Home Blog Page 4934

અફલાતૂન અદાકાર, શેરદિલ ઈન્સાન અમજદ ખાનની આખરી મુલાકાત

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૧ ઓગસ્ટ, ૧૯૯૨ અંકનો)


૧૯૭૫માં જ્યારે ‘શોલે’ બની રહી હતી ત્યારે ઈમ્તિયાઝ ખાને એના નાના ગોળમટોળ ભાઈ અમજદ ખાનનો પરિચય મને કરાવ્યો. હું મહેબૂબ સ્ટુડિયોઝની નજીક આવેલા ઘરમાં ઈમ્તિયાઝનો ઈન્ટરવ્યુ કરવા ગયેલો અને એ જ અમજદ ખાન ગબ્બર સિંગ બનીને છવાઈ ગયો.

‘મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો.’

* એ રોલ લાભદાયક રહ્યો કે નુકસાનકારક?

– એ રોલે મને જે લાભ આપ્યો એ પ્રમાણમાં ઓછો છે કારણ ગેરલાભ જ વધુ થયા. સમસ્યા એ સર્જાઈ કે દરેક જણે આ રોલ સીમાચિન્હ બનાવીને મારે ગળે લટકાવી દીધો. મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો. ‘દાદા’ની ભૂમિકા હોય કે ‘કુરબાની’ અથવા ‘લવ સ્ટોરી’ કે પછી ‘યારાના’. તેઓ મારા નામ પર શેરો મારી દેતા કે એ સારો છે પણ ‘શોલે’ વાલી બાત નહીં હૈ. લેકિન એક ફાયદા હુઆ. ‘શોલે’ મકબૂલ મશહૂર હુઆ સારી દુનિયામેં. દરેકને જાણ થઈ ગઈ કે હું સારો અદાકાર છું. ગેરલાભ એ થયો કે દરેક ધારી લેતા કે કોઈ પણ ફિલ્મનો મારો રોલ ગબ્બર સિંગનો બીજો અવતાર જ હશે. મને લાગ્યું કે પહેલા જ રાઉન્ડમાં મેં મારા હરીફને ચિત્ત કરી દીધો. તો કોની સાથે બીજો રાઉન્ડ ખેલું? કોની સાથે હું બૉક્સિગ કરું જ્યાં કોઈ હરીફ જ નહોતો બચ્યો? ‘શોલે’ અને એમાંના મારા રોલે જિંદગીમાં મંઝિલ કાયમ કરી દીધી.

* મોટે ભાગે દરેક નવોદિત ફિલ્મમાં હીરો બનવા આતુર હોય છે. તો તમે કેમ ખુંખાર વિલન બનવાનું પસંદ કર્યું?

– કારણ સાવ સાદું છે. મારા ઘરમાં આઈનો છે. હું રોજ જોઉં છું મને ખબર છે હું કેવો દેખાઉં છું. મારો ચહેરો કેવો છે. જો હું ગોગલ્સ ચડાવીને વૃક્ષોની આસપાસ ફેરફુદરડી ફરું તો મૂરખ જ લાગું. આ જ કારણસર હીરો બનવાની તમન્ના કદી મેં સેવી જ નથી. એ જમાનામાં એન્ટી હીરો હતો જ નહીં. હીરોનો ચહેરો એવો ચોકલેટી રહેતો કે માખણ મૂકો તો યે તરત જ પીગળી જાય. સાચું કહું તો હીરો બનવાની રુચિ પણ નથી. ઉપરાંત મને લાગે છે કે ચરિત્ર પ્રધાન ભૂમિકા કરતી વખતે પાત્રોના જુદાજુદા પાસાં અદા કરવાની મોજ પડે છે. હીરો તો ઢાંચામાં જ બંધાયેલો રહે. ખરી રીતે હીરોમાં એટલી બધી સારપ જ હોય છે.

* તમારા મર્હુમ પિતા જયંત પાસેથી કેટલા પ્રમાણમાં પ્રેરણા મળી?

– હું મારા વાલિદથી ખૂબ જ પ્રેરિત થયો. તેઓ મારા ગુરુ હતા અને હું ઘણું બધું એમની પાસેથી શીખ્યો છું. મને લાગે છે કે જેટલા વર્ષો એમનો સાથ રહ્યો એ દરમિયાન હું જે શીખ્યો એ છેલ્લી ઘડી સુધી મને સહાય કરશે. તેઓ માત્ર મહાન અભિનેતા જ નહોતા સાથોસાથ અદભુત ઈન્સાન પણ હતા. ૧૯૩૩માં હીરો તરીકે એમણે કારકિર્દી શરૂ કરેલી. દોઢસો ફિલ્મોમાં હીરો તરીકે ચમક્યા પછી એમણે ચરિત્ર અભિનેતા અને વિલન તરીકે નામના મેળવી. આજે હું જે કાંઈ છું એ મારા પિતાને કારણે જ છું.

* દરેક જણ તમને ‘શોલે’ના ગબ્બર સિંગ તરીકે જ જાણે છે. પડદા પાછળ તમારા બાળકો માટે તમે કેવા પિતા છો?

‘મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.’

