નવી દિલ્હીઃ ચીનમાંથી વિશ્વભરમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના કારણે ઘણા આયોજનો રદ્દ થઈ રહ્યા છે અને આ કડીમાં બાંગ્લાદેશે પણ શેખ મુજીબ ઉર રહેમાનની જયંતીનો શતાબ્દી સમારોહ રદ્દ કરી દીધો છે. વડાપ્રધાન મોદી આ સમારોહના મુખ્ય વક્તા હતા અને હવે તેમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઈ ગયો છે.
આ સપ્તાહે બાંગ્લાદેશની સંસદના સ્પીકર શિરીન શરમિન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.
વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશ જવાના હતા પરંતુ કોરોના વાયરસને લઈને આ પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. સેલિબ્રેશન કમિટીના ચેરમેન કમાલ અબ્દુલ ચોધરીએ બાંગ્લાદેશ સરકારના આ નિર્ણયને રદ્દ કરવાની જાણકારી આપી. રવિવારના રોજ બાંગ્લાદેશમાં 3 લોકો કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે, આ લોકો ઈટલીથી આવ્યા હતા. આ મામલે ચોધરીએ કહ્યું કે, અમે આ ઈવેન્ટને ફરીથી ડિઝાઈન કરી છે. આ વર્ષ દરમિયાન ચાલનારો કાર્યક્રમ રહેશે પરંતુ અત્યારે લોકોની ભીડથી આપણે બચવાનું છે. આખા વર્ષ દરમિયાન આપણે આ કાર્યક્રમ કરીશું અને વિદેશથી આવનારા દિગ્ગજ લોકો તેમા જોડાઈ શકે છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, કોવિડ-19 સાથે જોડાયેલી સ્વાસ્થ્ય ઘટનાઓને જોતા આ શતાબ્દી સમારોહને થોડો ટુંકાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કોઈપણ સાર્વજનિક સભા વગર જ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પાડોશી દેશના સંસ્થાપક શેખ મુજીવુર રહેમાનના શતાબ્દી સમારોહમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. શેખ મુજીબુર રહેમાનને ફાધર ઓફ બાંગ્લાદેશ પણ કહેવામાં આવે છે.
આ જ મહિને વડાપ્રધાન મોદી યૂરોપિયન યૂનિયનના સમ્મેલનમાં પણ ભાગ લેવા માટે જવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે તેમના આ પ્રવાસને પણ રદ્દ કરવો પડ્યો હતો. આ વચ્ચે તેમના સીવાય ઘણા કેન્દ્રીય મંત્રી અને તેના હોળીના કાર્યક્રમોમાં પણ ભાગ નહી લે.
ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પરનું સંકટ ધીમું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં કોંગ્રેસ સરકાર પાસે પૂર્ણ બહુમત છે અને કોઈ મુશ્કેલી નથી. મૈહર બેઠકથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ ત્રણ દિવસની અંદર સીએમ કમલનાથ સાથે ત્રીજી વખતની મુલાકાત પછી આ નિવેદન આપ્યું છે.
નારાયણ ત્રિપાઠીએ રવિવારે કમલનાથના સરકારી નિવાસ સ્થાને મુલાકાત કરી. નારાયણએ તેમની પાર્ટી ભાજપથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, મુલાકાત પછી તેમણે સ્પષ્ટ કહ્યું કે, તે મૈહરને નવો જિલ્લો બનાવવાની માગને લઈને સીએમ કમલનાથને મળવા ગયા હતા. આ મુલાકાત પછી ત્રિપાઠીએ કહ્યું કે, કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર પૂર્ણ બહુમતમાં છે. શું તમને નથી દેખાઈ રહ્યું કે, સરકાર બહુમતમાં છે કે નહીં. સરકાર સંપૂર્ણ રીતે બહુમતમાં છે.
