Home Blog Page 4941

રાશિ ભવિષ્ય 10/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

પંચાંગ તા. 10/03/2020

‘અંગ્રેજી મિડિયમ’માં કરીના આક્રમક પોલીસ ઓફિસર નયના કોહલીનાં રોલમાં

મુંબઈ : ‘હિન્દી મિડિયમ’ની સીક્વલ ‘અંગ્રેજી મિડિયમ’ જોવા માટે દર્શકો આતુર છે. ફિલ્મના અભિનેતા ઈરફાન ખાને આ ફિલ્મમાં કરીના કપૂર-ખાનની ભૂમિકાની એક ઝલક સોશિયલ મિડિયા પર શેર કરી છે.

કરીના આ ફિલ્મમાં લંડન શહેરની આક્રમક પોલીસ ઓફિસર નયના કોહલી બની છે. કરીના પર ફિલ્માવાયેલા દ્રશ્યોનું એક ટીઝર ઈરફાને રિલીઝ કર્યું છે.

એક દ્રશ્યમાં કરીના એક જણને પેટમાં લાત મારતી જોઈ શકાય છે.

ઈરફાને એ તસવીરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઓફિસર નયના કોહલી મુકાબલા માટે આવી પહોંચી છે. એની સાથે ઝઘડવું સારું નથી. સંભાળજો… 4 દિવસ બાકી છે અંગ્રેજી મિડિયમ. 13 માર્ચ, 2020ના રોજ થિયેટરોમાં આવશે.’

એ ફિલ્મમાં ઈરફાન ખાન અને દીપક ડોબરિયાલના પાત્રોનો પીછો કરે છે.

કરીના આ પહેલી જ વાર ફિલ્મમાં પોલીસ અધિકારીનાં રોલમાં જોવા મળશે.

અંગ્રેજી મિડિયમનું દિગ્દર્શન હોમી અદાજનિયાએ કર્યું છે અને નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ 2017માં આવેલી ‘હિન્દી મિડિયમ’ની સીક્વલ છે. નવી ફિલ્મમાં રાધિકા માદન, ડિમ્પલ કાપડિયા, રણવીર શૌરી, પંકજ ત્રિપાઠી, કિકૂ શારદા, મનુ રિશી, ઝાકીર હુસેન, મેઘના મલિક, મનિષ ગાંધી જેવા અન્ય કલાકારો પણ છે.

આ ફિલ્મમાં એક પિતા અને એની પુત્રી વચ્ચે નિશ્ચલ પ્રેમની લાગણીસભર અને રમૂજપ્રેરિત વાર્તા છે.

 

અમદાવાદઃ ઠેર-ઠેર હોલિકાદહન અને દર્શન

અમદાવાદઃ આજે હોળીનો તહેવાર છે ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામા આવ્યું હતું. અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ અને બિલ્ડિંગોની પાસે ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોલિકા દહન માટે લગભગ એક મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

હોળી પ્રગટાવી એ સમયે લોકોએ શ્રદ્ધાપૂર્વક દશર્ન કર્યા હતાં. આજે હોળાષ્ટક પૂરા થયા છે. જેથી હવે શુભ કાર્યો થઈ શકશે. આવતી કાલે ધૂળેટીનું પર્વ છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાનો ગભરાટઃ આગરાના તાજમહલમાં પર્યટકોની કડક તબીબી ચકાસણી

આગરાઃ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા ભયાનક કોરોના વાઈરસે ભારતમાં પણ પ્રવેશ કરી દીધો છે. અમુક રાજ્યોમાં દર્દીઓનાં કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ભારતમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્તોની સંખ્યા 44 પર પહોંચી છે.

કોરોનાનાં વ્યાપક ભયને ધ્યાનમાં લઈને ભારતમાં પણ ઠેર ઠેર સાવધાની રાખવામાં આવી રહી છે.

આગરાના જગવિખ્યાત સ્મારક તાજમહલને પણ આ સાવધાનીમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી.

આ સ્મારકની મુલાકાત લેતા પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પર્યટકો રક્ષાત્મક માસ્ક પહેરીને તાજમહલમાં પ્રવેશ કરે એવી સત્તાવાળાઓએ તકેદારી લીધી છે.

કોરોના વાઈરસના ધીમે ધીમે વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લઈને આગરા શહેરના મેયર નવીન જૈને કેન્દ્ર સરકારને લેખિતમાં વિનંતી કરી છે કે તાજમહલ સહિત દેશના તમામ જાણીતા સ્મારકોને કામચલાઉ બંધ કરી દેવા જોઈએ.