– સાચું કહું તો ભારતભરમાં સૌથી મૂરખ પિતા છું કારણ કે હું એવું વિચારું છું કે સૂર્ય ઊગે છે મારા બાળકોની પાછળ અને અસ્ત પણ એમની પાછળ થાય છે. મારા મજહબ અને માતા-પિતા પછી મારા સંતાનોને હું ખૂબ જ ચાહું છું. મારા બે પુત્રો અને એક પુત્રીનું સ્થાન કોઈ જ ન લઈ શકે. લોકો કહે છે કે મારા બાળકો સામે હું જોઉં ત્યારે ચહેરા પર એક ચમક એક આભા પ્રસરી જાય છે જો તમે સારા પિતા બનો તો જ આ શક્ય છે.

* પતિ તરીકે કેવા છો?

– પતિ તરીકે હું ખૂબ જ ઘટિયા આદમી છું કારણ મારી બીવી સાથે હું શૉપિંગ કે પાર્ટીઓમાં જતો નથી. મારો ઘણો ખરો સમય શૂટિંગોમાં કે કેટલાક સમારંભોમાં અથવા સમાજસેવા કરવામાં વીતી જાય છે. હું એવો પતિ નથી જે પત્નીને કહું ચલો સજ-ધજકે કોઈ પાર્ટીમાં જઈએ. હું મારી બીવીને ખૂબ જ પ્યાર કરું છું પરંતુ સામાજિક દ્રષ્ટિએ નકામો પતિ છું. મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.

* તમે ફિલ્મોમાં વ્યસ્ત હો ત્યારે પરિવાર સાથે સમય ક્યાંથી વીતાવી શકો?

– આજકાલ ફિલ્મ મેકર્સ કંબાઈને કલાકારો પર રોજની એક જ શિફ્ટની મર્યાદા લાદી દીધી છે. એક સમય એવો હતો જ્યારે અમે રોજની છ થી આઠ શિફ્ટો કરતા હતા. ત્યારેય મારા બાળકો માટે હું સમય ફાજલ પાડતો હતો. મારી સાથે એમને શૂટિંગોમાં લઈ જતો. વૅકેશન હોય ત્યારે આઉટડૉર પણ લઈ જતો. જે દિવસે શૂટિંગ ન હોય ત્યારે ઘેર રહેવાનું પસંદ કરતો કારણ ઘર બૈઠે બૈઠે ઘણા કામ પૂરા કરી શકાય. ઈન્સાન કા સબ સે બડા ફર્ઝ હોતા હૈ કિ વો અપને પરિવાર કો સમય દે. બીજાઓની માફક તમે મને ફુરસદના સમયે આમ તેમ રખડતો નહીં જુઓ.

* અદાકાર તરીકે તમે આટલા વ્યસ્ત હતા છતાં દિગ્દર્શનનું જોખમ કેમ ઉપાડ્યું?

– મને નથી લાગતું કે એ જોખમ હતું. દરેક કલાકાર બંધાયેલો રહે છે. કોઈક એને સંવાદો કેમ બોલવા એની તાકીદ કરે છે. તો કોઈક ટેમ્પો શીખવે છે. કૅમેરામૅન તમને લાઈટિંગના હિસાબે ક્યાં ઊભા રહેવું એ જણાવે છે તેથી એ કઠપૂતળી જેવો જ હોય છે એટલે કભી ના કભી તો કઠપૂતળીનોય દોર પોતાના હાથમાં લેવાનું મન થાયને. ડાયરેક્શન કા એક અપના નશા હોતા હૈ. મહત્ત્વનું એ છે કે તમારી ફિલ્મ સારી બનવી જોઈએ. ટિકિટ બારીએ ચાલે કે ન ચાલે એ જુદી વાત છે.

* ‘ચોરપોલીસ’ અને ‘અમીર આદમી ગરીબ આદમી’ની નિષ્ફળતા પછી કેમ તમે બીજી કોઈ ફિલ્મ ન બનાવી?

– તમને કોણે કહ્યું? મેં મારા સેક્રેટરી વિનયકુમાર સિંહા માટે ભોજપુરી ફિલ્મ બનાવી. એ સુપરહિટ સાબિત થઈ. ગુલશનકુમાર માટે મેં એક ટીવી ફિલ્મ ‘અભી તો મૈં જવાન હૂં’ પણ બનાવી હતી.

* સંગીતમાં કેટલા ડૂબેલા છો?

– ફિલ્મ અદાકાર, નાટકનો અદાકાર કે ડાન્સર સૌને સંગીતનો સંબંધ સાંકળી જ રાકે છે. જહાં તક મેરા તાલ્લૂક હૈ અદાકારીમાં એક તાલ-રીધમ હોય જ છે. જેને સંગીત ન ગમે એ ખાલી જ હોય. રંગ વિહીન હોય. સંગીત તો જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે. સંગીત સાંભળીને તમે નિરાંત અનુભવી શકો છો. એ દવાની ગરજ સારે છે. મારામાં ગાવાની હિંમત નથી કારણ હું નથી ચાહતો કે હું ગાઉં ત્યારે આસપાસ કે તમામ બકરે ઔર બૈલ જમા હો જાયે. પરંતુ સંગીતનો જબરો રસિયો જરૂર છું.

* તમને કેવા રોલ્સ, ભજવવા ગમે?

– મને કૉમેડી રોલ્સ ભજવવા ગમે કારણ રોજ બરોજના જીવનમાં લોકોને જાત જાતના ટેન્શન સતાવે છે. રેશન ન મળે તો ટેન્શન, બાળકના ઍડ્મિશનના ડૉનેશનનું ટેન્શન, પત્ની નવી સાડીની માંગણી કરે તો યે ટેન્શન, એટલા માટે પડદા પર કૉમેડી કરીને એટલો વખત લોકોને હસાવું તો થોડો ટાઈમ ચિન્તામુક્ત તો કરી શકું. ખરું ને?

