Home Blog Page 4957

સુવિચાર – ૩ માર્ચ, ૨૦૨૦

LNG થી ચાલતી બસઃ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે નવા યુગની શરુઆત?

નવી દિલ્હી: દેશની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓમાંથી એક ટાટા મોટર્સે દેશની પ્રથમ Liquefied Natural Gas (એલએનજી) થી ચાલતી બસની ડિલીવરી કરી છે. અહીં આપણે જાણીશું કે, શું છે એલએનજી બસની ખાસિયત અને તે સામાન્ય બસ કરતા કઈ રીતે અલગ છે.

એલએનજી બસની ફ્યૂલ કેપેસિટી સામાન્ય સીએનજી બસની સરખામણીએ લગભગ અઢી ગણી વધારે છે. એક વખત ટેન્ક ફૂલ કર્યા પછી આ બસ લગભગ 600થી 700 કિમીનું અંતર સરળતાથી કાપી શકે છે. આ બસની ખાસિયત એ છે કે, તે ગ્રીન હાઉસ એમિશન્સ ઓછુ કરવાની સાથે સાથે એર ક્વોલિટીમાં અનેક પ્રકારે સુધારો કરે છે.

એલએનજી બસ સામાન્ય બસની સરખામણીએ વજનમાં હલ્કી અને પેયલોડ ઓછો હોય છે તેમજ મેન્ટેન્સ ખર્ચ પણ ઓછો આવે છે. આ બસ મુસાફરો માટે આરામદાયક છે, સ્ટારબસ એલએનજી સુપીરિયર NVH લેવલને ઓફર કરી રહી છે. એલએનજી સિસ્ટમ ઓછા પ્રેસર પર ઓપરેટ કરી શકાય છે આ કારણે આગ લાગવાનો ખતરો ઘણો ઓછો રહે છે.

આ બસને ટાટા મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે અને સ્ટારબસ એલએનજી પ્રથમ પેસેન્જર વ્હિકલ છે જે એલએનજી સિસ્ટમની મદદથી ચાલશે. એલએનજી પેટ્રોનેટ લિમિટેડને આપેલા મોડલ ઉપરાંત ટાટા મોટર્સ ICV સેગમેન્ટમાં 2×2 લેઆઉટ (એસી અને નોન-એસી)ની સાથે 36-સીટર સ્ટારબસ એલએનજી અને MCV સેગમેન્ટમાં 2×2 લેઆઉટ સાથે 40-સીટર અને 3×2 લેઆઉટ(નોન એસી)ની સાથે 56 સીટર એલએનજી સ્ટારબસ ઓફર કરી રહી છે.

મહત્વનું છે કે, ટાટા મોટર્સે ફ્યૂલ ટેક્નોલોજીનું ઓપ્શન શોધવામાં એક કદમ આગળ વધતા ભારતની પ્રથમ એલએનજી બસની ડિલિવરી કરી છે. આને ટ્રાન્સપોર્ટના નવા યુગની શરુઆત કહીએ તો નવાઈ નહીં. કંપનીના (બસ પ્રોડક્ટ લાઈન) ના વાઈસ પ્રેસિડેન્ટ રોહિત શ્રીવાસ્તવે કહ્યું કે, અમે એલએનજી પ્રેટ્રોનેટ લિમિટેડ સાથે કામ કરીને ગર્વ અનુભવી રહ્યા છીએ, આ નવતર પ્રયાસથી અમે લોઅર-કાર્બનનું ભવિષ્ય જોઈ રહ્યા છીએ. સ્થિર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અમારી ઊંડી સમજની સાથે ઈકો-ફ્રેન્ડલી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપ્શન મારફતે અમે આ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ ઉપરાંત ટાટા મોટર્સ એનર્જી સિક્યોરિટીના વિસ્તાર પર પણ કામ કરી રહી છે.

સોશિયલ મિડિયા ન છોડવાની પીએમ મોદીને નેટયુઝર્સની વિનંતી

નવી દિલ્હી : ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ સહિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પરથી સંન્યાસ લેવા પોતે વિચારતા હોવાનું જણાવતી એક પોસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એમના ટ્વિટર એકાઉન્ટ પર મૂકતાં જ ખળભળાટ મચી ગયો છે.

એમને આવું પગલું ન ભરવાની અનેક ઈન્ટરનેટ યુઝર્સે વિનંતી કરી છે. મોદીએ ગઈ કાલે રાતે આ જાહેરાત કરી એની અમુક જ મિનિટોમાં ‘NoSir’ અપીલ કરતું હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલની પોસ્ટમાં લખ્યું છે કે પોતે આવતા રવિવારથી સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ બંધ કરી દેવા વિચારે છે.

