જીનીવાઃ સ્વિટઝર્લેન્ડના જીનીવામાં એક બેનર દ્વારા પાકિસ્તાનની આબરુના લીરેલીરા ઉડાવવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાનવાધિકાર પરિષદના 43 માં સત્ર દરમિયાન ત્યાં “બ્રોકન ચેર” સ્મારકની પાસે એક બેનર લગાવવામાં આવ્યું. આ બેનર પર લખેલું છે કે “પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર છે.” પાકિસ્તાને આની કડક નિંદા કરી છે.
9/11 બાદથી પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે. ઉત્તરી વજીરીસ્તાનનો વિસ્તાર જે અફઘાનિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, તે અલ-કાયદા અને તાલિબાનની સાથે-સાથે અન્ય આતંકવાદી પોતાના નેટવર્ક સહિત સમૂહો સાથે જોડાયેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓનું એક કેન્દ્ર હતું. પાકિસ્તાન વિશે દુનિયાને જણાવવા માટે જ આ બેનરને બ્રોકન ચેર પાસે લગાવવામાં આવ્યું હતું કે જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દો ઉઠે અને સંયુક્ત રાષ્ટ્ર તાત્કાલીક પ્રભાવથી વૈશ્વિક સુરક્ષાને ધ્યાને રાખતા આના પર લગામ લગાવી શકે.
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો માટે પાકિસ્તાની સેનાના ગેરકાયદેસર યોગદાનનું બ્રોકન ચેરમાં જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલય સામે એક બેનર સાથે વિરોધ કરવામાં આવશે. પાકિસ્તાની સરકાર સક્રિય રુપથી આતંકવાદી સમૂહોને સ્પોન્સર કરીને ક્ષેત્રની અંદર અને તેની બહાર આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય રુપે જોડાયેલી રહી છે.
નવી દિલ્હીઃ આતંકવાદી હુમલા (9/11)નાં 19 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાનની વચ્ચે એક મહત્ત્વના સમજૂતી થવાની છે. આ સમજૂતીની ખાસ વાત એ છે કે આ પહેલો પ્રસંગ છે કે જેમાં ભારત તાલિબાનથી સંકળાયેલા કોઈ પણ મામલે સત્તાવાર રીતે સામેલ થશે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના એક દિવસ પહેલાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા શુક્રવારે કાબુલ પહોંચ્યા અને શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન માટે ભારતનો નિર્વિરોધ સમર્થન વ્યક્ત કર્યું. વિદેશ સચિવે અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશપ્રધાન હારુન ચાખનસુરિ સાથે વાતચીત કરી હતી અને એ દરમ્યાન તેમણે ચહુમુખીના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતાની માહિતી પણ આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે શ્રૃંગલાએ અને હારુને દ્વિપક્ષી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને સકારાત્મક રૂપથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દોહામાં આજે અમેરિકા અને તાલિબાનની વચ્ચે એક સમજૂતી પર હત્સાક્ષર થશે, તેમાં આ દેશમાં તહેનાતીનાં 18 વર્ષ પછી અમેરિકી સૈનિકોના પાછા ફરવાનો રસ્તો ખૂલશે. કુમારે ટ્વીટ કરીને કહ્યું છે કે વિદેશ સચિવે સતત શાંતિ સુરક્ષા અને વિકાસની અફઘાનિસ્તાનના લોકોની કોશિશોમાં ભારતે સંપૂર્ણ ટેકો આપ્યો છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમાધાન પ્રક્રિયા માટે ભારત એક મહત્ત્વનો પક્ષકાર છે. કતારમાં ભારતના રાજદૂત પી. કુમારન એ સમારોહમાં ભાગ લેશે, જેમાં અમેરિકા અને તાલિબાનથી સંકળાયેલા સત્તવાર કેસો પણ સામેલ થશે. એક મહત્ત્વપૂર્ણ પગલા હેઠળ ભારતે મોસ્કોમાં નવેમ્બર, 2018માં થયેલી અફઘાન શાંતિ પ્રક્રિયામાં બિનસત્તાવાર ક્ષમતામાં બે ભૂતપૂર્વ અધિકારીનો મોકલ્યા હતા.