* કૉલેજના દિવસો વાગોળી શકશો?

– એ દિવસોમાં હું તોફાની જાનવર જ હતો. મારામારી, લડાઈ ઝગડા કરતો જ રહેતો. જો કે એ બધું કારણસર જ કરતો. હું બીજાઓ માટે ઝગડતો. અંગત ઝગડો ન કરતો. એમ.એ. પાસ થયો ત્યાં સુધી માંડ છ લેક્ચરો સાંભળ્યા હશે. હું ક્લાસમાં પુષ્કળ મસ્તી કરતો એથી મારા પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકો મને ક્લાસમાં હાજર ન રહેવાનું કહેતા અને મારી હાજરી પૂરતા.

* તમે જવાન હતા ત્યારે નાટકોમાં વ્યસ્ત હતા. આજે એ ખોટ સાલે છે?

– તમે એવી વાત કરો છો જાણે હું ૩૦ વર્ષનો ડોસો હોઉં. આજેય મારા વાળ ધોળા નથી થયા. મારા દાંત મજબૂત છે. નાટકોમાં કામ એટલા માટે નથી કરતો કે એના માટે પુષ્કળ સમય ફાળવવો પડે. રોજના આઠ કલાકના રિહર્સલો કરવા પડે. માત્ર પોતાને ખાતર નહીં પણ અન્ય કલાકારો ખાતર રિહર્સલો તો કરવા જ પડે. ટેક્નિશિયનો અને સાઉન્ડ ડિપાર્ટમેન્ટ પણ રિહર્સલો માંગે. જે ફિલ્મોમાં વ્યસ્ત હોઈએ તો આટલો બધો સમય નાટકો માટે ફાળવી ન જ શકાય. સતત ત્રણ મહિના નવરો પડું તો જરૂર નાટક કરું.

* ‘માયા’માં બાળ કલાકાર તરીકે તમે કારકિર્દી શરૂ કરેલી?

– નહીં ‘માયા’ અગાઉ પણ ‘ઈન્સાનિયત’માં દેવસાબ, દિલીપસાબ અને મારા ડેડ જયંતસાબ સાથે બાળ કલાકાર તરીકે મેં કામ કર્યું હતું. રાજ કપૂર નિર્મિત અને અમરકુમાર નિર્દેશિત ‘અબ દિલ્હી દૂર નહીં’માં પણ હું હતો. મારા અંકલે ‘નાઝનીન’ ફિલ્મ બનાવી. ત્યારે ચાર વર્ષની ઉંમરે હું ચમક્યો હતો. નાસિર ખાન હીરો હતા. અને હીરોઈન હતી મધુબાલા. આજે હું ૪૮નો થયો. એનો અર્થ ઈન્ડસ્ટ્રીમાં મેં ૪૪ વર્ષો ગાળ્યા. સિનિયોરિટીની દ્રષ્ટિએ ઘણા પીઢ અભિનેતાઓથી હું સિનિયર ગણાઉં. એટલું જ નહીં આ ઈન્ડસ્ટ્રીના વૃદ્ધ લોકો કરતાં પણ હું સિનિયર છું.

* તમારા ફેવરીટ કલાકારો કોણ છે?

– મધુબાલા મારી હંમેશાં ફેવરીટ રહી છે. એની હસવાની સ્ટાઈલ, સંવાદો બોલવાની લઢણ, અભિનય છટા મને ખૂબ ગમતી. અદભુત ઈન્સાન અને ખૂબસૂરત સ્ત્રી હતી. બીજી ઘણી હીરોઈનો કરતાં મધુબાલા પછી નરગીસ અને ગીતા બાલી પણ ગમતા. તેઓ અનુકરણ કરવા યોગ્ય અભિનેત્રીઓ હતી. એ જમાનામાં આ ત્રણેય અભિનેત્રીઓ પૂરી ફિલ્મનો ભાર ઊંચકી શકતી. મને નથી લાગતું કે આજની કોઈ હીરોઈન મધુબાલા, નરગીસ કે ગીતા બાલીની નજીક આવી શકે.

* તમારો પ્રિય ગાયક?

– નિ:શંક રીતે રફીસાબ. જબ તક હિંદુસ્તાની ફિલ્મ સંગીત રહેગા તબ તક રફીસાબકા નામ અમર રહેગા. રફીસાબ સૌથી ઘટિયા ગીત પણ એવા હાવભાવ અને અંદાજથી ગાતા કે રંગ જામતો. એમના સ્વરમાં જાદુ હતો. રફીસાબનો જબરો પ્રશંસક છું. રફીસાબ, કિશોરદા અને મુકેશજી તો એમની કલાના બાદશાહ હતા. આજનો કોઈ ગાયક એમની તોલે ન આવે. મને રફીસાબે ગાયેલું ‘હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે’. ખૂબ જ પસંદ છે.

* તમારી જિંદગીનો સૌથી મોટો અફસોસ કયો?

– મારા પિતાજી ‘શોલે’  જોવા ન પામ્યા કારણ કે દોઢ મહિના પૂર્વે જ એમનું મૃત્યુ થયેલું. એ અફસોસ રહી ગયો છે.

