Chitralekha Gujarati – March 09, 2020
રાશિ ભવિષ્ય 28/02/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
અહો આશ્ચર્યમઃ જે આઠ સીટો પર ભાજપ જીત્યો એમાંથી પાંચમાં ભારે તોફાનો
નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન થયેલાં તોફાનોમાં 38 લોકોનાં મોત થયાં છે અને 300થી પણ વધુ ઘાયલ થયા છે. જોકે હાલમાં જ દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી પૂરી થઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે જીતી હતી, પણ એ આશ્ચર્યની વાત છે કે જ્યાંથી ભાજપના ઉમેદવારો જીત્યા છે એ આઠમાંથી પાંચ સીટો પણ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારની છે અને આ તોફાનો મોટે ભાગે એ વિસ્તારોમાં જ થયાં છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારી પણ ઉત્તર-પૂર્વ દિલ્હીના જ સાંસદ છે. 
આ તોફાનો દરમ્યાન હથિયારધારી લોકોએ (તોફાની તત્ત્વો)એ જાફરાબાદ, મૌજપુર, ઘોઁડા, બાબરપુર, ગોકુલપુર, યમુના વિહાર અને ભજનપુરામાં લોકોની માલમિલકતને નિશાન બનાવી હતી. સૌથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કરાવલનગર, ધોંડા, રોહતાસ અને ગાંધીનગર વિધાનસભા ક્ષેત્ર છે. ભાજપે ઉત્તર-પૂર્વમાં ધોંડા, કરાવલનગર, ગાંધીનગર, રોહતાસ અને વિશ્વાસનગરની સીટો જીતી હતી. આ વિસ્તારોમાં પૂર્વાંચલના લોકોની વસતિ ખાસ્સી છે. આમ આ તોફાનો પાછળ રાજકીય કનેક્શન વધારે હોવાનું વધારે લાગી રહ્યું છે.
ગૃહપ્રધાન અમિત શાહે 27 જાન્યુઆરીએ બાબરપુરમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન મતદાતાઓને અપીલ કરી હતી કે ઈવીએમનું મશીન એટલું જોરથી દબાવજો કે એનો કરંટ શાહીનબાગ સુધી લાગે( શાહીનબાગમાં પાછલા બે મહિનાથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે) આ જ બાબરપુર વિધાનસભા ક્ષેત્ર હેઠળ મૌજપુરમાં કપિલ શર્માએ પોલીસને પડકાર ફેંક્યો હતો. અહીંથી ભાજપ ચૂંટણી હારી ગયો હતો. આ ક્ષેત્ર પણ હિંસા પ્રભાવિત ક્ષેત્રમાં સામેલ છે.
પ્રશાંત કિશોર પર ચૂંટણી કેમ્પેનમાં ચોરીનો આરોપ
પટણાઃ ચૂંટણી રણનીતિકાર અને JDUના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર વિરુદ્ધ પટનામાં ગુરુવારે FIR નોંધાઈ છે. પ્રશાંત પર કાર્યક્રમ ‘બાત બિહાર કી’ માટે મોતિહારીના રહેવાસી એન્જિનીયર શાશ્વત ગૌતમનું કન્ટેન્ટ ચોરી કરવાનો આરોપ છે. ગત દિવસોમાં પ્રશાંતે જ આ કાર્યક્રમ બિહારમાં લોન્ચ કર્યો હતો. જેના કારણે પ્રશાંત અને ઓસામા(બીજો આરોપી)વિરુદ્ધ પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 અને 420 એટલે કે છેતરપિંડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રશાંત પર કેસ કરનારા શાશ્વત ગૌતમ પહેલા કોંગ્રેસ માટે કામ કરી ચુક્યા છે. શાશ્વતે એ વખતે ‘બિહાર કી બાત’નામથી એક પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેને ભવિષ્યમાં લોન્ચ કરવાની તૈયારી હતી. આ સાથે શાશ્વત સાથે કામ કરનારા યુવક ઓસામાએ રાજીનામું આપી દીધું હતું. ઓસામા પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તે સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પણ લડી ચુક્યા છે. આરોપ છે કે ઓસામાએ કાર્યક્રમનું બધું કન્ટેન્ટ પ્રશાંત કિશોરને સોંપ્યું હતું. પ્રશાંતે તેને પોતાની વેબસાઈટ પર નાંખ્યું હતું. શાશ્વતે આ અંગે પોલીસને ઘણા પુરાવા પણ સોંપ્યા છે.