આ સંમેલનનું આયોજન રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તાલિબાનના ઉચ્ચ સ્તરીય પ્રધાનમંડળ, અફઘાનિસ્તાન, અમેરિકા, પાકિસ્તાન અને ચીન સહિત કેટલાક અન્ય દેશોના પ્રતિનિધિ પણ સામેલ છે. શાંતિ સમજૂતીથી પહેલાં ભારતે અમેરિકાને જણાવી દીધું છે કે એ પાકિસ્તાન પર એની જમીન પર ચાલતાં આંતકવાદી નેટવર્કોને બંધ કરવા માટે દબાણ નાખતા રહે, યદ્યપિ અફઘાનિસ્તામાં શાંતિ માટે એનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર દિલ્હી હિંસાને લઈ સતત સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી રહી છે. હાલમાં જ સ્વરા ભાસ્કરને લઈ ટ્વિટર પર ‘અરેસ્ટ સ્વરા ભાસ્કર’ હેશટેગ ટ્રેન્ડ પણ થયું હતું. હવે, સ્વરાએ એક ટ્વીટ કર્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સ્વરા ભાસ્કરે બિલાડીની તસવીર પોસ્ટ કરીને ટ્વીટ કરી છે.
સ્વરા ભાસ્કરે બિલાડીએ જીભ કાઢી હોય તેવી તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, જીભ કાપી નાખો…પણ જેવી રીતે પાશએ લખ્યું છે, સત્ય ઘાસ જેવું છે…એ ફરી પાછું ઉગી નીકળશે. આ સાથે જ સ્વરાએ કવિ પાશની એક કવિતા પણ શેર કરી છે. પંજાબી ક્રાંતિકારી કવિ પાશે સમાજના સત્યને લઈને અનેક કવિતાઓનું સર્જન કર્યું. સ્વરાના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ મળી રહી છે.
મહત્વનું છે કે સ્વરા ભાસ્કરે ‘માધોલાલ કીપ વોકિંગ’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘નિલ બટે સન્નાટા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝણા’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. સ્વરા ભાસ્કરે દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાર દિવસ થયેલી હિંસામાં 42 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે જે હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ વિસ્તારમાંથી એવી હચમચાવી દેનારી ઘટનાઓની વાતો સામે આવી રહી છે. હિંસાના સમયે શરૂઆતના 4 દિવસમાં પીડિતોના 13,200 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં આ કોલના જવાબમાં કંઈક અલગ જ સ્ટોરી સામે આવી હતી.
23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હીની હિંસામાં ઝઝૂમતી રહી. 23 ફેબ્રુઆરીએ પોલીસ કન્ટ્રોલ રુમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી 700 ફોન આવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ 3500 ફોન આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ 7500 ફોન આવ્યા હતા. 26 ફેબ્રુઆરીએ 1500 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જ્યારે 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ રજિસ્ટરની સમીક્ષા કરી ત્યારે ચિત્ર કંઈક અલગ જ હતુ.
યમુના વિહાર વિસ્તાર ભજનપુરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે અને અહીંથી જ હિંસાની શરુઆત થઈ હતી. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે 24- 26 ફેબ્રુઆરીની વચ્ચે તેમની પાસે લગભગ 3 હજાર કોલ આવ્યા હતા. એ બાદ ન્યૂઝ ચેનલ દ્વારા કોલ રજિસ્ટરના 8 પાનાની સમીક્ષા કરવામાં આવી જેમાં 9 કોલમ હતા. જેવા કે ફરિયાદ શું છે, ક્યારે મળી , ફરિયાદ મળતા શું પગલા લેવાયા વગેરે વગેરે.
આ ફરિયાદમાં યમુના વિહાર વિસ્તારમાં ગોળીબારથી લઈને આગ લાગવા અને પથ્થરમારા સુધીનો ઉલ્લેખ છે. મોટા ભાગની ફરિયાદમાં ‘શુ પગલા લેવાયા’ની કોલમ ખાલી હતી. ઉદાહરણ તરીકે યમુના વિહારમાં એક મહિલાએ 24 તારીખે સાંજે 6.57 વાગે પોલીસને ફોન કર્યો હતો. જેમાં તેણે રમખાણ થઈ રહ્યાની ફરિયાદ નોંધાવી હતી. આની આગળની કોમલ ‘શું કામગીરી કરવામાં આવી’ની હતી, જે ખાલી હતી. જ્યારે યમુના વિહાર વિસ્તારના ભાજપના પાર્ષદ પ્રમોદ ગુપ્તાએ કહ્યું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યાં પણ પોલીસે તેમને ફોન ઉપાડ્યો નહોતો. શિવ વિહારમાં રાજધાની પબ્લિક સ્કૂલને રમખાણો કરનારા અસામાજિક તત્વોએ 60 કલાકથી વધારે બાનમાં લીધી હતી.સ્કૂલના માલિક ફૈસલ ફારુકે જણાવ્યું હતું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યા પણ પોલીસ ન આવી. તેમણે કહ્યું હતું કે અમારા પર સોમવારે હુમલો થયો હતો. 2 વાગ્યા સુધી તમામ બાળકો અને સ્ટાફ જઈ ચૂક્યો હતો. 4-5 વાગ્યો આ બધુ શરુ થયું. અમે સતત ફોન કરતા રહ્યા અને તે કહેતા રહ્યા આવીએ છીએ પણ ન આવ્યા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કરાવલ નગર પોલીસ સ્ટેશનની અંદર આવે છે.
કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં કોલ લોગને જોતા ખબર પડે છે કે સોમવારે લગભગ 4 વાગે 2 ફોન આવ્યા હતા. બન્ને ફરિયાદમાં સ્કુલ પર હુમલો થયાની વાત કરવામાં આવી હતી. અહીં પણ ફરિયાદની આગળ શું કાર્યવાહી કરવામાં આવી તે કોલમ ખાલી હતી. કેટલીય ફરિયાદની આગળ ‘શું પગલા ભરાય કે શું કામગીરી કરાઈ’ની કોલમ ખાલી હતી.
અમદાવાદ: ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પર જયપુર જવા માટે તૈયાર ઊભેલા ગોએરના વિમાનમાં કબૂતર ઘૂસી ગયું હતું. આ વિચિત્ર ઘટનાને કારણે તે ફ્લાઈટ અડધો કલાક જેટલી મોડી પડી હતી.
કબૂતરને વિમાનની અંદર ઘૂસી આવેલું જોઈને અંદર બેઠેલા પ્રવાસીઓ ચોંકી ગયા હતા.
આખરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી અને ઘણા પ્રયાસો બાદ કબૂતરને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારપછી વિમાને જયપુર જવા માટે ટેકઓફ્ફ કર્યું હતું.
એ દરમિયાન ઘણા પ્રવાસીઓએ એમના મોબાઈલ ફોન દ્વારા તે ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો, ફોટા પાડ્યા હતા અને સોશિયલ મિડિયા પર શેર કરતાં વાઈરલ થયા છે.
એ ઘટના શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બની હતી. વિમાનને એપ્રન પર લાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓ વારાફરતી વિમાનમાં પ્રવેશ્યા હતા અને પોતપોતાની સીટ પર બેસી ગયા હતા. ફ્લાઈટના દરવાજાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે 4.50 વાગ્યાના નિર્ધારિત સમયે ફ્લાઈટ ઉપડવાની તૈયારી થઈ અને વિમાનને રનવે પર લાવવામાં આવનાર જ હતું કે એક પ્રવાસીએ પોતાની હેન્ડબેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલ્યું કે અંદરથી કબૂતર ઉડીને બહાર આવ્યું હતું. એ જોઈને તે પ્રવાસી તેમજ અન્ય પ્રવાસીઓ ડઘાઈ ગયા હતા.
નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. EPFOના મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. EPFO નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.
પ્રાપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર EPFO માટે આ વર્ષે વ્યાજદરો યથાવત્ દરે રાખવા મુશ્કેલ છે, કેમ કે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FD) બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝથી EPFOની કમાણી પાછલા વર્ષે 50થી 8- બેઝિસ પોઇન્ટ્સ ઘટી છે. જોકે સરકાર આવો કોઈ નિર્ણય નહીં લેવા ઇચ્છે, કેમ કે કર્મચારીઓની વચ્ચે એનાથી પ્રતિકૂળ સંદેશ જાય.
બે NBFC કંપનીમાં નાણાં ફસાયાં
EPFOએ બે NBFCs કંપનોમાં આશરે રૂ. 4,500 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જેમાં દીવાન હાઉસિંગ ફાઇનાન્સ –DHFL) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ- IL&FS) સામેલ છે. આ બંનેને ચુકવણી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. DHFL જ્યાં બેન્કરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસથી પસાર થઈ રહી છે, જ્યારે બીજી બાજુ IL&FSને બચાવવા માટે સરકારી દેખરેખમાં કામ ચાલી રહ્યું છે.
EPFOએ કુલ મળીને રૂ. 18 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જેમાંથી 85 ટકા ડેટ માર્કેટમાં અને 15 ટકા ETF દ્વારા ઈક્વિટીઝમાં રોકાણ કર્યું હતું. EPFOનું માર્ચ, 2019 સુધીમાં ઈક્વિટીઝમાં કુલ રૂ. 64,324 કરોડ હતું. અને 14.74 ટકા રિટર્ન મળ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટિંગમાં EPFOના વિશે નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવશે. EPFOના છ લાખ સક્રિય સબસ્ક્રાઇબર છે.
