઈ નવો ઓર્ડર આવ્યો? ચારેય દોષિતોએ સવારે ચા પીવાની પણ ના પાડી દીધી. વિનય કહી રહ્યો હતો કે હું મરવા નથી માંગતો. તો ફાંસી પહેલા ખૂબ કરગર્યો અને કહ્યું કે મને માફ કરી દો, હું મરવા ઈચ્છતો નથી અને જમીન પર આળોટવા લાગ્યો હતો.

ફાંસી પર લટકતા પહેલા જ્યારે દોષિતોને ન્હાવા અને કપડા બદલા માટે કહેવામાં આવ્યું તો દોષિત વિનયે કપડા બદલવાનો ઈનકાર કરી દીધો. આ સિવાય તેણે રડવાનું શરુ કરી દીધું અને માફી માંગવા લાગ્યો. સવારે નવા કપડા પહેરવા માટે આપવામાં આવે છે. વિનયે નવો કુર્તો અને પાયજામો પહેરવાની ના પાડી દીધી હતી.

ફ્લોર ટેસ્ટ પહેલાં CM કમલનાથે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે કબૂલ કર્યું હતું કે તેમની પાસે બહુમત ના હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમણે આ પહેલાં પત્રકાર પરિષદને સંબોધીને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સાડાસાત કરોડની જનતા સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપે અમારા 22 વિધાનસભ્યોને બંધક બનાવ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને આ ખેલ ખેલાયો છે. અમારી સરકાર બન્યાના પહેલા દિવસથી જ ભાજપે અમારી સામે ષડયંત્ર શરૂ કર્યું હતું. ભાજપને 15 વર્ષ મળ્યાં હતાં અને મને માત્ર 15 મહિના મળ્યા. એમાંથી પણ અઢી મહિના તો લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં ગયા. મેં રાજ્યના હિતમાં કામ કર્યું હતું, પણ ભાજપને એ ગમ્યું નહોતું. ભાજપે અમારી વિરુદ્ધ નિરંતર કામ કર્યું હતું.

વિધાનસભા સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં

મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ કહ્યું હતું કે મેં 16 વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત મેં ભાજપના MLA શરદ કોલનું પણ રાજીનામું સ્વીકાર્યું છે.

 

નિર્ભયા ગેંગરેપ કેસઃ એ તારીખો કે જે ક્યારેક લાવી આંસુ તો ક્યારેક આશાઓ

નવી દિલ્હીઃ આખરે સાત વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળી ગયો છે. આજે સવારે 5:30 વાગ્યે ચારેય દોષિતોને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે અને 6 વાગ્યે તેમના મોતની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા ચારેય દોષિતોને ફાંસીથી બચાવવા માટે રાત્રે એકવાર ફરીથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાત્રે જ આના પર સુનાવણી પણ થઈ પરંતુ તમામ દલીલોને નકારતા કોર્ટે તેમની ફાંસીની સજાને યથાવત રાખી હતી. ફાંસી બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજનો દિવસ આપણી દિકરીઓના નામે છે અને મહિલાઓના નામે છે. મોડો ન્યાય મળ્યો પરંતુ આપણી કોર્ટ અને ન્યાયિક વ્યવસ્થાનો આભાર.

  1. 16 ડિસેમ્બર 2012: પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ પહેલા ગેંગરેપ કર્યો અને તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી. આ ઘટનાને ચાલતી બસમાં અંજામ આપવામાં આવ્યો. ઘટના સમયે પીડિતા સાથે તેનો એક મિત્ર પણ હતો. તેની સાથે પણ મારામારી કરવામાં આવી.
  2. 17 ડિસેમ્બરઃ આ ઘટનાથી લોકોમાં ખૂબ રોષ ફેલાયો અને દિલ્હી સહિત આખા દેશમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગને લઈને પ્રદર્શનો શરુ થઈ ગયા. આ વચ્ચે દિલ્હી પોલીસે ચારેય દોષિતોની ઓળખ કરી લીધી હતી. આમાં રામ સિંહ, તેનો ભાઈ મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તા હતા.
  3. 18 ડિસેમ્બરઃ રામ સિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી.
  4. 19 ડિસેમ્બરના રોજ આ તમામને પીડિતાના સાથીએ કે જે ઘટના સમયે ત્યાં ઉપસ્થિત હતો તેણે ઓળખી લીધા.
  5. 21 ડિસેમ્બરઃ આનંદ વિહાર બસ સ્ટેશનથી મુકેશની પણ ધરપકડ કરી લેવામાં આવી કે જેણે પોતે નાબાલિક હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય એક અન્ય દોષિત અક્ષય ઠાકુરને પકડવા માટે પોલીસ બિહાર અને હરિયાણામાં રેડ પાડી રહી હતી.
  6. 29 ડિસેમ્બરઃ આ તરફ દિલ્હીમાં લાંબી સારવાર બાદ પીડિતાને સિંપાપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
  7. 17 જાન્યુઆરી 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પાંચ દોષિતો અને એક કથિત નાબાલીક વિરુદ્ધ સુનાવણી શરુ થઈ.
  8. 11 માર્ચ 2013: રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી કે જે મુખ્ય આરોપી હતી.
  9. 2 એપ્રીલ 2013: આ વચ્ચે રેપની ઘટનાઓને લઈને સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું હતું. જેમાં પીછો કરવાનો ગુનો માનવામાં આવ્યો હતો અને રેપના મામલાઓમાં ફાંસીની સજાનું પ્રાવધાન હતું.
  10. સપ્ટેમ્બર 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામને દોષિત ગણ્યા અને ફાંસીની સજા સંભળાવી દીધી. આમાં નાબાલીકને 3 વર્ષની કેદ થઈ અને તે વર્ષ 2015 માં જેલમાંથી છૂટી ગયો.
  11. 5 મે 2017: સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી. તમામ દોષિતોએ પુનર્વિચાર અરજી દાખલ કરી.
  12. 17 જાન્યુઆરી 2020: રાષ્ટ્રપતિએ કોવિંદે તમામ અરજી ફગાવી દીધી છે.
  13. 19 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે મુકેશની એ દલીલને ફગાવી દીધી કે જેમાં તેણે દાવો કર્યો કે તેઓ ઘટનાના દિવસે દિલ્હીમાં હતો કે નહી.
  14. 20 માર્ચ 2020: સવારે 5:30 વાગ્યે ચારેયને ફાંસી આપી દેવામાં આવી.

પ્યારની વાત – ૨૦ માર્ચ, ૨૦૨૦