મહત્વનું છે કે, નારાયણ ત્રિપાઠી આ પહેલા પણ એક સંશોધન પ્રસ્તાવને લઈને કમલનાથ સરકારનું સમર્થન કરી ચૂક્યા છે. અને તે અવારનવાર કમલનાથના નિર્ણયોના વખાણ કરતા જોવા મળે છે. ત્રિપાઠીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, સરકાર બજેટ સત્ર પહેલા મેહરને અલગ જિલ્લો બનાવવાની માગ પર કોઈ નિર્ણય લે.
મહત્વનું છે કે, રાજકીય ઉથલ-પાથલ વચ્ચે છેલ્લા બે દિવસ કમલનાથ સરકાર માટે રાહત આપતા રહ્યા. શનિવારે અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરા બેંગ્લુરુંથી પરત આવ્યા અને રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય બિસાહૂ લાલ સિંહ પણ ભોપાલ પહોંચી ગયા. બિસાહૂએ કોંગ્રેસની સાથે મતભેદ હોવાની વાતને નકારી કાઢતા કમલનાથને પોતાનું સમર્થન આપવાની વાત કહી છે.
લખનઉઃ આઈપીએસ અધિકારી ડો. અજય પાલ શર્મા ઘણીવાર વિવાદોમાં આવતા હોય છે અને તેઓ ખૂબ ચર્ચામાં રહેતા એક અધિકારી છે. સોશિયલ મીડિયા પર તેમને દબંગ, એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને સિંઘમ જેવા નામોથી બોલાવવામાં આવે છે. ચર્ચાની સાથે વિવાદો સાથે પણ અજય પાલનો જૂનો સંબંધ છે. એ એન્કાઉન્ટર્સ પર પણ સવાલો ઉઠ્યા છે કે જેમાં તેઓ જોડાયેલા હતા. આ સીવાય લાંચ, ટ્રાન્સફર માટે સેટિંગ જેવા વિવાદોમાં પણ અજય પાલ શર્મા પર આંગળીઓ ચિંધાઈ છે. તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલા આઈપીએસ વૈભવ કૃષ્ણના રિપોર્ટમાં અજય પાલ શર્માનું પણ નામ હતું બાદમાં તેમને રામપુરના એસપીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. હવે અજય પાલ શર્મા પોતાની કથીત પત્નીના કારણે વિવાદોમાં આવ્યા છે.
પોતાને અજયની પત્ની ગણાવતી એક મહિલા દીપ્તિ શર્માએ લખનઉની હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. રિપોર્ટ નોંધાવનારી અને વકીલ દીપ્તિ શર્માએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેમને હેરાન કરવા માટે અજય શર્માએ ઘણા કેસ નોંધાવ્યા છે. અત્યારે દીપ્તિ જેલમાં બંધ છે.
અજય પાલ શર્મા પર આરોપ છે કે તેમણે ગેંગસ્ટરના આરોપી કથીત પત્રકાર ચંદન રાય સાથે મેરઠમાં તેનાતી માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી. આ મામલે બે ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આરોપ છે કે ચંદન રાયે અજય પાલ શર્માના પોસ્ટિંગ માટે લખનઉના અતુલ શુક્લા અને સ્વપ્નિલ રાય સાથે વાત કરી છે, આના પણ પૂરાવા છે. એક આરોપી નીતિશને નોએડા પોલીસના આવવા પહેલા ભાગી જવા માટે થયેલી વાતચીતના પણ પૂરાવા છે.
આ સિવાય જે મહિલાએ અજય પાલ શર્માના નોએડા એસપી રહેતા સમયે તેમના પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા હતા તેને ખોટા કેસમાં ફસાવવા, ચંદન રાય દ્વારા પોલીસ કસ્ટડીમાં રાખેલા તેના મોબાઈ ફોનથી ફોટો, વિડીયો અને અન્ય વસ્તુઓ ડિલીટ કરાવવા માટે થયેલી વાતના પણ પૂરાવા મળ્યા છે. આ તમામ પુરાવા સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પકડાયેલા ચારેય કથી પત્રકારોના મોબાઈલ ફોનની તપાસ કર્યા બાદ સામે આવ્યા છે.
