Home Blog Page 4937

કોરોના કહેરને લીધે 15 એપ્રિલ સુધી વિદેશીઓ માટે ભારતપ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની અસર દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે,જેથી ભારતે પણ સુરક્ષાનાં કારણોસર દેશમાં આવતા વિદેશીઓના પ્રવેશ પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. ફોરેનર્સના બધા વીઝા રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો અમલ 13 માર્ચથી શરૂ થશે. અત્યાર સુધી દેશમાં 67 લોકો આ વાઇરસની ચપેટમાં આવી ગયા છે. આ ચેપગ્રસ્ત લોકોમાંથી એક ગ્રુપ ઇટાલીના એક પર્યટક જૂથના સંપર્કમાં આવ્યું હતું, જેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી સલામતીનાં કારણોસર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક આદેશ જારી કરીને બધાના વીઝા રદ કરવા આદેશ આપ્યો છે.

મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે વિદેશી રાજદૂતો, અધિકારીઓસ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંસ્થા અને રોજગાર અને અન્ય યોજનાઓથી સંબંધિત બધા જવીઝાને 15 એપ્રિલ સુધી રદ કરાયેલા રહેશે મંત્રાલયે કહ્યું હતું કે આ આદેશ 13 માર્ચ, 2020થી ભારતથી જતી ફ્લાઇટોના સમયથી લાગુ થશે. આ દરમ્યાન કોઈ વિદેશી ભારત પ્રવાસ કરવા ઇચ્છે તો તેણે ભારતય મિશનથી સંપર્ક કરવો પડશે.

 

‘ડિજિટલ દાંડી માર્ચ’: ઈમ્પેક્ટ એપ, ભારતની કાઈન્ડનેસ એપ; મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

1930ના માર્ચ-એપ્રિલમાં મહાત્મા ગાંધીજીની દાંડી કૂચે દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. એના 90 વર્ષ બાદ આજે દેશને ફરી એક વાર ગાંધીજીના વિચારોને નવેસરથી અમલમાં મૂકીને દેશનો ઉત્કર્ષ સાધવાની તક મળી છે.

ઈમ્પેક્ટ ફિટનેસ ઍપની ‘ડિજિટલ દાંડી કૂચ’માં સામેલ થઈને.

દાંડી કૂચ (૧૨ માર્ચથી ૬ એપ્રિલ, ૧૯૩૦): ઝુંબેશ વિશે સંક્ષિપ્તમાં જાણકારી…

દર અમુક પેઢીઓમાં એક વાર એવી ક્રાંતિ આવતી હોય છે જે સમાજને પ્રગતિના પંથે મૂકે છે અને સકારાત્મક પરિવર્તન લાવે છે. પરંતુ, સૌથી મોટી કે વ્યાપક સ્તરની ક્રાંતિઓમાં પણ શરૂઆત તો સાવ નાના અને સાવ સરળ પાયે જ થયેલી હોય છે.

ચાર પેઢી પૂર્વે, ભારત આઝાદ દેશ નહોતો.

એ જમાનામાં, આપણે ગુલામ હતા.

આપણી પોતાની જ રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોને પ્રવેશ કરવા દેવાતો નહોતો. એટલું જ નહીં, મીઠું જેવા સમૂહ ઉત્પાદન ઉપર પણ મોટી રકમનો વેરો લાદવામાં આવતો હતો.

એ કાયદો કેટલો અમાનવીય અને અન્યાયી હતો એ વિશે દરેક જણ બોલતું તો હતું, પણ એક જ માનવીએ એની સામે પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. એ હતા મોહનદાસ કરમચંદ ગાંધી.

એ સમસ્યા વિશે વાતો કરવાને બદલે એમણે ઉકેલની દિશા તરફ પગલાં માંડ્યા હતા.

એમણે તેમના 80 જેટલા મિત્રો અને સમર્થકોની સાથે નજીકના દરિયાકિનારે ચાલવાનું નક્કી કર્યું હતું અને હાથમાં મીઠું ઉપાડ્યું હતું. નિષ્ઠુર શાસન સામે શાંતિપૂર્ણ વિરોધનું તે એક પ્રતિક હતું.