પ્રશાંતે આ અંગે કહ્યું કે, એક માણસે બે મિનિટનો પ્રચાર કરવા માટે આ બધુ કર્યું છે. જે પણ તપાસ એજન્સીઓ છે, તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ જેથી સત્ય સામે આવી શકે. પ્રશાંત કિશોરે 20 જાન્યુઆરીએ કાર્યક્રમ ‘બાત બિહાર કી’લોન્ચ કર્યું હતું. પ્રશાંતના આ અભિયાનના કારણે ગણતરીના કલાકોમાં જ ત્રણ લાખથી વધારે લોકો એકઠા થઈ ગયા હતા. પ્રશાંતે કહ્યું હતું કે, આ અભિયાન દ્વારા બિહારને બદલાવી ઈચ્છા રાખનારા યુવાનોને જોડવામાં આવશે. આગામી 100 દિવસોની અંદર અંદર અભિયાનથી 10 લાખ લોકોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અમેરિકા પહોંચીને ટ્રમ્પ પરિવારે ભારત પ્રવાસની યાદોને શેર કરી
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારત આવેલી તેમની દીકરી ઈવાંકા ટ્રમ્પ અમેરિકા પહોંચી છે. અહીંયાથી તે જે વસ્તુ સાથે લઈને ગઈ છે, તે છે સુંદર ક્ષણો, યાદો, અને ફોટોગ્રાફ્સ કે જેને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે જ ઈવાંકાએ ભારતનો આભાર પણ માન્યો છે.
ભારત આવતા પહેલા જ ચર્ચામાં રહેલી ઈવાંકા ટ્રમ્પે અમેરિકા પાછા જઈને તાજમહેલ સામે પડાવેલા ફોટા શેર કર્યા છે. ફોટોઝમાં ઈવાંકા સાથે તેમના પતિ જેરેડ કુશનર પણ દેખાઈ રહ્યા છે. બંન્નેએ પ્રેમની આ નિશાની સામે હાથ પકડીને ફોટા પડાવ્યા છે, જેમાં ઈવાંકા તાજની સુંદરતાને જોઈ રહી છે. ફોટો સાથે ઈવાંકાએ લખ્યું છે કે, “આભાર ભારત”
ભારતથી પોતાના દેશમાં પાછા ફર્યા બાદ ઈવાંકાએ મહેમાનગતી માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું, અમે આપના સુંદર દેશમાં આવ્યા અને અમેરિકા અને ભારતની તાકાત અને એકતાની ઉજવણી કરી. અમે અમારી યાત્રા દરમિયાન અમે માનવીય રચનાત્મકતાની સ્મારકીય ઉપ્લબ્ધિઓ જોઈ.
પ્રથમ મહિલા મેલેનિયાએ પણ આગ્રા તાજમહેલમાં ટ્રમ્પ સાથે પડાવેલા ફોટોઝ અને વિડીયો ટ્વીટ કર્યા. વિડીયો શેર કરતા મેલેનિયાએ લખ્યું કે, વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક, મનમોહક તાજમહેલ.
અમેરિકા પહોંચી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના વખાણ કર્યા. તેમણે ભારતને મહાન દેશ ગણાવતા પોતાના પ્રવાસને સફળ ગણાવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે હતા. તેમણે આ દરમિયાન ભારત સાથે 3 અરબ ડોલરની ડિફેન્સ ડિલ કરી. તેમના માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટનું આયોજન કર્યું છે, જેમાં એક લાખથી વધારે લોકો ઉપસ્થિત હતા.
દિલ્હી હિંસા મુદ્દે રાજકીય ઘમસાણ: ભાજપ અને કોંગ્રેસ આમને-સામને
નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. 
કોંગ્રેસેના આક્ષેપો
દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓના એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ આપ્યું હતું. તેમણે હિંસા પર કાબૂ ના મેળવી શકવા બદલ ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ રાષ્ટ્રપતિને અપીલ કરતાં કહ્યું હતું કે પોતાના પાવર વાપરીને રાજધર્મની રક્ષા કરે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીમાં તોફાનો થતાં હતાં ત્યારે કેન્દ્ર સરકારે કોઈ કાર્યવાહી કરી નહોતી. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં નવી બનેલી કેજરીવાલ સરકારને પણ આડે હાથ લીધી હતી.
