Home Blog Page 4977

નમસ્તે ટ્રમ્પ: ન કામ, ન ઠામ ને તો ય બની અભિવાદન સમિતિ!!

અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઇ એક પછી એક રસપ્રદ વળાંક આવી રહ્યા છે. અગાઉ ટ્રમ્પના હસ્તે સ્ટેડિયમનું લોકાર્પણ કરાશે તેવી ચર્ચા હતી, જોકે હવે ફક્ત સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ભપકાદાર રીતે ઊજવાશે. ઉપરાંત ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ પણ અનેક પ્રકારની દ્વીધાઓ હજુ પણ ઊભી છે. આ બધી બાબતો વચ્ચે 21 ફેબ્રુઆરીએ બપોરે મેયરની અધ્યક્ષતા હેઠળ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના કરાતાં સમગ્ર મ્યુનિ. વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.

તે પછી 22 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિના ચેરપર્સન મેયર બિજલ પટેલ ઉપરાંત સભ્યો બે સાંસદ હસમુખ પટેલ, ડૉ.કિરીટ સોલંકી, પદ્મભૂષણ અને આર્કિટેક્ટ બી.વી. દોશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બુચ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યાં હતાં. માત્ર 10 મિનિટમાં જ આ બેઠક સમેટાઈ ગઈ હતી. આ બેઠક અંગે સમિતિના ચેરમેન સહિત કોઈપણ સભ્યએ વધુ વિગતો આપવાની ના પાડી રવાના થઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ, આ સમિતિમાં લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા GTUના કુલપતિ ડૉ.નવીન શેઠ પણ છે, પરંતુ તેઓ ગેરહાજર રહ્યાં હતા.

સમિતિના ચેરપર્સન બિજલ પટેલ હાલ અમદાવાદ શહેરના મેયર છે. જ્યારે બી.વી. દોશી વિશ્વ વિખ્યાત આર્કીટેક્ટ છે અને તાજેતરમાં જ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. હિમાંશુ પંડ્યા રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે. જ્યારે દુર્ગેશ બૂચ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિની સાથે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ છે. હસમુખ પટેલ હાલ અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ છે. જ્યારે ડૉ.કિરીટ સોલંકી જાણીતા તબીબની સાથે અમદાવાદ પશ્ચિમના ભાજપના સાંસદ છે. તેમજ ભીખુદાન ગઢવી ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર છે અને તેઓને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.નવીન શેઠ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ છે.

જજનો પુત્ર વારિસ પઠાણ સલમાનનો વકીલ ય રહી ચૂક્યો છે

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન(AIMIM)ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ, જેમણે ગઈકાલે જ કર્ણાટકમાં આપેલા નિવેદનને લઈને વિવાધ છેડાયો છે, તે તેમના ભડકાઉ ભાષણોને જાણીતા છે. 53 વર્ષીય પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ મુંબઈના બ્રાંદ્રા વિસ્તામાં મોટા થયા છે અને તેમના પિતા મુંબઈમાં નારકોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબ્સટાસેઝ એક્ટ (NDPS)ના જજ હતા.

વારિસ પઠાણ વ્યવસાયે વકીલ છે અને જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાનના વકીલ પણ છે. મુંબઈના આઝાદ મેદાનમાં થયેલી હિંસમાં ધરપકડ કરાયેલા મુસ્લિમ યુવકોનો કેસ પણ વારિસ જ લડી રહ્યો હતો. વારિસ પઠાણની રાજનીતિમાં એન્ટ્રી 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે થઈ. તેમણે પ્રથમ વખત બાઈકુલા વિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત પણ મેળવી.

આ ચૂંટણીમાં જીત મેળવ્યા પછીથી વારિસ પઠાણ ટીવી ન્યૂઝ ચેનલ્સ પર ડિબેટ કાર્યક્રમોમાં દેખાવા લાગ્યા. જેમાં તે તેમની આક્રામક શૈલી અને ભડકાઉ નિવેદનો માટે ઓળખાવા લાગ્યા. વારિસ પઠાણ સોશિયલ મીડિયા પર પણ ઘણો સક્રિય છે અને તેમને મોંઘી ગાડીઓનો શોખ છે. વારિસ પઠાણ પ્રથમ વખત વિવાદમાં ત્યારે આવ્યો જ્યારે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારત માતા કી જય બોલવાથી ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે વારિસ પઠાણને આખા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

વારિસ પઠાણ હંમેશાથી ભાજપનો કટ્ટર વિરોધી રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક વખત નિવેદનો આપ્યા છે. વારિસ પઠાણનો બાઈકુલાથી ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ સંતોષજનક નથી રહ્યો. અને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમણે શિવસેનાની યામિની જાધવની સામે હારનો સામનો કરવો પડયો.