એક ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી તે ઝુંબેશ 24-દિવસની અને 384 કિલોમીટરના અંતરની એક સફર હતી. તે ઝુંબેશે આખા દેશને પગલું ભરવા માટે જગાડ્યો હતો – જેનું લક્ષ્ય હતું ભારતની આઝાદી.

આઝાદી માટેના સંઘર્ષ માટે એ પછીના 17 વર્ષ દરમિયાન બીજી ઘણી એવી ઝુંબેશો યોજાઈ, અગણિત લોકોએ બલિદાન આપ્યા અને આખરે ભારત દેશ આઝાદ થયો હતો.

એ પહેલાં, ભારતની સૌથી મોટી સામાજિક સમસ્યા હતી – ગુલામી. એક ક્રાંતિ, જેણે આપણી માતૃભૂમિ પરથી વિદેશી તાકાતને હાંકી કાઢી એના આરંભમાં હતી એક સાદી-સરળ શરૂઆત.

આપણા પૂર્વજો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોને કારણે આજે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ.

આજે ભારતની અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓ છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે.

કારમો ભૂખમરો, વધતી જતી નિરક્ષરતા, મહિલાઓ પર અત્યાચાર, પર્યાવરણની કટોકટી – જેને કારણે દર ઉનાળાની ઋતુમાં દુકાળ પડે છે તો ચોમાસાની ઋતુમાં પૂર આવે છે.

અને હવે, આવ્યો છે ડિજિટલ જમાનો. આજે ભારતને જરૂર છે કે તેના કરોડો યુવા સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે મળીને અગણિત ડિજિટલ દાંડી કૂચ પર નીકળે અને દેશની સમસ્યાઓનું નિવારણ કરીને નવા ભારતનું નિર્માણ કરે.

બાપુની દાંડીકૂચે જે રીતે દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો અને લોકોને દેશ માટે કંઈક કરવાની તક મળી એ જ રીતે, આજે આપણને મળી છે ડિજિટલ દાંડીકૂચ. આ સામાજિક કાર્ય કરી રહી છે ઈમ્પેક્ટ ફિટનેસ ઍપ.

ઈમ્પેક્ટ એપ છે ભારતની ફિટનેસ કાઈન્ડનેસ એપ

આ એકદમ સરળ, પણ અસરકારક વોકિંગ ડિસ્ટન્સ ટ્રેકર છે. સાથોસાથ એક સ્ટેપ કાઉન્ટર એપ છે જેના દ્વારા તમે સમાજ માટે યોગદાન આપતી વખતે જેટલું ચાલો, દોડો અને કેલરી મેળવો એનું માપ જાણવામાં તમને મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય છે કે, કંપની કાયદા હેઠળ હવે નફાકારક કંપનીઓએ અમુક નિશ્ચિત રકમ કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે ખર્ચવાની હોય છે. દાંડીકૂચની જેમ એક પંથ દો કાજ ઈમ્પેક્ટ ફિટનેસ ઍપ દ્વારા થઈ રહ્યાં છે.

ઈમ્પેક્ટ એપ ભારતની પ્રથમ હેલ્થ એપ છે જ્યાં ચલાતા કે દોડાતા દરેક પગલાથી સામાજિક કાર્ય માટે ભંડોળ ઊભું થાય છે.

તમે ચાલવાનું કે દોડવાનું શરૂ કરો એ પહેલાં, તમારે એપ પર એવી સામાજિક ઝુંબેશને પસંદ કરવાની, જેને કોઈ કંપનીનું સમર્થન હોય અને કોઈ સામાજિક સંસ્થા એનો અમલ કરતી હોય. તમારે ચાલવાનું કે દોડવાનું શરૂ કરતા પહેલાં ‘સ્ટાર્ટ વર્કઆઉટ’ પર ક્લિક કરવાનું અને પછી ‘End’ પર પ્રેસ કરવાનું. તમે દિવસ દરમિયાન જેટલા પગલાં ભરો એની ગણતરી ગૂગલ ફિટ કે એપલ હેલ્થ એપ સાથે સિન્ક્રોનાઈઝ પણ કરી શકો છો અને દિવસને અંતે એ દાનમાં પણ આપી શકો.

આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા આઝાદીની ચળવળમાં સામેલ થયેલા લોકોનું સમ્માન કરવા માટે 12 માર્ચથી 6 એપ્રિલ સુધી એપના લીગ પેજ પર ડિજિટલ દાંડી કૂચનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં લોકો કન્યા શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ભૂખમરો નિવારણ તથા અન્ય સામાજિક કાર્યો માટે ભંડોળ એકત્ર કરવા માટે એમના રાજ્યમાં સાથી નાગરિકોની સાથે જોડાઈ શકે છે અને સાથે મળીને ઈ-વોક અને જોગિંગ કરી શકે છે.

સમાજસેવામાં સક્રિય ભારતભરમાંની તથા વિશ્વભરમાંની કંપનીઓના CSR બજેટમાંથી મળતા દાનની રકમ સાથે આપણે લીધેલા પગલાંને મેચ કરવામાં આવશે.

ફીડિંગ ઈન્ડિયા, થિંક ફાઉન્ડેશન, રેડ ક્રોસ, આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિએશન, ઉદભવ સ્કૂલ, નંદ ઘર ફાઉન્ડેશન જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ માટે ભંડોળ એકઠું કરી આપવા માટે આપણા સમાજનાં પગલાં માટે કંપનીઓ પોતાનું યોગદાન આપશે.  ચાર ભૂતપૂર્વ આઈઆઈટિયનોએ સાથે મળીને શરૂ કરેલી ઈમ્પેક્ટ ઍપ સાથે જોડાયેલી કંપનીઓ છે – સિમેન્સ, હીરો મોટો, આરતી ઈન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, વેદાંત, હિમાલયા ગ્રુપ, જ્યુબિલન્ટ લાઈફ સાયન્સીસ.

ઈશાન નાડકર્ણી: કંપનીઓને એમનું સીએસઆર ભંડોળ સન્માર્ગે વાળવાની તક મળે છે
ઈશાન નાડકર્ણી: કંપનીઓને એમનું સીએસઆર ભંડોળ સન્માર્ગે વાળવાની તક મળે છે

ઈમ્પેક્ટના સંસ્થાપક-સીઈઓ ઈશાન નાડકર્ણીના જણાવ્યા મુજબ, ઈમ્પેક્ટ ઍપ ફક્ત દાંડીકૂચના સમય પૂરતી નથી. એનું કામ અવિરત ચાલુ રહેવાનું છે. અલગ અલગ મહત્ત્વપૂર્ણ પ્રસંગો અને કાર્યોને અનુલક્ષીને કંપની લીગ તૈયાર કરે છે અને લોકો પોતપોતાની પસંદગી પ્રમાણે એમાં જોડાય છે. ડિજિટલ દાંડીકૂચ આવી જ એક ઍપ છે. અનેક કંપનીઓના કર્મચારીઓ સમૂહમાં સામાજિક કાર્ય કરવા માટે આ ઍપનો ઉપયોગ કરી શકે છે. પરસ્પરના આ સહયોગ દ્વારા ભાઈચારો કેળવાય છે, જેનો પ્રત્યક્ષ ને પરોક્ષ લાભ કંપનીઓને પણ થાય છે. આરોગ્ય સુધરે એ નફામાં અને દેશનો વિકાસ કરનારાં સામાજિક કાર્યો પાર પડે એ પણ મોટા બોનસ સમાન છે. કંપનીઓને એમનું સીએસઆર ભંડોળ સન્માર્ગે વાળવાની તક મળે છે અને આવા કાર્યમાં કર્મચારીઓ જોડાતા હોવાને કારણે કંપની પ્રત્યેની વફાદારી પણ વધે છે.

તો, તમારા રાજ્યમાં જોડાવ અને લીગમાં ભાગ લો.

આ ડિજિટલ દાંડી કૂચમાં તમે પણ જોડાઈ શકો છો. એ માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે.