ભાજપના પ્રતિઆક્ષેપો
ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કોંગ્સે પર પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ CAAને લઈને લોકોને ભડકાવ્યા હતા. તેમણે કહ્યું કે 1984માં જે રીતે રાજીવ ગાંધીએ લોકોને ભડકાવ્યા હતા એ જ રીતે સોનિયાએ લોકોને ઉશ્કેર્યા હતા. જાવડેકરે આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યા બાબતે આપ પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન અંગે પણ કોંગ્રેસના મૌન વિશે સવાલો ઊભા કર્યા હતા. જાવડેકરે કહ્યું હતું કે આ તોફાનો બે દિવસનાં નથી. બલકે આ માટે બે મહિનાથી લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. 11 ડિસેમ્બરે કાયદો આવ્યો અને 14 ડિસેમ્બરે કોંગ્રેસના સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ આરપારની લડાઈ છે, આ પાર કે પેલે પાર, એનો નિર્ણય કરવો પડશે.
વર્લ્ડ રિચ લિસ્ટમાં મુકેશ અંબાણી એશિયા-ભારતની સૌથી શ્રીમંત વ્યક્તિ
નવી દિલ્હીઃ વિશ્વમાં વ્યાપેલી મંદીની વચ્ચે વર્ષ 2019માં ભારતમાં દર ત્રણ મહિને ત્રણ નવા અબજોપતિ બન્યા છે અને તેમની સાથે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 138ની થઈ છે, જે ચીન અને અમેરિકા સૌથી વધુ છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી દેશના અને એશિયાના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 67 અબજ ડોલર છે, જ્યારે તેઓ વિશ્વના 10 ટોચના શ્રીમંત વ્યક્તિઓમાં નવમા સ્થાને છે, એમ વર્લ્ડ રિચ લિસ્ટમાં જણાવાયું છે.
ભારતમાં 138 અબજપતિ
દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા 138 છે, જે ચીનમાં સૌથી વધુ છે. આ યાદીમાં વિદેશમાં રહેતા ભારતીય મૂળના અબજપતિઓને જોડવામાં આવે તો એ સંખ્યા 170 સુધી પહોંચે.
વિશ્વના સૌથી વધુ શ્રીમંત
વિશ્વમાં એમેઝોનના ચીફ જેફ બેજોસ સતત ત્રીજી વાર આ લિસ્ટમાં ટોપ પર છે. તેમની નેટવર્થ 140 અબજ ડોલર છે. ત્યાર બાદ 107 અબજ ડોલરની સાથે એલએમવીએચના બર્નાર્ડ ઓરનોલ્ટ બીજા ક્રમાંકે અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ 106 અબજ સાથે ચોથા સ્થાને છે. મુકેશ અંબાણી ગલોબલ લિસ્ટ-2020માં નવા સ્થાને છે.
ચીન અને અમેરિકામાં સૌથી વધુ શ્રીમંત
વર્લ્ડ રિચ-2020માં ચીન 799 અબજપતિઓની સંખ્યા સાથે પહેલા સ્થાને છે અને અમેરિકા 626 અબજપતિઓ સાથે બીજા સ્થાને છે. આ યાદી એક અબજ ડોલરથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓની ગણતરીને આધારે આ યાદી બનાવી છે. આ યાદી પ્રમાણે વિશ્વમાં કુલ 2,817 અબજપતિઓ છે.
અદાણી પહેલી વાર ટોપ 100માં

ટોપ-100ની યાદીમાં મુકેશ અંબાણી સિવાય ગૌતમ અદાણી અને શિવ નાડર પરિવાર પણ સામેલ છે. અદાણી અને નાડર સંયુક્ત રીતે 17 અબજ ડોલરની સંપત્તિની સાથે 68મા ક્રમે છે. અદાણી આ ટોપ-100ની યાદીમાં પહેલી વાર આવ્યા છે.
OYO રૂમ્સના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ પણ સામેલ

OYO રૂમ્સના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ અને મેકઅપ કિલી જેનરને યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયોનરના રૂપે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બંનેની નેટવર્થ 1.1 અબજ ડોલર છે.