મોદીએ લખ્યું છે કે, ‘હું વિચારું છું કે આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પરના મારા સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ બંધ કરી દઉં. પરંતુ બધું પોસ્ટ કરીને તમારી સાથે સંપર્કમાં રહીશ.’

અનેક નેટિઝન્સે મોદીને સોશિયલ મિડિયા ન છોડવાની વિનંતી કરી છે.

એક યુઝરે ટ્વીટ કર્યું છે કે, ‘દુનિયાભરના લોકો તમને ખૂબ પ્રેમ કરે છે. તમે ઈચ્છો તો સોશિયલ મિડિયા પરથી થોડોક સમય માટે બ્રેક લઈ શકો છો, પણ #NoSir અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારે સોશિયલ મિડિયા છોડવું ન જ જોઈએ.’

એક અન્ય યુઝરે લખ્યું છે કે, હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું. જો મોદીજી સોશિયલ મિડિયા છોડી દેશે તો હું પણ છોડી દઈશ.

એક અન્ય યુઝરે લખ્યું છે, ‘ના સાહેબ… અમે જાણીએ છીએ કે સોશિયલ મિડિયાના દુરુપયોગથી આપ અપસેટ થયા છો, પરંતુ અમને તમારી જરૂર છે.’

ઘણા નેટિઝન્સે પીએમ મોદીના ટ્વીટ પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘તમે અમને રાષ્ટ્રભક્તોને સોશિયલ મિડિયા પર સક્રિય રહેવાની પ્રેરણા આપી છે… અને હવે તમે કહો છો કે તમે સોશિયલ મિડિયાને છોડી દેશો. તમારું ટ્વીટ વાંચીને મને આઘાત લાગ્યો છે. તમારા વિના સોશિયલ મિડિયા કશું જ નથી.’

સોશિયલ મિડિયા પર વડા પ્રધાન મોદી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંના એક છે. ટ્વિટર પર એમના 5 કરોડ 33 લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર 4 કરોડ 40 લાખ ફોલોઅર્સ છે તો ઈન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાક છે.

વડા પ્રધાન કાર્યાલય (પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ PMO)ના પણ ટ્વિટર હેન્ડલના પણ 3 કરોડ 20 લાખ ફોલોઅર્સ છે.

2019ના સપ્ટેંબરમાં, વડા પ્રધાન મોદી માઈક્રોબ્લોગિંગ સાઈટ પર સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાં ત્રીજા નંબર પર હતા. પહેલા નંબર પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજા નંબર પર એમના પુરોગામી બરાક ઓબામા હતા.

ટ્વિટર પર પાંચ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર વડા પ્રધાન મોદી પહેલા જ ભારતીય હતા.

તો હું પણ સોશિયલ મિડિયા છોડી દઈશઃ અમૃતા દેવેન્દ્ર ફડણવીસ

સોશિયલ મિડિયા છોડી દેવાની વડા પ્રધાન મોદીની જાહેરાત બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ જાહેરાત કરી છે કે જો મોદી સોશિયલ મિડિયા છોડી દેશે તો હું પણ સોશિયલ મિડિયા છોડી દઈશ. હું મારાં નેતાના માર્ગે ચાલીશ.

અમૃતાએ ટ્વીટમાં લખ્યું છે કે, ક્યારેક એકદમ નાનકડો નિર્ણય પણ તમારા જીવનમાં કાયમને માટે ફેરફાર લાવી દે છે. હું મારા નેતાના માર્ગે ચાલીશ.

ભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો? આ વાંચો…

નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં જ નહીં, પણ રસ્તાઓ પર પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. અવારનવાર આપણે ચાલતી ગાડીમાંથી પોલીસવાળાને લાંચ આપતા જોયા હશે. કેટલીક વાર પોલીસવાળા અથવા અધિકારીઓ પર લાંચ-રુશવત લેવા બદલ કાર્યવાહી થાય છે, પણ હજી પણ મોટે પાયે લાંચનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ટ્રક ડ્રાઇવર કોઈ ને કોઈ કારણસર તેના પ્રવાસમાં આગળ વધવા માટે પોલીસવાળાઓને ભરપૂર લાંચ આપે છે. એક સર્વે સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે ટ્રક ડ્રાઇવર અને ટ્રકોના માલિકો પોલીસવાળા અને રસ્તા પરના અધિકારીઓને વર્ષેદહાડે લાંચ સ્વરૂપે રૂ. 48,000 કરોડ આપે છે.