2014માં ધારાસભ્ય બન્યા પછી વારિસ પઠાણની સંપત્તિમાં અધધ વધારો નોંધાયો. 2014માં તેમની કુલ સંપત્તિ 3.6 કરોડ રૂપિયા હતી જે 2019માં વધીને 15.80 કરોડ થઈ ગઈ. 2019ની ચૂંટણી લડનારા તમામ નેતાઓની સંપત્તિમાં થયેલા વધારામાં આ સૌથી મોટો વધારો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં એઆઈએમઆઈએમ પાર્ટીએ તેમના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું છે કે, વારિસ પઠાણે તાજેતરમાં જ કર્ણાટકના કલબુર્ગીમાં આયોજીત એક જનસભામાં કહ્યું હતું કે, 15 કરોડ મુસ્લિમ 100 કરોડ લોકો પર ભારે પડશે.

મહારાષ્ટ્રમાં હવે સરકાર-ગવર્નર વચ્ચે ટસલ શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ લોકો વચ્ચે સીધા ગામના સરપંચ ચૂંટાવાના નિર્ણયને પલટનારા અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે. મહારાષ્ટ્રમાં પૂર્વની ભાજપ સરકારે નિર્ણય કર્યો હતો કે ગામડાના સરપંચોને જ્યારે સીધા જ લોકો વચ્ચે જ ચૂંટવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહાવિકાસ અઘાડી સરકાર પૂર્વ સરકારના નિર્ણયને પલટતા અધ્યદેશ લાવ્યા હતા કે સરપંચ એક ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ચૂંટવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે 29 જાન્યુઆરીના રોજ દેવેન્દ્ર ફડણવીસ સરકારના સીધા સરપંચ ચૂંટવાના નિર્ણયને પલટ્યો હતો. પરંતુ રાજ્યપાલે એમવીએ સરકારને સોમવારથી શરુ થનારા વિધાનસભા બજેટ સત્રમાં નિર્ણયને પલટનારું વિધેયક રજૂ કરવા માટે કહ્યું છે.

તાજેતરમાં કેબિનેટના નિર્ણય અનુસાર, સરપંચને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ચૂંટવામાં આવશે. ઠાકરેએ નગરપાલિકા પરિષદો જેવા સ્થાનીય સ્વ-સરકારી સંસ્થાઓમાં ડાયરેક્ટ ઈલેક્શનને લઈને કરવામાં આવેલા ભાજપ સરકારના એક વધુ નિર્ણયને પલટી દીધો છે.

આનંદો! સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું!!

સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે 3000 ટન સોનું હોવાનું માલૂમ પડ્યું છે. જે દેશના હાલના સોનાના અનામત જથ્થાના પાંચ ગણું છે. ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગને આશરે સાડાચાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બે સ્થળોએ સોનાની ખાણો મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ જમીન વન વિભાગની છે, જ્યારે કેટલોક ભાગ ખાનગી માલિકીનો છે.

 GSIએ આ વિસ્તારમાં 1992-93માં સોનું શોધવાનું શરૂ કર્યું

ખનિજ વિભાગના અધિકારી કેકે રાયે જણાવ્યું હતું કે GSIએ વર્ષ 1992-93થી જ સોનભદ્રમાં સોનું ખોળવાનું શરૂ કર્યું હતું. હવે આ બ્લોકોની લિલામીનું કામ ઈટેન્ડરિંગ માટે જલદી શરૂ કરવામાં આવશે. સોન પહાડમાં જમીનની નીચે આશેર 2,943.26 ટન અને હરદી બ્લોકમાં 646.16 કિલોગ્રામ સોનું હોવાનું અનુમાન છે સોના સિવાય આ કેટલાંક અન્ય ખનિજ તત્ત્વ પણ આ વિસ્તારમાં મળી આવ્યા છે. સોનાની અનામતો કરતાં પાંચ ગણું સોનું

સોનભદ્રમાં મળી આવેલું સોનું ભારતના કુલ સોનાના ભંડારથી પાંચ ગણું છે, જેની કિંમત આશરે રૂ. 12 લાખ કરોડ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ભારત પાસે અત્યારે 626 ટન ગોલ્ડ રિઝર્વ છે.

