નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેસે જમ્મૂ-કાશ્મીર બાદ હવે નાગરિકતા સંશોધન કાયદાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટના કારણે વીસ લાખ લોકોને દેશ વિહીન થવાનું સંકટ છે, આમાંથી મોટાભાગના મુસ્લિમો છે. તેમણે કહ્યું કે, મને આને લઈને ચિંતા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેસન દ્વારા જમ્મૂ-કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદન બાદ ભારતે કહ્યું હતું કે, તે ક્ષેત્ર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે તેમજ જે મુદ્દે ધ્યાન આપવાની સૌથી વધારે જરુર છે, તે છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને જબરદસ્તી કબ્જે કરવામાં આવેલા ક્ષેત્રનું સમાધાન કરવાનું. પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર પહોંચેલા ગુટરેસે જમ્મૂ-કાશ્મીરને લઈને બંન્ને દેશો વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની ભૂમિકા નથી.
રવીશનું આ નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુટરેસના એ નિવેદન બાદ સામે આવ્યું હતું કે, જેમાં તેમણે જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના પ્રવાસ પર આવેલા ગુટરેસે કહ્યું હતું કે, જો બંન્ને દેશ સહમત હોય તો તે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને તેની દેખરેખ માટે દિલ્હીમાં થનારી શ્રીરામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહંત નૃત્ય ગોપાલ દાસ અને વીએચપી નેતા ચંપત રાય જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં શામિલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રામ જન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવામાં આવી શકે છે. મહંત નૃત્ય ગોપાલ દાસ રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનારા લોકો પૈકી એક છે. તેઓ સતત મંદિર નિર્માણ માટે થનારા કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવતા રહ્યા છે. તેમની આગેવાનીમાં લાંબા સમયથી રામ મંદિર નિર્માણ માટે ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસ બાબરી વિધ્વંસના આરોપી છે અને લખનઉની સીબીઆઈ કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ટ્રસ્ટની જાહેરાત કરી હતી ત્યારે તેમાં ટ્રસ્ટીઓના લિસ્ટમાં મહંત નૃત્યગોપાલ દાસનું નામ ન હોવું તે ચોંકાવનારી બાબત હતી. પોતાને ટ્રસ્ટમાં શામિલ ન કરવામાં આવ્યા તે વાતને લઈને નૃત્યગોપાલ દાસ નારાજ થઈ ગયા હતા, બાદમાં ભાજપના નેતાઓએ તેમને મનાવવા માટે અયોધ્યા જવું પડ્યું હતું. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય પણ રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. અત્યારે રાય અયોધ્યામાં જ રહી રહ્યા છે અને વીએચપીના કામને વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ ચંપત રાયે દાવો કર્યો હતો કે રામ મંદિરનું નિર્માણ વીએચપીના જ મોડલ પર થશે.
ગુવાહાટીઃ વાત છે અસમની. એક એવી મહિલા કે જેણે પોતાની અને પોતાના પતિની નાગરિકતા સાબિત કરવા માટે 15 પ્રકારના દસ્તાવેજ રજૂ કર્યા, પરંતુ તે ફોરેનર્સ ટ્રિબ્યૂનલમાં હારી ગઈ. આ નિર્ણયને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો તો, ત્યાં પણ હારી ગઈ. હવે તે જીવનથી હારતી દેખાઈ રહી છે. તમામ પૈસા તેના કેસ લડવામાં ખર્ચાઈ ગયા છે. પતિ બિમાર છે, દિકરી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. દોઢસો રુપિયાના રોજમાં કેમ ચાલશે તે પ્રશ્ન હવે તેને સતાવી રહ્યો છે. તેની નાગરિકતા જતી રહી છે. પતિ-પત્ની એક-એક ક્ષણ ડરમાં વિતાવી રહ્યા છે. અસમમાં રહેનારી 50 વર્ષની આ મહિલા કે જે ખૂબ મુશ્કેલીથી પોતાના પરિવારને પાળી રહી છે, તે ખુદને ભારતીય નાગરિક સાબિત કરવાની લડાઈ એકલી જ લડી રહી છે. ટ્રિબ્યૂનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલી જાબેદા બેગમ હાઈકોર્ટમાં પોતાની લડાઈ હારી ચૂકી છે અને સુપ્રીમ કોર્ટ તેની પહોંચથી ખૂબ દૂર છે. જબેદા ગુવાહાટીથી આશરે 100 કિલોમીટર દૂર બક્સા જિલ્લામાં રહે છે. તે પોતાના પરિવારની એકમાત્ર સભ્ય છે કે જે કમાય છે. તેમના પતિ રજાક અલી લાંબા સમયથી બીમાર છે. દંપતીની ત્રણ દિકરીઓ હતી જેમાં એકનું દુર્ઘટનામાં મોત થયું અને એક અન્ય ગુમ થઈ ગઈ. સૌથી નાની અસ્મિના પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.