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો શિકાર બનેલાઓની સંખ્યા 6 પર પહોંચી છે.

કમલનાથની ખુરશી પર ફરી જોખમઃ સિંધિયા ભાજપના સંપર્કમાં

ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથની સરકાર ફરી એક વાર સંકટમાં હોય એવું લાગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના કેટલાક મોટા નેતાઓના સંપર્કમાં છે. તેઓ આજે અચાનક દિલ્હી પણ આવ્યા હતા. હાલ કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યો બેંગલુરુમાં પહોંચ્યા છે. આ વિધાનસભ્યોની સંખ્યા 15થી 17 બતાવવામાં આવી રહી છે. મોટા ભાગના વિધાનસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના છ પ્રધાનો સહિત 17 વિધાનસભ્યો ભૂતપૂર્વ સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે, એમ સૂત્રે જણાવ્યું હતું.

સિધિયા તેમની સરકાર સામે નારાજ છે. તેમણે ઘોષણાપત્રમાં કરવામાં આવેલા વચનો પૂરાંના કરવા માટે સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. એક અહેવાલ મુજબ સિંધિયાને જો હાલ મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવે તો પણ તેઓ માનવાના મૂડમાં નથી.

આ પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યમાં રાજકીય સંકટને ધ્યાનમાં રાખતાં પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીથી મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે બધુ સમુસૂતરું છે.

આ પહેલાં કોંગ્રેસના ચાર વિધાનસભ્ય બેંગલુરુ ગયા હતા, જેમાં બે પાછા ફર્યા હતા. જોકે બે અન્ય વિધાનસભ્યોથી કોંગ્રેસનો સંપર્ક નથી થયો. જે પાછા ફર્યા એ સીધા પ્રધાન બનવાની માગ સાથે પાછા ફર્યા હતા.

રાજ્યમાં 230 વિધાનસભ્યો છે, જેના હિસાબે 34 સભ્યોને પ્રધાન બનાવી શકાય છે. હાલ મુખ્ય પ્રધાનને મળીને 29 પ્રધાનો છે. હાલમાં કોંગ્રેસ 114ની સાથે સત્તામાં છે, તો ભાજપ પાસે 107 વિધાનસભ્યો છે. બસપા પાસે બે અને સપા પાસે એક અને ચાર વિધાનસભ્યો સ્વતંત્ર છે.

મધ્ય પ્રદેશમાં પાછલા મંગળવારથી રાજકીય નાટક ચાલુ છે. ભાજપ અને કોંગ્રેસ એકમેક પર આક્ષેપ-પ્રતિઆક્ષિપ કરી રહ્યા છે.

 

મહિલા દિવસે યોગ, ધ્યાન અને ચક્રા ડાન્સનું આયોજન

ઋષિકેશઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પરમાર્થ નિકેતનમાં યોગાચાર્ય કિયા મિલર દ્વારા વિશેષ યોગ અને મેક્સિકોથી આવેલાં યોગાચાર્ય વૃંદા દ્વારા ધ્યાન અને કેનેડાથી આવેલાં તારાજીએ ચક્રા ડાન્સનું આયોજન કર્યું હતું. વિશ્વના 76 દેશો અને ભારતનાં 20 રાજ્યોથી આવેલા 1551 યોગી પરમાર્થ નિકેતનથી ધીરે-ધીરે વિદાય થઈ રહ્યા છે. જોકે યોગીઓ પર હજી પણ યોગનો જાદુ છવાયેલો છે.

પરમાર્થ નિકેતનના પરમાધ્યક્ષ સ્વામી ચિંદાનંદ સરસ્વતીજીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે યુગોથી ચાલી રહેલી બૂરાઈઓને શોધવી અને તેને ખતમ કરવી એ જાગરૂક સ્ત્રીઓનો વિશેષાધિકાર હોવો જોઈએ. જો હું સ્ત્રીરૂપે પેદા થયો હોત તો પુરુષો દ્વારા થતા અન્યાયનો ભારે વિરોધ કરત. તેમણે કહ્યું હતું કે નારી ના તો અબળા છે અને ના ખરીદ-વેચાણનો સામાન છે. તે સ્વયંને નિર્ભીક અને સ્વતંત્ર વિચારોવાળી માની લે તો સારું જીવન જીવી શકે છે.