સોનભદ્રમાં મળેલી સોનાની ખાણની પાસે વિશ્વના સૌથી ઝેરીલા સાંપો

સોનભદ્ર પાસે મળી આવેલી ખાણો પાસે વિશ્વના સૌથી ઝેરીલા સાપોનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકો અનુસાર સોનભદ્રની સોન પહાડી ક્ષેત્રમાં સાપનીત્રણ પ્રજાતિઓ એટલી ઝેરીલી છે કે કોઈને કરડી જાય તો તેને બચાવવો સંભવ નથી.

 

 

 

 

જેલ મેનેજમેન્ટે કોર્ટને આપ્યા પુરાવાઃ કહ્યું, વિનય માનસિક બિમાર નથી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિત વિનય શર્માએ થોડા દિવસ પહેલા ગમે તે રીતે મોતથી બચવા માટે એક નવું તરકટ કર્યું હતું. વિનયે જેલની દિવાલ સાથે માથું પછાડી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. ત્યારે આજે વિનયની અરજી મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં વિનયને માનસિક બીમાર જણાવીને તેની સારવાર કરાવવાની માંગ કરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન તિહાડ જેલ મેનેજમેન્ટ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વિનયને આ પ્રકારની કોઈ બિમારી નથી.

તાજેતરમાં જ તેણે બે વખત પોતાની માં સાથે ફોન પર વાત કરી છે, ત્યારે આવામાં તેના વકીલ કેવી રીતે કહી શકે કે, વિનય લોકોને ઓળખી શકતો નથી? જ્યાં સુધી વિનયને ઈજા થવાની વાત છે તો તેણે પોતાનું માથુ ફોડ્યું છે. તિહાડ જેલ મેનેજમેન્ટ દ્વારા કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા. જો કે બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે વિનયની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.  

તો સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જવાબ દાખલ કરતા કહેવામાં આવ્યું કે, દોષિત વિનય શર્માએ 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથુ દિવાલ સાથે પછાડ્યું હતું, બાદમાં તેને તાત્કાલિક સારવાર ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી. પોતાના પક્ષને મજબૂતીથી કોર્ટ સમક્ષ રજૂ કરતા તિહાડ જેલ મેનેજમેન્ટે ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યા હતા.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે વિનય શર્માના વકીલના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે વિનયે તાજેતરમાં જ તેની માતા સાથે ફોન પર બે વાર વાતચિત કરી હતી અને તેના વકીલ સાથે પણ ફોન દ્વારા વાતચીત કરી હતી. અને એટલા માટે જ વિનયનો આ દાવો ખોટો સાબિત થઈ જાય છે કે તે કોઈને ઓળખી શકતો નથી અને માનકિસ રીતે બિમાર છે.

રામ મંદિર VHPના 30 વર્ષ જૂના ‘મોડલ’ આધારિત બનાવાશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જૂની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર દ્વારા નવા રચાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ વાતની પુષ્ટિ કરી હતી. જે મોડલ પર રામ મંદિરનું નિર્માણ થવાનું છે. એનાથી રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ ન્યાસની રચના 1985માં રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરમાં 424 પિલર ઊભા કરાશે. જેનું માપ 16 ફૂટ હશે. છત નક્શીદાર  હશે અને રામલલ્લા માટે એક ભવ્ય સિંહાસન પણ બનાવવામાં આવશે. રામ મંદિર પરિસરમાં સીતા, રસોઈ ધર્મશાળા, ભજન માટે અલગ પરિસર, એક સિંહ દ્વાર, અને સાંસ્કૃતિક કાર્યક્રમો એક રંગ મંડપ પણ હશે.

 આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ ડિઝાઇન તૈયાર કરી

અહીં એ ઉલ્લેખનીય છે કે વર્ષ 1987માં વિહિપના તત્કાલીન અધ્યક્ષ અશોક સિંઘલના કહેવા મુજબ ડિઝાઇન બનાવવા માટે મશહૂર આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. આમાં મંદિરના નિર્માણમાં આશરે 1.75 લાખ ઘન ફૂટ પથ્થરની જરૂર બતાવવામાં આવી હતી.

મંદિરની ડિઝાઇન અનુસાર રામ મંદિર ભગવાન વિષ્ણુની પસંદગીની અષ્ટકોણીય આકારમાં નાગર શૈલીમાં બનાવવામાં આવશે. આ ડિઝાઇન મુજબ મંદિરની લંબાઈ 270 ફૂટ, પહોળાઈ 135 ફૂટ અને ઊંચાઊ 125 ફૂટ દર્શાવવામાં આવી છે. દરેક માળે 106 સ્તંભ હશે. પહેલા માળના સ્તંભની લંબાઈ  16.5 ફૂટ અને બીજા માળે 14.5 ફૂટ હશે. મંદિરમાં સંગેમરમરની ફ્રેમ અને લાકડીના દરવાજાનો ઉપયોગ કરવામાં આવશે.