* આજકાલ ફિલ્મો કેમ ઓછી કરો છો?

– છેલ્લાં ૧૯ વર્ષોમાં લગભગ ૩૫૦ ફિલ્મો કરી. હવે કંટાળી ગયો છું. મારા મગજમાં જે પાત્રો સંઘરી રાખેલા એ બધા ભજવી નાખ્યા. હવે કોઈ એવું પાત્ર બચ્યું નથી. જૂની ફિલ્મો પૂરી કરવી છે. એથી નવી સ્વીકારતો નથી. એનએફડીસીની  ‘રૂદાલી’માં મારાં ગણ્યાગાંઠ્યા પાંચ જ સીન છે પણ કલ્પના લાજમીના દિગ્દર્શનમાં કામ કરવાની મજા પડી.

* આર.ડી. બર્મન સાથેની આત્મીયતાની વાત કરોને?

સંગીતકાર આર.ડી. બર્મન અને અમજદ ખાન અચ્છા દોસ્ત હતા

– બીજા એને પંચમદા કહે છે. હું એને પંચ અથવા ચમ કહું છું. સુરીલા અચ્છા બંદા હૈ. ચૂંકિ નસલ (ખાનદાન) અચ્છી હૈ. એસ.ડી. બર્મન સાબ કા લડકા હૈ. રજવાડી ખાનદાન છે. ક્યારેક તો ફોન કરીને રાત્રે સાડા આઠે ખાવાનું મંગાવે ડ્રાઈવર આવીને કહે સાબનો મૂડ નથી તેથી પાર્સલ ઘરે લઈ જાય. ક્યારેક આવે, અમારી સાથે જમે અને લંચ કે ડિનર પતે એટલે હાથ ધોઈને અદ્રશ્ય થઈ જાય. બરસાત કા મેંઢક (દેડકો) જેવો છે. જો મળે તો રોજ મળે નહીંતર છ મહિના સુધી મોઢું ન દેખાડે. એ ગમે ત્યાં હોય ‘આંધી’ની એની તર્જ ‘કિસી મોડ પે’ મને ખૂબ જ પરેશાન કરે છે.

* સત્યજિત રે વિષે કંઈ કહો?

– રે તો આપણા દેશનું રતન હતા. હયાત હતા ત્યારે જ ‘ભારત રત્ન’, ‘ઑસ્કાર’ અને શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવૉર્ડ મળ્યા એ દેશની ખુશનસીબી છે. આટલી પદ્ધતિપૂર્વક અને સંપૂર્ણતાથી કામ કરવાની સ્ટાઈલ મેં બીજા કોઈની જોઈ નથી. કલાકારોના સૂચનો ધીરજથી સાંભળે યોગ્ય લાગે તો ઉપયોગ પણ કરે. સેટ પર એ સૂચનનું શ્રેય પણ આપે. એમને કદી એવું નહોતું લાગતું કે તેઓ એટલા મહાન છે.

* તમારું મનગમતું ગીત કયું?

– ‘વક્ત ને કિયા ક્યા હંસી સીતમ’ જ્યારે પણ સાંભળું છું ત્યારે ગુરુ દત્ત, ગીતા દત્ત, તરુણ, અરુણ અને મીના યાદ આવ્યા વિના રહેતા નથી. ગુરુ અને ગીતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું ઘણું આપ્યું છે.

સહુના સાથી અમજદભાઈ

અમિતાભ બચ્ચન

‘શોલે’ના કલાકારોઃ અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, અમજદ ખાન

‘શોલે’ના સેટ પર અમે પહેલી વાર મળ્યા ત્યારથી જ અમને પરસ્પર ફાવી ગયું. અમે એકમેકને ટૂંકા ઉપનામથી સંબોધતા. ‘શોલે’માં અમે સામસામે બાખડ્યા. ‘લાવારિસ’માં અમજદે મારા પિતાની ભૂમિકા અદા કરી. ‘યારાના’માં મારો રમૂજી જીગરી દોસ્ત બની ગયો. સાથી કલાકાર તરીકે એ અદભુત હતો. અને સામી વ્યક્તિ પાસે ઉત્કૃષ્ટ કામ કરાવતો. એની પ્રતિક્રિયા જ એવી જબરદસ્ત રહેતી કે ટક્કર ઝીલવાનું મન થાય.

અમજદમાં વિચિત્ર રમૂજવૃત્તિ હતી. ગંભીર ચહેરે એ બુદ્ધિપૂર્વક રમૂજી ટુચકા સંભળાવતો. વાસ્તવમાં કેટલોક સમય અમે મળતા નહોતા. પરંતુ થોડા સમય અગાઉ એણે મને બે ટુચકાઓ કહેવા ફોન કરેલો. એની ઈચ્છા હતી કે એની આગામી ફિલ્મ લંબાઈ (હું) ચૌડાઈ (અમજદ)માં હું કામ કરું. સર્વ પ્રથમ અલાહાબાદની ચૂંટણીઓમાં ગૂંથાયેલો રહ્યો અને પછી બીમારીએ જકડી લીધો તેથી આ ફિલ્મ તો અમે સાથે ન કરી શક્યા પરંતુ મેં એને ક્યારેક સાથે કામ કરવાનું વચન આપેલું.