ગૂગલ પ્લે સ્ટોરમાંથી Impact: Fitness & Charity. Just Walk/Run to Donate એપને ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ ડિજિટલ દાંડી માર્ચમાં સામેલ થવાનું છે. તમે દિવસ દરમિયાન ચાલવામાં કે દોડવામાં જેટલા પગલાં ભરશો એની ગણતરી કરશે અને એને પૈસામાં કાઉન્ટ કરીને એટલા રૂપિયા તમારા વતી દાન તરીકે સામાજિક સંસ્થાને આપશે.

SBI ગ્રાહકો આનંદોઃ મિનીમમ બેલેન્સ પરનો ચાર્જ દૂર કરાયો

નવી દિલ્હીઃ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે ખુશખબરીની જાહેરાત કરી હતી. બેન્કે બધી પ્રકારના સેવિંગ્સ અકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સની અનિવાર્યતાને દૂર કરી છે. બેન્ક દ્વારા જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે બેન્કના ગ્રાહકો મુક્તપણે બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકે અને નાણાકીય સમાવેશીકરણને પ્રોત્સાહન આપવા માટે બેન્કે આ પગલું ભર્યું છે. સ્ટેટ બેન્કના આ નિર્ણયને લીધે 44.51 કરોડ ખાતાધારકોને લાભ થશે. હાલના સમયે શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્રમશઃ રૂ. 3000, 2000 અને 1000નું લઘુતમ બેલેન્સ રાખવું જરૂરી હતું. બેન્ક લઘુતમ બેલેન્સ નહીં જાળવનારને દંડ વસૂલતી હતી.

ગ્રાહકોમાં વિશ્વાસ વધશે

આ જાહેરાતથી અમારા મૂલ્યવાન ગ્રાહકોના ચહેરા પર સ્મિત આવશે. AMBને માફ કરવાનું પગલું બેન્કનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જેથી ગ્રાહકો વધુ સુવિધાજનક બેન્કિંગનો અનુભવ કરી શકશે, એમ બેન્કના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતું.

SMS ચાર્જ પણ માફ

બેન્કે કહ્યું હતું કે કસ્ટમર ફર્સ્ટને ધ્યાનમાં રાખતાં SMS ચાર્જ પણ મફત કરવામાં આવ્યો છે. બેન્કના આ પગલાથી ગ્રાહકોને લાભ થશે. 31 ડિસેમ્બર, 2019ના ડેટા મુજબ બેન્કની ડિપોઝિટ રૂ. 31 લાખ કરોડથી વધુ છે. બેન્કે આ પહેલાં MCLRમાં પણ કાપ મૂક્યો હતો. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટો પરનો વ્યાજદર પણ ઘટાડ્યો છે.

 

રાશિ ભવિષ્ય 12/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ તા. 12/03/2020

નિર્ભયા કેસઃ ફાંસી નજીક આવતા પવનનું નવું તરકટ

નવી દિલ્હીઃ ફાંસીની તારીખ નજીક આવતા જ નિર્ભયાના ચારેય દોષિતો મૂંઝાયા છે. હવે ફાંસીથી બચવા માટેના તેમની પાસે કાયદાકીય રીતે કોઈ રસ્તા રહ્યા નથી એટલા માટે તેઓ હવે નવા ગતકડા કરી રહ્યા છે. ફાંસીથી સજાથી બચવા માટે નિર્ભયાના એક દોષિત પવને ફરીથી એકવાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે તેણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકોએ મને નિર્દયતાથી માર્યો છે, જેના કારણે મને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેણે કોર્ટને આ દોષિત પોલીસ જવાનો વિરુદ્ધ કેસ કરવાની વાત કહી છે. આ બન્ને પોલીસ જવાનો મંડોલી જેલમાં ફરજ બજાવે છે. આ અરજી પર કોર્ટે જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. આ મામલે હવે પછીની સુનાવણી 12 માર્ચના રોજ થશે.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના ચારેય દોષિતોને આજથી આઠ દિવસ બાદ ફાંસી આપવાનો સમય કોર્ટે નક્કી કર્યો છે. આ તમામ દોષિતોને 20 માર્ચના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. ત્યારે ફાંસીની તારીખ નજીક આવતા જ હવે દોષિતો બચવા માટેના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આ પહેલા નિર્ભયાના ચાર દોષિતો પૈકી એક વિનય શર્માએ દિલ્હીના ઉપરાજ્યપાલ પાસે એક અરજી આપતા પોતાની ફાંસીની સજા બદલવાની માંગ કરી હતી.