સૌથી વધુ અબજપતિ મુંબઈમાં
દેશમાં સૌથી વધુ 50 અબજપતિ મુબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગલુરુમાં અને 12 અબજપતિઓ અમદાવાદમાં છે. દેશમાં 27 અબજ ડોલરની સંપત્તિ સાથે એસ. પી. હિન્દુજા પરિવાર બીજા ક્રમાંકે અને 17 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી ત્રીજા ક્રમાંકે છે. કોટક બેન્કના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડોલર છે અને તેઓ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં અત્યારે શાંતિનો માહોલઃ હિંસામાં 32 ના મોત, 200 ઘાયલ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં થયેલી હિંસામાં 32 લોકોના મોત થયા છે અને ગઈકાલે તો માહોલ શાંત રહ્યો પરંતુ કેટલીક દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી અને ગુપ્તચર બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો. પોલીસે ફ્લેગ માર્ચ કરી અને સોમવારની રાતથી ભડકેલી હિંસા પર લગામ લગાવવા માટે રાધાની દિલ્હીના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સુરક્ષા દળો દરેક જગ્યાએ ગોઠવાઈ ગયા. દિલ્હીમાં હિંસાની ઘટનાઓ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ અને ભાઈચારો રાખવા માટે અપીલ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વર્તમાન સ્થિતિની ગહન સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે, એ મહત્વપૂર્ણ છે કે જલ્દી શાંતિ અને સામાન્ય સ્થિતિ બને.
- વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, દિલ્હીના વિભિન્ન ભાગોમાં વર્તમાન સ્થિતિની ગહન સમીક્ષા કરી. પોલીસ અને અન્ય એજન્સીઓ સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. મોદીએ કહ્યું કે, આપણા સંસ્કારના મૂળમાં શાંતિ, સોહાર્દ છે. હું દિલ્હીના બહેનો અને ભાઈઓને શાંતિ અને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરું છું.
- રાજધાની દિલ્હીમાં સ્થિતિ નિયંત્રિત કરવાનું કામ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આપવામાં આવ્યું છે. ડોભાલે જે-તે વિસ્તારમાં જઈને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી છે. તેમણે જ કહ્યું કે, જલ્દી જ શાંતિ સ્થપાશે. દિલ્હી પોલીસના અધિકારી અમૂલ્ય પટનાયક તેમજ નવ નિયુક્ત સ્પેશિયલ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવ સાથે તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.
- આ વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું કે, હિંસામાં કથિત ભાગીદારીને લઈને 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 18 પ્રાથમિક ફરિયાદો નોંધવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનદીપ સિંહ રંધાવાએ માહિતી આપતા કહ્યું કે, બુધવારના રોજ કોઈ અઘટિત ઘટના સામે આવી નથી અને ઉત્તર પૂર્વ દિલ્હીથી પીસીઆર કોલ ઓછા થયા છે. હિંસાના ત્રીજા દિવસે મૃતકની સંખ્યા વધીને બુધવારના રોજ 27 થઈ ગઈ હતી. જો કે આજે હોસ્પિટલ દ્વારા મળેલી જાણકારી અનુસાર ચાર વધારે લોકોના મોત થયા છે. ત્યારે આવામાં હિંસામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 32 જેટલી થઈ ગઈ છે. મૃતકોની સંખ્યા અથવા 200 લોકો ઘાયલ થવાનો આંકડો પોલીસ વિભાગને મળ્યો નથી પરંતુ હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ માહિતી મળી છે.
- ઉત્તર પૂર્વ દિલ્હીની સ્થિતિને ખતરનાક ગણાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્થિતિ ચિંતાજનક છે અને પોલીસના તમામ પ્રયત્નો છતા પણ સ્થિતિ સંભાળવામાં અને લોકોને ભરોસો કાયમ કરવામાં નિષ્ફળ રહી છે.
- અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારમાં નાળામાંથી મળી આવ્યો છે કે જ્યાં તેઓ રહેતા હતા. તેમની ઓળખ અંકિત શર્મા તરીકે થઈ છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે શર્માનું મૃત્યુ પથ્થરમારામાં થયું હશે. તેમણે હિંસામાં માર્યા ગયેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલના પરિવારને એક કરોડ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
- સંવેદનશીલ વિસ્તારમાં શાળા અને દુકાનો બંધ રહ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો છવાયો છે. પોલીસે જાહેરાત કરી છે કે, કોઈને પણ પોતાના ઘરથી બહાર ન નિકળવું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારના રોજ થનારી બારમા ધોરણની સીબીએસઈ બોર્ડની અંગ્રેજીની પરિક્ષા રદ્દ કરવામાં આવી છે. ચાંદ બાગમાં મોટા પાયે સુરક્ષા દળોને તેનાત કરવામાં આવ્યા છે અને કોઈપણને બહાર આવવા દેવામાં આવી રહ્યા નથી.
- ગોકલપુરીમાં લોકોએ દુકાનોને આગ લગાવી જેનાથી આકાશમાં ધુમાડાના જાણે વાદળો બંધાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુકાનોની સાથે લોકોની આજીવિકા પણ લૂંટાઈ ગઈ છે. કેટલાય લોકો પોતાનું ઘર છોડ્યું છે. તેમાંથી એક પરિવાર હતો કે જેણે પાછું આવવાનું કહ્યું પરંતુ ક્યારે પાછું અવાશે તે નક્કી નથી.
- દિલ્હી હિંસા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારને જવાબદાર ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસાને લઈને બુધવારના રોજ ગૃહમંત્રી અમિત શાહને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે કહ્યું કે, આનું ષડયંત્ર દિલ્હી ચૂંટણી સમયે જ દેખાયું હતું અને ભાજપા નેતાઓએ ધૃણાસ્પદ ભાષણ આપ્યા અને ડરનો માહોલ બનાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસા માટે અમિત શાહે જવાબદારી લેવી જોઈએ અને તેમણે પદ પરથી રાજીનામું આપવું જોઈએ. બીજી બાજુ મામલાનું રાજનીતિકરણ કરવા માટે ભાજપે સોનિયા ગાંધીની ટીકા કરી છે.
- ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વી દિલ્હીમાં સંશોધિત નાગરિકતા કાયદાનું સમર્થન કરનારા અને વિરોધ કરનારા સમૂહો વચ્ચે સંઘર્ષે સાંપ્રદાયિક રંગ લઈ લીધો હતો. ઉપદ્રવિઓએ ઘણા ઘરો, દુકાનો તેમજ વાહનોમાં આગ લગાવી દિધી અને એક-બીજા પર પથ્થરમારો કર્યો.
ટ્રમ્પના દિલ્હીના નિવેદનની પ્રતિક્રિયા આપતાં બર્ની સેન્ડર્સે કહ્યું, ફેઇલ્યોર ઓફ લીડરશિપ
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે દિવસે દિલ્હીમાં હતા, એ દિવસે દિલ્હીનાં તોફાનો એની ચરમસીમા પર હતાં. સાંજે પત્રકાર પરિષદમાં ટ્રમ્પને જ્યારે દિલ્હી હિંસા વિશે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે આને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો અને તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારન પ્રભળ દાવેદાર અને અમેરિકી સેનેટર્સ બર્ની સેન્ડર્સે ટ્રમ્પની તીખી આલોચના કરી હતી.
બર્ની સેન્ડર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે 20 કરોડથી વધુ મુસલમાન ભારતને પોતાનું ઘર કહે છે. દિલ્હીનાં તોફાનોમાં અત્યાર સુધીમાં કમસે કમ 27 35 લોકો માર્યા હતા અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે એ માનવ અધિકારો પર નેતૃત્વની નિષ્ફળતા છે.

બીજી બાજુ આંતરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલા સંબંધી અમેરિકી પંચ (USCIRF)એ દિલ્હીમાં હિંસા પર ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે ભારત સરકારને પોતાના નાગરિકોની સુરક્ષા માટે ત્વરિત કાર્યવાહી કરવાની અપીલ છે. પંચના અધ્યક્ષ ટોની પર્કિસે અક નિવેદનમાં કહ્યું હતું કે અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે એ હિંસાનો શિકાર થયેલા લોકો અને અન્ય લોકોને સલામતી પૂરી પાડવા નક્કર પ્રયાસો કરે.
દિલ્હીમાં CAAને લઇને થયેલા તોફાનોમમાં અત્યાર સુધી 35 લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે દિલ્હી પોલસે 18 એફઆઇઆર નોંધી છે અને 100થી વધુ લોકોની ધરપકડ કરી છે.