જીવાની આંતરરાષ્ટ્રીય મહા સચિવ સાધ્વી ભગવતી સરસ્વતીજીએ કહ્યું છે કે એક માતા તેની પુત્રીની બધી જરૂરિયાતને સારી રીતે સમજતી હોય છે. એક મા જ પુત્રીના જીવનમાં બદલાવ લાવી શકે છે.

સ્વામી ચિંદાનંદ સરસ્વતીજીએ ભારત સહિત વિશ્વના વિભિન્ન દેશોથી, વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપેલી નારીઓને સન્માનિત કરી હતી. સ્વામીજી અનમે સાધ્વી ભગવતીજીના સાંનિધ્યમાં વિસ્વના અનેક દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓ અને શ્રદ્ધાળુઓને વિશ્વ સ્તરે જળની આપૂર્તિ હેતુ વિશ્વ ગ્લોબનો જળાભિષેક કર્યો હતો. સ્વામીજીએ નારીશક્તિનો સંદેશ પતાં કહ્યું હતું કે हम थे, हम है, और हम रहैंगे

  • આ જ જીવનનો મૂળ મંત્ર છે. તેમણે આજની પરમાર્થ ગંગા આરતી નારી શક્તિને સમર્પિત કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઉદ્ધવની સરકાર પર નજર રાખવા રાજ ઠાકરેએ ‘છાયા કેબિનેટ’ની રચના કરી

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ મહારાષ્ટ્ર માટે તેના છાયા પ્રધાનમંડળની આજે જાહેરાત કરી છે. એમાં પર્યટન મંત્રાલય પક્ષના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ આઘાડીની સંયુક્ત સરકારમાં પર્યટન મંત્રાલય શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજના ભત્રિજા આદિત્ય ઠાકરેને આપવામાં આવ્યું છે.

અમિત ઠાકરે એમના પિતરાઈ ભાઈ આદિત્યની કામગીરી પર નજર રાખશે અને મહારાષ્ટ્રમાં પર્યટનના વિકાસ માટે નીતિ નક્કી કરશે.

અમિત ઠાકરેને પર્યટન ઉપરાંત કાયદો અને ન્યાય પ્રધાન પણ બનાવવામાં આવ્યા છે.

મનસે પાર્ટી આજે તેનો 14મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ગત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ પક્ષને માત્ર એક જ બેઠક મળી હતી. મુંબઈની પડોશના કલ્યાણ શહેરની કલ્યાણ ગ્રામીણ બેઠક પરથી પક્ષના પ્રમોદ રતન પાટીલ ચૂંટાઈ આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ અને રાજની રાજકીય હરીફાઈ જાણીતી છે. રાજ અગાઉ શિવસેનામાં હતા અને એક સમયે શિવસેનામાં કદાવર નેતા હતા, પણ રાજકીય મહત્ત્વાકાંક્ષાની ટક્કરને કારણે બંને ભાઈ વચ્ચે મતભેદો ઉભા થયા હતા અને બંનેએ જુદા જુદા રસ્તા પસંદ કર્યા હતા. રાજ ઠાકરે 2008માં પક્ષમાંથી છૂટા થયા હતા અને 9 માર્ચના રોજ પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો હતો – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી મહારાષ્ટ્ર સરકારની કામગીરી પર નજર રાખવા માટે રાજ ઠાકરેએ છાયા સરકારની રચના કરી છે.

રાજ ઠાકરેએ બનાવેલી શેડો કેબિનેટ એ બ્રિટનના સંસદીય રાજકારણમાં વર્ષો જૂની પરંપરા છે. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પસંદ કરે છે અને એમને ખાતું સોંપે છે. શેડો કેબિનેટમાં પદ હાંસલ કરનાર પ્રધાન પોતાના વિભાગના મુદ્દાઓ અને નીતિઓના મામલે શાસક પક્ષને ઝપટમાં લે છે, એને સવાલો પૂછે છે.

અંકિત શર્મા કેસમાં તાહિર હુસૈનના ભાઈની ધરપકડ

નવી દિલ્હીઃ ઇન્ટેલિજન્સ બ્યુરોના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યામાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે હવે આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર તાહિર હુસૈનના ભાઈ શાહ આલમને હિરાસતમાં લીધો છે. તેની અંકિત શર્મા મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.