રોડ, સેફ્ટી અને પરિવહનના ક્ષેત્રે કામ કરતા NGO, સેવલાઇફ ફાઉન્ડેશન દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રાફિક અને હાઇવે પોલીસ સહિત ટ્રાન્સપોર્ટ અને ટેક્સ અધિકારી પણ લાંચ લે છે. ત્યાર પછી જ ટ્રકને આગળ જવા દેવાય છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રક ડ્રાઇવર કેવી પરિસ્થિતિમાં કામ કરે છે અને કયા માનસિક અને શારીરિક દબાણમાં રહે છે.

82 ટકાએ સ્વીકાર્યું કે તેઓ લાંચ આપે છે

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડે ડ્રાઇવરોથી વાત કરવામાં આવી એમાંથી 82 ટકા એ કબૂલ્યું કે પ્રવાસ દરમ્યાવ કેમણે કોઈ ને કોઈ અધિકારીને લાંચ આપી છે. આ અભ્યાસ દરમ્યાન 1,217 ટ્રક ડ્રાઇવરો અને 110 ટ્રક માલિકોથી વાત કરવામાં આવી હતી. જે આ ક્ષેત્રે મોટા પાયે થઈ રહેલા ભ્રષ્ટાચારને દર્શાવે છે. એક ટ્રક ડ્રાઇવરે સરેરાશ પ્રવાસ દરમ્યાન અધિકારીઓને રૂ. 1257ની લાંચ આપી છે.

સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૌહાટીમાં

અહેવાલ કહે છે કુલ મળીને આશરે બે ટકા ટ્રક ડ્રાઇવરોએ ટેક્સ અધિકારીઓને લાંચ આપી હતી. ગૌહાટીમાં 97.5 ટકા ડ્રાઇવરોએ લાંચ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ 89 ટકાની સાથે ચેન્નઈ બીજા ક્રમે અને 84.4 ટકાની સાથે દિલ્હી ત્રીજા સ્થાને છે. 44 ટકા ડ્રાઇવરોએ આરટીઓ અધિકારીઓને લાંચ આપવાની વાત કરી હતી. આમાં બેંગલુરુ સૌથી પહેલા ક્રમે છે. જ્યાં 94 ટકાએ આ વાત સ્વીકારી હતી.  આમાં વિશેષ વાત એ છે કે અધિકારી લાંચ લીધા પછી ડ્રાઇવરોને એક સ્લિપ આપે છે, જેથી ડ્રાઇવર આગળની ચેકપોસ્ટ પાર કરી જાય.

 

અમેરિકા-તાલીબાન સમજૂતીથી પાકિસ્તાન કેમ નારાજ?

નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન સમજૂતીના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના દ્વિપક્ષીય મુદ્દાઓના સમાધાન માટે અમેરિકાને તેમાં સમાવિષ્ટ કરવાની જરુર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અફઘાનિસ્તાન અને ઈસ્લામાબાદ સાથે કોઈપણ સમજૂતી અમેરિકાને સમાવિષ્ટ કર્યા વગર દ્વિપક્ષીય સંબંધોના આધાર પર કરવી જોઈએ. તેમણે કહ્યું કે, બંન્ને દેશો વચ્ચેના સંબંધો માટે અમેરિકી મધ્યસ્થતાની કોઈ જરુર નથી. ઉલ્લેખનીય છે કે, શાંતિ સમજૂતી બાદ પાકિસ્તાનના આ હવાતિયા ક્યાંક ને ક્યાં તેની અમેરિકા પ્રત્યેની નારાજગી દર્શાવે છે.

હકીકતમાં પાકિસ્તાને દોહા જાહેરાત પત્રના એક ખંડ પર પોતાની પ્રત્યક્ષ નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાતના ખંડમાંથી એકમાં એવું લખ્યું છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વિચાર-વિમર્શ કરવાની વ્યવસ્થા માટે કામ કરતું રહેશે, જેથી એક-બીજા દેશની સુરક્ષા સંકટમાં ન પડે. ઉલ્લેકનીય છે કે, કાબૂલની સરકાર પાકિસ્તાન પર એ આરોપ લગાવતી રહી છે કે તાલિબાન પાકિસ્તાનમાં સરકારી શરણ મેળવતા રહ્યા છે. આને લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરકારમાં ખટપટ પણ ચાલી રહી છે. એટલા માટે દોહા સમજૂતિમાં ઉલ્લેખની જરુર હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાનને સીધી વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, અમેરિકાતો અફઘાનિસ્તાનને પૂર્ણ રીતે નિકાળવાની યોજના બનાવી રહ્યું છે પરંતુ અમે લોકો પાડોશી દેશ તો સદાય રહીશું. તેમણે કહ્યું કે, જો મારી પાસે અફઘાનિસ્તાનની સાથે કોઈ મુદ્દો છે તે હું વોશિંગ્ટનને એક ભૂમિકા નિભાવવા માટે નહી કહું.