જો પેલી કહેવત સાચી હોય કે ભોળા લોકો દર મિનિટે જન્મે છે તો હું કહીશ કે અમજદ ખાન દર ત્રીસ સેકંડે જન્મ્યો હતો. કોઈ વળતરની અપેક્ષા વિના દીન-દુ:ખિયાને એ સહાય કરતો. સિને આર્ટિસ્ટસ ઍસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે એણે વિનામૂલ્ય સુંદર સેવા બજાવી હતી. અભિનેતાઓની સમસ્યાનો તોડ કાઢવામાં એ સદા મોખરે રહેતો. હું કેટલાક મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યારે રાતે અગિયાર વાગે મને એના મોતના સમાચાર મળ્યા. હું સાચું જ ન માની શક્યો તેથી ખાતરી કરીને હું એને ઘેરે ગયો ત્યારે રસ્તામાં પણ સતત એવું ઝંખ્યા કરતો કે સમાચાર ખોટા સાબિત થાય.

રમેશ સિપ્પી

સિપ્પીની ‘શોલે’: ‘યહ હાથ હમકો દે દે ઠાકુર’ (અમજદ ખાન, સંજીવ કુમાર)

પહેલી વાર મેં અમજદ ખાનને નાટકમાં અભિનય કરતો જોયો ત્યારે ઘરેડ બહારનો એનો અભિનય મને આકર્ષી ગયો. ઈમ્તિયાઝના દિગ્દર્શન હેઠળ રંગભેદની સમસ્યા વિષેનું અંગ્રેજી નાટક હતું. ‘ટુ ધીસ નાઈટ ધ ડૉન’ એમાં એણે નીગ્રોની ભૂમિકા કરેલી. મારી બહેન સોની પણ એ નાટકમાં હતી. એની છાપ વર્ષો સુધી સંઘરાઈ રહી. ‘શોલે’ અંતિમ શ્ર્વાસ સુધી રહેશે.

(જ્યોતિ વેંકટેશ)


પૂછપરછઃ સવાલ-જવાબ

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના અંકોમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)


કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? (જી – 1/15 સપ્ટેંબર, 1998)

પ્રકાશ જોશી (આદિતપરા)

સવાલઃ કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? એના નિર્દેશક અને સંગીતકાર કોણ હતા?

જવાબઃ 1975માં ‘જય સંતોષી મા’ ફિલ્મે તે જમાનામાં 6 કરોડ રૂપિયાનો ધંધો કરીને વિક્રમ નોંધાવ્યો હતો. એના નિર્દેશક હતા વિજય શર્મા અને સંગીતકાર હતા સી. અર્જુન.


જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ? (જી – 16-30 જૂન, 1992)

બાલાભાઈ ચાવડા (ધારી)

સવાલઃ અમજદ ખાનના પિતા જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ?

જવાબઃ પ્રથમ ફિલ્મ ‘ચેલેન્જ’ હતી, છેલ્લી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ હતી.

લ્યો, કંપનીની બોર્ડ મિટીંગમાં ય ગોળીબાર થવા માંડયા!!

ગ્રેટર નોએડાઃ ગ્રેટર નોએડામાં બાદલપુર વિસ્તારમાં ટેલિફોન કેબલ બનાવનારી કંપનીમાં મીટિંગ દરમિયાન ગોળીબાર થયો હતો. ગોળીબાર થવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે એક ડાયરેક્ટર ઘાયલ છે. આ ત્રણેય પાર્ટનર હતા અને કંપનીની આર્થિક સ્થિતિને લઈને તેમની મીટિંગ ચાલી રહી હતી. ઘાયલે પોલીસને જણાવ્યું કે એક ડાયરેક્ટરે પોતાના લાઈસન્સી હથિયારથી બે અન્ય લોકોને ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી, તો પોલીસ આ મામલે ઘણી અન્ય એન્ગલથી પણ તપાસ કરી રહી છે. ત્રણેયના પરિવારો સાથે અલગ-અલગ વાત કરવામાં આવી રહી છે.યૂપી ટેલીલિંક્સ લિમિટેડ કંપનીમાં આ ઘટના ઘટી છે. પોલીસ અનુસાર કંપનીને ત્રણેય પાર્ટનર મળીને ચલાવી રહ્યા હતા. ગુરુવારના રોજ ત્રણેય બપોરના સમયે કંપનીમાં પહોંચ્યા હતા. બાદમાં બોર્ડ રુમમાં ત્રણેય મીટિંગ કરતા હતા. ઘાયલ રાકેશ દ્વારા પોલીસને આપવામાં આવેલી જાણકારી અનુસાર મીટિંગ દરમિયાન ફાઈનાન્શિયલ સ્થિતિ કોયૂપી ટેલીલિક્સ લિમિટેડ કંપનીમાં વિવાદ વધી ગયો. આ દરમિયાન પ્રદીપે પિસ્ટલથી નરેશ અને રાકેશને ગોળી મારી દીધી. બાદમાં તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પ્રદીપ અને નરેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટનાને નજરે જોનારા અનુસાર મીટિંગ દરમિયાન બોર્ડ રુમમાં માત્ર આ ત્રણ પાર્ટનર જ હતા. બપોરે સાડા ત્રણ વાગ્યે રાકેશ ઘાયલ અવસ્થામાં બુમો પાડતા રુમથી બહાર આવ્યા અને કહ્યું કે પ્રદીપે ગોળી મારી દીધી. બાદમાં પોલીસને બોલાવવામાં આવી. જ્યારે પોલીસ પહોંચી તો પ્રદીપ અને નરેશનું મોત થયું છે. પ્રદીપના હાથમાં પિસ્ટલ પણ હતી. બાદલપુર કોતવાલીના ઈન્ચાર્જ પટનીશ કુમારે કહ્યું કે પોલીસ આ મામલે ત્રણેય લોકોના પરિવારો સાથે પણ વાત કરી રહી છે. ઘણા એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. રાકેશ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઇતિહાસમાં ચાર વખત નીચલી સરકિટ લાગી છે BSE સેન્સેક્સમાં, જાણો…