શાહ આલમ ચાંદ બાગ વિસ્તારમાં થયેલી હિંસામાં સામેલ હતો. જોકે એની પુષ્ટિ થઈ નથી. પોલીસે જ્યાં તાહિર પર ચાર કેસ નોંધ્યા છે, ત્યારે બીજી બાજુ તેના નાના ભાઈ શાહ આલમ પર એક પણ મામલો નોંધ્યો નથી. શાહ આલમ ચાંદ બાગ વિસ્તારોમાં થયેલાં તોફાનોમાં હાજર હતો, એમ ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું છે.

ઉત્તર-પૂર્વ જિલ્લામાં થયેલાં તોફાનોના આરોપી અને કોર્પોરેટર તાહિર હુસૈનના મેનેજર તારિક રિઝવીને કડકડ્ડૂમા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. બીજી બાજુ તારિકના બે સાથીઓ (પિતા-પુત્ર)ને પોલીસે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. કોર્ટે તારિકના સાથી રિયાસત અલીને ત્રણ દિવસની પોલીસ હિરાસતમાં અને તેના પિતા લિયાકતને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.

બીજી બાજુ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તોફાનો પછી લાશો મળવાનો સિલસિલો હજી ચાલુ છે. રવિવારે કરાવલ નગર પુશ્તાની પાસે એક યુવકની લાશ મળી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બિહારમાં નીતીશકુમારને આ યુવતીએ પડકાર્યા

પટનાઃ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ સુપ્રીમો અને મુખ્ય પ્રધાન નીતીશકુમાર NDA ગઠબંધનના જાહેર કરેલા મુખ્ય પ્રધાન છે. બીજી બાજુ વિપક્ષી મહાગઠબંધન દ્વારા રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવની દાવેદારી છે. જોકે ત્રીજા મુખ્ય પ્રધાન ચહેરાના રૂપમાં એક યુવતી પુષ્પમ પ્રિયા ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તેણે મુખ્ય પ્રધાન નીતીશકુમારની સામે ચૂંટણી જંગમાં ઊતરવાની જાહેરાત કરી છે. પુષ્પમ ભૂતપૂર્વ જેડીયુ નેતા અને વિધાનસભ્ય વિનોદ ચૌધરીની પુત્રી છે.

લંડનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી આ યુવતી હવે બિહારને બદલવા ઇચ્છે છે. એના માટે તેણે ન્યૂઝપેપર્સમાં જાહેરાત આપીને રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત દ્વારા ખુદને મુખ્ય પ્રધાન ઉમેદવાર જણાવી છે. તેણે પ્લુરલ્સ નામથી પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત દ્વારા લોન્ચ કરી છે. તેણે બિહારની જનતાને એક પત્ર લખીને સાથ આપવાની અપીલ કરી છે.

ટ્વીટ કરીને બિહારમાં પરિવર્તન કરવાની જરૂરિયાત પર મૂક્યો ભાર

પુષ્પમે તેના ટ્વીટર હેન્ડલ પર એની જાહેરાત કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે બિહારમાં બદલાવની જરૂર છે અને પ્લુરલ્સની પાસે એના માટે 2025 અને 2030નો રોડમેપ છે. તેણે એક અન્ય ટ્વીટમાં બિહારમાં પરિવર્તન અને વિકાસની વાત કરી હતી તથા રાજ્યની જનતાને પોતાની પાર્ટી સાથે જોડાવાની અપીલ કરી હતી.  

ભૂતપૂર્વ જેડીયુના નેતાની પુત્રી

પુષ્પમ પ્રિયા ચૌધરી બિહારની દરભંગાની મૂળી નિવાસી છે. મુખ્ય પ્રધાન નીતીશકુમારની સામે ચૂંટણીજંગમાં કૂદનારી પુષ્પમ ભૂતપૂર્વ જેડીયુ નેતા વિધાનસભ્ય વિનોદ ચૌધરીની પુત્રી છે. પુષ્પમના કાકા અજય ચૌધરી દરભંગામાં જેડીયુના જિલ્લાઅધ્યક્ષ છે તો દિવંગત દાદા ઉમાકાંત ચૌધરીને મુખ્ય પ્રધાન નીતીશકુમારની એકદમ નજીકના માનવામાં આવે છે.

વિદેશમાં શિક્ષણ લઈને બિહાર બદલવાનું સપનું

તેણે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્લ સાયન્સથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં MAની ડિગ્રી લીધી છે. તેણે ઇન્ગલેન્ડની યુનિવર્સિટી ઓફ સસેક્સથી ફણ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં MA કર્યું છે. તેણે બિહારના નામે પત્ર લખીને કહ્યું છે કે તે બિહારનાં બાળકોના સારા ભવિષ્યની ગેરન્ટી આપે છે.