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલાઓને રોમિયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક ચોરી અને લૂંટના પણ બનાવો બને છે. આથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે રેલવે પોલીસ દ્વારા સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.29 ફેબુ્રઆરીના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે આ એપ્લીકેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થશે.
સિનિયર સિટીઝનો માટે ખાસ તેમાં ટ્રેક માય રૂટની સુવિધા આપવામાં આવી છે. સિનિયર સિટીઝન જ્યારે એકલા ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે ટ્રેક માય રૂટ પર તેમની માહિતી આપશે એટલે પોલીસ સતત સિનિયર સિટીઝનોનું ધ્યાન રાખશે. એક બટન દબાવશે એટલે તરત પોલીસ તેમની મદદ કરશે.
સુરક્ષિત સફર એપ દ્વારા મુસાફરોને 24 કલાક મદદ મળી રહે તે માટે ત્રણ એડમિન પેનલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ અને વડોદરા જિલ્લા કન્ટ્રોલ ખાતે તથા એક એડમિન પેનલ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રેલ્વેઝ કન્ટ્રોલ ખાતે કાર્યરત રહેશે. આ પોલીસ કર્મીઓ 24 કલાક આ એપ્લિકેશનનું મોનિટરિંગ કરશે અને મુસાફરોની ફરીયાદ સમયે ટ્રેન પેટ્રોલિંગના માણસોને સુચના આપશે. તેની સાથે સાથે ફરીયાદ કરનાર મુસાફરનો સંપર્ક કરી તેની ફરીયાદ બાબતે ફીડબેક પણ લેશે.આ એપ દ્વારા મુસાફરો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે અને તે બાબતે જરૂરી અમલ પણ કરવામાં આવશે.
રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓની ફરજો અને કામગીરી તેમજ મુસાફરોની ફરીયાદો બાબતે થયેલી કાર્યવાહી બાબતે સીધું જ સુપરવિઝન રાખવામાં આવશે.
આ પ્રકારની જ સુરક્ષિત સફર(પોલીસ માટે) એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકશેનની મદદથી પોલીસ કમર્ચારીઓની ટ્રેન પ્રેટ્રોલિંગ અસરકારક રીતે થઈ શકશે. જેમાં પોલીસ અધિકારીઓ કૂલીઝ, હોકર્સ, કોચ એટેન્ડન્ટ્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરશે અને તેની માહિતી પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે. જેનાથી કોચમાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર અંકુશ લાવી શકાશે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
વડીલ શ્રી. મને તમારી ઉમર નથી ખબર. પણ તમારા જ્ઞાનના લીધે તમને વડીલ કહું છુ. સામાન્ય રીતે સ્ત્રી પોતાની સાચી ઉંમર નથી જણાવતી. પણ મારે એ જણાવવી જરૂરી છે. મને પચાસ થયા. મારા લગ્ન પચીસમાં વરસે થયા. મારા એ બ્રિટનમાં ભણેલા. અને હું ગામડામાં. બધાને હતું કે કજોડું થશે. પણ મેં ઘણું સાચવી લીધું. એ પહેલીવાર ઘરે જમવા આવ્યા ત્યારે જ મારા પપ્પાએ એમને પારખી લીધા હતા. ધીમું ધીમું બોલે. થોડુંથોડું ખાય અને સામે પુરુષ હોય કે સ્ત્રી શરમ વિના વાતો કરે. અમારા લગ્ન એક સંબંધીએ કરાવ્યા હતા. મારા કરતા વધારે દેખાવડા અને ભણેલા એટલે મને ગમી ગયા. સસરા પણ સદ્ધર અને એકજ દીકરો. અમારા ઘરમાં આખી થાળી પીરસવાનો રીવાજ અને સાસરે ખાલી થાળીમાં જેને જે ફાવે એ લઇ લે.મારા પપ્પાને એ ઓછા ગમે.