જાબેદા અસ્મિનાના ભવિષ્યને લઈને વધારે પરેશાન રહે છે. તેની કમાણીનો મોટાભાગનો હિસ્સો તેની કાયદાકીય લડાઈમાં ખર્ચ થઈ જાય છે, ત્યારે આવામાં તેની દિકરીએ ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડે છે. જાબેદાનું કહેવું છે કે, મને ચિંતા છે કે મારા ગયા પછી તેનું શું થશે? હું હવે હિંમત હારી ચૂકી છું.
ગોયાબારી ગામની રહેનારી મહિલાને ટ્રિબ્યૂનલે 2018 માં વિદેશી જાહેર કરી દિધી હતી. હાઈકોર્ટે પોતાના ગત આદેશોમાંથી એકનો હવાલો આપતા કહ્યું કે, મારા દ્વારા જમા કરવામાં આવેલા કાગળીયા જમિન મહેસૂલ રસીદ, બેંકના દસ્તાવેજ, અને પાન કાર્ડને નાગરિકતાના પુરાવા માનવાથી ઈનકાર કરી દેવાયો છે. આંસુઓ ભરેલી આંખો સાથે જાબેદાએ કહ્યું કે, મારી પાસે જે હતું, તે હું ખર્ચી ચૂકી છું. હવે મારી પાસે કાયદાકીય લડાઈ લડવા માટે સંસાધનો બચ્યા નથી.
જાબેદા બેગમે ટ્રિબ્યૂનલ સામે પોતાના પિતા જાબેદ અલી વર્ષ 1966,1971, 1970 ની મતદાર યાદી સહિત 15 ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા, પરંતુ ટ્રિબ્યૂનલનું કહેવું છે કે, તે પોતાના પિતા સાથે તેની લિંકના સંતોષકારક પૂરાવા રજૂ ન કરી શકી. જન્મ પ્રમાણપત્રની જગ્યાએ તેણે પોતાના ગામના પ્રધાન પાસેથી એક પ્રમાણપત્ર બનાવડાવ્યું અને તે રજૂ કર્યું. આ પ્રમાણપત્રમાં તેના પરિજનોનું નામ અને જન્મના સ્થાનનું સરનામું હતું. પરંતુ આને ન તો ટ્રિબ્યૂનલે માન્ય રાખ્યું અને ન તો હાઈકોર્ટે.
ગામના પ્રધાન (સરપંચ) ગોલક કાલિતાએ જણાવ્યું કે, મને બોલાવવામાં આવ્યો હતો. મેં કહ્યું કે, હું તેને ઓળખું છું, કાયદાકીય રીતે તેમની પુષ્ટી પણ કરી હતી. અમે ગામના લોકોના સ્થાયી નિવાસ તરીકે તેમને સર્ટિફિકેટ આપીએ છીએ. ખાસકરીને દીકરીઓને કે જે લગ્ન બાદ બીજી જગ્યાએ ચાલી જાય છે.
વોશિંગ્ટન – આવતી 24-25 ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાત પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આંચકો આપ્યો છે. એમણે કહ્યું છે કે તેઓ ભારત સાથે કોઈ મોટો દ્વિપક્ષી વ્યાપાર કરાર હમણાં નહીં કરે, પણ એને બચાવી રાખશે. આ વર્ષના નવેંબરમાં નિર્ધારિત યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલાં એ કરાર કરવામાં આવે એવું પોતાને લાગતું નથી.
ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે એમની આગામી મુલાકાત વખતે ભારત-અમેરિકા વચ્ચે કોઈ મોટો દ્વિપક્ષી કરાર કરવામાં નહીં આવે.
ગઈ કાલે બપોરે મેરીલેન્ડસ્થિત જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે મોટો વ્યાપાર કરાર ચોક્કસ કરીશું, પરંતુ એને હું પછીના સમય માટે સાચવી રાખવાનો છું.
ટ્રમ્પની મુલાકાત વખતે અમેરિકા અને ભારત કોઈ ‘ટ્રેડ પેકેજ’ પર સહીસિક્કા કરે એવી ધારણા તો રખાય છે.
ભારત સાથે કોઈ મોટો વ્યાપાર સોદો કરવાનું તમે તમારી મુલાકાત પૂર્વે વિચારો છો ખરા? એવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ભારત સાથે ઘણો જ મોટો વ્યાપાર સોદો કરવાના છીએ. પરંતુ ચૂંટણી (પ્રમુખપદની ચૂંટણી) પહેલાં એ કરવામાં આવશે કે કેમ એની મને ખબર નથી. પરંતુ અમે ભારત સાથે મોટો સોદો કરવાના છીએ એ તો નક્કી છે.’
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશે ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે, ‘ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર કર્યો નથી.’
ટ્રમ્પે જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ‘મને વડા પ્રધાન મોદી સાથે ઘણું સારું બને છે. એમણે મને કહ્યું છે કે અમદાવાદના એરપોર્ટ અને ત્યાંના સ્ટેડિયમમાં નિર્ધારિત કાર્યક્રમ માટે અમને 70 લાખ જેટલા લોકો આવકારવા માટે એકત્ર થશે. મને એવું જાણવા મળ્યું છે કે સ્ટેડિયમમાં હજી બાંધકામ ચાલુ છે. પરંતુ એ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનવાનું છે. મારી મુલાકાત બહુ જ રોમાંચક બની રહેશે… મને આશા છે કે તમને પણ આનંદ આવશે.’
ભારત સરકાર અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પનું ભવ્ય રીતે સ્વાગત કરવાની છે. એ માટે હાલ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે આવકવેરા ધારા હેઠળ બાળક પ્રી નર્સરીની ફીઝ પણ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળે છે. આ સિવાય અન્ય બાબતો છે, જે તમને તમારા આવકવેરા હેઠળ છૂટ મળે છે.
પ્રી-નર્સરીની ફીઝ પર કપાત
તમારું બાળક જો પ્લે ગ્રુપ, પ્રી નર્સરી અથવા નર્સરીમાં ભણે છે તો તમે ફીઝ પર ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. આની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ સિવાય બહુ જ ઓછા લોકો આ બાબત જાણે છે અથવા દાવો કરે છે. સેક્શન 80 સી હેઠળ તમે આના પર બે બાળકો સુધી ક્લેમ કરી શકો છો.
સ્ટેમ્પ ડ્યૂટી પર ટેક્સ છૂટ
મકાન ખરીદતી સમયે તમે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીસ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. સેક્શન 80 સૂ હેઠળ આ કર રાહત લઈ શકાય છે., જેની મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ છે. ધ્યાનમાં રાખો કે તમે જે નાણાં વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી પર ડિડક્શન ક્લેમ કરો, એ જ નાણાકીય વર્ષમાં તમારે પ્રોપર્ટી ખરીદી કરવી પડશે, કેમ કે આગલ વર્ષે તમે આ દાવો નહીં કરી શકો.
માતા-પિતાને વ્યાજની ચુકવણી
મકાન ખરીદતી વખતે તમે તમારા પેરેન્ટ્સથી લોન લઈ શકો છો. અને એના પર વ્યાજની ચુકવણી કરી શકો છો. આ વ્યાજ પર તમારે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. તમારે તમારા માતા-પિતા નીચા ટેક્સ-સ્લેબમાં આવતા હોય તો વધુ લાભ થશે. કલમ 24બી હેઠળ આ રાહતનો દાવો કરી શકાશે. જેની મહત્તમ મર્યાદા રૂ. બે લાખ છે. ધ્યનમાં રાખો કે પેરન્ટસની લોન પર વ્યાજ ચુકવણીનું સર્ટિફિકેટ અટેસ્ટિંગ જરૂર કરો, જેથી તમને સરળતાથી ડિડક્શન કલેમ કરી શકો.
