કેરળઃ મલૂરના થોલાંબરા વિસ્તારમાં રહેનારા 58 વર્ષ વર્ષના રાજન મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા તે લોટરીની ટીકિટ ખરીદવાનું ચૂકતા નહોતા. તેમને વિશ્વાસ હતો કે એક દિવસ ચોક્કસ મારુ નસીબ બદલાશે અને મને લોટરી લાગશે.લોટરી લાગ્યા બાદ રાજને કહ્યું કે, મેં આટલી મોટી સફળતા વિશે ક્યારેય વિચાર્યું નહોતું. તેમણે જણાવ્યું કે, ગઈકાલે જ્યારે લોટરીના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે મને આશા નહોતી કે હું વિજેતા બનીશ, પરંતુ જ્યારે મેં પરિવાર સાથે પરિણામો જોયા અમારી ખુશીઓનો પાર ન રહ્યો. રાજને જણાવ્યું કે લોટરી ટીકિટ બેંકમાં જમા કરાવતા પહેલા મેં રિઝલ્ટને ઘણીવાર ક્રોસ-ચેક કર્યું હતું.
રાજને જણાવ્યું કે, મેં પહેલા થોલાંબરાની કો-ઓપરેટિવ બેંકમાં સંપર્ક કર્યો. ત્યાં અધિકારીઓએ મને કન્નૂરની જિલ્લા બેંકમાં જવા માટે કહ્યું. બાદમાં તે પોતાની પત્ની રજની, દિકરા રિગિલ અને દીકરી અક્ષરા સાથે બેંક ગયા અને ત્યાં ટીકિટ જમા કરાવી. લોટરીમાં મળેલા પૈસાના ઉપયોગ વિશે રાજને જણાવ્યું કે, સૌથી પહેલા તો મારુ બાકી રહેલું દેવું હું ચૂકવીશ. બાદમાં હું આસપાસના જરુરિયાતમંદ લોકો માટે કંઈક કરવા ઈચ્છું છું.
રાજને જણાવ્યું કે, હું પરસેવાની કીંમત જાણું છું અને એપણ જાણું છું કે પૈસા કમાવા એ એટલું સરળ નથી. ત્યારે આવામાં તે આ રકમનો કોઈ ફાલતુ ખર્ચ નહી કરે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓને આજે મધ્યરાત્રિ સુધી તમામ બાકી લેણાં રૂ. 1.47 લાખ કરોડ ભરી દેવા આદેશ કર્યો છે. AGR કેસમાં સુપ્રીમ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને આકરી ફટકાર લગાવ્યા બાદ (DoTએ) ટેલિકોમ કંપનીઓને આ સંબંધમાં નોટિસ ઇસ્યુ કરી છે. ટેલિકોમ વિભાગે કંપનીઓને સર્કલને આધારે બાકી નીકળતાં લેણાં સંબંધે નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓના ઢીલા વલણ અંગે નારાજગી જાહેર કર્યા બાદ આ ટેલિકોમ વિભાગે આ પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે સુનાવણી દરમ્યાન ટેલિકોમ વિભાગ અને કંપનીઓને આડે હાથ લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોઈ કાનૂન-વ્યવસ્થા છે કે નહીં?
એરટેલે રૂ. 10,000 કરોડ ભરવાની તૈયારી દર્શાવી
આ નોટિસના જવાબમાં એરટેલે રૂ. 10,000 કરોડ ભરવાની તૈયારી દર્શાવી હતી. જોકે એરટેલના બાકી નીકળતાં લેણાં આશરે રૂ. 35,000 કરોડ છે, જ્યારે વોડાફોન-આઇડિયાના રૂ. 53,000 કરોડ બાકી છે. કંપનીએ કહ્યું હતું કે એ 20 ફેબ્રુઆરી સુધી આ રકમ ભરી દેશે. આ સિવાય એરટેલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી પહેલાં બાકી લેણાં ચૂકવવાની રજૂઆત કરી હતી.સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને 23 જાન્યુઆરી સુધીમાં રૂ. 1.47 લાખ કરોડની બાકી નીકળતી રકમ ભરવા કહ્યું હતું. આ આદેશ પછી માનવામાં આવે છે કે કંપનીઓ પોતપોતાના બાકી લેણાં ભરી દેશે. જોકે ટેલિકોમ વિભાગના ડેસ્ક અધિકારીઓને કોર્ટે આગામી આદેશ સુધી રિકવરી નહીં કરવા જણાવ્યું હતું. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ અધિકારી અમારા આદેશનું ઉલ્લંઘન કઈ રીતે કરી શકે? સુપ્રીમ કોર્ટે નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે જો એવું જ હોય તો સુપ્રીમ કોર્ટને જ બંધ કરી દેવી જોઈએ.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી, જેમાં બાકી લેણાને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ટેલિકોમ કંપનીઓ પર લાઇસન્સ ફીના રૂપમાં રૂ. 92,642 કરોડ અને સ્પેક્ટ્રમ યુઝેસ ચાર્જ રૂપે રૂ. 55,054 કરોડનાં લેણાં બાકી છે.
ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર ૧૯૮૩ થી સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન (સીએમએસ)સાથે કરારબદ્ધ છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ/પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરાઇ છે. જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબો (બે પ્રજાતિઓ)ની ઓળખ કરાઇ છે.
તા. ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ સંમેલનમાં ભારતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચા કરવા ભવિષ્યની રણનીતિઓ તૈયાર કરવા વિચાર વિમર્શ કરાશે. સીએમએસસીઓપી-૧૩નું આયોજન એ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ શિખર સંમેલનમાં ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ ભાગ લેશે.
તા.૧૫ અને ૧૬ મી ફેબ્રુઆરીએ આ શિખર સંમેલનમાં વિવિધ વિષયો જેવા કે સ્ટેકહોલ્ડર સંવાદ, ઉચ્ચ-સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજશે. તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે. આ સાથે જ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરશે.
ભારતમાં યોજાનારા આ શિખર સંમેલનની “સ્થાનાંતરિત પ્રજાતિઓ પૃથ્વીને જોડે છે અને અમે તેમનું તેમના ઘરમાં સ્વાગત કરીએ છીએ’’ તેવી થીમ આધારીત આ સમિટનો લોગો દક્ષિણ ભારતના પરંપરાગત આર્ટફોર્મ‘ કોલામ ’થી પ્રેરિત છે. આ લોગોમાં, કોલામ આર્ટ ફોર્મનો ઉપયોગ ભારતમાં અમુર ફાલ્કન, હમ્પબેક વ્હેલ અને દરિયાઇ કાચબા જેવી મુખ્ય સ્થળાંતર પ્રજાતિઓને દર્શાવવા માટે કરવામાં આવે છે.
આ શિખર સંમેલનમાં “ગિબી – ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ” માટેનો મેસ્કોટ છે જે એક ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ છે, જેને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અંતર્ગત સર્વોચ્ચ સંરક્ષણનો દરજ્જો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (સીએએફ) જે આર્કટીક અને ભારતીય મહાસાગરો વચ્ચેના ક્ષેત્રને આવરી લેતા મુખ્ય પક્ષી છે. તેઓ ભારતનો પણ એક ભાગ છે. અહીં ઓછામાં ઓછા ૨૭૯ની વસ્તીમાંથી ૧૮૨ સ્થળાંતરીત પ્રજાતિઓને આવરી લેવામાં આવી છે. જેમાં ૨૯ વૈશ્વિક સ્તરે જોખમી જાહેર થયેલી જાતિઓ પણ છે.
યજમાન તરીકે, બેઠક બાદના સમયગાળા દરમિયાન ભારતને પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવશે. સી.ઓ.પી.ના પ્રમુખ પદને રાજકીય નેતૃત્વ પ્રદાન કરવાનું અને સકારાત્મક પરિણામોની આપવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે સંમેલનના ઉદ્દેશોને આગળ ધપાવશે છે, જેમાં પાર્ટીઓનાં સમ્મેલન દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવો અને નિર્ણયોના અમલીકરણ માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.
ખોરાક, સૂર્યપ્રકાશ, તાપમાન, આબોહવા વગેરે જેવા વિવિધ પરિબળોને લીધે જુદા જુદા સમય દરમિયાન જંગલી પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં મૂળ નિવાસસ્થાનથી અન્ય સ્થળ વચ્ચેનું સ્થળાંતર અથવા હિલચાલ કેટલીક વાર હજારો કિલોમીટર / માઇલ સુધી હોય છે.સ્થળાંતર રૂટમાં સામાન્ય રીતે માળખાની સાઇટ્સ, સંવર્ધન સાઇટ્સ, જરૂરિયાત મુજબના ખોરાકની ઉપલબ્ધતા અને દરેક સ્થળાંતર પહેલાં અને પછી યોગ્ય રહેઠાણની ઉપલબ્ધતા હોવી જરૂરી છે.
મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી, 2020ઃ આજે ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.
ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.
ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
કંપનીનું મુખ્ય કામકાજ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને પ્રોડક્ટ્સનું પોતાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને વેચાણકર્તાઓ મારફત પોતાની માલિકીની બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવાનું છે. મુખ્યત્વે ઈન્જેક્શન્સ અને ઈન્ટ્રામસ્ક્યુલર, ડ્રાય સિરપ, ટેબ્લેટ્સ અને કેપ્સુલ્સનું ઉત્પાદન કોન્ટ્રેક્ટ ધોરણે કરવાનું, જેનેરિક ફોર્મ્યુલેશન્સ અને દવાઓ સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ આદિની હોસ્પિટલો અને ડિસ્ટ્રિબ્યુટર્સને પૂરી પાડવાનું કામકાજ કંપની કરે છે. એ સિવાય કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈન્ટરમીડિયેટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રેડિયન્ટ્સનું કામકાજ કરે છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 317 કંપનીઓ લિસ્ટેડ છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.18,072.26 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે
મુંબઈઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના જીવનની સ્ટોરીને રંગીન પડદે લાવવા માટે ઉત્સાહિત છે. અત્યારે તે આના માટે ફિલ્મ ડિરેક્ટરો સાથે વાત કરી રહી છે. ગત વર્ષે એ જાહેરાત કરવામાં આવી હતી કે યુગલમાં ગ્રૈંડ સ્લેમ ખિતાબ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી સાનિયાએ રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મૂવિઝની સાથે કરાર કર્યા છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલીક સાથે લગ્ન કરનારી સાનિયાએ ફિલ્મ વિશે કહ્યું કે, મને ડિરેક્ટરો સાથે કેટલીક મીટિંગ કરવાની હતી એટલા માટે હું મુંબઈમાં હતી. સાનિયાએ કહ્યું કે, હું જીવન હંમેશા મારી શરતો પર જીવી છું. સાનિયા મિર્ઝાએ કહ્યું કે, જેણે મારા કરિયરને જોયું છે, તે લોકો જાણે છે કે મેં ખુલીને મારી ભાવનાઓ વ્યક્ત કરી છે. હું ક્યારેય ડરી નથી, મારા માટે મારા જીવનની સ્ટોરી કહેવી અને લોકો તેને જોવે તે રોમાંચક હશે. 33 વર્ષિય સાનિયાનું માનવું છે કે એથ્લીટ ફિલ્મનો સારો વિષય બને છે, કારણ કે લોકો તેમના સંઘર્ષ અને કઠોર પરિશ્રમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, એક એથ્લીટ બનવામાં જે મહેનત લાગે છે તેની સાથે ઘણા લોકો અલગ-અલગ રીતે જોડાઈ શકે છે. આપણે બધા મહેનત કરીએ છીએ પરંતુ જ્યારે તમે કોઈ ગેમ રમો છો ત્યારે આપ હકીકતમાં પરસેવો પાડો છે. દરેક લોકો ચેમ્પિયનને પ્રેમ કરે છે.
સાનિયાએ કહ્યું કે, મારા સહિત ઘણા પ્લેયર સામાન્ય પરિવારમાંથી આવે છે. કંઈ જ ન હોવાથી લઈને ચેમ્પિયન બનવા અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધીના અમારા જીવનમાં ખૂબ સંઘર્ષ હોય છે. સાનિયાએ જણાવ્યું કે, સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે મને લાગે છે કે, મારી જવાબદારી સમાજમાં સારુ યોગદાન આપવાની અને લોકોની મદદ કરવાની છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીનો સપથ ગ્રહણ સમારોહ 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ સમારોહમાં હાજર રહેવા વડાપ્રધાન મોદીને પણ પાર્ટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે. જો કે પીએમ મોદી આ શપથ સમારોહમાં હાજરી આપશે કે નહીં એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ પોતાના મંત્રીમંડળની સાથે શપથ લેશે. ગત વખતની જેમ આ વખતે પણ શપથ ગ્રહણ રામલીલા મેદાનમાં યોજાશે. શપથગ્રહણ સમારોહ પહેલા અરવિંદ કેજરીવાલે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટમાં કોઇ બદલાવ નહીં કરે. એટલે કેજરીવાલ 3.0માં પણ તમામ જૂના મંત્રીઓ ફરીવાર શપથ લે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ મોંઘવારી મોરચે જાન્યુઆરીના જથ્થાબંધ ફુગાવાનો દર સરકારને ચિંતિત કરનારો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા આવ્યો છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.59 ટકા હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડુંગળી અને બટાટા જેવા શાકભાજીની કિંમતો વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે. જાન્યુઆરી, 2019માં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.76 ટકા હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આંકડા મુજબ બિન ખાદ્યપદાર્થોની કિંમતો ડિસેમ્બરના 2.32 ટકાથી આશેર ત્રણ ગણી વધીને 7.8 ટકા થઈ હતી. આ સમયગાળામાં ડુંગળીની કિંમતો 293 ટકા વધી હતી, જ્યારે બટાટાની કિંમતોમાં 37.34 ટકા વધી હતી.ડુંગળી-બટાટાની કિંમતો આસમાને
વર્ષ 2020ના જાન્યુઆરીમાં બટાટા અને ડુંગળીની જથ્થાબંધ કિંમતોમાં મોટો વધારો થયો હતો. પાછલા મહિને બટાટાની જથ્થાબંધ કિંમતોમાં 87.84 ટકાનો વધારો થયો હતો, જ્યારે ડુંગળીની કિંમતોમાં 293.37 ટકાનો વધારો થયો હતો. પાછલા મહિને ફ્યુઅલ અને પાવર ક્ષેત્રની કિંમતોમાં 3.42 ટકાનો વધારો થયો હતો.
રિટેલ મોંઘવારી છ મહિનાની ટોચે
આ સપ્તાહના પ્રારંભે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવાનો દર જાન્યુઆરીમાં છ મહિનાના મહત્તમ 7.59 ટકાની નજીક પહોંચ્યો હતો. શાકભાજી અને ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં વધારાને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો હતો. મે, 2014 પછી રિટેલ ફુગાવાનો દર આટલો ઊંચો નોંધાયો હતો. ત્યારે એ 8.33ના સ્તરે હતો.