અમે કાકા-ફોઈની થઈને પંદર બહેનો. બધા જમાઈ જયારે બહેનોની કુથલી કરે ત્યારે ખાલી મારા એ એકલાજ કઈ ન બોલે. ક્યાંથી બોલે? હું છુ જ એટલી સારી. એની સામે હું અમે બહેનો ભેગી થઈએ એટલે સહુથી વધારે ફરિયાદ કરું, કારણકે એમને કઈ સમજણ જ નથી. મને તીખું ભાવે અને એ તીખું તળેલું ઓછુ ખાય. જમતી વખતે ક્યારેક સારું ન બન્યું હોય તો પણ વખાણ કરે. સ્વાદની સમજ જ નથી. હમણાં મારી કઝીન ઘરે આવી હતી ત્યારે બનેવીએ મજાકમાં કહ્યું કે જીજી તમે એવું તો શું કરો છો કે તમે આવા માણસને આટલા વરસથી સહન કરી શકો છો? અને એમને ખરાબ લાગી ગયું. પહેલી વાર મને કૈક કહ્યું.” જો આવી વાતો બહાર ન કરાય. તારી પણ કેટલીક વાતો મને પસંદ ન હોય. હું ચલાવી લઉં છુ ને?” લ્યો મારી કઈ વાત ખરાબ છે? એમને સ્ત્રી હોય કે પુરુષ મિત્રતા થઇ જાય છે. મેં ક્યારેય વાંધો ઉઠાવ્યો છે? મેં બરાબર ઝગડો કર્યો. હવે મારી સાથે કામ પુરતી વાતો કરે છે. અમારે બાળકો નથી. એ એવું મને છે કે હું બાળકોને સાચવી નહિ શકું. કોઈ ઉપાય આપો જેનાથી એ બરાબર થઇ જાય.
બહેનશ્રી. લગ્નના પચીસ વરસ. એ બહુ મોટી વાત ગણાય. એમાં પણ પરફેક્ટ કજોડું હોય ત્યારે. તમે અને તમારો પરિવાર તમારા સાસરીના પરિવારથી અલગ છો. વિદેશમાં ઉછરેલી વ્યક્તિના વિચારો આધુનીક હોઈ શકે. એમનામાં વિશાળતા છે. જે વ્યક્તિ સહજ છે તે જ અલગ અલગ વ્યક્તિઓ સાથે સમાન ભાવથી રહી શકે છે. તમારા પતિ તમારી જાહેરમાં ફરિયાદ નથી કરતા એ એમની સજ્જનતા છે. હવે તમે એ વાત જાણો છો. તમે એમને ગમતું કરવાના બદલે એમની ખરાબ વાતો કરો છો એ યોગ્ય ન જ ગણાય. તમારા પતિની કોઈ વાત ન ગમે તો એમને કહો. બહાર વાતો કરવાથી શું ફાયદો? માબાપ જયારે પોતાના મંતવ્યો દીકરીના ઘર માટે આપવા પ્રબળ બને છે ત્યારે દીકરીનું ઘર ભાંગી શકે છે. એમની વાતો સાંભળીને નિર્ણય લેવાનું બંધ કરો. સવારની ચા તમારા પતિ બનાવે છે કારણકે એ તમને પ્રેમ કરે છે. નહીકે એ સ્ત્રૈણ છે એટલે. કેટલા પતિ પત્નીને રસોડામાં મદદ કરે છે? અને એ પણ પોતાનો બીઝનેસ સંભાળવાની સાથે? તમે નસીબદાર છો. માફી માંગીને સમાધાન કરી લો. તમારા પોતાના સ્વભાવનો વિચાર કરો. તમને એવું લાગે છે કે એ તમારી માં સાથે વધારે વાત કરે છે એટલે એ બંને વચ્ચે કૈક હશે. આ વધારે પડતું નથી? તમારા કાકા સાથે એમને ફાવે છે એ તમારા પપ્પાને નથી ગમતું. ત્યાં પણ કૈક આવીજ શંકા સેવાઈ રહી છે. વિશ્વાસ કરતા શીખો.માણસને પ્રેમથી જીતાય છે, શંકાઓ કે દાદાગીરીથી નહિ.
તમારા પિયરમાં ઘણાબધા લોકો એક જ ઘરમાં રહે છે. અને તમારી વાત પરથી લાગે છે કે એમાં ઈર્ષા પણ ઘણી છે. એનું મુખ્ય કારણ ઘરમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષીણ બંને અક્ષ નકારાત્મક છે. તમારા પપ્પા અગ્નિમાં સુવે છે. તેથી તેમનો આવો સ્વભાવ છે. તમે વાયવ્યમાં સુતા હતા એટલે તમે પ્રભાવમાં આવી ને લગ્ન કરી લીધા. સાસરીમાં તમારો બેડરૂમ પશ્ચિમમાં છે એટલે તમને વડીલ જેવી લાગણી થઇ રહી છે. અને તમારા પતિને તમે પરિપક્વ નથી લાગતા. નૈરુત્યના બેડરૂમમા સુવાનું રાખો. શિવ લિંગ પર સાથે બેસીને અભિષેક કરો અને ઘરમાં ગુગલનો ધૂપ ફેરવો. અને હા, પતિ જો તમને ગમતું કરતો હોય તો તેને ગમતું કરવાની ઈચ્છા રાખો. એમને તમારી રીતે બદલવા પ્રયત્ન ન કરો. તમે આટલા વરસોમાં બદલાયા છો?