વર્ષ 2011 ના આઈપીએ ઓફિસર ડો. અજય પાલ શર્માને વિવાદો સાથે જૂનો બંસંધ છે. જો કે, આ સરકારમાં એસપી શામલી રહેતા સમયે તાબડતોબ એન્કાઉન્ટર કરવાને લઈને અજય પાલ શર્મા સરકારની આંખોનો તારો બની ગયા હતા. અજય પાલ શર્માને ઈનામમાં નોએડા જિલ્લાનું નેતૃત્વ મળ્યું હતું પરંતુ ત્યાં કરેલા તેમના મોટાભાગના એન્કાઉન્ટર વિવાદોમાં આવ્યા છે. કોલ સેન્ટરના સંચાલક પાસેથી આશરે 80 લાખ રુપિયાની લાંચનો મોટો મામલો હતો. તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહના હસ્તક્ષેપ બાદ કોલ સેન્ટરના સંચાલકની રકમ પાછી આપવામાં આવી હતી.
એક મહિલા પત્રકારે પણ અજય પાલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલાની ફરિયાદ સીએમ સુધી પહોંચી હતી. નોએડામાં ફરજ દરમિયાન ડો. અજય પાલ શર્માની કાર્યશૈલીને લઈને સીએમ યોગી આદિત્યનાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન તેમને ટકોર પણ કરી હતી. આના કેટલાક મહિના બાદ અજય પાલને નોએડામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. કેટલાક દિવસ સાઈડમાં રાખ્યા બાદ તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહે તેમને ફરીથી રામપુરના એસપી બનાવ્યા હતા. જો કે, આ દરમિયાન પણ ચર્ચા સામે આવી હતી કે, અજય પાલ શર્મા કોઈ મોટા જિલ્લામાં ફરજ માટે લાગેલા છે.બાદમાં વૈભવ કૃષ્ણના તપાસ રિપોર્ટમાં એ વાત સામે આવી કે અજય પાલ શર્મા કથિત પત્રકારો દ્વારા મેરઠમાં ફરજ માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ યસ બેંકના સંસ્થાપક અને પૂર્વ મેનેજીંગ ડાયરેકટર રાણા કપૂરને મુંબઇની એક કોર્ટે રવિવારના રોજ 11મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. મની લોન્ડ્રિંગ મામલે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાણા કપૂર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં અલગ કેસ નોંધ્યા છે. ઇડીએ દિલ્હી અને મુંબઇ સ્થિત તેમના ઘર પર દરોડા પાડ્યા અને કલાકો સુધી પૂછપરચ્છ બાદ રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણાને જ્યારે મુંબઇની એક કોર્ટમાં હાજર કરાયા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા.
મહત્વનું છે કે, રાણા કપૂરની સાથે તેમના પરિવારની પણ ઇડી તપાસ કરી રહ્યું છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને રવિવારે મુંબઇ એરપોર્ટ પર વિદેશ જતા અટકાવવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેઝથી લંડન જઈ રહી હતી. આ પહેલાં ઇડીએ રાણા કપૂર અને તેમના પરિવાર જેમાં પત્ની બિંદુ કપૂર, દીકરી રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂરની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. એટલે કે હવે આ લોકો મંજૂરી વગર દેશની બહાર જઇ શકશે નહીં.
ઇડીના વકીલ સુનીલ ગોંજાલ્વિસે સુનવણી દરમ્યાન કહ્યું કે ઇડીની તપાસના દાયરામાં 4300 કરોડ રૂપિયાની રકમ છે. પૂછપરચ્છ દરમ્યાન રાણા કપૂરે સહયોગનો ઇન્કાર કરી દીધો છે. રાણા કપૂરે આ વાતનું ખંડન કરતાં કહ્યું કે હું ઇડીને સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છું. તેમણે કોર્ટને કહ્યું કે હું પળવાર પણ સૂતો નથી તેમ છતાંય હું દિવસ-રાત સહયોગ કરવા માટે તૈયાર છું. આ દરમ્યાન તેમની આંખોમાં આંસુ આવી ગયા. રાણા કપૂરના વકીલ જૈન શ્રૌફે કોર્ટને કહ્યું કે રિઝર્વ બેંક યસ બેંક વિરૂદ્ધ કેટલાંય પ્રતિબંધો મૂકયા છે ત્યારબાદ લોકોમાં આક્રોશ છે, આ આક્રોશને જોતા રાણ કપૂરને ‘બલિનો બકરો’ બનાવાય રહ્યો છે.