નવી દિલ્હીઃ ગઈ કાલે શેરબજારોમાં નીચલી સરકિટ લાગતાં-લાગતાં રહી ગઈ.બજાર નીચલી સરકિટ એટલે કે 10 ટકાના ઘટાડા પાસે પહોંચ્યું જ હતું, ત્યારે નીચલા સ્તરેથી પાછું ફર્યું હતું. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ જુલાઈ, 2017 પછી પહેલી વાર  9,600ના સ્તરથી નીચે ગયું હતું.જોકે આજે સવારના સેશનમાં બજાર ખૂલતાની સાથે જ 10 ટકા કરતાં વધુ તૂટી ગયાં હતાં, જેથી નેશનલ સ્ટોક એક્સચેન્જને 45 મિનિટ માટે બંધ કરવામાં આવ્યું હતું.જોકે એ પછી નિફ્ટી ઇન્ડેક્સ ધીમે-ધીમે સુધર્યો હતો.

બીએસઈ સેન્સેક્સની વાત કરીએ તો ગુરુવારે સેન્સેક્સમાં પાછલાં 12 વર્ષોનો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે આજેના સેશનમાં સેન્સેક્સ 9.43 ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 11 ટકા જેટલો તૂટ્યો હતો. શેરબજારના ઇતિહાસમાં આવું ચાર વખત થયું છે, જેમાં સેન્સેક્સમાં નીચલી સરકિટ લાગી હોય અને બજારમાં કામકાજ ઠપ થઈ ગયું હોય.

શું હોય છે નીચલી સરકિટ

શેરબજારમાં જો ટકા અથવા એનાથી વધઘટ થયા તો ટ્રેડિંગ એક ચોક્કસ સમય માટે બંધ કરવામાં આવે છે. આ બદલાવની ઘટાડાને કારણે આવે છે. જેથી એને નીચલી સરકિટ કહે છે. જો પરિવર્તન વધવાને કારણે આવે તો ઉપલી સરકિટ કહેવામાં આવે છે.

સેન્સેક્સના ઇતિહાસમાં ચાર વાર લાગી છે નીચલી સરકિટ

  1. સૌથી પહેલી નીચલી સરકિટ 21 ડિસેમ્બર,1990માં આવી હતી, જ્યારે સેન્સેક્સ 16.19 ટકા તૂટ્યો હતો. આ ઘટાડાનો કારણે શેરબજાર 1034.96ના સ્તરે આવી ગયો હતો.
  2. સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો 28 એપ્રિલ, 1992માં આવ્યો હતો. ત્યારે સેન્સેક્સ 12.77 ટકા તૂટ્યો હતો. એ દિવસે શેરબજાર 3,896.90ના સ્તરે બંધ થયો હતો.
  3. સેન્સેક્સમાં ત્રીજો સૌથી મોટ ઘટાડો 17 મે, 2004એ આવ્યો હતો. જેમાં સેન્સેક્સ 11.14 ટકા તૂટ્યો હતો. સેન્સેક્સ 4,505.16ના મથાળે બંધ થયો હતો.
  4. ગુરુવાર જેવો ઘટાડો 2008માં જોવા મળ્યો હતો. 24 ઓક્ટોબર, 2008એ સેન્સેક્સમાં 10.96 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યારે સેન્સેક્સ 8,701.07ના સ્તરે બંધ થયો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતઃ રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી, બેઠકો ચાર ને ઉમેદવારો પાંચ

અમદાવાદઃ ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ગરમાટો આવી ગયો છે, કેમ કે રાજ્યસભાની બેઠકો ચાર છે અને ઉમેદવારો પાંચ. એટલે નક્કી આ વખતે કોંગ્રેસમાં સિંધિયાવાળી થવાની છે. ક્રોસ વોટિંગ થવાનું છે. ભાજપ અને કોંગ્રેસ –બંને પક્ષો આ ચૂટંણીમાં નિશ્ચિત જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના કયા ધારાસભ્યો નારાજ છે એની કોંગ્રેસમાં ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા, જ્યારે ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ભાજપના અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીને પણ ફોર્મ ભર્યાં હતાં.    મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાણાપ્રધાને તેમના ત્રણે ઉમેદવારો જીતશેના દાવા કર્યા છે.

ભાજપમાંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં 

ભાજપમાંથી ત્રણ ઉમેદવારો રાજ્યસભાની બેઠકો માટે ફોર્મ ભરવાનાં છે. જ્યારે કોંગ્રેસમાંથી બે ઉમેદવારો રાજ્યસભાની બેઠકો માટે ફોર્મ ભરવાનાં છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીન ફોર્મ ભરવાનાં છે.  ભાજપના નરહતિ અમીને દાવો કર્યો છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષના નેતાઓથી નારાજ છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર માટે ભારે રસાકસી છે.