માતાપિતાને આપો ઘરનું ભાડું
તમારા માતાપિતાની માલિકીની ઘરમાં તમે જો રહો છો તો તેમને રેન્ટ પેમેન્ટ કરવા બદલ તમને ટેક્સ છૂટ હાંસલ કરી શકો છે. તમે એચઆરએ છૂટ ક્લેમ કરી શકો છો, જ્યારે તમે પેરેન્ટ્સ સ્ટેન્ડર્ડ ડિડક્શન અને મ્યુનિસિપલટેક્સ પર ડિડક્શન ક્લેમ કરી શકો છો. આવું કરવા પર પરિવારની બચત થશે. કલમ 10 (13એ)માં એની જોગવાઈ છે. ધ્યાન રાખોઃ જો એચઆરએ અથવા સેલરીના 10 ટકાથી વધુ રેન્ટ અથવા બેઝિક સેલરીના 50 ટકા-બેમાંથી જે ઓછું હોય એ, એટલું જ મહત્તમ ડિડક્શન મળશે. એની સાથે તમને મકાનમાલિક અને ભાડૂઆતવાળું સમીકરણ સત્તાવાર કરવું પડશે. એક વકીલની મદદથી તમે રેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યા પછી તમે દાવો કરી શકો છો.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પર કરકપાત
તમે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના પ્રીમિયમની ચુકવણી પર ટેક્સ રાહત મેળવી શકો છો. જો તમારા એમ્પ્લોયરે તમને પરિવાર માટે ગ્રુપ કવર કર્યું છે તો તેના પ્રીમિયમની ચુકવણી કરો છો તો તમે સ્વતંત્ર અને રિટેલ હેલ્થ કવર્સ પર કરરાહતના હકદાર બનશો. કલમ 80 ડીમાં આવી જોગવાઈ છે અને મહત્તમ રૂ. 75,000ની મર્યાદા છે. ધ્યાન રાખોઃ જો તમારું પ્રીમિયમ તમારા એમ્પ્લોયર ફંડ કરે છે તો તમે ટેક્સ છૂટનો દાવો નહીં કરી શકે.
માતાપિતાની સારવાર પર ખર્ચ
માતાપિતાનાની સારવારનો ખર્ચ કરો અને ટેક્સ રાહતમાં છૂટ હાંસલ કરો.60 વર્ષથી ઉપરના લોકોને સારવાર અને દવાઓ પર ખર્ચ સામાન્ય વાત છે.જો તમે માતાપિતાના દવાનો ખર્ચ કરો છો તો ટેક્સ છૂટ મેળવી શકો છો. સેક્શન 80 ડી હેઠળ આની જોગવાઈ છે અને મહત્તમ મર્યાદા રૂ. 50,000 છે. ધ્યાનમાં રાખોઃ આ ખર્ચ પર ટેક્સની રાહત મળશે. જો હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ કવર્ડ થશે.
પીપીએફમાં રોકાણમાં કરકપાત
પીપીએફ યોજનામાં રોકાણ કર્યા બાદ સાતમા નાણાં વર્ષથી તમે આંશિક વિથડ્રોલ કરી શકો છો. સેક્શન 80 સી હેઠળ તમને આના પર ટેક્સ છૂટ મળે છે. ચોથા વર્ષના અંત સુધીમાં તમે 50 ટકા રૂપિયા કાઢી શકો છો. એક નાણાકીય વર્ષમાં તમે એક જ વાર આંશિક વિથડ્રોલ કરી શકો છો. આ માટે જેમ બને એમ ટેક્સનું આયોજનને જોતાં તમારાં નાણાં કાઢી લેવા જોઈએ.
અમદાવા: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની 24 ફેબ્રઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી રોડ શો કરી સીધા ગાંધીઆશ્રમ જવાના છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે.