અમદાવાદઃ લોહીની જરૂરિયાત માટે હવે 100 નંબર

 અમદાવાદઃ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્લડ બેન્ક પાલડીના સંયુક્ત ઉપક્રમે ડાયલ ૧૦૦ નામના પાયલોટ પ્રોજેક્ટ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસના સહકારથી  જરૂરિયાતમંદ દર્દીને રાહત દરે લોહી પહોંચાડવાનો સમગ્ર દેશમાં આ પ્રથમ પ્રયોગ છે. શહેરના કોઈ પણ નાગરિક જેમને ઇમર્જન્સીમાં તાત્કાલિક લોહીની જરૂરિયાત પડે ત્યારે તેઓ ગુજરાત પોલીસનો ૧૦૦ નંબર ડાયલ કરીને રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી લોહી મેળવી શકે  છે.

આ વિશેની માહિતી આપતાં શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે  ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ વિભાગ દર્દીના નામની નોંધણી કરી તેમને  એક ટોકન નંબર આપશે તથા રેડ ક્રોસ બ્લડ બેન્કનો કોન્ટેક્ટ નંબર પણ ફોન કરનારને આપવામાં આવશે.

પોલીસ વિભાગ દ્વારા ફોન કરનારનું નામ તથા  ટોકન નંબર રેડ ક્રોસ બ્લડ બેન્કને  જણાવવામાં આવશે. ત્યાર બાદ બ્લડ બેન્ક દર્દી અથવા તેના પરિવારને ફોન કરીને દર્દીની સંપૂર્ણ વિગતો મેળવશે,  જેમાં દર્દી નું નામ,  હોસ્પિટલનું નામ,  બ્લડ ગ્રુપ તથા લોહીની કેટલી બોટલોની જરૂરિયાત છે એ જાણીને ટોકન નંબર સાથે ખરાઈ કરશે.

આ ખરાઈ  થયા બાદ દર્દીના બ્લડનું સેમ્પલ તથા ડોક્ટરની  ચિઠ્ઠી સાથે બ્લડ બેન્ક જઈને લોહી એકત્રિત કરવાનું રહેશે. રેડ ક્રોસ  બ્લડ બેન્ક સરકાર માન્ય પ્રોસેસિંગ ચાર્જ  લઈને આવેલ વ્યક્તિને રક્ત  પૂરું પાડશે. દર્દીની  નબળી  આર્થિક સ્થિતિમાં  રાહત દરે  કે  નિઃશુલ્ક  દરે પણ  રક્ત આપવામાં આવશે.

આ પ્રસંગે ઇન્ડિયન  રેડ ક્રોસ બ્લડ બેન્કના ચેરમેન શ્રી કિરણ ચુડગરે  સોસાયટીની  કામગીરીની  વિગતો આપી હતી અને અમદાવાદ શહેર પોલીસના નવીનતમ પહેલને બિરદાવી હતી.

આ પ્રસંગે સ્પેશિયલ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ શ્રી અજય તોમર, રેડ ક્રોસ સોસાયટીના ટ્રેઝરર શ્રી રશ્મિકાન્ત શાહ, ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ફ્રોમ ઝારખંડ ટુ આંધ્રઃ પરિમલ નથવાણીએ ભર્યું રાજ્યસભા માટે ફોર્મ

અમદાવાદઃ રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસએ ટેકો આપતાં પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉમેદવારી પત્ર ભર્યા પછી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “વાય.એસ. જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા મુખ્યમંત્રી છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ 175 બેઠકોમાંથી 151 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવીને મુખ્યમંત્રી બન્યા.” તેમણે ઉમેર્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે.