 

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો બંને ઉમેદવારો ચૂંટણી જીતશેનો દાવો

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે તેના તમામ ધારાસભ્યો તેમની સાથે છે. કોંગ્રેસના ભરતસિંહે પણ કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશેનો દાવો કર્યો છે.  ભાજપ તોડફોડનું રાજકારણ કરી રહ્યો છે,એમ તેમણે કહ્યું હતું. જોકે આ પ્રયાસ તેમનો સફળ નહીં રહે. તેમણે કહ્યું હતું કે ભાજપની ધારાસભ્યોને ખરીદવાની રણનીતિ સફળ નહીં થાય.

નાણાપ્રધાન નીતિન પટેલના નિવેદને બળતામાં ઘી હોમ્યું

નાણાપ્રધાન નીતિન પટેલે  નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ છે એટલે અમારો ત્રીજો ઉમેદવાર ચોક્કસ જીતશે. નીતિનભાઇના નિવેદન પછી રાજકીય ગરમાટો આવી ગયો છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે કોંગ્રેસના પાટીદારોને સોફ્ટ કોર્નર છે.

    ભાજપના ત્રીજા ઉમેદવારે કોંગ્રેસના ધબકારા વધાર્યા

હાલ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 72 સભ્યો છે, જ્યારે ભાજપના 103 સભ્યો છે. જેને આધારે કોંગ્રેસને બે બેઠકો મળે એમ છે, પણ ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખતાં ચૂંટણીમાં ભારે ગરમાટો આવ્યો છે. વળી ભાજપે ત્રીજો ઉમેદવાર પાટીદાર ઉતાર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણી જંગમાં કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની શક્યતા છે.

બંને પક્ષોએ કર્યા જીતના દાવા

ભાજપ અને કોંગ્રેસ –બંને પક્ષોએ રાજ્યસભાની બેઠકો જીતવાના દાવા કર્યા છે. વળી ભાજપ પણ આત્મ વિશ્વાસથી કહે છે કે અમારો ત્રીજો ઉમેદવાર પણ જીતશે. હવે જો કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થાય તો જ આ શક્ય બને. નાણાપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના આંતરિક જૂથવાદ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અમને લાભ કરાવશે. જ્યારે કોંગ્રેસ તમામ ધારાસભ્યો એકજૂટ હોવાનો દાવો કરી રહી છે.

 

 

આ વર્ષે આઈપીએલ રમાવા પર આવી છે અટકળો

નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વભરમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. ભારતના ક્રિકેટ ફેન્સમાં આ વાતને લઈને ઉત્સુકતા વધી રહી છે કે શું આ વખતે આઈપીએલ 2020 નું આયોજન થશે કે નહી? જો થયું તો આ લીગની 13 મી સીઝનમાં નવા બદલાવો જોવા મળશે. અત્યારસુધી આ મોટા પ્રશ્નને લઈને કંઈજ સ્પષ્ટ થઈ શક્યું નથી. આવતીકાલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની થનારી મીટિંગ પહેલા આજે બીસીસીઆઈના અધિકારી મુંબઈમાં મળશે. ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠક પહેલા તેઓ રમત-ગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પર ચર્ચા કરશે. મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ દ્વારા તમામ સ્પોર્ટ્સ એસોસિએશન્સ અને બીસીસીઆઈને કોરોના વાયરસથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

એડવાઈઝરીમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ રમતના આયોજનમાં દર્શકો ત્યાં જોડાઈ શકશે નહી અને આવતા આદેશ સુધી તમામ મેચ બંધ દરવાજે (દર્શકો વગરના સ્ટેડિયમમાં) જ રમાશે.

આ એડવાઈઝરી બાદ, ન તો બીસીસીઆઈ અને ત તો આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ કોઈપણ નવી જાહેરાત માટે ઉતાવળા નથી. અત્યારસુધી બીસીસીઆઈ દ્વારા એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે, આપણે રાહ જોઈશું અને પરિસ્થિતિઓ પર નજર રાખીને અમે બેઠા છીએ. કોઈપણ મેચને રદ્દ કરવામાં 48 કલાક લાગે છે અને કોઈપણ મેચના આયોજનમાં ઘણા સપ્તાહોનું આયોજન હોય છે. જો રમત-ગમત મંત્રાલયે ખાલી સ્ટેડિયમમાં રમવાની વાત કરી છે તો આનાથી સ્પષ્ટ સંદેશ એ જ આવે છે કે અત્યારે આઈપીએલ પર કોઈ સંકટ નથી.