ગાંધી આશ્રમ અને રાજ્ય સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના રેટિંયો કાંતવા અંગેની તૈયારીઓ
આશ્રમ તરફથી ટ્રમ્પને ચરખો અને કોફી ટેબલ બુક ભેટ આપવામાં આવશે.
પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકનો છે, જેના કલાક પછી ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે.
પરીક્ષા કેન્દ્રમાં જતી વખતે બ્લોક રોડ, કડક સુરક્ષા તેમજ વીવીઆઈપી વ્યવસ્થા નડશે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતા.
12 પરીક્ષા કેન્દ્રોમાંથી 4 કેન્દ્રને સૌથી વધારે અસર થશે.
ચાર કેન્દ્રોમાં શાહીબાગની રચના સ્કૂલ, પોદાર સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય તેમજ કેન્દ્રીય વિદ્યાલય, કેન્ટોનમેન્ટનો સમાવેશ થાય છે.
મોદી-ટ્રમ્પનો કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે, ત્યારે રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે.
ટોક્યો: દુનિયામાં અનેક પ્રકારના અજીબોગરીબ ઉત્સવો ઉજવવામાં આવે છે. ભારતમાં અને વિકસિત દેશોમાં ટૂંકા કપડાને લઈને વિરોધ પ્રદર્શનો અને રમખાણો થઈ જાય ત્યારે દુનિયાના કેટલાક દેશો એવા છે જ્યાં શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરીને ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. તમને ભલે આ ફેસ્ટિવલ અજીબ લાગતા હોય, પણ સ્થાનિક લોકો તેને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. આપણે અહીં વાત કરી રહ્યા છીએ જાપાનના નેકેડ ફેસ્ટિવલની… આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે તેને ઓછામાં ઓછા કપડા પહેરીને સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં જ જાપાનના હોંશુ આઈલેન્ડ પર આ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો, જેમાં સેંકડો જાપાનીઝ પુરુષોએ ભાગ લીધો હતો.
બરફ જેવા ઠંડા પાણી અને તેમાં લગભગ કહેવા પૂરતા કપડા પહેરી હજારો લોકો એકસાથે ડુબકી મારતા જોઈ તમને પણ સવાલ થતો હશે કે આ લોકોને આવું કરવાની શું જરૂર પડી હશે?
જાપાનમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે સૈદાઈજી કાનોનિયન મંદિરમાં નેકેડ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં લોકો શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરેલા નજરે પડે છે. કેટલાક લોકો તેમાં સફેદ મોજોની સાથે ફનડોશી (જાપાનીઝ પારંપરિક કપડા) પહેરીને આવે છે.
આ ફેસ્ટિવલ માત્ર પુરુષો માટે જ આયોજીત કરવામાં આવે છે જેમાં અનોખી હરીફાઈ પણ રાખવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા નેકેડ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પુરુષોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદેશ્ય યુવા પેઢીમાં ખેતી માટે રૂચી પેદા કરવાનો છે. ઓકાયામા ટૂરિઝમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે, અમને આશા છે કે તેઓ ભવિષ્યમાં આ પરંપરા આગળ વધાશે.
પરંપરા અનુસાર પુરુષો આ ફેસ્ટિવલના શરુઆતના કલાકોમાં મંદિરની આસપાસ ચક્કર લગાવે છે અને પછી ઠંડા પાણીથી પોતાને પવિત્ર કરે છે. પછી તેઓ મુખ્ય મંદિરમાં પ્રવેશે છે. મંદિરમાં પ્રવેશ પછી હરિફાઈ શરુ થાય છે જેમાં સ્પર્ધકોને બે લકી સ્ટિક (લાકડી)ઓ શોધવાની હોય છે. જે મંદિરના પૂજારી 100 લાકડીઓના બંડલોની સાથે લોકોના ટોળામાં ફેંકે છે. મહત્વનું છે આ સ્પર્ધકો જ્યારે જળકુંડમાંથી બહાર નિકળે છે ત્યારે શરીર પર ઈજાઓના નિશાન હોય છે, પણ પરંપરાનું પાલન કરવા માટે તે દર વર્ષે આ ઉત્સવમાં ભાગ લે છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે,
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે,
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.