નવી દિલ્હીઃ 8 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયા કંગુજમ અત્યારે ખૂબ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કેન્દ્ર સરકારે ટ્વીટ કરીને કેટલીક પ્રેરણાદાયક મહિલાઓની સ્ટોરીને શેર કરવાની વાત કહી હતી. લિસિપ્રિયા પણ આ લોકો પૈકી જ એક હતી. ભારત સરકારના આ ટ્વીટના જવાબમાં લિસિપ્રિયાએ ધન્યવાદ તો કહ્યું પરંતુ, આ સન્માન સ્વીકારવાની ના પાડી દીધી. બાદમાં કોંગ્રેસે લિસિપ્રિયાની આડમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રહારોને જોતા લિસિપ્રિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી.
કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, મહિલા સશક્તિકરણ પ્રત્યે પીએમ મોદીની વાતો અને પાખંડને બહાદુર પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયાએ નકાર્યું છે. લિસિપ્રિયાએ પ્રસ્તાવનો સ્વિકાર નકાર્યા બાદ, તેમણે વડાપ્રધાન મોદીને યાદ અપાવ્યું કે તેમનો અવાજ સાંભળવો તે કોઈપણ ટ્વીટર ઝુંબેશની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે.
લિસિપ્રિયાએ કોંગ્રેસને આડે હાથ લેતા ટ્વીટ કર્યું અને કહ્યું કે, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. સારું છે, પોઈન્ટ પર આવીએ. લોકસભા અને રાજ્યસભા બંન્નેમાં ચાલી રહેલા સંસદ સત્રમાં આપના કેટલા સાંસદો મારી માંગણીઓને માનનારા છે? હું એપણ નથી ઈચ્છતી કે માત્ર આપ ટ્વીટર ઝુંબેશ માટે મારા નામનો ઉપયોગ કરો. મારો અવાજ કોણ સાંભળી રહ્યું છે?
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે લિસિપ્રિયાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, પ્રિય લિસિપ્રિયા, તમારો અવાજ અમારો પણ અવાજ છે. છેલ્લા ત્રણ વર્ષથી હું એર પોપ્યુલેશન પર બેઠકો કરી રહ્યો છું. હું નેશનલ ક્લિન એર પોલિસીની વાત કરી રહ્યો છે. 2019 ની ચૂંટણી પહેલા કોંગ્રેસે પર્યાવરણ પર વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. અમારી વાત અમારા ઘોષણાપત્રમાં નોંધાયેલી છે અને અમે કરીશું.
કોંગ્રેસના સાંસદને જવાબ આપતા લિસિપ્રિયેએ લખ્યું કે, સર આપે જલ્દી જવાબ આપ્યો તે માટે હું ધન્યવાદ કરું છું. પરંતુ તમે મારા પ્રશ્ન અને મારી માંગોને એર પોલ્યુશન પોલિસી સહિતની વાત કહીને આના પરથી ધ્યાન હટાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લિસિપ્રિયા છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ભાજપ સાંસદો પાસેથી જળવાયુ પરિવર્તન કાયદો બનાવવાની માંગ કરી રહી છે.
નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં જેટલા પણ તહેવારો છે એ તમામને સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને ઉજવવામાં આવે છે. આજે તમારી બંધાની પંદગીનો તહેવાર હોળી. આજે ફાગણ મહિનાની પુનમ એટલે કે હોલીકા દહન કરવાનો દિવસ અને આવતીકાલે રંગોનો તહેવાર ઘૂળેટીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હોળીના આ ખાસ અવસર પર ગ્રહોમાં પણ 499 વર્ષ પછી ખાસ સંયોગ બની રહ્યા છે.
હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ફાગણ મહિનાની પુનમ 9 માર્ચે એટલે કે આજે છે. આ દિવસે કારકિર્દી અને ધન સંપત્તિના કારક માનવામાં આવતા દેવતાઓના ગુરુ બુહસ્પતિ અને ન્યાયના દેવતા શનિ તમેની મૂળ રાશિઓમાં જ રહેશે. જેથી સુખ–સમૃદ્ધિ અને ધન-વૈભવની દ્રષ્ટીએ સારું માનવમાં આવે છે. દેવગુરુ ઘન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ અગાઉ ગ્રહોનો આવો સંયોગ 3 માર્ચ 1521માં બન્યો હતો.
આમ તો હોળીના તહેવારને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પણ આ વખતે ગ્રહોનો ખાસ યોગ બની રહ્યો છે જેથી રંગોનો તહેવાર વધુ વૈભવશાળી બની રહેશે. હોળીનો રંગ તમામ લોકોના જીવનમાં ખુશી લાવશે અને હોલીકા દહનથી તમારા તમામ કષ્ટો દૂર થશે.
ભદ્રની છાયામાં હોલીકા દહન કરવું શુભ નથી માનવામાં નથી આવતું. પણ આ વખતે નિશ્ચિંત રહીને હોળીનો તહેવાર મનાવી શકો છો, કારણ કે આ વખતે હોળી પર ભદ્ર નથી લાગી રહ્યો. હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે 6:32થી 6:50 સુધીનો છે. આ દરમ્યાન સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ સમયમાં હોલીકા પૂજન કરવાથી આખા વર્ષ દરમ્યાન તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
હિન્દુ પંચાગ અનુસાર, ફાગણ માસમાં શુક્લ પક્ષની આઠમથી પુનમ સુધી હોળાષ્ટક મનાવવામાં આવે છે. આ દરમ્યાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતા. માન્યતાઓ અનુસાર હોળી પ્રગટાવ્યા પછી આ અશુભ સમયનું દહન થઈ જાય છે અને ફરીથી તમામ શુભ કાર્ય કરવાનો સમય શરું થઈ જાય છે.
મુંબઈ : યસ બેન્કની નાણાકીય કટોકટીના સંદર્ભમાં દેશની બેન્કોમાં જમા કરાવાયેલા જનતાનાં નાણાંની સલામતી અંગે લોકોમાં ફેલાયેલા ગભરાટ અને ચિંતાને ભારતીય રિઝર્વ બેન્કે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તમામ ડિપોઝીટ્સ સુરક્ષિત છે.
રિઝર્વ બેન્કે ટ્વીટ દ્વારા લોકોને આ ખાતરી આપી છે.
કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે પોતે દેશની તમામ બેન્કોની કામગીરીઓ પર સતત નિરીક્ષણ રાખી રહી છે. કોઈ પણ બેન્કમાં જમા કરાવેલા પૈસાની સલામતી વિશે લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી.
એક નવું બેન્ક કૌભાંડ બહાર આવ્યું અને એને પગલે લોકોને હવે દેશની બેન્કિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે એવી અફવાઓ ફેલાઈ છે. આવી અફવાઓ રોકવા માટે જ રિઝર્વ બેન્કે લોકોને આશ્વાસન આપ્યું છે.
RBI closely monitors all the banks and hereby assures all depositors that there is no such concern of safety of their deposits in any bank. (2/2)
9 માર્ચના સોમવારે હોળી અને 10 માર્ચના મંગળવારે ધૂળેટી પર્વ નિમિત્તે અમદાવાદની બજારોમાં રંગો, પિચકારીઓ, ફૂગ્ગા, હીરાકણી, પેસ્ટ કલર્સ વગેરે ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. રૂ. 50થી લઈને રૂ. 500 સુધીની કિંમતમાં વિવિધ રંગ, આકાર અને રૂપની પિચકારીઓ મળી રહી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)