ટ્રસ્ટે કહ્યું, મોડું ના થાય એટલે જૂની ડિઝાઇન

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવુું છે કે રામ મંદિર નિર્માણમાં મોડું ના થાય એટલે હાલના મોડલ અનુસાર જ મંદિર નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોડલ અનુસાર મંદિર બે માળનું હશે. ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે મંદિરની ડિઝાઇનમાં કોઈ પણ બદલાવ જેવો કે મંદિરની ઊંચાઈ વધારવી કે પછી ત્રીજો માળ બનાવવા એ નિર્ણય પછી લેવામાં આવશે.

 

ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવાનું મુખ્યમંત્રીનું આહ્વાન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી આજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી રાષ્ટ્ર સ્વાભિમાન- ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવા માટે પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવનાર પડકારોને પહોંચી વળવાની સજ્જતા કેળવી વિશ્વ સાથે બરોબરી કરતી યુવા વ્યક્તિના ભરોસે જ પ્રધાનમંત્રીએ નયા ભારતના નિર્માણનો સંકલ્પ સંજોયો છે તે રાષ્ટ્રના સ્વાભિમાનથી પાર પાડવો છે. મુખ્યમંત્રીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણથી ભારત માતાને વિશ્વ ગુરૂ બનાવવાનું કર્તવ્ય હવે યુવા છાત્રોએ પોતાના જ્ઞાનનો માનવજાતના-સમાજના કલ્યાણ માટે વિનિયોગ કરીને અદા કરવાનું છે.

મુખ્યમંત્રીએ ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવતી આ નવી યુવા છાત્રપેઢી પોતાના વિચાર,આચાર અને નવોન્મેષી વાતાવરણથી તરબતર છે તેનો ઉમંગ અને વિશ્વાસ જ ભારત માતાના માન બિંદુઓ, કિર્તી વિશ્વમાં ઉન્નત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે પ્રાચીન વિશ્વમાં નાલંદા,વલ્લભી અને તક્ષશિલા જેવી વિધાપીઠમાં વિશ્વના દેશોના યુવાઓ જ્ઞાન કૌશલ્ય માટે આવતા તેનો મહિમા પૂન:પ્રસ્થાપિત કરી સમયાનુકુલ જ્ઞાન-શિક્ષા દિક્ષા માટે હવે વિશ્વના છાત્રો ભારત આવે તેવું વાતાવરણ ઉભું થયું છે તેમ દઢ્ઢતાપુર્વક જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે સમયના પ્રવાહો સાથે તાલ મિલાવતી શિક્ષા-દિક્ષા પ્રણાલિઓ વિકસાવીને સેકટરલ યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ-ઇનોવેશન, સ્કીલ ડેવલપમેન્ટ તથા રિસર્ચ કરનારા પીએચ.ડી છાત્રો માટે “શોધ” યોજના અંતર્ગત સ્ટાઇપેન્ડથી ગુજરાતે દેશમાં શિક્ષણ ક્ષેત્રે લીડ લીધી છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે પદવી પ્રાપ્ત છાત્રોને સમગ્ર ગુજરાતની જનતા- જનાર્દન વતી અભિનંદન પાઠવતાં આ શિક્ષા-દિક્ષા સમાજ શ્રેયાર્થે પ્રેરણાદાયી કદમ બને તેવી શુભેચ્છાઓ આપી હતી.

પહેલાં આતંકવાદનો સફાયો જરૂરીઃ અંકલ સેમે પાકને સંભળાવ્યું

વોશિંગ્ટનઃ ભારત પ્રવાસના પહેલાં અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાતના ઠીક બે દિવસ પહેલાં વ્હાઇટ હાઉસે ભાર દઈને કહ્યું હતું કે બંને પડોશી દેશો (ભારત અને પાકિસ્તાન) વચ્ચે સફળ વાતચીત ત્યારે જ સંભવ થશે, જ્યારે પાકિસ્તાન પોતાની જમીન પર પોષી રહેલા આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓનો પર સકંજો કસશે. પાછલા વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી ગયું હતું. ભારતના નિર્ણયની સામે પાકિસ્તાને તીખી પ્રતિક્રિયાઓ આપી હતી, જે પછી પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધોને ઓછા કર્યા હતા અને ભારતીય રાજદૂતને પાકિસ્તાનમાંથી પાછા મોકલી આપ્યા હતા.