સતત બે ટર્મ સુધી ઝારખંડથી રાજ્યસભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 10 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવ્યા હતા.

 

મધ્યપ્રદેશનો ‘વાઇરસ’ મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશેઃ સંજય રાઉત

મુંબઈઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમસાણને લઈને શિવસેના નેતા સંજય રાઉતે ભાજપનો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપે મહારાષ્ટ્રમાં પણ સરકાર બનાવવાના પ્રયત્નો કર્યા હતા, પણ તેઓ સફળ ના થયા. આવી રાજરમત અહીં સફળ ના થઈ શકે. અહીં ઓપરેશન થિયેટરમાં મારા જેવા કેટલાય સર્જન બેઠા છે. જો કોઈ અહીં આવી રાજરમત કરવાની કોશિશ કરે તો એનો જ દાવ થઈ જાય.

રાઉતે બુધવારે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટીની આગેવાનીમાં મહારાષ્ટ્ર સરકાર સુરક્ષિત છે અને મધ્ય પ્રદેશનો વાઇરસ પશ્ચિમી રાજ્યમાં પ્રવેશશે નહીં.

એક ઓપરેશન 100 દિવસ પહેલાં નિષ્ફળ થયુંઃ રાઉત

રાઉતે મરાઠીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) સરકાર માટે ચિંતાનું હાલ કોઈ કારણ નથી. મહારાષ્ટ્રની શક્તિ અલગ છે. એક ઓપરેશન 100 દિવસ પહેલાં ફ્લોપ થઈ ગયું હતું. મહા વિકાસ આઘાડીએ બાયપાસ સર્જરી કરીને મહારાષ્ટ્રને બચાવી લીધું હતું.

મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનનીમાં ગઠબંધન સરકાર

પાછલા વર્ષે ઓક્ટોબરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાની આગેવાની હેઠળ ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર 28 નવેમ્બરે સત્તામાં આવી હતી, જ્યારે તેણે મુખ્ય પ્રધાનપદ માટે ભાજપનો સાથ છોડ્યો હતો. વિધાનસભાની કુલ 288 બેટકો પૈકી ઉદ્ધવ સરકારને 165થી વધુ વિધાનસભ્યોનો ટેકો છે.

 

 

 

 

 

 

 

BSE સ્ટાર એમએફનો નવો રેકોર્ડઃ એક જ દિવસમાં 10.35 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા

મુંબઈ, તા.11 માર્ચ, 2020ઃ બીએસઈના સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર આજે અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 10.35 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવામાં આવ્યા હતા, જેને પગલે આ પ્લેટફોર્મનો એક દિવસના કામકાજનો અગાઉનો 10.10 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ આજે તૂટ્યો હતો.

બીએસઈ સ્ટાર એમએફ દ્વારા પ્રોસેસ કરાતા ટ્રાન્ઝેક્શન્સમાં વર્તમાન નાણાકીય વર્ષના ફેબ્રુઆરી, 2020 સુધીમાં આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 57 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી, 2020ના અંતે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળા (એપ્રિલ, 2018થી ફેબ્રુઆરી, 2019)ના 3.21 કરોડથી વધીને 5.04 કરોડ થઈ છે. ટર્નઓવર પણ આ ગાળા દરમિયાન આગલા વર્ષના રૂ.1,49,473 કરોડથી 18 ટકા વધીને  ફેબ્રુઆરી, 2020ના અંતે રૂ.1,76,546 કરોડ થયું છે.

ફેબ્રુઆરી 2020ના અંતે સ્ટાર એમએફ પર રૂ.1103.71 કરોડની  38.39 લાખ એસઆઈપી ની સંખ્યા થઈ છે. માર્ચ, 2020માં રૂ.45.16 કરોડની 1.21 લાખ એસઆઈપી આ પ્લેટફોર્મ પર રજિસ્ટર થઈ છે. બીએસઈ સ્ટાર એમએફ પર છેલ્લા 11 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા 21,693થી વધીને 56,500 થઈ છે.