મેચ સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દા અને શક્યતાઓ

  • અત્યારે આ આયોજન રદ્દ કરવામાં નથી આવ્યું અને આયોજકો દ્વારા નક્કી તારીખોમાં જ મેચનું આયોજન કરવાની વાત કહેવામાં આવી છે. જો કે શક્યતા છે કે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી શકે છે અથવા તો આના ફોર્મેટમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે, જેનાથી આનું સ્વરુપ નાનું કરવામાં આવી શકે છે જેથી બંધ દરવાજે મેચ રમી શકાય.
  • મેચ રદ્દ થવાની શક્યતા વર્તમાન સમયમાં તો નથી પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના આધાર પર બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટ કરાવવા પર વિચાર કરી શકે છે. બીસીસીઆઈ પોતાના પ્લાન-B પર કામ કરી રહ્યું છે. તો શક્યતા છે કે આવનારા દિવસોમાં જો આ વાયરસની સ્થિતિ વધારે ભયાનક થશે તો પછી મેચ રદ્દ પણ થઈ શકે છે. અત્યારે ટુર્નામેન્ટ શરુ થવામાં 17 દિવસ બાકી છે.
  • અત્યારે પ્રથમ વિકલ્પ તો એ જ છે કે ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન શક્ય છે. ફ્રેન્ચાઈઝીઓ અને પ્રસારણકર્તાઓને સરકારની એડવાઈઝરીનું પાલન કરવું પડશે. ત્યારે આ ટૂર્નામેન્ટના સીમિત સ્થાનોમાં જ આયોજન કરવા પર વિચાર થઈ શકે છે. શક્યતાઓ છે કે બીજો વિકલ્પ જરુર પડવા પર વર્તમાન ફોર્મેટમાં બદલાવનો છે. 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી શકે છે જેવું 2011 ની સીઝનમાં થયું હતું. બાદમાં ટૂર્નામેન્ટમાં 20 થી 25 મેચમાં જ ફાઈનલ સુધીનો રોડ માપ તૈયાર કરી લેવામાં આવશે અને એક મહીનામાં આ ટૂર્નામેન્ટને પૂરી કરી દેવામાં આવશે.
  • ઓસ્ટ્રેલિયાઈ ઓપનર ડેવિડ વોર્નરના વીઝાની અરજી ફગાવી દેવામાં આવી છે. જો કે જે લોકોને આની જાણકારી છે તેમનું કહેવું છે કે, અરજી રદ્દ થવા પાછળ તેમની એપ્લિકેશનમાં ટેક્નિકલી ક્ષતીનું કારણ હતું અન્ય કંઈ જ નહી. શક્યતાઓ છે કે પ્લેયર્સની વિઝા પ્રક્રિયા માટે ફ્રેન્ચાઈઝીઓને સરકાર સાથે ચર્ચા કરવી પડશે, જો સરકારને બંધ દરવાજે મેચ રમાય તેના આયોજનમાં કોઈ સમસ્યા ન હોય, ત્યારે પ્લેયર્સને અપવાદ શ્રેણીના રુપમાં વિઝા મળી શકે છે.

સિંધિયાના પિતરાઈ ભાઈએ કહ્યુંઃ ભાજપ સાથે જોડાવું તે નિર્ણય ખોટો છે

નવી દિલ્હીઃ ત્રિપુરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માણિક્ય શાહી પરિવારથી આવતા પ્રદ્યોત દેવબર્મને કહ્યું કે, તેમના પિતરાઈ ભાઈ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપ સાથે જોડાવાનો નિર્ણય યોગ્ય વિકલ્પ નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ યુવા નેતાઓને તક આપવા માટે તૈયાર નથી. દેવબર્મને ગત વર્ષે ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. દેવબર્મને જણાવ્યું કે, મારું માનવું છે કે આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને એ મામલે વિચારવું જોઈએ કારણ કે અમે તમામ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ.

દેવબર્મને કહ્યું કે, ભાજપની સવારી કરવી તે યોગ્ય વિકલ્પ નથી. આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને આ પરિસ્થિતિમાં જ્યારે કોંગ્રેસ નેતૃત્વ યુવાનોને આગળ લાવવા માટે તૈયાર નથી, દેશ માટે કેવી રીતે યોગદાન કરી શકીએ તેની પદ્ધતી શોધવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસના તમામ યુવા નેતાઓએ એક સાથે કામ કર્યું અને આ સમય છે કે આપણે એક સમાધાન રજૂ કરીએ કારણ કે દેશને પ્રભાવશાળી વિપક્ષની જરુર છે.

દેવબર્મને કહ્યું કે, મારું માનવું છે કે સચિન પાયલટ, અજય કુમાર અને ઘણા અન્ય નેતાઓમાં ખૂબ ક્ષમતા છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને ઝારખંડ કોંગ્રેસના પ્રમુખ અજય કુમારે ગત વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાના પિતાની હત્યા મામલે કુલદીપ સેંગરને 10 વર્ષની સજા

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે કુલદીપસિંહ સેંગર સહિત 7 દોષિતોને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ ગુરુવારે કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે સજા સંભળાવવા મુદ્દે પોતાનો ચુકાદો 13 માર્ચ પર અનામત રાખ્યો હતો. ગુરુવારે કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ સાતેય દોષિતો માટે વધુમાં વધુ સજાની માગણી કરી હતી.

સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમને વધુ સજા મળવી જોઈએ  કારણ કે એક નિર્દોષ વ્યક્તિને ખુબ માર મારીને મારી નાખવામાં આવ્યો. તેમણે એક જઘન્ય અપરાધ કર્યો. આ બાજુ દોષિતોના વકીલે સજા ઓછી કરવાની ભલામણ કરી હતી.

આ મામલો 9 એપ્રિલ 2018ના રોજ દુષ્કર્મ પીડિતાના પિતાના મોત સંબંધે છે. જેમાં સેંગર અને તેના ભાઈ સહિત 7 લોકો દોષિત ઠર્યા હતાં. સેંગરે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 2017માં મૃતકની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું.

Chitralekha Marathi – March 23, 2020

E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

Chitralekha Gujarati – March 23, 2020

E-Magazine – Desktop Version PDF Version

રાશિ ભવિષ્ય 13/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.