ભારત-પાક સંબંધો અંગે વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા

ટ્રમ્પની આગામી ભારત યાત્રા દરમ્યાન કાશ્મીર મુદ્દે ફરી મધ્યસ્થતાની રજૂઆત કર્યાના સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વાઇટ હાઉસના એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મને લાગે છે કે તમે રાષ્ટ્રપતિ પાસેથી જે સાંભળશો, એ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવા ઘણું પ્રોત્સાહક હશે. તેમનું સંબોધન બંને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા અને એકબીજાની સાથે દ્વિપક્ષી વાટાઘાટ માટે બહુ મહત્ત્વના રહેશે.

પાકિસ્તાન આંતકવાદીઓ પર લગામ તાણે

વાઇટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે અમારું હંમેશાં માનવું છે કે બંને દેશો (ભારત-પાકિસ્તાન)ની વચ્ચે સફળ વાટાઘાટ ત્યારે જ સંભવ બનશે જ્યારે પાકિસ્તાન તેની જમીન પર ફૂલીફાલી રહેલા આંતકવાદનો સફાયો કરે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશોથી નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા બનાવવા માટે એવા કાર્યવાહી અને નિવેદનોથી બચવા માટે રજૂઆત કરશે, જેથી આ ક્ષેત્રમાં ટેન્શન વધે નહીં.

 

મારું ચાલે તો હું આ ગીતો પર ટ્રમ્પને પણ નચાવું: કૈલાશ ખેર

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ ખાતે આવશે, જેને લઈને અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગત માટે સજ્જ છે. કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર પરફોર્મન્સ આપવાના છે.

કૈલાશ ખેરે જણાવ્યું કે ટ્રમ્પના સ્વાગત માટે તે ‘જય જય કારા, સ્વામી દેના સાથ હમારા’ ગીતથી કાર્યક્રમની શરૂઆત થશે અને ‘અગડ બમ-બમ લહેરી’થી કાર્યક્રમની પૂર્ણ થશે. કાર્યક્રમને લઈ કૈલાશ ખેર પણ ખૂબ ઉત્સાહિત છે.

તેમના આ પરફોર્મન્સને લઈને કૈલાશ ખેરે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારું ચાલે તો હું આ ગીત પર ટ્રમ્પને પણ નચાઉં. કૈલાસ ખેરે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂનો વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કસરત કરો ને પ્લેટફોર્મ ટીકિટ ફ્રી મેળવો!!

નવી દિલ્હીઃ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફ્રી માં પ્લેટફોર્મ ટિકીટ મેળવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આ સ્ટેશન પર જો તમારે ફ્રી માં પ્લેટફોર્મ ટિકીટ મેળવવી હોય તો તમારે 30 દંડ લગાવવા પડશે. રેલવેએ ફિટ ઈન્ડિયા ઝુંબેશની શરુઆત કરી છે. આનંદ વિહાર સ્ટેશન પર દંડ બેઠક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન સામે 30 દંડ (ઉઠક-બેઠક) મારવારથી તે મશીનમાંથી જાતે જ પ્લેટફોર્મ ટિકીટ નિકળશે. આ ઝુંબેશ અંતર્ગત રેલવેએ સ્ટેશન પર “દવા દોસ્ત” નામની દુકાન ખોલી છે કે જેમાં યાત્રીઓને જેનેરિક દવાઓ વેચવામાં આવશે. રેલવે મંત્રીએ આ મામલે જાણકારી શેર કરતા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યું કે, ફિટનેસ સાથે બચત પણ. દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંયા લગાવવામાં આવેલા મશીન સામે એક્સસાઈઝ કરવા પર પ્લેટફોર્મ ટિકીટ મફત મેળવી શકાશે.

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, દવા દોસ્તનું લક્ષ્ય ભારતીયો માટે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળને સરળ બનાવવાનું અને લોકોને ઉચ્ચ ગુણવત્તા વાળી સસ્તી દવાઓ ઉપ્લબ્ધ કરાવીને સ્વાસ્થ પરના તેમના ખર્ચને બચાવવાનું છે. દવા દોસ્ત જેનરિક દવાઓના ઉપયોગ માટે ભારતીય સરકારના વલણનું સમર્થન કરે છે. ફર્મની અત્યારે રાજસ્થા અને દિલ્હીમાં 10 જેટલી દુકાનો છે. આવતા એક વર્ષમાં આની સંખ્યા વધારીને 100 અને બાદમાં 1000 કરવાની યોજના છે.