માર્ચ સુધીમાં પાન-આધાર લિન્ક ના કર્યું તો રૂ. 10,000નો દંડ

નવી દિલ્હીઃ તમે 31 માર્ચ, 2020ની સમયમર્યાદા સુધી તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કર્યું હોય તો એ પછી નિષ્ક્રિય PAN નંબરનો ઉપયોગ કરવા બદલ આવકવેરા વિભાગે તમારા પર રૂ. 10,000નો દંડ લગાડી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યો છે કે આધારથી લિન્ક નહીં કરાવવા બદલ PAN કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ ઉપરાંત આઇટી વિભાગે નવું નોટિફિકેશન જાહેર કરતાં કહ્યું હતું કે આવા PAN કાર્ડ હોલ્ડર્સને PANથી જોડાયેલી માહિતી નહીં ભરવા બદલ આવકવેરાની જોગવાઈ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ટેક્સ નિષ્ણાતના જણાવ્યા મુજબ PAN કાર્ડથી સંકળાયેલી ખોટી માહિતી આપવા બદલ રૂ. 10,000નો દંડની જોગવાઈ છે. આવી લેવડદેવડમાં પેન કાર્ડથી જોડાયેલી માહિતી ભરવી અનિવાર્ય છે. આ સાથે PAN કાર્ડની માહિતી નહીં આપવા પર પણ તમને દંડ લાગી શકે છે.

જોકે તમે PANને આધાર કાર્ડ સાથે લિન્ક કરી લો છો તો PAN સક્રિય થઈ જાય છે અને લિન્કિંગની તારીખથી તમને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો નહીં પડે. વળી આધારથી લિન્ક નહીં કરાવવા બદલ જે લોકોનાં PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયાં હોય, તે લોકો ધ્યાન રાખે કે નવા PAN કાર્ડ માટે અરજી ના કરે, કેમ કે આધાર લિન્કની સાથે જૂનું PAN કાર્ડ પણ સક્રિય થઈ જશે.

PAN કાર્ડ-આધાર કાર્ડ લિન્કિંગની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 છે. આ પહેલાં સરકારે આ બંને દસ્તાવેજોને લિન્ક કરાવવાની ડેડલાઇન ઘણી વાર વધારી ચૂકી છે.

 

 

રાશિ ભવિષ્ય 03/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ તા. 03/03/2020

કોરોના વાઈરસને કારણે દીપિકાએ પેરિસ ફેશન વીકમાં જવાનું માંડી વાળ્યું

મુંબઈ : બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે કોરોના વાઈરસના જાગતિક ઉપદ્રવને કારણે પેરિસમાં હાલ ચાલી રહેલા પેરિસ ફેશન વીક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું માંડી વાળ્યું છે.

પેરિસ ફેશન વીક કાર્યક્રમમાં હાજરી આપવાનું દીપિકાને લક્ઝરી ફેશન ગ્રુપ લૂઈ વિતોં (Louis Vuitton) તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 3 માર્ચ સુધી ચાલવાનો છે.

પરંતુ, કોરોના વાઈરસે જે રીતે દુનિયાના 60 જેટલા દેશોમાં ગભરાટ ફેલાવ્યો છે એને કારણે દીપિકાએ તેનો પ્રવાસ રદ કર્યો છે.

દીપિકાનાં સત્તાવાર પ્રવક્તાએ જાણકારી આપી છે કે દીપિકા પદુકોણ લૂઈ વિતોંના FW2020 શોમાં હાજરી આપવા માટે પેરિસ જવાની જ હતી, પરંતુ કોરોના વાઈરસનો ચેપ ફ્રાન્સમાં પણ ફેલાયો હોવાના સમાચાર આવતાં એણે તેનો પ્રવાસ રદ કર્યો છે.

દીપિકાની નવી ફિલ્મ આવી રહી છે “83”, જેમાં એ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવના પત્ની રોમી દેવનો રોલ કરી રહી છે. દીપિકાનો પતિ રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવ બન્યો છે.

દીપિકા આ ઉપરાંત હોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની સત્તાવાર હિન્દી રીમેકમાં પણ ચમકવાની છે. એમાં તેની સાથે રિશી કપૂર હશે. ફિલ્મ 2021માં રિલીઝ થશે. હોલીવૂડ ફિલ્મમાં રોબર્ટ ડી નીરો અને એન હેથવેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ

ઋષિકેશઃ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો  હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.  

વિશ્વ વિખ્યાત યોગ મહાપર્વનું આયોજન પરમાર્થ નિકેતન દ્વારા 1999થી નિરંતર કરવામાં આવી રહ્યું છે. આ આંતરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં વિશ્વના 25થી વધુ દેશોના 90થી વધુ સંતો અને યોગાચાર્યોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 56થી વધુ દેશોના 900થી વધુ લોકો આ યોગ મહાપર્વમાં સહભાગી થઈ ચૂક્યા છે અને સતત વિશ્વના અન્ય દેશોના યોગ જિજ્ઞાસુ આ મહોત્સવમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં યોગની 150થી વધુ અવસ્થા હોય છે. આ ક્રમ સવારે ચાર કલાકથી રાત્રે 9.30 કલાક સુધી એક સપ્તાહ દરરોજ ચાલશે. આંતરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન  પરમાર્થ નિકેતન, અતુલ્ય ભારત, પર્યટન મંત્રાલય અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે.

સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે બધા અતિથિઓનું સન્માન કરતાં કહ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોથી જે પણ યોગ જિજ્ઞાસુ મા ગંગાના પાવન તટે આવીને યોગને આત્મસાત્ કરી રહ્યા છે, તેઓ અહીંથી શાંતિ દૂત બનીને જાય.

વિવિધ દેશોના યોગ ગુરુએ શું કહ્યું

અમેરિકી યોગાચાર્ય ટોમી રોજને કહ્યું કે યોગ અમને એકતાનો સંદેશ આપે છે. યોગ એ માર્ગ છે, જેના માધ્યમથી આપણે સંદેહ દૂર કરીને મનમાં વિશ્વાસને ઉજાગર કરી શકીએ છે.

જેનેટ એટવુડે કહ્યું કે યોગ અમારી વચ્ચે જે ધર્મની દીવાલો છે, એને ખતમ કરે છે. આજે આપણે ચારે તરફ જે આતંક જોઈ રહ્યા છે, એ માત્ર મગજનો આતંક છે અને યોગ આ મગજના આતંકને શાંત કરીને શાંતિનો માર્ગ બતાવે છે.  યોગાચાર્ય સાધ્વી આભા સરસ્વતીજીએ યોગ નિદ્રા, સાત્ત્વિક જીવન માટે આહારના નિયમોનું મહત્ત્વ સમજાવ્યું. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે બધા વિશિષ્ટ અતિથિઓને પર્યાવરણના પ્રતીક રુદ્રાક્ષનો છોડ ભેટ સ્વરૂપે આપ્યો હતો.

પરમાર્થની વિવિધ કલાઓથી સમૃદ્ધ સાપ્તાહિક મંચ

વિશ્વ વિખ્યાત સૂફી ગાયક કૈલાશ ખેર પોતાના કૈલાશા બેન્ક સાથે પ્રેરણાદાયક સંગીત પ્રસ્તુત કરશે. ડ્રમ અને તાલવાદક શિવમણિ અને રુના રિઝવી મંત્રમુગ્ધ સંગીતની પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીતકારો અને કલાકારો પરમાર્થ નિકેતન કલામંચ સુશોભિત કરશે. આ ઉપરાંત પરમાર્થ ઋષિકુમારો દ્વારા ડાન્સ અને થિયેટર પર્ફોર્મન્સ, સૂફી ડાન્સ મર્ટ ગુલરની ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ધ્યાન, મુદ્રા, વૈદિક મંત્ર, સંસ્કૃત વાચન, આયુર્વેદ, સાઉન્ડ હીલિંગ રેકી, દર્શન હોમિયોપથી ચિકિસ્તા તથા અનેક કાર્યશાળા નાટક પ્દર્શ, વ્યાખ્યાન, પ્રવચન તથા ઇન્ટરએક્ટિવ સત્રોનું આયોજન કરશે. આ સાથે આધ્યાત્મિક મહાપુરુષો દઅને ધર્મગુરુઓ દ્વારા ધાર્મિક સંવાદ જિજ્ઞાશા સમાધાન અને પ્રશ્નોત્તરીનું પણ વિશેષ આયોજન આંતરરાશ્ટ્રીય યોગ મહોત્સવમાં કરવામાં આવ્યું છે.

31મા  આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં દેશોના યોગીઓની સહભાગિતા-ભારત, સ્પેન, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, અફઘાનિસ્તાન, જાપાન સહિત વિશ્વના વિવિધ દેશોના યોગ જિજ્ઞાસુઓ ભાગ લઈ રહ્યા છે.